Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
નવ -તત્ત્વ - દીપિકા |
'
યાને
જૈન ધર્મનું અદભુત તત્વજ્ઞાન
લેખક : અધ્યાત્મવિશારદ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
સંશોધકે : પ. પૂ. આ. શ્રી વિજ્યધમ ધુરંધરસૂરિજી મ. પ. પૂ. આ. શ્રી વિજ્યકીતિચંદ્રસૂરિજી મ. પ. પૂમુ, શ્રી યશોવિજયજી મહારાજ
પ્રસ્તાવના - લેખક : પ. પૂ. આ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મ.
પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશન મંદિર
મુંબઈ-૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ
વ્યવસ્થાપક : જૈન સાહિત્ય – પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત બીલ્ડીંગ
ચીચબંદર, મુંબઈ-૮
આવૃત્તિ બીજી વિ. સ. ૨૨૮, સને ૧૯ર
મૂલ્ય રૂપિયા આઠ સર્વ હક્ક સુરક્ષિત
મુક : કાન્તિલાલ સોમાલાલ શાહ
સાધના પ્રિન્ટરી ઘીકાંટારેડ : અમદાવાદ,
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય આજથી ચૌદ વર્ષ પહેલાં જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિરની સ્થાપના થઈ ત્યારે કલ્પના ન હતી કે તેના દ્વારા જૈન ધર્મના કલ્યાણકારી આચાર-વિચારને પ્રકાશમાં લાવવાનું કામ આટલી સુંદર રીતે થઈ શકશે ! પરંતુ અધ્યાત્મવિશારદ શતાવધાની પંડિત ઘી ધીરજલાલ ટોકરશી શાહના સતત પુરુષાર્થથી તેના દ્વારા એક પછી એક ગ્રંથે પ્રકટ થવા લાગ્યા અને તે ખૂબ જ કપ્રિય નીવડ્યા. આ ગ્રંથમાં “નવતરવદીપિકા યાને જૈન ધર્મનું અદ્ભુત તત્વજ્ઞાન એ ગ્રંથને પણ સમાવેશ થાય છે.
સં. ૨૦૨૧ માં “ જીવવિચારપ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન એ ગ્રંથનું સર્જન-પ્રકાશન કર્યા પછી તેમણે નવતત્તપ્રકરણ પર આધુનિક રેચક શેલિએ વિસ્તૃત વિશદ વિવેચન લખવા માંડયું અને વચ્ચે કેટલાક અંતરાય આવવા છતાં તે વિવેચન તેમણે નિયત સમયમાં પૂર્ણ કર્યું. તે પછી પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસુરીશ્વરજી મહારાજ, ૫. પૂ. આ. શ્રી વિજય કીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ (તે વખતના પં. શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય) તથા પ. પૂ. સાહિત્ય-કલારત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજને આ વિવેચનનું સંશોધન કરી આપવાની વિનતિ કરતાં આ ત્રણેય મહાપુએ ખાસ સમય કાઢીને તેનું સાત સંશોધન કરી આપ્યું. અને તે પછી પ્રસ્તાવનાનો પ્રશ્ન આઘતાં અમેએ દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા યુગદિવાકર પ. પૂ. આ. શ્રી વિજયધમ. -સુરીશ્વરજી મહારાજને વિનતિ કરી અને તેમણે કૃપાવંત થઈને આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપી. ત્યાર બાદ એ વિવેચન
Page #6
--------------------------------------------------------------------------
________________
- નવતત્ત્વદીપિકા યાને જૈન ધર્મનુ અદ્ભુત તત્ત્વજ્ઞાન ' એ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
અમને જણાવતાં આનંદ થાય છે કે માત્ર દોઢથી બે વર્ષના ગાળામાં જ એ ગ્રંથની તમામ નકલ વેચાઈ ગઈ અને તેની માગણી ચાલુ જ રહી, પરંતુ અન્ય પ્રકાશનાની યાજના હાથ પર હાવાથી તેની ખીજી આવૃત્તિ તરતમાં જ પ્રકાશિત કરી શકયા નહિ. એવામાં ગત વર્ષ તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહના મુખ્ય કાય કર્તા સદ્ગુણાનુરાગી શ્રી દલીચંદ પરસેાત્તમ શાહની આ ગ્રંથ પ્રકટ કરવાની પ્રબલ, પ્રેરણા થઈ અને તેની કેટલીક જવાબદારી પેાતાના શિરે લઈ લીધી. તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું. તે માટે અમે શ્રી દલીચંદભાઈને ખાસ આભાર માનીએ છીએ.
પ્રથમ આવૃત્તિનું સંશાધન કરવામાં આવ્યું છે, પશુ તેમાં વિશેષ સુધારા-વધારા થયા નથી. વિશેષમાં કાગળ તથા છાપકામમાં ખૂબ વધારા થવાથી ગ્રંથનું મૂલ્ય રૂા. ૮-૦૦ રાખવામાં આવ્યુ છે, પણ તેનુ કદ જોતાં તે ક્ષતવ્ય લેખાશે.
નવતત્ત્વપ્રકરણનું રહસ્ય જાણવા ઈચ્છનાર સહુ કાઈને આ ગ્રંચ ઘડ્ડા ઉપયાગી થશે, એમાં શંકા નથી.
પુ. પૂ. મા. શ્રીમદ્ ૧૦૦૮ શ્રી વિજ્યધમસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથતું સમપ`ણુ સ્વીકાયુ" છે, તે માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
આશા છે કે જૈન ધર્મના આચાર-વિચારના પ્રચાર કરવામાં રસ ધરાવનાર મહાનુભાવા તથા સાંસ્થાએ આ ગ્રંથના પ્રચારમાં ગ્રામ્ય સાથ અને સહકાર આપશે.
પ્રાથય
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
'E:
જસ
સ
, ક કા
કરી
ન
૧
,
''
'
ર
.
છે
મો
:
-
દ્રવ્યાનુયોગના પરમ અભ્યાસી, જૈન શાસનના મહાન પ્રભાવક,
યુગદિવાકર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
Page #9
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
t:
13484843
EXAM RESH મમમમ મમમમ RE 313 314000
14 RGAH 15TH HERE
દ્રવ્યાનુગના પરમ અભ્યાસી, નવતત્વ, શ્રાવકધર્મ આદિના સમર્થ વિવેચક, ઔદાયાદિક અનેકગુણવિભૂષિત, શાંત, દાંત, સુવિહિત, ક્રિયાનુરાગી, જૈન શાસનના
મહાન પ્રભાવક, સાધર્મિક ભક્તિના મહાન ઉપદેશક
યુગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને
T પ્રાધ્યમમમમમમમમમ
:0 PX GR1111111111111111
; +:+: O CT
અપનામ.
જૈન ધર્મનું અદૂભુત તત્વજ્ઞાન
નામને આ ગ્રંથ સવિનય સાદર સમર્પણ કરીને
કૃતાર્થ થાઉં છું.
1 tbt
ક
1111
ધીરજલાલ ટોકરશી શાહ
H
TTLE
મ
#
:
:
:
:
: 1:01
in:
*
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
પરમ શાસનપ્રભાવક યુગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્દ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજનો
કે જીવન-પરિચય
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને જીવન–પરિચય લખવાની ભાવના તે ઘણા વખતથી જાગી હતી, પણ એક યા બીજા કારણે તેમ બની શક્યું નહિ. આખરે એ ઈચ્છા પૂર્ણ થવાને પ્રસ ગ સાંપડે, એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે. જન્મ અને માતા-પિતાદિ
તેઓશ્રી વિ. સ. ૧૯૬૦ના શ્રાવણ વદિ ૧૧ ના રોજ સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશાશ્રીમાળી જૈન કુટુંબમાં જન્મ્યા. તેમના પિતાશ્રીનું નામ હીરાચદ અને માતાજીનું નામ બલ હતું. તેમનું પિતાનું નામ ધનરાશિના ભ-ધ અક્ષરના આધારે ભાઈચંદ પાડેલું. તેમને બે ભાઈઓ હતા. તેમાં મેટાનું નામ ધીરજલાલ અને નાનાનું નામ વ્રજલાલ હતું. નાનાભાઈ આજે વિદ્યમાન છે.
વિદ્યાભ્યાસ
તેઓશ્રી ધર્મપરાયણ માતાના ખોળે ઉછરતાં ધાર્મિક સંસ્કારો સારી રીતે પામ્યા. પાઠશાળાએ તેમાં પૂર્તિ કરી. ગામની શાળાએ તેમને ચાર ગુજરાતી સુધીનું શિક્ષણ આપ્યું. વિશેષ અભ્યાસ માટે તેઓશ્રી અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા. બુદ્ધિ તીવ્ર અને ખત ઘણું, એટલે અભ્યાસમાં સારી રીતે આગળ વધ્યા. છાત્રાલયના ગૃહપતિ તથા શાળાના શિક્ષકે એમ કહેતા કે આ
Page #12
--------------------------------------------------------------------------
________________
છેક આગળ જતાં ઘણે ઝળકશે. અલબત્ત, એ તે આ વસ્તુ વ્યાવહારિક શિક્ષણની અપેક્ષાએ કહી રહ્યા હતા, પણ તેઓશ્રી આગળ જતાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયમાં ખૂબ ઝળક્યા અને એ રીતે ગૃહપતિ તથા શિક્ષકની આગાહી સાચી ઠરી. માતાની પ્રેરણું
તેમના માતુશ્રીની ઈચ્છા એવી હતી કે પિતાને પુત્ર ભણીને વ્યવહારમાં પડે, કમથી ખરડાય અને સંસાર વધારે, તેના કરતાં ધમ– પરાયણ ત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે તે ઘણું સારું. એટલે તેમના તરફથી અવારનવાર દીક્ષા લેવાની પ્રેરણા મળ્યા કરતી. ભાઈચંદભાઈ પૂર્વ ભવમાં સુકૃતની કમાણી કરીને આવેલા અને હળુકમી એટલે માતાની આ પ્રેરણને બરાબર ઝીલી લીધી અને અનેક વ્રતનિયમથી યુક્ત થયા. દીક્ષાદાન
સોળ વર્ષની તરૂણ ઉંમરે તેમણે છાત્રાલય છોડી પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજનું શરણ સ્વીકાર્યું. સં. ૧૯૭૬ ના માહ સુદિ ૧૧ ના રોજ મહેસાણા નજીક સાંગણપુરમાં તેમને દીક્ષાદાન કરી મુનિશ્રી પ્રતાપવિજ્યજીને શિષ્ય મુનિ શ્રી ધર્મવિજય તરીકે જાહેર કરવામાં આવ્યા. સ્મરણોંધ
અહીં આટલી નોંધ કરું તે ઉચિત ગણાશે કે હું પણ એ વખતે શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં અભ્યાસ કરતા હતા અને તેમની સાથે સારી મિત્રતા ધરાવતું હતું. વળી તેઓશ્રી શેડે દૂરના સગપણુ–સંબંધે મારા કાકા થતા હતા. આથી જ્યારે તેમણે છાત્રાલય છોડ્યું, ત્યારે તેમને વિદાય આપવા થોડે દૂર સાથે ગયો હતે. ત્યાં તેમણે એમ જણાવ્યું કે “હવે હું છાત્રાલથમાં પાછા ફરનાર
Page #13
--------------------------------------------------------------------------
________________
નથી. મારું જીવન કઈ જુદા જ માગે વહેશે ત્યારે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આજે પણ એ દસ્ય મારા સ્મૃતિપટમાં બરાબર ખડું થાય છે.
જનની રે.......
રાજા ગોપીચંદને વૈરાગ્યના માર્ગે વાળવા માટે “જનની છરે ગોપીચંદની એ પંક્તિ ઉલટભેર ગવાય છે, પણ છબલ બહેનની કાર્યવાહી રાજા ગોપીચંદની માતાથી જરાયે ઉતરતી ન હતી, છતાં આજ સુધી તેમને માટે આવી કોઈ પદ્યરચના થઈ નથી, એ ખરેખર આશ્ચર્યજનક છે. પુત્રને વૈરાગ્યના માર્ગે વળાવ્યા પછી અને સર્વવિરતિને સ્વીકાર કરાવ્યા પછી પોતે પણ સં. ૧૯૮૦ માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી અને સાધ્વી શ્રી કુશલશ્રીજી તરીકે સંયમની સુંદર સાધના કરી સં. ૧૯૯૭ માં શ્રી સિદ્ધગિરિની છાયામાં પાલીતાણું મુકામે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા હતા.
શાસ્ત્રાભ્યાસ “
જેઓની પાસે તેઓશ્રીએ ચારિત્ર ગ્રહણ કર્યું, તે પૂ. આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજનું સ્થાન તેમના સમકાલીન આચાચૅમાં પ્રથમ પંક્તિમાં ગણાતું હતું. તેઓશ્રી એક સમથ વિદ્વાન હોવા સાથે પ્રભાવશાળી વ્યાખ્યાનકાર પણ હતા. તેઓશ્રીના પદધર પૂ. મુનિવર્ય શ્રી પ્રતાપવિજયજી (હાલ પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી) મહારાજ કે જેઓ મુનિશ્રી ધર્મવિજયજીના દીક્ષાગુર થાય, તેઓ પણ અખંડ ગુરુકુલવાસી, સારા વિદ્વાન અને જૈન શાસનની પ્રાચીન પ્રણાલિકાના સંરક્ષક હતા. આવા પૂજ્ય પુરૂષની નિશ્રા પ્રાપ્ત થતાં મુનિશ્રી ધર્મવિજયજી આત્મવિકાસના માર્ગે ઝડપથી આગળ વધવા લાગ્યા.
Page #14
--------------------------------------------------------------------------
________________
કુશાગ્ર બુદ્ધિ, વિનયશીલતા, અખંડ પરિશ્રમ અને ગુરુદેવની સતત કાળજી વગેરે કારણે વ્યાકરણ–કાવ્ય-મેષ-સાહિત્ય-ન્યાય વગેરે વિષયો ઉપરાંત પ્રકરણે, આગ ઈત્યાદિ અનેક ગ્રન્થને સુંદર અભ્યાસ મુખ્યતયા તેઓશ્રીએ એમના દાદા ગુરજી પાસે જ કર્યો. બાદ પૂ. શાસનસમ્રાના પદાલંકાર સિદ્ધાન્તવાચસ્પતિ પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજ અને આગોદ્ધારક પૂ. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થતાં તેઓશ્રી પાસે બહત્કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થ પંચમાધ્યાય વગેરે ઉચ્ચતર શાસ્ત્રોના અભ્યાસને વેગ મળવાથી તેઓશ્રીના જ્ઞાનમાં સુંદર વિકાસ થયો. અમદાવાદમાં ૬ માઈલ જેટલે વિહાર કરી રોજ અભ્યાસ માટે પૂ. સાગરજી મહારાજ પાસે જતા આવતા હતા. શાસ્ત્રાભ્યાસની આવી અપૂર્વ તમન્નાને લીધે જ તેઓશ્રી કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ જેવા કર્મશાસ્ત્રોના વિષયમાં નિષ્ણાત બન્યા અને શ્રમણ સમુદાયમાં તેમની ગણના દ્રવ્યાનુયોગના સારા વિદ્વાન તરીકે થવા લાગી. પદપ્રાપ્તિ
મુનિશ્રી ધર્મવિજ્યજીને ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂ. આ. શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સં. ૧૯૯રમાં ગોહનની ક્રિયા પૂર્વક ગણુંપંન્યાસપદથી વિભૂષિત કર્યો અને સં. ૨૦૦૨માં શાસનસમ્રા ૫પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે અમદાવાદમાં તેમને હજારની માનવમેદનીની હાજરીમાં ઉપાધ્યાયપદવી અર્પણ કરી. ત્યારબાદ વિ. સં. ૨૦૦૬ની સાલમાં મુંબઈના ચિરસ્મરણીય ચાતુર્માસ પ્રસંગે ભાયખલામાં ઉપધાન–તપની માલારોપણને મંગલ અવસર ઉપસ્થિત થતાં મુંબઈના શ્રી સંઘની વિનંતિથી પૂ. આ શ્રી વિજયપ્રતાપસરીશ્વરજી મહારાજે સં. ૨૦૦૭ના પોષ વદિ ૫ના દિવસે તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યો.
Page #15
--------------------------------------------------------------------------
________________
આચાર્ય–પદાર્પણના પ્રસંગે તે ઘણીવાર ઘણાં સ્થળે ઉજવાયા હશે, પરંતુ આ આચાર્ય–પદાર્પણના પ્રસંગે જે ઉલ્લાસ અને લગભગ પચાસ હજાર જેટલી વિશાળ માનવમેદની સાથે મુંબઈને પ્રત્યેક : આગેવાનની હાજરીનું દશ્ય જેણે જેણે નિહાળ્યું છે, તે તે મહાનુભાવો આજે પણ તે અવસરને યાદ કરીને અનુમોદના કરે છે. આવો. આચાર્ય પદવીને સમારોહ જૈન ઈતિહાસમાં પહેલે જ હતું. આ પ્રસંગ પછી તેઓ આચાર્ય શ્રી વિજ્યધર્મસૂરિજી તરીકે ખ્યાતિ. પામ્યા અને આજે તે આ નામ અતિ જોકપ્રિય બની હજારલાખ હેઠેએ ચડી ગયું છે.
ચાતુર્માસની પ્રવૃત્તિ
તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરે છે, ત્યાં દ્રવ્યાનુગ ગર્ભિત જિનવાણીને ઘેધ વરસાવે છે. જેના પરિણામે છઠું–અઠ્ઠમ તપ, સામુદાયિક એકાસણુની આરાધના, વર્ધમાન તપના પાયા, માસક્ષમણ, સિદ્ધિતપ વગેરે અનેક નાની મોટી તપશ્ચર્યાઓ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ઉજવણીમાં મહત્સવો, તેમજ શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, ઋષિમંડલપૂજન, અરિહંતમહાપૂજન વગેરે અનુષ્ઠાને ભવ્ય રીતે જાય છે. તેને લાભ હજારે આત્માઓ લે છે. વિશેષમાં પર્યુષણ પર્વની તપસ્યા કરનાર હજાર-પંદરસે મહા . નુભાવોનું સામુદાયિક બહુમાન કરવાના ભવ્ય સમારંભ પણ તેઓશ્રીની નિશ્રામાં અનેક વાર યોજાયેલા છે અને તે શાસનની પ્રભાવના. કરનાર નીવડ્યા છે.
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે સામાન્ય રીતે તેઓશ્રીનાં : વ્યાખ્યાને તત્વથી ભરપૂર હોય છે, પરંતુ ભગવતી સૂત્રની વાચના . શરૂ થાય તો તેમની પ્રવચનશક્તિ સોળે કળાએ ખીલે છે. તેમાંના .
Page #16
--------------------------------------------------------------------------
________________
R
એક એક પદાથતે તે ખૂબ સ્પષ્ટતાથી સમજાવે છે અને તેમાં હેતુ-દૃષ્ટાન્તયુક્તિ આદિના સફલતા પૂર્વક ઉપયોગ કરે છે. ‘ભગવતીસૂત્રનાં પ્રવચના' નામના તેઓશ્રીનાં વ્યાખ્યાનાના પ્રકટ થયેલા દળદાર ગ્રંથ આ વાતની સાક્ષી પૂરે છે. આ તે પહેલે ભાગ છે, જેની એ આવૃત્તિ થવા છતાં માંગ ચાલુ છે અને બીજા ભાગા પ્રગટ કરવા માટે તેઓશ્રીને ધણી વિનતિ થાય છે.
ઉપધાન તપની આરાધના
ચાતુર્માંસમાં તેઓશ્રીએ દીધેલી દેશનાથી કાઈ ને કાઈ ભાગ્ય- શાળાને મહામ ગલકારી ઉપધાનતપ કરાવવાની ભાવના થઈ આવે છે. એ રીતે છેલ્લાં વર્ષોમાં તેઓશ્રીની નિશ્રામાં હજારા-લાખા રૂપીયાના ખચે ૧૯ વાર ઉપધાનતપની આરાધના થઈ છે, તેમાં દશ-માર લાખ જેટલી દેવદ્રવ્યની ઉપજ, સાત-આઠ લાખ જેટલી સાતે ક્ષેત્રની સામાન્ય ઉપજ થઈ છે તથા અનેક ભવ્યાત્માએ કલ્યાણુમાર્ગે આગળ વધ્યા છે. આ વખતે જે ખાલી ખેલાય છે, તે સામાન્ય મનુષ્યની કલ્પનાથી બહાર હોય છે. દાખલા તરીકે સ. ૨૦૦૭ ની સાલમાં શ્રી ગાડીજી દહેરાસરદ્વારા તેમની નિશ્રામાં ભાયખલા ખાતે ઉપધાન તપની આરાધના થઈ, ત્યારે માળની ખાલી રૂા. ૧ લાખ ને ૮ હજાર થઈ હતી અને સામિક ક્રૂડ શ. ૨૭૦૦૦ નું થયું હતું. જેમાં ૬પ૦ સ્ત્રી-પુરુષ આરાધનામાં જોડાયા હતા. મુંબઈમાં સત્તર વર્ષ બાદ થયેલ આ આરાધનાએ એક અનેાખુ વાતાવરણ ઊભું કર્યું હતું. તે જ રીતે સ. ૨૦૧૫માં કાટ-ઉપાશ્રયવતી ભાયખલામાં ઉપધાન • તપની આરાધના થઈ, ત્યારે માળની એટલી ફા. ૧ લાખ તે ૧૫ હજાર - થઈ, તેમજ ધાટાપર અને મેરીવલીમાં ક્રમશઃ શ લાખ અને લાખ રૂા.ની ખાલી થઈ હતી અને સાર્મિક ફ્રેંડ આદિ શ. ૧૫૦૦૦
Page #17
--------------------------------------------------------------------------
________________
નાં થયાં હતાં. અનેક ઉપધાનતપ પ્રસગે થએલી માત્ર સાધમિકની 'ટીપને કુલ આંકડે ત્રણેક લાખથી ઓછા નહી હોય, અને વ્યક્તિ - ગત રીતે ઘણું ઘણું વિવિધ રીતે સહાય અપાતી રહે છે, તે જુદી. આ રકમદ્વારા સુપાત્ર ક્ષેત્રને ઘણુ પિષણ મળે છે, એટલે તેને ઉપાય ગણી ધાર્મિક વર્ગ આવા પ્રસંગમાં ઘણે રસ લે છે ,
ઉજમણું
તેઓશ્રીની પ્રેરણાથી ઉજમણાં પણ ઘણાં થયાં છે અને તે . નવીન ભાત પાડનાર નીવડ્યાં છે. ખાસ કરીને ઉપધાનાદિ પ્રસગેએ સામુદાયિક ઉજમણુની પદ્ધતિ તેઓશ્રીએ છેલ્લાં ૧૦-૧૨ વર્ષોથી દાખલ . કરેલી છે. જે સર્વત્ર અનુકરણીય બની છે. સં. ૨૦૧૬ ની સાલમાં. પૂ. આચાર્યશ્રી ના પિતાના વરસીતપના પારણા પ્રસગે વાલકેશ્વરમાં ૫૧ છેડનું ઉજમણું અને સ. ૨૦૧૭ની સાલમાં ૭૭ છેડનુ ઉજમણું, શ્રી ગેડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે . ૧૦૮ છેડનું ઉજમણું તે જૈન સમાજ કદીયે નહિ ભૂલે શાંતાક્રુઝમા ૫૫ છોડનું ઉજમણુ થયું હતું. આ ઉપરાંત દરેક ઉપધાનપ્રસગે - ૨૫ થી ૪૫ છેડનાં ઉજમણું થતાં રહ્યાં છે. આજ સુધીમાં તેઓશ્રીની પ્રેરણાથી ભરાવાયેલા ચદરવા–પુ ઠિયા તથા છેડેની સંખ્યા લગભગ હજારના આંકડા સુધી પહોંચી છે.
વાલકેશ્વરના ઉજમણુના દશને તે વખતના મહારાષ્ટ્રના મુખ્ય ? પ્રધાન શ્રીયશવંતરાવ ચૌહાણ આવ્યા હતા.
ધાર્મિક મહોત્સવ.
તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ પ્રકારના ઉત્સવો થતા રહે છે અને . પ્રતિષ્ઠા-અ જનશલાકા મત્સવે પણ ઘણું શાનદાર ઉજવાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
- સ. ૨૦૧૮ના પ્રારંભમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી વિશ્વશાંતિ ને આગધના સવની જે ભવ્ય ઉજવણી થઈ તે અપૂર્વ શકિની અને અવિસ્મરાખી હતી. તેને આજે પબુ લેકે ઘણા આદરપૂર્વક યાદ કરે છે. પૂજ્ય આચાર્યશ્રીના સંપૂર્ણ સાથ અને સહકારથી એ ઉજવણી શકય બની હતી અને તે ખૂબ જ દીપી ઉઠી હતી
તેઓશ્રી દાળ રાજાના મહેમા પ્રસંગને અનુસરતી વિશેસચાલિત ભાવવાહી નાનું અને ગળી-રચનાઓનું અજમ આકર્ષણ હોય છે, તેથી જ સામાન્ય જજના ની સંખ્યામાં તેને દર્શન કરવા ઉમટે છે. વળી રાત, મુખ્ય પ્રધાન વગેરે અધિકારી વર્ગ પણ તેમાં હાજરી આપી, ન કરી, જેન શાસનની પ્રશ સા કરી જાય એવું અનેકવાર બન્યુ છે. પરતું આ મલ્મનું સૌથી વધુ મહત્વ છે એ પણ છે કે આ પ્રસંગે આચાર્યશ્રીની પ્રેરણાથી મધ્યમ વર્ગને સાધર્મિક ભાઈઓની ભકિન, અનુકપાક્ષેત્ર અને ધાર્મિક શિક્ષણ વગેરે માટેની ખાસ કાર્યવાહી થાય છે. ધાર્મિક શિક્ષણ
ધાર્મિક શિક્ષણના પ્રચાર માટે પણ તેઓથી ઘણું લક્ષ આપે છે. મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણસના ઘણાં સમેલને તેઓશ્રીની નિથામાજ શોભા છે વળી વાર્ષિક ઈનામી સમેલન બહુધા તેઓશ્રીને કે તેઓશ્રીના પરિવારની નિશ્રામાજ થતા હોય છે. સ. ૨૦૧૮ મા ધાર્મિક ઉચ્ચ અભ્યાસ તથા સક્ત-પ્રાકૃત જ્ઞાનની વૃદ્ધિ અર્થે ગેડીછમાં જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. તે તેઓશ્રીની શુભ પ્રેરણાનું પરિણામ છે. તેઓ- શ્રીના સદુપદેશથી મુબઈ શહેર અને પરામાં અનેક પાઠશાળાઓ
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્થપાઈ છે તથા શિક્ષ—શિક્ષિકાઓને અવાર-નવાર સારું આર્થિક પ્રિોત્સાહન મળ્યું છે. સાધર્મિક ભક્તિ
સાધર્મિક-ભક્તિ માટે તેઓશ્રીની લાગણું ઊંડી છે. આજ સુધીમાં તેમના હાથે સાધર્મિક-ભક્તિ નિમિતે નાનાં મેટાં અનેકાનેક ફડ થયાં છે અને તે બધાને તરત સદુપયોગ કરી નાખવામાં આવ્યો છે. સ. ૨૦૧૮ માં તેઓશ્રીની પ્રેરણાથી શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયમાં શ્રી જૈન સાધમિક સેવાસંઘની સ્થાપના થઈ કે જે આજે પ્રતિમાસ રૂ. ૫૦૦૦ ઉપરાંત રકમ ખચી ૨૨૫ ઉપરાંત કુટુંબોની ભક્તિ કરી રહેલ છે. આ સંસ્થાએ આજસુધીમાં રૂ. ૬ થી ૭ લાખ સાધમિકભક્તિમાં વાપર્યા છે. આ સંસ્થા કાયમી બને તે માટે તેઓશ્રી કઈ સગીન યોજના અમલમાં લાવવાની તાલાવેલી સેવી રહ્યા છે સાધમિક કે અનુકપાપાત્ર અનેક ભાઈઓ-બહેને તેઓ અવારનવાર મદદ કરાવતા જ રહે છે.
જૈનધર્મશાળા-ભેજનશાળા-જૈન કલીનીક -
મુંબઈ જેવા શહેરમાં જૈનેને ઉતરવા માટે ધર્મશાળા જેવું કઈ સાધન નહિ, એ વાત તેમને ખૂબખૂબ ખૂચતી, તેથી આચાર્ય પબ્રાપ્તિ પછીના પ્રથમ પ્રવચનમાં તેનો ઉલ્લેખ કરેલ અને ત્યારબાદ સ. ર૦૧૬ થી સતત પુરુષાર્થ કરતાં આજસુધીમાં આશરે રૂા. ૧૫ લાખનું ફડ જૈન ધર્મશાળા-જૈન ભોજનાલય-જૈન કલીનીક માટે થયુ. સહર સમિતિ દ્વારા ભૂલેશ્વરલાલબાગ ઉપાશ્રયની સમીપમાં જૈન ધર્મશાળા, ભોજનાલય અને જૈન કલીનીક સુંદર રીતે ચાલી રહ્યા છે. અને તેને લાભ જરૂરવાળા જૈન ભાઈ–બહેને મળી રહ્યો છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
નિરમાલ ધશે બીલ
ગામીત
જિનમંદિરનિર્માણ
જિનભક્તિનું મુખ્ય સ્થાન જિનમંદિર છે. તેના નિર્માણ માટે તેઓશ્રીને ખ્યાલ ઘણે ઊંચે છે. ઘાટકોપર નજીક ચેમ્બુરમાં તેઓશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનથી શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, તે એની પ્રતીતિ કરાવે છે. પ્રાચીન શૈલીનું સ્થાપત્ય ધરાવનાર આવા વિશાલ ગભૌગારવાળું મંદિર મુબઈ અને તેના પરાવિભાગમાં આ પહેલવહેલું જ છે, તે આજે મુંબઈનું મધ્યવતી તીર્થ બની ગયુ છે અને ભવ્ય મૂતિ તથા ભવ્ય વાતાવરણ દ્વારા દર્શન કરનારાઓને પરમ શાંતિ આપે છે. ત્યાં દર રવિવારે તે મેળા” જેવો દેખાવ થાય છે. અહી ઉપાશ્રય, જૈન ધર્મશાળા, જૈન પાશાળા, આય બિલખાતું, જૈન ભોજનશાળા, સેનેટેરિયમ વગેરે યોજના પણ થયેલી છે. ચેમ્બુરમાં અત્યાર સુધીમાં આ તીર્થના વિકાસમાં અંદાજે રૂા. ૧૧ લાખને સવ્યય થયેલ છે. ત્યાં વરસમાં ઓછામાં ઓછા ૧૫ દિવસ તે પૂજા અને સાધર્મિકભક્તિના કાર્યક્રમ યોજાય છે. જનતાના હૃદયમાં તેણે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તેને આ સુંદર દાખલ છે.
તેઓશ્રીના ઉપદેશથી અહીં ચાર વાર અજન શલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા છે.
આ સિવાય વાલકેશ્વરમાં તેઓશ્રીની નિશ્રામાં શ્રી સીમ ધર સ્વામીજી આદિ તેમજ શ્રી પદ્માવતીજી, સરસ્વતીજી, લક્ષ્મીજી આદિની અજોડ અને ભવ્ય મૂર્તિની આ જનશલાકા તથા પ્રતિષ્ઠા થવા પામેલ છે. તે સાથે ત્યાં આયંબિલ ખાતા, સાધારણુ ખાતા અને. ઉપાશ્રય ફંડને પણ તેઓશ્રી તરફથી વેગ મળતાં રૂ. બે લાખ જેટલી રકમ ફંડમાં થવા પામી છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૭
તેઓશ્રીના ઉપદેશથી ઘાટકોપરના સંધાણી એસ્ટેટમાં રૂ. પાંચ લાખના ખર્ચે દહેરાસર-ઉપાશ્રય તૈયાર થયેલા છે અને પ્રતિષ્ઠા પ્રસગે આ જનશલાકા-મહોત્સવ પણ અતિ ભવ્યતાથી ઉજવાયેલ છે. તેમજ લાખની ઉપજ થઈ છે.
ઘાટકેપર નવરછ ક્રોસ લેનમા તેઓશ્રીના સદુપદેશથી બીજે ભાગ્યે જ જોવા મલે એ જાતનુ ચાર માળનું ભવ્ય જિનમંદિર નિર્માણ થયું, તેમાં રૂ. ૧૫ લાખને સવ્યય થવાની ધારણા છે. અજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે ૬ લાખની ઉપજ થઈ હતી. આ દેરાસર માટે પૂજ્યશ્રીના ઉપદેશથી લગભગ ૩ લાખને ફાળે થવા પામ્યું હતું. તે સિવાય ત્યાના ઉપાશ્રય માટે પણ તેઓશ્રીના ઉપદેશથી હજાર રૂપિયાનું ફડ થયેલ છે.
આ ઉપરાંત છેલ્લા વર્ષોમાં તેઓશ્રીની પ્રેરણાથી ભાંપ, ડબીવલી, બેરીવલી, અધેરી, પૂના, બેરડી, અતલવાડા, ઉમરગામ, અચ્છારી, વાસદ, ફણસા, સફાલા, કારણ વગેરે અનેક સ્થળોએ દહેરાસર તથા ઉપાશ્રયે તૈયાર થયા છે અને વાંદરા, કાંદીવલી, દહીસર, ગોલવડ વગેરે સ્થળેએ શિખરબધી નૂતન મંદિર બંધાઈ રહ્યાં છે.
હમણું માહીમમાં પુરાતન મંદિરને જીણી દ્વારા કરવાનું તેઓ શ્રીના ઉપદેશની નક્કી થયું અને બે દિવસમાં તેઓશ્રીની પ્રબળ પ્રેરણાથી સ્થાનિક સઘની ઉદારતાથી બે લાખ રૂ. નું ફડ થવા પામ્યું.
તેઓશ્રીની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-વઢવાણ શહેરમાં તૈયાર થયેલું સુંદર મંદિર પણ તેઓશ્રીના ઉપદેશ અને પ્રયાસનું પરિણામ છે.
ડભોઈ જેન ધર્મશાળા માટે રૂ. ૨૫ હજારનું અને વડોદરા કાઠીપળ ઉપાશ્રય માટે રૂા. દેઢ લાખનું ફંડ તેઓશ્રીના ઉપદેશથી તરત જ થવા પામ્યું હતું.
,
Page #22
--------------------------------------------------------------------------
________________
મુંબઈ કે પરાના જૈન સંઘને જૈન મંદિર બનાવવું હોય તે તે પૂ. આચાર્યશ્રીને સાથ મેળવવા પ્રથમ પ્રયાસ કરે છે અને પૂ. આચાર્યશ્રી તેમની બધી વાત શાંતિથી સાંભળે છે, તેમાં રહેલી મુકે લીઓ દૂર કરી આપે છે અને જિનમદિરના નિર્માણનું કામ સરલ કરી આપે છે. પાટી, દાદર, મઝગામ, લોઅર પરેલ, વિક્રોલી, ખાર, મલાડ-વેલાણી એસ્ટેટ, કુલ, વાકેલા વગેરે ઘણાં સ્થળોએ ગૃહજિનમ દિરે તેઓશ્રીના સદુપદેશથી થયેલ છે. તેના પ્રતિષ્ઠા પ્રસંગે હજાર–લાખ રૂપિયાની આવક થયેલી છે.
ઉપદેશમાં વિશિષ્ટ લબ્ધિ
તેઓશ્રીના ઉપદેશમાં એવી કઈ વિશિષ્ટ લબ્ધિ છે કે જેથી જિનમદિર, ઉપાશ્રય વગેરે સાતેય સુપાત્ર ક્ષેત્રો માટે જૈન સ લાખે રૂપિયાની રકમ હસતાં મુખડે કાઢી આપે છે. શાસનના કોઈ કાર્ય માટે તેઓશ્રી ઉપદેશ આપે છે કે જનતા તરફથી પસાનો વરસાદ વરસવા લાગે છે તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ અથે બિરાજમાન થાય છે, ત્યાં ત્યાં જેની ઊણપ હોય તેને પૂરી કરવા માટે પ્રથમ લક્ષ્ય આપે છે. એ જ રીતે તેઓશ્રીએ સં. ૨૦૦૬, ૨૦૧૭ અને ૨૦૨૩ ની સાલમાં ગેડીજીમાં ચાતુર્માસ કથી, ત્યારે ગોડીજી જૈન ઉપાશ્રયના ફડ માટે ઉપદેશ આપ્યો અને એ ત્રણ માસામા થઈને કુલ રૂા. ૭મા લાખનું ફડ થયું. ઉપરાંત જ્ઞાન ખાતામા અને સાધારણ ખાતામાં પણ ઘણું સારી રકમ પ્રાપ્ત થઈ હતી.
સ. ૨૦૧૮ ની સાલના ચોમાસામાં ઘાટકે પરના તપગચ્છના નૂતન જિનમદિરની જગા માટે રૂ. ૧,૨૫૦૦૦ નું સાધારણ ફક અને ત્યાં થનાર નૂતન મંદિરમાં મૂલ નાયકજીન રૂા. ૧,૧૧,૧૧૧ને ચઢાવ વગેરે પ્રસગે તેઓશ્રીની ઉપદેશલબ્ધિનાં સીમાચિહ્નો છે,
Page #23
--------------------------------------------------------------------------
________________
1
૧૯
તેઓશ્રીની એક ખાસિયત છે કે જ્યા ચામાસું કરવું, ત્યાં શ્રી સુધનાં અધૂરાં રહેલાં કાર્યોં પૂરા કરી આપવા માટે પ્રથમ લક્ષ્ય આપવું. એ રીતે તેઓશ્રી એ કાતે મુખ્ય બનાવી પોતાના કાને ગૌણુ રાખે છે, એ તેમની મહાનુભાવતાને આભારી છે.
સાહિત્ય-નિર્માણ અને પ્રચાર
જૈન સાહિત્યનાં નિર્માણ અને પ્રકાશનને પણ તેઓશ્રી તરફથી સારુ ઉત્તેજન મળતું રહ્યું છે. ઉપરાંત તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મુક્તિ-કમલ–જૈન મોહનમાળા તથા શ્રી યાભારતી જૈન પ્રકાશન— સમિતિ સુંદર ધાર્મિ ક પ્રકાશન કરી રહેલ છે.
તેઓશ્રીએ નવતત્વ–પ્રકરણ ઉપર સંસ્કૃત ભાષામાં સુમંગલા ટીકાનુ સર્જન કર્યુ છે. તેમજ લઘુક્ષેત્રસમાસ, પચમ ( શતક) કગ્રન્થ, પત્રિ શિકાચતુપ્રકરણ, પ્રશ્નોત્તર મેહતમાલા, શ્રાદ્ધપ્રતિ ક્રમણુસૂત્ર અર્થાત્ વ હિદુસૂત્રને સવિસ્તર અનુવાદ, ભગવાન મહાવીરના ૧થી ૨૬ ભવતુ વિશિષ્ઠ વિવેચન વગેરે નાના મોટા અનેક ગ્રંથનુ આલેખન–સ પાદન કરી પોતાની પ્રૌઢ વિદ્વત્તાના પરિચય આપેલા છે. એ ઉપરાંત જૈન પત્રોમાં પણ તેઓશ્રીના લખાતા પ્રેરણાત્મક લેખા જનતા રસપૂર્વક વાચે છે.
શિષ્યસમુદાય
તેઓશ્રીને શિષ્યસમુદાય વિશાળ છે. તેમાં શાસ્ત્રના અભ્યાસી, વક્રતા, કલાપ્રેમી, શતાવધાની, તપસ્વી, ક્રિયાનિષ્ઠ વગેરે સર્વ પ્રકાશ જોઈ શકાય છે. ગુરુ આજ્ઞાને શિશધાય કરી તે પશુ શાસન પ્રભાવનાનાં ઉત્તમ કાર્યો કરી રહેલ છે. જેમાં સાહિત્ય-લા—રત્ન “મુનિશ્રી યશેાવિજયજી તથા શતાવધાની પ્રવત મુનિ શ્રી જયાનંદ વિજયજી ગણિ આદિની મુખ્યતા છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦
સચમસાધના અને સુધાક
તેઓશ્રી સંયમની સાધના સાથે પોતાની દૈનિક આવશ્યક્રિયાઓમાં સતત ઉપયાગવત રહે છે. તે સાથે તપશ્ચર્યાંના મંગલ ચેાગને પણ અપનાવનારા છે. જ્ઞાનપંચમી, નવપદજીની ઓળી, પોષ શમી અને વરસીતપ જેવી દીધ તપશ્ચર્યાંની પણ તેઓશ્રીએ આરાધના કરેલ છે. વ્યાખ્યાનવાણી અને પાન–પાઠેનની પ્રવૃત્તિ દિવસ અને. રાતે નિયમિત ચાલુ હોય છે. તે ઉપરાંત જૈન સધના ઉત્કૃષ` માટે તેઓ શ્રી જે ભગીરથ પુરુષાથ કરે છે, તે જોઈને હું મુગ્ધ થયા છુ.
આવા એક સમર્થ મહાપુરુષને પ્રસ્તુત ગ્રંથ સમર્પણુ કરવાની તક મળી, તે માટે હું કૃતાતા અનુભવું છુ.
*
ધીરજલાલ ટી. શાહ.
Page #25
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
૩૭
૫૫
પ્રસ્તાવના પ. પૂ આ. શ્રી વિજયધર્મ સરિજી મ. પ્રાકથન ૫. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
૧ જૈન ધર્મની પ્રાચીનતા અને મૌલિક્તા ૨ જૈન ધર્મ પરમ આસ્તિક છે. ૩ તત્વજ્ઞાનની મહત્તા ૪ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કેને થાય ? ૫ તવસ વેદન ક નવતત્વ અને વિશાળ સાહિત્ય ૮ પ્રસ્તુત ગ્રંથનિર્માણ
નવ-તત્વ-દીપિકા પ્રકરણ
વિષય પહેલું નવતત્વનાં નામે તથા ભેદ બીજું જીવતત્વ ત્રીજું અજીવતત્વ ચોથુ પદ્ધવ્ય અને વિશેષ વિચારણા પાંચમું કર્મવાદ છઠું પુણ્યતત્ત્વ સાતમુ પાપતત્વ
પૃષ્ઠસંખ્યા
૨૮
૯૩ ૧૫ર ૧૬૩ ૧૧
૨૦૫
Page #26
--------------------------------------------------------------------------
________________
આમુ આશ્રવતત્ત્વ નવમું સંવરતત્ત્વ મુનિ રાતત્ત્વ
અગિયારમુ ધતત્ત્વ બારમુ માઢક્ષતત્ત્વ
તેરમું સમ્યકત્વ ચૌદમુ સિદ્ધના ભેદો
૨૨
૨૨૮
૨૪૮
૩૦૫:
૩૪૨
૩૬૪
૪૦૨.
