________________
અભયકુમાર
(૨૫) તે આપતા નથી. મારી નજર આગળથી જરા પણ દૂર કરતું નથી.”
તમને હમણું જ પાછી આપી જઈશ. તમારી જેવી છે તેવી જ તમને સેંપી જાઉં, પછી શું હરક્ત છે?”
“ના, તે નહિ બની શકે.”
ભલે થઈને આ૫, મારી બાઈનું મન જેવાને અધીરૂં થઈ રહ્યું છે તેથી જ તારી પાસે આટલી આજીજી કરૂં છું.”
ના, તે મારી છબી બગાડી નાખે તે, એની આશાતના કરે છે?”
“જરાય આશાતના ભય રાખશે નહિ. મારી બાઈને બતાવી હમણું જ હું તમને પાછી આપી જઇશ.”
તારા આટલાબધા આગ્રહ આગળ હું લાચાર છું. જો કે આ ચિત્રપટ આપવાનું મને મન થતું નથી
તાં તને આપું છું, તે તારી બાઈને બતાવી એમને એમ પાછું આપી જજે.”
એ વણિકે તરત જ પેલું ચિત્રપટ દાસીને આપ્યું. દાસી ચિત્રપટ લઈ ત્વરાથી અંત:પુરના માર્ગે રવાના થઈ,
ચિત્રપટને લઈ જતી દાસીને જોઈ અભયકુમાર મનમાં હર્યો. “ચાલે કાર્યસિદ્ધિની શરૂઆત થતી જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com