________________
|
નિ.-૧૦૩
શ્રી ઓઘ-ચ
પણ માત્રુ ખુલ્લામાં જ જતા, તથા સાધુઓ પણ ઉત્સર્ગ માર્ગે શેષકાળમાં પ્યાલાનો ઉપયોગ ન કરતા, એટલે તેઓ પણ નિર્યુક્તિ ખુલ્લામાં જ સીધા જ માત્રુ જતા. હવે જો ગૃહસ્થો અને સાધુઓનું માત્રુ માટેનું સ્થાન એક જ હોય તો ઘણા દોષોની સંભાવના
છે. એટલે એ ચાલી ન શકે.) ૪૫૭ . (૫) ગુહસ્થોની સાથે મળ-પરિઝાપન કરે. (અર્થાતુ જયાં ગૃહસ્થો સ્પંડિલ જતા હોય તે જ સ્થાનોમાં સાધુઓ પણ જાય. આ એ ન ચાલે.)
(E) ઉપાશ્રયના આંગણામાં કફ-શર્દી વગેરે પરઠવે. (આ પણ ન ચાલે. જેને કફ-શર્દી હોય તેણે પ્યાલો રાખી એમાં | પરઠવવા, એવી શાસ્ત્રજ્ઞા છે. માટીના ઘડાના તુટી ગયેલા ઠીકરા વગેરે ત્યારે આ પ્યાલા તરીકે વપરાતા.)
આ બધું તે સાધુ જુએ (તો સમજી લે કે આ ગચ્છ અભ્યન્તર દ્રવ્યદોષોવાળો છે.) આ અભ્યન્તર દ્રવ્ય પ્રત્યુપેક્ષણા બતાવી. હવે અભ્યન્તર ભાવપ્રત્યુપેથાણા બતાવે છે. (૧) સાધુઓ હસી-મજાક, ગીત, વિકથા વગેરે કરે. (૨) પરસ્પર ઝઘડો કરે. (૩) પાશાઓ કે કોડીઓ વડે રમતો રમે. આ બધી ભાવસંબંધી પ્રત્યુપેક્ષણા છે.
૪પા .