૪૨૩-૩૨.
Page #27
--------------------------------------------------------------------------
________________
श्री ऋषभदेवस्वामिने नमो नमः સલલબ્ધિનિધાન શ્રીગોતમગધરાય નમઃ
પ્રસ્તાવના
આત્મા અનાદિ છે. આત્માના સંસારના કારણરૂપ કા સંયોગ પણ અનાદિ છે.–” જૈનશાસનમાં જન્મ પામેલ મહાનુભાવ આત્માને આ વાત ગળથુથીમાં મળેલ હોય છે અને એ કારણે જ જૈનશાસનમાં જન્મ પ્રાપ્ત કરનાર આત્માને પુણ્યાનુબંધિ પુણ્યાય માનવામાં આવે છે.
<<
અનંતકાળ દરમિયાન આત્મમેધના અભાવ
આ જીવે અનંતકાળ અવ્યવહારમાં પસાર કર્યાં, એ દરમિયાન આહારાદિ ચારેય સત્તાઓના પોષણ માટે આ જીવમાં અવ્યકતપણે ચેાગ અને ઉપયોગ અવશ્ય વિદ્યમાન હતા, પરંતુ આત્મતત્ત્વના ખેાધને એ અનંતકાળ દરમિયાન સવ થા અભાવ હતા. કાળના પરિપાક થવાથી
આ જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યો; ખાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિના ભવામાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પર્યંત આ જીવે જન્મ-મરણની પર પરા ચાલુ રાખી, અને પ્રત્યેક જન્મમાં શરીર-ઈન્દ્રિયાના પોષણ તથા પરિપાલન માટે આહાર વગેરે ચારેય સ ંજ્ઞાઓને અવિરતપણે ચાલુ રાખી, પણ આત્મ– તત્ત્વના એધની ખામીના કારણે આ જીવના યોગ-ઉપયોગ, કબંધન અને સંસારની વૃદ્ધિના કારણરૂપે જ પરિણમ્યા.
સંસાર ચાલુ ને ચાલુ
એ જ પ્રમાણે એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, યાવત્ નારક, તિય ંચ, મનુષ્ય અને દેવાના ભવમાં યથાસંભવ સ ંખ્યાતા—અસ ખ્યાતા કાળ આ જીવે વ્યતીત કર્યાં, અને તે પ્રત્યેક ભવમાં શરીર, ઈન્દ્રિયા, સ્વજન, કુટુંબ, ધન–દોલત વગેરે અચેતન પદાર્થોના સંરક્ષણ-સ ંવર્ધનમાં
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૪
જ મન-વાણી-કાયા વગેરે યોગાના અને જ્ઞાનેાપયેાગ-દર્શનપયોગ વ્યાપાર ચાલુ રહ્યો, પરંતુ અભવ્યપણાના કારણે અથવા ભવ્યત્વદશાના પરિપાક ન થવાના કારણે આ જીવને આત્મતત્ત્વનું જે રીતે ભાન થવુ જોઈએ, તે રીતે ભાન ન થયું. પરિણામે આ જીવતા સંસાર ચાલુ તે ચાલુ જ રહ્યો.
દુઃખસ્વરૂપ, દુઃખલક અને દુઃખની પરપરાવાળા સસાર
આ જીવ દ્રવ્યપુણ્યના કારણે એક વાર નહિ, કિંતુ અનેક વાર નવ ત્રૈવેયકમાં ભૂતકાલ દરમિયાન ઉત્પન્ન થયા. આ જીવે જયાં દશે ય પ્રકારના કલ્પવૃક્ષાનું અસ્તિત્વ હેાય એવા યુગલિક ક્ષેત્રમાં અથવા યુગલિક કાળમાં જન્મ ધારણ કર્યાં. વઋષભનારાચ સંધયણ, સમચતુર સંસ્થાન, ત્રણ ગાઉ ઊંચુ શરીર, ત્રણ પક્ષ્ાપમનું આયુષ્ય અને દશ પ્રકારના કલ્પવૃક્ષજન્ય હરકેાઈ પ્રકારની ભોગપભાગની સામગ્રી મળવા છતાં આત્મમેધની ખામીના કારણે આ જીવને સવર્ અને સકામનાના લાભ ન મળ્યા. આ જીવે તેત્રીશ તેત્રીશ સાગરોપમ પંત અનેક વાર નરકગતિની ભયંકરમાં ભયંકર ક્ષેત્રજ વેદના, અન્યોન્યકૃત વેદના અને પરમાધામિકૃત વેદનાનો અનુભવ કર્યો, એમ છતાં આત્મલક્ષ્ય ન હોવાના કારણે આ જીવ કર્મથી હળવા ન થયા. આજ સુધીના અનન્તાનન્ત કાળ દરમિયાન આ જીવને બીજું બધું મળ્યુ, પણ આત્મબેધનું સાધન ન મળ્યુ, આ જીવે અનંતકાળ દરમિયાન બીજી બધી બાબતો જાણી, પણ આત્માને ન જાણ્યું. આ જીવે અનંતકાળ દરમિયાન અચેતન એવા પુદગલેાને ભેગા કરવામાં અને આયુષ્ય પૂર્ણ
યે એ પુદ્ગલાને મૂકીને રવાના થવામાં ડહાપણ માન્ય પણ પોતાના આત્મા માટે ધ્યાન ન આપ્યું. આ કારણે જ દુઃખસ્વરૂપ, દુ:ખલક અને દુઃખની પરંપરાવાળા સસાર આ જીવ માટે
કાયમ તે કાયમ રહ્યો.
Page #29
--------------------------------------------------------------------------
________________
- ૨૫
જે એકને જાણે, તે સર્વેને જાણે. આ જીવને દુઃખમય સંસારમાંથી મુક્ત કરવાની સાચી અભિલાષા હિય તે સર્વ પ્રથમ આત્મતત્વને જે રીતે જાણવું–માનવું જોઈએ, તે રીતે જાણવા-માનવાની ખૂબ જ જરૂર છે. અખિલ વિશ્વની સર્વ બાબતે આ જીવને જાણવામાં આવે, પણ એક આત્માને ન જાણે તે તે જાણપણું જાણપણું નથી, પણ ઘોર અજ્ઞાન છે. જ્યારે દુનિયાની બીજી બાબતોનું જ્ઞાન અલ્પ પ્રમાણમાં હોય, પરંતુ એક આત્મતત્વનું ચચિત જાણપણું જે આ જીવને પ્રાપ્ત થઈ જાય, તો તે જાણપણું સમ્યજ્ઞાન છે. “જે પગાર રે જં જ્ઞાખશ્રી જિનાગમના આ સૂત્રને ભાવ ઉપર જણાવેવા ભાવ સાથે ઘટાવીએ તે બરાબર સંગત થાય છે. શ્રી તીર્થંકર પ્રથમ ધર્મદેશના પ્રસંગે આત્મતત્વને જ
બોધ આપે છે, અનન્ત ઉપકારી શ્રી તીર્થકરદે ઘાતિકને ક્ષય કરવાપૂર્વક જ્યારે કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરે છે અને ઈન્દ્રાદિદેવોએ રચેલા સમવસરણમાં બિરાજમાન થઈ બારપર્ષદા મધ્યે પ્રથમ ધર્મદેશના આપે છે, ત્યારે “ થિ જે ગયા વફા” વગેરે વચને દ્વારા સર્વપ્રથમ આત્માના અસ્તિત્વનું અને સાથે સાથે એ આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આ પ્રતિપાદનમાં જીવ-અજીવ, પુણ્ય–પાપ, આશ્રવ-સંવર, નિર્જરા બંધ અને મોક્ષ, એ નવેય તને ગર્ભિત રીતે સમાવેશ થઈ જાય છે.
નવત એ જ જૈનદર્શન સાપેક્ષભાવે વિચારવામાં આવે તે જૈનદર્શન એ નવત છે, નવત એ જૈનદર્શન છે. સમગ્ર દ્વાદશાંગી હોય અથવા દ્વાદશાંગીના બારમા દષ્ટિવાદ અંગના એક વિભાગ રૂપે ચૌદપૂર્વ હોય, પરંતુ
Page #30
--------------------------------------------------------------------------
________________
નવત એ સમગ્ર શ્રત સમુદ્રનું નવનીત છે. આ નવતમાં સિમ્યગાન છે, નવે ય તને અંતરંગ દષ્ટિએ વાસ્તવિક શ્રદ્ધાપરિણામ એ સમગ્ર દર્શન છે અને એ નવેય તને હેય, રેય અને
ઉપાદેયરૂપે બંધ થયા બાદ હેય તને ત્યાગ અને ઉપાય તને આદર, એ સમ્યફ ચારિત્ર છે. ચૌદ ભેદો પૈકી એક પણ ભેદ ખરી રીતે આત્માને
પોતાનો નથી. નવતરમાં પ્રથમ આવતત્વ અને તેના ચૌદ ભેદ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી, પરંતુ કર્મના ઉદયજન્ય આત્માનુ અશુદ્ધ સ્વરૂપ છે. સાચી રીતે વિચારીએ તે આત્મા એકેન્દ્રિય પણ નથી, પંચેન્દ્રિય પણ નથી, પરંતુ અનિષ્ક્રિય છે. આત્મા સૂક્ષ્મ પણ નથી, તેમજ બાદર પણ નથી. સૂક્ષ્મપણું તેમ જ બાદરપણું એ તે શરીરની અપેક્ષાએ છે, જ્યારે પોતે તે અશરીરી છે. આત્મા પથી તે પણ નથી અને અપર્યાપ્ત પણ નથી. પર્યાપ્તપણુ એ તે દેહધારી આત્માને દેહમાં રહીને જીવન જીવવા માટેની જીવનશક્તિઓ સાથે સંબંધ ધરાવનાર છે, પણ જ્યાં આત્મા પિતાના શુદ્ધસ્વરૂપની અપેક્ષાએ અહી–અશરીરી હોય, પછી એ આત્માને જીવનશક્તિઓનું શું પ્રયોજન હોય! આત્મા સ્વયં સંજ્ઞ પણ નથી, તેમજ અસત્તિ પણ નથી. સંસિઅસ શિપને સંબધ મનેબલની સાથે છે. પરંતુ આત્માના અસલી સ્વરૂપમાં લેકાલેકના વૈકાલિક સભા જાણવા જેવાનું સામર્થ્ય હેય, પછી એ આત્માને મનેબલ તેમજ સરિઅસરિપણાની સાથે શું સંબંધ હોય?
આત્મા એ પુરુષ અને બુદ્ધિ એ આત્માની પત્ની
નવતાના અભ્યાસ પ્રસગે ફક્ત જીવતત્વના ચૌદ ભેદ વગેરે આબતે જાણીને જ સંતોષ માનવાની જરૂર નથી. પરંતુ આત્મા સ્વયં અનંતજ્ઞાનદગુણથી સંપન્ન હોવાં છતાં અનાદિકાળથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૭
અશુદ્ધ કેમ છે ? અને ચૌદ ભેદો અથવા ચેારાશી લાખ જીવાયેાનિમાં. આ જીવના જન્મ મરણુની પરંપરા શા માટે ચાલે ? એ ખાખતના . સુક્ષ્મ બુદ્ધિથી પરામ કરવા ધણા જરૂરી છે. અનાદિકાળથી ખંધ, ઉદય અને સત્તા એ ત્રણેયની અપેક્ષાએ ધ્રુવતારક સમાન અચલ રહેલા મિથ્યાત્વમાહનીય નામના કમઁયથી ચૈતન્યસ્વરૂપ આત્માએ પાતાના ચેતન સામે જોયું નથી અને જોવાની ઈચ્છા પણ પ્રગટેલ નથી. એ મિથ્યાત્વના યથી આ આત્માની શુદ્ધિનું જોડાણુ સદાકાળ અચેતન એવા જડ પદાર્થી સાથે જ રહ્યું છે. અમુક અપેક્ષાએ કહીએ તા ઓ જીવ કિવા આત્માની બુદ્ધિ વ્યભિચારિણી બની ગઈ છે. આત્મા એ પુરુષ છે, બુદ્ધિ એ આત્માની પત્ની છે. પત્ની જો પતિવ્રતા હોય તા ગમે તે કાર્યમાં પોતે જોડાયેલ હાવા છતાં એનું ધ્યાન ક્ષણે ક્ષણે પોતાના પતિના ક્ષેમકુશલ માટે જ હોય છે, જ્યારે વ્યભિચારિણી કુલટા સ્ત્રીનું ધ્યાન નિર તર પતિના અહિત માટેજ હોય છે. અનતના મલ્લુ એવા આત્મા આજે પામર ની ગયે છે.
સમ્યગ્દષ્ટિ તેમજ દેશવિરત-સવિરત વગેરે આત્માની . ચેતના કિવા બુદ્ધિ પતિવ્રતા બાળા સમાન છે એ સમ્યગ્દષ્ટિ વગેરે મહાનુભાવા સ યેાગવશાત ગમે તે પ્રવૃત્તિમા જોડાયેલા હાય, છતાં પોતાના આત્મદેવના ક્ષેમકુશલ સ ખ ધી લક્ષ્ય તેઓના હૈયામા સદાય જાગ્રત હોય છે. જ્યારે મિથ્યાદષ્ટિ આત્મા પરમાત્માના મદિરમાં અથવા ખીજા કાઈ ધર્મસ્થાનમાં વતતા હોય, છતાં એમની મુદ્ધિનુ જોડાણુ પ્રાય: અચેતન તેમજ વિનશ્વર એવા જડ પદાર્થોની પ્રાપ્તિ સાથે જ વતું હોય છે. અને આ કારણે જ અનન્તના પ્રભુ એવા. આપણા આત્મા વમાનમાં પામર ખની ગયા છે
આત્મામાં વર્તતી જડતા એ જ અજીવતત્ત્વ ક્ષણે ક્ષણે નવાં નવાં પુદ્ગલા ગ્રહણ કરવા (અર્થાત્ કમ આંધવા ), બંધાયેલાં કનાં મૂળા ભાગવવા અને એ કળા ભાગ- -
Page #32
--------------------------------------------------------------------------
________________
“વવા માટે ચાર ગતિ, જીવના ચૌદ ભેદો અથવા ચોરાશી લાખ જીવા"એનિમાં પરિભ્રમણ કરવું, એ આત્માને ભૂલ સ્વભાવ જ નથી, આત્મા - ચૈતન્યસ્વરૂપ છે અને નિર જન-નિરાકાર અર્થાત અમૂર્તિ છે. અમૂર્ત - એ આત્મા ભૂત એવા પુદગલેને કેમ ગ્રહણ કરે? એમ છતાં પ્રતિસમય કમેગ્ય વગેરે પુદગલેનું ગ્રહણ ચાલુ છે, તે આત્મામાં વર્તતી જતાના કારણે જ ચાલુ છે અને એ જડતા એ જ અવતત્વ છે. જેમ જેમ મેહિજન્ય જડતા ઘટતી જાય, તેમ તેમ કર્યગ્રહણ
ઓછું થતું જાય, એક આત્મા જ્યારે મિથ્યાદષ્ટિપણામાં વતતે હેય, સાથે સાથે કષાયેની તીવ્રતા હોય, તે અવસરે તે આત્મા ૧૧૭ કમ પ્રકૃતિએનો બંધ કરી શકે છે અને ત્રીશ કોડકડી, વીશ કડાકોડી યાવત " સિત્તેર કેડીકેડી સાગરોપમપ્રમાણ કર્મનો સ્થિતિબધ થવાની પણ તે આત્મામાં શક્યતા છે. એનું મુખ્ય કારણ વિચારવામાં આવે તે તે અવસરે તે આત્માની બહિરાત્મદશા (જડતા)નું અત્યંત જેર હોય છે. એ જ આત્મા ભવ્ય હેય અને જ્યારે સમગ્ર દર્શન પ્રાપ્ત કરે, ત્યારે ૭૭ કર્મપ્રકૃતિઓને બંધ કરે અને સ્થિતિમાં ધ એક કડાડી સાગરેપમથી પણ ઓછો હોય. તેનું વાસ્તવિક કારણ તેટલા પ્રમાણમાં જડતા ઘટી છે. એમ કરતાં કરતાં આત્મા જ્યારે દેશમાં ગુણસ્થાનકે પહેચે છે, ત્યારે પ્રતિબધ સ્થિતિમાં ધ વગેરેનું પ્રમાણ અત્યંત અલ્પ થઈ જાય છે, કારણ કે હવે એક સૂક્ષ્મ લેભ સિવાય બીજી કોઈ મોહની પ્રકૃતિને ઉદય નથી. આત્મમંદિરમાં ચૈતન્યપ્રભુ
પ્રકટ થવાની હવે તૈયારી છે. આ બધી બાબતે સમજવા માટે - અજીવતત્વને સમજવાની ઘણી જરૂર છે. કથીરનો સાગ જેમ કંચનની કિંમત ઘટાડે, પાણીને સાગ જેમ દૂધનાં મૂલ્યો કન ઓછા કરે, એમ આજીવતવને અર્થાત જહ એવા કર્મ • વગેરે પુગલોને આત્માની સાથે અન્ય પ્રવેશરૂપ એક
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૯
એક સચાગ અનંતના સ્વામી એવા આત્માને ફુટી બદામથી પણ હલકી કોટિમાં મૂકી દે,
પુણ્યતત્ત્વનું પ્રયોજન
1
કમચેતનાના કારણે આત્મા અનંત કાળથી પામર બન્યા, પણ હવે પામરમાંથી પ્રભુ ખનવા માટે જે તત્ત્વ બાહ્ય દૃષ્ટિએ પણ મદદગાર થાય અથવા છેવટે આત્માને અધાતિમાં પડતા જરૂર અટકાવે, તેવું જે કાઈ તત્ત્વ તેનું નામ પુછ્યતત્ત્વ. માનવજન્મ આય ક્ષેત્ર, ઉત્તમ. કુલ, નીરોગી શરીર, ધનદોલત વગેરે સામગ્રી મળે એટલા માત્રથી પુણ્યાય માનવા, એ અજ્ઞાન દશા છે. પરતુ એ સામગ્રી આત્મકલ્યાજીમાં સહાયક થાય તા જ સાચા પુણ્યાય ગણાય છે. મુક્તિભાગે જતા મુસાફર માટે વળાવિયાની ઉપમા પુણ્યતત્ત્વત જે આપવામાં આવેલ છે, તે આ અપેક્ષાએ જ અપાયેલ છે અને એ કારણે જ ત્રીજા . નખરમાં પુણ્યતત્ત્વનું સ્થાન છે.
ચેાથા નખમાં પાપતત્ત્વ
આ જીવને સંસારમાં ટકાવી રાખનાર અને ખાર્થે અભ્યંતર ઉભય ... પ્રકારે દુઃખ આપનાર જે કાઈ તત્ત્વ, તે પાપતત્ત્વ છે. માનવજીવન મળ્યા ખાદ આશાતનાના ઉદ્દયથી શરીરમાં ખીમારી આવે, પણ તે . અવસરે સનત્ કુમાર મુનિવરની માફક ભાવરાગનું નિવારણ કરવાના અથવા વિપાકવિચય ધર્મધ્યાનના સતત પરિણામ ચાલે અને આત્મા આત ધ્યાનને પરવશ ન થાય, તે તે ખીમારી પાઘ્ય તરીકે ગણુવામાં આવતી નથી, કિંતુ ક્રમ નિરાતું સાધન માનવામાં આવે છે. પુણ્યપાપની ચભગીમાં પુણ્યાનુખ ષિ પાપની વ્યાખ્યા સમજવામાં આવે તો આ ભાખત ખરાખર સગત થાય છે. જે કાઈ આત્માને પામરમાંથી. પ્રભુ થવાની સાચી ભાવના હાય, તે મહાનુભાવે આ પાપતત્ત્વમાંથી. ખચવું જોઈ એ, એ કારણે પુણ્યતત્ત્વ પછી ચાચા નખરમાં પાપતત્ત્વનું
સ્થાન છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૦
આશ્રવતવનું રહસ્ય પુણ્ય તથા પાપ અથવા શુભ-અશુભ ઉભય પ્રકારના કર્મબંધના - જે કોઈ કારણે તેનું નામ આશ્રવતત્વ છે. એક્લા અશુભક દૂર થાય એટલા માત્રથી આત્મા પામર મટી પ્રભુ બનતું નથી. શુભકર્મના ભગવટા માટે સ્વર્ગલોકમાં અસંખ્ય વર્ષો પર્યત આત્માનું રહેવું, તે પણ વાસ્તવિક દૃષ્ટિએ આ આત્મા માટે પ્રથમ નંબરની જેલ છે. આ કારણે શુભકર્મબંધના હેતુઓ તેને પણ આશ્રવ જ ગણવામાં આવે છે. મુમુક્ષુ આત્માઓ માટે અશુભાશ્રયમાંથી બચવું અને શુભાશ્રવમાં આત્માને જે, એ પ્રથમ પગથિયું છે. અશુભાવમાંથી જે આત્મા બચ્ચે, તે આત્માને અવસર આવે એટલે શુભાશ્રવ આપો આપ અટકે છે. આ કારણે જ પાંચમાં નબરમાં આવતત્વનું - સ્થાન છે.
મોક્ષપ્રાપ્તિના અંતરગ કારણો સંવર અને નિશ
મેક્ષની પ્રાપ્તિ માટે અસાધારણ અતર ગ તરીકે સવર અને નિર્જરાનું સ્થાન છે. શુભ-અશુભ ઉભય પ્રકારનાં કર્મો પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, એમ ચારેય પ્રકારે બધાતા અટકે (અથવા બ ધમાં ક્રમે ક્રમે અલ્પતા થતી જાય) એમાં કારણરૂપે જે કોઈ આત્માની શુદ્ધ ચેતના તેનું નામ સંવર છે. અને ભૂતકાળમાં સચિત કરેલાં કર્મોને આત્મામાંથી એવી રીતે પરિશાટ થાય કે પરિણામે મર્યાદિત કાળમાં આત્મા સર્વથા કમથી રહિત થાય, એમાં કારણભૂત બાહ્ય –અભ્યતર તપસ્યા તે નિજ રાતત્ત્વ છે. સુમુક્ષુ આત્મા માટે આ બને ત ઘણા જ ઉપયોગી હોવાથી 2ઠા–સાતમા નંબરમાં અનુક્રમે સવર અને નિર્જરાનું સ્થાન આપવામાં આવેલ છે.
બંધ અને મેક્ષિત - . બંધમાંથી બચાય તે જ આત્માને સવર અને સાથે સાથે અકામ નિજેરાને લાભ મળી શકે, એ સ જેમાં બંધતત્ત્વ સમજવું પણ
Page #35
--------------------------------------------------------------------------
________________
ઘણું જરૂરી હોવાથી આઠમા નંબરે બંધતત્ત્વનું સ્થાન છે. અને આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે મુમુક્ષુ આત્માનું અંતિમ ધ્યેય છે, તેની સમજણ માટે નવમું સ્થાન મેક્ષિતત્વનું છે.
મેક્ષાપ્તિ માટે સાધક-આધક તો આ નવતત્વમાં પ્રથમ જીવતત્ત્વ એ આત્માનું અશુદ્ધ સ્વરૂપ છે, અંતિમ મેક્ષિતત્વ એ આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ છે અને વચલાં સાત તને પૈકી અવતત્વ, પાપતવ, આશ્રવતત્ત્વ, બધતત્વ, એ ચાર તો મેક્ષતત્ત્વને પ્રાપ્ત કરવા માટે બાધક તો છે. અને પુણ્યતત્ત્વ બહિરગ દષ્ટિએ તેમજ સ વર તથા નિર્જરા તત્ત અંતરગ દૃષ્ટિએ મેક્ષપ્રાપ્તિ માટે સાધક તવે છે.
નવતત્વનું સાહિત્ય આ નવતત્વના વિષયનું પ્રતિપાદન કરનારા આગમે, પ્રકરણે વગેરે સંખ્યાબ ધ ગ્રન્થ જૈનદર્શનમાં આજે પણ વિદ્યમાન છે એમ છતાં ચિર તનાચાર્ય સકલિત પટ ગાથાવાળું નવ-તત્ત્વ-પ્રકરણ વર્તભાનમાં નવતત્વના અભ્યાસમાં વધુ પ્રચલિત છે. લગભગ પ્રત્યેક પાઠશાળામાં આ ગ્રન્થને પાઠય ગ્રન્થ તરીકે રવીકારવામાં આવેલ છે અને તે કારણે આ નવતત્ત્વ પ્રકરણ ઉપર હિદી-ગુજરાતી ભાષામાં સક્ષેપથી તેમજ વિસ્તારથી અનેક સંખ્યામાં વિવેચનગ્રન્થ આજ સુધીમાં પ્રકાશન પામ્યા છે.
નવતરદીપિકાઝ નામને લગભગ ૫૦૦ પૃષ્ઠને આ ગ્રન્થ પણ નવતત્વના વિષયનું જ્ઞાન મેળવવા માટે એક ઘણે સારે ગ્રન્ય છે. ૫, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કે જેઓ આ ગ્રન્થનું વિવેચન લખનાર છે, તેમને આ વિષયને ઘણું સારે અભ્યાસ છે. અને આ ગ્રન્થ તૈયાર કરવામાં મહિનાઓ સુધી દિવસ અને રાત જોયા સિવાય તેમણે અત્યંત પરિશ્રમ લીધો છે. તે ઉપરાંત લખાણમાં કોઈ પણ
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
માકૅથન [ ૧] જૈન ધર્મની પ્રાચીનતા અને મૌલિકત્તા
જૈન ધર્મ જિનાએ કહેલા છે, જિનાએ પેલા છે અને જિનાએ પ્રવર્તાવેલા છે. જે ધર્મનુ પ્રવર્તન જિના દ્વારા થયુ, તે જૈન ધર્મ. અહિં' જિન શબ્દથી અર્હત્ કે તીર્થંકરની અવસ્થા પામેલા મહાપુરુષ સમજવાના છે. જૈન શાસ્ત્રોમાં જિનકલ્પી, ચતુર્દ શપૂર્વધર, અવધિજ્ઞાની, મનઃ વજ્ઞાની, અને કેવલજ્ઞાનીને માટે પણ જિન શબ્દ વપરાયેલા છે, પરંતુ તેમને તી પ્રવનના ચાગ હાતા નથી. એટલે તે અહીં પ્રસ્તુત નથી.
• આ જગતમાં જૈન ધર્મનું પ્રથમ પ્રવતન ક્યા જિન કર્યું" ?' એના ઉત્તર આપી શકાય એમ નથી, કારણ કે આજ સુધીમાં અનંત કાલચક્રો વ્યતીત થયાં છે અને તે દરેકના ઉત્સર્પિણી અને અવસર્પિણી નામક વિભાગમાં ચાવીશ ચાવીશ જિનાની હારમાળા થતી રહી છે કે જેને સામાન્ય રીતે ચાવીશી કહેવામાં આવે છે. તાત્પર્ય કે જૈન ધમ અનાદિ છે.
આ કથન સમગ્ર કાલને અપેક્ષીને થયુ. હવે કાલના વિભાગને અનુસરીને તેના વિચાર કરીએ.
એક ઉત્સર્પિણી કે અવસર્પિણીનું કાલમાન દેશ કીડાકેડી સાગરાપમ વર્ષ જેટલું હાય છે, એટલે કે એ કાલ
ર
r
Page #38
--------------------------------------------------------------------------
________________
પણ આપણી દષ્ટિએ ઘણે ભેટે છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના છ-છ વિભાગે હોય છે, જેને આરા કહેવામાં આવે છે. તેમાં ત્રીજા આરાના અંત ભાગથી જિને ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે અને તે ચેથા આરાના અંત ભાગ સુધી ચાલુ રહે છે. અહીં પ્રથમ જિન અને ચરમજિન એ વ્યવહાર ઘટી શકે છે. દાખલા તરીકે વર્તમાન અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંત ભાગે શ્રી કષભદેવ ભગવાન થયા અને તેમણે ધર્મનું પ્રવર્તન કર્યું, તે તેમને પ્રથમ જિન કે આદિજિન કહેવામાં આવે છે અને ચોથા આરાના અંત ભાગે ગ્રેવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ ધર્મનું પ્રવર્તન કર્યું, તે તેમને ચરમ જિન કે અંતિમ જિન કહેવામાં આવે છે. * આ પરથી કઈ એમ કહે કે આ ભરતખંડમાં જૈન ધર્મનું પ્રથમ પ્રવર્તન શ્રી ષભદેવ ભગવાને કર્યું તે તે અપેક્ષાવિશેષથી સાચું છે, પણ સવશે સાચું નથી. આટલી વાત લક્ષ્યમાં રહે તે કેઈ જાતની બ્રાંતિ થવા સંભવ નથી.
હવે ઐતિહાસિક દષ્ટિને સન્મુખ રાખીને કેટલીક વિચારણા કરીશું.
અઢારમી સદીના અંત ભાગમાં યુરોપિયન વિદ્વાનોએ ભારતના ઈતિહાસની સંક્લના કરવા માંડી, ત્યારે તેમણે ઉપરછલા અધ્યયનથી એમ જાહેર કર્યું કે જૈન ધર્મ વૈદિક ધર્મને જ એક ભાગ છે અથવા તે બૌદ્ધ ધર્મની એક શાખા છે, પરંતુ આ વિધાન બ્રાંત હતાં અને તેનું નિવારણ - થતાં વાર લાગી નહિ. જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન છે. હર્મન -ચાકેબીએ પૌવયં ધર્મોને ઊંડે અભ્યાસ કરીને જાહેર કર્યું કે
Page #39
--------------------------------------------------------------------------
________________
"Let me assert my conviction that Jainism is an original system, quite distinct and independent from all others and that, therefere, it is of great importance for the study of philosophical thought and religious life in Ancient India. અર્થાત મને મારી પ્રતીતિ જણાવવા દે કે જૈન ધર્મ એ મૂળ ધર્મ છે, બીજા બધા ધર્મોથી તદ્દન જૂદ અને સ્વતંત્ર છે અને તેથી તે પ્રાચીન ભારતના તાત્વિક વિચારે અને ધાર્મિક જીવનને અભ્યાસ કરવા માટે અતિ ઉપયેગી છે.'
ફ્રેંચ વિદ્વાન ડે. ગેરિએ પણ ઘણું અભ્યાસ પછી એ અભિપ્રાય ઉચ્ચાર્યો કે “Jainism is very original, independent and systematic doctrine. અર્થાત્ જેન ધર્મ ઘણે પ્રાચીન છે. મૌલિક છે અને યુક્તિમત સિદ્ધાન્તરૂપ છે.”
જૈન ધર્મ શ્રી મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ પહેલાં ‘પણ આ દેશમાં પ્રચલિત હતું, એ હકીક્ત છે. મેક્ષમૂલર, ઓલ્ડનબર્ગ, બેલે, સર મેનિયર વિલિયમ્સ, હાર્વે, વહીલર આદિ વિદેશી વિદ્વાને તથા ડો. આર. જી. ભાંડારકર, ડે. કે. પી. જયસ્વાલ તથા શ્રી બાળગંગાધર ટિળક વગેરે ભારતીય વિદ્વાને માન્ય કરી છે અને કેીજ હિસ્ટરી ઓફ ઇન્ડિયા (પૃ. ૧૫૩), એન્સાઈકલોપીડિયા ઓફ રિલિજિયન એન્ડ એથિક્સ . ઉમુ) તથા હાર્મ્સવર્થ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ (વે. બીજુ, પૃ. ૧૧૯૯૮) માં ત્રેવીસમા
તીર્થકર શ્રી પાર્શ્વનાથની એક એતિહાસિક પુરુષ તરીકે ; નેંધ લેવામાં આવી છે. '
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૬.
પરંતુ એતિહાસિક અન્વેષણે અહીંથી જ અટક્યા નથી. તેમણે આગળ વધીને બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિને પણ ઐતિહાસિક પુરુષની કટિમાં મૂક્યા છે. ડે. કુહરર એપિગ્રાફિકા ઈન્ડિકાના પ્રથમ ભાગમાં પૃ. ૩૮૯ પર જણાવે છે કે “Lord Neminath, the 22nd Tirthankar of the Jains has been accepted as a historical person.” અર્થાત્ જૈનેના બાવીશમા. તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.”
શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય તથા રેવન્ડ જે. કેનેડી વગેરે વિદ્વાનેએ આ મતનું સમર્થન કર્યું છે અને બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. પ્રાણનાથ વિદ્યાલંકારે પિતાને સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયેલા એક અતિ જૂના તામ્રપટના આધારે આ માન્યતાને મહેર મારી છે.
સિંધુ સંસ્કૃતિ પર આવીએ તે તેમાં પણ જૈન ધર્મ પ્રચારમાં હોવાનાં પ્રમાણે મળે છે. મેહન જે ડેરેમાંથી પ્રાપ્ત થયેલી કેટલીક મુદ્દાઓ પર કોત્સર્ગ–અવસ્થામાં રહેલ શ્રી ઋષભદેવની આકૃતિઓ મળે છે.
પ્રા. જે. સી. વિદ્યાલંકાર વગેરે અન્ય વિદ્વાનેએ પણ જૈન ધર્મના ચોવીશ તીર્થકરે અંગે ચર્ચા કરી છે અને તેમાં ઘણું તથ્ય હોવાનું જણાવ્યું છે.
આ રીતે વિદ્વાનોના મંતવ્યો જેન ધર્મની વીશ તીર્થકરેની માન્યતાને પુષ્ટ કરે છે અને તેના પ્રારંભને સંસ્કૃતિના આદિકાલ સુધી લઈ જાય છે. આથી જેન ધર્મની મૌલિકતા પણ સ્વતઃ સિદ્ધ છે.
F
Page #41
--------------------------------------------------------------------------
________________
[૨] જૈન ધર્મ પરમ આસ્તિક છે.
જે ધર્મ આસ્તિક હોય તેને આદર કરે અને નાસ્તિક હોય તેને અનાદર કરે–તિરસ્કાર કર, આવી માન્યતા જનસમૂહમાં સારા પ્રમાણમાં ફેલાયેલી છે, એટલે જૈન ધર્મ આસ્તિક છે કે નાસ્તિક? એ પ્રશ્નની વિચારણા પણ અહીં અવશ્ય કરવા ગ્ય છે.
કેટલાક કહે છે કે “જૈનધર્મ વેદોને માનતું નથી, માટે તે નાસ્તિક છે. તે કેટલાક કહે છે કે “જૈનધર્મ ઈશ્વરને માન નથી, માટે તે નાસ્તિક છે. પરંતુ આ બંને કથને તથ્યહીન હોઈ સુજ્ઞજનોએ સ્વીકારવા ગ્ય નથી.
પ્રથમ તે આસ્તિક-નાસ્તિકને ખરે અર્થ શું છે? તે સમજવું જોઈએ. પાણિનીકૃત અષ્ટાધ્યાયીમાં એવું સૂત્ર આવે છે કે “અતિ નતિ, વિષ્ટ મતિઃ (૪–૪–૧૦)” ભટ્ટજી દીક્ષિતે સિદ્ધાન્તકૌમુદીમાં આ સૂત્રની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “ત્તિ જોઇ રૂચેવું મતિર્યંચ ર શાસિત નાતાત્તિ નિર્ચા રસ નાસિત અર્થાત્ પરલેક છે, એવી જેની બુદ્ધિ છે, તે આસ્તિક છે અને પરલેક નથી, એવી જેની બુદ્ધિ છે, તે નાસ્તિક છે. તાત્પર્ય કે આસ્તિક્યનાસ્તિક્યને સંબંધ વેદ કે ઈશ્વર સાથે નથી, પણ પરલેક
Page #42
--------------------------------------------------------------------------
________________
સાથે છે. હવે જૈન ધર્મ તે પરલેકમાં પરમ શ્રદ્ધા ધરાવનારે છે, તેને નાસ્તિક કેમ કહી શકાય?
એક ધર્મવાળા બીજા ધર્મનાં શાસ્ત્રોને ન માનતા હોય એટલા જ કારણે તેમને નાસ્તિક કહેવામાં આવે તે બીજા ધર્મવાળા તેમને નાસ્તિક કહે, એ સ્વાભાવિક છે. આ રીતે તે અરસપરસ બધા જ નાસ્તિક કહેવાય, એટલે પરલેક મને તે આસ્તિક અને ન માને તે નાસ્તિક, એ વ્યાખ્યા બરાબર છે.
“જૈનધર્મ ઈશ્વરને માનતે નથી એમ કહેવું એ અર્ધસત્ય છે અથવા તે અસત્ય છે. જૈન ધર્મ ઈશ્વરને તે. માને જ છે અને તેથી જ જિન ભગવંતને જિનેશ્વર (જિન + ઈશ્વર) તરીકે સંબંધે છે. જેનશાસ્ત્રોમાં કહ્યું છે કે
सर्वज्ञो जितरागादिदोषस्त्रलोक्यपूजितः।। यथास्थितार्थवादी च देवोऽहन परमेश्वरः॥ સર્વજ્ઞ, રાગાદિદેને જિતનાર, ઐલેક્ટપૂજિત અને સત્ય તત્વના પ્રકાશક એવા જે અહંદુદેવ છે, તે જ પરમેશ્વર છે.”
જૈન ધર્મ ઈશ્વરને વ્યવહાર દેવસંજ્ઞાથી કરે છે અને તેના સાકાર તથા નિરાકાર એવાં બે સ્વરૂપે માને છે. તેમાં અહંતુ એ ઈશ્વરનું સાકાર સ્વરૂપ છે અને સિદ્ધ એ ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે. જૈન ધર્મ આ બંને પ્રકારના ઈશ્વરનું સતત સ્મરણ કરવાને આદેશ આપે છે અને તેથી જ નમસ્કારમહામંત્રનાં પ્રથમ બે પદોમાં “નમો વિતા' અને “નમો સિદ્ધા” એવી શબ્દરચના જોવામાં આવે છે. તેને
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૯
ભાવાર્થ એ છે કે હું ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન સર્વ અહંદુદેવને ત્રિવિધ નમસ્કાર કરું છું.'
હું અક્ષય—અનંત સુખના ધામમાં બિરાજી રહેલ સર્વ સિદ્ધ પરમાત્માને ત્રિવિધ નમસ્કાર કરું છું.'
જેનમેં આ બંને ઈશ્વરી તત્ત્વની-આરાધના ઉપાસનામાં જીવનની કૃત્યકૃત્યતા દર્શાવી છે અને તેને મોક્ષપ્રાપ્તિમાં અત્યંત ઉપકારક માની છે.
જેન ધર્મમાં અતિ પ્રચલિત નવપદ-આરાધનની જના પર એક આ છે દષ્ટિપાત કરવાથી પણ દેવતત્વને કેવું મહત્વ અપાયું છે, તે બરાબર સમજાશે.
નવપદ
નામ સંજ્ઞા પ્રથમ પદ અરિહંત બીજું પદ સિદ્ધ ત્રીજું પદ આચાર્ય ચેથું પદ ઉપાધ્યાય પાંચમું પદ સાધુ છઠું પદ દર્શન સાતમું પદ આઠમું પદ ચારિત્ર નવમું પદ તપ
જિનપાસનાનું વિસ્તૃત સ્વરૂપ સમજવા માટે અમારે રચેલે જિને પાસના નામને ગ્રંથ જુઓ.
સીન
Page #44
--------------------------------------------------------------------------
________________
અહીં દેવતત્વ કે ઈશ્વરતત્વ અગ્રસ્થાને મૂકાયેલું છે, ત્યાર પછીનું સ્થાન ગુરુને અપાયેલું છે અને એ બંનેમાં પૂર્ણ શ્રદ્ધાન્વિત થઈને ધર્માચરણ કરવાનું છે, એમ છેવટને સંક્ત છે.
અહીં એટલું સ્પષ્ટ કરી દઈએ કે આ જગતમાં ઈશ્વર નામની કઈ મહાન વ્યક્તિ કે શક્તિ છે અને તે આ જગતનું સર્જન, પાલન તથા સંહાર કરે છે, એ વાદમાં જૈન ધર્મને શ્રદ્ધા નથી, કારણ કે આ જગત અનાદિ-અનંત છે અને તે પિતાના નિયમ મુજબ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આમ છતાં ઘડીભર માની લઈએ કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું છે, તે તેણે એ સર્જન કયારે કર્યું? શા માટે કર્યું? શેના વડે કર્યું? વગેરે પ્રશ્નો ખડા થાય છે અને તેને સમાધાનકારક ઉત્તર સાંપડી શકતું નથી. જે એમ કહેવામાં આવે કે ઈશ્વરે અમુક સમય પહેલાં આ જગતનું સર્જન કર્યું, તે તેની પૂર્વે કેમ ન કર્યું ? એ પ્રશ્ન પણ ઉત્તર માગે છે અને એ પરંપરા એટલી લંબાય છે કે છેવટે અનાદિને જ આશ્રય લે પડે. તે જ રીતે ઈશ્વર આ જગતનું પાલન કે સંચાલન કરતે હોય તે પણ અનેકવિધ પ્રશ્ન ઉઠે છે. ઈશ્વર એકને સુખી અને બીજાને દુઃખી શા માટે કરે છે? એકને રૂપાળો અને બીજાને કદરૂપે કેમ બનાવે છે? એકને યશ અને લાભ તથા બીજાને અપયશ અને નુકશાન શા માટે આપે છે? અહીં એમ કહેવામાં આવે કે ઈશ્વર સહુને તેમનાં કર્મ અનુસાર બદલે આપે
Page #45
--------------------------------------------------------------------------
________________
અહીં દેવતત્વ કે ઈશ્વરતત્વ અગ્રસ્થાને મૂકાયેલું છે, ત્યાર પછીનું સ્થાન ગુરુને અપાયું છે અને એ બનેમાં પૂર્ણ શ્રદ્ધાવિત થઈને ધર્માચરણ કરવાનું છે, એમ છેવટને સક્ત છે.
