Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–
અંક : ૪૭-૪૮ તા.૨-૮-૯૪ :
: ૧૧૦૩
સમેતશિખરિન શબ્દ અપભ્રંશ થતાં સમેતશિખરિ રાખ બેલાવા લ ગ્યો અને તેને અપભ્રંશ થતાં સમેતશિખરજી શબ્દ પ્રચારમાં આવ્યું. તાંબર જૈન સંઘ માં તે ખાસ કરીને આ જ શબ્દ વધુ પ્રચલિત છે. વળી કેકચિ હમેશા ના મેડને કાં કરવાની હોય છે એટલે સમેતશિખરજીના સ્થાને માત્ર શિખરજી પણ બોલાય છે અને તેને લેખનમાં પણ વ્યવહાર થાય છે.
આ ગિરિરાજ ઉપર વીસ તીર્થંકર નિર્વાણ પામ્યા પણ તેને સંબંધ શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે વિશેષ રહ્યો હશે તેમ લાગે છે. પાર્શ્વનાથ પ્રભુએ હત્પદની પ્રાપ્તિ કર્યા પછી આ પ્રદેશના લેકેને ભવ્ય ધર્મોપદેશ કર્યો, જેની લે માનસ ઉપર ઊંડી અસર પડી હતી. તેથી જ આજે પણ આ પ્રદેશના આદિવાસી લે કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે શ્રદ્ધાભકિત ધરાવે છે. તેઓ ભગવાનને પારસનાથ મહાદેવ પારસનાથ બાબા વગેરે નામે નિત્ય સંભારે છે અને ભકિતથી વંદે છે. પાW. નાથ પ્રભુને પ્રભાવ આ પ્રદેશમાં ખૂબ વ્યાપક હતું તેનું એક વિશેષ પ્રમાણ એ છે કે અહી દર વર્ષે પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણક દિને પોષ દશમીએ (ગુજરાતી તિથિ માગસર વદી દસમ) મોટો મેળો ભરાય છે, જેમાં જેનેતરે પણ મોટી સંખ્યામાં આવે છે.
ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજી પાવાપુરીમાં મોક્ષે ગયા છે, પણ તેઓ છદ્યસ્થ અવસ્થામાં શિખરજી તીર્થે પધાર્યા હોય તેમ લાગે છે. ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન સમેતશિખરજી પહાડની પાસે જુવાલુકા નદીને કાંઠે જંભિકગ્રામ પાસે થયું હતું. આ નદીના કિનારે શાલ નામના મોટાં વૃક્ષે છે. આ નદીનું અસલી નામ
જુવાલુ હતું પણ સરકારે રેલવેલાઈન કાઢી ત્યારે નદી ઉપર જે પુલ બાંધે તે બ્રોકર ગામની નજીક હોવાથી આ નદીનું નામ બ્રાફર પડી ગયું. આ સ્થળથી પાવાપુરી ૯૬ માઈલ થાય છે. આથી સંભવ છે કે ભગવાન મહાવીર સ્વામીજી પણ સમેતશિખરજી પધ ર્યા હોય. ઋજુવાલુકા નદીને કિનારે આવેલા મંદિરને રાયબહાદુર ધનપતસિંહે ઈ. સ. ૧૮૭૪માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અહીંનું મૂળ મંદિર જગત શેઠે ઓગણીસમી સદીમાં શિખરજીમાં ભેમિયા જીનું મંદિર બનાવ્યું ત્યારે જ બન્યું હોય તેમ જણાય છે. આ સ્થળ ગિરિડિહથી દસ માઈલ દૂર આવેલું છે. ભગવાન મહાવીરે અહીં શાલ વૃક્ષની નીચે, ચઉવિહાર છઠ્ઠની તપશ્ચર્યાપુર્વક, ઉત્કટિક આસને, વૈશાખ સુદી સમને દિવસે, કૃતીય પ્રહરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.
અમેતશિખરજી તીર્થમાં ઈ. સ. ૧૮૬૮ની સાલમાં ભગવાન મહાવીરની ચરણપાદુકા પધરાવી તેની ઉપર દેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. - કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સલાહત સ્તોત્રમાં સમેતશિખરજીને મહિમા નીચેના શબ્દોમાં કર્યો છે.