________________
બરાબર સમજાય તે માટે, અનુકૂળતા માટે, ઘણી વાર, શ્લોકની બે લીટી ઉપરાંત, ત્યારપછીના શ્લોક અથવા શ્લોકોની એક કે તેથી વધારે લીંટીઓને એકીસાથે જોડવી પડે. અહીં એવું જ થયું છે, એ વાત લક્ષમાં રાખવાની રહે છે.
આ પહેલાંની બે શ્લોક-પંક્તિઓમાં “ગુરુનાં બે વિશેષણો તો અપાયાં જ હતાં, પરંતુ સાધકની સફળતાનો ઘણો બધો આધાર “ગુરુ” પર છે, એટલે અહીં આચાર્યશ્રીએ બીજાં આઠ વિશેષણો ઊમેર્યા છે. હવે, એ બધાં, એક પછી એક, જોઈએ :
શ્રોત્રિય - વેદો વગેરે વિદ્યાઓમાં, શ્રુતિ-સ્મૃતિ સાહિત્યમાં અને સર્વ શાસ્ત્રો તથા દર્શનોમાં પારંગત, બહુ ભણેલો, બહુશ્રુત, Well-read બ્રાહ્મણ.
પ્રવૃત્તિન:. વૃનિન - એટલે પાપ, પ્રવૃત્તિન: એટલે પાપ વગરના, નિષ્પાપ. નામત: મનુષ્યને પીડતા, છ આંતરિક શત્રુઓ (પરિપુઓ)માં “કામ” (કામના) અતિભયંકર શત્રુ છે. ગીતાએ પણ આ કામને નરકનાં ત્રણ દ્વારોમાંનાં એક તરીકે કહ્યો છે. ગુરુ સર્વ કામનાઓથી મુક્ત, રહિત, નિષ્કામ હોવા જોઈએ.
બ્રહ્મવિત્તમ: બ્રહ્મને જાણવાની ઇચ્છાથી તો શિષ્ય ગુરુ પાસે જાય છે, એટલે ગુર માત્ર બ્રહ્મવિ (બ્રહ્મજ્ઞ) હોય એટલું પૂરતું નથી, એ તો બ્રહ્મવિદોમાં યે શ્રેષ્ઠ હોવા જોઈએ. તમે શ્રેષ્ઠતાદર્શક (Superlative) પ્રત્યય છે.
વહ્મળ ૩૫રતઃ - પરંતુ ગુરુ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞ હોય એટલું જ પૂરતું નથી, તો પછી ? એ તો સતત, સદા-સર્વદા બ્રહ્મમાં જ રમણ કરનાર, રચ્યા-પચ્યા રહેતા, એમાં જ (ઉપર)રત-મગ્ન, બ્રહ્મપરાયણ હોવા જોઈએ. નિધિનઃ મનનઃ રૂવ શાન્ત: - વેદાન્તવિદ્યાના સાધકે જ અમદમ વગેરે પર્સંપત્તિ સંપન્ન કરેલી હોય તો પછી, ગુરુ પોતે તો “પરમ-શાંત' (શ-ધાતુનું કર્મણિ-ભૂતકૃદંત-રૂપ) જ હોવા જોઈએને? “પરમ-શાંત' વ્યક્તિનું અહીં સંક્ષિપ્ત છતાં સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. બનત: એટલે અગ્નિ, અને ધન એટલે અગ્નિમાં નાખવાનું છાણાં-લાકડાં વગેરે) બળતણ. ગુરુ, કેવા “શાંત' હોવા જોઈએ ? બળતણ વિનાના અગ્નિ જેવા ! સાવ ઠરી ગયેલા, રાખ જેવા. અગ્નિનો ભય હોય, રાખનો જરા પણ નહીં, એવા શાંત ! અતુલ્પિઃ ખૂબ દયાળુ તો ગુરુ હોવા જ જોઈએ, પરંતુ એ તો દયાના સાગર (સિવુ) હોવા જોઈએ, એટલું જ નહીં, એ તો કોઈ પણ કારણ વિના દયાળુ હોવા જોઈએ (તુષ) ! મનમતાં સતાં વધુઃ - વધુ એટલે માત્ર ‘ભાઈ’ કે ‘મિત્ર જ નહીં, પરંતુ બીજાને જે પોતાના જેવો જ સમજે તે, આત્મીયતાપૂર્વક વર્તે છે. પણ આવું વર્તન કોના પ્રત્યે રાખવાનું ? મનમતાં – વિનમ્ર વ્યક્તિઓ પ્રત્યે, શરણે આવેલાઓ પ્રત્યે. અને આવા માણસો તો સજ્જનો (સતાં) જ હોય, સંતો-સત્પરુષો, સદાચારીઓ જ હોય. આવી વ્યક્તિઓ પ્રત્યે ગુરુનો અભિગમ આત્મીયતાપૂર્ણ હોવો જોઈએ.
૯૬ | વિવેકચૂડામણિ