Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જરૂદદદદદરૂપ
૬ શ્રી સમેત શિખરજી મહાતીર્થ છે ઇતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બનો
(પ્રકરણ-૪).
ઇતિહાસની અણિશુધ ગવાહી : સમેતશિખરજી
તીર્થ માત્ર. વેતાંબર જૈનની માલિકીનું છે સમેતશિખરજી તીર્થને ઉલેખ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને પોતાના પુત્ર ભરત ચક્રવતી સમક્ષ કરતાં કહ્યું હતું કે મારા પછી નિર્વાણ પામનાશ ૨૩ તીર્થકરો પેકી ૨૦ તીર્થંકરે આ પવિત્ર તીર્થસ્થાન ઉપર મે ક્ષે જવાના છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ગિરિ ઉપર નિર્વાણ પામ્યા, બારમા વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીમાં નિર્વાણ પામ્યા, બાવીસમાં નેમિનાથ ભગવાન નેમિનાથ ભગવાન ગિરનાર પર્વત ઉપર નિર્વાણ પામ્યા અને વીસમા મહ વીર સ્વામી ભગવાન પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. એ સિવાયના વિસેય તીર્થંકરનાં નિર્વાણ સમ્મતશિખરજી તીર્થની ભૂમિ ઉપર થયાં છે, એટલે આ તીર્થને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. આજથી આશરે બે હજાર વર્ષ અગાઉ જેને ધર્મની મૂળ પરંપરાથી દિગંબર સંપ્રદાય નીકળ્યા. ત્યારથી આ તીર્થને કબજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેના નામે ઓળખાતી જૈન ધર્મની મૂળ પરંપરાના હાથમાં જ રહ્યો છે. જેનાં અનેક પ્રમાણે ઉપલબ્ધ છે. આ વસ્તુ પુરવાર કરવા માટે આપણે તીર્થના ઇતિહાસમાં ઊં . ઊતરવું પડશે.
વનવાસી ગચ્છના આચાર્યશ્રી પદ્યુમ્નસૂરિજીએ નવમી સદીના મધ્યભાગમાં સમેતશિખરજીની સાત વાર યાત્રા કરી હતી તે ઉલ્લેખ જૈન પરંપરાને ઈતિહાસ ગ્રંથના પ્રકરણ-૩૨માં આવે છે. આચાર્ય પદ્યુમ્ન સૂરીશ્વરજીના ઉપદેશાનુસાર સમ્મતશિખર મહાતીર્થ ઉપર જુદાં જુદાં વિસ સ્થાને નિર્વાણ સ્તૂપ બન્યાં હતાં તે પણ ઉલ્લેખ આ ગ્રંથમાં મળે છે. ઈ.સ ૧૫૨૬માં આગ્રાના કુરપાલ સેન પાલ લે કા નામના
વેતાંબર શ્રેષ્ઠીએ સમેતશિખરજીનાં જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એ ઉલ્લેખ જૈન પરંપરાને ઈતિહાસ ગ્રંથમાં છે. સમેતશિખરજી તીર્થની માલિકીના વેતાંબર મૂર્તિપૂજક જૈનેના હકકે મોગલ બાદશાહ, અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબે તાંબર જૈનેને વિવિધ ફરમાનો દ્વારા માન્ય રાખ્યા હતા. ફારસી ભાષામાં લખવામાં આવેલાં આ મૂળ ફરમાનો આજે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કબજામાં છે. જલાલુદ્દીન મહમદ અકબર બાદશાહે ઈ. ૧૫૯૩ ની સાલમાં જે ફરમાન આપ્યું તેને ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે.