Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1013
________________ વર્ષ ૬ અંક ૪૭-૪૮ : તા. ૨-૮-૯૪ : ૧૧૪૧ પાસે પણ ભણે છે. જૈન સાધુએ નિપરિગ્રહી હોવાથી પોતે પોતાનો પગાર આપી શકતા જ નથી. જે શ્રાવકે ભકિતમાન હોય અને એવી ભકિતથી પિતાનું આત્મકલ્યાણ માનતા હોય અને તેમ કરવાની તેની ઈચ્છા અને શકિત હય, તે તેઓ તેવા પંડિતને પગાર પૂરો પાડે છે. પણ આ સાધુઓ એક સ્થાનમાં સ્થિર નહિ રહેતા હોવાથી, કઈ સ્થળમાં તેવી રીતે પંડિતોને પગાર પૂરો પાડનાર ભકત કે સંસ્થા ન હોય તે સાધુએ પંડિત વિના ચલાવી લે છે, પણ તેમ કરવાની કેઈના ઉપર ફરજ પાડતા નથી. ઘણુ પંડિત એવા પણ છે, કે જેમાં વિદ્યાના વ્યસની હેઈ વિના પગારે ભણાવે છે અને પાલીતાણા વિગેરે સ્થળમાં ગૃહસ્થોને ભણાવનારી સંસ્થાઓ પણ ચાલે છે, હું તે સંસ્થાઓમાં સાધુએ વિદ્યાભ્યાસ કરે છે. વડોદરા વિગેરે સ્થળમાં એવા પણ પંડિતો છે, કે જેઓને રાજય તરફથી વર્ષાશન મળે છે. તેવા પંડિતો વિના પગારે પણ સાધુઓને ભણાવે છે. પ-સવાલ : સાધુ માટે વૈવ કે ડોકટરની જરૂર પડે, ત્યારે તે માટે ભકતે ખર્ચ કરે છે કે નહિ ? જવાબ : મુખ્ય રીતે તે સાધુએ આવી પડતા. શરીરના રેગોને શકિત હોય ત્યાં સુધી સહન જ કરે, પણ સાધુઓના તરફ પિતાના આતમકલ્યાણ માટે ભકિતભાવ ધરાવનારા ગૃહસ્થ પિતાની ઈચ્છાથી વા કે ડોકટરને લાવે અને સાધુઓને પોતાનો વ્યાધિ જો સંયમમાં બાધક થતા લાગે. તે તે શૈવ અને ડોકટરનો ઉપયોગ સાધુએ કરે. પણ તે માટે સાધુઓ કોઈની પણ ઉપર ફરજ પાડે નહિ. ઘણુ સ્થળોમાં જૈન અને જેનેતર ડોકટરો તથા વધો એવા છે, કે જેઓ સાધુઓની પોતાના આત્મકલ્યાણની ખાતર ર ારામાં સારી રીતે સેવા કરે છે, ૬-રાવાલ ! સાત ક્ષેત્રમાં સાધુ અને સાધવી એ બે ક્ષેત્રે આવે છે કે નહિ ? અને એ બે ક્ષેત્ર માટે પૈસા ખર્ચવાની શ્રાવકની ફરજ ગણાય કે નહિ ?. જવાબ : જૈનશાસનમાં કલ્યાણના અથી ગૃહસ્થ માટે બે પ્રકારના દાનની વિધિ કરવામાં આવી છે. એક સુપાત્રદાન અને બીજુ અનુકંપાદદાન, સુપાત્રદાનના સ્થાન તરીકે સુપાત્રરૂપે સાત ક્ષેત્રે જણાવવામાં આવ્યાં છે. એ સાત ક્ષેત્રમાં સાધુત્ર અને સાવક્ષેત્ર એ બે ક્ષેત્રે પણ આવે છે અને તે બે ક્ષેત્રો માટે પણ જેઓને આત્મકલ્યાણની ઈચ્છા છે, તેઓને તેમ કરવામાં ધર્મ છે એમ કહેવામાં આવે છે, પણ શકિત ૬ ઈચ્છા ન હોય તો પણ કરવું જ જોઈએ એવી ફરજ નાંખવામાં આવી 'નથી, કારણ કે-ધમ એ સૌએ પિતાના આત્મકલ્યાણ માટે કરવાનું છે પણ બીજા માટે કરવાને નથી.

Loading...

Page Navigation
1 ... 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038