Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1029
________________ વર્ષ-૬ અંક : ૪૭–૪૮ તા. ૨-૮-૯૪ : = ૧૧૫૭ ઉ૦ ? અમારો ઉપદેશ માને માટે ગમે તે રીતે કરાવવું તેમને ? વિપરીત ભાવથી ધર્મ કરાવીએ અને તેને સંસાર વધે તેનું પાપ કેને લાગે ? અમારે તમને રાજી રાખવાના છે કે ભગવાને જે કહ્યું છે તે કહેવાનું છે ? શાસ્ત્ર તો ભગવાનની વાતથી વિપરીત બોલે તેને ય મિથ્યાદષ્ટિ કહ્યો છે. સાધુ થઈને ય અનેકનું મિથ્યાત્વ પુષ્ટ થાય તેવો ઉપદેશ આપે છે તેને ય અને તે સંસાર વધવાને છે. શાએ તે કહ્યું છે કે, ભાવધર્મ તે નિશ્ચય પ્રમાણે સાચે ધર્મ છે. માટે તેવા નિશ્ચયની દેશના તે સાચી દેશના છે. ક્રિયાને ઉડાડી દેવાવાળી દેશના તે બેટી દેશના છે. તે નિર ચય દેશના તરીકે ન ઓળખાવાય. સાચી નિશ્ચય દેશના તે ક્રિયામાં ભાવ પૂરી ક્રિયાને શુદ્ધ બનાવે છે. મોક્ષની જ વાતો કરનારને નિશ્ચયદેશના તરીકે ઓળખાવનાર ભગવાનના શાસનને પણ સમજ્યા નથી. પ્રઃ વ્યવહારમાં ક્રિયાની પ્રધાનતા કે ભાવની પ્રધાનતા? ઉ૦ ભાવ કે ક્રિયા, તે બેમાંથી કેઈપણ એકની ઉપેક્ષા કરે તે વ્યવહાર પણ સાચો વ્યવહાર થી. સાચે વ્યવહાર તે ભાવપૂર્વકની ક્રિયા વિધિપૂર્વક કરવાથી જ સચવાય છે. માટે કહ્યું કે–ભ વ ન આવ્યું તે તે ક્રિયા અધ્યાત્મની વૈરિણી ક્રિયા છે. ભાવ અને ક્રિયા સાથે ને સાથે રહે છે. ભાવ લાવવા ય ક્રિયા કરાય અને ભાવ આવ્યા પછી તે કિયા કર્યા વિના ચેન જ ન પડે. ભાવ વિનાની ક્રિયા ભાવ લાવવાના આશય સાથે હોય, અને ક્રિયા વિનાને ભાવ. ક્રિયાની ઝંખના સાથેને હેય; તે બને કામનાં છે. [૬] ભગવાન પાસે ભગવાન જેવા થવા જવાનું છે. તમે બધા જ ભગવાન પાસે જાવ છો તે ભગવાન પાસે શું શું માગો છો? સભા:-“પામી સઘળા સુખ તે જગતમાં, મુક્તિ ભણી જાય છે.' ઉ૦: દુનિયાનાં સુખ પામ્યા પછી તેમાં જ ફસી જાય તે મુકિત થાય કે તે સુખને લાત મારે તે મુકિત થાય ? મુકિત પામનારાઓએ તે સુખને લાત મારી કે પંપાળ્યા કર્યું ? ગુજરાતી ભાષાના દેહરા બેલે અને તેને વાસ્તવિક અર્થ ન સમજે તે કેવી કમનશીબી કહેવાય ! દુનીયાનાં સઘળાં ય સુખ પામે તોય મુકિતને જ ઝંખે–એ સાચે ધર્માત્મા છે. (૭) આ દુનિયાનું સુખ હય જ છે. કદી ઉપાદેય નથી. તેને ઉપાદેય કહેનાર તે ગાંડ માણસ છે. એક તે ગાંડો હોય અને તેને ચંદ્રહાસ દારૂ પાય તે શું થાય? પ્ર. -સુખી હશે તે શાસનનાં કામ કરશે ને ? ઉ૦-શાસનનાં સારાં કામ કેણ કરે છે? ઘણા તે કહે છે કે-“મહારાજના કહે

Loading...

Page Navigation
1 ... 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038