અહીં એટલું સ્પષ્ટ કરી દઈએ કે આ જગતમાં ઈશ્વર નામની કઈ મહાન વ્યક્તિ કે શક્તિ છે અને તે આ જગતનું સર્જન, પાલન તથા સંહાર કરે છે, એ વાદમાં જૈન ધર્મને શ્રદ્ધા નથી, કારણ કે આ જગત અનાદિ અનંત છે અને તે પિતાના નિયમ મુજબ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આમ છતાં ઘડીભર માની લઈએ કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું છે, તે તેણે એ સર્જન ક્યારે કર્યું? શા માટે કર્યું? શેના વડે કર્યું? વગેરે પ્રશ્નો ખડા થાય છે અને તેને સમાધાનકારક ઉત્તર સાંપડી શક્યું નથી. જે એમ કહેવામાં આવે કે ઈશ્વરે અમુક સમય પહેલાં આ જગતનું સર્જન કર્યું, તે તેની પૂર્વે કેમ ન કર્યું? એ પ્રશ્ન પણ ઉત્તર માગે છે અને એ પરંપરા એટલી લંબાય છે કે છેવટે અનાદિને જ આશ્રય લેવું પડે. તે જ રીતે ઈશ્વર આ જગતનું પાલન કે સંચાલન કરતા હોય તે પણ અનેકવિધ પ્રશ્ન ઉઠે છે. ઈશ્વર એકને સુખી અને બીજાને દુખી શા માટે કરે છે? એકને રૂપાળે અને બીજાને કદરૂપે કેમ બનાવે છે? એકને યશ અને લાભ તથા બીજાને અપયશ અને નુકશાન શા માટે આપે છે? અહીં એમ કહેવામાં આવે કે ઈશ્વર સહુને તેમનાં કર્મ અનુસાર બદલે આપે
Page #46
--------------------------------------------------------------------------
________________
ક
છે, તે કર્મના સિદ્ધાંત મુખ્ય અન્યા, ઈશ્વરની ગૌણુતા થઈ, કારણ કે તેને પણ ક્રમના સિદ્ધાંતને અનુસરવું પડે છે.
અહીં એ પણ વિચારણીય છે કે જો જગતનુ સંચાલન ઈશ્વરના હાથમાં છે, તે તેમાં થઈ રહેલાં અનેકવિધ પાપાની જવાબદારી કોની ? એક મનુષ્ય ખીજાનું ખૂન કરે છે, તેની માલમિલક્ત પડાવી લે છે, તેના સ્ત્રીવર્ગ ઉપર અત્યાચાર કરે છે, તે અધુ શું ઈશ્વરની પ્રેરણાને આભારી છે? જો તે બધુ ઇશ્વરની પ્રેરણાને આભારી હાય તો ઈશ્વરને મહાન, ન્યાયી કે દયાળુ કહી શકાશે નહિ; કારણ કે મહાન, ત્યાગી કે દયાળુ લેખાતા માણસે કદી પણ આવાં કાર્યો કરવાની કોઈને પ્રેરણા કરતા નથી; અને જો એમ કહેવામાં આવે કે આ તે અધુ પ્રાણીઓની પોતાની અંતઃપ્રેરણા વડે થાય છે, તે ઈશ્વર નામની સાતા ક્યાં રહી? ઈશ્વર એટલે મહાન રાજ્યકર્તા ( Supreme ruler)—બધા ઉપર સર્વોપરિતા ભાગવનાર.
હવે સહારના પ્રશ્ન પર આવીએ. કોઈ પિતા પોતાનાં તમામ બાળકોના એક સામટા સહાર કરી નાખે તે તેને આપણે કેવા કહીએ છીએ ? ધનલાભી માતા-પિતાએ અમર કુમારને ભારાભાર સેના માટે વચ્ચે અને તેને અલિદાનસ્થાને લઈ જવામાં આવ્યા, ત્યારે લોકોએ તેમના પર ફીટકારના વરસાદ વરસાવ્યો હતા અને તેઓ કોઈને પેાતાનુ મ્હાં દેખા ડવાને ચાગ્ય રહ્યા ન હતા, એ હકીક્ત જૈન સાહિત્યમાં સ્પષ્ટ અક્ષરે નોંધાયેલી છે. તાત્પર્ય કે જે પ્રાણીઓ પાતે સર્જન
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૨
કર્યું, જે પ્રાણુઓને પોતે પાળ્યા, તેને સંહાર ઈશ્વર ક્કી. કરે જ નહિ અને કરે છે તે નિષ્ફર, નિર્લજ્જ, મહાપાપી. જ લેખાય. શું ઈશ્વરને આપણે આ કટિમાં મૂકવા તૈયાર છીએ?
વિશેષમાં એ જાણવાની પણ જરૂર છે કે આ જગતમાં વસ્તુઓનું સ્વરૂપ પરિવર્તન પામે છે, પણ તેમને સર્વથા નાશ થતું નથી. જૈન મહર્ષિઓએ પિતાના જ્ઞાનથી અને આધુનિક વિજ્ઞાને અનેકવિધ પ્રવેગથી આ વાત સિદ્ધ કરી આપી છે, એટલે આ જગતને સર્વથા સંહાર થવાનું શક્ય નથી અને ગમે તેવી મહાન શક્તિ પણ એ કાર્ય કરી શક્તી નથી.
“હરિ કરે તે ખરી” “ઈશની આજ્ઞા વિના નવ પાંદડું હાલી શકે? વગેરે ઉક્તિએ જનસમાજમાં પ્રચલિત છે, તેનું કારણ ઈશ્વરવિષયક ઉપરની માન્યતા છે. પરંતુ ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજાય તે આ માન્યતાઓનું શોધન જરૂર થાય અને સુખ-દુખને કર્તા આત્મા પોતે જ છે,” “તે યારે તે પિતાનું ભાવી ઉજ્જવલ બનાવી શકે છે, એ વસ્તુ સમજતાં વાર લાગે નહિ.
ઈશ્વર સંબંધી આ પ્રકારની વિચારસારણું ધરાવનાર જૈન ધર્મને નાસ્તિક કહે, એ ખરેખર! એક પ્રકારનું દુસાહસ છે અને તે સુજ્ઞજને ન જ કરે, એવી અમારી ખાતરી છે.
શ્રી મંગલદેવ શાસ્ત્રી એમ. એ. ડી, ફિલ. (એકસન) કે જેઓ એક વખત વારાણસીની ગવર્મેન્ટ સંસ્કૃત કેલેજના પ્રધાન આચાર્ય હતા, તેમણે એક લેખમાં લખ્યું છે કે
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૩
ભારતીય દર્શનના વિષયમાં એક પરંપરાગત મિથ્યા ભ્રમને . ઉલ્લેખ કર અમને ઉચિત લાગે છે. કેટલાક સમયથી લેક એમ સમજે છે કે ભારતીય દર્શનની આસ્તિક અને નાસ્તિક એવી બે શાખાઓ છે. તેમાં વૈદિક દર્શને આસ્તિક છે અને જેન તથા બૌદ્ધ દર્શન નાસ્તિક છે. વસ્તુતઃ આ વર્ગીકરણું નિરાધાર જ નહિ, નિતાન્ત મિથ્યા છે. આસ્તિક અને નાસ્તિક શબ્દ “તિ નાત વિષે મતિઃ (૦ ૪-૪-૬૦) એ. પાણિની સૂત્ર અનુસાર બને છે. આને મૌલિક અર્થ એ હતું કે પરલોકની સત્તા માનનારે આસ્તિક અને ન માનનારે નાસ્તિક. સ્પષ્ટતયા આ અર્થમાં જૈન અને બૌદ્ધ દર્શનને નાસ્તિક હી શકાય જ નહિ.”
પ્રસિદ્ધ રાષ્ટ્રનેતા અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી. નરેન્દ્રદેવે તેમના બૌદ્ધ ધર્મદર્શન” નામક ગ્રંથના પ્રથમ પ્રકરણમાં લખ્યું છે કે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બુદ્ધના સમયમાં આસ્તિકને અર્થ ઈશ્વરમાં પ્રતિપન્ન ન હત અને વેદનિંદક પણ ન હતું. પાણિનીના નિર્વચન અનુસાર નાસ્તિક તે છે કે જે પરલોકમાં વિશ્વાસ રાખો નથી. (નીતિ જો ચ સર ) આ નિર્વચન અનુસાર, બૌદ્ધ અને જૈન ધર્મ નાસ્તિક નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
[૩]
તત્વજ્ઞાનની મહત્તા
-
જ્ઞાન બે પ્રકારનું છે : (૧) વ્યાવહારિક અને (૨) -પારમાર્થિક તેમાં વ્યાવહારિક જ્ઞાન વ્યવહારનાં ભિન્ન ભિન્ન અંગેને સિદ્ધ કરવામાં ઉપયોગી છે અને પારમાર્થિક જ્ઞાન પરમાર્થ એટલે મોક્ષ, મુક્તિ, સિદ્ધિ, નિર્વાણ કે પરમપદની પ્રાપ્તિમાં ઉપયોગી છે. જે જીવનના અંતિમ સાધ્ય તરીકે - આપણે મેક્ષને સ્વીકાર કરતા હોઈએ, કરીએ જ છીએ તે આ બીજા પ્રકારના જ્ઞાનને શ્રેષ્ઠ માનવું જ રહ્યું.
પારમાર્થિક જ્ઞાન પ્રશંસનીય–પ્રશસ્ત છે, તેથી તેને વ્યવહાર સમ્યગ્રસ્તાન તરીકે થાય છે અને તે તત્વના અવેધ રૂપ હેઈને તત્ત્વજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તાત્પર્ય કે
જૈન દષ્ટિએ જે પારમાર્થિક જ્ઞાન છે, તે જ સમ્યજ્ઞાન છે -અને જે સમ્યજ્ઞાન છે, તે જ તત્વજ્ઞાન છે.
આર્ય મહર્ષિએને એ અભિપ્રાય છે કે જે જ્ઞાન પરમાર્થની સિદ્ધિ કરનારું હેય, અર્થાત્ મેક્ષપ્રાપ્તિમાં ઉપકારક અહિય, તેને જ જ્ઞાન સમજવું અને બાકીનું બધું અજ્ઞાન
સમજવું. આ દષ્ટિએ પારમાર્થિક જ્ઞાન, સમ્યગજ્ઞાન કે તત્ત્વ -જ્ઞાનને માત્ર જ્ઞાન પણ કહેવામાં આવે છે. “ના-રિર્વેિ
મોવણોવગેરે સૂત્રમાં જ્ઞાન શબ્દ આવા જ અર્થમાં વપરાયેલ -- છે. થોડા વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ થશે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૫
જ્ઞાન તા દરેક જીવને હાય છે. નિાદ જેવી તન. નિકૃષ્ટ અવસ્થામાં પણ અક્ષરના અનતમ ભાગ ઉઘાડા રહે છે. જો જીવમાં આટલું પણ જ્ઞાન ન હોય, તેા તેનામાં અને જડ પદામાં કાઈ તફાવત રહેતા નથી. જ્યાં જ્ઞાન હોય છે, ત્યાં કોઈ ને કાઈ પ્રકારની ક્રિયા પણ અવશ્ય હોય છે. એટલે જ્ઞાન અને ક્રિયાના સામાન્ય અર્થ ગ્રહણ કરીએ . તા જીવમાત્ર જ્ઞાન અને ક્રિયાવાળા હોવાથી તે બધાના મેાક્ષ થાય છે, એમ માનવુ' પડે, જે સિદ્ધાંતથી વિરુદ્ધ છે;. એટલે અહી જ્ઞાન અને ક્રિયા આ બંને શબ્દો વિશિષ્ટ અથમાં ચાજાયેલા છે, એ નિશ્ચિત છે. તેમાં જ્ઞાનના અથ અમે ઉપર જણાવ્યું તેમ તત્ત્વજ્ઞાન છે અને ક્રિયાના અ આત્મશુદ્ધિ કરનારી સંયમપેાષક ક્રિયાઓ છે.
.
૧. જન્મભૂમિ-પ્રવાસી તા. ૨૬-૪-૬૫ ના અ કમાં · વિજ્ઞાનનાં વહેણ’ એ મથાળાં નીચે નિમ્ન પ્રશ્ન રજૂ થયા હતા : જીવ શું છે અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેના ઉત્તર શ્રી મુક્તાન દ વિશ્વયાત્રીએ નીચે મુજબ આપ્યા હતા : ‘જીવની વ્યાખ્યા ન આપી શકાય. જીવ શાસ્ત્ર તેની પ્રકૃતિ શી શી છે, તે ગણાવે છે. જીવમાં ચેાસ વ્યવસ્થા (Organization) હોય છે, તેમ જીવન–રસાયન—ક્રિયા (Metabolism) હાય છે, તેના વિકાસ થાય છે. તેમાં સંવેદન-ક્ષમતા (Irritability) હાય છે, તેમાં પ્રતિયેાગક્ષમતા (Adaptitbility) હોય છે અને તે વશવૃદ્ધિ (Reproduction) કરી શકે છે. આવીપ્રકૃતિ વડે જીવ વ્યક્ત થાય છે. અમે આ વિધાન સાથે સ ંમત થતા નથી. પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિબિન્દુ પણ જીવમાં કાઈ ને કાઈ પ્રકારની ક્રિયામાને છે, એ ર્શાવવાને આ વિધાન અહી' ઉત્કૃત કર્યું છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
અહીં એ સપષ્ટતા કરવી ઉચિત છે કે જૈન ધર્મે માત્ર - જ્ઞાનથી કે માત્ર કિયાથી મેક્ષ માન્ય નથી, પણ ઉભયના આરાધનથી મોક્ષ માન્ય છે અને તેમાં જ્ઞાનને પહેલું મૂક્યું છે, જે તેની અસાધારણ મહત્તા સૂચવે છે. જે જ્ઞાન ન હોય, તબંધ ન હોય, તે કઈ પણ આધ્યાત્મિક ક્રિયા તેના યથાર્થ સ્વરૂપે કરી શકાતી નથી અને પરિણામે જે ફળની અપેક્ષા રાખવામાં આવી હોય, તે પ્રાપ્ત થતું નથી. “પઢમં ના તો જા” વગેરે સૂત્રોમાં આ વરતુ ખૂબ જ -પષ્ટ કરવામાં આવી છે.
જૈન શાસ્ત્રોમાં જ્ઞાનને મહિમા ખૂબ વર્ણવ્યો છે. જેમકે –
અનાજ-સંમોહેં–તહાસ,
नमो नमो नाण-दिवायरस्स। “અજ્ઞાન અને સમેહ રૂપી અંધકારને દૂર કરનાર જ્ઞાન-દિવાકરને વારંવાર નમસ્કાર છે.”
पावाओ विणिवत्ती, पवत्तमा तहय कुसल-पक्खंमि । विणयस्स य पडिवत्ती, तिन्निवि नाणे सम्माप्पिंति ॥
પાપકાર્યોમાંથી નિવૃત્તિ, કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને મિક્ષનાં સાધને પ્રત્યે આદરરૂપ વિનયની પ્રાપ્તિ, એ ત્રણે ય જ્ઞાનથી જ થાય છે.”
नाणं च सणं चेव, चरित्तं च तवो तहा। . एयमग्गमणुपत्ता, जोचा गच्छन्ति सोग्गई।
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૭
‘ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી સ’યુક્ત એવા માને પામેલા જીવા સતિમાં જાય છે.’
ज्ञान अपूरव ग्रहण कर, जागे अनुभवरंग । कुमति - जाल सब काटके, उछले तवतरंग ||
'
‘હે વત્સ ! તું અપૂર્વ એવા જ્ઞાનને ગ્રહણ કર, જેથી તારા આત્મામાં અનુભવના રંગ જાગૃત થાય, કુમતિએ ફેલાવેલી બધી જાળ તૂટી પડે અને તત્ત્વના તરંગો ઉછળવા લાગે.’ જ્ઞાન વિના પશુ સારીખા, જાએ એણે સ’સાર; જ્ઞાન આરાધનથી લઘુ, શિવપદ્મસુખ શ્રીકાર. ૧. જ્ઞાનરહિત કિરિયા કહી, કાશકુસુમ ઉપમાન; લેાકાલાક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન. ૨. જ્ઞાની સામેાસાસમે, કરે કૅમના ખેલ; પૂર્વ કીડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ. ૩. દેશ—આરાધક કિરિયા કહી, સ–આરાધક જ્ઞાન; જ્ઞાનતણા મહિસા ઘણા, અંગ પાંચમે ભગવાન, ૪.
?
આ સંસારમાં જે મનુષ્યને જીવાજીવાઢિ તત્ત્વાનુ જ્ઞાન નથી, તેમને પશુના જેવા જાણવા. જે આત્માઓએ શ્રીકાર એવું મૈાક્ષનું સુખ મેળવ્યું છે, તે જ્ઞાનની આરાધના કરીને જ મેળવ્યું છે. ૧.
આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સત્તા પશુ અને મનુષ્યમાં સમાન રૂપે હોય છે, એટલે કે તેમાં કોઈ વિશેષતા નથી. મનુષ્યની વિશેષતા તે તેને જેસ પ્રધારણ
Page #53
--------------------------------------------------------------------------
________________
સંસા અથત બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, તેને સદુપયોગ કરવામાં રહેલી છે. બહુ જ તાવિવાર જ એ સૂત્ર અનુસાર તત્વની વિચારણા એ જ બુદ્ધિનું મુખ્ય ફળ છે, એ જ બુદ્ધિને સદુપગ છે. જે મનુષ્ય બુદ્ધિને આ રીતે સદુપગ કરતા નથી, તેમનામાં અને પશુમાં વાસ્તવિક કર્યો તફાવત રહ્યો? તાત્પર્ય કે તેમને મનુષ્યના રૂપમાં રહેલાં મૃ–પશુઓ સમજવા, એ જ ચગ્ય છે.
અહીં બીજી વરતુ એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે આજ સુધીમાં જે જે આત્માઓએ શ્રીકા-ઉત્તમ એવું મોક્ષનું સુખ મેળવ્યું છે, તે જ્ઞાનની આરાધનાપૂર્વક જ મેળવ્યું છે. તાત્પર્ય કે જ્ઞાનનું આરાધન એ એક્ષપ્રાપ્તિનું એક અનિવાર્ય અંગ છે. તેના વિના કેઈને મોક્ષ મળ્યો નથી, મળ નથી, તેમ જ મળવાને પણ નથી.
જે કિયાની પાછળ જ્ઞાન નથી, તે આકાશકુસુમ જેવી છે. અર્થાત્ તે કંઈ પણ ફળ આપી શક્તી નથી. લેડ અને અલેકને પ્રકાશ કરનારું એવું જ્ઞાન જ શ્રેષ્ઠ છે' ૨.
એક કિયા શા માટે કરવામાં આવે છે? તેની પાછળ. કર્યો હેતુ રહે છે? વગેરે જાયા વિના તે કરવા લાગીએ તે શુદ્ધ સ્વરૂપે થઈ શકે નહિ, એ દેખીતું છે. આવી. અશુદ્ધ-અપૂર્ણ ક્રિયાનું કિંચિત ફલ તે મળે, પણ પૂર્ણ ફલની અપેક્ષાએ તે નહિવત્ છે, એટલે આપણી દષ્ટિ, જ્ઞાનપૂર્વક ક્રિયા કરવા તરફ જ રાખવી ઘટે. જ્ઞાનનો પ્રભાવ
Page #54
--------------------------------------------------------------------------
________________
તે જુઓ. તેનાથી લેક અને અલેકનું સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ અને હેય-ઉપાદેયના વિવેકપૂર્વક શુદ્ધ આચરણ કરવાને શક્તિમાન થઈએ છીએ.
“જ્ઞાની એક શ્વાસે છૂવાસમાં જેટલા કર્મ અપાવે છે. તે અજ્ઞાનીને ખપાવતાં કોડ પૂર્વ એટલે સમય લાગે છે.” ૩.
કર્મ ખપાવવાની બાબતમાં અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે કેટલે મોટો તફાવત છે? તે અહીં દર્શાવ્યું છે. જ્યાં શ્વાસ છુવાસ જેટલો સમય અને ક્યાં ૭૦૫, ૬૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦ ૪ ૧૦, ૦૦૦, ૦૦૦ = વર્ષ ? તાત્પર્ય કે કર્મને શીઘ્રતાથી નાશ કરે હેય, અને મોક્ષમહાલયનાં અનંત-અક્ષય સુખના અધિકારી થવું હોય તે પહેલી તકે જ્ઞાનની આરાધના કરવી જોઈએ અને તત્ત્વને યથાર્થ ધ મેળવી લેવું જોઈએ.
“ક્રિયા એ દેશ–આરાધક છે અને જ્ઞાન એ સર્વ આરાધક છે. આ રીતે જ્ઞાનને મહિમા ઘણે છે, જે ભગવાન શ્રી મહાવીરે ભાખેલા પાંચમા અંગમાં વિદ્યમાન છે.” ૪.
સારાંશ કે માત્ર ક્રિયાની આરાધના કરીએ તે અલ્પાશે થાય છે અને જ્ઞાનપૂર્વક કરીએ તે સર્વશે થાય છે. આ રીતે જ્ઞાનની-તત્ત્વજ્ઞાનની મહત્તા ઘણી મોટી છે, જે વર્તમાન શાસનના નાયક ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીરે અર્થથી કહેલી છે અને તેમના પટ્ટધર શ્રી સુધમસ્વામીએ સૂત્રરૂપે વિવાહપ્રજ્ઞપ્તિ યાને શ્રી ભગવતીસૂત્ર નામના પાંચમા અંગસૂત્રમાં ગૂંથેલી છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞાન પારસમણિ જેવું છે. પારસમણિને લેઢાને સ્પર્શ થાય, તે તે સુવર્ણ બની જાય છે, તેમ તત્વજ્ઞાનને જીવનને સ્પર્શ થાય છે તેમાં સમ્યારિત્રની અનેરી ઝલક આવી જાય છે. તે અંગે મિથિલા પતિ નિમિરાજને
વ્યતિકર જાણવા ગ્ય છે. - મિથિલાપતિ નમિરાજને દાહવર લાગુ પડ્યો હતે. તે કેઈ ઉપાયે શાંત થ ન હતું. એવામાં મોટી રાણીને યાદ આવ્યું. તેણે મલયગિરિનું ચંદન ઘસીને મહારાજાના પગે લગાડયું અને બિમાર મહારાજાએ “હા...શ” એ ઉદ્ગાર કાઢ્યો. એટલે બધી રાણીઓ ચંદન ઘસવાના કામે લાગી ગઈ • ચંદન ઉતરતું જાય અને મહારાજાના અંગે લેપાતું જાય. આવું જ્યાં થેલી વાર ચાલ્યું કે મહારાજા નમિને દાહ ઘણા અંશે શાંત થઈ ગયું. તેમની આંખે ઊંઘથી ઘેરાવા લાગી, પણ ઊંઘ તેમાં પ્રવેશી શકી નહિ, કારણ કે ચંદન ઘસી રહેલા સંખ્યાબંધ હાથના કંકણેને સંયુક્ત અવાજ તેમાં ખલેલ કરી રહ્યો હતે. એક ચતુર પટરાણ આ વાતને સમજી ગઈ. તેણે બધી રાણીઓને ઈશારાથી સૂચના કરી કે હાથમાં એક જ કંકણ રાખીને ચંદન ઘસે કે જેથી બિલકુલ અવાજ થાય નહિ. " રાણીઓએ એ સૂચનાને અમલ કર્યો. વાતાવરણ નીરવ અને શાંત થઈ ગયું.
Page #56
--------------------------------------------------------------------------
________________
પી .
દેવી ! ચંદન ઘસવાનું કામ બંધ થયું કે શું?' કણને અવાજ બંધ થતાં મહારાજા નિમિએ પટરાણીને પ્રશ્ન કર્યો અને સાથે સાથે સૂચન પણ કર્યું કે “હજી ડી વાર ઘસાયું હેત તે ઠીક થાત.”
પટરાણુએ ખુલાસો કર્યો. “મહારાજ ! ચંદન ઘસવાનું કામ ચાલુ જ છે.”
તે કંકણને અવાજ કેમ આવતું નથી!” મહારાજા નમિએ મનનું સમાધાન કરવા ફરીને પ્રશ્ન પૂછો.
દેવ! આપની નિદ્રામાં ખલેલ ન પહોંચે, તે માટે -દરેક રાણીએ પિતાના હાથમાં માત્ર એક જ કંકણું રાખ્યું છે અને બાકીનાં બધાં ઉતારી નાખ્યાં છે.” પટરાણીએ પરિસ્થિતિની ચોખવટ કરી.
હું, ત્યારે આ કેલાહલ ઘણાના ભેગા થવાથી થયે હતે !” આટલા ઉદ્દગાર કાઢી મહારાજા નમિ ઊંડા ચિંતનમાં સરકી ગયા. “ખરેખર! એકલું કંકણું કાંઈ શેર મચાવી શકતું નથી. મને જે ત્રાસ ઉપજ્ય, બેચેની થઈ તે ઘણું કંકણેને લીધે જ થઈ. જીવનમાં પણ આવું જ છે. જ્યાં બહુ પરિગ્રહ, ત્યાં બહુ ઉપાધિ. જ્યાં બહુ સંબંધે, ત્યાં બહુ દુઃખ. હે આત્મન ! તે અત્યાર સુધી એકત્વના આનંદને ઉપભોગ કર્યો નથી અને તેથી જ તેને રેગ અને શેક, જન્મ અને મરણ સતાવ્યા કરે છે. માટે તું અન્યને છેડી એ થા, પુદ્ગલને છેડી તારા સાચા સ્વરૂપનું આલંબન કર.
Page #57
--------------------------------------------------------------------------
________________
પર
તે રાત્રિએ નિમિરાજને ગાઢ નિદ્રા આવી ગઈ અને તેને દાહજવર પણ દૂર થયે; પરંતુ બીજા જ દિવસે પુત્રને ગાદી. સેપી ચારિત્ર ગ્રહણ કરવાની તૈયારી કરી. તે જોઈને રાણીઓ રુદન કરવા લાગી, મિથિલાના લેકે ધાર આંસુએ રડવા લાગ્યા, સર્વત્ર ભારે કોલાહલ થયું. આ વખતે એક વૃદ્ધ વિપ્રે આવીને કહ્યું: “હે રાજન ! તમારે વિગ સહુને દારુણ દુઃખનું કારણ થઈ પડ્યો છે, માટે તમે દીક્ષા લેવી રહેવા દો અને તમારા રાજમહેલમાં રહીને જ શેષ જીવન વ્યતીત કરે.”
નમિરાજે કહ્યું: “હે વિપ્ર! એક વૃક્ષ ફળફૂલથી રળિયામણું લાગે છે અને તેને લાભ લેવા પક્ષીઓનાં ટોળાં આવી પહોંચે છે. હવે પ્રબળ વાયુના વેગથી કદાચ એ વૃક્ષ ભાંગી પડે તે એ પક્ષીઓ બિચારાં આકંદ કરે છે. આ જ સ્થિતિ સંસારની છે. બધે જ સ્વાર્થ પરાયણતા વ્યાપેલી છે. જ્યાં સ્વાર્થસાધનાનાં સાધને ખૂટ્યાં કે ખૂટવાની દહેશત ઊભી થઈ, ત્યાં સ્વાર્થીને રડારોળ કરી મૂકે છે. પરંતુ આ જગતમાં કેઈના વિના કેઈનું પડી ભાંગતું નથી. બધા પિતાના પુણ્ય અનુસાર ખાય છે. જે હું નેહીઓના બંધનમાં બંધાઈ રહું, તે મારી સિદ્ધિ થાય નહિ.”
હવે એ જ વખતે મિથિલાનાં મકાનમાંથી ધૂમાડાના ગોટેગોટ નીકળવા લાગ્યા અને ભયંકર અગ્નિ તે બધાનું ભક્ષણ કરવા લાગ્યો. નમિરાજનું અંતઃપુર પણું તેમાંથી અચ્યું ન હતું. તેના તરફ આંગળી ચીંધી વૃદ્ધ વિપ્રે કહ્યું ઃ
Page #58
--------------------------------------------------------------------------
________________
હે રાજન ! તમારી આ મનોહર મિથિલાને અગ્નિ ભરખી રહ્યો છે અને તેમાં તમારું અંતઃપુર પણ મળી રહ્યું છે. માટે એક વાર તેના તરફ કૃપાષ્ટિ કરો. ’
નમિરાજે કહ્યું: · હું વિપ્ર ! હું અગ્નિથી મળતા નથી, - પાણીથી ભીંજાતા નથી, વાયુથી શેાષાતા નથી અને શસ્ત્રાથી છેદ્યાતા નથી. એટલે મિથિલા ખળતાં મારું કંઈ પણ મળતું નથી. જે પુત્ર-કલત્રની માયા–મહેાખ્ખત છેડી સંયમના ૫થે સ'ચરે છે, તે જ સાધુ કહેવાય છે. તેને કઈ પ્રિયાપ્રિય હેતું નથી. જે ખાદ્ય અને અભ્યંતર બંધનથી મુક્ત થાય છે, તેને જ સિદ્ધિ સાંપડે છે. તાત્પર્ય કે મારું' સર્વ કંઈ સલામત છે; મારી કોઈ પણ વસ્તુનો નાશ થતા નથી.
તે સાંભળી વૃદ્ધ વિષે કહ્યું : ' હું રાજન્ ! પ્રથમ તમે મિથિલા ફરતા મજબૂત કોટ બનાવા, તેની આસપાસ ખાઈ ખાદાવા અને કિલ્લા પર શતઘ્ની વગેરે અસ્ત્રો મૂકાવે. પછી પ્રત્રજ્યા ગ્રહણ કરજો.
"
ઉત્તરમાં નમિરાજે કહ્યું : હે વિપ્રવર ! શત્રુથી અચવા માટે મેં સર્વ પ્રકારની તૈયારી કરી લીધી છે. આત્મજ્ઞાન એ મારું નગર છે. તેના ફરતા ક્ષમા, નિલા ભતા, ઋજુતા, મૃદુતા, બંધુત્વ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનાભ્યાસ અને બ્રહ્મચ એ દશ કિલ્લા છે. એ કિલ્લાને શમ, સ ંવેગ, નિવેદ્ય, અનુકંપા અને આસ્તિય એ નામના પાંચ દરવાજા છે. અને બાહ્ય તપ તથા અભ્ય ંતર તપરૂપી બે મજબૂત કમાડા છે. એના ફરતી
Page #59
--------------------------------------------------------------------------
________________
પ
સત્યવચનરૂપ ઊંડી ખાઈ ખુંદી રાખી છે. અને તેમાં જ્ઞાનરૂપી જળ ભરી દીધું છે. આથી મને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદરૂપી શત્રુઓને જરા પણ ભય નથી.”
વૃદ્ધ વિપ્રે કહ્યું: “હે રાજન! હજી સુધી જે રાજાઓને તમે જિત્યા નથી, તેને પ્રથમ જિતી લે અને પછી પ્રવજ્યા ગ્રહણ કરશે.
નમિરાજે કહ્યું: “હે વિ! સંગ્રામમાં દશ લાખ ચંદ્ધાઓને જિતવા સહેલા છે, પણ એક આત્માને જિતવે. સુશ્કેલ છે. મેં એ આત્માને જિતવાને રાહ લીધે છે, એટલે આહા શત્રુઓને મને જરા પણ ભય નથી.”
એ વૃદ્ધ વિષે બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના નમિરાજે સચોટ ઉત્તર આપ્યા અને દીક્ષા ગ્રહણ કરી તેઓ સાધુ થયા, સંત થયા, મુનિ અને મહર્ષિ થયા. છેવટે સર્વ કને તેડી સિદ્ધ, બુદ્ધ અને પારંગત થયા.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેને તત્વબોધ થયા છે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તેના જીવનમાં સમ્મચારિત્રની અનેરી ઝલક અવશ્ય આવી જાય છે.
તત્વજ્ઞાનની આથી વિશેષ મહત્તા બીજી શી હોઈ શકે?
Page #60
--------------------------------------------------------------------------
________________
[૪] - તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેને થાય ?
૧ર
અજરામર
કાલથી સસ આતવચનને
તત્વજ્ઞાનની મહત્તાથી પાઠકે પરિચિત થયા. હવે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કેને થાય? તે અંગે કેટલીક વિચારણા કરીએ.
જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે “સના જીવો વર કચરા ટા–શ્રદ્ધા કરનારે જીવ અજરામર સ્થાન પ્રત્યે જાય છે. આ આતવચનને ભાવાર્થ એ છે કે અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલે જીવ જ્યારે મિથ્યાત્વને ત્યાગ કરીને સુદેવ, સુગુરુ તથા સુધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાળા બને છે, ત્યારે તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના લીધે તે હેય અને ઉપાદેયને વિવેક કરી સમ્માસ્ત્રિનું નિર્માણ કરી શકે છે અને કર્મના જે કુટિલ કટકે તેને અત્યાર સુધી સંસારરૂપી રંગમંડપમાં અનેક પ્રકારને નાચ નચાવ્યો, તેને સંપૂર્ણ નાશ કરી શકે છે. પરિણામે તે અજરામર સ્થાન એટલે સિદ્ધશિલા પ્રત્યે ગમન કરે છે અને ત્યાં સિદ્ધ સ્વરૂપે બિરાજી અક્ષય અનંત આનંદને ઉપભોગ કરે છે.
ભગવદ્દગીતામાં પણ “શ્રદ્ધાવાએ શાન” આદિ વચને આવે છે, તે આ વસ્તુના સમર્થક છે.
મિથ્યાત્વ એટલે દૃષ્ટિવિપર્યાસ. તેને ત્યાગ ત્યારે જ
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૬ થાય છે કે જ્યારે આત્મા હુકતા છેડી દયાને ભાર ધારણ કરે, મૂઢતા છેડી વિવેકશક્તિને જાગ્રત કરે, કદાગ્રહ છેડી સરલતાનું શરણ સ્વીકારે અને પક્ષપાતને તિલાંજલિ આપી મધ્યસ્થતાનું અનુસરણ કરે. આ સ્થિતિ ઉત્પન્ન થતાં તે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાળે બની શકે છે. ' અહીં કદાચ પ્રશ્ન થશે કે “તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં દેવ પ્રત્યે શ્રદ્ધાવિત થવાની શી જરૂર છે?' તેને ઉત્તર એ છે કે “તત્વજ્ઞાનની મૂળ પ્રરૂપણ અઢાર દોષરહિત, ચેત્રીશ અતિશયવત, સર્વજ્ઞ અને સર્વદશ એવા શ્રી અરિહંત દેવે કરેલી છે. જે તેમના પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ ન હોય તે તેમણે પ્રરૂપેલા તત્વજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ શી રીતે ઉત્પન્ન થાય? “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ ” એ
હકીક્ત સુપ્રસિદ્ધ છે. . જે વસ્તુમાં શ્રદ્ધા-વિશ્વાસ ન હોય, તે અંગે પ્રવૃત્તિ * થતી નથી અને જ્યાં પ્રવૃત્તિ જ થતી ન હોય, ત્યાં પરિણામ
શી રીતે આવે? એટલે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ઈચ્છનારે શ્રી અરિહંત દેવ પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાની ખાસ જરૂર છે.
શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે વિદ્વાને શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે શ્રદ્ધાવિત થયા, તે ઉચ્ચ કેટિનું તત્વજ્ઞાન પામ્યા અને સમ્યફ ચારિત્રનું નિર્માણ કરીને મેક્ષે સીધાવ્યા.
અહીં જે બીજો પ્રશ્ન એમ પૂછાત હોય કે “તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રી અરિહંત દેવ પ્રત્યે શ્રદ્ધાવિત થવું
Page #62
--------------------------------------------------------------------------
________________
: એ ઠીક છે, પણ ગુરુ પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાની જરૂર શી ?
તે એને ઉત્તર એ છે કે “શ્રી અરિહંત દેવે પ્રરૂપેલા તત્વજ્ઞાનને યથાર્થ બેધ નિર્ગથ ગુરુની સહાય વિના થઈ શક્ત નથી. કહ્યું છે કેविना गुरुम्यो गुणनीरधिम्यो
__ जानाति धर्म न विचक्षणोऽपि । विना प्रदीपं शुभलोचनोऽपि,
निरीक्षते कुत्र पदार्थसार्थम् ॥ 'મનુષ્ય ગમે તે વિચક્ષણ-ડાહ્યો હોય તે પણ ગુણના સમુદ્રરૂપ ગુરુની સહાય વિના તે ધર્મને જાણી શકો નથી. કેઈ મનુષ્ય સુંદર આંખેવાળ હોય, છતાં અંધારામાં ' રહેલા પદાર્થ સમૂહને ક્યાં જઈ શકે છે?
એ ઉક્તિ પણ પ્રસિદ્ધ જ છે કેગુરુ દી ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણું વેગળા, તે રવદ્યા સંસાર “ગુરુ એ દીવે છે અને ગુરુ એ જ દેવતા–પરમેશ્વર છે. જે ગુરુ ન હોય તે તત્ત્વને સારો પ્રકાશ સાંપડ નથી અને તેથી જીવનમાં ઘોર અંધકાર વ્યાપી જાય છે. જેઓ ગુરુની વાણીથી વેગળા રહે છે, એટલે કે ગુરુની પાસે જતા નથી, તેમની સેવા-ભક્તિ કરતા નથી તથા તેમને ઉપદેશ સાંભળીને ધર્મ તથા તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરતા નથી, તેઓ અંનત–અપાર સંસારસાગરમાં રખડયા કરે છે. ?
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૮
તાત્પર્ય કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યે પણ શાન્વિત થવાની જરૂર છે.
અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ જગતમાં એક યા બીજા બહાને શિષ્યનાં ગજવાને ભાર હળવે કરનાર ગુરુઓ ઘણા હોય છે, પણ શિષ્યના હૃદયને સંતાપ રૂપી ભાર હળવે કરનાર ગુરુ દુર્લભ હોય છે. નિર્ગથ સાધુઓ આ બીજા પ્રકારના હેવાથી તેમની ગણના સગુરુમાં થાય છે.
હજી એક પ્રશ્ન વધારે પૂછાવાની શક્યતા છે. “તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રી અરિહંત દેવ અને નિગ્રંથ સુસાધુ ગુરુ પ્રત્યે શ્રદ્ધાવિત થવું ઠીક છે, પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાની શી જરૂર છે?” તેનો ઉત્તર એ છે કે “શ્રી અરિહંત દેવ પ્રત્યે શ્રદ્ધા હોય, નિર્ગથ ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા હેય, પણ જે ધર્મનું પાલન કરવાનું છે, તેની મંગલમયતા કે કલ્યાણકારિતા વિષે આંતરિક શ્રદ્ધા ન હોય તે ધર્માચરણ માટે ઉત્સાહ થતું નથી અને પરિણામે જ્ઞાનની આરાધના. ચથાર્થરૂપે થઈ શકતી નથી. આ સગમાં તત્ત્વજ્ઞાનની. પ્રાપ્તિ શી રીતે થાય? તાત્પર્ય કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે ધર્મ પ્રત્યે પણ શ્રદ્ધાન્વિત થવાની જરૂર છે.'
અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે જે ધર્મનું પાલન કરતાં આત્મા ઊર્ધ્વગામી બને, તે જ ધર્મ ઉપાદેય છે અને તેના પ્રત્યેજ શ્રદ્ધાન્વિત થવાનું છે. આ ધર્મ જિન-અહે, તીર્થકરેએ પ્રવતવેલ છે અને તે ભૂમંડળમાં જૈન ધર્મ કે આહંત ધર્મ તરીકે વિખ્યાત છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
[૫] તત્વસંવેદન
તત્ત્વવેદન અને શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ સુંદર, સ્પષ્ટતા કરી છે. તેઓ કહે છે : विषकण्टकरत्नादौ, बालादिप्रतिभासवत् । विषयप्रतिभासं स्यात्, तद्धेयत्वाद्यवेदकम् ॥
ઝેર, કટા અને રત્નાદિકને વિષે બાલકાદિના જાણપણુની પેઠે હૈયત્વ આદિને નિશ્ચય નહિ કરાવનારું જ્ઞાન વિષયપ્રતિભાસ છે.”
બાળકે એમ જાણે છે કે આ ઝેર કહેવાય, આ કાંટો. કહેવાય અને આ રન કહેવાય, પણ ઝેર શા માટે ત્યાજ્ય છે? કાંટો શા માટે પરિહાર્ય છે? અથવા રત્ન શા માટે ગ્રહણ કરવા એગ્ય છે? એ વિવેક તેને હોતું નથી. તાત્પર્ય કે હેય અને ઉપાદેયના વિવેકથી રહિત માત્ર વિષયના પ્રતિભાસ રૂપ જે જ્ઞાન હોય, તે વિષય તિભાસ જાણવું.
पातादिपरतन्त्रस्य, तदोषादावसंशयम् । : अनाद्याप्तियुक्तं चात्मपरिणतिमन् मतम् ॥
• ' વિષય અને કષાય વગેરે દોષથી પરતંત્ર થયેલા. પ્રાણીને તેના દોષ વગેરેનું જે સંશયરહિત જ્ઞાન થાય અને જે દુર્ગતિગમનરૂપ અનર્થ અને પરંપરાથી મળતા એલરૂપી.
Page #65
--------------------------------------------------------------------------
________________
ગુણના સંપૂર્ણ ખ્યાલવાળું હોય, તે આત્મપરિણતિમત જ્ઞાન મનાયેલું છે.”
બુદ્ધિશાળી અથવા પંડિત પુરુષ એમ જાણે છે કે વિષય અને કષાયનું સેવન કરવાથી દુર્ગતિમાં જવું પડશે અને સંયમ તથા તપનું આરાધન કરવાથી મોક્ષનું સુખ પ્રાપ્ત થશે, પરંતુ તેઓ વિષય અને કષાયને છોડવા માટે તથા સંયમ અને તપને આદરવા માટે પ્રવૃત્ત થતા નથી. તાત્પર્ય કે જે જ્ઞાનમાં વિષયના પ્રતિભાસ ઉપરાંત હેય અને ઉપાદેયને વિવેક હય, પણ તથાવિધ પ્રવૃત્તિ ન હોય તેને આત્મપરિણતિ જાણવું.
