Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ અંક : ૪૭-૪૮ તા.ર-૮-૯૪ :
: ૧૧૧૧ ગામના સુશ્રાવકેએ કહ્યું આ શું કર્યું? આમને અહીં ન ઉતારાય. ત્રિભુવન કહે-કાંઈ નહિ. સાંજન વિહાર કરાવી દઈશ.
ગેચરી-પાણ આદિ થઈ ગયા બાદ ત્રિભુવને તે સાધુઓને એવા ભાવનું સમજાવ્યું કે-આ ગામના શ્રાવકે આવા આવા વિચારવાળા છે. તમને બહુ અનુકુળ નહિ આવે. તેથી તે સાધુએ પણ સમજી ગયા અને તુરત જ સાંજે વિહાર કરી ગયા.
તે જોઈ આગેવાનો પણ આશ્ચર્ય સહ આનંદ પામ્યા.
સુસાધુને વંદન એ ભવનિસ્તારક બને છે અને મુસાધુને વંદન ભવવર્ધક બને છે. તેથી ગામમાં એકલ દોકલ સાધુ આવે તે વિવેકનંત આ બાળક નેચરી-પાણ આદિની ભકિત કરે પણ વંદન તે ન જ કરે. અને જ્યારે સાચી હકીક્તની ખબર પડે કે, આ તે સુવિહિત છે અને કારણ વશાત્ એકલા થઈ ગયા છે તે વંદન કરે. તે વાતને પૂજ્યશ્રીજીના શબ્દોમાં જોઈએ તે-તે સાધુ કહેતા કે—બચ્ચા અસા હિ બનના ! આ માથું તે દશશેરી નથી કે જેને તેને નમાવાય. આ તે ઉત્તમાંગ છે. તે જ્યાં ત્યાં જેને તેને નમાવાય નહિ. ખરેખર જેના હૈયામાં સાચી સાધનાની લગની લાગી હોય અને પ્રીતિ જન્મી હોય તેના હૈયામાં આવી વિવેક પૂર્વકની હસ દષ્ટિ સહજ જ જન્મે.
(૩) સંસાર મુકિત જે આત્માને ધર્મની મહત્તા અને તારકતા સમજાઈ જાય પછી તે મેળવવા એકપણ પ્રયત્ન ! રવામાં જરા પણ પાછી પાની ન કરે. કદાચ એકાદવાર નિષ્ફળતા પણ મળે તેચ તેથી હતાશાને તે હત્યામાં પેસવા પણ ન દે.
સવપિતિદેવીના સ્વયંવરેછુ આ બાળ કે એકવાર ઘરમાંથી ભાગીને તેને વારવાનો પ્રયત્ન કર્યો. પણ સંસારી સંબંધીઓ પાછળ પડી તેમને પાછા લઈ આવ્યા. તે વખતે તેમના તારાચંદ કાકાએ તે ત્યારના એક અગ્રગણ્ય દૈનિક પેપરમાં જાહેરાત આપી–આ બાળકે ત્રિભુવનને જે કઈ દિક્ષા આપશે તે ગુનેગાર ગણાશે અને તેના ઉપર કાયદેસર પગલા પણ લેવાશે.”
સંયના જ અમૃત પાનથી ઉછરેલ, સાત્વિક શિરોમણિ, સિંહના પણ શૌર્યને ભૂલાવી દેના આ શૂરવીરને આવી બધી વાતેની અસર થાય ખરી ?
કળિયે પોતાના કાર્યમાં નિષ્ફળ જવા છતાં પથ નિરુદ્યમી બનતું નથી. તેની જેમ આ પુણ્યાત્માએ પણ પિતાના કાર્યની સિદ્ધિ માટે પુનઃ પ્રારંભ કર્યો. જે કાળમાં દીક્ષા લેવી જ અતિ દુર્લભ હતી તે કાળમાં દીક્ષા લેનારને સહાય કરનાર તે કીક વિરલ જ જરે !
મુકિતના જ ગાનમાં આરામ માનનાર આ પુણ્યાત્મા ત્રિભુવને, “કાર્ય સાધયામિ'