________________
સોધ યાને ધર્મનું સ્વરૂપ
ભાવાર્થ:- ઘરબાર, ધન, દોલત, શ્રી પુત્રાદિને પેાતાના માનવા અને તેને માટે તનતેડ મહેનત કરવી તે અહિરાહ્મદશા.
૧૧૮
(૨) મનોવિકારો પર વિજય મેળવી આત્મદશાની વિચારણામાં ઊંડા ઉતરવું અને વ્યવહારનાં કાર્યમાં અથવા શરીરના સંબંધમાં માત્ર સાક્ષી ભાવ રાખવા તે અંતરાત્મદશા.
(૩) બ્રાહ્ય ઉપાધિના ત્યાગ કરી જ્ઞાનાનંદમાં મસ્ત રહેવુ અને વિષય-કષાયની ઉપર થઈ જવું તે પરમાત્મદશા.
આમાં પણ ‘ચિત્ત પ્રસન્ગે રે પૂજન ફળ કહ્યુ રે’ સઘળાંય શ્રી અરિહંત પરમાત્માએ સારાય જગતને એકજ ઉપદેશ આપ્યા છે કે મહાપુણ્યના યેાગે દુનિયાની ગમે તેટલી સુખસાહેબી રિદ્ધિ, સિદ્ધિ મલી હોય તો પણ આ દુર્લભ મનુષ્ય ભવ પામીને જેનામાં શક્તિ હોય તેણે એ સઘળી રિદ્ધિ સિદ્ધિ આદિના સાપ જેમ કાંચળી મૂકીને ચાલ્યે જાય તેમ ત્યાગ કરીને અણુગારપણું જ સ્વીકારવું જોઈએ. ભવ્ય જીવાને મુક્તિપદ મેળવવાના આ જ રાજમાર્ગ છે. જે જીવા સર્વવિરતિને પામ્યા (સાધુ થયા) પછી પણ આ દુનિયાના સુખોમાં રંગાઇ જાય અને દુઃખથી ગભરાયા કરે તે કમે તેની છાતીપર ચઢી બેસી તેને સસારમાં રખડાવે છે.
આમ તો આપણા આત્મા પણ જિનેશ્વર ભગવાન જેવા છે (આત્મા સા પરમાત્મા) પણ આપણા આત્મા ઉપર કર્મીના લેપના થર જામી જવાના કારણે પરમાત્મા બની શકતા