स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यग् , यथाशक्तिफलप्रदम् ॥
“સ્વસ્થ વૃત્તિવાળા તથા શાંત એવા પુરુષને વહુના હેયપણા આદિમાં નિશ્ચયવાળું જે જ્ઞાન થાય છે, તે સભ્ય તત્વસંવેદન કહેવાય છે અને યથાશક્તિ ફળ આપે છે
એક વસ્તુ સારી છે, આદરવા ચોગ્ય છે, એમ જાણ્યા પછી તેને આદરવાની જ બુદ્ધિ રાખવી તથા તે પ્રમાણે આદરવું અને એક વસ્તુ ખરાબ કે છોડવા ચોગ્ય છે, એમ જાણ્યા પછી તેને છેડવાની જ બુદ્ધિ રાખવી તથા તે પ્રમાણે છેડવું, તેને તવસંવેદન કહેવાય છે. આ જ સમ્યગૃજ્ઞાન છે. તેથી સમ્યક્ષ્યારિત્ર પ્રકટ થાય છે અને પરંપરાએ એક્ષ રૂપી -મધુર ફલને આસ્વાદ માણી શકાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
વિષયપ્રતિભાસ જ્ઞાનને લૌકિક ભાષામાં પોપટિયું જ્ઞાન કહેવામાં આવે છે. પિપટ પિતાના સુખથી “રામ રામ એવા શબ્દો બોલે છે, પણ રામ કોણ હતા? રામનું નામ ' શા માટે બેલવું? એ અગે કંઈ પણ જાણતું નથી. આવા જ્ઞાનથી ક્ષણિક મનોરંજન પ્રાપ્ત થાય, પણ વિશેષ ફલ પ્રાપ્ત થઈ શકે નહિ.
આત્મપરિણતિમ જ્ઞાનને લૌકિક ભાષામાં પિથીમાંનાં રીંગણ જેવું જ્ઞાન કહેવામાં આવે છે. પિોથીમાં એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે રીંગણાં ન ખવાય અને તે વાત બરાબર. સમજવામાં આવે છે, પણ રીંગણું ખાવાની પ્રવૃત્તિ છૂટતી. નથી. આવા જ્ઞાનથી શું અર્થ સરે?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ તત્વજ્ઞાનના ભારે શોખીન હતા. તેઓ અવારનવાર વડોદરામાં પિતાના લક્ષમીવિલાસ નામના રાજમહેલમાં વિદ્વાનોને આમંત્રણ આપીને બોલાવતા. અને તેમની પાસેથી ધાર્મિક તથા તત્વવિષયક ભાષણ સાંભળતા. એક વખત એક વિદ્વાને અહિંસા પર એટલું સુંદર ભાષણ આપ્યું કે મહારાજા તથા તેમના કુટુંબીજને પર તેની ઘણી ઊંડી અસર થઈ. તેઓ હવે પછી અહિંસાનું વિશેષ પ્રમાણમાં પાલન કરવા તત્પર થયા, પરંતુ એવામાં વિદ્વાન મહાશયે મુખ પર જામેલાં પરસેવાનાં બિંદુએ લૂછવા. માટે ગજવામાંથી રૂમાલ ખેંચ્યું અને તેમાંથી એક ઇંડું નીચે સરકી પડ્યું. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
એ વિદ્વાનની ભેંઠપને પાર ન રહ્યો અને મહારાજા તથા તેમના કુટુંબીજને પર પડેલી બધી જ છાપ ભુંસાઈ ગઈ તાત્પર્ય કે આવા જ્ઞાનથી ઉદરભરણ, લેકરંજન વગેરે કાર્યો થઈ શકે, પણ વિશિષ્ટ આધ્યાત્મિક ફલની પ્રાપ્તિ થાય નહિ. એ માટે તે તત્વસંવેદનરૂપ જ્ઞાન જ જોઈએ. તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં આવું જ્ઞાન અપેક્ષિત છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
[૬].
નવતત્ત્વ અંગે વિશાળ સાહિત્ય
જૈન શ્રત ચાર અનુગમાં વહેંચાયેલું છેઃ (૧) દ્રવ્યાનુયેગ, (૨) ગણિતાનુગ, (૩) ધર્મકથાનુગ અને (૪) ચરણકરણનુગ. તે અંગે અમે જીવ–વિચાર–પ્રકાશિકાના પ્રથમ ખંડમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે અહીં વિશેષ વિવેચન નહિ કરીએ, પણ પ્રસંગવશાત્ એટલું જણાવીશું કે દ્રવ્યાનુગમાં જેમ ષડદ્રવ્યનું વર્ણન આવે છે, તેમ નવતનું વર્ણન પણ આવે છે અને તે જગત અને જીવનને લગતા અનેકવિધ કૂટપ્રશ્નોનું સુંદર સમાધાન કરે છે. અન્ય રીતે કહીએ તે આજે જેને તત્વચિંતન, તત્ત્વવિદ્યા, તત્ત્વજ્ઞાન, ફિલસૂફી કે દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે, તે ઉક્ત દ્રવ્યાનુચેગને જ એક વિભાગ છે અને તે ધર્માચરણ માટે ભૂમિકા તૈયાર કરવામાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે. “નાળ-વિચાહું મોણો” “ઢ ના તો રમ” “ નાબેન વિ હૃતિ જાળા” આદિ આપ્તવચને આ વિષયમાં પ્રમાણભૂત છે.
જેને નવતત્ત્વને યથાર્થ બંધ નથી, તે જૈન ધર્મને આત્મવાદ, જૈન ધર્મને કર્મવાદ, જૈન ધર્મને પુરુષાર્થવાદ કે જૈન ધર્મને મોક્ષવાદ સમજવાને સમર્થ થતું નથી, તેથી જ જૈન શાસ્ત્રોમાં અનેક સ્થળે નવતનું વર્ણન કરેલું છે અને તેના વિષે એગ્ય સમજૂતી આપવામાં આવી છે. '
Page #69
--------------------------------------------------------------------------
________________
વળી નવતત્વ અંગે પ્રકરણ કે ટીકારૂપ જે સાહિત્ય રચાયું છે, તે પર એક આછ દષ્ટિપાત કરવાથી પણ તેનું મહત્ત્વ લક્ષ્યમાં આવી શકશે.
નવતત્વ અંગે રચાયેલ સાહિત્યની સૂચિ ૧ નવતત્વ-પ્રકરણ મૂળ ૨ નવતત્વ વિચાર
શ્રી ભાવસાગર ૩ બહેનવતા ૪ નવ-તત્ત્વ-વિચાર-સારોદ્ધાર ૫ નવ-તત્વ–સાર (કુલક) આંચ૦ શ્રી યશેખરસૂરિ ૬ નવ-તત્વ–સાર ૭ નવ-તત્વ–વૃત્તિ
શ્રી અંબાપ્રસાદ શ્રી દેવેન્દ્રસૂરિ શ્રી કુલમંડનસૂરિ
શ્રી સમયસુંદરગણિ વિવરણ
શ્રી પરમાનંદસૂરિ > >
શ્રી દેવચંદ્ર , અવચૂર્ણિ
શ્રી સાધુરત્નસૂરિ
શ્રી માનવિજયગણિ, કે છે
» પ્રક્ષેપ ગાથા (૧૧૩) શ્રી વિજયસૂરિ ૧૭ નવ-તત્ત્વ-પ્રકરણ
શ્રી દેવગુતસૂરિ ૧૮ એ ભાગ્ય
શ્રી અચદેવસૂરિ ૧૯ , વૃત્તિ
શ્રી યદેવ ઉપાધ્યાય
૧૦
?”
A
+
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૫
૨૦ નવ-તત્વ–બાલાવબોધ
&
૨૨
, (કુલક) ,
શ્રી હર્ષવર્ધનગણિ
શ્રી પાર્શ્વચન્દ્ર શ્રી મેરૂતુંગસૂરિસન્તાનીય શ્રી માનવિજયગણિ શ્રી મણિરત્નસૂરિ
છે
,
બે
જ
1
2
નવતત્ત્વરાસ
શ્રી ઋષભદાસ ૨૭ છે કે ?
શ્રી ભાવસાગર ૨૮ ૪ : છ
શ્રી સૌભાગ્યસુંદર ૨૯ નવ-તત્વ–જેડ
શ્રી વિજયદાનસૂરિ ૩૦ નવ-તત્વ–સ્તવન
શ્રી ભાગ્યવિજયજી ૩૧ નવ-તત્વ–સ્તવન
શ્રી વિવેકવિજયજી by , પાઈ
શ્રી કમલશેખર ૩૩ 95 9 )
શ્રી સૌભાગ્યસુંદર ૩૪ 9 » ?
શ્રી વર્ધમાનમુનિ ૩૫ , , ,
શ્રી લુંબકમુનિ ૩૬ નવતત્વ-છંદબદ્ધભાષા શ્રી જ્ઞાનસારમુનિ ૩૭ , સાર
વિશેષમાં આહંતદર્શન દીપિકા, જૈન દર્શન, જેમ
૧ આ ગ્રન્થ ઉપા૦ શ્રી મંગલવિજયજી મહારાજે રચેલ જેન તત્ત્વ પ્રદીપના વિવેચન રૂપે રચાયેલું છે. તેના વિવેચનકર્તા છે. હીરાલાલ રસિકલાલ કાપડિયા છે.
૨ આ ગ્રન્થ ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજીએ રચેલે છે અને પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામેલે હેઈ નવમી આવૃત્તિ સુધી પહોંચે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
થર્મસાર વગેરે ગ્રંથોમાં પણ નવતત્વ સંબધી ઘણું વિવેચન થયેલું છે.
1. તાત્પર્ય કે જૈન ધર્મનાં તાવિક મંતવ્યો સમજવા માટે નવતત્વ અતિ ઉપયોગી છે અને તે જ કારણે ધાર્મિક અભ્યાસક્રમમાં તેને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે.
આજે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં નવતત્વનું શિક્ષણ આપવા માટે પ્રાયઃ નવ-તત્વ-પ્રકરણની પસંદગી થાય છે કે જેના કર્તા વિષે હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય થઈ શક્યો નથી. '
પ્રસ્તુત નવ-તત્વ-પ્રકરણ પર સિદ્ધાંતવાચસ્પતિ ન્યાયવિશારદ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે વિસ્તારાર્થ લખેલે છે તથા પં. ભગવાનદાસ હરખચંદે સંક્ષિપ્ત સારભૂત વિવેચન કરેલું છે અને તે તેમના પિતાના તરફથી જ પ્રકટ થયેલું છે. ત્રીજું વિવેચન સિનેરનિવાસી માસ્તર ચંદુલાલ નાનચંદે કરેલું છે અને તે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રકટ થયેલું છે. આજે આપણી પાઠશાળાઓમાં બહુધા છેલ્લાં બે વિવેચનેને જ ઉપયોગ થાથ છે, પરંતુ વૈજ્ઞાનિક યુગમાં ઉછરતા વર્તમાનકાલીન" વિદ્યાર્થીઓ તેમજ વિદ્યારસિકોની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે વિશિષ્ટ શિલિવાળી વિસ્તૃત વૃત્તિની જરૂર જણાતાં અમે તે દિશામાં એક નમ્ર પ્રયાસ કર્યો છે.
૩ આ ગ્રન્થ અમે એ રચેલે છે અને તે હિન્દી તથા અંગ્રેજી) ભાષામાં જૈન માર્ગ આરાધકસમિતિ–રોકાક તરફથી પ્રસિદ્ધ થયેલો છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
[૭] પ્રસ્તુત ગ્રંથનિર્માણ
કેટલાક વખતથી નવ-તત્વ પર વિશિષ્ટ વૃત્તિ રચવાની અમારી ભાવના હતી, તે જીવ-વિચાર-પ્રકાશિકા નિર્માણ વખતે પ્રબળ બની. એવામાં અન્ય મિત્રો-વિદ્વાને તરફથી પણ આવાં જ સૂચન થયાં અને સ્વ. મુરબ્બી શ્રી ફત્તેહચંદભાઈ તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ તે પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં આ વસ્તુ અક્ષરાંતિ પણ કરી, એટલે અમે નવ-તત્વ-પ્રકરણ ઉપર દીપિકા નામની વૃત્તિ રચવાને સંકલ્પ કર્યો અને તેની શરૂઆત કરી.
આ વૃત્તિમાં (૧) ઉપક્રમ, (૨) મૂળપાઠ, (૩) સંસ્કૃત છાયા, (૪) શબ્દાર્થ, (૫) અર્થ–સંકલના અને (૬) વિવેચન એ છ અંગેનું ધેરણ સ્વીકાર્યું, જેથી તેના અભ્યાસીઓને અભ્યાસમાં ઘણું સરલતા રહે.
પછી નામને પ્રશ્ન આવ્યું. પુસ્તક કે ગ્રન્થનું નામ તે ચેડા અક્ષરનું જ હોય છે, પણ તેને નિર્ણય કરવામાં ઠીક ઠીક મને મંથન કરવું પડે છે. કેટલાક લેખકને માટે આ બાબત સરળ હશે, પણ અમારે અનુભવ આ પ્રકારને છે. એક પછી એક અનેક નામે અમારા રમૃતિપટ પર ઉપસ્યા કરે છે અને તેને પૂર્વાપર વિચાર કર્યા પછી, છેવટે નામને નિર્ણય થાય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ
ગ્રન્થનું જે નામ નક્કી થાય તે સરલ, સ્પષ્ટ તથા સાથે હાવુ જોઈએ. • જિનેપાસના' નામ નક્કી કરતાં અમને ઠીક ઠીક સમય લાગ્યો હતા, પણ આખરે પંચાક્ષરી સુંદર નામ મળી આવ્યું, તે માટે ઘણા આન થયા હતા. - જીવ-વિચાર-પ્રકાશિકા' ના અનુભવ પણ લગભગ આવે જ હતા. નવ અક્ષરોથી બનેલા આ નામમાં કોઈ ગુઢ સક્ત તે નથી ? એવા પ્રશ્ન અમને ઘણીવાર થયા કરતો હતા. તેનુ અપનામ જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન રાખવામાં આવ્યું, ત્યારે પ્રાણીવિજ્ઞાન શબ્દે અમને ઠીક ઠીક મનેામ થન કરાવ્યું હતું. પ્રસ્તુત ગ્રન્થનું નામ પણ કેટલાક સનોમાંથન પછી નક્કી થયું હતું.
C
.
નવ-તત્ત્વ પ્રકરણ પરની દીપિકા નામની વૃત્તિ, તે નવ-તત્ત્વ દીપિકા. એમાં સાત અક્ષરના સુઘેર મેળ છે. એનુ અપરનામ ‘જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન' રાખી શકાયું હાત, પણ તેમાં વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે, એવ રણકાર ન હતા. આખરે તત્ત્વજ્ઞાનની આગળ અદ્દભુત વિશેષણ ઉમેરતાં એ રણકાર ઉઠો અને અમાશ મનનું સમાધાન થયુ. તાત્પર્ય કે આ ગ્રન્થનું અપરનામ જૈન ધનું અદ્દભુત તત્ત્વજ્ઞાન’ રાખવામાં આવ્યું અને કામ આગળ ધપાળ્યું.
'
•
પ્રાચીન સાહિત્ય પર નવીન ઢબે વૃત્તિ રચવાનું કામ સહેલું તો નથી જ. તેમાં આધારભૂત સાહિત્યને એકત્ર કરવુ પડે છે અને તે કોઈ એક જ સ્થળેથી મળતું નથી. તે માટે
Page #74
--------------------------------------------------------------------------
________________
અનેક પુસ્તકાલયે, જ્ઞાનભંડારે તથા જ્ઞાનરસિક ગૃહસ્થના ગ્રંથાલયે ટૂંઢવા પડે છે. ઘણુ પરિશ્રમે આવું સાહિત્ય એકત્ર થયા પછી તેને વાંચવું-વિચારવું પડે છે તથા તેમાંથી જરૂરી ને તૈયાર કરવી પડે છે. તે સાથે આનુષંગિક વિષય અંગે અન્ય સાહિત્યનું પયે પણ જરૂરી બને છે અને સતત ચિંતન-મનન કરવાની આવશ્યકતા રહે છે. તે સિવાય ન તે મૂળ વિષયને ન્યાય આપી શકાય છે કે ન તે તેમાં નવીનતાની ઝલક આવે છે. ટૂંકમાં નવીન વૃત્તિનું નિર્માણ એ પરિશ્રમભરેલું કઠિન કાર્ય છે અને તે ઉત્કટ આંતરિક અભિરુચિ હેય તે જ સફલતાથી પાર ઉતરે છે.
અમને આ પ્રકારના સાહિત્ય-સર્જનમાં આંતરિક રસ છે, એટલે જ વ્યવહારનાં બધાં કાર્યો ગૌણ કરીને તેમાં તલ્લીન રહીએ છીએ અને ગમે તે કઠિન પરિશ્રમ કરે પડે તે પણ કરીએ છીએ. હજી વધારે સ્પષ્ટ કહીએ તે આ વખતે અમે ખાવાપીવાનું ભૂલી જઈએ છીએ, અમારી નિદ્રાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે અને બીજી કોઈ વરંતુ અમને ગમતી નથી. આ કાર્યમાં એકાગ્રતા તે એવી જામે છે કે નીચે હુલ્લડ મળ્યું હોય કે પાડોશના ઓરડામાં ખૂબ બેલાચાલી થતી હોય તે પણ અમને ખબર પડતી નથી. એટલું જ નહિ પણ એક જ આસને સાત-સાત કે આઠ-આઠ ક્લાક બેસવાનું સહજ બની જાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત લેખાશે કે જે મંત્ર, તેંત્ર કે ગ્રન્થ પર નવી નવી વૃત્તિઓ રચાતી રહે છે, તેની
Page #75
--------------------------------------------------------------------------
________________
go
મહત્તા વિવિધ સ્વરૂપે બહાર આવે છે અને તેથી તેના તરફ લોકોનું ભારે આકર્ષણ જામે છે. નવકારમંત્ર આમ તે માત્ર નવપદની અડસઠ અક્ષરની એક સાદી સરલ રચના છે, પણ તેના પર નિર્યુક્તિઓ, ચૂર્ણ, ટીકાઓ, ટિપ્પણે, આલાબ, ક વગેરેની રચના થતી જ રહી, તે તેનું અપૂર્વ માહાતમ્ય બહાર આવ્યું અને આજે સકલ જૈન સંઘની તેના પ્રત્યે પરમ ભક્તિ છે. ઉવસગહર સ્તોત્ર, ભક્તામરતેત્ર, કલ્યાણમંદિરસ્તાત્ર વગેરેએ આપણું હૃદયમાં આટલે આદર મેળળે, તેનું કારણ પણ તેના પર રચાયેલી મહત્વપૂર્ણ વિવિધ વૃત્તિઓ છે. વળી તત્વાર્થાધિગમસૂત્રનું ગંભીર રહસ્ય આપણને શાથી અવગત થયું? તેના પર સમયે સમયે રચાયેલી નાવિન્યપૂર્ણ વૃત્તિઓને લીધે જ.
અન્ય દર્શનની વાત કરીએ તે પાતંજલગસૂત્ર અને ભગવદગીતાને મહિમા જગતમાં ઘણું પ્રસર્યો, તેનું કારણ તેના પર રચાયેલી વિવિધ વૃત્તિઓ જ છે. આ યુગમાં લેકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, શ્રી વિનોબા, શ્રી વિદ્યાનંદજી મહારાજ વગેરેએ જુદી જુદી દૃષ્ટિએ ભગવદ્ગીતા પર ઘણું વિવેચન કર્યું તે આજે તેની લેકપ્રિયતા ટોચે અડી છે અને દર વર્ષે તેની લાખે નકલે ખપે છે. ભારતની તે કેઈપણ ભાષા એવી નથી કે જેમાં આ પુસ્તકને અનુવાદ થયે ન હોય! વિદેશની પણ અનેક ભાષામાં તેને અનુવાદ થયે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી મહત્વપૂર્ણ પ્રાચીન ગ્રન્થ પર નવી નવી દ્રષ્ટિએ વૃત્તિઓ લખાતી રહે
Page #76
--------------------------------------------------------------------------
________________
૧
તે અત્યંત જરૂરનું છે અને તેથી આવી પ્રવૃત્તિના આપણે ચૈાગ્ય આદર-સત્કાર કરવા જોઈએ.
અહીં અમે એ વસ્તુ સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે પ્રાચીન જૈનશ્રુત પર નવીન વૃત્તિનું નિર્માણ કરનારા ચારિત્રસ'પન્ન મહામેધાવી મુનિવરોની સરખામણીમાં આજની વિદ્વતા, આજની પંડિતાઈ કાઈ વિસાતમાં નથી, આમ છતાં શુભ કાર્યોમાં યથાશક્તિ પ્રયાસ કરવા જ રહ્યો. જો આવે પ્રયાસ કરીશું નહિ તો આજની પ્રજા ભૌતિકવાદના ભય કર વમળમાં તણાઈ જશે અને આપણી ધર્મભાવનાને ધીંગા ધક્કો પહોંચશે.
આજના ગૃહસ્થવર્ગ પ્રાચીન ભાષા સમજતા નથી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઘણું અલ્પ ધરાવે છે, એટલે તે વર્તમાન ભાષામાં રાચક લિએ લખાયેલ' અને સુ ંદર રૂપરંગમાં બહાર પડેલું સાહિત્ય જ માગે છે. આ વખતે જે તેમને આ પ્રકારનુ' સાહિત્ય આપીશુ તે તેના સત્કાર કરશે અને જૈનધમ તથા તેમા તત્ત્વજ્ઞાન તરફ આદ્યરવાળા બનશે.
છદ્મસ્થ—અપૂર્ણ —અલ્પજ્ઞાની મનુષ્યની કૃતિમાં એક યા બીજા પ્રકારની કેટલીક ભૂલો તા રહી જ જવાની ! પરંતુ તેટલા જ કારણે નવીન સાહિત્યનું સર્જન અનુયાગી— અનુપાદેય ઠરતુ નથી. જો એક પણ ભૂલ વિનાના સાહિત્યને આગ્રહ રાખવામાં આવે તે એવુ સાહિત્ય ભાગ્યે જ પ્રાપ્ત થશે અને આપણે નવીન સાહિત્યથી સર્વથા વચિત રહી
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨
જઈશું, જે હરગીઝ ઈચ્છવા યોગ્ય નથી. નવા સાહિત્યસર્જનમાં દોષોનું નિવારણ કરવા માટે તેનું સંશોધન ગીતાર્થ મુનિવરે દ્વારા કરાવવું, એ જ એક સર્વોત્તમ ઉપાય છે. શ્રી પંચપ્રતિકમણુસૂત્રપ્રબોધટીકા, જિનપાસના, જીવ-વિચારપ્રકાશિકા તથા પ્રસ્તુત ગ્રન્થમાં અમે આ પદ્ધતિને બરાબર અનુસર્યા છીએ.
અહીં એટલું જણાવવું ઉચિત છે કે પ્રસ્તુત કૃતિ પ્રાચીન સાહિત્ય પરની એક વૃત્તિ હેવા છતાં તેમાં મૌલિક ગ્રન્થની ક્ષમતા છે અને તે જૈન ધર્મ તથા તેના અદ્ભુત તત્વજ્ઞાન પર સુંદર પ્રકાશ પાડે છે. સુજ્ઞ પાઠકે તેને વાંચે, વિચારે અને પિતાને અભ્યદય સાધે, એ જ અભ્યર્થના.
Page #78
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
ચાને
જૈન ધર્મનું અદ્ભુત તત્ત્વજ્ઞાન
25216
Page #79
--------------------------------------------------------------------------
Page #80
--------------------------------------------------------------------------
________________
૫ ૩૪ અર્ફે નમઃ ૫
પ્રકરણ પહેલુ
નવતત્ત્વનાં નામા તથા ભેદા [ ગાથા પહેલી તથા ખીજી
(૧) ઉપમ
માનવ-જીવનનું અંતિમ સાધ્ય માક્ષ છે. આ નિણૅય ચાર્વાક, ભૌતિકવાદી કે નાસ્તિકાને ભલે મજૂર ન હાય, પણ અધ્યાત્મ અને ચેાગના ઉચ્ચતમ શિખર પર આરૂઢ થયેલા ધર્મ પરાયણ આ મહર્ષિ આએ એની એકી અવાજે જાહેરાત કરેલી છે.
મનુષ્યની સર્વ પ્રવૃત્તિ સુખને અર્થે જ થાય છે, તા જેના વડે પરમસુખની પ્રાપ્તિ થાય, એવી અવસ્થાને જ તેણે પોતાનું અંતિમ સાધ્ધ માનવું જોઈએ. આવી અવસ્થા માત્ર એક મેાક્ષ છે. મુક્તિ, સિદ્ધિ, નિર્વાણું, નિઃશ્રેયસૂ, પરમપદ એ તેના પર્યાયશબ્દો છે.
ભાગવિલાસનું અંતિમ પરિણામ રોગ, શેક અને
Page #81
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
-----
દુખની પરંપરામાં જ આવે છે, એટલે માનવજીવનના અંતિમ સાધ્ય તરીકે તેને સ્વીકાર થઈ શકે નહિ. અન્ય. શબ્દોમાં કહીએ તે જેઓ ભેગવિલાસને જીવનનું અંતિમ સાધ્ય માનીને તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થાય છે, તેઓ ટૂંક સમયમાં જ રંગના લેગ બને છે, વિવિધ પ્રકારની. ચિંતાઓથી ઘેરાય છે અને દારુણ દુઃખને અનુભવ કરે છે. શું કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય આવી સ્થિતિની સ્પૃહા કરે છે ખરે? આ પ્રશ્રને ઉત્તર નકારમાં જ આવવાને. તાત્પર્ય કે ભેગવિલાસને નિસાર જાણી તેને. ત્યાગ કરે અને મોક્ષને પરમસુખનું ધામ માની, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર, એ જ સાચી બુદ્ધિમત્તા છે.
મક્ષપ્રાપ્તિને મુખ્ય ઉપાય રત્નત્રયીની આરાધના છે. રત્નત્રયી એટલે સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક ચારિત્ર. અહીં સમ્યગદર્શનને પ્રથમ મૂકવાનું કારણ એ છે કે તેના વિના સભ્યજ્ઞાન કે સમ્મચારિત્રની પ્રાપ્તિ. થતી નથી. આ કારણે મેક્ષાભિલાષી મુમુક્ષુજનેએ. પ્રથમ પ્રયત્ન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે કરવું પડે છે.
સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ કેને થાય?' આ પ્રશ્નના ઉત્તરમાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે જેઓ સ્વપ્રયત્નથી કે ગુરુના ઉપદેશથી નવતત્વનું સ્વરૂપ જાણીને તેમાં શ્રદ્ધાવિત થાય છે, તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.” તાત્પર્ય કે નવતત્વનું જ્ઞાન સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક છે. •
Page #82
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વનાં નામેા તથા ભેરા
શ્રી ભગવતીસૂત્રમાં શ્રાવકોની જ્ઞાનસમૃદ્ધિનું વર્ણન આવે છે. તેમાં જણાવ્યુ છે કે ‘મિયઽીવાનીવા સનદ पुण्णपावा आसवरांवर णिज्जरकिरियाहिगरणश्च धप्पमोक्खकुस ला જેમણે જીવ અને અજીવને જાણી લીધા છે, જેમને પુણ્ય અને પાપનું જ્ઞાન ઉપલબ્ધ છે, જે આશ્રવ, સવર, નિશ, ક્રિયા, અધિકરણ, બંધ અને મેાક્ષમાં કુશલ છે.' તાત્પય કે જેઓ આત્મહિતની અભિલાષા રાખનારા છે, તેમણે સમ્યકૃતની પ્રાપ્તિ, શુદ્ધિ અને સ્થિરતા માટે નવતત્ત્વના આદ્ય સારી રીતે પ્રાપ્ત કરી લેવા જોઈએ.
ભવભીરુ ભવ્યાત્માઓને નવતત્વના ચથાર્થ આધ થાય તે માટે ચારિત્રસંપન્ન મહામેધાવી મુનિવરોએ જિનાગમરૂપી સમુદ્ર મંથન કરીને કેટલાક પ્રકરણગ્રસ્થાની રચના કરેલી છે. ૧ પ્રસ્તુત નવ-તત્ત્વ-પ્રકરણ ગ્રન્થ તેમાંના એક છે. તેના પ્રારંભ આ રીતે થાય છે
(૨) મૂળ ગાથા
जीवाजीवा पुण्णं पावाऽऽसव संवरो य निज्जरणा । बंधो मुक्खो यतहा, नव तत्सा हुंति नायव्वा ॥१॥ (૩) સંસ્કૃત છાયા :
जीवाजीव पुण्यं पापास्रवो संवरश्च निर्जरणा । बन्ध मोक्षश्च तथा नवतत्त्वानि भवन्ति ज्ञातव्यानि ॥१॥
૧. આ વિષયમા વધારે જાણવા ઈચ્છનારે જીવ—વિચાર–પ્રકાશિકાના પહેલા ખડનું આગમસાહિત્ય અને પ્રકરણુ-ગ્રન્થા' નામનુ બીજી પ્રકર્ણ અવશ્ય જોવું.
C
Page #83
--------------------------------------------------------------------------
________________
નવતત્વ-દીપિકા
----
-----
-
-
(૪) શબ્દાર્થ :
ની અને અનીવ, તે જાળીવા. લીવ-જીવ. જેનામાં ચેતના એટલે જ્ઞાન અને સુખ–દુઃખનું સંવેદન હોય તે જીવ કહેવાય. અથવા જે દશ પ્રાગે પૈકી યથાગ્ય પ્રાણેને ધારણ કરે તે જીવ કહેવાય છે અથવા જે કર્મના ભેદને કર્તા છે. કર્મના ફળને ભક્તા છે. કર્મફલને અનુસરીને ચતુર્ગતિમાં સંગરનાર છે. તેમ જ પુરુષાર્થના ચગે સર્વ કર્મને વિનાશ કરનાર (અને તેથી કમરહિત થઈને મોક્ષ પામનાર) છે, તે જીવ કહેવાય*
જીવનું આ સામાન્ય લોકાણ કર્યું. વિશેષ લક્ષણે પાંચમી ગાથામાં કહેવાશે.
–અજીવ. જેનામાં જીવનું લક્ષણ નથી, એટલે કે જે ચેતનારહિત છે, જડ છે, તે અજીવ કહેવાય.
પુ-પુણ્ય, જે કર્મને લીધે જીવ સુખ પામે તે પુણ્ય કહેવાય. चेतनालक्षणो जीव । वत्तणालक्खणो कालो, जीयो स्वभोगलक्खयो।
नाणेण दसणेण च, सुहेण य दुहेण य ॥ ३. जीवति दशविधान् प्राणान्, धारयतीति जीवः । ४. यः कर्ता कर्मभेदाना, भोक्ता कर्मफलस्य च ।
संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षण. ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
નવતાનાં નામો તથા ભેદો
વાવ–પાપ.
પાર અને સાક્ષર તે જુવારવા. જે અશુભ કર્મને લીધે જીવ દુઃખ પામે, તે પાપ કહેવાય. પુણ્યથી પાપ વિપરીત છે, બિલકુલ ઉલટું છે.
માસવ–આશ્રવ.
શુભ અથવા અશુભ કર્મનું આવવું, તે આશ્રવ કહેવાય. ૩-સમત્તાનું પ્રતિ વર્ષ અને નેતિ લાશ્રવ –જેના વડે સર્વ બાજુથી કર્મ આવે, તે આશ્રવ. અથવા ભાસ્કૂચ રાવીને જર્મ અને નેતિ શ્રા :-જેના વડે કર્મનું ગ્રહણ કરાય, તે આશ્રવ. અથવા બીચ–ાર્ચને વર્ગ fમરિત્યાછવા જેના વડે કર્મ ઉપાર્જન કરાય, તે આશ્રવ. અહીં આસવ એ શબ્દપ્રયોગ પણ થાય છે.
સંવરો-સંવર.
જેના વડે આવતાં કર્મો અટકે, તે સંવર કહેવાય. સંતૃળોતિ કર્મ અનેતિ સંવર:–જેના વડે કર્મનું સંવરણ થાય—અટકાયત થાય, તે સંવર. આશ્રવને નિરોધ કરવાથી આ સ્થિતિ ઉત્પન્ન થાય છે.
-અને. નિત્તર-નિર્જરા.
કર્મનું અમુક અંશે જવું, ખરવું, ઝરવું, સડવું કે નાશ પામવું, તે નિર્જરા કહેવાય.
વંધો–બંધ.
Page #85
--------------------------------------------------------------------------
________________
નવ-તાવ-દીપિકા
જીવ સાથે કર્મને ક્ષીર-નીર જે પરસ્પર સંબંધ થે, તે બંધ કહેવાય.
મુનો-મેક્ષ.
જીવને સર્વ કર્મમાંથી છૂટકારે , તે મોક્ષ કહેવાય.
ચ–વળી. તા-તથા, તેમજ. નવ-નવ. નવ એ સંખ્યાદર્શક વિશેષણ છે. સત્તાત.
મારતત્ત્વ” તેનું એટલે પદાર્થનું જે યથાર્થ સ્વરૂપ, તે તત્ત્વ વધારે સ્પષ્ટ કહીએ તે વસ્તુના મૂળ, અસલ કે વાસ્તવિક સ્વરૂપને તત્વ કહેવામાં આવે છે. ઘણી વાર સાર કે રહસ્યના પર્યાય તરીકે પણ તેને ઉપયોગ થાય છે.
દુનિ–છે.
નાચડ્યા-જાણવા મેગ્ય. (૫) અર્થ–સંકલનાઃ
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મેક્ષ, એ નવ ત જાણવા ચોગ્ય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વનાં નામેા તથા ભેટા (૬) વિવેચન :
• આ ગાથા શાસ્ત્રના પ્રારંભની છે, છતાં તેમાં શિષ્ટજનસંમત મંગલાચરણ કેમ નથી ? ' એવા પ્રશ્ન થવા સહજ છે, એટલે પ્રથમ તેનુ સમાધાન કરીશું.
,
હું
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે—
मंगिज्जएऽधिगम्मर, जेण हिअं तेण मंगलं होई । अहवा मंगो धम्मो, तं लाइ तं समादत्ते ॥ - જેના વડે હિત સધાય, તે મંગલ કહેવાય છે. અથવા જે મ`ગ એટલે ધર્મીને લાવે, ધર્મને પ્રાપ્ત કરાવે, તે મંગલ કહેવાય છે.'
આ વ્યાખ્યા અનુસાર નવતત્ત્વ મ ંગલસ્વરૂપ છે, કારણ કે તેનાથી પ્રાણીઓનુ હિત સધાય છે, અથવા તે ધમની – ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આવા મંગલસ્વરૂપ નવતત્ત્વનાં નામેાનો નિર્દેશ કરવા, તે એક પ્રકારનુ મગલાચરણ જ છે. અથવા તે શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં મંગલાચરણા કહેલાં છે : (૧) નમસ્કારાત્મક (૨) આશીર્વાદાત્મક અને (૩) વસ્તુસંકીર્તનરૂપ. તેમાં નમસ્કારાત્મક મંગલાચરણમાં ઈષ્ટદેવને નમસ્કાર કરેલા હાય છે, આશીર્વાદાત્મક નમસ્કારમાં પાઠકોને આશીર્વાદ આપેલે હાય છે અને વસ્તુસંકીર્તનરૂપ મગલાચરણમાં મૂળ વસ્તુનું –વિષયનું સમ્યગ્ વર્ણન કરેલું હોય છે. આ મગલા
Page #87
--------------------------------------------------------------------------
________________
વ
નવતત્ત્વ દીપિકા,
'
ચણા પૈકી અહી વસ્તુસકી નરૂપમંગલાચરણુ કરવામાં આવ્યું છે, કારણ કે તેમાં મૂળ વસ્તુનુ અર્થાત્ નવતત્ત્વનું નામકથન વડે સમ્યગ્ વર્ણન કરેલુ છે. અહીં કુંત્તિ ના અન્યા’ એવાં જે એ પદો છે, તે પણ વસ્તુસંકીતનના જ એક પ્રકાર છે, કેમકે સીન શબ્દ પ્રશસાનાં અર્થમાં પણ પ્રવર્તે છે અને આ બે પટ્ટો નવ–તત્ત્વની પ્રમેય તરીકે પ્રશંસા કરનારાં છે.
કે સખધ, અધિ
'
જો અહીં એમ કહેવામાં આવે કારી, વિષય અને પ્રયોજન એ ચાર અનુખ ધાથી રહિત શાસ્ત્રની આદિમાં કરેલુ મંગલાચરણ શૈાલતુ નથી, પ તો તેનુ સમાધાન આ પ્રકારે સમજવું. અહીં અભિધેય અને ગ્રન્થને વાચવાચક એ સમ ધ છે અને નવતત્ત્વના જિજ્ઞાસુ આત્મા તેના અધિકારી છે. આ એ વસ્તુ ઉપલક્ષણથી સમજવાની છે. વિશેષમાં નવત્તત્ત્વ એ ગ્રન્થનો વિષય છે, જે નવ તત્તા પદ્મથી સૂચિત કરવામાં આન્યા છે અને નવ તત્ત્વ જાણીને પર ંપરાએ મેક્ષ મેળવવા એ તેનુ પ્રયેાજન છે, જે વ્રુત્તિ નાવ્યવા એ કે પોથી સૂચિત કરવામાં આવ્યું છે. આ રીતે આ ગાથામાં અનુઅધચતુષ્ટયની વ્યવસ્થા હેાવાથી તેના દ્વારા જે મંગલાચરણુ કરવામાં આવ્યુ, તે શાભારહિત નથી, પણ શેલાસ્પદ છે, પ્રશસ્ત છે, પ્રશ ંસનીય છે.
૫. સમ્બન્ધાધારી ન, વિષયચ્ચ પ્રયોગનમ્ । विनाऽनुबन्धं प्रन्यादौ मङ्गलं नैव शस्यते ॥
"
Page #88
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વનાં નામા તથા ભેદા
પરિભાષાની સરલતા અને પ્રાચીનતા :
સામાન્ય રીતે તત્ત્વવિષયક પરિભાષા કઠિન હાય છે અને તે માટે ચાજાતા શબ્દો લાંમા ાય છે, પણ અહીં નવતત્ત્વનાં જે નામેાનો નિર્દેશ કરવામાં આવ્યા છે, તે ઘણા સરલ છે અને ઘણા ટૂંકા પણ છે. આમાંના કોઈ પશુ શબ્દ ત્રણ અક્ષર કરતાં વધારે અક્ષરથી અનેલે નથી. (આ વિધાન સ ંયુક્તાક્ષરને એક અક્ષર ગણીને કરવામાં આવે છે. ) આ રહ્યાં તે નામેા : (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) મધ અને (૯) મોક્ષ.
૧૧:
.
આમાં આશ્રવ, સવર અને નિરાકઈક અપરિ ચિત લાગે છે, પણ તે ઘણા પ્રાચીન છે અને જૈન દર્શનની. મૌલિક્તાને સિદ્ધ કરનારા છે.
જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. હુમન યાકોખીના જૈન દર્શન' નામના એક લેખ ઈન્સાઈકલે પીડિયા ઑઑફ રિલિજિયન એન્ડ એથિસૂ ( ધર્મ અને નીતિના વિશ્વકેષ)ના અગિયારમા ભાગમાં પ્રકટ થયેલા છે. તેમાં જણાવ્યું છે કે—
* Now these terms ( Asrava, Samvara: and Nirjara) are as old as Jainism, for, the Buddhists have borrowed from it the most significant term Asrava; They use it in very much the same sense as the Jains,
Page #89
--------------------------------------------------------------------------
________________
ર
નવતત્ત્વ દીપિકા
but not in its literal meaning, since, they do not regard the Karma as subtle matter, and they deny the existence of a soul into which the Karma could have an 'influx.'
Thus the same argument serves to prove at the same time that the Karma theory of the Jains is an original and integral part of their system and that Jainism is considerably older than the origin of Buddhism. ''
અર્થાત્ આ રાખ્યું (આશ્રવ, સંવર અને નિશ ) જૈન ધર્મી જેટલા જ પ્રાચીન છે, કારણ કે બૌદ્ધીએ તેમાંના વિશિષ્ટ અર્થીસૂચક આશ્રવ શબ્દ અપનાવેલા છે અને જૈનો જે અર્થમાં તેના ઉપયોગ કરે છે, લગભગ તેવા જ અર્થાંમાં તેના ઉપયોગ કરે છે, પણ તે જ અર્થ માં તેનો ઉપયોગ કરતા નથી, કારણ કે તે કર્મના એક સૂક્ષ્મ તત્ત્વ તરીકે સ્વીકાર કરતા નથી અને તેઓ એવા આત્માનો ઈન્કાર કરે છે કે જેમાંની કોઈ પ્રકારની અસર પહોંચતી હોય. આ રીતે આ જ લીલથી એ વસ્તુ પણ પુરવાર થાય છે કે કર્મનો સિદ્ધાન્ત એ જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત છે અને તે એમના દર્શનનુ એક અવિભાત્મ્ય અંગ છે તથા જૈન ધમ ૌદ્ધ ધર્મની ઉત્પત્તિ કરતાં ઘણા જ પુરાણા છે.'
Page #90
--------------------------------------------------------------------------
________________
નવતત્વનાં નામ તથા લે નવતરને ક્રમ :
અહીં નવતત્વનાં નામો જે કમે રજૂ કરવામાં આવ્યાં છે, તેની પાછળ ચેકસ હેતુ રહે છે, તે આ પ્રમાણેઃ
સર્વે તને જાણનારે સમજનારે તથા સંસાર અને મોક્ષસંબંધી સઘળી પ્રવૃત્તિ કરનારે જીવે છે. વળી જીવ વિના અજીવ તથા પુણ્યાદિ તત્વે સંભવે નહિ, તેથી પ્રથમ નિર્દેશ છવને કરવામાં આવે છે.
જીવની ગતિ, સ્થિતિ, અવગાહના, વર્તના આદિ અજીવની સહાયતા વિના થઈ શક્તી નથી, તેથી જીવ પછી તરત જ જીવને નિર્દેશ કરવામાં આવ્યું છે.
