Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 358
________________ પ્રકરણ ચોથું દેહને આત્મા ભિન્ન છે એ સમજાય તે સંસારના તમામ પદાર્થો આત્માથી ભિન્ન છે તે આપોઆપ સમજાય. આથી જ દેહ તે હું છું તે દેહાત્મભાવ તેવા માટે આટલે બધે ભાર તપશ્ચર્યાદિ પર મૂકવામાં આવે છે. દેહ ને ચેતનની જુદી જુદી ભૂમિકાઓ સમજવાથી જીવ ને પુદ્ગલ ભિન્ન છે તેનું ભાન થશે. એક બાજુ દેહની ત્રણ ભૂમિકા–બાળ, યુવાન ને વૃદ્ધ આપણે જોઈએ. ત્યાં જુદી જુદી વિશેષ ભૂમિકાઓ નથી કારણ દેહમાં ઊંડાણ નથી, જડ તે આખરે જડ છે, પણ આ દેહથી ભિન્ન ચેતન છે, ને તેની તે અનેકાનેક ભૂમિકામાં છે. ત્યાં તે પિસિફિક મહાસાગરનું ઊંડાણ છે, જ્યારે દેહ તે પથ્થરના ચોસલા જે –જ્યાં કઈ ઊંડાણું નથી. જેમ જેમ જડ પદાર્થથી હું ચેતનતનવ ભિન્ન છું એ ભાન વધતું જાય છે તેમ તેમ ચેતનની ભૂમિકાઓ ઉત્તરોત્તર ઊંચી વધતી જાય છે. ચોગવિદ્યા તે બીજું કશું જ નહિ પણ આ ચેતનભૂમિના પઠનું સંશોધન. આ ભિન્ન અનેકાનેક ભૂમિકાઓ તે ચેતનની જ એક માત્ર મૌલિક વિશિષ્ટતા છે, જડની નહિ, એ વસ્તુ પુરવાર કરે છે કે જડથી ચેતન ભિન્ન છે અને એ રીતે અન્યત્વભાવનાનું પોષણ કરે છે

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384