Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૨૦૫ પિતાના દેશમાંથી દૂર કર્યો. ૧૨૪ ધિક્કાર છે-ધિક્કાર છે હતબુદ્ધિ એવા નિર્દય દુષ્ટ પાપીને કે-અતિવૃષ્ટ એવા તેઓને આ લેકમાં રહેવાનું અને પરલોકમાં જવાનું સ્થાન નથી. ૧૨પા ધિક્કાર છે-ધિક્કાર છે વૃદ્ધ, લુખ્ય અને મૂખંજનેને કે-જેઓ અવિચારીપણે ચેષ્ટા કરતાં પૂર્વે મેળવેલી સર્વ સમૃદ્ધિ પણ જલદિ બળાત્કારે વી નાખે છે! ૧૨૬ ખરેખર પરાયું ધન છે, તે પ્રત્યક્ષ ઉત્પાત છે, મહાન અનર્થ છે, પ્રકટ મહાભય છે, વિષમ વિષ છે, હુતાશન છે, પાશ છે, સર્ષ જ છે. ૧૨છા ત્યારબાદ આ જ ભવન પાપને દુસહ દાવાનલની જેમ અનુભવતે તે વસુદત્ત, પુત્રાદિ કુટુંબ સહિત દૂર દેશાંતરે પહોંચે છે ૧૨૮ છે કઈ ગામને વિષે પહેલાં પરિચયમાં આવેલ કઈ વણિકે તેને દયા લાવીને પોતાના ઘેર આવાસ આપે, તે પણ તે તેને પોતાનાં વિવિધ પ્રકારનાં હૃદયનાં દુઃખે જણાવતો જ રહ્યો. ૧૨૯ કહ્યું છે કે- ' , दहइ सुअणविओगो, दहइ अणाहत्तणं परविएसा। दहइ अ अब्भक्खाणं, दहइ अकजं कयं पच्छा
અર્થ:-(દેશનિકાલ થનારને) પછીથી સ્વજનને વિયેગ બાળે છે, અનાથપણું બાળે છે, પરદેશ બાળે છે, ખોટું આળ આપ્યું હોય તે બાળે છે અને કરેલું અકાર્ય બાળે છે. ૧૩૦ વસુદત્તને રહેવા આશ્રય આપ્યો હોવા છતાં પણ તેને હૃદયનાં દુઃખ સંતાપી રહ્યાં જોઈને તેને આશ્રય વસુદત્તનું દુર્ગતિગમન આપનાર વણિક વિચારવા લાગ્યું કે-આ બીચારે પિતાનાં પાપથી
અને હણાઈ ગએલો છે, છતાં તેને કઈ પણ ઉપાયે હું સુખી કરૂં વિલ્હેલ પુત્રને સંતાપ. માણસને ઉદ્ધાર કરવામાં મહાન પુણ્ય છે.' ૧૩૧ કહ્યું છે કેविहलं जो अवलंबइ, आवइपडिअं जो समुद्धरइ। सरणागयं च रक्खइ, तिसु तेसु अलंकिआ पुहवी ॥
અર્થ-જે માણસે વિહ્વલ-કાંદિશીકજનોને આલંબનભૂત થાય છે, જે માણસે આપત્તિમાં સપડાએલા પ્રાણીઓને ઉદ્ધરે છે, અને જે માણસે શરણુગતોનું રક્ષણ કરે છે તે ત્રણ પ્રકારનાં માણસેથીજ આ પૃથ્વી શોભારૂપ છે. ૧૩રા એ પ્રમાણે વિચારીને તે વણિકે વસુદત્તને નવાં જીવનની માફક પોતાની મૂડી આપી ! એ મૂડીથી જુદું ઘર વસાવેલ વસુદત્ત શેઠ પણ વેપાર ચલાવવા લાગ્યા. {૧૩૩ મરણ અંત છે જેને એવા અશરણભૂત જીવેકનાં તથા અંત જેને વિરસ છે એવા અસાર સંસારનાં બહુ કરેલાં છે પાપકમ જેમણે એવો તે હતધમી વસુદત્ત શ્રેણી અન્યદા જર્જરિત અવસ્થાને પામ્યા થકે જ જલદી મરણ પામ્ય અને સ્વકર્માનુસારી ગતિએ ગયે. ૧૩૪–૧૩૫ ત્યારબાદ અત્યંત શોકને લીધે અથુ ઝરતાં નેત્ર અને દીનવચનવાળા તેના પુત્રે રડી રડીને તેને ચિતા વિગેરે સંસ્કાર કર્યો. અને પિતાને અગ્નિદાન આપ્યું તે સ્થળે તેણે એક વિસ્તીર્ણ ઘરચંeતરે કરાવ્યું તેમજ તે ચતરામાં પિતાનું નામ, મરણનું વર્ષ, તિથિ વિગેરે કોતરાવ્યું. ૫૧૩૬-૧૩છા ત્યારબાદ ક્રમે કરીને શ્રેષ્ઠ ઔષધેવડે રોગને ઉપશમાવવાની જેમ વ્યાપારવડે શોકને ઉપશમાવીને તે ધનદત્ત પુત્ર ચિત્તમાં વિચારે છે કે ” હા ! અનેક અનર્થને પિદા કરનારા અન્યાય વડે મારા પિતાએ સર્વસ્વ હરાઈ જવું
१ पिहगेहो x २ रोग पिव-रोग इव
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org