જીવનાં સાંસારિક સુખનું કારણ પુણ્ય છે અને. દુઃખનું કારણ પાપ છે, તેથી ત્રીજે નિર્દેશ પુણ્યને. અને ચોથા નિર્દેશ પાપને કરવામાં આવ્યો છે.
પુણ્ય અને પાપને આશ્રવ વિના સંભવ નથી, તેથી: પાંચમે નિર્દેશ આશ્રવને કરવામાં આવ્યું છે.
આશ્રવનું વિરોધી તત્વ સંવર છે, તેથી આશ્રવ . પછી તરત જ સંવરને નિર્દેશ કરવામાં આવ્યું છે.
જેમ નવાં કર્મોનું આગમન સંધરથી રેકાય છે, તેમ પુરાણું કર્મોને ક્ષય નિર્જરાથી થાય છે, તેથી સંવર પછીનું સ્થાન નિજરને આપવામાં આવ્યું છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
'૧૪
નવ-તત્વ-દીપિકા નિર્જરાનું વિધી તાવ બંધ છે, એટલે નિર્જર પછી તરત જ બંધને મૂકવામાં આવ્યું છે.
જેમ જીવને કર્મની સાથે સંબંધ થાય છે, તેમ સર્વથા છૂટકારો પણ થાય છે, તેથી બંધ પછી તરત જ મોક્ષને નિર્દેશ કરવામાં આવ્યું છે. નવતત્વમાં આ તત્ત્વ છેલ્લું છે, કારણ કે તેની પ્રાપ્તિ કર્યા પછી કંઈ પણ કરવાનું રહેતું નથી. નવતત્વને સંક્ષેપ :
આ નવતને સક્ષેપ કરવા ઈચ્છીએ તે થઈ શકે છે. દાખલા તરીકે શુભ કર્મને આશ્રવ તે પુણ્ય છે અને અશુભ કર્મને આશ્રવ તે પાપ છે, તેથી પુણ્ય અને પાપતત્વને આશ્રવમાં ગણવામાં આવે અથવા પુણ્ય અને પાપ આ બંને તત્વે બંધરૂપ પણ છે, તેથી તેને બંધતત્વમાં ગણવામાં આવે તે તેની સંખ્યા સાત પર આવી જાય છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થાધિગમસૂત્રમાં અને શ્રી મલયગિરિ મહારાજે પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં આ રીતે સાત તની ગણના કરેલી છે.
આ સાત તને પુનઃ સંક્ષેપ કરવા ઈચ્છીએ તે ६. जीवाजीवाश्रवन्धसवरनिर्जरामोक्षास्तत्त्वम् । ७. सर्वे च ते भावाश्च सर्वभावा जीवाजीवाश्रववन्धसंवरनिर्जरा
મોક્ષા:
Page #92
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વનાં નામા તથા ભેદા
પ
જીવ અને અજીવ એ એ તત્ત્વામાં થઈ શકે છે, કારણ કે પુણ્યાદિ બધાં તત્ત્વાની ઉપપત્તિ જીવ—અજીવનાં કારણે જ થાય છે. જીવ અને અજીવ ન હોય તો બાકીનાં સાત -તત્ત્વા સંભવતા નથી; પરંતુ આ રીતે તત્ત્વાના અતિ સક્ષેપ કરતાં હેય અને ઉપાદેયના એય કે જે ચારિત્રનિર્માણ માટે અતિ આવશ્યક છે, તે સ્પષ્ટતયા થઈ શકતે નથી અને તે જ કારણે આ રીતે એ તત્ત્વા માનવાની કોઈ પ્રણાલિકા અસ્તિત્વમાં આવેલી નથી,
નવતત્ત્વમાં જ્ઞેય, હેય અને ઉપાદેયની વિચારણા:
નવતત્ત્વમાં જ્ઞેય કેટલા? હેય કેટલા? અને ઉપાય કેટલા ? એ જાણવાની જરૂર છે. જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય, હેય એટલે છોડવા ચેાગ્ય અને ઉપાય એટલે આદરવા ચાગ્ય.
આમ તે નવે ય તત્ત્વો જાણવા ચગ્ય છે, તેથી જ પ્રથમ ગાથામાં ‘ક્રુતિ નાયબ્બા ' એમ કહેવું છે, પરંતુ જેને માત્ર જાણી શકાય, પણ છેડવા કે આઢરવાનું અની શકે નહિ, તેને જ અહીં જ્ઞેય સમજવાના છે. આ દૃષ્ટિએ જીવ અને અજીવ એ એ તત્ત્વા જ્ઞેય છે, કારણ કે તેને જાણી શકાય છે, પણ છેડવાનુ કે આદરવાનું અની શકતુ નથી.
પાપ, આશ્રવ અને અંધ, આ ત્રણ તત્ત્વ જીવનાઆત્માના ગુણાનું આચ્છાદન કરનારા હોવાથી હૈય છે
Page #93
--------------------------------------------------------------------------
________________
'
૧૬
નવ-તત્ત્વ-દીપિક
તથા સવર, નિર્દેશ અને મેક્ષ એ ત્રણ તત્ત્વા આત્મ
ગુણાને પ્રકટ કરનારા હાવાથી ઉપાદેય છે.
ખાકી રહ્યું પુણ્યતત્ત્વ, તેમ સ્વરૂપ હાવાથી વાસ્તવિક્તાએ તા હેય જ છે, પરંતુ આત્મગુણાને પ્રકટ કરવામાં સહાયરૂપ હોવાથી વ્યાવહારિક દૃષ્ટિએ ઉપાદેય છે. શાસ્ત્રોમાં કહ્યુ છે કે
हेया वंधासवापावा, जीवाजीवा हुंति चिन्नेया । संवर निज्जर मुवखो, पुण्णं हुंति उवाएए ॥
.
ધ, આશ્રવ અને પાપ હેય છે, જીવ તથા અજીવ જ્ઞેય છે અને સંવર, નિર્જા, મેાક્ષ તથા પુણ્ય ઉપાદેય છે.
આ જ્ઞેય, હેય અને ઉપાદેયની વિચારણામાં જે વિશેષતા રહેલી છે, તે તરફ પણુ અંગુલિનિર્દેશ કરીશું
કેટલાંક દેશના જ્ઞેયમીમાંસા પ્રધાન છે, તે માત્ર મૅચની એટલે જગતના મૂળભૂત પ્રમેયેની મીમાંસા કર છે, પણ ચારિત્રની મીમાંસા કરતા નથી. વૈશેષિક, સાંખ્ય અને વેદાંત દર્શન આ પ્રકારનાં છે. લળી કેટલાંક દના ચારિત્રમીમાંસાપ્રધાન છે, તેઓ મુખ્યત્વે ચારિત્રની એટલે હય—ઉપાયની મીમાંસા કરે છે, પણ જ્ઞેયની સીમાંસા કરતા નથી. ચાગ અને બૌદ્ધ દર્શન આ કોટિનાં છે. પરંતુ જૈન દČન જ્ઞાન અને ચારિત્રના સમન્વયથી જ મેાક્ષને માનનારું હાવાથી તેણે પેાતાની તત્ત્વમીમાંસામાં
Page #94
--------------------------------------------------------------------------
________________
નવતવના નામે તથા ભેદો 3યને પણ સ્થાન આપ્યું છે અને હેય તથા ઉપાદેયને પણ સ્થાન આપ્યું છે. તે કહે છે કે જે જ્ઞાનનું ફળ વિરતિ એટલે ચારિત્રનિર્માણમાં આવે નહિ, તે જ્ઞાન શા કામનું? તથા જે ચારિત્રની પાછળ જ્ઞાનની ઝલક ન હેય, તે ચારિત્ર પણ શા કામનું? તાત્પર્ય કે જ્ઞાનપૂર્વક ચારિત્રનું નિર્માણ થવું જોઈએ. આવું ચારિત્રજ મિક્ષપ્રાપ્તિમાં ઉપકારક થઈ શકે.
નીચેની તાલિકા પર દૃષ્ટિપાત કરવાથી પેય, હેરા અને ઉપાદેય તને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે :
રેય હેય ઉપાય (૧) જીવતત્વ (૧) પાપતત્વ (૧) પુણ્યતત્વ (૨) અજીવતત્વ (૨) આશ્રવતત્વ (૨) સંવરતત્વ (૩) બંધતત્ત્વ (૩) નિર્જરાતત્વ
(૪) મોક્ષતત્વ નવતરામાં છવાજીવવિભાગ:
નવ-તત્વમાં જીવ અને અજીવની ગણના આ પ્રકારે થાય છે : તવનું નામ વિભાગ
કારણ (૧) જીવતત્વ
જીવ
સ્પષ્ટ છે. ૨) અજીતવા
અજીવ (૩) પુણ્યતત્વ
પુદગલને વિકાર
હોવાથી.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૮
(૪) પાપતત્ત્વ
(૫) આશ્રવતત્ત્વ (૬) સવરતત્ત્વ
અજીવ
જીવ
તત્ત્વનું' નામ (૧) જીવતત્ત્વ
(૭) નિરાતત્ત્વ (૮) અંધતત્ત્વ
પુદ્ગલના વિકાર હાવાથી.
(૯) મેક્ષતત્ત્વ
જીવના ગુણાને પૂ પ્રકટ કરનાર હોવાથી. તાપ કે નવતવમાં જીવ, સવર, નિર્જરા અને માક્ષ એ ચાર તત્ત્વની ગણના જીવમાં થાય છે અને બાકીનાં પાંચ તત્ત્વાની ગણના અજીવમાં થાય છે. નવતત્ત્વમાં રૂપી-અરૂપી વિભાગ :
33
અજીવ
નવ-તત્ત્વ-દીપિકા
પુદ્ગલના વિકાર હાવાથી.
જી
29
જીવના ગુણાને પ્રકટ કરનાર હેવાથી.
""
જે ખ્રિના વિષય બની શકે, તે રૂપી કહેવાય અને સૃષ્ટિના વિષય ન બની શકે, તે અરૂપી કહેવાય. નવતત્ત્વમાં આ રૂપી અરૂપીની ગણુના નીચે પ્રમાણે થાય છે ઃ
વિભાગ
રૂપી
કારણ આમ તા જીવ
નજરે દેખાતા નથી,
એટલે તે અરૂપી
કહેવાય, પણ સંસા
રમાં રહેલા જીવ
Page #96
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વનાં નામે તથા બેટ્ટા
(૨) અજીવતત્ત્વ
(૩) પુણ્યતત્ત્વ
(૪) પાપતત્ત્વ
(૫) આશ્રવતત્ત્વ
(૬) સંવરતત્ત્વ
(૭) નિરાતત્ત્વ (૮) અંધતત્ત્વ
(૯) મેક્ષિતત્ત્વ
રૂપી
અરૂપી
રૂપી
,,
27
અરૂપી
77
રૂપી
અરૂપી
૧૯
અનેક પ્રકારના દેહને ધારણ કરે છે, તેથી તેની ગણના રૂપીમાં
થાય છે.
કેટલું’ક સ્વરૂપ રૂપી છે,
કેટલુ’ક સ્વરૂપ અર્પી છે.
પુદ્ગલના ક રૂપ વિકાર હાવાથી.
99
77
જીવના
હોવાથી.
""
પરિણામ
પુગલના ક રૂપ વિકાર હેાવાથી.
પરિણામ
જીવના
હાવાથી.
તાત્પર્ય કે નવતત્ત્વમાં જીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને મધ એ પાંચ તત્ત્વા રૂપી છે; સવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ તત્વા અરૂપી છે; અને અજીવ કથંચિત રૂપી અને કથંચિત્ અરૂપી છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૦
નવ તત્ત્વ-દીપિકા. નવતત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા
હવે નવતત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા કરીએ. દ્રવ્ય-વિચારણા વસ્તુના સ્થૂલ કે બાહ્ય સ્વરૂપને સ્પર્શે છે. અને ભાવ-વિચારણા વરતુના સૂફમ કે અત્યંતર સ્વરૂપને સ્પર્શે છે. જેને તત્વજ્ઞાનનું આ એક વિશિષ્ટ અંગ છે.
પાંચ ઈન્દ્રિયે આદિ દ્રવ્ય–પ્રાણેને ધારણ કરનાર તે દ્રવ્ય-જીવ અને જ્ઞાન-દર્શન આદિ ભાવ-પ્રાણેને ધારણ કરનાર તે ભાવ-જીવ; અથવા વિષય-કષાયાદિ અશુદ્ધ પરિણામવાળે જીવ તે દ્રવ્ય-જીવ અને વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ ગુણવાળે જીવ તે ભાવ-જીવ. અહીં દ્રવ્યાત્મા, ભાવાત્મા એવા શબ્દપ્રયોગ પણ થાય છે, કારણ કે જીવ અને આત્મા એ એકાથી શબ્દો છે.
પિતાની અર્થ-ક્રિયામાં પ્રવર્તતું ન હોય, પરંતુ હવે પછી પ્રવર્તવાનું હોય, તેવું કારણરૂપ અજીવ દ્રવ્ય તે દ્રવ્ય–અજીવ અને પિતાની મુખ્ય અર્થ–ક્રિયામાં પ્રવર્તતું હેય, તે ભાવ-અજીવ. આની વધારે સ્પષ્ટતા અજીવનું સ્વરૂપ સમજ્યા પછી થશે.
શુભ કર્મના પુદ્ગલે તે દ્રવ્ય-પુણ્ય અને તે શુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવને જે શુભ અધ્યવસાય, તે ભાવ-પુણ્ય. અહીં અધ્યવસાય શબ્દથી જીવના પરિણામ કે જીવની પરિણતિ સમજવી.
અશુભ કર્મનાં પુદ્ગલે તે દ્રવ્ય-પાપ અને તે
Page #98
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વનાં નામે તથા ભેટ્ટા
૧
અશુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવનો જે અશુભ અધ્યવસાય, તે ભાવ–પાપ,
શુભ અથવા અશુભ કમપુદ્ગલાનું આવવું, ગ્રહણ કરવું, તે દ્રવ્ય-આશ્રવ અને તે કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત જીવને જે શુભ કે અશુભ અધ્યવસાય, તે
ભાવ-આશ્રવ.
શુભ અથવા અશુભ કર્માંને કત્રા અર્થાત્ ગ્રહણ ન કરવાં તે દ્રવ્ય-સવર અને તે શુભાશુભ કર્મને રોકવામાં કારણરૂપ જીવનો જે અધ્યવસાય, તે ભાવ-સવર.
શુભ અથવા અશુભ કર્માંના અમુક અંશે ક્ષય થવે તે દ્રવ્ય-નિર્જરા અને એ ક્ષય થવામાં કારણભૂત જીવન જે અધ્યવસાય, તે ભાવ–નિજ રા.
જીવ સાથે કર્મ પુદ્ગલાના ક્ષીરનીર જેવા જે સબંધ થવો તે દ્રશ્ય-મધ અને તે દ્રવ્ય અંધ થવામાં કારણરૂપ જીવને જે અધ્યવસાય, તે ભાવ-અધ
કર્મોના સથા ક્ષય થવા તે દ્રવ્ય-મેક્ષ અને તે કર્મના ક્ષય થવામાં કારણરૂપ જીવન જે પરિણામ એટલે કે સ`સવરભાવ, તે ભાવ-મેાક્ષ.
(૧) ઉપક્રમ :
C
યુદ્ધે: પરું તત્ત્વવિચાળે ૬-બુદ્ધિનું મુખ્ય ફૂલ તત્ત્વની વિચારણા છે.' તેથી પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્ય તત્ત્વની વિચારણા કરવી જોઈ એ, તત્ત્વનું જ્ઞાન મેળવવુ જોઈએ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૨૨
નવ-તત્વ-દીપિકા અન્ય જ્ઞાન વ્યવહારની સિદ્ધિમાં ઉપયોગી નીવડે છે, પણ પરમાર્થ એટલે મેક્ષની સિદ્ધિમાં ઉપકારક નીવડતું નથી, એટલે આધ્યાત્મિક દષ્ટિએ તેનું વિશેષ મૂલ્ય નથી.
આધ્યાત્મિક દૃષ્ટિ તે તત્વજ્ઞાનને જ સાચું જ્ઞાન ગણે છે, કારણ કે તેનાથી પાપની નિવૃત્તિ થાય છે, કુશલપક્ષમાં પ્રવૃત્તિ થાય છે અને મોક્ષમાર્ગમાં અત્યંત ઉપકારક એવા વિનયની પ્રાપ્તિ થાય છે.
આત્માથી જનેએ તત્વસંબંધી જે કંઈ જાણવા જેવું છે, તે બધું જ નવતત્વમાં અંતર્ગત થયેલું છે, તેથી જ પ્રકરણકાર મહર્ષિએ પ્રથમ ગાથામાં એ તને જાણવા એગ્ય કહ્યાં છે. હવે આ તત્વે કેટલા પ્રકારે કે કેટલા ભેદથી જાણવા ગ્ય છે, તેને નિર્દેશ બીજી ગાથામાં આ પ્રમાણે કરે છે ? (ર) મૂળ ગાથા :
चउदस चउदस बायालीसा बासी य हुति बायाला।
सत्तावन्नं बारस चउ नव भेया कमेणेसिं ॥२॥ (૩) સંસ્કૃત છાયા : चतुर्दश चतुर्दश द्विचत्वारिंशद् द्वयशीतिश्च भवन्ति द्विचत्वारिंशत् सप्तपञ्चाशद् द्वादश, चत्वारो नवभेदाः क्रमेणेषाम् ॥२॥ (૪) શબ્દાર્થ :
કર-ચૌદ.
Page #100
--------------------------------------------------------------------------
________________
નવતત્વનાં નામે તથા ભેદ
૧૭
---
વાઘાઢી-બેંતાલીશ. વાણી-ખ્યાશી. ચ-પાદપૂર્તિ માટે જાયેલ છે. હૃતિ છે. રાજા–બેંતાલીશ. સત્તાવ નં–સત્તાવન. વારસ-બાર. ૨૩-ચાર. નવ-નવ. મેવા–દે, પ્રકારે.
-અનુકમે. જળ અને પક્ષ પદની સંધિ થતાં મેળે એવું પદ બનેલું છે.
–િએના, એ નવતને. (૫) અર્થ–સંકલનાઃ
એ નવતના અનુક્રમે ચૌદ, ચૌદ, બેંતાલીશ ખ્યાશી, બેંતાલી, સત્તાવન, બાર, ચાર અને નવ ભેદે છે. (૬) વિવેચનઃ
કઈ પણ વસ્તુને વિશદ બંધ થવા માટે તેના ભેદપ્રભેદોનું જ્ઞાન જરૂરી છે. દાખલા તરીકે વૃક્ષનું જ્ઞાન મેળવવું હોય તે “વૃક્ષ' એ નામ-નિર્દેશ કરીએ
Page #101
--------------------------------------------------------------------------
________________
२४
નવ-તત્વ-દીપિકા
કે વિટપ, પાદપ આદિ તેના પર્યાયશબ્દો બેલીએ, એ પૂરતું નથી. તે માટે તે તેના પ્રકારે કે ભેદ જાણવા જોઈએ અને તે પ્રકારે કે ભેદો શા કારણે પડેલા છે, તેનાથી પણ પરિચિત થવું જોઈએ. આ જ કારણે જૈન શાસ્ત્રકારે પ્રથમ વસ્તુને નામ-નિર્દેશ કરે છે અને પછી તેના પ્રકારે કે ભેદો જણાવે છે.
નવતત્વમાં પ્રથમ સ્થાન જીવતત્વને પ્રાપ્ત થયેલું છે, તે ચૌદ ભેદે જાણવા એગ્ય છે. અપેક્ષા-વિશેષથી આ ભેદોની સંખ્યા ઓછી કે વધારે થઈ શકે ખરી, પણ આ પ્રકારનું ધોરણ નિયત કરવાથી જીવનું સ્વરૂપ જાણનારે આ ચૌટે ય ભેદથી બરાબર પરિચિત થવું જોઈએ. આ ચૌદ ભેદો જીવતત્વના વર્ણન પ્રસંગે કહેવાશે. અન્ય તત્વના લેદોની બાબતમાં પણ આ પ્રમાણે જ સમજવું.
નવતત્વમાં બીજું સ્થાન અજીવતત્વને પ્રાપ્ત થયેલું છે, તે પણ ચૌદ ભેદે જાણવા ગ્ય છે ત્રીજું સ્થાન પુણ્યતત્વને પ્રાપ્ત થયેલું છે, તે બેંતાલીશ ભેદે જાણવા રોગ્ય છે ચોથું સ્થાન પાપતત્વને પ્રાપ્ત થયેલું છે, તે
ખ્યાશી ભેદે જાણવા ચગ્ય છે; પાંચમું સ્થાન આશ્રવતત્વને પ્રાપ્ત થયેલું છે, તે બેંતાલીશ ભેદે જાણવા ગ્ય છે, છઠું સ્થાન સંવરતત્વને પ્રાપ્ત થયેલું છે, તે સત્તાવન ભેદે જાણવા છે; સાતમું સ્થાન નિર્જરતત્વને પ્રાપ્ત થયેલું છે, તે બાર ભેદે જાણવા જેગ્ય છે, આઠમું સ્થાન બંધતત્વને પ્રાપ્ત થયેલું છે, તે ચાર પ્રકારે જાણવા યોગ્ય
Page #102
--------------------------------------------------------------------------
________________
નવતત્વના નામે તથા ભેદો
૫ છે અને નવમું સ્થાન મેક્ષતત્ત્વને પ્રાપ્ત થયેલું છે, તે નવ પ્રકારે જાણવા ચગ્ય છે. * આ રીતે બધા મળીને નવતત્વના કેટલા ભેદો થાય? તેને ઉત્તર નીચે પ્રમાણે સરવાળે કરવાથી પ્રાપ્ત થાય છે?
ભેદસંખ્યા ૧૪
તત્ત્વનું નામ (૧) જીવતત્વ (૨) અજીવતત્વ (૩) પુણ્યતરવ (૪) પાપતત્વ (૫) આશ્રવતત્ત્વ (૬) સંવરતત્વ (૭) નિર્જરાતત્ત્વ (૮) બંધતત્ત્વ ૯) ક્ષતત્વ
કુલ ૨૭૬ તાત્પર્ય કે જીવતત્વના બધા મળીને ૨૭૬ ભેદે છે.
નવતત્વમાં છવાજીવવિભાગ કેવી રીતે થાય છે? તે પ્રથમ ગાથાના વિવેચનમાં દર્શાવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદોને જીવાવવિભાગ કરીએ, તે તે નીચે પ્રમાણે થાય છે?
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૬
નવ-નવ દીપિકા જીવવિભાગ ૨ અવિભાગ ૧૮૪ કુલ ૨૭૬ જીવતત્ત્વ ૧૪ અજીવતત્વ ૧૪ સંવરતત્વ ૫૭ પુણ્યતવ ૪૨ નિર્જરાતત્વ ૧૨ પાપતત્વ ૮૨ એક્ષતત્વ ૯ આશ્રવતત્ત્વ કરે
બંધતત્ત્વ ૪
કુલ ૯૨ કુલ ૧૮૪ નવતત્વના રૂપી–અરૂપી વિભાગ વિષે પણ પ્રથમ ગાથામાં વિવેચન કરવામાં આવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદની વ્યવસ્થા નીચે મુજબ થાય છે?
રૂપી વિભાગ ૧૮૮ અરૂપી વિભાગ ૮૮ કુલ ૨૭૬ જીવતત્વ ૧૪ અવતત્ત્વ ૧૦ અજીવતાવ ૪ સંવરતત્ત્વ ૫૭ પુણ્યતત્વ ૪ર નિજરાતત્તવ ૧૨ પાપતત્વ ૮૨ મોક્ષતત્વ ૯ આશ્રવતત્વ ૪૨ બંધતત્વ ૪
કુલ ૮૮
કુલ ૧૮૮ અહીં અજીવતત્વના ૪ ભેદોની ગણના રૂપમાં કરી છે, તે પરમાણુ, દેશ, પ્રદેશ અને સ્કંધ સમજવા. તથા અજીવતવના ૧૦ ભેદોની ગણના અરૂપીમાં કરી છે, તે ધમસ્તિકાય, અધમસ્તિકાય તથા આકાશસ્તિકાયના ત્રણ
Page #104
--------------------------------------------------------------------------
________________
નવતત્વનાં નામે તથા ભેદ
૨૭ ત્રણ ભેદ અને અદ્ધાસમય એટલે કાળને એક ભેદ, એ પ્રકારે દશ ભેદ સમજવા. આની વધારે સ્પષ્ટતા અજીવનું સ્વરૂપ સમજવાથી થશે.
નવતત્વનાં ય, હેય તથા ઉપાયવિભાગ વિષે પણું પ્રથમ ગાથામાં વિવેચન કરવામાં આવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદની વ્યવસ્થા નિમ્ન પ્રકારે થાય છે: વિભાગ હેયવિભાગ ઉપાદેયવિભાગ
૧૨૦ કુલ ૨૭૬જીવતત્ત્વ ૧૪ પાપતવ ૮૨ પુણ્યતત્વ ૪૨ અજીવતત્વ ૧૪ આશ્રવતત્વ ૪૨ સંવરતત્વ ૫૭
_ બંધતત્વ ૪ નિર્જરાતત્વ ૧૨ કુલ ૨૮
મેક્ષતત્વ ૯ કુલ ૧૨૮
કુલ ૧૨૦ નવતત્વનાં નામ અને ભેદો દર્શાવતું પ્રથમ પ્રકરણ: અહીં પૂરું થાય છે.
૨૮
૬
૬૯
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજી
જીવતત્ત્વ
[ ગાથા ત્રીજીથી સાતમી સુધી ]
(૧) ઉપક્રમ :
નવતત્વનાં નામેા અને ભેદોના કથન વડે પ્રકરણકાર મહર્ષિ એ નવતત્ત્વની પીઠિકા આંધી. હવે તેઓશ્રી દરેક -તત્ત્વનું ક્રમશઃ વÎન કરવાના આશયથી પ્રથમ જીવતત્ત્વનું વર્ષોંન કરે છે. તેમાં જીવના અપેક્ષાકૃત ભેદ કેટલા છે? તે ત્રીજી ગાથામાં આ પ્રમાણે જણાવે છે:
(૨) મૂળ ગાથા :
વિદ્—-વિદ્-તિવિજ્ઞા, ચબિહા પત્ર અબિનાનીયા । ચેયળ–તલથોહિં,વેચ-દું-જળ જાતૢિ ॥ ૨ ॥
(૩) સંસ્કૃત છાયા
एवविध - द्विविध-त्रिविधाश्चतुर्विधा पञ्चषविधा जीवाः । ચૈતન—સતાવેલ—ત્તિ જળ—ાયૈ: ૫ રૂ ૫
Page #106
--------------------------------------------------------------------------
________________
અમતત્ત્વ
(૪) શબ્દાથ :
एगविह थाने दुहि भने तिविह ते एगविह - दुविह--- જ્ઞિવિધા. વિદ્–એકવિધ, એક પ્રકારના.
દુનિા-એ પ્રકારના.
ત્તિવિજ્ઞા–ત્રણ પ્રકારના,
નવન્ત્રિજ્ઞાચાર પ્રકારના.
પંચ-વિદ્દા-પાંચ અને છ પ્રકારના. લીવા જીવે.
રેચન ચેતના વડે,
૨૯
ચેયન અને તલથર તે ચેયળ–સલા. તેના વડે~~ ચેયળ–તસયહિં ચેયળ–ચેતના, ચૈતન્ય.
.
તલ ચહ્ન ત્રસ અને સ્થાવરના ભેદો વડે.
-
સત્ત અને इयर તે તલ ચર. તા-ત્રસ, ‘શીતોષ—-- અવૈરમિત્તલ્તાન્તન્નારાય ત્રસ્યન્તીતિ ત્રણાઃ-જે જીવા ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને દુઃખી થઈને તેના નાશ કરવાની એટલે કે પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે છે, તે ત્રસ કહેવાય છે. અહીં ત્રન્તિના અથ રેશ્વન્સે કરવાના છે. ચાંતર, સ્થાવર. ‘ત્તિજન્યુધ્ધાવમિતાપિતા अपि तत्परिहारासमर्थाः स्थावरनामकर्मोदयवशवर्तिनः स्थावराः -- જે જીવા સ્થાવર નામકમના ઉડ્ડયથી ઠંડી, તાપ, વગેથી પીડા પામવા છતાં તેના પરિહાર કરવાને અસમર્થ હાઈ જેવી
Page #107
--------------------------------------------------------------------------
________________
૩૦
નવતત્ત્વ–દીપિકા
હાલતમાં હોય, તેવી જ હાલતમાં પડ્યા રહે છે, તે સ્થાવર
કહેવાય છે.
વેચ અને પર્ફે અને જળ અને જાય તેના વડે વેચT?-રળ-જાદુ વેય વેદ. તે ત્રણ પ્રકારના છે: સ્ત્રીવેદ, પુરુષવેઢ અને નપુંસકવેઢ. તેમાં સ્ત્રીવેઢવાળા પુરુષની અભિલાષા કરનારા હોય છે, પુરુષવેઢવાળા સ્ત્રીની અભિલાષા કરનારા હોય છે અને નપુ ંસકવેઢવાળા પુરુષ તથા શ્રી નેની અભિલાષા કરનારા હોય છે. વેટ્ટને ગુજરાતી ભાષામાં જાતીય સ’જ્ઞા અને અંગ્રેજી ભાષામાં સેકસ (Sex) હે છે.
:
શતૢગતિ. તે ચાર પ્રકારની છે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
પળ–સાધન, ઇન્દ્રિય. તે જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે, તેથી કરણ કહેવાય છે. તેના સ્પર્શીનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, એવા પાંચ ભેદો પ્રસિદ્ધ છે.
ાજ્ઞિકાયાના ભેદો વડે.
કાયા એટલે બાહ્ય શરીર. તેના છ ભેદ્ય મનાયેલા છેઃ પૃથ્વીકાય, અસૂકાય, અગ્નિકાય, તેજસૂકાય, વાયુકાય, -વનસ્પતિકાય, અને ત્રસકાય.
Page #108
--------------------------------------------------------------------------
________________
જીવત
(૫) અર્થ-સંકલનઃ
છ ચેતનાની અપેક્ષાએ એક પ્રકારના છે. વસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારના છે; વેદની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે; ગતિની અપેક્ષાએ ચાર પ્રકારના છે; ઈન્દ્રિયોની અપેક્ષાએ પાંચ પ્રકારના છે અને કાયાની અપેક્ષાએ છે પ્રકારના છે. (૬) વિવેચન
એક જ વસ્તુના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા પ્રકારે પડે છે. દાખલા તરીકે મનુષ્યના દેશ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે, રંગ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે; ઊંચાઈ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે અને ગુણ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે. આમ જેટલી અપેક્ષાઓને આગળ કરીએ, તેટલી જ વિવિધતા તેના પ્રકારમાં આવતી જાય, તેથી એક વસ્તુના આટલા જ પ્રકારે હોય એમ કહેવું ઉચિત નથી. તે અપેક્ષા અનુસાર એક પણ હોઈ શકે, એ પણ હેઈ શકે, ત્રણ પણ હોઈ શકે, યાવત્ અસંખ્ય–અંનત પણ હોઈ શકે. * જીવ મુત્તા સંસારિો વા (જીવ–વિચાર-પ્રકરણ) સમસ્ત નજીના મુક્ત અને સંસારી એવા બે ભેદ છે. તેમાંથી સંસારી જીના અપેક્ષાકૃત કેટલાક ભેદો અહીં દર્શાવ્યા છે,
સંસારી જીવે અનતાનત છે. તેમાંના કેટલાક જીવે ચેતનાવાળા અને કેટલાક ચેતનારહિત એવા બે પ્રકારે
Page #109
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા નથી, પરંતુ સર્વે ઓમાં ચેતના સમાનપણે રહેલી છે, એટલે ચેતનાલક્ષણથી તે એક પ્રકારના છે.
નિગદ જેવી નિકૃષ્ટ અવસ્થામાં જીવેને ચેતના હોય છે ખરી ? એ પ્રશ્નનો ઉત્તર જેન મહર્ષિઓ. હકારમાં આપે છે. તેઓ કહે છે કે નિગદમાં રહેલા જીને પણ મતિ અને કૃતજ્ઞાનને અનંતમો ભાગ ઉઘાડો હોય છે, એટલે કે તેમાં પણ ચેતનાની અમુક સ્કૂરણ અવશ્ય હોય છે. જે એમ ન હોય તે તેમની અને જડની વચ્ચે તફાવત શું રહે? જીવ અને જડની વચ્ચે મુખ્ય તફાવત જ ચેતનાને છે. જીવ ચેતનાથી યુક્ત હોય છે, જડ ચેતનાથી રહિત હોય છે. તાત્પર્ય કે કઈ પણ જીવ ચેતનાથી રહિત હેતે નથી, પણે ચેતનાવાળે જ હેય છે અને તેથી ચેતનાની અપેક્ષાએ તેને એક જ પ્રકાર સંભવે છે.
ચેતના બે પ્રકારની છે. દર્શનચેતના અને જ્ઞાનચેતનાતેમાં દર્શનચેતના સામાન્ય અવબોધરૂપ હોય છે અને જ્ઞાનચેતના વિશેષ અવધરૂપ હોય છે. આ બંને પ્રકારની ચેતના સર્વ જમાં હોય છે.
શાસ્ત્રકારોએ અપેક્ષાવિશેષથી ચેતનાના ત્રણ પ્રકારો પણ માનેલા છે. જેમકે જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મકલ ચેતના. તેમાં ઘટ-પટાદિ વસ્તુના જ્ઞાનરૂપે ચેતનાને. પરિણામ છે તે જ્ઞાનચેતના છે, સમયે સમયે પૈગલિક
Page #110
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
૩૪
કર્મના નિમિત્તથી ક્રોધાદિ પરિણામ થવા તે ચેતના છે અને કલના સુખદુઃખરૂપે ચેતનાના જે પરિણામ થવા તે કલચેતના છે. આ ત્રણેય પ્રકારની ચેતના સ જીવામાં હાય છે.
શ્રી આન ધનજી મહારાજે શ્રીવાસુપૂજ્યજિનસ્તવનમાં ચેતનાના આ પ્રકારોની નિમ્ન શબ્દો વડે નોંધ લીધી છે નિરાકાર અભેસંગ્રાહક, લેઇ ગ્રાહક સાકાર રે;' દર્શન જ્ઞાન ભેદે ચેતના, વસ્તુમહેણુ વ્યાપાશે રે. કર્તા પરિણામી પરિણામા, કર્મ જે જીવે કરીએ રે; એક અનેક ફળ નયવાઢે, નિયતે નર અનુસરીએ રે. દુઃખ-સુખરૂપ ક લ જાણા, નિશ્ચય એક આનદ રે ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન હેજિનચંદો રે.
જો ત્રસ અને સ્થાવરપણાને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવા એ પ્રકારમાં સમાઈ જાય છે. કેટલાક ત્રસમાં અને કેટલાક સ્થાવરમાં. અન્ય રીતે કહીએતા સંસારમાં રહેલા કોઈ પણ જીવ યા તા ત્રસ હાય, યા તે સ્થાવર હાય, પણ તેથી અતિરિક્ત કોઈ ત્રીજા પ્રકારના ન હાય. ૨
જો વેદ એટલે જાતીયસ'જ્ઞા (Sex)ને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવા ત્રણ પ્રકારમાં વિભક્ત થાય છે. કેટલાક સ્ત્રીલિંગમાં, કેટલાક ૨."તસ થાવા ય સંસારી ।-જીવ—વિચાર પ્રકરણ.
૩
Page #111
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
પુરુષલિંગમાં અને કેટલાક નપુંસકલિંગમાં. લિંગને ચોથો . કેઈ પ્રકાર અસ્તિત્વ ધરાવતા નથી, એટલે વેદની દૃષ્ટિએ - સંસારી જીના ત્રણ જ પ્રકારે સંભવે છે, જે પ્રકાર સંભવ નથી.
જે ગતિને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવે ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે. કેટલાક નરકગતિમાં, જે નારક કહેવાય છે; કેટલાક તિર્યંચગતિમાં, જે તિર્યંચ કહેવાય છે, કેટલાક મનુષ્યગતિમાં, જે મનુષ્ય કહેવાય છે અને કેટલાક દેવગતિમાં, જે દેવ કહેવાય છે. મુક્તિને પંચમગતિ માનવામાં આવી છે, પણ અહીં સંસારી જીની વિચારણા હેવાથી એ પ્રસ્તુત નથી. સંસારી છે તે ગતિની અપેક્ષાએ ચાર જ પ્રકારના હોય છે, તેથી અધિક પ્રકારના નહિ.
જે ઈન્દ્રિને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીપાંચ પ્રકારમાં ગોઠવાઈ જાય છે. કેટલાક એકેન્દ્રિયમાં, કેટલાક બેઈન્દ્રિયમાં, કેટલાક તેઈન્દ્રિયમાં, કેટલાક ચતુરિન્દ્રિયમાં તે કેટલાક પંચેન્દ્રિચમાં. તેનાથી બહાર એક પણ જીવ રહેતો નથી. કેટલાક કહે છે કે છઠ્ઠી ઈન્દ્રિય પણું અસ્તિત્વમાં છે, પણ તેઓ એનું ચોક્કસ સ્વરૂપ હજી સુધી રજૂ કરી શક્યા નથી. તાત્પર્ય કે જ્ઞાની ભગવંતોએ પિતાના જ્ઞાનથી ઈન્દ્રિયને પાંચ પ્રકારની જોઈ છે અને તેનું યથાર્થ સ્વરૂપ વર્ણવેલું છે. વળી આપણે રેજિદો અનુભવ પણ એ જ પ્રકારને
Page #112
--------------------------------------------------------------------------
________________
જીવતા
૩૫ છે, એટલે ઈન્દ્રિને પાંચ પ્રકારની જ માનવી ઘટે છે અને એ અપેક્ષાએ ના પાંચ પ્રકારે સંભવે છે, તેથી અધિક નહિ. સાતમી ગાથાના વિવેચનમાં ઈન્દ્રિય સંબંધી અધિક વર્ણન કરેલું છે.
જે કાયાને (બાહ્ય શરીરને) પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવે છે પ્રકારમાં અંતર્ગત થાય છે. કેટલાક પૃથ્વીકાયમાં, કેટલાક અપૂકાયમાં, કેટલાક અગ્નિકાયમાં, કેટલાક વાયુકાયમાં, કેટલાક વનસ્પતિકાયમાં તે કેટલાક ત્રસકાયમાં. પકાય અથવા છે કાય શબ્દ આ દૃષ્ટિએ જ અસ્તિત્વમાં આવેલ છે. સાતમી કાયા હજી સુધી કેઈએ બતાવી નથી, એટલે કાયાની અપેક્ષાએ ના છ પ્રકાર યથાર્થ છે. પૃથ્વીકાય વગેરેને વિશેષ પરિચય આગળ આવવાનું છે, એટલે અહીં આપેલ નથી.
(૧) ઉપક્રમઃ
અપેક્ષાવિશેષથી જીવના અનેક પ્રકારો પડે છે. તેમાંથી અહીં એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રકારે વર્ણવ્યા. બીજા પ્રકારે ગ્રંથગૌરવના ભયથી આપેલા નથી, પણ તે અપેક્ષા અનુસાર સમજી લેવાના છે. હવે જે ચૌદ ભેદે જીવતત્વ ખાસ જાણવા ગ્ય છે, તેનું પ્રકરણકાર મહર્ષિ થી
ગાથામાં આ પ્રકારે વર્ણન કરે છે ? • ૩. ઈન્દ્રિયોના વિશેષ વિવેચન અંગે જુઓ છવ-વિચાર-પ્રકાશિકા પૃ. ૧૯૮ થી ૨૦૪.
Page #113
--------------------------------------------------------------------------
________________
નવ-તાવ-દીપિકા
(૨) મૂળગાથા : एगिदिय सुहमियरा, सन्नीयरपणिदिया य सबि-ति-चउ। ___ अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियहाणा ॥ ४ ॥ (૩) સંસ્કૃત છાયા ? एकेन्द्रियाः सूक्ष्मेतराः संज्ञीतरपञ्चेन्द्रियाश्च सद्वित्रिचतुः। अपर्याप्ताः पर्याप्ताः क्रमेण चतुर्दश जीवस्थानानि ॥४॥ () શબ્દાર્થ :
Mરિચ-એકેન્દ્રિય છે.
જ રુન્વિથી સહિત તે રિચ. -એક, રૂચિઈન્દ્રિય. અહીં એકથી કોઈ પણ એક નહિ, પરંતુ સ્પ
નેન્દ્રિય સમજવાની છે. તાત્પર્ય કે જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય જ હોય છે, તે એકેન્દ્રિય જ કહેવાય છે.
સુમ–સૂક્ષ્મ.
સુદુમ અને ફચર તે જુદુમિરા. સુદુમસૂમ. ચાતિર, બાદર.
રૂતર એટલે અન્ય, જે કહેવાય છે તેથી બીજા. આ રીતે સૂફમથી ઈતર જીવે બાદર છે. બાદર જીવે અમુક સંગમાં દષ્ટિગોચર થઈ શકે છે.
ન્નિ–સંજ્ઞી.
सन्नि भने इयर भने पणिंदिय ते सन्नीयर-पणिदिया. નિ-સંસી, સંજ્ઞાવાળા. અહીં સંજ્ઞા શબ્દથી વિચારશક્તિ સમજવાની છે. અથવા તે સંજ્ઞા ત્રણ પ્રકારની છે ? (૧) હેતુવાદ્યપદેશિકી, (૨) દીર્ધકાલિકી અને (૩) દૃષ્ટિ
Page #114
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
'
વાદોપદેશિકી. આ ત્રત્રુ સગાઓ પૈકી અડી' દીર્ઘકાલિકી સંજ્ઞા ગ્રહણ કરવાની છે, કારણકે તેના વડે શું થઇ ગયું ? હવે શુ થશે ? ' વગેરે અતિ દીર્ઘકાલીન ભૂતકાલ અને ભવિષ્યકાલ સબ'ધી ચિંતન થાય છે. આ સજ્ઞાને સંપ્રધારણ સંજ્ઞા પણ કહેવામાં આવે છે, કેમકે તેનાથી ઉચિત-અનુચિતને નિર્ણય થાય છે. આવી દીર્ઘકાલિકી કે સંપ્રધારણ સંજ્ઞાવાળા જીવા તે સંજ્ઞી.
