Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂવાની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૮૧ ચી તે તે પ્રેતકુમાર જેવા પુત્રે આપેલ પારાવાર દરિથ્રાદિ–દુ:ખગર્ભિતવૈરાગ્યથી તે જ દિવસે દીક્ષા લઈને ક્રમે વિશાલ શિવસામ્રાજ્યના સ્વામી થયા. બીજાઓ પણ ધર્મને વિષે અને ધમીજનને સહાય કરવામાં યથાશક્તિ પ્રયત્નવાળા થયા. વ્યંતરી પણ યથાર્થ સમ્યકત્વ પામી સમ્યગૃષ્ટિજનેને સહાયક બનવામાં સાવધાન થઈ ધન્યશ્રેણીને પુત્ર પ્રેતકુમાર તે તે દુઃખદગ્ધ અને ચતુર હોવા છતાં પણ પૂર્વે ધર્મમાં અંતરાય કરેલ હોવાથી સમ્યગ્રધર્મને વિષે અને વિશેષ કરીને પૌષધાદિ ધર્માનુષ્ઠાને માં સર્વથા નિરૂત્સાહી જ રહો. પૂર્વભવના સંબંધથી બંધુજને વગેરેએ તેને ધર્મ કરવા અત્યંત પ્રેરવા છતાં પણ અને શ્રાવકુલમાં ઉત્પન્ન થયો હોવા છતાંય ધર્મ કરવાને બદલે “દ્રાક્ષનાં વન પ્રતિ પ્રેરેલ ઉંટની જેમ” ઉલટો પૌષધને વિષે છેષ ધરવા લાગે! ખેદની વાત છે કે- જીવને તથા પ્રકારની સમગ્ર સામગ્રી મળવા છતાં પણ ધર્મનું કેવું પ્રાપ્યપણું છે? અથવા વર્ષાઋતુમાં કે વસંતઋતુમાં કેરડાને પત્પત્તિ હોય જ કયાંથી? કહ્યું છે કે- વસંતમાસ આવતાં સકલ વનરાજી નવપલ્લવિત બને છે, છતાં કેરડાને જે એક પાન પણ આવતું નથી, તેમાં વસંતત્રતુનો શો દોષ? ૧. ત્યારબાદ રાજા આદિ મને બળાત્કારે પૌષધ કરાવશે” એ ભયથી તે વિનીત પ્રેતકુમારે પિતાનાં સર્વકલ્યાણની સાથે તે નગરને તજી દીધું! ચારે બાજુથી દુખીપણું, નિત્યને માટે રોગીપણું અને પરાભવ વગેરે મહાદુ ખનું ભાજન બને તે પ્રેતકુમાર ક્રમે કરી મૃત્યુ પામ્યા અને તિર્યંચ તેમજ નરક આદિ બહભવોને વિષે ભમવાવાળો થયે. ખેદની વાત છે કે ધર્મને વિન કરનારી નિષ્કલવાણીને પણ કેવો દુસહ વિપાક છે? હવે પૃથ્વીને વિષે જાણે ઈન્દ્ર
અવતરેલ હોય તેમ દેવકુમાર રાજાએ, પર્વને દિવસે “આગલે યુદ્ધમાં પણ દેવકુમારે દિવસે પર્વની ઉષણ કરાવવાપૂર્વક સર્વ સામન્તાદિની સાથે કરેલ પર્વ તિથિ પૌષધ પૌષધધર્મનું આરાધન વગેરે ધર્માનુષ્ઠાને સેવવાપૂર્વક ધર્મનો અને શત્રના ઘેર આક્ર- એકછત્રી વિસ્તાર કરી દીર્ઘકાલ રાજ્ય કર્યું. તેવામાં એકદા મણમાં શાસનદેવીની શત્રુની સામે જઈ લડવાના સામર્થ્યવાળે તે રાજા, સ્વયંભૂમણ અજબ સહાય ! સમુદ્રની ભરતીની જેવા વિશાલ સેય સહિત શત્રુરાજાના દેશના
સીમાડે આવ્યું. તેથી શત્રુરાજા પણ પિતાનાં સર્વ સૈન્ય સહિત સંગ્રામને અર્થે સામે આવ્યું. આ બાજુ અષ્ટમી પર્વ આવ્યું. અને તે દિવસે મંત્રી વગેરે ઘણું વારવા છતાંય તે દેવકુમાર રાજાએ યુદ્ધને આરંભ નિવારીને મહાન પાપના ઔષધ જે પૌષધ લીધે! છલ શોધતા દ્રષી રાજાએ તે બીન જાણીને સમુદ્રની જેમ વિશાલ ચતુરંગી સેનાથી “બંદરને ચારે બાજુથી ભરતીનું જલ ઘેરી વળે તેમ દેવકુમાર રાજાના સૈન્યને ઘેરી લીધું. તેથી બીજી કઈ ગતિ નહિ રહી હોવાને લીધે આકુલ વ્યાકુલ બની ગએલા બધા જ સૈનિકે એ સત્વર આવીને અને પ્રણામ કરીને સત્યસ્થિતિ જણાવવાપૂર્વક પિતાના તે દેવકુમાર રાજાને વિનંતિ કરી કે- હે દેવી! યુદ્ધને માટે તૈયારી કરો અથવા તે સંબંધી ૧ સૌઘનિજ x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org