Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૪૦ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
સંસાર તમારા આત્માને કોઈ નુકશાન ન કરી શકે તેમ કરવું હોય તે સંસાર ઉપર રાગ નહિ પણ સંસાર ઉપર દ્વેષ જોઈએ અને મુકિત ઉ૫૨ રાગ જોઈએ. આવી દા આવે તે સંસાર કાંઈ નુકશાન ન કરી શકે. મુક્તિને શગ હોય એટલે સંસાર ઘસાવા માંડે અને મુકિતની પ્રાપ્તિ થાય.
શ્રાવકે સંસારના વિરાગી અને મોક્ષના જ રાગી હોય. શકિત નથી માટે ઘરમાં છે આ રહ્યાં છે. શકિત આવશે એટલે સાધુ થશે. તે માટે જે કાંઈ ધર્મ કરે તે મોક્ષમાર્ગની આરાધના છે. સંસારમાં સુખી થવા, લહેર કરવા ધર્મ કરે તે તે સંસારના આરાધક છે. આ
'' આજે તમે બધા ધર્મ શા માટે કરે છે તે પૂછવું પડે તેમ છે. તમે મંદિરે કેમ જાવ છો? ભગવાનની પૂજા કેમ કરે છે? સાધુની સેવા કેમ કરે છે? વ્યાખ્યાન કેમ છે. | સાંભળે છે ? આ બધામાં ટાઈમ બગાડે છે કેમ? તે તમે કહો ને કે-અમે તે
બધે ટાઈમ બગાડતા નથી પણ ટાઈમ સફળ કરીએ છીએ. કેમકે, અમારે પણ તે છે માર્ગે જવું છે. તે જ જવાબ આપે ને ? તમારી ઈચ્છા શી છે? વહેલા મોક્ષે છે જવાની કે સંસારમાં મજા કરવાની ?
પ્ર. મહા ન મળે ત્યાં સુધી સંસાર સાથે રહે તે ગમે ને ? ઉ૦ સંસાર સાર એટલે શું ? પૈસા વધારે આવે તે શું કરવું છે ?
શાત્રે તે કહ્યું છે કે, સુખી ધર્માત્માને પહેલાં મંદિર બંધાવવાનું મન થાય, 8 છે પછી મકાન બંધાવવાનું મન થાય. તે રૂપિયાની મૂડીવાળાના ઘરમાં ય ઘમંદિર જોઈએ.
પ્ર. મંદિરે તે ઘણું છે. ઉ૦ ઘણા હોય તે ય મંદિર જોઈએ.
આ મંદિર ગમે તેટલાં હોય તે ય ઘર મંદિર જોઈએ. માંદા પડે તે ભગવાન ઘર છે લાવવા પડે છે કાંઈ ખબર પડે છે? શ્રાવક ના ઘરમાં મંદિર હોય તે માંદે માંદો પણ છે. દર્શન-પૂજન વગર રહે નહિ.
પ્ર. ઘરમાં દેરાસર કરે તે આશાતના થાય ને? - ઉ૦ તમને વધારે ભાન કે સુગુરુઓને શાસ્ત્રકારો એ હું લખતા હશે?
(ક્રમશ:)