________________
( ૩૩૭)
જીવોને દયાથી પુન્ય થાય છે અને જીવને ઘાત કરવાથી પાપ થાય છે. કેમકે જેવું વાગ્યું હોય તેવું જ લણાય છે; માટે જીવ છે, પુન્ય છે, પાપ છે અને પરલોક પણ છે. તે સર્વ હોવાથી તપ, સંયમાદિ ક્રિયાઓ નિરર્થક નથી. અશેષ કર્મ ક્ષયરૂપ મેક્ષ પણ છે અને તે મોક્ષ વિશિષ્ટ તપ, સંયમથી સાધ્ય થઈ શકે છે.
રાજા હરિશ્ચંદ્ર! જીવ અપૌગલિક છે. કર્મો સર્વે પુદ્ગલરૂપ છે. જીવ અને કર્મ, દૂધ અને પાણીની માફક એકમેક થઇ રહ્યા છે. શરીરમાં રહેલો છવ શરીર પ્રમાણ છે. ઇલિકાગતિએ અન્ય જન્મમાં જતો જીવ લોકને અસંખ્યાતમે ભાગે ગણાય છે. શરીરને ત્યાગ કરી સિદ્ધમાં ગયેલા છે છેલ્લા ભવના શરીરના ત્રીજા ભાગની આત્મપ્રદેશની અવગાહનાવાળા હોય છે. તે લોકના અગ્રભાગે રહે છે. તેઓને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય આ અનંત ચતુષ્ક હોય છે. આ અશરીરી સિદ્ધ જીવોને કોઇ પણ પ્રકારની ક્રિયા નથી. તેઓ શાશ્વતભાવે આત્માનંદય ત્યાં રહે છે.
- સંસારી જીવો, કષાય, યાગાદિ નિમિત્તે સુખ, દુઃખ ઉત્પન્ન કરે છે. જેમ કુંભાર માટી, દંડ, ચક્ર, ચિવર આદિ સામગ્રીથી ઘટરૂપ કાર્ય બનાવે છે તેમ સંસારી જીવોને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગાદિ નિમિત્તે કાયમ લેવાથી સુખ, દુઃખરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે.
સંસારી છે તે કર્મનો અનુભવ કરે છે. કરેલ કર્મને ભેગવ્યા સિવાય નાશ નથી. નહિં કરેલ કર્મને ઉપભોગ કરવો પડતો નથી. જે કરવો પડતો હોય તો પછી મોક્ષના છાને પણ સુખ, દુખ વેદવાં જ પડે અને જો તેમ થતું હોય તે અનવસ્થાદોષ આવે અર્થાત ધર્માધર્મવ્યવસ્થા વિસંધ્રૂવ થઈ પડે. પણ તેમ નથી. કરેલ કર્મ જ ભોગવવાં પડે છે.
દુનિયાના સર્વ પદાર્થો નિત્યાનિત્યરૂપ છે અને તેમ કહેવામાં અપેક્ષા રાખવામાં આવી છે. દરેક પદાર્થમાં ઉત્પત્તિ, સ્થિતિ અને