________________
ખંડ : ૧ લો
૧૩૧ પર્વતક, નારદ અને રાજપુત્ર વસુ એ ત્રણેયને જોઈને ગેચરી માટે આવેલા તે મુનિવરોમાંના એક મુનિવર કે જે અતિશય સંપન હતાં તેમણે પોતાની સાથેના મુનિવરને કહ્યું કે
આ ત્રણ છોકરાઓ પૈકીને બે છોકરાઓ અધોગામી થશે અને એક એકર ઉર્ધ્વગામી થશે.” સાતિશય જ્ઞાન મુનિવરે ઉચ્ચારેલી આ વાત ક્ષીરકદંબક નામના તે પાઠકના સાંભળવામાં આવી. ક્ષીરકદંબકે એ વાતને સાંભળી અને એ વાતને સાંભળતાં તેમને ખૂબ જ ભ થયે. તેને વિચાર થયે કે આ મહાભાગ મુનિઓ શ્રી વીતરાગ માર્ગના અનુગામી છે; અને વીતરાગ માર્ગના અનુગામી મુનિઓ અન્યથા બોલનાર હોતા નથી. વિચાર કરે કે શ્રી વીતરાગ માર્ગને અનુગામી મુનિઓની આ નામના કેવી સુંદર છે?
બીજે એક ઠેકાણે વાંચેલ કે સાંભળેલ છે કે રાતના અગાશી ઉપર ફીરકદંબક પાઠક અને ત્રણે વિદ્યાથી સૂતાં હતાં તે વખતે બે ચારણ મુનિઓ ઉપરથી પસાર થયા ત્યારે એક ચારણ મુનિએ કહ્યું કે આ ત્રણ વિદ્યાથી માંથી બે નરકગામી અને એક સ્વર્ગવાસી છે. એ વાત ક્ષીરકદંબક પાઠકે સાંભળી. શ્રી વીતરાગ માર્ગને અનુગામી મહાભાગ મુનિઓ અસત્યવાદી નથી હોતાં. આટલે વિચાર કરીને તે ફીરકદમ્બક પાઠક નથી અટક્યાં. તે વિચાર કરે છે કેજ્યારે મુનિએનું કથન સત્ય જ છે તે પછી એ નક્કી કરવું જોઈએ કે આ ત્રણમાં અધોગામી કોણ છે ? ઉર્વગામી કોણ છે?