Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 469
________________ ૩૬૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ પ્રકારે પણ પ્રચલિત છે. કારણકે સર્વસામાયિકના સ્વામી મુનિરાજે અને ઉપધાનતપ વહન કરનારા શ્રાવકને આહાર ગ્રહણનું વિધાન છે. આહાર સિવાયના શરીરસકાર અદિ ત્રણ પૈષધો તે સર્વથી જ લેવાય છે કારણ કે તે ત્રણ પિષધેને દેશથી લેવામાં સામાયિકની સાથે બાધ આવે છે જેમકે-“ સામાયિક લેવામાં “સાવજ ગં પચકખામિ' એ પ્રમાણે સાવનું પચ્ચખાણ લેવામાં આવે છે, અને શરીરસત્કાર આદિ ત્રણમાં તે પ્રાય: સાવધન જોગ હોય જ છે.” શંકા -બ્રહ્મચર્ય પૌષધ, દેશથી લેવામાં તો સાવન ચાગ હોય છે. પરંતુ બાકીના નિરવધશરીર સત્કાર અને નિરવદ્યવ્યાપારરૂપ બે પૈષધોને દેશથી કરવામાં સામાયિકને વિષે શાથી દોષ લાગે? - સમાધાનઃ-આભરણેથી આત્માની શેભાની ગૌણતા થઈને શરીરની શોભામાં ચિત્તવૃત્તિ રોકાઈ જવાનો સંભવ હોવાથી તેમજ વ્યાપારથી ભવૃત્તિ પોષાવી વગેરે કારણો હોવાથી સામાચિકને વિષે તે બંને નિરવદ્યશરીરસત્કાર અને નિરવદ્યવ્યાપારને પણ નિષેધ કરેલ છે. વળી દેશથી આહારપષધ તે તપશક્તિના અભાવે સાધુની જેમ શ્રાવકને પણ ધર્માનુષ્ઠાનના નિર્વાહ માટે અનુમત છે. આવશ્યકચૂર્ણિમાં પૈષધના અધિકારને વિષે કહ્યું છે કે-દેશાવકાશિકવ્રતવાળા કે સામાયિક વ્રતવાળા શ્રાવક, શ્રમણ ધર્મને વિષે જે યથાશક્તિ તપ કહેલ છે તે યથાશક્તિ તપ કર. નિશીથભાષ્યમાં પણ પૈષધવાળા શ્રાવકને આશ્રયીને કહ્યું છે કે “દાં સો સું =પિતાના નિમિત્તે કરેલો આહાર પણ પૈષધવાળો શ્રાવક ગ્રહણ કરે.” અને નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે નં ર તં નામા મુંબ જે પિતાના નિમિત્તે કરેલો આહાર હોય તે સામાયિકવાળે પણ શ્રાવક ખાય તે વાત પણ પૌષધસહિત સામાયિક લીધેલ શ્રાવ- કની અપેક્ષાએ જ કહી સંભવે છે. કારણકે- પૈષધ રહિતનું સામાયિક તે શ્રાવકને બે ઘડી પ્રમાણ જ હોવાથી તેમાં પૂર્વાચાર્યની પરંપરાથી આહાર લેવાતું નથી. શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“જે દેશથી આહારપૈષધ કર્યો હોય તે ભાત પાણીનું પચ્ચખાણ, ગુરૂ સમક્ષ પારીને આવસ્યહી કહીને ની સરે: ઈસમિતિપૂર્વક ઘેર જઈને ઈરિયાવહી પ્રતિક્રમી, ગમનાગમન આલેચી, ચેત્યવંદન કરે. બાદ સંડાસા પ્રમાઈને કટાસન પર બેસે, ભાજન પ્રમાજો અને યાચિત ભજન પીરસાયા બાદ નવકાર ગણી પચ્ચક્ખાણ યાદ કરે. બાદ મુખની પ્રમાર્જના કરીને સાસરે વવવવું બહુમવિવિí પરિણાઉં. મવાળવાયત્તા મુંડ રાઘવ વવવ . ? A સબડકાના અવાજરહિત-બચબચ શબ્દરહિત-બહુ ઉતાવળે નહિ-બહુ વિલંબે નહિ-હાથ કે મુખમાંથી નીચે વેરાવી દીધા વિના અને મન વચન કાયાની ગુપ્તિ સાચવતે સાધુની જેમ ઉપગપૂર્વક–પાછળ થાળી પેઈને પીવી વગેરે વિધિપૂર્વક ભોજન કરે. ૧n કાચામાયા મુગા=સંયમયાત્રા પૂરતું ભોજન કરી, પ્રાસુક જલથી મુખશુદ્ધિ કરી નવકાર ગણીને ઉકે, દેવ વાદે, વંદન કરી પચ્ચકખાણ કરીને પુનરપિ પૌષધશાળાએ જાય ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં રહે.” પૈષધમાં આહારની અનુમતિસૂચક આવા મજબૂત પાઠો હોવાથી દેશપષધમાં ૧ વારિત્તા નિરક્ષર (પૂ. આ. ભ.શ્રી વિજયપ્રભસૂરિજીની પ્રતિમાને સુધારો) 1 ૨ “નાથામાને અર્થ . ઉપા. શ્રી ધર્મ વિ. એ પિતાના અનુવાદમાં “જાતમાત્ર’ કર્યો, તે ચિતનેય છે. ૩ જાળ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558