Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 837
________________ શ્રી ઓઘ-ત્ય ચન્દ્ર. ઃ આ પ્રમાણે કહેવાય છતે પ્રશ્નકાર કહે છે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૨૫૧ : ટીકાર્થ: એ વાત સાચી કે પરગામ ગોચરી જનારા સાધુઓ વડે આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય. પરંતુ બિચારા તે વૃષભ, વૈયાવચ્ચીઓ તો ત્યજાયેલા જ થાય છે. કેમકે આટલું બધું હરવા-ફરવાથી તેઓને કેટલું કષ્ટ || ૮૨૦ | _ પડે ? - આચાર્ય પણ આ જ વાક્ય વડે આડકતરી રીતે પ્રત્યુત્તર આપે છે કે તે કહ્યું એ સાચી વાત છે કે આ રીતે તો ૫, આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય છે અને તે ભક્તિ વડે તે વૈયાવચ્ચીઓ પરલોકમાં અને ઈહલોકમાં અનુકંપિત કરાયેલા viી * બને છે. કેમકે પરલોકમાં નિર્જરા અને આલોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય. નિ.-૨૫૧ | પૂર્વપક્ષ પાછો પ્રશ્ન કરે છે કે આચાર્યની ભક્તિ ભલે થાઓ (પરલોકસંબંધી લાભ ભલે થાઓ) પણ તે વૈયાવચ્ચીઓને થતી ભૂખની પીડા અને તરસની પીડાનું શું? એ તો એવીને એવી જ રહે છે. આચાર્ય ઉત્તર આપે છે, કે એ આપત્તિ રહેતી નથી. કેમકે પ્રથમાલિકા કરવાની રજા જ છે. પરંતુ એ એમને એમ નહિ. ત્રણ સ્થાને કરાય છે. પ્રશ્ન : તે ક્યા ત્રણ સ્થાનો છે? ઉત્તર : (૧) જો એ વૈયાવચ્ચી સાધુ ભૂખ્યો-તરસ્યો રહેવા માટે અસહિષ્ણુ હોય તો એ પ્રથમાલિકા કરે. ઉi ૮૨૦ (૨) જો ઉનાળો વગેરે હોય તો પ્રથમાલિકા કરે. (૩) તે વૈયાવચ્ચી ક્યારેક તપસ્વી પણ હોય કે અતપસ્વી પણ હોય,

Loading...

Page Navigation
1 ... 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862