________________
ખંડ : ૧ લે
૧૧૯ નથી. ભગવાનના આત્માઓ પિતાના પુરૂષાર્થથી કર્મને લેપ કાઢી કર્મને હટાવી (આત્માથી છુટા પાડી) પરમાત્મા બન્યા છે. પહેલાં તે જિનેશ્વરને આત્મા પણ આપણી જેમ સંસારમાં રાતે હતો, જ્યારે સભ્યત્વને પામ્યાં ત્યારથી એના ભવેની ગણતરી થાય છે. અને જિનેશ્વર દેવના આત્માઓ સંસારના કિચડમાંથી કેવી રીતે બહાર નીકલી આવ્યા છે. તે તેના ચરિત્રોમાંથી આપણને જાણવા મલે છે.
જન્મે છે, તે જ મરે છે. એટલે જન્મ થાય તે જ મરણ થાય છે. તે મરણથી શું કરવા ભય રાખે? જન્મથી ભય રાખો અને જન્મ ન થાય તે મરણ નહિ થાય ને યાદ રાખજો કે ગમે તે નીચ ગતિવાળા માણસ (ધર્મ) સદાચરો કરીને ઉગ્રગતિને પામે છે. અને ઉગ્રગતિને માણસ અધર્માચરણો વડે કરીને નીચપણાને પામે છે. માટે ધર્મ મુજબ સદાચરણથી ચાલવું એજ ઉત્તમ છે. રાશી લાખ જીવ નીમાં પરિભ્રમણ કરતાં મળેલા આ માનવ ભવને સાર્થક કરવાની ઈચ્છા થાય તે જિનેશ્વર ભગવાને કહેલા. અમને આરાધે.
યુગ યુગથી ચૌરાશીના ચક્કર ફરતે માનવ સુખની બ્રાંતિને લીધે ભટક્યા કરે છે. અને દુઃખ અને બંધન રૂપ થનારા ઇન્દ્રિયાના સુખને તેઓ સાચું સુખ માની લે છે, અને પછી વારંવાર પસ્તાય છે. જીભને અવનવા સ્વાદ ગમે, આંખને સુંદર રૂપ ગમે, કાનને મધુર રાગિણી ગમે, નાકને