૩૭
ય—તિર, અસી.
સન્નીનું પ્રતિપક્ષી અસની છે, એટલે ઈતર શબ્દથી અહી અસની જીવા ગ્રહણ કરવાના છે. જેને ઉપર કહી તેવી સંજ્ઞા નથી, તે અસની.
વળિ નિયા-પચેન્દ્રિય.
ચ-અને.
સ-સહિત. આ વિશેષણ વિ, ત્તિ અને ૨૩ એ ત્રણેય પદાને લાગુ પાડવા માટે અહી' નિ—તિ-૨૩ એવા શબ્દપ્રયાગ કરવામાં આવ્યા છે.
ન-એ, એઇન્દ્રિયવાળા જીવા.
તે-ત્રણ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવા, ૪૩–ચાર, ચાર ઈન્દ્રિયવાળા જીવે.
અવજ્ઞત્તા-અપર્યાપ્તા.
જે જીવ જેટલી પર્યાપ્તિને ચેાગ્ય હોય, તેટલી
Page #115
--------------------------------------------------------------------------
________________
નવતર-દીપિકા
-
પતિ પૂરી કર્યા પહેલાં મૃત્યુ પામે છે તે અપર્યાપ્ત કહેવાય. પર્યાપ્તિનું સ્વરૂપ છઠ્ઠી ગાથામાં કહેલું છે.
પmત્તા-પર્યાપ્તા.
જે જીવ જેટલી પર્યાપ્તિને વેગ હોય, તેટલી પર્યાપ્તિ પૂરી કર્યા બાદ મૃત્યુ પામે, તેને પર્યાપ્ત કહેવાય.
મેળ-અનુક્રમે.
ર૩ર-ચૌદશ. • શિયાળા-જીવસ્થાને, જીવના ભેદ. (૫) અર્થ–સંકલનાઃ
સુમ એકેન્દ્રિય, બાદર-એપ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય અને ચતુરિન્દ્રિય સહિત સંજ્ઞી પંચેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય (એ સાતભેદો) અને તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત એ રીતે સર્વ મળીને જીવના ચૌદ ભેદ થાય છે. (૬) વિવેચન
ઈન્દ્રિયેની અપેક્ષાએ જ પાંચ પ્રકારના છે, એ હકીકત ઉપરની ગાથામાં કહેવાઈ ગઈ છે. આ પાંચ પ્રકારના વિશેષ પ્રકારે કે ઉત્તર પ્રકારે પાડતાં જીવના કુલ ચૌદ પ્રકારે કે ચૌદ ભેદો થાય છે, તે આ પ્રમાણે – એકેન્દ્રિય
(૧) અપર્યાપ્ત સૂમિ એકેન્દ્રિય. (૨) પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિય.
Page #116
--------------------------------------------------------------------------
________________
છે
વતત્વ
(૩) અપર્યાપ્ત આદર એકેન્દ્રિય
(૪) પર્યાપ્ત બાદર એકેન્દ્રિય બેઇન્દ્રિય
(૫) અપર્યાપ્ત બેઈન્દ્રિય
(૬) પર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય
(૭) અપર્યાપ્ત તેઈન્દ્રિય
(૮) પર્યાપ્ત તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય
(૯) અપર્યાપ્ત ચતુરિન્દ્રિય
(૧૦) પર્યાપ્ત ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય [, (૧૧) અપર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય
(૧૨) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (૧૩) અપર્યાપ્ત સંસી પચેન્દ્રિય (૧૪) પર્યાપ્ત સંસી પચેન્દ્રિય
સંસારમાં રહેલા સઘળા જ આ ચૌદ પ્રકારમાં સમાઈ જાય છે. તેને અહીં ક્રમશઃ ટૂંક પરિચય આપીશું.
જેને સ્પર્શનેન્દ્રિય નામની માત્ર એક ઇન્દ્રિય હોય છે, તે જ એકેન્દ્રિય કહેવાય છે. આ જ પાંચ પ્રકારના છેઃ (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) અનિકાય, (૪) વાયુકાય અને (૫) વનસ્પતિકાય. તેમાં વનસ્પતિકાયના સાધારણ અને પ્રત્યેક એવા બે વિભાગો છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા આ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જીના સૂક્ષ્મ અને આદર એવા બે બે વિભાગ છે. તેમાં અપવાદ એટલે કે પ્રત્યેક વનસ્પતિકાયના સૂક્ષમ અને બાદર એવા બે વિભાગે નથી, પણ માત્ર બાદર એ એક જ પ્રકાર છે. તે અંગે જીવ-વિચાર-પ્રકરણમાં કહ્યું છે કે
पत्तेय तरु मुत्तं, पंच वि पुढवाईणो सयल लोए। સુમતિ નિમા, દુાઃ સા ]ો.
પ્રત્યેક વનસ્પતિકાય છેડને પૃથ્વીકાય આદિ પાંચચના સૂરમ જ સકલ લેકમાં નિશ્ચયપૂર્વક હોય છે. તેમનું આયુષ્ય અંતમુહૂર્ત હોય છે અને તેઓ દૃષ્ટિને વિષય બની શક્તા નથી. અર્થાત્ અદશ્ય છે.'
અહીં સૂક્ષ્મ શબ્દથી એવા જ અભિપ્રેત છે કે જેમનાં ઘણું શરીર ભેગા થવા છતાં તે દષ્ટિગોચર થાય નહિ કે વાયુની જેમ સ્પર્શ વગેરેથી પણ જાણવામાં આવે નહિ. વધારે સ્પષ્ટ કહીએ તે દૃષ્ટિ ગમે તેવી તીક્ષણ હોય કે સૂહમદર્શક યંત્ર વગેરેને પ્રયોગ કરવામાં આવે તે પણ આ છ દષ્ટિગોચર થઈ શક્તા નથી. શાસ્ત્રોમાં
धुं छे । 'तीक्ष्णखड्गधारया छिद्यमानेऽपि वधावेनाप्युपघातो न स्यात, एवं वन्यादिभ्योऽपि नोपघातः-तleg ખગની ધાર વહે છેઠવા છતાં અથવા વજને ઘાત કરીએ તે પણ તેમને ઉપઘાત થતું નથી કે અગ્નિ વગેરેને પ્રયોગ કરીએ તે પણ તેમને અસર પહોંચતી નથી. આવા જીવેની સંજ્ઞા માત્ર મનના સંકલ્પ વડે થઈ શકે
Page #118
--------------------------------------------------------------------------
________________
વત
અથા.
છે, પણ વચન કે કાયાથી થઈ શક્તી નથી. આ છે મનુષ્યના ઉપગમાં આવતા નથી.
આ પાચેય પ્રકારના સૂક્ષમ છ સકલ લેકમાં -વ્યાપેલા છે, તાત્પર્ય કે ચૌદ રાજકને કેઈ પણ ભાગ એ નથી કે જ્યાં આ જીવોનું અસ્તિત્વ ન હેય.
સૂમનામકર્મના ઉદયથી જ આવું સૂફમપણું પ્રાપ્ત કરે છે અને તે અવધિજ્ઞાની કે કેવલી ભગવાને -જ જ્ઞાનગોચર છે. આપણા જેવા મતિ અને શ્રુતજ્ઞાન- - વાળા સામાન્ય છે માટે તે સર્વથા અદશ્ય જ છે.
આ સૂક્ષ્મ જીવોનું આયુષ્ય મધ્ય અંતર્મુહૂર્તનું હોય છે, એટલે કે ઓછામાં ઓછું ર૫૬ આવલિકા અને વધારેમાં વધારે બે ઘડીને સંખ્યામાં ભાગ હોય છે.
એકેન્દ્રિય અને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાચ્છુવાસ એ ચાર પર્યાપ્તિ કહેલી છે, તે સૂમ અને આદર બને માટે સમજવાની છે. આ ચાર પર્યાપ્તિ પૂરી કર્યા વિના જે સૂફમ એકેન્દ્રિય મૃત્યુ પામે, તે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય કહેવાય છે.
બાદરનામકર્મના ઉદયથી જીવો બાદર પૃથ્વીકાય આદિ રૂપે ઉત્પન્ન થાય છે. તેમનાં ઘણું શરીરે એક્ટ થવાથી તેઓ દષ્ટિગોચર થઈ શકે છે. આમાંના કેટલાક
Page #119
--------------------------------------------------------------------------
________________
કર
નવ-તત્વ-દીપિકા જીવો એક ઇન્દ્રિયથી તે કેટલાક બે કે તેથી અધિક ઈન્દ્રિથી જાણી શકાય છે. આ બાદર એકેન્દ્રિય જીવો સકલ લેકમાં વ્યાપ્ત નથી, પણ અમુક અમુક ભાગમાં જ વ્યાપ્ત છે. આ જીવે શસ્ત્રથી ભેદી છેદી શકાય એવા હેય છે અને તેઓ પણ બીજા પદાર્થોને ભેદીદી શકે છે. વળી આ જીવો અગ્નિથી બળી શકે છે અને મનુષ્યના ઉપગમાં આવે છે. આ જીવોની મન, વચન અને કાયાથી હિંસા થાય છે અને તે પિતાપિતાની જાતિથી પણ હણાય છે. બાદર પૃથ્વીકાયના ભેદ:
બાદર પૃથ્વીકાયના સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગલેક, હરતાલ, મણસીલ, પારે, સેનું વગેરે સાત ધાતુઓ, ખડી, રમચી, અરણેક, પલેવક, અબરખ, તુરી, ખારે, માટી, પથરની જાતિ, સૂર, મીઠું વગેરે અનેક ભેદ છે. બાદર અપૂકાયના ભેદોઃ
બાર અપકાયના પણ ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, દર્ભ કે ઘાસ પરનાં જલબિંદુએ, ધુમ્મસ અને ઘને દધિ (જામી ગએલું પાણી કે જેના આધારે પૃથ્વી ટકે છે) વગેરે ભેદે છે. ભાદર અગ્નિકાયના ભેદે.
બાદર અનિકાયના પણ અંગારા, જ્વાલા, ભાઠાને
Page #120
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
૪૩.
અગ્નિ, ઉલ્કાના અગ્નિ, આકાશમાંથી વરસતા અગ્નિકણુ, વીજળી વગેરે અનેક ભેદો છે.
બાદર વાયુકાયના ભેદો
:
બાદર વાયુકાયના પણ ઉદ્ઘામક, ઉત્કલિક, મલિક, મહાવાયુ, શુદ્ધવાયુ, ગુજવાયુ, ઘનવાત, તનવાત વગેરે. અનેક ભેદ છે.
બાદર સાધારણુ વનસ્પતિકાયના ભેદો
:
:
આદર સાધારણ વનસ્પતિકાયના પણ અનેક ભેદો. છે જેમકેકદા, બ્રુગા, કુંપળા, પચવણી ફુગ, શેવાળ,બિલાડીના ટોપ, લીલુ આદુ, લીલી હળદર, લીલે ચૂશ, ગાજર, માથ, ટાંકની ભાજી, થેગ, પાલખની ભાજી, સર્વ પ્રકારનાં કુણાં ફળે, જેની નસા ગુપ્ત હાય એવાં ખારી જાળ ( પિત્રુ ) વગેરેનાં પાંડાં, ઢાયા છતાં ફ્રી. ઉગે તેવા ચાર, કુંવાર, ગુગ્ગુલિ, ગળા વગેરે. આદર પ્રત્યેક વનસ્પતિકાયના ભેદો :
માદર પ્રત્યેક વનસ્પતિકાયના મુખ્ય ખાર ભેો છે (૧) વૃક્ષ, (ર) ગુચ્છ, (૩) શુલ્મ, (૪) લતા, (૫) વલ્લી, (૬) પર્ટીંગ, (૭) તૃણુ, (૮) વલય, (૯) હૅન્તિ, (૧૦) ઔષધિ, (૧૧) જલš અને (૧૨) કુહુણુ. આ દરેકભેદ્યમાં વિવિધ વનસ્પતિઓના સમાવેશ થાય છે.
ખાતર એકેન્દ્રિય જીવામાં જેઓ સ્વચૈાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યાં વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત બાદર એકે
Page #121
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
'ન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે તે પર્યાપ્ત -બદર એકેન્દ્રિય કહેવાય છે.
એકેન્દ્રિય જીવોમાં વનસ્પતિકાયનું સ્વરૂપ ઘણું 'વિકાસ પામેલું છે અને તેમાં જીવન હવાની અનેક સાબીતીઓ મળી આવે છે. તેની વિગતે જીવ-વિચારપ્રકાશિકાથી જાણવી.' એઈન્દ્રિયના પ્રકારે
જે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઈન્દ્રિયે હોય છે, તે બેઈન્દ્રિય જ કહેવાય છે. તેના શંખ, શંખલા, કેડા, ગડેલ, જળ, અરિયા, અળસિયાં, લાળિયા, કૃમિ, પિર, ચૂડેલ વગેરે અનેક ભેદ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને વિકસેન્દ્રિય કહેવામાં આવે છે, કારણ કે તેમને પાંચ ઈન્દ્રિયે કરતાં ઓછી ઈન્દ્રિ હોય છે. આ વિકલેન્દ્રિય જીવોમાં જે સ્વયેગ્ય પર્યાસિઓ પૂરી કર્યા વિના જ મૃત્યુ પામે, તેને અપર્યાપ્ત બેઈદ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તેને પર્યાપ્ત બેઈન્દ્રિય કહેવાય છે. તેજિયના પ્રકારે
જે જીવેને બેઈન્દ્રિય કરતાં એક ધ્રાણેન્દ્રિય અધિક હોય છે, તે તેઈન્દ્રિય જ કહેવાય છે. તેના કાનખજૂરા, માંકડ, જૂ (લીંખ, કડી, ઉધઈ, મકડા, ધાન્યમાં ઉત્પન્ન ૪. ખડ બીજે પ્રકરણ આઠમું: “ વનસ્પતિના જીવન પર
આ છે દષ્ટિપાત.”
Page #122
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ થતી ઈયળ, ઘીમેલ, સાવા, ગીગેડાની અનેક જાત, ગધેયા, ચારકીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કંથવા, ગેવાલણ, ગેળ-ખાંડમાં થતી ઈયળ, ગોકળગાય વગેરે અનેક ભેદો છે. આ માંથી જેઓ વગ્ય પતિએ પૂરી કર્યા વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત તેઈન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત તેઈન્દ્રિય કહેવાય છે. ચઉરિન્દ્રિયના પ્રકારે
જે જીવેને ઈન્દ્રિય કરતાં એક ચક્ષુરિન્દ્રિય અધિક છે હોય છે, તે ચતુરિન્દ્રિય જીવે કહેવાય છે. તેના વીંછી, બાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી વગેરે અનેક ભેદ છે. આ માંથી જેઓ સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત ચતુરિન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને. મૃત્યુ પામે, તે પર્યાપ્ત ચતુરિન્દ્રિય કહેવાય છે. ' પચેન્દ્રિયના પ્રકારે
પંચેન્દ્રિય જીના મુખ્ય ચાર પ્રકારે છેઃ (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. તેમાં નારક અને દેવને જન્મ ઉ૫પાતથી થાય છે, એટલે કે માતા–પિતાના સાગ વિના માત્ર સ્થાનના આધારે થાય છે અને તિર્યંચ તથા મનુષ્યને જન્મ સંમૂર્છાન અને ગર્ભધારણ એમ બે પ્રકારે થાય છે. તેમાં જેમને જન્મ સંપૂર્ઝનથી થાય છે, તેઓને વિચારશક્તિ હોતી નથી.
Page #123
--------------------------------------------------------------------------
________________
-૪૬
નવકારવ-દીપિકા એટલે તેઓની ગણના અસંસીમાં થાય છે અને નારક દેવ, ગર્લજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યની ગણના સંજ્ઞીમાં થાય છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય માં જેઓ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા સિવાય મૃત્યુ પામે, તે અપર્યાપ્ત અસંગી પંચેન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત અસંસી પંચેન્દ્રિય કહેવાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાંથી જેઓ સ્વયેગ્ય પયાપ્તિએ પૂરી કર્યા વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે.
સંસી પચેન્દ્રિયમાં નારક છના સાત પ્રકારે છે. પ્રથમ નરકના છે, બીજી નરકના છે, એ પ્રમાણે સાતમી નરક સુધીના છે.
સંસી પચેન્દ્રિયમાં તિર્યંચના મુખ્ય ત્રણ પ્રકારે છે: (૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર. વળી તેના પણ કેટલાક પેટાપ્રકારે છે. 1. સંજ્ઞી પંચેન્દ્રિયમાં મનુષ્યના મુખ્ય ત્રણ પ્રકારે છે. (૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ અને (૩) અતરદ્વીપજ. વળી તે દરેકના અનુક્રમે પંદર, ત્રીશ તથા છપ્પન પ્રકારે છે.
સંજ્ઞી પંચેન્દ્રિયમાં દેવના મુખ્ય ચાર પ્રકારે છેઃ (૧) ભવનપતિ, (૨) વ્યંતર તથા (વાણુવ્યંતર), (૩)
Page #124
--------------------------------------------------------------------------
________________
જીવતવ
તિષ્ક અને () વૈમાનિક. તેમાં ભવનપતિના દશ, વ્યંતર તથા વાણવ્યંતર દરેકના આઠ–આઠ, તિષ્કના પાંચ તથા વૈમાનિક દેના કપાયપન્ન અને કલ્પાતીત એવા બે પ્રકારે છે. તેમાં કલ્પપપનના બાર અને કલ્પતીતના નવ રૈવેયક તથા પાંચ અનુત્તર એવા ઉત્તરપ્રકારે છે.
આ બધા ભેદને વિસ્તાર જીવ-વિચાર–પ્રકાશિકાથી જાણ. (૧) ઉપમઃ
વસ્તુને વિશેષ બેધ થવા માટે તેના ભેદ-પ્રભેદનું જ્ઞાન જરૂરી છે, તેમ તેના લક્ષણનું જ્ઞાન પણ જરૂરી છે. તેથી પ્રકરણકાર મહર્ષિ પાંચમી ગાથામાં જીવનાં લક્ષણે આ પ્રમાણે રજૂ કરે છે? (૨) મૂળ ગાથાઃ नाणं च दंसणं चेव, चरितं च तवो तहा। पीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥५॥ (૩) સંસ્કૃત છાયાઃ
ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा ।
वीर्यमुपयोगश्चैतज्जीवस्य लक्षणम् ॥ ५ ॥ (૪) શબ્દાર્થ : નાdi-જ્ઞાન.
અને.
Page #125
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
હંતદર્શન
-નિશ્ચયપૂર્વક. ત્તિ ચારિત્ર. ર–અને, અથવા પાદપૂરણાર્થે. તવો-તપ. તા-તથા, તે જ પ્રકારે. વીરચં–વીર્ય. કવશોળોઉપગ. 'उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्यु
–જેના વડે જીવ વસ્તુના પરિછેદ જ્ઞાન–પ્રતિ. વ્યાપાર કરે–પ્રવૃત્ત થાય, તે ઉપગ કહેવાય; અથવા ૩૫ એટલે સમીપ અને રોજ એટલે જ્ઞાન-દર્શનનું પ્રવર્તન. જેના વડે આત્મા જ્ઞાન-દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળે થાય તે ચિતન્યમય જે વ્યાપાર, તે. ઉપગ કહેવાય.
જ-અને, અથવા પાદપૂરણાર્થે.
–એ. જ્ઞાનાદિ છે. લીવરજીવનું.
ઝરણ-લક્ષણ, ચિહ્ન (૫) અર્થ–સંકલનાઃ
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપચાગ એ છ છવનાં લક્ષણ છે.
-
ષ
Page #126
--------------------------------------------------------------------------
________________
જીવતત્વ
(૬) વિવેચન :
પ્રસ્તુત ગાથામાં જીવનાં લક્ષણે કહ્યાં છે, એટલે પ્રથમ વિચાર લક્ષણે કરીએ. વસ્તુમાં અનેક પ્રકારના ધર્મો હોય છે, તેમાં કેટલાક સાધારણ હોય છે, એટલે કે બીજી વસ્તુમાં પણ જોવામાં આવે છે અને કેટલાક અસાધારણ હોય છે, એટલે કે તે બીજી વસ્તુમાં લેવામાં આવતા નથી, માત્ર તેનામાં જ જોવામાં આવે છે. વસ્તુના આવા અસાધારણ ધર્મને લક્ષણું કહેવામાં આવે છે. “કલાપારખધ ક્ષF ” આ પ્રકારના લક્ષણ વડે વસ્તુને જાણી શકાય છે, ઓળખી શકાય છે, યાવત અનેક વસ્તુમાંથી તેને જુદી પાડીને “આ વસ્તુ તે આ જ છે” એ નિર્ણય કરી શકાય છે.
લક્ષણ કેવું હોવું જોઈએ?” તેના ઉત્તરમાં વિદ્વાન પુરુષએ કહ્યું છે કે “વસ્તુના જે ધર્મ કે ગુણને લક્ષણ તરીકે કહેવાનું હોય, તે ધર્મ કે ગુણ એ વસ્તુમાં સર્વથા વ્યાપ્ત હવે જોઈએ. દાખલા તરીકે સાસ્ના એટલે ગળાની ગોદડીને ગાયનું લક્ષણ કહેવામાં આવે છે, તે તે બધી ગાયમાં હોય છે. અહીં સ્પષ્ટતા એટલી કે વસ્તુના જે ધર્મ કે ગુણને લક્ષણ તરીકે કહેવાનું હોય, તે ધર્મ કે ગુણ જો એ વસ્તુમાં સર્વથા વ્યાપ્ત ન હોય કે તે વસ્તુની બહાર પણ વ્યાપ્ત હોય અથવા તે વસ્તુમાં વ્યાપ્ત જ ન હોય, તે તેમાં અનુક્રમે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ નામના ગણાય અને તે કારણે ઉક્ત લક્ષણેને યથાર્થ કહી શકાય નહિ.'
Page #127
--------------------------------------------------------------------------
________________
૫૦
નવતર-દીપિકા
દાખલા તરીકે કપિલત્વને ગાયનું લક્ષણ કહીએ તે કેટલીક ગાયે કપિલ (–પીળા રંગની) હોય છે અને કેટલીક ગાયે કપિલ હોતી નથી, એટલે લક્ષણની સર્વથા
વ્યાપ્તિ થઈ નહિ. માત્ર એક દેશમાં જ વ્યાપ્તિ થઈ, તેથી તેમાં અવ્યાપ્તિ નામને દોષ આવ્યું. જે આવા દેષયુક્ત લક્ષણને સ્વીકાર કરીએ તે જે ગાયે વેત, કાળી, રાતી વગેરે રંગની હોય, તે બધી ગાયના વર્ગમાંથી બાકાત થાય, કારણ કે તેમાં કપિલત્વ નથી.
હવે શૃંગત્વને (શિંગડાપણું) ગાયનું લક્ષણ કહીએ તો તે ગાય સિવાય અન્ય પશુઓમાં પણ જોવામાં આવે છે. જેમકે-ભેંસ, બકરાં, હરણ, રેઝ વગેરે. અહીં લક્ષણની મૂળ વસ્તુની બહાર પણ વ્યાપ્તિ થઈ એટલે તેમાં અતિવ્યાપ્તિ નામને દોષ આવ્યું. જે આવા દોષ– યુક્ત લક્ષણને સ્વીકાર કરીએ તે ભેંસ, બકરાં, હરણું, રિઝ વગેરેને પણ ગાય કહેવાને જ પ્રસંગ આવે, કારણ કે તે બધાને શંગ હોય છે.
હવે એકશફત્વ (એક છે) એટલે એક ખરી હાવી તેને ગાયનું લક્ષણ કહીએ તે ગાયને એક ખરી હતી જ નથી, અવશ્ય બે હેાય છે, તેથી તેમાં અસંભવ નામને દેષ આવ્યું. જે આવા દોષયુક્ત લક્ષણને સ્વીકાર કરીએ તે ગાયને ગાય કહી શકાય નહિ અને ઘોડા, ગધેડા વગેરે એક ખરીવાળાં પશુઓને ગાય કહે વાને પ્રસંગ આવે.
Page #128
--------------------------------------------------------------------------
________________
જીવતત્વ
-
-
તાત્પર્ય કે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષથી રહિત જે લક્ષણ હોય, તેને જ યથાર્થ લક્ષણ કહી શકાય અને તે જ વસ્તુની સાચી ઓળખાણ આપી શકે.
અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગને જીવનાં લક્ષણો કહેવામાં આવ્યાં છે, એટલે તે જીવના અસાધારણ ધર્મો છે. તે માત્ર જીવમાં જ જોવામાં આવે છે, અન્ય કઈ પદાર્થમાં નહિ..
ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “વો કરોજીવ-જીવ ઉપગ લક્ષણવાળો છે.” તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “૩૫થોનો અક્ષણ-જીવનું મુખ્ય લક્ષણ ઉપરોગ છે. અન્ય ગ્રન્થોમાં પણ કહ્યું છે કે “ઉજવરવં વસ્ય અક્ષણમૂ-ઉપયોગવાળાપણું એ જીવનું લક્ષણ છે.” તાત્પર્ય કે જ્યાં જીવનું મુખ્ય લક્ષણ કે એક લક્ષણ કહેવાને પ્રસંગ આવે છે, ત્યાં પ્રાયઃ ઉપગને જ નિર્દેશ કરવામાં આવ્યું છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે એક સ્થળે “જેતા અક્ષણે જીવ:” એમ કહ્યું અને અહીં કી વાળો ૪ળો ” એમ કહ્યું, તે બેમાંથી કેને ઠીક માનવું?” તેને ઉત્તર એ છે કે આ બે વિધાનમાં પરસ્પર વિરોધ નથી, કેમકે ચેતનાનું કુરણ કે ચેતનાને વ્યાપાર એ જ ઉપગ છે,
જે ઉપગ વસ્તુના સામાન્ય ધર્મને ગ્રહણ કરવા
Page #129
--------------------------------------------------------------------------
________________
પર
નવ-તત્ત્વ દીપિકા
માટે પ્રવતા હોય, તે ક્રેન કહેવાય છે અને વિશેષ ધર્માંને ગ્રહણ કરવા માટે પ્રવતા હોય, તે જ્ઞાન કહેવાય છે, અથવા આ કંઈક છે' એવા જે નિરાકાર ઉપચેગ, તે દર્શન છે અને આ અમુક છે' એવા જે સાકાર ઉપયાગ તે જ્ઞાન છે.
·
આપણને જીવને પયાગી સર્વ માહિતી આ સાકાર ઉપયાગરૂપ જ્ઞાન વડે જ મળે છે. કહ્યુ છે કે, ‘ સબ્બાઓ लद्धीओ सागारोवओगोव उत्तस्स नो अनागारोवओगोव उतस्सસર્વ લબ્ધિા સાકાર ઉપયેગવાળા આત્માને હોય છે, પણુ અનાકાર ઉપયોગવાળા આત્માને હોતી નથી.' આ પરથી જ્ઞાનનું મહત્ત્વ સમજી શકાશે.
ઉપયેગ એ જીવનું લક્ષણ હોવાથી બધા જીવામાં ઉપયાગ હોય છે, પણ તે સરખા કે સમાન હોતા નથી, કારણ કે તે માઁના ચેપથમ પ્રમાણે જ વ્યક્ત થાય છે. અને બધા જીવાનો કમ'નો યાપશમ સરખા કે સમાન હોતા નથી.
સમય પરત્વે વિચાર કરીએ તા છદ્મસ્થ આત્માઓને દર્શનીયેાગ તથા જ્ઞાનોયેાગ વધારેમાં વધારે અંતર્મુ હૂત સુધી હોય છે. તેમાં દેશનાપયોગ કરતાં જ્ઞાનોપચેાગનો સમય સખ્યાતગણે! વધારે હોય છે. જ્યારે ડેવલીઓને અને ઉપયેગ એક એક સમયના જ હોય છે. અહી” એટલું યાદ રાખવું ઘટે કે જીવને એક જ
Page #130
--------------------------------------------------------------------------
________________
તન્ન
પક
સમયે એક ઉપગ હોય છે, પણ બે ઉપગે કહેતા નથી. - છઠ્ઠસ્થ આત્માઓને પહેલે દર્શને પગ હોય છે અને પછી જ્ઞાનપગ હોય છે. વધારે સ્પષ્ટ કહીએ તે કોઈ પણ છદ્મસ્થ આત્માને શેય પદાર્થનો સંબંધ થાય ત્યારે પ્રથમ અતર્મુહૂતે “આ કંઈક છે” એ અવ્યક્ત બોધ થાય છે, તેને દર્શન કહેવામાં આવે છે. ત્યાર પછી જ્ઞાનમાત્રા વૃદ્ધિ પામતાં પામતાં અંતર્મુહૂર્ત કળે અચૂક નિશ્ચિત અથવા વિશિષ્ટ બંધ થાય છે, તેને જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ કેવલી ભગવતેની સ્થિતિ જુદા પ્રકારની હોય છે. તેમને પહેલે જ્ઞાનપગ હોય છે અને પછી દર્શનો પગ હોય છે.
દશનપગ ચાર પ્રકારનો છેઃ (૧) અચક્ષુદર્શનપગ, (૨) ચક્ષુદ્દેશને પગ, (૩) અવધિદર્શનેપાગ
અને (૪) કેવલદર્શનપગ. તેમાં ચક્ષુ સિવાયની બીજી -ચાર ઈન્દ્રિયે તથા મનના નિમિત્તથી થતા અનાકાર ઉપગને અચસુદર્શને પગ કહેવાય છે, ચક્ષુનિમિત્તથી થતા અનાકાર ઉપગને ચક્ષુદંશનેપચેગ કહેવાય છે, અવધિનિમિત્તથી થતા અનાકાર ઉપગને અવધિ-દર્શનોપયોગ કહેવાય છે અને કેવલજ્ઞાન થયા પછી જે સામાન્ય ઉપગ થાય છે, તેને કેવલદર્શને પગ કહેવાય છે.
જ્ઞાનપગ આઠ પ્રકારનો છે : (૧) મતિજ્ઞાનેગ. (૨) મતિ-અજ્ઞાનોપગ, (૩) કૃતજ્ઞાનેપગ, (૪) શ્રુત
Page #131
--------------------------------------------------------------------------
________________
--
-
પઝ
નવ-તત્વ-દીપિકા અજ્ઞાનેપચોગ, (૫) અવધિજ્ઞાનપીગ, (૯) વિભગાનાવેગ, (૭) મન:પર્યવજ્ઞાન પગ અને (૮) કેવલજ્ઞાને યોગ. તેમની ઓળખાણ આ પ્રમાણે સમજવીઃ
સમ્યફવધારી આત્માને મતિજ્ઞાનરૂપ જે ઉપયોગ તે મતિજ્ઞાને પગ અને મિથ્યાત્વી આત્માને મતિઅજ્ઞાનરૂપ ઉપયોગ તે મતિઅજ્ઞાનોપગ. અહીં અજ્ઞાન શબ્દ જ્ઞાનને અભાવ સૂચવતું નથી, પણ મોક્ષપ્રાપ્તિનું અનુપકારકપણું સૂચવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે સમ્યફવધારી આત્માનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડે છે, માટે તે જ્ઞાન છે અને મિથ્યાત્વી આત્માનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડતું નથી, બલ્લે સંસાર વધારનારું હોય છે, માટે તે અજ્ઞાન છે
સમ્યકધારી આત્માને તાન રૂપ જે ઉપયોગ. તે શ્રુતજ્ઞાને પગ અને મિથ્યાત્વી આત્માને શ્રુતજ્ઞાનરૂપ જે ઉપગ તે કૃત-અજ્ઞાનેપગ.
સમ્યક્ત્વધારી આત્માને અવધિજ્ઞાનરૂપ જે ઉપયોગ તે અવધિજ્ઞાનોપયોગ અને મિથ્યાત્વી આત્માને અવધિજ્ઞાનરૂપ જે ઉપગ તે વિભંગ જ્ઞાનયોગ.
સમ્યક્ત્વધારી આત્માને મન પર્યવજ્ઞાનરૂપ જે ઉપરોગ તે મન:પર્યવજ્ઞાને પગ અને કેવલજ્ઞાનરૂપ જે ઉપયોગ, તે કેવલજ્ઞાનેગ. મિથ્યાત્વીને મનાય અને કેવલજ્ઞાન થતું નથી, તેથી મન ભર્યવ-અજ્ઞાનપયોગ
Page #132
--------------------------------------------------------------------------
________________
જીતવ અને કેવલજ્ઞાન–અજ્ઞાને પગ નામના ઉપયોગના પ્રકારો સંભવતા નથી.
અહીં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન અંગે પણ થોડી સ્પષ્ટતા કરીએ. પાંચ ઈન્દ્રિ અને છઠ્ઠી મનના નિમિત્ત વડે વસ્તુને જે અભિમુખ નિશ્ચિત બંધ થાય, તે મતિજ્ઞાન કહેવાય. કૃત એટલે શબ્દના નિમિત્તથી ઈન્દ્રિય અને મન વડે જે મર્યાદિત જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય ઈન્દ્રિય અને મનની મદદ વિના આત્માને અમુક ક્ષેત્રવતી–અમુક કાળવતી જે પ્રત્યક્ષ જ્ઞાન થાય, તે અવધિજ્ઞાન કહેવાય, ઈન્દ્રિય અને મનની મદદ વિના આત્માને મનના પય સંબંધી જે પ્રત્યક્ષ જ્ઞાન થાય, તે મનઃ પર્યવજ્ઞાન કહેવાય; તથા ઈન્દ્રિય અને મનની મદદ વિના આત્માને એક, નિર્મલ, પરિપૂર્ણ, અસાધારણ અને અનંત એવું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય, તે કેવલજ્ઞાન કહેવાય.
જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે મતિ, શ્રત, અવધિ કે મન:પર્યવજ્ઞાન હેતાં નથી, એટલે તેને એક કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારને મલ હિતે નથી, એટલે તેને નિર્મલ કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં કઈ જાતની અપૂર્ણતા હોતી નથી, એટલે તેને પરિપૂર્ણ કહેવામાં આવે છે. આ જ્ઞાન સાધારણું એટલે સામાન્ય નથી, માટે તેને અસાધારણું કહેવાય છે અને આ જ્ઞાન અંતરહિત છે, એટલે તેને અનંત કહેવાય છે.
મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો છે, શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો
Page #133
--------------------------------------------------------------------------
________________
-
-
--
---
નવ-તત્વ-દીપિકા છે, અવધિજ્ઞાનના છ ભેદો છે, મન:પર્યવજ્ઞાનના બે ભેદો છે અને કેવલજ્ઞાનને એક ભેદ છે. આ રીતે પાંચ જ્ઞાનના કુલ એકાવન ભેદ છે, તે અન્ય ગ્રંથેથી જાણવા.
ઉપર જણાવેલા આઠ પ્રકારના જ્ઞાન (પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન)માંથી ગમે તે એક અથવા અધિક જ્ઞાન હીનાધિક પ્રમાણવાળું દરેક જીવને હોય છે જ, તેથી જ્ઞાનને જીવનું લક્ષણ કર્યું છે. વળી ઉપર જણાવેલા ચાર પ્રકારનાં દર્શને પૈકી એક અથવા અધિક દર્શન હીનાધિક પ્રમાણુવાળું દરેક જીવને હેય છે જ, તેથી તેને પણ જીવનું લક્ષણે કહ્યું છે. આ બંનેના મૂળમાં ઉપગ રહેલે છે, એટલે તેને પણ અહીં પૃથફ લક્ષણ તરીકે નિર્દેશ કરવામાં આવ્યું છે.
- અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધીને સર્વ છે જેમ જ્ઞાન અને દર્શનથી યુક્ત હોય છે, તેમ ચારિત્રથી પણ યુક્ત હોય છે. વળી આ ગુણ અન્ય કઈ પદાર્થમાં હેતે નથી, તેથી જ ચારિત્રને જીવનું લક્ષણ માનવામાં આવ્યું છે. અહીં ચારિત્રથી આત્માનું એ આચરણ અભિપ્રેત છે કે જેને પ્રશસ્ત અથવા શુભ કહેવામાં આવે છેઅને જે પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
આવું ચારિત્ર ગાઢ મહનીય કર્મથી આવૃત્ત થયેલા ૫. નિત નિશ્વિતનેતિ રાત્રિના १. चर्य ते गम्यते अनेन निर्वताविति चारित्रम् ।
- -
-
-
- -
-
Page #134
--------------------------------------------------------------------------
________________
જીવિત
પs છેને કેમ સંભવે?’ એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂર્ય કાળાં વાદળાંઓથી ઘેરાએલે હોય તે પણ તેને કેટલેક . પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે અને તેથી દિવસ અને રાત્રિનો ભેદ જણાય છે. જે એ વખતે સર્વથા અંધકાર વ્યાપી જાય, તે દિવસ અને રાત્રિનો ભેદ જણાય નહિ, પણ તેમ બનતું નથી. આ જ રીતે જીવ ગમે તેવા ગાઢ મિહનીય કર્મથી આવૃત્ત હોય, તે પણ તેના કેટલાક પચે નિરાવરણ રહે છે, તેથી એ અવસ્થામાં પણ કિંચિત્ ચારિત્ર સંભવે છે. અલબત્ત, આને આપણે ચારિત્રને અનંતમે ભાગ કહી શકીએ.
આત્માના ચારિત્રગુણને ઢાંકનારું મોહનીય કર્મ છે. તે જેમ જેમ ઓછું થતું જાય, તેમ તેમ ચારિત્રને વિકાસ થાય છે અને જ્યારે તેને સર્વથા ક્ષય થાય, ત્યારે ચારિત્ર ગુણ સવશે ખીલી નીકળે છે. ક્ષીણમેહી મુનિવરોને, દેહધારી કેવલી ભગવાને તથા સિદ્ધ પરમાત્માઓને આવું સર્વશે સંપૂર્ણ ચારિત્ર હોય છે.
ચારિત્રને વિશેષ પરિચય સંવર-તત્વના વર્ણનપ્રસંગે અપાશે. .
જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ તપ પણ જીવને સ્વાભાવિક ગુણ છે અને તે દરેક જીવમાં હીનાધિક પ્રમાશુમાં અવશ્ય હોય છે, વળી તે અન્ય પદાર્થમાં કથંચિત પણ જણાતું નથી, તેથી જ તેને જીવનું લક્ષણ માનવામાં આવ્યું છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
નવતરવ-દીપિકા અહીં “તપ” ગુણથી તૃષ્ણા કે ઈચ્છાને અભાવ અભિપ્રેત છે. તાત્પર્ય કે જ્યારે જીવને કઈ પણ પ્રકારની તૃષ્ણા કે ઈચ્છા રહે નહિ, ત્યારે તેને તપગુણ સંપૂર્ણપણે વિકાસ પામેલે મનાય છે. વીતરાગદશાને પામેલા સર્વજ્ઞ ભગવતેને આ પ્રકારની તપગુણ હોય છે.
અહીં કોઈ એમ કહેતું હોય કે “જે સર્વજ્ઞ ભગવતેમાં તપગુણ સંપૂર્ણપણે વિકાસ પામેલ હોય તે તેઓ આહાર શા માટે કરે?” તેને ઉત્તર એ છે કે “સર્વસ ભગવતે ઈચ્છાને આધીન થઈને આહાર ગ્રહણ કરતા નથી, પણ દારિક કાયાના ટકાવ માટે જ આહાર ગ્રહણ કરે છે. જેમ વ્યાધિ શાંત કરવા માટે લીધેલું ઔષધ ઈચ્છાપૂર્વક લીધેલું ન કહેવાય, તેમ સર્વજ્ઞ ભગવતેએ કાયાના ટકાવ માટે ગ્રહણ કરેલ આહાર છાપૂર્વક ગ્રહણું કરેલ ન ગણાય. તાત્પર્ય કે તેથી તેમના તપગુણને જરાપણ હાનિ પહોંચતી નથી.
“ઈચ્છાનિધિરૂપી ત૫ નિકૃષ્ટ કેટિના જીવમાં શી રીતે સંભવે?” તેને ઉત્તર એ છે કે “જીવના તપગુણને ઢાંકનાર મેહનીય તથા વીતરાય કર્મ છે. તે પણ તેને અલ્પ અંશ સર્વ જીવોમાં ઉઘાડો હોય છે, તેથી નિકૃષ્ટ કેટિના માં પણ તે કિંચિત્ સંભવે છે.”
૭. ચારિત્રની મહત્તા તથા તેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવા માટે અમેએ ધર્મબોધ ગ્રન્થમાળાનું નવમું પુષ્પ “ચારિત્ર-વિચાર” લખેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જોવું.
જરાય
કરે
હિના
Page #136
--------------------------------------------------------------------------
________________
રિત
-
-
ઈચ્છાને નિરોધ કરવામાં અનશનાદિ છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યાઓ અને પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારની અત્યંતર તપશ્ચર્યાઓ સહાયભૂત થાય છે, તેથી વ્યવહારદષ્ટિએ તેમને પણ તપ કહેવામાં આવે છે. આ બાર પ્રકારની તપશ્ચર્યાને પરિચય આગળ નિર્જરા-તત્વના વર્ણન-પ્રસંગે અપાશે.
આ લેકમાં જુદા જુદા સ્વરૂપે રહેલા સર્વ જીવે વીર્યગુણથી વિભૂષિત હોય છે અને તે વીર્યગુણ અન્ય. કઈ પદાર્થમાં હેત નથી, તેથી જ તેને જીવનું લક્ષણ માનવામાં આવ્યું છે.
અહીં વીર્યગુણથી જીવનું તે સામર્થ્ય કે જીવનની તે શક્તિ અભિપ્રેત છે કે જે કારણ રૂપે-સાધનરૂપે જીવની પાસે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરાવે છે અને લબ્ધિરૂપે. જ્ઞાન-દર્શનાદિના ઉપગમાં પ્રવર્તાવે છે.
