Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ કરપ પામી તે નિધાનના સ્થાને સર્ષ થયા. એ પ્રમાણે એકેક કષાય પણ અનર્થને હેતુ છે, તે ચેસઠેય કષાયોની તે વાત જ શી ? તથા:
દંડ-રૂ–જેના વડે પ્રાણી ધર્મધનનાં હરણથી દંડાય તે દંડ, મન-વચન અને કાયદંડ એમ ત્રણ પ્રકારે છે. તેમાં મનદડ વિષે દષ્ટાંત છે કે જેને અંત વખતે શ્રી ગૌતમસ્વામીએ નિર્ધામણા કરાવેલ તે એક શ્રાવક મરણ પામી પિતાની સ્ત્રીનાં કપાળમાં બારણે અફળાતાં પડેલ ઘારાં સંબંધીની માનસિક પીડાથી કપાળનાં તે ઘારામાં જ કૃમિ થયે. તથા વચન દંડ વિષે લૌકિક હwાંત છે કે-શિકારીએ નાસી છૂટેલા મૃગને માર્ગ પૂછતાં કોંશિક તાપસે સત્ય માર્ગ બતાવ્યું, તે પાપથી તે તાપસ મરણ પામી નરકે ગયો. એ જ રીતે કાયદડ વિષે દષ્ટાંત છે કે-માંડચ નામના ઋષિએ પૂર્વે ભરવાડના ભાવમાં લીંખને શૂળાથી પરેવી તે પાપથી ઋષિ, વિના અપરાધે ળીની શિક્ષા પામે. એ પ્રમાણે ત્રણ દંડ: અથવા માયા-નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યને ૩ દંડ જાણવા: ( જેનું સ્વરૂપ પૂર્વે જણાવાયું છે.) તે ત્રણ દંડને વિષે, તથા - રૂરિ=અશુભ ચિતવનમાંથી મન રોકવું તે મને ગુણિ, સાવદ્ય વચન ન બેસવું તે વજનશુતિ અને કાયાને સાવધ વ્યાપારથી રોકવી તે છાયાણિ તે ત્રણ ગુપ્તિને વિષે તથા૧ સમિતિ=ઈર્યાસમિતિ, ભાષા સમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એ પાંચ સમિતિને વિષે (એ પ્રમાણે વંદન-વત-શિક્ષા-ગારવ–સંજ્ઞા-કષાયદંડ-ગુપ્તિ અને સમિતિ એ સર્વમાં તથા શક્ય શબ્દથી શ્રાવકની સમ્યકત્વપ્રતિમા આદિ ૧૧ પ્રતિમા વગેરે સર્વ પ્રકારનાં ધર્મને વિષે જેને નિષેધ છે તે કર્યું ઈત્યાદિ રીતે જે જે અતિચાર લાગ્યા હોય તેનું નિદારૂપ પ્રતિક્રમણ કરૂં છું . ૩૫ /
અવતરણ:--શંકા-“એ સર્વ અતિચારો સામાન્યથી અને વિશેષથી પ્રતિકમ્યા પરંત પ્રતિક્રમનાર શ્રાવક, તે ફરી ફરી છકાયના આરંભમાં જ પ્રવર્તે છે, તેથી તેને હંમેશાં ઘણાં પાપબંધને સંભવ હોવાથી હસ્તિસ્નાન હાયા પછી સુંઢથી પાછો માથે ધૂળ નાખે તે ) ન્યાયની જેમજ થતું હોવાથી પાપની શુદ્ધિ કેમ થાય?” તેનું સમાધાન આ ગાથાદ્વારા શાસ્ત્રકાર, સમ્યગકશનને મહિમા બતાવવાપૂર્વક આપે છે.
सम्मदिट्टी जीवो जइवि हु पावं समायर किंचि ॥
अप्पो सि हो बंधो, जेण न निद्धंधसं कुणः ॥३६॥ શાળાઃ-સમ્યગ્દષ્ટિ જીવ કે -કિંચિત્ પાપ આચરે છે, પરંતુ તેને કમબંધ અલ્પ હોય છે કારણકે-તે પાપ, તે નિર્દય પણે નિશંકપણે આચરતો નથી. ૩૬
૧ નો x 1 ૨ પૂ. 9. શ્રી ધર્મસૂરિજી મહારાજે અહિં કાઉંસમાં “જેનો નિષેધ નથી અને વિધેય છે તે નહિ કરવારૂપ જે અતિચાર' એમ લખ્યું છે તે સિદ્ધાંતિક નથી. વિધેય ઘણાં ન થઈ શકે તેવાં પણ હોય છે, અને તેમાં સહણ રાખવાની હોવાથી અતિચાર નથી કહ્યું છે કે- 3 હં દીર, જે ૪ ન હat સંમિ તદ્દા | ૨-પુનઃપુનરx. ૪-સમા ... 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org