SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ત્ય ચન્દ્ર. ઃ આ પ્રમાણે કહેવાય છતે પ્રશ્નકાર કહે છે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૨૫૧ : ટીકાર્થ: એ વાત સાચી કે પરગામ ગોચરી જનારા સાધુઓ વડે આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય. પરંતુ બિચારા તે વૃષભ, વૈયાવચ્ચીઓ તો ત્યજાયેલા જ થાય છે. કેમકે આટલું બધું હરવા-ફરવાથી તેઓને કેટલું કષ્ટ || ૮૨૦ | _ પડે ? - આચાર્ય પણ આ જ વાક્ય વડે આડકતરી રીતે પ્રત્યુત્તર આપે છે કે તે કહ્યું એ સાચી વાત છે કે આ રીતે તો ૫, આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય છે અને તે ભક્તિ વડે તે વૈયાવચ્ચીઓ પરલોકમાં અને ઈહલોકમાં અનુકંપિત કરાયેલા viી * બને છે. કેમકે પરલોકમાં નિર્જરા અને આલોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય. નિ.-૨૫૧ | પૂર્વપક્ષ પાછો પ્રશ્ન કરે છે કે આચાર્યની ભક્તિ ભલે થાઓ (પરલોકસંબંધી લાભ ભલે થાઓ) પણ તે વૈયાવચ્ચીઓને થતી ભૂખની પીડા અને તરસની પીડાનું શું? એ તો એવીને એવી જ રહે છે. આચાર્ય ઉત્તર આપે છે, કે એ આપત્તિ રહેતી નથી. કેમકે પ્રથમાલિકા કરવાની રજા જ છે. પરંતુ એ એમને એમ નહિ. ત્રણ સ્થાને કરાય છે. પ્રશ્ન : તે ક્યા ત્રણ સ્થાનો છે? ઉત્તર : (૧) જો એ વૈયાવચ્ચી સાધુ ભૂખ્યો-તરસ્યો રહેવા માટે અસહિષ્ણુ હોય તો એ પ્રથમાલિકા કરે. ઉi ૮૨૦ (૨) જો ઉનાળો વગેરે હોય તો પ્રથમાલિકા કરે. (૩) તે વૈયાવચ્ચી ક્યારેક તપસ્વી પણ હોય કે અતપસ્વી પણ હોય,
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy