Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
අපදපපපපපපෑපපපපපපපපපපපප
શ્રી સમેત શિખર મહાતીર્થ છે ઇતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બની
(પ્રકરણ-૨) පැපපපපපපපපපපපපපපපපපා દિગંબરેના દાવાઓમાં વજૂદ નથી: સત્ય કહેતાંબરેના પક્ષમાં છે
બિહાર સરકાર વટહુકમ દ્વારા કે કાયદા દ્વારા આખું સમેતશિખર તીથ તેના એકમેવ માલિક અને વહીવટકર્તા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શાસનની પ્રતિનિધિરૂપ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાંથી ખૂંચવી લે તે માટે દિગંબર જૈન બંધુઓ છેલ્લા એક વર્ષથી બિહારના મુખ્ય પ્રધાન લલ્લુ પ્રસાદ યાદવની કાનભંભેરણ કરી રહ્યા છે અને હવેતાંબરો વિરૂદઘ ગલત ઢંગને પ્રચાર કરી રહ્યા છે. -
મુંબઈ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં દિગંબરના આગેવાન અને ટાઈમ્સ રંફ ઈન્ડિયા જૂથના અધ્યક્ષ અશોકકુમાર જેને એ આક્ષેપ કર્યો હતે કે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી દ્વારા સમેતશિખરજીમાં થતી આવકની રકમની ગેલમાલ કરવામાં આવે છે, ત્યારે એક પત્રકારે તરત જ પ્રશ્ન કર્યો કે તે માટે તમારી પાસે કેઇ દસ્તાવેજી પુરાવા છે ખરા? તેના પ્રત્યુત્તરમાં અશોક જૈને પિતાને આક્ષેપ પાછો ખેંચી નિવેદન સુધારતાં કહ્યું કે મારે કહેવાનો મતલબ એ હતું કે તાંબરો આ તીર્થની આવક બીજાં તીર્થોમાં ખચી નાખે છે. આ રીતે નિરાધાર આક્ષેપ કરતાં પકડાઈ ગયા પછી અશોક જેને નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એ જ જઠો આક્ષેપ ફરીથી દોહરાવ્યું હતું. સમેતશિખરજી તીર્થ બાબતમાં દિગં. બનાં અને બિહારના મુખ્ય પ્રધાનનાં નિવેદને વચ્ચે એટલું બધું સામ્ય છે કે તેમણે બંનેએ ર.પીને તાંબાના અધિકારે આંચકી લેવાનું કાવતરું ઘડયું હોય તેમ લાગ્યા વિના રહેતું નથી. સમેતશિખરજીને વહીવટ વટહુકમ દ્વારા વેતાંબરેના હાથમાંથી આંચકી બિહારના મુખ્ય પ્રધાન તે દિગંબરને ભેટ ધરી દેવા માગે છે. તે માટે અલગ બોર્ડ બનાવવાનું અને તાંબર પ્રતિનિધિઓને તેમાં સમાન હિસે આપવાનું તે માત્ર નાટક જ ઊભું કરવામાં આવ્યું છે. આ બેર્ડનું બંધારણ જ એમ સૂચવે છે કે તેમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિઓ તદ્દન લઘુમતીમાં હશે, દિગંબર બહુમતીમાં રહેશે અને ખરી સત્તા સરકારી અમલદારોના હાથમાં સરકી જશે. જો કવેતાંબર સંઘ આ રમતને બરાબર પારખી ગયા છે. પરંપરા દ્વારા, અગાઉની સરકાર દ્વારા અદાલતે દ્વારા તેમના જે કઈ અવિકારે માન્ય થયા છે, તેના