Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– સામયિક કુરણ – જૈને જૈન બને તે ચમત્કાર સર્જાય
મું. સ. જ્ય જિનેન્દ્ર તા. ૫-૪-૯૪માં કુંદનલાલ એન. શાહ “જોઈએ જૈન કેલેજ” એ હેડીંગ નીચે લખે છે કે
જૈન ધર્મ એક મહાન ધર્મ છે. તેણે અહિંસા, અરિગ્રહ અને અનેકાંત. અ ત્રણ સિદ્ધાંત આપ્યા છે. આપણે મૂળભૂત સિદ્ધાંત ભૂલી ગયા છીએ. વર્ષમાં સાધુ, સાવી, શ્રાવક શ્રાવિકાને પહેલાં વિચાર કર જોઈએ. આપણે જે જૈન ધર્મને વિશ્વધમ બનાવવો હોય તે કેળવણીને પાયે મજબૂત કરે જઈએ. કેળવણી માટે આપણે કુલ અને કોલેજો સ્થાપવી જોઈએ. અને સર્વ પ્રથમ કેલેજ પાલીતાણ માં સ્થાપવી જોઈએ. આવી કેલેજમાં આર્ટસ, સાયન્સ, કોમર્સના કેસ હોય. તેમાં જેને તેમજ જૈનેતર કરેકને લાભ મળે અને જૈન ધર્મ શું છે, તેના આચાર તથા વિચાર કેવા છે તેને અન્ય ધમીઓને ખ્યાલ આપવા માટે પ્રયત્ન થવો જોઈએ.
આવી કેલેજોમાં જૈન-તિષ, જેન-ભૂગોળ, જેન-ખોળ આદિ વિષચેનું જ્ઞાન આપવા પ્રયત્ન કરી જોઈએ. તેમજ અભ્યાસની સાથે સાથે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, યાત્રા વગેરે વિષયોની સમજણ આપવી જોઈએ. વળી ત્યાં મોટા વિદ્વાન આચાર્ય કે સાધુ ભગવંતે આવે તેમના પ્રવચને પણ રાખવાં જોઈએ. પહેલાં એકાદ કલેજ સ્થાપી અખતરા રૂપે કેળવણી આપવામાં આવે અને પછી તેના અનુભવના આધારે બીજી સંસ્થાઓ ઉભી કરી શકાય.
આપણે મંદિર પાછળ કરોડો રૂા. ખચી નાંખીએ છીએ. એમાંથી માત્ર દસેક ટકા જેટલી રકમ પણ જે કેળવણી–મંદિરોમાં ખર્ચ કરીએ અને આપણાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપીએ. જે આમ કરીએ તે એમાંથી તેજસ્વી બાળકે યાર થઈ પરદેશમાં પણ ધર્મ પ્રચારાર્થે મોકલી શકાય.
ખ્રિસ્તી ધર્મનાં દેવળની સાથે સ્કુલ, કેલેજો અને દવાખાના હે ય છે અને તે ધર્મના પ્રચારમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે તેમાંથી બેધપાઠ લઈ કાંઈક કરવું જોઈએ.
માત્ર મંદિર પાછળ પડવા કરતાં, એ મંદિરમાં જનારા અને એ મંદિરોને ટકાવવાવાળા અને જાળવવાવાળા ઉભા કરવા એ વધુ જરૂરી છે, એમ નથી લાગતું?
આપણે ઘણા કામ કરવાના છે. જેમ કે, જેને માટે રહેઠાણું બનાવવાં. આજે