Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 922
________________ ૧૦૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) નોકર દિગંબરના બાંધકામને તેડી ના પાડે તે માટે તેમની સામે કાયમી મનાઈહુકમ આપવામાં આવે. દિગંબરે એ એવી પણ પ્રાર્થના કરી કે તાંબરને પર્વત પર કયાંય પણ ધર્મશાળા કે બીજું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં ન આવે અને દિગંબરે જે પહાડ ઉપર તેવું બાંધકામ કરે તે તેમને રોકવાને શ્વેતાંબરોને કે ઈ અધિકાર નથી, એવું પણ જાહેર કરવામાં આવે. ગિરિડિહની ડિસ્ટ્રિકટ કેર્ટ ઉપરના બંને કેસ (એટલે કે ૧૦ એફ ૧૯૬૭ અને ૨૩ એફ ૧૯૬૮) એકસાથે ચલાવવાનું નકકી કર્યું. આશરે ૨૦ વર્ષ સુધી ગિરિડિહની અદાલતમાં આ કસ ચાલ્યું. તે પછી ૩ માર્ચ, ૧૯૯૦ના રોજ તેને ચુકાદો આવ્યા. આ ચુકાદામાં વિદ્વાન ન્યાયમૂર્તિ ચંદ્રસેન ચૌબેએ કરાવ્યું કે પારસનાથ પહાડની માલિકી બિહાર સરકારની છે, પણ તેને વહીવટ, કબજો તેમ જ અંકુશ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં લેવાથી તેઓ દિગંબરને કે અન્યને બાંધકામ કરતાં અટકાવી શકે છે. દિગબર સામે આવું કઈ પણ બાંધકામ કરવા માટે કાયમી મનાઈહુકમ ફરમાવવામાં આવે છે. ઈ. સ. ૧૯૬૫માં સરકારે તાંબરો સાથે જે કરાર કર્યો તે યોગ્ય છે અને દિગંબરે તેને પડકારી શકે નહિ. વળી, જો દિગંબરો પહાડ ઉપર ધર્મશાળા બાંધવા માંગે છે તેમણે શ્વેતાંબર વહીવટદારોની લેખિત પરવાનગી મેળવવી જોઈએ. ગિરિડિહ કેટના આ ચુકાદાને કારણે તીર્થના વહીવટ, કબજા, અંકુશ અને સંચાલનના તમામ હકકે માત્ર શ્વેતાંબરના જ કાયમી ઠર્યા એટલે દિગંબરોના હાથ હેઠા પડયા. અદાલતી યુદ્ધમાં સત્યને વિજય થ અને દિગંબરના જૂઠા દાવાઓ ન ચાલ્યા એટલે દિગંબર અગ્રણીઓએ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવને પિતાના પક્ષમાં લીધા અને તેમની પાસે એક વટહુકમને મુસદ્દો તૈયાર કરાવ્યું. તાંબર અગ્રણીઓને આ વાતની ગંધ આવી જતાં તેમણે ફરી કેર્ટમાં ધા નાખી અને એવી પ્રાર્થના કરી કે બિહાર સરકારને આ વટહુકમ બહાર પાડતાં રોકવામાં આવે. આ કેસની સુનાવણી ચાલતી હતી એટલામાં તા. ૧૨-૭-૯૩ના રોજ બિહાર સરકારે અદાલતમાં એક સોગંદનામું આપી જણાવ્યું કે સરકારનો ઈરાદે તાંબાના વહીવટ. કબજા અને અંકુશનો પડકારવાનું નથી અને તીર્થના વહીવટ માટે ત્રીજુ બેડ બનાવવાને સરકારને કેઈ ઈરાદે નથી. ગિરિડિહની અદાલતે સમેતશિખરજી તીર્થભૂમિ ઉપ૨ કઇ પણ જાતનું બાંધકામ કરવા સામે દિગંબરોને કાયમી મનાઈહુકમ આપ્યો હોવા છતાં દિગંબરોએ ૧૯૯૧ ના એકબરમાં શ્રી દિગંબર જૈન સમેર્ધાચલ વિકાસ સમિતિ બનાવી ચપરા કુંડ નજીક કેટલુંક બાંધકામ કરવા માંડયું. આ વાત તાંબર વહીવટદારના થાનમાં આવી એટલે

Loading...

Page Navigation
1 ... 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038