________________
(૨૨૪)
સાહસને જ સારભૂત માનનારા સતપુરૂષો, કષ્ટ પડ્યાં વિખવાદ વિનાના,સંપત્તિમાં રાગવિનાના અને મરણ વખતે ઉદ્યોગ વિનાના હોય છે.
કુમારના જવા પછી જેમ સિંહ વિનાની ગુફા, રાજા વિનાની રાજધાની, ત્યાગ વિનાની લક્ષ્મી અને સમભાવ વિનાના મુનિની માફક સર્વગુણસંપન્ન લેવા છતાં જયંતિનગરી શોભારહિત જણાવા લાગી.
કુમારનું અદ્ભુત સામર્થ્ય અને ઉત્તમ ગુણાએ પ્રધાનમંડળના હૃદયમાં પ્રતિબંધ ઉત્પન્ન કર્યો. કુમારના દેશપાર થવાથી તેઓ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતા હોય તેમ તપવા લાગ્યા અને રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા.
મહારાજ ! અકાળે વજ દંડના પ્રકારની માફક, રાજકુમાર ઉપર સહ દંડ આપે કેમ કર્યો ? રાજકુમાર ઉપર આવે કાપે કરવો ન ઘટે. આપનું કરેલું કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે તે તો આપ જાણે. પણ અમે એટલું તો કહીએ છીએ કે અમને અજાણમાં રાખી, આપ કુમારને દેશપાર કર્યો છે તે કોઈપણ રીતે યોગ્ય થયું નથી. એક નાનામાં નાના કાર્ય માટે આપ અમારી સલાહ લેતા હતા, છતાં આજે એક મોટા પહાડ જેવા મહાન કાર્યમાં અમને અજાણ રાખ્યા છે તે વાત અમને હદયમાં શલ્યની માફક સાલે છે.
ખરેખર પ્રધાને રાજાનાં નેત્રે છે. આવા વિષમ કાર્યમાં અવશ્ય તેમની સલાહ લેવી જોઈએ.”
આ દુર્લભ કુમાર રત્ન અમે નિર્ભાગ્યે કેવી રીતે પામીશું? કુમારરૂપ નિધાન દુર્દેવે આજે અમારા હાથમાંથી ખેંચી લીધું. અમારૂં સર્વસ્વ આજે નાશ પામ્યું. અમે આજે નિરાધાર થયા. અમે શું કરીએ અને કયાં જઈએ?
ઇત્યાદિ લાગણું ઉત્પન્ન કરનારાં પ્રધાનાદિનાં દીન વચને સાંભળી રાજાના વિચારો બદલાઈ ગયા. તેને કેપ શાંત થઈ ગયા. અને પુત્ર ઉપરને પ્રેમ ઉછળી આવ્યા. પુત્ર વિયાગ તેના હૃદયમાં શલ્યની માફક