Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 442
________________ પ્રકરણ ૪ મું. ગ્રહસ્થ ધર્મનાં બાર વ્રત તથા અગીયાર પ્રતિમા, ન કહેવામાં આવ્યું કે, ભાજન ગાદિની સંપ, ળ દઢ હૈ ગુરૂશ્રીએ કહ્યું. ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. તે પ્રાપ્ત થયાથી પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોરૂ૫ બાર પ્રકારને ગૃહસ્વધર્મ અંગીકાર કરી શકાય છે. આ સમ્યક્ત્વ મૂલ ૧, દ્વાર ૨, પ્રતિષ્ઠાન ૩, આધાર ૪, ભાજન ૫ અને વિધાન ૬ સમાન ગણવામાં યા કહેવામાં આવે છે. જેમ વૃક્ષનું મૂળ દઢ હોય તે તે વૃક્ષ ટકી રહે છે અને ફળ, પત્રાદિની સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે તેમ ધર્મવૃક્ષનું મૂળ આ સમ્યકવિ દઢ હોય તો ઘણું થડા વખતમાં મેક્ષરૂપે ફળ મેળવી શકાય છે. ૧ શહેરને દ્વાર-દરવાજો હોય તો તેમાં સુખે પ્રવેશ તથા નિગમ થઇ શકે છે. તેમ ધર્મપુરી યાને નિર્વાણનગરીના ઠારતુલ્ય સમ્યક્ત્વ છે. તે દરવાજે હોય તો ધર્મપુરીમાં સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. ૨ પાયે મજબૂત હોય તે પ્રાસાદ, મહેલ કે મંદિર ઘણે વખત ટકી રહે છે. તેમ ધર્મરૂપ મહેલને સમ્યફવરૂપ પામે મજબૂત હોય તો ધર્મ મહેલ લાંબે વખત ટકી રહે છે. ૩ પૃથ્વી સર્વ ભૂતાનાં પ્રાણિઓના આધારભૂત છે. તેમ જ્ઞાન, ચારિત્રાદિ આત્મગુણેનો આધાર આ સમ્યકત્વ છે. તે હોય તે જ ચારિત્ર કી શકે છે. ૪ વિવિધ પ્રકારના રસ ભાજનમાં રહી શકે છે. ભાજનના અભાવે તે રસ ઢોળાઈ જાય છે, તેમ સમ્યકત્વરૂપ વજના ભાજનમાં વિરતિધમરૂપ રસ બન્યો રહે છે. સમ્યક્ત્વ વિના વિરતિરસ ઢોળાઈ જાય છે ૫. નિધાન સિવાય રને જ મળતો કે રહેતા નથી. તેમ મૂળ ઉત્તર ગુણરૂપ રને અક્ષય નિધાન સમ્યક્ત્વ છે, એટલે સમ્યકત્વ

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466