________________
( ૨૧ )
કરી નથી અને તને નજરે દીઠે। પણ નથી તેનાં પાણી (હાથ), વાણી અને મૈત્રા નિષ્ફળ જ છે.
હે નાથ ! જેણે મન, વચન, કાયાએ કરી નાથપણે તારું આરાધન નથી કર્યું. તે છવા આધિ, વ્યાધિથી વિધુર ( દુ:ખીયા ) થઈ ઘણા કાળા ત દુઃસહ દુઃખા સહન કરે છે.
હે પ્રભુ ! આ દેહનું જે થવાનું હોય તે થા. આ અવસરે તુંજ મારે માતા, પિતા, બધુ, પ્રભુ, ગુરુ અને શરણભૂત છે. તારા પ્રત્યે જ હું એકાગ્ર ચિત્તવાળી છુ.
હે દેવેન્દ્ર સુનીંદ્ર-નમિત ચરણુકમળ મુનિસુવ્રતસ્વામી ! મારા અવિનયની ક્ષમા કરી, મને જલદી નિર્વાણુ સુખ આપે એ જ મારી તારા પ્રત્યે અંતિમ યાચના છે.'’ આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીની ગંભીર વાકયાથી સ્તવના કરી તે સુંદરી મંદિરનો અહાર આવી. રાજ મહુસેન પણ તેના રૂપમાં આસકત થઇ તે ન દેખે તેમ એક બાજુના ભાગમાં છુપાઇ રહ્યો. અને હવે પછી શું થાય છે તે જેવા વિશેષ ઉત્સુક બન્યા.