________________
७४
યોગદષ્ટિ સમુચ્ચય પણ એવા બાહ્ય આડંબર કરનાર છે પિતામાં રહેલા દોષોને તાવિક દષ્ટિ વડે શ્રુતજ્ઞાન રૂપ દીપકથી જોઈ શકતા નથી, પરંતુ બ્રાતિથી પરમાર્થના જેવી ક્રિયા કરવાને બાહ્ય દેખાવ કરે છે. આ પ્રમાણે પિતામાં રહેલા દોષને નહિ જોઈ શકવાથી અણુઉપયોગથી પાપમય પ્રવૃત્તિ કરે છે. મતલબ એ છે કે સૂક્ષ્મ બોધના અભાવે દીપ્રા દૃષ્ટિવાળે જીવ પોતામાં રહેલા દોષોને જોઈ શકતા નથી. ૬૯.
અન્યદુત્તરાસ્વસ્મત પાપ કમાંગsપિ હિતા તપ્ત લેહપદન્યાસતુલ્યા વૃત્તિ કવચિદિ Insળા
સમ્યક ગુણ સ્થિરાદિ ચાર દષ્ટિમાં હોય છે, એ ગુણને લઈ આ દૃષ્ટિવાળે જીવ હિંસાદિ પાપમય કઈ પ્રવૃત્તિ કરતે નથી, છતાં કર્મસંયોગે થઈ જાય તો, તે લેઢાના તપાવેલા. ગળા ઉપર જેમ પગ મૂકે તેના જેવી થાય અર્થાત્ પાપમય. આચરણ કરતા ઘણે જ ભયભીત થાય, બને ત્યાં સુધી તે પાપ કરતે જ નથી અને કદાચ પાપમય આચરણ થઈ જાય. તે અત્યંત પશ્ચાતાપ તેને થાય. ૭૦.
આમ હવાનું કારણ કહે છે વિદ્યવેદ્યપદતઃ સવેગાશિયાદિતિઃ |
થરવ ભવયેષા પુનર્ગત્યગતઃ ૭૧ વિવેચન–વેદ્યસંવેદ્યપદ, જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે. આ દષ્ટિવાળા જીવને એ પદને લઈ અત્યંત વૈરાગ્ય થાય છે, અને તીવ્ર વૈરાગ્યને લીધે એ જીવની એ છેલ્લી જ પાપમય પ્રવૃત્તિ હોય છે, કારણ કે હવે ફરી તેની દુર્ગતિ