આ, વીર્યગુણ સર્વજ્ઞ ભગવતમાં સર્વ પ્રકટ. થયેલ હોય છે અને બાકીના જીને વીતરાયના શપશમ પ્રમાણે હીનાધિક પ્રમાણમાં પ્રકટેલે હોય છે.
અહીં જીવનાં જે છ લક્ષણે કહેવામાં આવ્યાં છે, તે સત્તાથી તે સર્વ જીવોને સરખા જ હોય છે, પરંતુ સકર્મ જીવેને કર્મના પ્રભાવ અનુસાર તે હીનાધિક
૮. તપની મહત્તા તથા તેના સ્વરૂપને વિસ્તૃત પરિચય અમેએ ધર્મબોધ ગ્રન્થમાળાના બારમા પુષ્પ “ તપનાં તેજમાં તથા જૈન શિક્ષાવલીની પ્રથમ શ્રેણીના આઠમા પુષ્પ તપની મહતા'માં આપેલે. છે, તે જિજ્ઞાસુઓએ જરૂર જે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૬૦
નવ-તત્વ-દીપિકા પ્રમાણમાં પ્રકટ થાય છે અને અકર્મ જીને તે સર્વ લક્ષણે સંપૂર્ણપણે પ્રકટ થાય છે. (૧) ઉપમઃ
જીવતત્વનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં પ્રથમ અપેક્ષાકૃત જીવના ભેદે કહા, પછી શાસ્ત્ર પ્રસિદ્ધ જીવના ચૌદ ભેદનું વર્ણન કર્યું, પછી જીવની સ્પષ્ટ ઓળખાણ આપવા માટે જીવનાં છ લક્ષણો જણાવ્યાં. હવે પર્યાપ્તિઓના પ્રકાર અને તે ક્યા જીવને કેટલી વયપ્તિ હેય? તે જણાવવા માટે છઠ્ઠી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળ ગાથાઃ
હા-રી-પિત્ત ચાઇના-માસ-ના વન પર પંપ છા -વિણજિ-જીf I // (૩) સંસ્કૃત છાયા શાહી-રાન્દ્રિય-પર્યાય વાનગાન-માવા-મનસિા. 'चतस्रः पञ्च षडपि, चैकविकलाऽसंज्ञि-संज्ञिनाम् ॥६८॥ (૪) શબ્દાર્થ :
કાર અને સરીર અને દૃચિ રૂપ પાત્ત તે સાફા-વિવ–પી . શાહ-આહારપયતિ.
ચિપની ઇન્દ્રિય પર્યાપ્તિ. શાળાન-શ્વાસે શ્વાસપતિ.
Page #138
--------------------------------------------------------------------------
________________
સ્વતત્ત્વ
૧
બાળપાળ અને માત્ર અને મળ તે બાળપાળ-માસમળે. બાળપાળ-શ્વાસેાવાસ, શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ.
આસભાષા, ભાષાપર્યાપ્તિ.
મળે–મનઃ, મન:પર્યાપ્તિ.
૬૪ ચાર.
પંચ-પાંચ.
-િ૭ પણ.
ચ-અને.
–એક, એક ઇન્દ્રિયવાળા જીવાને.
કુળ અને વિનહ તે ફળ-વિજ્ઞજ. ફળ-એક. વિશ્વરુ વિક્લેન્દ્રિય વિકલેન્દ્રિય જીવાને.
અગ્નિ-અસ'ની પંચેન્દ્રિય જીવાને.
વિરુ તથા શનિ પદ્મની સંધિ થવાથી વિછન્નનિ એવુ' પદ્ય અનેલુ છે.
સન્નીનં–સ'ની પંચેન્દ્રિય જીવાને.
(૫) અથ–સકલના :
આહારપર્યાપ્ત, શરીરપર્યાપ્ત, ઇન્દ્રિયપર્યાપ્ત, શ્વાસેાવાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્ત અને મન:પર્યાપ્તિ એ છે પર્યાપ્ત છે. એકેન્દ્રિય જીવા, વિકલેન્દ્રિય જીવા, અસી પચેન્દ્રિય જીવા તથા
Page #139
--------------------------------------------------------------------------
________________
કર
નવતત્ત્વ–દીપિકા
સન્ની પાંચેન્દ્રિય જીવા અનુક્રમે ચાર, પાંચ, પાંચ અને છ પર્યાપ્તિને યાગ્ય હોય છે.
·
(૬) વિવેચન :
જીવ જ્યારે એક સ્થૂલ શરીરના ત્યાગ કરીને બીજું સ્થૂલ શરીર ધારણ કરે છે, ત્યારે ભાવી જીવનયાત્રા માટે તે પેાતાના નવીન જન્મક્ષેત્રમાં એકી સાથે પુદ્ગલના કેટલાક ઉપચય કરે છે, તેને અથવા તેનાથી ઉત્પન્ન થતી પૌદ્ગલિક શક્તિને પર્યાપ્તિ કહેવામાં આવે છે.
આ પર્યાપ્તિ જીવનું કરણવિશેષ છે, એટલે કે એક પ્રકારનુ સાધન છે; કારણ કે તેના વડે છત્ર આહારગ્રહુણ, શરીરનિ ન આદિ ક્રિયા કરવામાં સમથ અને છે.
બૃહત્ સંગ્રહણીમાં કહ્યું છે કે—
आहारसरीरिंदिय, ऊसास वओ मणाऽभिनिव्वती । होइ जओ दलिआओ, करणं पइ सा उ पज्जत्ती ।।
'
વ્યાખ્યા : આહારશરીરન્દ્રિયો સવોમનસામિनिर्वृत्तिरभिनिष्पतिर्यतो दलिकादलभूतान् पुद्गलसमूहात्तस्य दलिकस्य स्व-स्वविषये परिणमनं प्रति यत् करणं शक्तिरूपं સાર્યાપ્તિઃ। ’
અર્થાત્—જે લિકરૂપ પુદ્ગલસમૂહથી આહાર, શરીર, ઇન્દ્રિય, ઉચ્છ્વાસ, વચન અને મનની રચના થાય છે, તે દલિકાનું પોતપોતાના વિષયરૂપે પરિણમન કરવા પ્રતિ જે શક્તિરૂપ કરણ, તે પર્યાપ્તિ કહેવાય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
થાડાં વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. જીવ નવા જન્મસ્થાને આવતાંની સાથે જ જીવનયાત્રામાં ઉપયેગી થાય એવા પુદ્ગલે ગ્રહણ કરવા માંડે છે અને એ રીતે પુદ્ગલાના કેટલાક ઉપચય એટલે સધાત કે જથ્થા તૈયાર થાય છે, તેથી જીવ એ કર્તા છે.
પુદ્ગલના ઉપચયથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેના વડે જીવ આહારગ્રહણ, શરીરનિન આદ્ધિ માટે સમર્થ બને છે, તેથી પુદ્ગલેાપચયથી ઉત્પન્ન થતી શક્તિ એ જીવનું કરણ છે,
પર્યાપ્તિરૂપ કરણુ વડે આહારાદિનું પોતપોતાના વિષયમાં પરિણમન થાય છે, એટલે આહારગ્રહણ, શરીર નિન આદિ ક્રિયાઓ છે.
જીવમાં કોઈ પણ દેહ ધારણ કરીને જીવવાની શક્તિ છે, પણ તે પર્યાપ્તિ વિના પ્રકટ થતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તે! જીવને દેહધારી તરીકે જીવવુ હાય તે પર્યાપ્તિ દ્વારા જ એમ કરી શકાય છે, તેથી સ'સારી જીવ માટે પર્યાપ્તિ એ અતિ અગત્યની વસ્તુ છે.
પર્યાપ્તિના છ પ્રકારો છે : (૧) આહારપર્યાપ્તિ, (૨) શરીરપર્યાપ્તિ, (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છુવાસપર્યાપ્તિ, (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મન:પર્યાપ્તિ.
તત્ત્વા ભાષ્યમાં મન:પર્યાપ્તિના મન:પર્યાપ્તિના ઇન્દ્રિયપર્યાપ્તિમાં સમાવેશ કરી પર્યાપ્તિઓની સંખ્યા પાંચ માની છે, પણ આગમાદિ સાહિત્યમાં છ પર્યાપ્તિની પ્રસિદ્ધિ છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિક.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “શાસ્ત્રકારે મનને અનિન્દ્રિય કહ્યું છે, તે ઇન્દ્રિયના ગ્રહણથી મનનું ગ્રહણ કેમ થાય?” તેનું સમાધાન એમ કરવામાં આવ્યું છે કે
જેમ શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સાક્ષાત્ ચક્ષુ આદિ છે, તેવું મન નથી. તે પણ મન સુખાદિને સાક્ષાત્ ગ્રહણ કરનાર છે, તેથી મને સંપૂર્ણપણે ઈન્દ્રિય ન હોવા છતાં ઈન્દ્ર એટલે આત્માનું લિંગ હેવાથી ઈન્દ્રિય પણ છે.”
અહીં પાંચ પર્યાયિઓ કહી છે, તે બાહ્ય કરણની અપેક્ષાઓ જાણવી. મન તે અંતકરણ એટલે અંદરનું કરણ છે, તેથી મન:પર્યાપિને જૂદી માનવામાં કઈ દોષ નથી. - હવે છ પર્યાપ્તિનું સ્વરૂપ જણાવીશું. (૧) આહારપર્યાસિ:
જીવ પુદગલીપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે આહાર ગ્રહણ કરી તેને ખલ તથા રસપણે પરિણુમાવે તે શક્તિને આહારપર્યાપ્તિ કહેવાય. અહીં ખલ શબ્દથી. મળમૂત્રાદિ રૂપ અસાર પુદ્ગલે અને રસ શબ્દથી સાત ધાતુ રૂપે પરિણમવા ગ્ય જલ જે પ્રવાહી પદાર્થ સમજવાને છે. - કે ખલ શબ્દથી અરિથર આદિ અવયવો બની. શકે તે પદાર્થ પણ કહે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
જીવતત્વ
છ યે પર્યાપ્તિને એગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરવું, તેને અહીં “આહાર' કહેવામાં આવ્યું છે. આહાર ત્રણ પ્રકારને છેઃ એજ–આહાર, રેમ–આહાર કે લેમ–આહાર અને કવલ–આહાર.
કાર્મણ વેગ દ્વારા પ્રથમ સમયમાં જે પુદ્ગલસમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે એજ–આહાર. સ્પર્શનેન્દ્રિય દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે, તે રેમઆહાર, રેમકૂપ દ્વારા ક્ષણે ક્ષણે પુદ્ગલે ગ્રહણ થાય છે. સૂર્યના તાપથી સંતપ્ત અને તૃષાતુર પથિક વૃક્ષની છાયામાં જઈને રેમકૂપ દ્વારા ઠંડીના પગલે ગ્રહણું કરે છે અને તેથી પરમ શાંતિ અનુભવે છે. જે આહાર મુખ વડે ગ્રહણ થાય છે, તેને કેવલ–આહાર કહેવામાં આવે છે.
(૨) શરીરપર્યાપ્તિ :
જીવ, પુદ્ગલેપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે રસરૂપે (પ્રવાહીરૂપે) પરિણુમાવેલા આહારને રસ (ધાતુવિશેષ), રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્ય એ સપ્તધાતુ રૂપે પરિણુમાવે, તે શરીરપર્યાપ્તિ કહેવાય. શરીરને બાંધવા માટે ઉપયેગી પદાર્થ તે ધાતુ આયુર્વેદે પણ સપ્તધાતુને સિદ્ધાંત સ્વીકારે છે. આ વ્યાખ્યા દારિક શરીરને અનુલક્ષીને સમજવી. અન્ય શરીરમાં તે તે પ્રકારની:શરીરસામગ્રી સમજવી.
Page #143
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
(૩) ઇન્દ્રિયપર્યાપ્તિ
જીવ, પુદ્ગલેાપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શરીર રૂપે પરિણમાવેલા પુગદ્યામાંથી ઇન્દ્રિયાન્ય પુગલે ગ્રહણુ કરીને તેને ઈન્દ્રિયરૂપે પરિણમાવે, તે શક્તિને ઈન્દ્રિયપર્યાપ્તિ કહેવાય. ઈન્દ્રિયે પાંચ પ્રકારની છે, એ હકીકત આગળ કહેવાઈ ગઈ છે. (૪) શ્વાસાવાસપર્યાપ્તિ ઃ
જીવ, પુર્દૂગલે પચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શ્વાસોચ્છ્વાસયેાગ્ય વણા ( પુદ્ગલના વિશિષ્ટ સમૂહ) ને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવી, અવલખીને વિસર્જન કરે, તે શક્તિને શ્વાસેાવાસપર્યાપ્ત કહેવાય. અવલખીને એટલે અન્નલ અનપૂર્વક, વિશિષ્ટ પ્રયાસપૂર્વક.
જે વસ્તુને એકદમ છોડવી હાય, તે વસ્તુને છોડતાં પહેલાં કઇંક પ્રયાસ કરવા પડે છે, તે પ્રયાસને અહી અવલખન સમજવાના છે. ધનુષ્યમાંથી ખાણુ ફેંકવું હાય તા પણછ પર ચડાવી પાછુ ખેચવુ પડે છે, અથવા મારવા હોય તે પ્રથમ શરીરના કેટલાક ભાગને સાચવા પડે છે. અહી પણછ પર ચડાવેલા ખણુને પાછા ખેંચવાની ક્રિયા અને પ્રથમ કરેલા અંગસ કોચને અવલંબન સમજવાનું છે, કારણ કે તેના આધારે જ ઉક્ત ક્રિયાઓ યથાર્થ પણે થાય છે.
કૂ
મહારના વાયુને શરીરની અંદર ખેંચવા અને અ ંદરના વાયુને બહાર કાઢવા, તે શ્વાસેાચ્છવાસ કહેવાય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
૬૭
•
આ ક્રિયા માત્ર ફેફસાં દ્વારા જ થતી નથી, પરંતુ ચમ છિદ્રો દ્વારા પણ થાય છે. જો ફેફસાંને જ શ્વાસેાચ્છનાસનું સાધન માની લઈએ તે વનસ્પતિકાય તથા તેનો કોટિના બીજા જીવાને શ્વાસોચ્છવાસની ક્રિયા સંભવે નહિં, કારણ કે તેમાં ફેફસાં હાતાં નથી; પરંતુ સિદ્ધાંતમાં તેમને શ્વાસોચ્છવાસની ક્રિયા કહેલી છે, કારણુ કે સમસ્ત શરીદ્વારા પણ શ્વાસ લેવા—મૂકવાની ક્રિયા થાય છે. લીમડાના વૃક્ષ નીચે સૂવાથી આરાગ્ય સુધરે છે, આંખલીના વૃક્ષ નીચે સૂવાથી આરોગ્ય બગડે છે, વગેરે વિધાન તેના શરીરદ્વારા નીકળતા ચાક્કસ પ્રકારના શ્વાસને આધારે થયેલા છે.
(૫) ભાષા પર્યાપ્ત:
જીવ, પુદ્દગલાપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે ભાષાયાગ્યવાને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણમાની અવલખીને વિસર્જન કરે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહેવાય. (૬) મન:પર્યાપ્તિ :
:
જીવ, પુદ્ગલાપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે મનચેાગ્યવાને ગ્રહણ કરી, મનરૂપે પરિણુમાવી, અવલખીને વિસર્જન કરે, તે શક્તિને મન:પર્યાપ્તિ કહેવાય. પર્યાપ્તિઓના પરસ્પર સબંધ :
પ્રથમની ત્રણ પર્યાપ્તિએના, કાર્યના પરસ્પર સંબંધ છે. આહારપૂર્યાપ્તિથી રસારૂિપે પરિણમાવેલ આહારને
'
Page #145
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ—દીપિક
શરીર્યાપ્તિ શરીરરૂપે પરિણમાવે છે અને ઇન્દ્રિયપર્યાપ્તિ એ શરીરમાંથી ઇન્દ્રિયયેાગ્ય પગલા ગ્રહણ કરીને ઇન્દ્રિયરૂપે પરિણમાવે છે. બાકીની ત્રણ પર્યાપ્તિનું કા પરસ્પર સંબંધ ધરાવતું નથી, કેમકે શ્વાસે વાસ, ભાષા અને મન:પર્યાપ્તિ, પાતાની સ્વતંત્ર વામાંથી પુદ્ગુગલે ગ્રહણ કરે છે.
ક્યા જીવો કેટલી પર્યાપ્તિને ચાગ્ય છે?
"
ક્યા જીવા કેટલી પર્યાપ્તિને ચાગ્ય છે? એ પ્રશ્નના ઉત્તર ગાથાના ઉત્તરાર્ધમાં અપાયેલા છે. તેમાં જણાવ્યુ છે કે એકેન્દ્રિય જીવા ચાર પર્યાપ્તિને ચેાગ્ય હાય છે, વિકલેન્દ્રિય જીવા તથા અસની પચેન્દ્રિય જીવા પાંચ પર્યાપ્તિને ચાગ્ય હાય છે અને સન્ની પંચેન્દ્રિય જીવા છ પર્યાપ્તિને ચેાગ્ય હેાય છે. અહીં ચાર, પાંચ અને છ ની સ ંખ્યા પર્યાપ્તિના ક્રમ મુજબ સમજવાની છે, એટલે કે એકેન્દ્રિય જીવો આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસેાચ્છવાસ એ ચાર પર્યાપ્તિને ચેાગ્ય હાય છે, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવે એ ચાર પર્યાંપ્તિએ ઉપરાંત પાંચમી ભાષાપર્યાપ્તિને પણ ચેાગ્ય હાય છે અને સ'ની પચેન્દ્રિય જીવા એ પાંચ પર્યાપ્ત ઉપરાંત છઠ્ઠી મન:પર્યાપ્તિને પણ ચેાગ્ય હાય છે. પર્યાપ્તના પ્રારંભ અને સમાપ્તિ
જે જીવા જેટલી પર્યાપ્તિને ચાગ્ય હોય છે, તે અથી પર્યાપ્તિના પ્રારંભ તા એક સાથે જ કરે છે, પણ
Page #146
--------------------------------------------------------------------------
________________
નવતત્વ
૬૯ તેની સમાપ્તિ અનુક્રમે કરે છે. દાખલા તરીકે સંજ્ઞી પંચેન્દ્રિય એ ગર્ભજ મનુષ્ય છ પર્યાસિઓને એગ્ય છે, તે મનુષ્યના ગર્ભસ્થાનમાં આવેલે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પિતાને ચગ્ય છ યે પર્યાપ્તિએને પ્રારંભ કરે છે, તેમાં પ્રથમ આહારપર્યાપ્તિ પૂર્ણ કરે છે, પછી શરીરપર્યાપ્તિ, પછી ઈન્દ્રિયપત્તિ, એ પ્રમાણે છે એ પર્યાપ્તિ અનુક્રમે પૂર્ણ કરે છે. પર્યાપ્તિને કાલ | સર્વ જી આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂરી કરે છે અને શરીરાદિ અન્ય પર્યાપ્તિએ ત્યાર બાદ અંતમુહૂર્ત પૂરી કરે છે.
“જીવ આહારપર્યાપ્તિ એક જ સમયમાં પૂરી કરે છે, તેમ બીજી પર્યાપ્તિએ પણ એક જ સમયમાં કેમ પૂરી કરતે નથી?” તેને ઉત્તર એ છે કે “આ પાપ્તિઓનું કાર્ય ઉત્તરોત્તર સૂક્ષમ છે, તેથી અધિક પુદ્ગલના ઉપચયની અપેક્ષા રાખે છે, એટલે તે પર્યાપ્તિઓને પૂરી કરતાં અનુક્રમે વધારે વાર લાગે છે. અહીં સૂતર કાંતનારી છે સ્ત્રીઓનું દષ્ટાંત વિચારણુય છે.
છ સ્ત્રીઓ એક શેર સૂતર લઈને કાંતવા બેસે તે સ્થલ એટલે જાડું સૂતર કાંતનારી સ્ત્રી સહુથી પહેલી કાંતિ રહે, તેનાથી સૂક્ષમ એટલે ઝીણું કાતનારી સ્ત્રી તેની પછી કાંતી રહે, તેથી ઝીણું સૂતર કાંતનારી તેની ચછી કાંતી રહે. આ રીતે સહુથી ઝીણું કાંતનારી સ્ત્રી
Page #147
--------------------------------------------------------------------------
________________
નવતત્વ-દીપિકા
સહુથી છેલ્લું કાંતી રહે પર્યાપ્તિઓના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. પર્યાપ્તિની અપેક્ષાએ જીવના ચાર ભેદો
ચોથી ગાથામાં જીવનું વર્ણન કરતાં અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા બે ભેદો જણાવેલા છે. તે પર્યાપ્તિને આધીન છે. તાત્પર્ય કે જે જીવ સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે, તે અપર્યાપ્ત કહેવાય છે અને પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામે, તે પર્યાપ્ત કહેવાય છે. આ અપર્યાપ્ત અને પર્યાપ્તના લબ્ધિ અને કરણથી બે-બે ભેદ પડે છે, એટલે કે પર્યાપ્તિની અપેક્ષાએ જીવના કુલ ચાર ભેદો પડે છે.
(૧) લબ્ધિઅપર્યાપ્ત જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરતાં પહેલાં જ મૃત્યુ પામે, તે લબ્ધિ-અપર્યાપ્ત કહેવાય. આ જીવ પ્રથમની ત્રણ પતિઓ તે પૂરી કરે જ છે, કારણ કે તે સિવાય નવા ભવનું આયુષ્ય બંધાતું નથી. પરંતુ તે એકેન્દ્રિય હોય તે ચેથી પતિ અધૂરી રહે છે, વિકલેન્દ્રિય કે અસંજ્ઞી પંચેન્દ્રિય હોય તે ચોથી અને પાંચમી પર્યાણિ અધૂરી રહે છે અને સંસી પચેન્દ્રિય હોય તે ચેથી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ અધૂરી રહે છે.
અહીં લબ્ધિ શબ્દ પૂર્વબદ્ધ-કર્મજન્ય- ગ્યતાને સૂચવનાર છે. તાત્પર્ય કે જીવે પૂર્વકાલે જે અપર્યાપ્ત
Page #148
--------------------------------------------------------------------------
________________
જીવતરવા
નામકર્મ બાધેલું છે, તેને ઉદય આવતાં તેને આવું અપર્યાપણું પ્રાપ્ત થાય છે.
આ લધિ અપર્યાપ્તપણને કાલ પૂર્વભવમાંથી છૂટે, તે સમયથી માંડીને ઉત્પત્તિસ્થાને આવી ઈન્દ્રિયપસિ પૂરી કરે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ હેય છે. અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે આ જીવ જ્યારે અંતરાલગતિમાં હોય, એટલે કે પ્રથમને દેહ છેડીને નવ દેહ ગ્રહણ કરવા માટે ગતિ કરતે હેય, ત્યારે પણ તે લબ્ધિઅપર્યાપ્ત જ કહેવાય છે.
(૨) લબ્ધિ-પર્યાપ્ત જે જીવ પિતાના મૃત્યુ પહેલાં સ્વયેશ્ય સર્વ પર્યાસિઓ અવશ્ય પૂર્ણ કરવાને છે, તે જીવ એ પર્યાસિઓ પૂર્ણ કર્યા પહેલાં અને પૂર્ણ કર્યા પછી પણ લબ્ધિ-પર્યાપ્ત કહેવાય છે. જીવને આવું પર્યાપ્તપણે પૂર્વે બાંધેલા પર્યાપ્ત નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે.
આ લબ્ધિ-પર્યાપ્તપણને કાલ જીવ પ્રથમ ભવથી છૂટે, તે જ સમયથી સંપૂર્ણ ભવપર્યત એટલે દેવને ૩૩ સાગરેપમ, મનુષ્યને ૩ પપમ ઈત્યાદિ હોય છે. આ જીવ અંતરાલગતિમાં પણ લબ્ધિ-પર્યાપ્ત જ કહેવાય છે. (૩) કરણ-અપર્યાપ્ત
જીવ જ્યાં સુધી સ્વગ્ય પતિઓને પૂરી કરતે નથી, ત્યાં સુધી તે કરણ-અપર્યાપ્ત કહેવાય છે. અહીં
Page #149
--------------------------------------------------------------------------
________________
નવતરવ–દીપિકા
-
-
કરણ શબ્દથી સ્વયેગ્ય પયોપિઓ અભિપ્રેત છે. તાત્પર્ય કે જીવ નવા જન્મસ્થાને આવીને તરત જ સ્વયેગ્ય પર્યાપ્તિઓને પ્રારંભ કરે છે, તે જ્યાં સુધી એ પર્યાપ્તિઓને પૂર્ણ કરી રહે છે, છે ત્યાં સુધી કરણ--અપર્યાપ્તની કેટિને ગણુય છે.
આવા કરણ અપર્યાપ્તપણને કાલ પૂર્વભવમાંથી છૂટે, તે સમયથી માંડી સર્વ પર્યાયિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી અંતમુહૂર્ત પ્રમાણું હોય છે. આ જીવ અંતરાલ ગતિમાં પણ કરણુ-અપર્યાપ્ત જ કહેવાય છે.
(૪) કરણુ-પર્યાપ્ત
જે જીવે સ્વય સર્વ પતિઓને પૂરી કરી લીધી હાય, તે કરણુ-પર્યાપ્ત કહેવાય છે.
આવા કિરણ-પર્યાપ્તપણને કાલ સ્વઆયુષ્યના પ્રમાણથી જૂન અંતમુહૂર્ત પ્રમાણ હોય છે. આ જીવ અંતરાલ ગતિમાં પણ કરણપર્યાપ્ત જ કહેવાય છે.
અહીં એટલું ખ્યાલમાં રાખવાની જરૂર છે કે લબ્ધિઅપર્યાપ્ત તથા લબ્ધિ-પર્યાપ્ત એ બંને અને કરણઅપર્યાપ્તપણું હોય છે. તેમાંથી લબ્ધિ-અપર્યાપ્ત જીવને કરણ-પર્યાપ્તપણું પ્રાપ્ત થતું જ નથી, જ્યારે લબ્ધિ-પર્યાપ્ત જીવને પથપ્તિએ પૂરી કર્યા પછી કરણ પર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
હa
(૧) ઉપમ ?
યયાપ્તિએ પૂર્ણ થવાથી દ્રવ્ય પ્રાણે ઉત્પન્ન થાય છે, તેથી પ્રકરણકાર મહર્ષિ સાતમી ગાથામાં દ્રવ્ય પ્રાણનું વર્ણન આ પ્રમાણે કરે છે ? (૨) મૂળ ગાથા : पणिदिअ-त्तिबलूसासाऊ दस पाण चउ छ सग अट्ट। इग-दु-ति-चरिंदीणं, असन्नि-सन्नीण नव दस य॥७॥ (૩) સંસ્કૃત છાયા ? पञ्चेन्द्रिय-त्रिबलोछ्वासायूषि दश प्राणाश्चत्वारः षट्सप्ताष्टौ। एक-द्वि-त्रि-चतुरिन्द्रियाणांअसंज्ञि-संज्ञिनां नव दश च ॥७॥ (૪) શબ્દાર્થ
પરિ-પાંચ ઈન્દ્રિયે.
પવિત્ર અને ત્તિ ૪ અને ક્ષત્તિ અને કાર તે પરિ– રિહૂલાત૩. પMિતિક-પાંચ ઈન્દ્રિયે.
રિવઢ-ત્રણ મળે.
પતિ એવું વરુ તે સિવ. જિ-ત્રણ પ્રકારનું. ર૪-એલ. જીવ અસંખ્ય પ્રદેશથી યુક્ત છે. આ પ્રદેશમાં નિરંતર પરિશ્ચંદન ચાલી રહ્યું છે, તેને વેગ કહેવામાં આવે છે. આ ચેગ ત્રણ પ્રકારને છે ઃ મનસંબંધી, વચનસંબધી અને કાયાસંબંધી. તેને જ અહીં મોબળ, વચનબળ અને કાયદળ એ ત્રણ પ્રકારના બળે સમજવાનાં છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
સાસઉછુવાસ, શ્વાસોચ્છવાસ.
-આયુષ્ય. -રા. પ્રાણ-પ્રાણે. વચાર.
સંપ-સાત.
-આઠ. -એક, એકેન્દ્રિય જીને. દુશ અને દુ અને રિ અને વાર પછી એજાયેલ ઇંતી શબ્દ દરેક સંખ્યાને લાગુ પડે છે, તેથી જ અર્થ એકેન્દ્રિયને, એકેન્દ્રિય જીને એમ સમજવાને છે.
ટુ-એ, બેઈન્દ્રિય જીને.. તિ-ત્રણ, તેઈન્દ્રિય જીને.
લી-ચાર ઇન્દ્રિયવાળા જીને. અન્ન-જીજ–અસંસી અને સંસી ને. નવ-નવ.
જશ.
–અને. (૫) અર્થ-સંકલન
પાંચ ઈજિયેત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય, એ દશ માણે છે. તેમાંના ચાર, છ, સાત અને આઠ પ્રાણુ અનુકમે એકેન્દ્રિય જીને,
Page #152
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
એઈન્દ્રિય જીવોને, તેઈન્દ્રિય જીવોને તથા ચતુરિન્દ્રિય જીવોને હોય છે. અસની અને સંજ્ઞી જીવોને અનુક્રમે નવ અને દેશ પાણા હોય છે. (૬) વિવેચન :
૫.
'
જીવને માટે પ્રાણી શબ્દ પ્રસિદ્ધ છે, કારણ કેસંસારી અવસ્થામાં તે દવિધ પ્રાણા પૈકી યથાયેાગ્ય પ્રાણાને ધારણ કરનારા હોય છે, દવિધ પ્રાણ જીવને જ હાય છે, અજીવને હાતા નથી, તેથી વિધ પ્રાણ એ જીવનું લક્ષણ છે.
'
અહીં પ્રશ્ન થવા સભવ છે કે પાંચમી ગાથામાં જીવનાં લક્ષણા વિસ્તારથી આપ્યાં છે, તેમાં પ્રાણના ઉલ્લેખ નથી, તેવુ કેમ ?” તેના ઉત્તર એ છે કે પાંચમી ગાથામાં જીવનાં જ્ઞાન—દનાદિ જે લક્ષણા બતાવ્યાં છે, તે અભ્યંતર લક્ષણે છે અને દ્વવિધ પ્રાણ એ જીવનું ખાદ્ય લક્ષણુ છે, તેથી પાંચમી ગાથામાં દુવિધ પ્રાણના ઉલ્લેખ કરેલ નથી.’
· આ જીવ છે,’ અથવા · આ જીવે છે,' એવી પ્રતીતિ આપણને આ શિવધ પ્રાણા વડે જ થાય છે, તેથી શાસ્ત્રકાર ભગવત્તાએ નીતિ મુવિધાનું કાળાત્ ધાવસીવિ નીયઃ – જે દૃવિધ પ્રાણાને ધારણ કરે, તે જીવ’ એવી. વ્યાખ્યા કરેલી છે. વિશેષમાં તેમણે જણાવ્યુ છે કે જેના. સચાગથી આ જીવને જીવનાવસ્થા પ્રાપ્ત થાય અને જેના
Page #153
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા વિયેગથી આ જીવને મરણાવસ્થા પ્રાપ્ત થાય, તે પ્રાણ સમજવા. તાત્પર્ય કે પ્રાણુ એ જીવનશક્તિ છે. તેના વિના કેઈ જીવંત રહી શક્ત નથી.
(૧) સ્પર્શનેન્દ્રિયપ્રાણું, (૨) રસનેન્દ્રિયપ્રાણુ, (૩) ધ્રાણેન્દ્રિયપ્રાણ. () ચક્ષુરિન્દ્રિયપ્રાણું. (૫) શ્રોત્રેન્દ્રિયપ્રાણું. (૬) મનબળપ્રાણ, (૭) વચનબળપ્રાણ. (૮) કાચબળપ્રાણું. (૯) શ્વાસોશ્વાસપ્રાણ. (૧૦) આયુયપ્રાણ,
પર્યાપ્તિ એ કારણ છે અને પ્રાણું એ કાર્ય છે. -વધારે સ્પષ્ટ કહીએ તે આ દશવિધ પ્રાણ પૈકી પ્રથમના નવ પ્રણે છ પતિએને લીધે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે
સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ પ્રાણનું કારણ ઈન્દ્રિયપથતિ છે; મને બળપ્રાણનું કારણું મન ચર્યાપ્તિ છે, -વચનબળપ્રાણનું કારણ ભાષાપર્યાતિ છે, કાયબળપ્રાણનું કારણે શરીરપર્યાપ્તિ છે અને શ્વાસે છૂવાસપ્રાણનું કારણ -શ્વાસેપ્શવાસપર્યાપ્તિ છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
૭૭
આયુષ્યપ્રાણનું કારણ આયુષ્યકર્મ છે, આમ છતાં આહારપર્યાપ્તિ તેનું સહકારી કારણું તે છે જ, કારણ કે આહાર સિવાય જીવન ટકી શકતું નથી.
' હવે દશવિધ પ્રાણુ જીવન-વ્યવહાર કે જીવન-નિર્વાહમાં. કેવી રીતે ઉપયેગી થાય છે, તે દર્શાવીશું.
સ્પર્શનેન્દ્રિય નામના પ્રાણુ વડે જીવ શીત, ઉષ્ણ, નિગ્ધ, રુક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ આ આઠ પ્રકારના સ્પર્શોને બોધ કરી શકે છે.
રસનેન્દ્રિય નામના પ્રાણ વડે જીવ કડે, તીખે, મીઠ, ખાટો અને તરે એ પાંચ પ્રકારના રસનો બધ કરી શકે છે.
ધ્રાણેન્દ્રિય નામના પ્રાણ વડે જીવ સુગંધ અને દુર્ગધને બંધ કરી શકે છે.
ચક્ષુરિન્દ્રિય નામના પ્રાણુ વડે જીવ કાળ, નીલે (વાદળી), પીળે, રાતે, ધૂળે એ પાંચ પ્રકારના વન તથા એ વર્ણના મિશ્રણથી ઉત્પન્ન થતી વિવિધ વર્ણ– છાયાઓને બોધ કરી શકે છે. વર્ણ એટલે રંગ.
શ્રોત્રેન્દ્રિય નામના પ્રાણ વડે જીવ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દો ધ્વનિઓ (Sounds)ને બંધ કરી શકે છે. સચિત્ત શબ્દ એટલે જીવંત પ્રાણીઓ વડે બેલાતે શબ્દ. ભ્રમરને ગુંજારવ તથા ઘડાને હણહણાટ એ સચિત્ત શબ્દ છે. અચિત્ત શબ્દ એટલે નિઈવ. પદાર્થોના ભેગા થવાથી, અથડાવાથી કે બીજી કઈ રીતે
Page #155
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા ઉત્પન્ન થતે શબ્દ. ઘડિયાળને ટક ટક એ અવાજ તથા અમુક અમુક સમયે વાગતા ટકેરા એ અચિત્ત શબ્દ છે. મિશ્ર શબ્દ એટલે જીવના પ્રયત્ન વડે નિર્જીવ પદાર્થોમાંથી ઉદ્ભવતે શબ્દ. મનુષ્ય મોરલી, નગારું કે ઘંટ વગાડે છે, તેમાંથી ઉત્પન્ન થતા શબ્દો મિશ્ર કેટિના છે.
મને બળપ્રાણવડે જીવ કઈ પણ વસ્તુ સંબંધી મનનચિંતન કરી શકે છે.
વચનબળ પ્રાણવડે જીવ કેઈ પણ પ્રકારની ભાષા બેલી શકે છે, પછી તે અક્ષરાત્મક હોય કે અનક્ષરાત્મક હેય. નિકૃષ્ટ કેટિના જીવોની ભાષા અનક્ષરાત્મક હોય છે.
કાયબળપ્રાણવડે જીવ કાયાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે.
શ્વા છુવાસપ્રાણવડે જીવ ફેફસાં તથા ચર્મછિદ્રો દ્વારા શ્વાસ લઈ શકે છે. (વનસ્પતિ તે ચર્મછિદ્રો વડે જ શ્વાસ લે છે.)
વ્યવહારમાં તે શ્વાસોચ્છવાસને જ જીવનનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. જે પ્રાણુને શ્વાસેવાસ ચાલતું હોય તે તે જીવંત મનાય છે અને બંધ પડી ગયો હોય તે મરણ થયેલું મનાય છે. એક મનુષ્ય મૃત્યુને બિછાને પડેલે હોય અને તે શાંત થતે જણાય તે પાસે બેઠેલાઓ તેનાં નસકોરાં આગળ આંગળી ધરે છે, તે એમ જાણવાને કે હજી તેને શ્વાસોચ્છવાસ ચાલુ
Page #156
--------------------------------------------------------------------------
________________
જીવત
૭
==
=
=
=
છે કે કેમ? જે તે અતિ અલ્પ પ્રમાણમાં પણ ચાલત જણાય તે તેઓ અનુમાન કરે છે કે હજી આ મનુષ્ય જીિવંત છે.
પરંતુ અહીં એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ જગતમાં એવા અનેક દાખલાઓ નેંધાયેલા છે કે જેમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કલાક સુધી, અરે ! દિવસે સુધી બંધ રહી હોય અને છતાં તેઓ જીવંત રહ્યા હિય. દાખલા તરીકે ભારતના સુપ્રસિદ્ધ ચગી હરિદાસજી છ મહિના સુધી ભૂમિ-સમાધિમાં રહ્યા હતા અને ત્યાર બાદ જીવન જીવ્યા હતા. પ્રથમ તેમની બધી આંગળીઓ ઉપરથી નખ ઉતારી લેવામાં આવ્યા હતા, મસ્તકાદિ પર ઉગેલા વાળ કાઢી નાખવામાં આવ્યા હતા અને જીભની નીચેનું પડ કાપીને એ જીભને અવળી કરી નાખવામાં આવી હતી. યૌગિક પરિભાષામાં કહીએ તે ખેચરી મુદ્રા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના શરીર પર મલમલનું ઝીણું વસ્ત્ર વીંટાળવામાં આવ્યું હતું અને એ શરીરને લાકડાની પેટીમાં મૂકી એને બરાબર બંધ કરવામાં આવી હતી. પછી એ પેટીને જમીનમાં બાર ફૂટ ઊંડા દાયેલા ખાડામાં ઉતારી તેના પર માટી નાખી દેવામાં આવી હતી અને તેના પર સંત્રીઓને પહેરે મૂકી દેવામાં આવ્યું હતું. નિર્ધારિત મુદતે એટલે છ મહિના બાદ એ ખાડામાંની માટી દૂર કરીને તેમાંથી લાકડાની પેટી બહાર કાઢવામાં આવી હતી અને તેને સંભાળથી ઉઘાડીને ભેગી શ્રી હરિદાસનું શરીર તેમાંથી
Page #157
--------------------------------------------------------------------------
________________
૮૦
નવ-તત્વ-દીપિકા,
બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના શિષ્યએ. તેમના મસ્તકના અગ્રભાગે ગાયનું થોડું ઘી મસળ્યું હતું અને તેમના શરીરમાં પ્રાણસંચાર થતે દેખા હતે. ડી જ મિનિટમાં તેઓ પૂર્વાવસ્થામાં આવી ગયા હતા.
અન્ય રોગવિશારદેએ પણે અમુક કલાક કે અમુક દિવસ સુધી શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ રાખ્યા પછી પૂર્વવત્ ચાલુ કરેલી છે અને જીવંત અવસ્થા ભોગવેલી છે, એટલે માત્ર શ્વાસોચ્છવાસપ્રાણ એ જ જીવનનું લક્ષણ નથી. દશવિધ પ્રાણ પૈકીને કઈ પણ એક પ્રાણુ અવશિષ્ટહોય તે પણું જીવન સંભવી શકે છે. રોગીશ્રી હરિદાસજી ની બાબતમાં તેમને આયુષ્યપ્રાણુ અવશિષ્ટ હતું, એટલે. જ તેઓ જીવંત રહી શકયા, એમ માનવું જોઈએ.
આયુષ્ય વડે જીવ નિયત શરીરમાં અમુક સમય સુધી ટકી શકે છે. આ આયુષ્ય બે પ્રકારનું છેએક દ્રવ્યાયુષ્ય અને બીજું કોલાયુષ્ય. તેમાં આયુષ્યકર્મનાં જે યુગલે તે દ્વવ્યાયુષ્ય કહેવાય છે અને તે પગલે વડે
જીવ જેટલા કાલ સુધી નિયત ભવમાં ટકી શકે, તે કલાયુષ્ય કહેવાય છે.
જીવન જીવવામાં આયુષ્યકર્મનાં પુદગલે-આયુષ્ય– કર્મને ઉદય એજ મુખ્ય કારણ છે. જ્યાં એ યુગલે સમાપ્ત થયાં કે આહાર, ઔષધિ આદિ અનેક ઉપાથીપણ જીવ જીવી શકતું નથી.
બંને પ્રકારનાં આયુષ્યમાં જીવને દ્વવ્યાયુષ્ય તે.
Page #158
--------------------------------------------------------------------------
________________
જીવતવ
અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે, પરંતુ કાલાયુષ્ય તે પૂરું કરે કે ન પણ કરેકારણ કે કલાયુષ્ય જે અપવર્તનીચ હિય, એટલે કે શસ્ત્ર વગેરેના આઘાતથી શીઘ્ર પરિવર્તન પામે તેવું હોય તે અપૂર્ણ કાલે પણ મરણ પામે અને જે અનપવતનીય હોય તે ગમે તેવાં નિમિત્તે મળવા છતાં તે આયુષ્યને કાળ પૂરે કરીને જ મરણ પામે. '
અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે શાદિ બાહા નિમિત્તથી આયુષ્યને ક્ષય થાય તે તે સેપક્રમ આયુષ્ય કહેવાય. અહીં ઉપક્રમને અર્થ બાહા નિમિત્ત છે. આયુષ્યના અંતિમ કાળમાં જેને બાહ્ય નિમિત્ત આવી પડે તેવું આયુષ્ય પણ સેપક્રમ જ કહેવાય. આવા કઈ પણ બાહ્ય નિમિત્ત વિના જ જે આયુષ્યને ક્ષય થાય તે નિષ્પક્રમ આયુષ્ય કહેવાય.
