________________
(૨૩૫)
રાજાનાં વચનથી પ્રધાનને સંતોષ થયો. આવતા પુત્રને સન્મુખ જઈ મળે. ત્યારપછી વસંત રાજાને જીતી પાછો નગરમાં આવ્યો. * એક દિવસે રાજા ઉધાન તરફ ફરવા જતા હતા. રસ્તામાં પિતાની હવેલીના ગોખમાં બેઠેલી વસુ શ્રેણીની સ્ત્રી સુલતા તેના દેખવામાં આવી. સુલસા ઘણું રૂપવતી હતી. તેને દેખતાં જ રાજાતેના પર આસક્ત થયા. ડા વખત ઉધાનમાં ક્રીડા કરી, મદનબાણથી પીડાયેલ રાજા પાછા પોતાના મહેલમાં આવ્યો. સુસાને મેળવવાને તેને એક ઉપાય ન મળે ત્યારે વસુ શ્રેષ્ઠી ઉપર તેણે જૂઠું કલંક મયું કે મારા શત્રુઓ સાથે તમારે લેવડદેવડ ચાલે છે અને રાજ્યવિરૂદ્ધ પ્રપંચ રચે છે” ઇત્યાદિ અસત્ય આરોપ મૂકી તે શ્રેણીનું સર્વસ્વ લુંટી લીધું અને સુલતાને પિતાના અંતેઉરમાં લાવી રાખી. * પિતાની સ્ત્રીના વિયોગથી અને ધનના નાશથી વસુઝી ગાડે થઈ ગયે.
આ તરફ સુલસા સાથે વિષયસુખ ભોગવતાં રાજાને કેટલાક વખત વ્યતીત થયો. એક દિવસે રાજા, સાતમી ભૂમિ ઉપર સુલતા સાથે વાર્તાવિનોદ કરતે બેઠો હતો તેવામાં તે બન્નેની દષ્ટિ એક ઉન્મત્ત (ઘેલા) માણસ ઉપર પડી.
આ માણસનું શરીર ધૂળથી ખરડાએલું હતું. મળથી મલિન હતું. વાળ વિંખરાયેલા હતા. નાના નાના કકડાના સાંધાવાળું વસ્ત્ર પહેર્યું હતું. ગળામાં તમાલપત્રની માળા પહેરી હતી. તે ગાતો હતો, નાચતો હતો. ડીવારમાં શેક કરતો હતો. વિના નિમિત્તે હસતો હતો. જેમ તેમ બોલતો હતો. કાર્યાકાર્યના વિચાર વિના યથાઇચ્છાએ ચેષ્ટા કરતો હતો.
આ પ્રમાણે ચેષ્ટા કરનાર માણસને દેખી તુલસાએ રાજાને કહ્યું સ્વામી ! આપ આ માણસને ઓળખે છે ?