Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભાઈ શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા
રાસંગપરવાળા-લડેન
શ્રી મહાવીર શાસનના સહત ત્રી પ
માટે
શ્રી મહાવીર શાસન જૈન ધર્મના સિદ્ધાંતા તત્ત્વાના પ્રચાર અને રક્ષા વિ. સં. ૨૦૦૯માં પ. પૂ. હાલારદેશદ્વારક પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી તેઓ પૂજ્યશ્રીજી પુનીત નિશ્રામાં રાસંગપુર (હાલાર) માં પ્રારભ કરવાના નિણ ય લેવાયા તેના પ્રથમ તંત્રી તરીકે ખેતશી વાઘજી ગુઢકા (લાખાસચમના બાવળ) બન્યા. તેમણે તેનું સફળ સચાલન કરી પેાણા એ વર્ષે લગભગ પૂ. પાદ આ. ભ. શ્રી પાસે સ્વીકાર કરી પૂ. મુ. શ્રી જિનેન્દ્રવિજયજી મ. બન્યા જે આજે પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. તરીકે પ્રસિદ્ધ છે.
ત્યાર બાદ ભાઈશ્રી મગનલાલ ચત્રભુજ મહેતા તંત્રી અને ભાઈશ્રી કાનજી હીરજી મેાદી સહતંત્રી બન્યા. આજે ૩૯ વર્ષ ઉપર થઇ ગયા અને દિન પ્રતિદિન ઠંડી ગરમી વચ્ચે પણ શ્રી મહાવીર શાસન પ્રગતિ સાધી રહ્યુ છે. તે અઠવાડિકની ભાવના છતાં પાક્ષિકથી શરૂઆત કરી અને માસિકમાં પરિણમ્યું. શાસન માટે જરૂર અઠવાડિકની હતી તે સં. ૨૦૪૪માં અમારા ટ્રસ્ટે જૈન શાસન અઠવાડિક શરૂ કર્યુ. અને પાંચ વર્ષોમાં શાસન રક્ષા આદિ કાય વડે તે પ્રસિદ્ધિ પ્રચાર પણ પામ્યું' છે
શ્રી મહાવીર શાસનના કાર્યમાં ભાઇશ્રી રતિલાલ દેવચ*ઢ ગુઢકા કેન્યા ગયા ત્યારથી ઘણા રસ લેતા થયા તે આજ સુધી. ચાલુ છે. જેથી તેમના જેવા સિદ્ધાંતનિષ્ઠ ક્રિયા સયમી પ્રવચન નિપુણ તથા પૂજા ભકિત, પ્રવચન અને પ્રેરણા માટે દાઝ ધરાવનાર શ્રી રતિલાલભાઈને શ્રી મહાવીર શાસનના સહતંત્રી પદે અમે નીમવાનુ' નકી કર્યું છે.
પૂ. પાદ પરમગુરુદેવ વિજયઅમૃતસૂરીશ્વરજી મ. ના રાસંગપુરમાં બે ચામાસા થયા ત્યારથી રતિલાલભાઇ જોડાયા, પૂજા ભાવનામાં નિપુણ બન્યા, શાસનરાગમાં દૃઢ બન્યા અને પૂ. આ મ.શ્રીના પરમ ઉપકારને સદા સ્મૃતિમાં રાખી દૃઢતાથી સમ્યક્ત્વ આદિના પાલનમાં ઉજમાળ બન્યા કેન્યા ગયા પછી શ્રી મહાવીર શાસનના ત્રિકાસમાં પ્રયત્ન