________________
થડાક અભિપ્રાય જીયનની ચાવી જેવા વિષયે વિગતવાર અને સદષ્ટાંત નિરુપણ કરવામાં આવ્યું છે.
આરંભમાં જ કહ્યું તેમ ગ એક ગહન વિષય છે. અને પરિભાષિક સંજ્ઞાઓ સમજાવી, દૃષ્ટાંત આપી, લેખકશ્રીએ આ વિષયમાં મુમુક્ષુઓને સરળતાથી પ્રવેશ કરવાની તક ઊભી કરી આપી છે.
મુખ્યત્વે વિવરણ વ્યાખ્યાન અને વાર્તિકની શૈલીને ઉપગ અહીં થયો છે. તે સર્વથા સમુચિત છે.
ઠેરઠેર મુકાયેલી દષ્ટાંત કથાઓ વિષયને સુગમ તે બનાવે જે છે, તે સાથે ગહન વિષયના નિરુપણને રસાવહ પણ બનાવે છે.
લેખકશ્રીએ પ્રસ્તાવનામાં નમ્રતાથી કહ્યું છે કે, “હું સાહિત્યકાર કે દાર્શનિક બેમાંથી એક પણ નથી. પ્રભુની કૃપાથી તથા સદ્ગુરુની કૃપાથી જે પરમ સત્ય મને સાંપડયું છે, તેને મારી ભાષામાં જનસમાજ સમક્ષ મૂકવાના અંતરાત્માના આદેશથી આ પ્રયત્ન કરું છું.
આ તે લેખકશ્રીની નમ્રતા છે. દર્શન કે તત્ત્વજ્ઞાન માર્મિકતાથી સમજાવવું એ પણ નાનીસૂની સિદ્ધિ નથી. સમસ્ત જ પ્રત્યે કરુણાથી ધબકતું હૃદય અને હૃદયમાં સેંસરી ઊતરી જાય તેવી વાણુ તે એમની પાસે છે જ. એ દષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. “વિશ્વ શાંતિ ચાહુક'નું ઉપનામ આ ગ્રંથથી સંપૂર્ણપણે સાર્થક કરે છે.
–જ્યહિન્દ