________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ-ચ
ગ્રહણ ન કરવો. (અલબત્ત અહીં અનેક સાધ્વીઓ છે. પણ સાધ્વીઓ સાથે સાધુ વૈદ્યને ત્યાં પૂછવા જાય તો કેટલું બધું બેહુદુ લાગે ? એટલે એકલો જ જાય. એમ એકલા સાધ્વીઓ પણ વૈદ્યને પૂછવા જતા નથી. કારણો સ્વયં વિચારી લેવા.).
વડે દ્રવ્યાદિચતુષ્ક ઉપદેશાવે છÄ પૂર્વે બતાવેલી યતના કરવી. (અર્થાત્ ગ્લાન સાધ્વીને સમાધિ થાય, રોગ દૂર IT ૩૫૨ ll | થાય એ માટેના બધા પ્રયત્નો, બધા જ પ્રયત્નો કરવા.)
વિશેષતા એ કે સાધુ સાધ્વીઓના ઉપાશ્રયમાં ન રહે, પણ બીજા ઉપાશ્રયમાં રહીને સાધ્વીજીની સેવાનું કામ સંભાળે. પ્રશ્ન : આમ કયા સુધી કરે ? સમાધાન : જયાં સુધી એ સાધ્વીજી પોતાની નવકારશી લાવવા માટે સમર્થ થાય ત્યાં સુધી પોતે રોકાય, પછી નીકળી
નિ.-૭૯ જાય. ' આમ ઘણા સાધ્વીજીઓની વચ્ચે એક ગ્લાન સાધ્વી હોય તો તેની વિધિ કહી.
હવે એકાકી ગ્લાન સાધ્વી હોય, તો તેની વિધિ શું ? તેનો અતિદેશ કરતા કહે છે કે અનેક સાધ્વીમાં રહેલ ગ્સાનસાધ્વીના જેવી જ એકાકી ગ્લાન સાધ્વીની પણ વિધિ સમજવી.
માત્ર એટલી વિશેષતા જાણવી કે સાધ્વીજી અતિ વધારે માંદા હોય તો સાધુ જુદા ઉપાશ્રયમાં ન રહેતા સાધ્વીના જ ઉપાશ્રયમાં વચ્ચે પડદો કરીને રહે અને સાધ્વીની સેવા કરે. (જ્યાં “આ શ્રમણી છે, મારા સાધર્મિક છે.” આવો નિર્ભેળ
all ૩૫૨ ||
ક
P
b
E