Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4 વર્ષ ૬ : અંક - ૪૧ તા. ૭-૬-૯૪ છે દુ:ખી ન હૈ ય ! જ્યારે આજે ઘણા એવું લઈ બેઠા કે, નવકાર ગણનારને દુઃખ ન 8 આવે અને અમારામાંના પણુ ઘણુ તેમની વાતમાં હા એ હા કરવા લાગ્યા.
આપણુ ભગવાન દુખ વેઠીને ભગવાન થયા તે આપણને દુખ આવે તેમાં 8 વધે છે? “મને દુઃખ ન આવે માટે નવકાર ગણું આમ કહેવું તે અજ્ઞાન છે. નવછે કાર ગણવા છતાં દુઃખ આવે તે ભલે આવે. મને તે વિશ્વાસ છે કે, પાપ ન કરું તે 8 દુઃખ ન જ આવે. દુઃખ આવ્યું તે મારા પાપની સજા છે. મારા પાપની સજા ભોગ- 8 છે વવી તે મારો ધર્મ છે.
ખરેખર ધર્માત્મા તે કહે કે, દુઃખ કાલે આવતું હોય તે હમણું ભલે આવે. દુઃખ વેઠવા હું તૈયાર છું. આજે અસાધ્ય દર્દોમાં બધા ડેકટરે પણ હાથ ખંખેરે ત્યારે શું કહે છે? કે, તમારા ઈષ્ટને યાદ કરો આ દુઃખ વેઠે. તે પહેલેથી જ દુઃખ કેમ ન વેઠવું?
આ વાત બધાએ સમજી લેવા જેવી છે કે, પાપ કરે તેને દુખ આવે જ. આ જ જન્મમાં પાપ કર્યું કે ભવાંતરમાં કર્યું તેની સજા રૂપે દુખ આવ્યું તે મારે વેઠવું જ જોઇએ. પ ન કરે તેને દુ:ખ ન જ આવે આ શ્રદ્ધા થાય તેને ભગવાનની આજ્ઞા છે પર પ્રેમ થાય. પછી ભગવાનને યાદ કરે તે મજા આવે. બાકી ભગવાનને જુદા હેતુથી યાદ કરનારા પણ ઘણું છે. તે બધાને ભગવાનની આજ્ઞા પર પ્રેમ નથી પછી પાળવાનું મન તે કયાંથી થાય? ભગવાનને ઓળખવાની બુધિ, ભગવાનની આજ્ઞા સમજવાનું મન, આશા પર પ્રેમ કેળવવાનું મન, જિનભતિ પેદા વિના થાય જ નહિ. “વિના પાપે દુઃખ આવે જ નહિ.” કઈ પણ જીવને પાપ વિના, ઈન્દ્ર પણ માથાને વાળ પણ વાંકે કરી શકે નહિ?—આ શ્રદ્ધા પાકી ને? જયારે દુ:ખ આવે ત્યારે યાદ આવે કે -પાપ કર્યું માટે જ દુખ આવ્યું. આ યાદ આવે તે દુઃખ ભોગવવામાં મજા કે દુખથી ભાગવામાં મજા? દુખને મજેથી ભેગવવું તે જ દુખ મુકિતને છે છે સાચે ઉપાય છે.
હવે સમજી ગયા ને કે, નવકાર ગણનારને દુખ ન આવે તેમ નહિ પણ નવ- ૨ કાર ગણનાર દુઃખી ન હોય. નવકારમાં જેને નમસ્કાર કરે તેમણે કેટલાં દુખે વેઠયા? શ્રી મહાવીર સ્વામી ભગવાને પણ કેટલા દુઃખ વેઠયા ? નબળા હશે માટે? રસ્તે ચાલનારે પણ ગાળ દે, અપમાન છે કે, તિરસ્કાર કરે તે તેમનામાં શકિત નહિ હોય? મજેથી બધાં દુખે વેઠયા તે આપણે તેમના કરતા મોટા માણસ છીએ? દુઃખનું 8 નામ સાંભળતાં ગભરાટ કેમ થાય છે? ભગવાનને શારીરિક દુખ હોય નહિ, માનસિક છે દુખ પણ થ ય નહિ, ગાદિ આવે નહિ.