________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ- ત્ય
મરે તોય આના કારણે સદ્ગતિ થાય.) T હોડીમાં ચડ્યા બાદ ત્રણ સ્થાન છોડીને બાધા વિનાના સ્થાને રહે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે-હોડીની સૌથી આગળના
ભાગમાં ન બેસવું. કેમકે ત્યાં હોડીના અધિષ્ઠાયક દેવનો નિવાસ હોય. (એ કોષે ભરાય) હોડીની સૌથી પાછળના ભાગમાં | ૨૫૭ | ન ન બેસવું. કેમકે પાછળ જો બીજી હોડી આવતી હોય તો અને એ આ હોડીને અથડાય તો પોતે ત્યાં જ બેઠો હોવાથી પોતાને
મુશ્કેલી પડે. તથા હોડીની સૌથી વચ્ચેના ભાગમાં ન બેસવું. કેમકે હોડીની વચ્ચેનો ઘણો ખરો ભાગ પાણીમાં ડુબી જતો જ હોય છે એટલે જો હોડીમાં પાણી આવે તો એ વચ્ચેના ભાગમાં તો સૌથી પહેલા આવે. કેમકે એ ભાગ જ સૌથી વધુ અંદર vr)
નિ.-૩૮ ડુબેલો હોય છે. નાવિક ત્યાં રહેલા માણસો દ્વારા એ પાણી ખોબે-ખોબે બહાર કાઢવાનું કામ કરાવતો હોય છે. એટલે સાધુ |
જો ત્યાં ઉભો રહે તો એને પણ એ પાણી ઉલેચવાનું કહેવામાં આવે. આ કરવું ન પડે એ માટે ત્યાં પણ ન રહેવું. | | પ્રશ્ન : તો પછી ક્યાં રહેવું ?
સમાધાન આ ત્રણ સ્થાન છોડી પાસે – પાર્વે-બાજુ પર(બાકી બચેલા ભાગોમાં) રહેવું. ત્યાં પણ ઉપયોગવાળો અને નવકાર ગણવામાં તત્પર રહે. (સ્વાધ્યાય કે વાતચીત ન કરે.)
પ્રશ્ન : આ રીતે નિર્વિઘ્ન જયારે કિનારે પહોંચે ત્યારે શું વિધિ ? સમાધાન : ત્યાં હવે બતાવાશે એ યતના પાળે.
| ૨૫૭ll