________________
ખંડ : ૧ લો
૧૦૭
યાદ આવ્યું. તેનું રટણ કર્યું એ બી ચલ જાયેગા રટણ કરતાં કરતાં એને સમજાવ્યું કે સંતે જે મંત્ર આપ્યો છે તે મંત્ર નથી પણ સમજવાનું જ્ઞાન છે. એને ભાવાર્થ એ થાય છે કે જેમ સુખ ચાલ્યું ગયું તેમ દુઃખ પણ ચાલ્યું જશે. એ રાજાને સમજાયું અને કુદરતે રાજાને જે બેટા આરોપ માટે સજા થઈ હતી તે માફ થઈ.
સંસારમાં શું ના બને? આમાં આશ્ચર્ય પામવા જેવું નથી આ તે સંસાર છે. સંસારમાં છે કેઈને ય વિશ્વાસ કરવા જે? સંસારમાં તે આપણું પુણ્ય સહાયક હોય તોજ આપણે વિશ્વાસ લેખે લાગે. જ્યાં પાપોદય આવ્યો એટલે ગમે તે વિશ્વાસ પણ નિરર્થક નીવડે. એટલે તે જ્ઞાની ભગવંતોએ મનુષ્યભવમાં જે થઈ શકે તે ધર્મ કરી લેવાનું કહ્યું છે. કારણ ધર્મથી જ પુણ્ય ઉપાર્જન થાય છે. અને પુણ્યથી જ સુખ મલે છે. - હવે તે રાજાને ભાન થયું કે સુખ-દુઃખ એ કર્મના ખેલ છે. એ વાત સત્ય છે. અને કર્મને કરનાર પિતાને આત્મા જ છે. એટલે રાજા સંસારને છોડી ફકીર બની ગયે.
ફકીર કેને કહેવાય? મનકી મમતા મીટ ગઈ, તનકી મીટ ગઈ પીડ; ફિકરકા ફાકા કીયા, ઉસકા નામ ફકીર....(૧) ખાવાને રેટી મલે, અંગ ઢાંકવા ચીર; ફિકરની ફાકી કરે, તેનું નામ ફકીર ... (૨)