________________
(૩૭૮)
भूकम्न घोस नासा तारा जिहाण अणुवलमंमि । नव, पंच, सत्त, तिनिय एग चदिणं भवेजीयं । १॥ धुव चकं तहति पयं अरुंधई जो नियइ पुणो । विवरीयं माइ हरं छम्मासे होइ जीयंसे ॥ २ ॥
ભ્રમણ (ભ્રકુટી) ૧. કાનમાં અંગુઠે કે આંગળી નાખવાથી જે શબ્દો અંદર સંભળાય છે તે. ૨. નાસિકાને અગ્ર ભાગ. ૩. આંખની કીકી-તારા બીજાની આંખમાં જોતાં પિતાની આંખ ન દેખાય તેઅથવા પાણ-આરસી વિગેરેમાં મુખ જોતાં આંખની કીકીઓ ન દેખાય છે. ૪. અને બહાર કાઢતાં પિતાની જીભ (જીભનું ટેરવું) ન દેખાય છે. તો નવ. ૧ પાંચ ર સાત ૩ ત્રણ. ૪ અને એક દિવસે. ૫ અનુક્રમે તે મનુષ્યનું મરણ થાય. એટલે ભ્રકુટી ન દેખાય તે નવ દિવસે. ૧. કાનના શબ્દો ન સંભળાય તો પાંચ દિવસે, ૨, નાકની ડાંડી એમ ન ભાગ દેખાય તો સાત દિવસે. ૩. આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે. ૪ અને જીભ ન દેખાય તો એક દિવસે તે મનુષ્યનું ભરણું થાય
તેમજ ધ્રુવ ચક્ર ૧. ત્રિપદ ૨. અરૂંધતિ ૩. અને માપદ ૪. આચાર વિપરીત દેખવામાં આવે તો તેનું આયુષ્ય છ માસનું બાકી રહ્યું સમજવું. ૨ સ્વરોદય શાસ્ત્રમાં ધ્રુવને નાસિકાને અગ્ર ભાગ. (કેટલાક ધ્રુના તારાને પણ ગણે છે કહે છે કે-ધ્રુને તારો જે ઉત્તર દિશામાં ઊગે છે તે ન દેખાય તો છ મહિને મરણ થાય) ત્રિપદને બદલે વિનુપદ. વિષ્ણુપદ એટલે આંખની કીકી, અથવા ત્રિપદને બદલે ત્રિપથો હોય તો આકાશગંગા એવો અર્થ થવા સંભવ છે. આકાશમાં ધોળા પ્રકાશવાળી ઝાંખી લાંબી ને વાંકીચૂંકી પંકિત-હાર જેવામાં આવે તેમને ત્રિપથા કહેતા હોય તેમ સમજવામાં આવે છે. અરૂંધતી એટલે જીભ-અને માપદ યા-માતમંડળ એટલે ભ્રકુટી કહે છે તે પાઠ આ પ્રમાણે છે –