Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 523
________________ ૪૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ પણ તે જે ધમોનુષ્ઠાન આચરતાં આશ સા કરે તો અલ્પ જ ફળ પામે છે. કારણકે-ચિંતામણિરત્નને અલ્પમૂલ્યમાં વેચનારની જેમ તે મનુષ્ય અચિત્યચિતામણિરૂપ ધર્મને આશંસારૂપ અલ્પમૂલ્યથી વેચી નાખે છે ! કહ્યું છે કે-“ઢવચારૂં વહુરાણં ઘણાં ફલવાળાં શીલવતને (આશંસાથી) હણીને સુખની ઈચ્છા રાખનાર દુર્બલબુદ્ધિ મુનિ, કોડમૂલ્ય આપીને કાકિણી ખરીદે છે. જે ૧ . એ કારણથી જ અરિહંત ભગવતેએ (એ આશંસાની માફક) નિયાણું કરવાનો સર્વથા નિષેધ કર્યો છે. તે નિયાણાં આ રીતે નવપ્રકારે છે. ૨ નૃપનિાના-કોઈ સાધુ આદિ નિયાણું કરે કે-દેવને પ્રગટ કોણે દીઠા છે? આ રાજાઓ જ દેવ છે, માટે મારી તપશ્ચર્યાના ફલથી હું પરભવે રાજા થઉં” આ નિદાનવાળે જીવ (પ્રથમ દેવાયુષ્ય બાંધ્યું હોય તે ) સ્વર્ગમાં જઈ ત્યાંથી એવી રાજ્ય પામે છે, પરંતુ તે રાજાપણુના ભવ માં સમ્યક્ત્વ પામી ન શકે તેવો દુર્લભબધી થાય છે. ૨ શનિવાર-રાજાઓ બહુ ચિતાના વ્યાપારવાળા હોય છે, માટે આ તપનાં ફળ તરીકે આગામી બે શ્રેણી થઉં” તે આ બીજુ નિયાણું છે. ૩ સ્ત્રીત્વનિાનઃ-પુરૂષ બહુ વ્યાપારવાળો અને લડાઈ આદિ દુષ્કર કરનારો હોય છે, એમ વિચારી સ્ત્રી થવાની આશા કરે ૪ gવનાના-એ પ્રમાણે સ્ત્રી હંમેશાં પરાધીન છે અને પરાભવ પામે છે. એમ વિચારી પુરૂષપણું ઈછે. ૧ વિચારવાના- મનુષ્યના ભેગે મલીન હોય છે માટે જે દેવો અન્ય દેવદેવીની સાથે વિષયવિલાસ કરે છે, અથવા પોતે પોતાને દેવ-દેવીરૂપ વિકુવી વિષયવિલાસ કરે છે તે હું પણ ઘઉં. ૬ સ્વાવિવાનિદાનઃ-જે દેવે પોતે પિતાનું જ દેવીરૂપ વિકુવીને અન્ય સાથે વિષયવિલાસ કરે છે, તે દેવ થઉં. ૭ બહારતમુર (વિવાર) નિન -કામગ પ્રતિ વિરાગી થવાથી વિચારે કે-જ્યાં ( ઉપર મુજબ અંગપ્રવિચારાદિરૂપે ) કામગ નથી, તેવા (ત્રીજા આદિ) દેવલોકમાં ઉત્પન્ન થઉં. આ જીવ સ્વર્ગે જઈ ત્યાંથી વી મનુષ્ય આદિ થાય ત્યાં સમ્યગ્રદર્શન પામે પણ દેશવિરત્યાદિ ધર્મ ન પામે. ૮ રન્નાનાનઃ-(ઘણું ધનથી ઘણો આરંભ સમારંભ થવાને લીધે ઘણું પાપ બંધાય છે, માટે ) દરિદ્રપણું હોય તે જ આત્માને અત્યંત ઉદ્ધાર થાય, એમ વિચારી કે અનશની આત્મા “હું દરિદ્રી થઉં” એવું નિદાન કરે તે જીવ સ્વર્ગે જઈ ત્યાંથી થવી દરિદ્રી થઈ સર્વવિરતિ પણ પામે, પરંતુ મોક્ષ ન પામે. 8 શ્રાદ્ધનવાન –એ પ્રમાણે “શ્રાવકપણું સારું છે, માટે મરણ બાદ આ તપના પ્રભાવથી શ્રાવક થઉં” એવા નિદાનવાળો જીવ, અન્યભવે સર્વવિરતિ ન પામે. આ નવ નિયાણ ઉપરાંત સૌભાગ્યાદિ અનેક નિદાનો છે; પરંતુ તે બધાં નિદા=નિયાણાએ આ નવમાં જ અંતગત જાણવાં. નિદાન કરનારે જીવ પૂર્વભવે ઉત્કૃષ્ટ ઘમ આરાધ્ય હોય તે પણ સાતમી નારકી પામેલા સુમૂમ અને બ્રહ્મદરચક્રી આદિની જેમ પ્રાય: નરક આદિ દુર્ગતિનાં દુ:ખેને ભાગી થાય છે. કહ્યું છે કે “યુયદુપિ૦= અતિ ઘણું પણ તપ કર્યું હોય અને દીર્ધકાળ સાધુપણું પણ પાળ્યું હોય, પરંતુ તે પછી આત્મા નિદાન કરીને તે બધું વ્યર્થ હારી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558