________________
આત્મબેક
સતને નિવાસ હદયમાં છે. ૪૦.
પ્રભુ મહાવીરને ગૌતમસ્વામી ઓળખી શકે છે. ગૌશાલે ઓળખી શકે નહિ. એ જ પ્રકારે જ્ઞાનીને જ્ઞાની જ ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતા નથી. ૪૧.
માનવ તન રૂપી મંદિરથી વિશેષ મહત્વશાળી મંદિર ત્રણ લેકમાં નથી. ૪૨.
ક્ષમા વસ નથી, એ તે અભૂષણ છે. ૪૩. સંયમી પુરુષ માટે રાત્રિ પણ દિવસ સમાન છે. ૪૪.
જ્ઞાનીનું જીવન નિર્દોષ બાળકથી પણ અનંત પવિત્ર છે. ૪૫.
જૈન શાસ્ત્રો આ જીવનને તથા અનંત જીવનને પવિત્ર બનાવવાવાળું પરમશક્તિશાળી સાધન છે. ૪૬.
જૈનશાસન વિશ્વને પવિત્ર બનાવવાવાળું પરમાર્થી પવિત્ર પુરુષાથી શાશ્વત મંડળ છે. ૪૭.
અધોગતિના કર્તવ્યથી છેડાવે તે જ ધર્મ છે. ૪૮.
આહાર-વિહારની અવિવેકતા રાખનારની તંદુરસ્તી ખરાબ થાય છે, આહાર-વિહારમાં વિવેક રાખનારની તંદુરસ્તી સારી રહે છે. એ જ પ્રકારે જ્ઞાની વિવેકપૂર્વક પિતાનું જીવન જીવે છે, અને અજ્ઞાની પાપમય જીવન જીવે છે જેથી તેની આત્મિક તંદુરસ્તી ખરાબ થાય છે. ૪૯.
પરમાત્મ પદ એ આત્માને જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ અજ્ઞાનવશાત્ તે ભૂલાયેલ છે. ૫૦.
યા. ૧૭