________________
(૨૩૭).
તે કારણથી, તેના ફળરૂપ આ જન્મમાં તમને આવું દુ:ખ સહન કરવું પડયું છે.
પિતાને પૂર્વભવ સાંભળતાં રાજા નરવિક્રમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાછલો ભવ દીઠે. ગુરૂશ્રીને નમસ્કાર કરી તે બે —હે. નાથ ! આ મારા કર્મો કેવા ઉપાયથી દૂર થઈ શકે ?
1 ગુરૂએ કહ્યું. હે રાજન ! દુર્જય કર્મ દૂર કરવા માટે તપશ્ચર્યા સમર્થ છે. તપશ્ચર્યા બાર પ્રકારની છે. તેમાં પણ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ કોષ્ઠ છે. અર્થાતર તપમાં પણ ધ્યાન શ્રેષ્ઠતર છે એમ તીર્થકરેએ કહ્યું છે, કેમકે ધ્યાનથી ઘણું કાળનાં લિષ્ટ કર્મોને પણ ક્ષય કરી શકાય છે. કહ્યું છે કે
कम्ममसंखिजभव खवेइ अणुसमयमेव आउत्तो। अन्नयरंमि जोगे जाणमि पुण विसेसेण ॥
બીજા ઉપાયોથી કર્મને ક્ષય થાય છે પણ ધ્યાનયોગમાં વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. જે દરેક સમયે આત્મઉપયોગમાં ઉપયુક્ત યાને જાગૃત રહે તે, આ જીવ અસંખ્યાત ભનાં કરેલા કર્મને ક્ષય કરી શકે છે.
આ ધ્યાનની શરૂઆત અનિત્યાદિ બાર ભાવનાના વિચારમાંથી થાય છે. એકેએક ભાવનાને બારીકાઈથી વિચાર કરવે, જેમકે અનિત્ય ભાવનાને વિચાર કરતાં આ દુનિયાનાં સર્વ પૌગલિક પદાર્થો અનિત્ય ભાસમાન થવાં જોઈએ. તાદશ સ્પર્શજ્ઞાનથી અનિત્યપણું અનુભવવું જોઈએ. ૧
અશરણુ ભાવનાને વિચાર કરતાં આત્મપ્રયત્ન, સિવાય કોઈ પણ શરણભૂત યાને રક્ષણ કરનાર નથી તેમ ભાસવું જોઈએ. ૨.
સંસારભાવનાને વિચાર કરતાં જન્મ, મરણ, સંગ, વિયોગ, સુખદુઃખ ઇત્યાદિ કારણોથી વિડંબનારૂપ અનુભવાતા સંસારવાણી વિરકતા આવવી જોઇએ, કે