________________
ખંડ : ૧ લે
૧૧૫ વાત કરનારાઓની વિધવા માતાઓ અને બહેને પણ શરમાય છે. કારણ કે આ તે પાપાત્માઓ છે. પણ તેમની માતાઓ અને ભગિનીએ કંઈ ધર્મહીન નથી કારણ કે જેઓમાં જેન કુળને સંસ્કાર ટકેલા હોય, સુસાધ્વીના પરિચયમાં નિરંતર રહેવાનું હોય અને નિત્ય જિન પૂજન, સામાયિકાદિ ક્રિયાઓનું સેવન તથા નિત્ય પરમત્યાગીઓના વ્યાખ્યાનનું શ્રવણ કરતાં હોય તેઓને આવા વિચારે ખટકે જ, પણ પાપ વિચારો જે કાયમી રીતે ફેલાયા કરે, તે પરિણામ એ જ આવે કે અસતીપણાની સુગ ઉડી જાય ! ઉચ્ચ કુળની મર્યાદા એ છે કે પર-પુરૂષને હસ્તપર્શ પણ ન કરાય, ત્યારે આજ તે શકહેન્ડને શોખ જન્મે એ ખબર ભયંકર નાશની નિશાની છે.
શ્રી સ્વાતંત્ર્ય અને વિધવા વિવાહની જ વાત કરે છે. તેઓ પિતે જ આર્યદેશમાં વગર કારણે અનાચારને ભયંકર પાપપ્રચાર કાર્ય કરી રહ્યા છે. શાણ સજજન અને ધર્મ રસિક આત્માઓએ તે આવા પાપાત્માઓની છાયાથી 'પણ અલગ રહેવા જેવું છે.
(નવપદ દર્શન પુસ્તકમાંથી સાભાર) ધર્મથી પરામુખ આત્મા કરતાં પણ ધર્મની આશાતના કરનારે સ્વપને માટે વધારે ભયંકર છે. - આજે ધર્મના નામે કોઈક ઠેકાણે ધર્મની આશાતના થઈ રહી છે. ધર્મના દ્રોહિએ કહે છે કે અમે જ સાચે