Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૭ મુખથી સાધુ અને શ્રાવકની સામાચારીને ઉપયોગવાળો થઈને-દચિત બનીને સાંભળે તેને શ્રી તીર્થંકર પરમાત્મા નિશ્ચય કરીને શ્રાવક કહે છે. જેના અથવા
श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने, धनानि पात्रेषु वपत्यनारतम् ॥
कृन्तत्यपुण्यानि सुसाधुसेवना-दतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ॥१॥ શ્રી જિનેશ્વર ભગવંતના પ્રવચનમાં શ્રદ્ધાલુપણું રાખે, સુપાત્રને વિષે નિરંતર ધનને વાવે અને સુવિહિત મુનિરાજની સેવાથી પાપકર્મોને કાપી નાખે તેથી પણ તેને ત્રિલોકનાથ ભગવંતે શ્રાવક કહે છે. તે ૧ (ઉપરના લેકમાંના પ્રથમ પાદમાં દર્શાવેલ જાતિ પદમાં જા, બીજા પાદમાંના વતિ પદમાંને અને ત્રીજા પાદમાંના કૃત્તતિ પદમાં જ લેવાથી નિરૂક્ત અથે પ્રમાણે ચાર શબ્દ બને છે તે ચોથા પાદમાં દર્શાવેલ છે.)
તે શ્રાવકને જ્ઞાન-દર્શનાદિ રૂપ જે ધર્મ છે, તે ધર્મને જે અતિચાર-ન્મલીનતા લાગેલ હેય, તે અતિચારથી (પાછો ફરવા ઈચ્છું છું, એ સંબંધ લે. અહિ તસ્માત એમ જે પંચમી એક વચન પ્રયોગ કરેલ છે તે ચવા-તપન્ન ન્યાયે જાતિ=સમૂડ વાચક છે. અને પ્રાકૃતના હિસાબે ચાર પદમાં જે ષષ્ઠી વિભક્તિ લાગેલ છે તે ૫ ચમી અર્થે સમજવાની છે.) આથી જાતિવાચક તરીકે બધા જ અતિચારે લેવાના હોવાથી જ્ઞાનાચાર, દર્શ. નાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિયાચાર મળીને શ્રાવકને જે પાંચ આચાર છે તે પાચ આચારનું પાલન કરતાં લાગી જવા સંભવિત ૧૨૪ અતિચારથી હું નિવર્તિવાને ઈચ્છું છું.
અહિં પ્રતિક્રમણ શબ્દને નિવૃત્તિ અર્થ લેવાને છે. કહ્યું છે કે-વસ્થાનાથHસ્થા, પ્રમાદવશાત્ સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગએલે આત્મા ફરીને સ્વરથાનમાં પાછો ફરે તેનું
નામ પ્રતિક્રમણ કહેવાય છે. આ વ્યાખ્યામાં સ્વસ્થાન તે પ્રતિકમણને અર્થપાપથી ધર્મ અને પરસ્થાન તે અતિચારો સમજવાના છે. (અહિં
પાછા ફરવું. ગર્ભિત પ્રશ્ન ઉઠે છે કે-અતિચારે પરસ્થાન છે એમ શાથી પ્રતિક્રમણના આઠ પ્રકાર, કહે છે? તેને શાસકાર ખુલાસો કરે છે કે-) કથા
કાળિદરા ને સમાવવા=અતિચારે જાણવાના છે આચ- ૧ એકસો વીશ અતિચારની સમજ – શ્રાવકે રવીકૃત બાર વતીને જ્ઞાનાચારાદિ પાંચ આચાર પાળવાપૂર્વક પાલન કરવાના હોય છે. આથી સમ્યકત્વ મૂળ બાર વ્રત, જ્ઞાનાચારાદિ પાંચ આચાર અને સંલેખનાને વિષે અતિચાર ન લાગી જાય તેની શ્રાવકે સંભાળ રાખવાની હોય છે. તે દરેકના મળીને ૧૨૪ અતિચાર થાય છે. અને તે આ પ્રમાણે
સમ્યકત્વના ૫, પ્રાણાતિપાતવિરમણ આદિ દરેક વ્રતના પ-૫ મુજબ બાર વ્રતના ૬• અતિચારે થાય પરંતુ તેમાં સાતમા ભેગે પગ વ્રતની અંતર્ગત કર્માદાનના પંદર અતિચાર વધતા હોવાથી બાર વતના મળીને ૭૫ જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારને ૮, તપાચારના ૧૨, અને વર્ષ ચારના ૩ એમ એ પાંચે ય આચારના અતિચારે મળીને ૩૯, તેમજ સંલેખનાના પ, અતિચાર, એ મુજબ ૫=૫૪૩૯ અને ૫ મળીને કુલ ૧૨૪ અતિચાર ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org