Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 832
________________ Ini E E શ્રી ઓઘ- આગળ જાય અને ત્યાં તે સાધુઓની રાહ જુએ. નિર્યુક્તિ 1 પ્રશ્ન : પણ અજાણતા જ તે સાધુઓ જો કહ્યા વિના જ નીકળી ગયા હોય, તો તેઓ કઈ દિશામાં ગયા છે. એ શી 1 |ી રીતે ખબર પડે ? | ૮૧૫ || ઉત્તર : જો તે ભિક્ષા માટે ગયેલા સાધુઓ અજાણતા જ કહ્યા વિના જ નીકળી ગયા હોય તો પછી તેવા સાધુઓની તો ચારેય દિશામાં સાધુઓએ તપાસ આદરવી. પ્રશ્ન : સાધુઓની તપાસ કરવા માટે જવાની વિધિ શું છે ? ઓઘનિર્યુક્તિ-૨૪૮ : ઉત્તર : ગાથાર્થ એક સાધુ માર્ગ વડે અને બે ઉન્માર્ગ વડે ચાલતા શબ્દ કરે. (શેષ ટીકાર્થથી નિ.-૨૪૮ સ્પષ્ટ થશે.) 1 ટીકાર્થ : એક સાધુ પ્રસિદ્ધ મુખ્ય માર્ગે આગળ વધે. બીજા બે સાધુએ રસ્તાની આજુબાજુના ઉન્માર્ગ વડે આગળ વધે. '' આશય એ કે એક સાધુ માર્ગની એક સીધી દિશા વડે આગળ વધે. બે સાધુઓ બે બાજુની આડી દિશા વડે આગળ વધે. (કદાચ ચોરો સાધુને ઉપાડી જઈ ઉન્માર્ગે આગળ વધ્યા હોય તો સાધુ ત્યાં જ મળવાનો...) આ ત્રણેય જણ ચાલતા ચાલતા બૂમો પાડતા જાય. જે ગોચરી માટે ગયેલા સાધુઓ હતા, તેઓ જો રસ્તામાં ચોરો વડે ચોરાયેલા હોય તો તેઓ શું કરે ? એ વિધિ બતાવે છે કે તેઓ ચોરો વડે પકડીને લઈ જવાતા હોય, તો હોંશિયારીપૂર્વક રસ્તામાં પગ વગેરે વડે અક્ષરો લખતા જાય. અથવા તો વ ૮૧૫ / = re ' *

Loading...

Page Navigation
1 ... 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862