અનપવર્તનીય આયુષ્યમાં બા નિમિત્ત હોય પણ ખરું અને ન પણ હોય, એટલે કે તે સેપક્રમ અને નિરુપક્રમ એમ બંને પ્રકારનું હોય છે અને અપવર્તનીય આયુષ્ય તે સેપક્રમ જ હોય છે. અહીં એ સ્પષ્ટતા પણ આવશ્યક છે કે સેપક્રમ અપવર્તનીય આયુષ્યમાં અકાળ મરણ નીપજે છે, પણ સેપક્રમ અનયવર્તનીય આયુષ્યમાં તે માત્ર નિમિત્તરૂપ જ બને છે, એટલે કે એ ઉપક્રમ આયુષ્યને ન્યૂન કરતા નથી.
તીર્થકરે, ચકવર્તીઓ, વાસુદે, પ્રતિવાસુદેવ, બળદેવે અને તે જ ભવમાં મેક્ષે જનાર સ્ત્રી-પુરુષ,
Page #159
--------------------------------------------------------------------------
________________
નવ-તત્તર-દીપિકા
===
===
==
==
=
===
===
=
દે, નારકે તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચે અનપવર્તનીય નિરુપક્રમ આયુષ્યવાળા હેય છે, જ્યારે બાકીના સર્વ મનુષ્ય અને તિર્યંચ છ સેપક્રમ અને નિષ્પકમ બને આયુષ્યવાળા હોય છે.
શાસ્ત્રમાં આયુષ્યને ક્ષય સાત કારણે કહેલો છે ? (૧) પ્રબળ અધ્યવસાયથી, (૨) શસ્ત્રાદિકના નિમિત્તથી, (૩) અહિતકર આહારથી, (૪) વેદનાથી, (૫) પરાઘાતથી અથવા ઊંડા ખાડા વગેરેમાં પડી જવાથી, (૬) વિષાદિને સ્પર્શ થવાથી અને (૭) શ્વાસનું ધન થવાથી.
હવે ઇન્દ્રિયેટ સંબંધી જે વિશેષ વક્તવ્ય છે, તે અહીં રજૂ કરીશું.
ઈન્દ્ર એટલે આત્મા, તેનું જે લિંગ-નિશાન, તે ઈન્દ્રિય. તાત્પર્ય કે ઈન્દ્રિય વડે-ઈન્દ્રિયેનાં કાર્ય વડે આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે.
ઈન્દ્રિયે પાંચ છે. તે દરેકના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે બે પ્રકારે છે. તેમાં દ્રવ્યેન્દ્રિય આકૃતિ કે આકારરૂપ છે અને ભાવેન્દ્રિય આત્માની શક્તિરૂપ છે.
દ્રવ્યેન્દ્રિય પુનઃ નિવૃત્તિ અને ઉપકરણ એવા બે પ્રકારમાં વહેંચાયેલી છે અને દરેકના પણ બાહ્ય અને અભ્યતર એવા બે બે પ્રકારે છે. તેમાં ઈન્દ્રિયની દશ્ય આકૃતિ તે બાહો નિવૃત્તિ, તેની અંદર રહેલે આકારવિશેષ તે અત્યંતર નિર્ધ્વત્તિ, તેની અંદર વિષયને ગ્રહણ
૧
,
Page #160
--------------------------------------------------------------------------
________________
જીવતત્વ
કરવામાં સમર્થ એવા પુદ્ગલેની વિશિષ્ટ રચના તે બાહ્ય ઉપકરણ અને તેની અંદર રહેલી સૂક્ષમ રચના તે અત્યંતર ઉપકરણું કહેવાય છે. આમાં અપવાદ એટલે કે સ્પર્શ નેન્દ્રિયને બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારની નિવૃત્તિ હિતી નથી, પણ માત્ર અભ્યતર નિર્વત્તિ જ હોય છે.
કેઈ આચાર્યના મતથી અત્યંતર નિવૃત્તિની શક્તિવિશેષ તે જ ઉપકરણ છે. તાત્પર્ય કે તેઓ ઉપકરણના બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારે -માનતા નથી.
બાદ નિવૃત્તિ જુદી જુદી જાતના છને જુદી જુદી જાતની હોય છે. દાખલા તરીકે આપણે કાન, ઘોડાને કાન અને સસલાને કાન આકૃતિમાં સમાન હિતા નથી.
અત્યંતર નિર્ધ્વત્તિ સ્પર્શનેન્દ્રિય પરત્વે જુદા જુદા જીવેના શરીર પ્રમાણે હેય છે અને રસનેન્દ્રિય પર સર્વ જીવોને મુશ્મ એટલે અસ્ત્રાના આકારે, ધ્રાણેન્દ્રિય પર સર્વ ને અતિમુક્ત પુષ્પ કે પડઘમના આકારે, ચક્ષુરિન્દ્રિય પર સર્વ જીવોને મસુરની દાળના આકારે અને ઍન્દ્રિય પરત્વે સર્વ જેને કદંબ પુષના આકારે હોય છે.
ઉપકરણેન્દ્રિયના સ્થૂલ અને સૂક્ષમ એવા બે વિભાગે છે, તે સારી સ્થિતિમાં હોય તે જ પિતાને વિષય અરાબર ગ્રહણ કરી શકે છે અને જે તેમને કઈ પણ
Page #161
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા,
કારણે ઉપઘાત થયેલ હય, એટલે કે નુકશાન પહોંચેલું હોય તે પિતાને વિષય બરાબર ગ્રહણ કરી શકતી નથી. , ભાવેન્દ્રિયના બે પ્રકારે છે: એક લબ્ધિ, બીજો ઉપગ. તેમાં મતિજ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ થવે, તેને લબ્ધિ કહેવાય છે અને તેના પરિણામે વિષય સંબંધી જે ચેતના-વ્યાપાર થવે, તે ઉપગ કહેવાય છે. ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કર્યા પછી કેઈને અલ્પ બોધ થાય છે અને કોઈને વિશેષ બેધ થાય છે, તેનું કારણ આ ભાવેન્દ્રિય છે. વધારે સ્પષ્ટ કહીએ તે બે માણસેને કાન એકસરખા હોય અને તેઓ સમાન કાળે વિષયને ગ્રહણ કરે તે પણ જેને મતિજ્ઞાનાવરણયાદિ કર્મોને ક્ષપશમ સામાન્ય હોય તેને વિષયને અલ્પ બંધ થાય અને ક્ષયશમ વિશેષ હેય તેને વિષયને વિશેષ બેધ થાય.
ઈન્ડિયે પિતાને વિષય કેટલા અંતરેથી ગ્રહણ કરી. શકે વગેરે બાબતમાં શાસકારોએ ઊંડી વિચારણા કરેલી છે, તે અન્ય ગ્રન્થથી જાણવી.
હવે ક્યા જીવને કેટલા પ્રાણ હોય છે, તે સમજી લઈએ. એકેન્દ્રિય જીને ચાર પ્રાણો કહેલા છે, તે રપર્શનેન્દ્રિય, કાયાબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્યપ્રાણું સમજવા. બેઈન્દ્રિય જીવેને છ પ્રાણું કહેલા છે, તેમાં ઉપરના ચાર પ્રાણે ઉપરાંત રસનેન્દ્રિય અને વચનબળ પ્રાણુ અધિક સમજવા. તે ઈન્દ્રિય જીને સાત પ્રાણે કહેલા
Page #162
--------------------------------------------------------------------------
________________
જીવત
છે, તેમાં ઉપરના છ પ્રાણે ઉપરાંત એક ઘાણેન્દ્રિયપ્રાણ અધિક સમજે. ચતુરિન્દ્રિય જીને આઠ પ્રાણ કહેલા છે, તેમાં ઉપરના સાત પ્રાણ ઉપરાંત એક ચક્ષુરિન્દ્રિયપ્રાણ અધિક સમજ. અસંણી પંચેન્દ્રિય અને નવ પ્રાણે કહેલા છે, તેમાં ઉપરના આઠ પ્રાણ કરતાં એક શ્રોત્રેદ્રિયપ્રાણુ અધિક સમજે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીને દશ પ્રણે કહેલા છે, તેમાં આ નવ પ્રાણે ઉપરાંત એક મનપ્રાણ અધિક સમજે. આ પ્રમાણે દરેક જીવને પ્રાણ સમજવા. ' હવે જીવ અંગે બીજી પણ જે કેટલીક હકીક્ત જાણવા જેવી છે, તે પ્રસંગોપાત્ત અહીં રજૂ કરીએ છીએ.
ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જીવો = ળિયો વિનાણી શરિયો gો નિર્વ-જીવ અનાદિ છે, અનિધન છે, અવિનાશી છે, અક્ષય છે, ધ્રુવ છે અને નિત્ય છે.”
જીવ અનાદિ છે, એમ કહેવાને આશય એ છે કે તે અમુક સમયે ઉત્પન્ન થયેલ નથી, અમુક સમયે જન્મેલે નથી. તાત્પર્ય કે તે અજન્મા છે, અજ છે. જે જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલે માનીએ, તે તે કયારે ઉત્પન્ન થશે અને શા માટે ઉત્પન્ન થયે? એ બે પ્રશ્નો ખડા થાય છે. જે તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે ઘટ અને પેટની માફક તે અમુક સમયે ઉત્પન્ન થયેલે છે, તે પ્રશ્ન એ થાય છે કે તે એ જ સમયે કેમ ઉત્પન્ન થયે? તે પહેલાં કેમ નહિ? ઉત્તરમાં ગમે તેવી
Page #163
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
સમયમર્યાદા કહેવામાં આવે તે પણ આ પ્રશ્ન તે ઉઠવાને જ, એટલે કે તે અંગે અપાતે ઉત્તર સમાધાનકારક નથી.
જે જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલે માનીએ તે બે વસ્તુ ફલિત થાય છે. એક તે એ કે તે પહેલાં તેનું અસ્તિત્વ ન હતું અને બીજી વસ્તુ છે કે તે જીવ સિવાયના કેઈ પણ દ્રવ્ય કે દ્રવ્યેના સજનથી બનેલે છે. તાત્પર્ય કે આ સોગમાં તેનું એક મૌલિક દ્રવ્ય. તરીકેનું સ્થાન ટકી શકતું નથી.
જે એમ કહેવામાં આવે કે જીવ દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને તેને ઉત્પન્ન થવાનું કારણ પૃથ્વી આદિ પંચભૂતનું સજન છે, તે એ પણ ઉચિત નથી, કારણ કે જીવ આ રીતે પંચભૂતના સજનથી ઉત્પન્ન થયા હોય તે બધા પ્રાણીઓને સ્વભાવ એક સરખે જ હેવો જોઈએ, પરંતુ તેમ જોવામાં આવતું નથી. એક આજુ સિંહને સ્વભાવ જુઓ ને બીજી બાજુ શિયાળને સ્વભાવ જુએ. એક બાજુ હંસને સ્વભાવ જુઓ અને બીજી બાજુ કાગડાને સ્વભાવ જુએ. એક બાજુ સજ્જનેને સ્વભાવ જુએ અને બીજી બાજુ દુર્જનેને સ્વભાવ જુઓ. તેમાં ઘણું મોટું અંતર જણાય છે. જે માલ એક સરખી બનાવટને છે, તે તેમાં આટલી વિવિધતા કે વિચિત્રતા શા માટે? કદી અહીં એમ કહેવામાં આવે કે ભૂતના સંયેજનમાં ઓછા-વત્તાપણું થવાથી આવું પરિક ણામ આવે છે, તે તે પણ ઉચિત નથી, કેમકે તેથી
Page #164
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
૭
અલ્પ કે બહુપણુ' આવે પણ વિવિધતા કે વિચિત્રતા ન આવે. ઘઉંના આટાની કણક બાંધતાં તેમાં આજી વસ્તુ પાણી પડ્યુ હાય તો શટલીના સ્વરૂપમાં તફાવત પડે, પણ તેથી વડી કે પાપડ ન અને.
અહીં વિચારવા જેવી વસ્તુ એ પણ છે કે પંચભૂત અર્થાત્ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ જડ છે, ચૈતન્યરહિત છે, તેના સચાણથી ચૈતન્યમય એવા જીવની ઉત્પત્તિ શી રીતે થાય ? જો એમ હેવામાં આવે કે ધાવડીનાં ફૂલ, ગાળ, પાણી વગેરેમાં પ્રથમ માર્ક શક્તિ ચાં જોવામાં આવે છે? પરંતુ તેનુ અમુક રીતે મિશ્રણ થાય છે, એટલે તેનામાં માઢક શક્તિ આવી જાય છે અને એક પ્રકારનું મદ્ય અને છે. તા તે દૃષ્ટાંત પણ ઉચિત નથી, કારણ કે ધાવડીનાં ફૂલ, ગેાળ વગેરેમાં માદક શક્તિ દૃષ્ટિગોચર ભલે થતી ન હાય, પણ તે પ્રચ્છન્ન રીતે એમાં રહેલી હોય છે અને તેથી જ અમુક રીતે મિશ્રણ થતાં તે પ્રકટ થાય છે, જ્યારે પૃથ્વી આદિ પંચભૂતામાં ત ચૈતન્યને લેશ પણ હાતા નથી, અર્થાત્ તે સથા જડ હાય છે, તેથી તેના સચૈાજનથી ચૈતન્યમય એવો જીવ ઉત્પન્ન થઈ શકે નહિ.
આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીએ બધી વસ્તુની ઉત્પત્તિ જય એવા પુદ્ગુગલ (Matter) થી માને છે. તે વિાષી સમાગમ અને ગુણાત્મક પરિવર્તનના સિદ્ધાંત આગળ કરીને એમ કહે છે કે બધી વસ્તુની માફક ચૈતન્ય
Page #165
--------------------------------------------------------------------------
________________
ce
નવ—તા—દીપિકા
પણ અમુક વસ્તુના સાજનથી અને છે, પરંતુ તેમણે હજી સુધી તે અંગે કઈ સમીકરણ (Formula) રજૂ કર્યુ નથી કે તે સમીકરણ અનુસાર ચૈતન્યની ઉત્પત્તિ કરી તાવી નથી, એટલે તે મત નિરાધાર છે.
અહી અમે એમ કહેવાને ઈચ્છીએ છીએ કે શુદ્ધ ચૈતન્ય તો દૂર રહ્યું, પણ આંખ જેવી આંખ, કાન જેવો કાન, નાક જેવું નાક, હાથ જેવો હાથ કે પગ જેવો પગ પણ તે બનાવી શકયા નથી. તેમણે આવી આકૃતિની અનાવેલ અધી વસ્તુઓ જડ દેખાય છે અને જીવંત વસ્તુથી સથા ભિન્ન લાગે છે.
પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકો એમ માનવા લાગ્યા છે કે આ વિશ્વ (Universe) માત્ર એક પ્રકારનું જડ ચૈત્ર નથી, પર ંતુ તેમાં ચૈતન્યશક્તિને વાસ પણ છે. તે અંગે તેમણે જે ઉગારો કાઢેલા છે, તેને કેટલેક સગ્રહ અમેાએ જીવ-વિચાર-પ્રકાશિકાના પ્રથમ ખંડનાં પાંચમા પ્રકરણમાં વિજ્ઞાન શુ કહે છે ? ' એ મથાળાં નીચે આપેલા છે, તે જિજ્ઞાસુઆએ અવશ્ય જોવા.
"
જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલા માનતાં ક્રમના સિદ્ધાંત પણ ખંડિત થાય છે, કારણ કે તદ્ન નવજાત આત્માને કમાઁ વળગે શી રીતે? અને ન વળગે તા તેને ભવભ્રમણ કરવાનું કારણ શું?
તાત્પર્ય કે જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલે માનતાં
;
;
Page #166
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ
અનેક પ્રકારની આપત્તિ આવે છે અને તેનું સમાધાન થઈ શકતું નથી, તેથી તેને અનાદિ માનવે સુસંગત છે.
જીવને અનિધન કહેવાનો આશય એ છે કે કદી મરતે નથી, અર્થાત્ તે અમર છે. અમુક જીવ મરણ પામે વગેરે કહેવાય છે, તે ઔપચારિક છે, અથવા તે દેહધારણની અપેક્ષાઓ કહેવાય છે. ધારણ કરેલા દેહને છેડી દેવે, તેનું નામ મરણ. તેમાં જીવ મરતું નથી, પણ તેને સ્થૂલ દેહથી વિયોગ થાય છે.
જીવને અવિનાશી કહેવાનો આશય એ છે કે શસ્ત્રો તેનું છેદન-ભેદન કરી શક્તા નથી, અગ્નિ તેને બાળી શકતે નથી, પણ તેને ભીંજાવી શકતું નથી, વાયુ તેને શેષી શકતું નથી અને ગમે તેવા રાસાયણિક પ્રયોગો કરવામાં આવે તે પણ તેને નાશ થઈ શકતું નથી. તે ગમે તેવા સંગેમાં પણ પિતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
જીવને અક્ષય કહેવાનું કારણ એ છે કે તેને કઈ પણ ભાગ કદી પણ એ છે થતું નથી. તે અનંત ભૂતકાળમાં જેટલું હતું, તેટલે આજે પણ છે અને અનંત ભવિષ્યમાં પણ તેટલે જ રહેવાને. જે તેને અતિ અતિ અલ્પ ભાગ પણ ક્રમશઃ ઓછો થાય છે, એમ માનીએ તે એક કાલ એ જરૂર આવે કે જ્યારે તેનું નિધન થાય, જ્યારે તે મરણ પામે. તાત્પર્ય કે તેની હસ્તી સાવ ભૂંસાઈ જાય. પરંતુ જીવ અક્ષય હોવાથી આવી કઈ પરિસ્થિતિ પેદા થતી નથી.
Page #167
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ દીપિકા
જીવને ધ્રુવ કહેવાનો આશય એ છે કે તે દ્રવ્યના રૂપમાં સ્થાયી રહે છે. એને નિત્ય કહેવાના આશય એ છે કે તેના કદી અભાવ થતા નથી.
૯૦
જીવને અસખ્ય પ્રદેશ હાય છે. પ્રદેશ એટલે અતિ સૂક્ષ્મ વિભાગ. આ બધા પ્રદેશે। સાંકળના અકાડાની જેમ એક બીજા સાથે સકળાયેલા હાય છે, તેથી તેમાં એકત્વ જળવાઈ રહે છે. જીવના કદી પણ ટૂકડા થતા નથી, અર્થાત્ ખડ થતા નથી, એટલે કે તે સદા અખડ હોય છે.
6
અહી પ્રશ્ન થઈ શકે છે કે ‘હાથીના શરીરમાં રહેલે જીવ હાથીનુ શરીર છેાડીને કીડીનું શરીર ધારણ કરે ત્યારે જીવના ખંડ થતા હશે કે નહિ ?' તેના ઉત્તર એ છે કે જીવ જેમ અખડ છે, તેમ સંકોચ--વિસ્તારના ગુણવાળા પણ છે, તેથી હાથીનું શરીર ઇંડીને કીડીનુ શરીર ધારણ કરે ત્યારે તેટલા પ્રમાણમાં સંકોચાય છે, પણ તેના ખડ થતા નથી. દીવાનેા પ્રકાશ જેમ મેટા ખંડમાં તેના પ્રમાણમાં વ્યાપીને રહે છે અને નાના ખડમાં તેના પ્રમાણમાં વ્યાપીને રહે છે, તેમ જીવની ખાખતમાં પણ સમજવું.
જીવ દેહપરિણામી છે, એટલે કે દેહ પ્રમાણે વ્યાપીને રહે છે, પણ તેની બહાર વ્યાપીને રહેતા નથી. કેટલાક એમ માને છે કે જીવ દેહ ઉપરાંત બહાર પણ વ્યાપીને રહે છે, અર્થાત્ વિશ્વવ્યાપી છે. આ રીતે તે સકલ વિશ્વ કે સકલ લેકમાં એક જ જીવ સભવે, અનેક નહિ. વે
Page #168
--------------------------------------------------------------------------
________________
જીવતત્ત્વ
પરિસ્થિતિ જો આવી જ હોય તે જીવ માત્રમાં સરખા જ ગુણે જણાવા જોઈએ અને તેમના દ્વારા જે ક્રિયાઓ થાય, તે સમકાળે અને સમાન પ્રકારે થવી જોઈએ, પરંતુ તેમાં તે ઘણું જ વિવિધતા દેખાય છે, એટલે બધામાં એક જ જીવ નથી, પણ જુદા જુદા જ છે અને તે તેમણે પિતે ધારણ કરેલા દેહમાં વ્યાપી રહેલા છે, એમ માનવું યુક્તિ-સંગત છે.
કેટલાક કહે છે કે જીવ સૂક્રમ પરિમાણવાળે છે, એટલે કે દેહથી નાનું છે, તે માત્ર ચેખાના દાણું કે અરીઠા જેટલું છે. અહીં પ્રશ્ન થાય છે કે જીવ જે દેહથી નાને હોય તે ક્યાં રહે છે? જો એમ કહેવામાં આવે કે હૃદયમાં રહે છે, અથવા મસ્તકમાં રહે છે, અથવા અન્ય કઈ ભાગમાં રહે છે, તે બાકીના ભાગમાં સુખ-દુઃખનું સંવેદન શાથી થાય છે? હાથની આંગળીઓ પર ટાંકણી વાગે તે તરત દુઃખ થાય છે, અથવા પગના તળિયે ચંદનાદિને લેપ કરે તે સુખને અનુભવ થાય છે, તેથી એ વાત સિદ્ધ છે કે જીવ દેહ કરતાં સૂમ પરિમાણવાળે. નથી, પણ દેહ જેટલા જ પરિમાણવાળે છે.
જીવ અરૂપી છે, એટલે તેને રૂપ, રસ, ગંધ કે સ્પર્શ નથી.
જીવ સક્રિય છે, અર્થાત્ તે ઊર્ધ્વ, અધે કે તિર્ય દિશામાં ગતિ કરી શકે છે.
જીવમાં ગુરુવ નથી, એટલે તેની સ્વાભાવિક ગતિ
Page #169
--------------------------------------------------------------------------
________________
- ર
નવ-તત્વદીપિકા ઊર્ધ્વ છે અને તેથી જ સકલ કર્મમાંથી મુક્ત થતાં જ તે ઊર્ધ્વ ગતિ દ્વારા લેકના અગ્ર ભાગે રહેલી સિદ્ધશિલામાં પહોંચી જાય છે. તેનાથી ઉપર ધર્માસ્તિકાય દ્રવ્ય - વ્યાપેલું નથી, એટલે ત્યાં તેની ગતિ અટકી જાય છે.
આ રીતે જીવનું સ્વરૂપ જાણુને જે તેમાં શ્રદ્ધાન્વિત થાય છે, તે અજવાદિ તને પણ સારી રીતે જાણી શકે
છે અને પરિણામે હેય અને ઉપાદેયને વિવેક કરી સમ્યકુ - ચારિત્રનું નિર્માણ કરવામાં સફળ થાય છે કે જેનું આખરી પરિણામ મેક્ષપ્રાપ્તિ છે.
આ પૃષ્ઠના વાચકેએ જીવ-વિચાર–પ્રકાશિકાનું સાવંત -વાંચન કરી લેવું આવશ્યક છે, કારણ કે જીવ-વિષયને તે ખાસ ગ્રંથ છે અને અનેક ઉપયેગી માહિતીથી ભરપૂર છે.
જીવતત્વ નામનું બીજું પ્રકરણ અહીં પૂરું થયું.
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજી
અજીવતત્વ
[ગાથા આઠમીથી તેરમી સુધી ]
(૧) ઉપક્રમ :
પ્રકરણકાર મહર્ષિએ ત્રીજી ગાથાથી સાતમી ગાથા સુધી જીવતત્ત્વનું વર્ણન કર્યું. અલમત્ત, આ વણુન સક્ષેપમાં છે અને તે જીવતત્ત્વને લગતી મુખ્ય મુખ્ય આખતાને સ્પર્શે છે, પરંતુ અમેાએ તેના પર ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કરેલું છે અને બીજી પણ જે હકીકતા જાણવા જેવી હતી, તે રજૂ કરેલી છે. આથી પાડકાના મનમાં જીવતત્ત્વ સંબધી એક સળંગ સુરેખ ચિત્ર જરૂર ઉઠ્યું હશે, એમ માનવુ' વધારે પડતુ નથી.
"
એક વાર જીવતત્ત્વ ખરાખર સમજાયું કે અજીવ તત્ત્વને સમજતાં વાર લાગતી નથી. કહ્યું છે કે લો નીચે વિ વિચાળે, બગીને વિવિચાળે જે જીવને વિશિષ્ટ રીતે જાણું છે, તે અજીવને પણ વિશિષ્ટ રીતે જાણે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
- કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં જીવનાં લક્ષણે સ્પષ્ટ સમજાય કે જીવ અને અજીવ વચ્ચેની ભેદરેખા મનમાં અંક્તિ થઈ જાય છે અને તેના આધારે અજીવને ઓળખવાનું કામ જરાય કઠિન કે અઘરું રહેતું નથી. - જેને જીવનાં લક્ષણે લાગુ ન પડે તે અજીવ.
કે એમ માનતું હોય કે “જીવતત્વને જાણ્યું, એટલે બસ, આજીવતત્વને જાણવાની જરૂર શી છે?” તે. એ માન્યતા વ્યાજબી નથી, કારણ કે જીવતત્વ અછતત્ત્વ સાથે અનેક રીતે સંકળાયેલું છે અને તે સમસ્ત લેકને એક મહત્વનો ભાગ છે. કહ્યું છે કે “જીવ વ નવા ચ, પણ ઢોર વિહિપ-જેમાં જીવ પણ હોય અને આજીવ પણ હોય, તેને લેક કહે છે.” અન્ય રીતે કહીએ તે જીવ અને અજીવ બનેને જાણ્યા વિના આ લેક, વિશ્વ, સૃષ્ટિ, બ્રહ્માંડ, જગત કે દુનિયાને ભેદ ઉકેલાતું નથી અને આપણા
મનમાં જે અનેકવિધ કૂટ પ્રશ્નો ઉઠે છે, તેનું ચગ્ય સમાધાન - થતું નથી. તેથી જીવતત્વની જેમ અજીવતત્વ પણ સારી રીતે જાણી લેવાની જરૂર છે અને તેથી જ પ્રકરણકાર મહર્ષિએ જીવતત્ત્વનું વર્ણન પૂરું થતાં જ અજીવતત્વનું વર્ણન શરૂ કરેલ છે. તેમાં અજીવતત્વ જે ચૌદ ભેદે જાણવા ચગ્ય છે, તેને નિર્દેશ આઠમી ગાથામાં આ પ્રકારે કરે છેઃ (૨) મૂલ ગાથા : धम्माऽधम्माऽऽगासा, तिय-तिय-मेया तहेव अद्धा य । खंधा देस-पएसा, परमाणु अजीव चउदसहा ॥८॥
Page #172
--------------------------------------------------------------------------
________________
રમતત્વ
(૩) સંસ્કૃત છાયા ધsassifશાબ્રિજ-ત્રિ-એવાdવા રા
શા ફેશ-, પરમાળવોડકીવાર્તા વા (૪) શબ્દાર્થ :
धम्म भने अधम्म भने आगास त धम्माऽधम्माऽવા. ઘર્મ-ધર્મ, પાંચ અજીવ દ્રવ્યોમાંનું એક દ્રવ્યવિશેષ. સામાન્ય રીતે પ્રદેશાત્મક દ્રવ્યને અસ્તિકાય શબ્દ લગાડવામાં આવે છે, એ રીતે ધર્મને પણ અસ્તિકાય શબ્દ લગાડી ધમસ્તિકાય એ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ધર્મ વગેરે પાંચેય અજીવ દ્રવ્યનાં લક્ષણે હવે પછીની ગાથાઓમાં કહેવાશે. “અસ્તવઃ પ્રશાતેષાં વાચ સિંsત્તિવાચ–અતિ એટલે પ્રદેશે કે જેના વડે અસ્તિત્વનું ભાન થાય છે. તેને કાય એટલે સમૂહ, તે અસ્તિકાય.
ધ-અધર્મ, અધમસ્તિકાય.
જેનું લક્ષણ ધર્મદ્રવ્યથી વિપરીત છે, તે અધમસ્તિકાય. તે પણ પ્રદેશાત્મક હેવાથી અસ્તિકાય કહેવાય છે.
બા -આકાશ, આકાશાસ્તિકાય.
આકાશ પણ પાંચ અજીવ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે અને તે પ્રદેશાત્મક હોવાના કારણે અસ્તિકાય કહેવાય છે.
રિચ-વિચ–એ–ત્રણ ત્રણ ભેટવાળા છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા પ્રથમ ધમતિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય નામના જે ત્રણ દ્રવ્યો કહ્યા, તે દરેક ત્રણ ત્રણ ભેટવાળાં છે.
તહેવ-તેમ જ. કા-કાલ,
કાલ પાંચ દ્રવ્યોમાંનું એક દ્રવ્યવિશેષ છે. તે પ્રદેશાત્મક નથી, એટલે તેને અસ્તિકાય શબ્દ લગાડવામાં આવતું નથી. કાલનું સ્વરૂપ આગળ વિરતારથી કહેવાશે,
ચ–અને રવિંઘા સ્ક, ધ. વસ્તુના આખા ભાગને અંધ કહેવાય છે.
તેલ અને પણ તે રેસ-TH. રેત-દેશ. વસ્તુથી. પ્રતિબદ્ધ એવા તેના ન્યૂન ભાગને દેશ કહેવાય છે.
પાસ–પ્રદેશ.
સ્કંધથી પ્રતિબદ્ધ તેના નાનામાં નાના ભાગને અથત . નિવિભાજ્ય ભાગને પ્રદેશ કહેવાય છે.
પરમાણુ-પરમાણુ, નિર્વિભાજ્ય આણુ, છૂટો અણુ. શનીવ-અજીવ, અજીવતત્વ.
વાર-ચૌદ પ્રકારનું છે. (૫) અથ–સંકેલનાર
ત્રણ ત્રણ ભેદવાળા ધર્માસ્તિકાય, અધમસ્તિ કાય અને આકાશાસ્તિકાય, તેમ જ કાલ અને.
Page #174
--------------------------------------------------------------------------
________________
એમજીવતરવ સ્કવે, દેશ, પ્રદેશ તેમ જ પમાણુ એ ચૌદ પ્રકારનું અજીવતત્વ છે. (૬) વિવેચન :
અજીવતત્વના કુલ ચૌદ ભેદો આ પ્રમાણે ગણાય છે? (૧) ધર્માસ્તિકાયસ્કંધ. (૨) ધર્માસ્તિકાયદેશ. (૩) ધર્માસ્તિકાયપ્રદેશ. (૪) અધર્માસ્તિકાયસ્ક ધ. (૫) અધમસ્તિકાયદેશ. (૬) અધર્માસ્તિકાયપ્રદેશ. (૭) આકાશાસ્તિકાયસ્કંધ. (૮) આકાશાસ્તિકાયદેશ. (૯) આકાશાસ્તિકાયપ્રદેશ, (૧૦) કાલ. (૧૧) પુદ્ગલકંધ. (૧૨) પુદગલદેશ. (૧૩) પુદ્ગલપ્રદેશ. (૧૪) પુદ્ગલપરમાણુ
અહીં સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ ચાર વસ્તુઓ ખાસ સમજવા છે, એટલે પ્રથમ વિચાર તેને કરીએ.
સંપૂર્ણ વસ્તુને અંધ કહેવામાં આવે છે. જેમકેલાકડી, પત્થરને ટુકડે, માટીનું તેડું વગેરે. આ સંપૂર્ણ !
Page #175
--------------------------------------------------------------------------
________________
.
નવ-તત્ત્વ-દીપિકા
વસ્તુમાંથી કોઈ ટુકડો જુદો પડે તે તેને પણ સ્કંધ જ કહેવાય છે, કારણ કે તે પણ એક સંપૂર્ણ વસ્તુ છે. વધારે સ્પષ્ટ કહીએ તે વસ્તુના નાના કણને પશુ ધ જ કહેવાય છે, કારણ કે તે પણ એક સ`પૂર્ણ વસ્તુ છે.
સ્પધની અપેક્ષાએ જે ભાગ ન્યૂન કે નાના હાય છે અને જેના હજી પણ વધારે વિભાગે પડવાની શકયતા હાય છે, તેને દેશ કહેવામાં આવે છે. દેશ સ્કંધથી પ્રતિબદ્ધ હાય છે, એટલે કે જોડાયેલા હાય છે, પશુ છૂટો હાતા નથી, જો તે છૂટો પડે તો સ્કંધ જ કહેવાય છે, પછી તેના વ્યવહાર દેશ તરીકે થઈ શકતા નથી. દાખલા તરીકે પાંચ ફુટ લાંબી લાકડી છે, તે પાંચ ફુટથી આછે ભાગ તેના દેશ છે. આ ભાગ નાના થતાં થતાં ત્રણ પ્રદેશ સુધી પહાચે છે, એટલે કે માત્ર ત્રણ પ્રદેશ રહેલા હોય ત્યાં સુધી તે દેશ જ કહેવાય છે. એ પ્રદેશવાળા સ્કંધના એ ભાગ કરતાં દરેક પ્રદેશ કહેવાય છે, એટલે ત્યાં દેશ સત્તાના વ્યવહાર થતા નથી. પરંતુ એ લાકડીના ટુકડા થાય તા દરેક ટુક્ડાને કાંધ કહેવાય છે, દેશ કહેવાતા નથી.
દેશના સૂક્ષ્માતિસૂક્ષ્મ વિભાગને એટલે કે જેના કલ્પનાથી પણ બે ભાગ ન થઈ શકે એવા વિભાગને પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશ પણ સ્કંધથી પ્રતિખદ્ધ હાય છે. જો તે પ્રદેશથી છૂટો પડે તે પરમાણુ કહેવાય છે, પરંતુ આવી સ્થિતિ માત્ર પુદ્દગલમાં જ સભવે છે;
Page #176
--------------------------------------------------------------------------
________________
અજીવતી
ધમસ્તિકાય, અધમસ્તિકાય કે આકાશસ્તિકામાં સંભવતી નથી, કારણ કે તે સકલ લેકમાં એક દ્રવ્ય રૂપે સળંગ વ્યાપીને રહેલા છે.
સકલ લેકમાં વ્યાપેલું ધમાંસ્તિકાય નામનું જે દ્રવ્ય તે ધમસ્તિકાયસ્ક ધ તેને જે કલ્પિત ધૂન ભાગ તે ધમસ્તિકાયદેશ અને તેને જે નિર્વિભાજ્ય ભાગ, તે ધમસ્તિકાયપ્રદેશ અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ આ પ્રમાણે જ સમજવું. પરંતુ તેમાં અપવાદ એટલે કે ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ અસંખ્ય હોય છે, ત્યારે આકાશાસ્તિકાય લેકની બહાર પણ વ્યાપેલે હેવાથી તેના દેશ અને પ્રદેશ અનંત હોય છે. જે માત્ર લેકમાં વ્યાપેલા આકાશાસ્તિકાયના દેશ–પ્રદેશને વિચાર કરીએ તે તે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયની જેમ અસંખ્ય હેય છે.
ધર્માસ્તિકાય, અધમરિતકાય અને આકાશાસ્તિકાયના રકંધને સ્વાભાવિક છંધ ગણવામાં આવે છે, કારણ કે તે હંમેશાં એક સરખો જ રહે છે અને તેમાં કદી વિભાવ કે વિકાર થતી નથી, જ્યારે પુદ્ગલના કંધને વૈભાવિક ઔધ કહેવામાં આવે છે, કારણ કે તેમાં અનેક પ્રકારને વિભાવ થતું રહે છે, પરિવર્તન થતું રહે છે.
કાલ એક સમયરૂપ છે, એટલે તેના વિશેષ ભેદ નથી. ભૂતકાલ ચાલ્યા ગયા છે અને ભવિષ્યકાલ હજી આજો નથી, એટલે વર્તમાનકાલ માત્ર એક સમયને જ ગણાય છે અને તેને જ વ્યવહાર અહીં કાલ તરીકે થયેલ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
१००
નવતદીપિક
પુદ્ગલના કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર વિભાગે છે. તેમાં કે અનંત છે, તેના દેશ અને પ્રદેશ પણ અનંત છે અને તેના પરમાણુઓ પણ અનંત છે.
(१) :
અજીવના ચૌદ ભેદો કહ્યા પછી, ક્યા પ્રત્યે અજીવા છે અને તેમને કે સ્વભાવ છે? એ જણાવવાને નવમી તથા દશમી ગાથા આ પ્રમાણે કહે છેઃ
(२) भूण था: धम्माऽधम्मा पुग्गल, नह कालो पंच हुति अज्जीवा । चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ॥९॥ अवगाहो आगासं, पुग्गल-जीवाण पुग्गला चाहा। खंधा देस-पएसा, परमाणू चेव नायव्वा ॥१०॥ (3) सरत छाया: धर्माधमौं पुद्गलाः नमः काल: पश्च भवन्त्यजीवाः । चलनस्वभावो धर्मः, स्थिरसंस्थानोऽधर्मश्च ।। ९॥ अवकाश आकाशं, पुद्गलजीवानां पुद्गलाश्चतुर्धा । स्कन्धा देशप्रदेशाः, परमाणवश्चैव ज्ञातव्याः ॥१०॥
धम्म भने अधम्म, त धम्माधम्मा. धम्म-धर्म, ધર્માસ્તિકાય.
Page #178
--------------------------------------------------------------------------
________________
અજીવતત્ત્વ
પન્મ-અધમ, ધર્માસ્તિકાય, પુસ્તાન પુદ્ગુગલ.
• પૂરગાજળવહાવો પુખ્તજજ્ઞાો જેના પૂરણ એટલે ભેગા થવુ અને ગલન એટલે વિખરાવુ, એવા સ્વભાવ છે, તેને પુદ્ગલાસ્તિકાય જાણવા. સામાન્ય રીતે પુદ્ગલને ભૌતિક પદાર્થ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને માટે મેટર' (Matter) શબ્દના પ્રયાગ . થાય છે.
'
ન ્નભ, આકાશ. ડાહ્યો કાલ. પંચ-પાંચ, એ પાંચ.
૧૧
વ્રુત્તિ -છે. અન્નવા—અજીવ, અજીવતત્ત્વ.
અહીં પ્રાકૃત શૈલિથી અન્નીવા એવા શબ્દપ્રયોગ. થયેલા છે. કેટલીક પ્રતિઓમાં અનીવા એવા પાઠ પણ જોવામાં આવે છે.
પત્તળલદાયો—ચાલવામાં—ગતિ
કરવામાં સહાય
આપવાના સ્વભાવવાળે.
જીરૂન—ચાલવું, ગતિ કરવી, તેમાં સહાય આપવી. એવા જેના સદાવો સ્વભાવ છે, તે નળલાવો. ધમ્મો-ધર્મ, ધર્માસ્તિકાય.
વરસંડાળો સ્થિર રહેવામાં સહાય આપવાના સ્વભાવવાળા.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨
નવ-તત્વ-દીપિકા થિ-સ્થિર રહેવું, સ્થિર રહેવામાં સહાય આપવી, એવું જેનું સંઇ છે– સ્વભાવ છે, તે રિસંવાળો.
શકશો-અધર્મ, અધર્માસ્તિકાય. અધમો અને જો આ બંને રૂપ પ્રાકૃતમાં
ચાલે છે
જવાહો-અવકાશ, અવકાશ આપવાના સ્વભાવવાળે. ચાliાં-આકાશ, આકાશાસ્તિકાય. પુર-નવા-પુદ્ગલ અને જીને.
પુરા અને લીવ તે પુરુ-ઝીર. પુજા-પુદ્ગલ લીવાળ–જીને. પુછ-પુદ્ગલે. વા -ચાર પ્રકારના રહંયા છે. રેસ–-દેશ અને પ્રદેશે. પરમાણૂ-પરમાણુ વ-નિશ્ચયે કરીને, નિશ્ચયપૂર્વક
નાચવા-જાણવા. (૫) અર્થસંકેલના
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કોલ, એ પાંચ અજી છે. તેમાં ગતિ કરવામાં સહાય આપવાના સ્વભાવવાળે ધર્માસ્તિકાય છે અને સ્થિર રહેવામાં
Page #180
--------------------------------------------------------------------------
________________
મતવ
૧૦૩
સહાય આપવાના સ્વભાવવાળે અધર્માસ્તિકાય, છે. પુદ્ગલ અને જીને અવકાશ આપવાના રવભાવવાળે આકાશાસ્તિકાય છે. પુદગલે ચાર પ્રકારના છે. તે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુંસ્વરૂપ જાણવા. (૬) વિવેચન
જેના કઈ પણ અંશમાં ચેતના–ચેતન્ય ન હોય, જે જડ કે અજીવ કહેવાય છે. આવાં દ્ર પાંચ છે : (૧) ધર્માસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩) પગલાસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) કાલ. તેમાં જીવ દ્રવ્ય ઉમેરીએ તે કુલ છ દ્રવ્ય થાય છે. આ છ દ્રવ્ય વડે લેકનું સ્વરૂપ નિમણું થયેલું છે. દ્રવ્યની વ્યાખ્યાઃ
* જે પદાર્થ પિતાના વિવિધ પ િઅર્થાત્ અવસ્થાઓ કે પરિણામોના રૂપમાં દ્રવીભૂત થાય, એટલે કે તે તે પરિણામ પ્રાપ્ત કરે, તેને દ્રવ્ય કહેવાય. પર્યાય વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના પર્યાય હેતા નથી. દ્રવ્યનું સ્વરૂપ
બધાં દ્રવ્ય સત્ છે, અકૃત્રિમ છે, અનાદિનિધન છે અને સમાન અથવા એક જ અવકાશમાં અન્ય પ્રવેશ કરી શકે એવાં છે. વળી તે પિતાને સ્વભાવ છેડતાં નથી, એટલે અવસ્થિત છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
અહીં દ્રવ્યેાને સત્ કહેવાના આશય એ છે કે તેઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. દ્રવ્ય, ઉત્પાદથી યુક્ત છે, એટલે કે તે ઉત્પન્ન થાય છે; વ્યયથી યુક્ત છે, એટલે કે તે નાશ પામે છે, અને ધ્રૌવ્યથી યુક્ત છે, એટલે કે તે સ્થિર રહે છે.
૧૪
પ્રેક્ષાકારી પાઠકને અહી' જરૂર પ્રશ્ન થશે કે ‘એક જ વસ્તુમાં આ રીતે પરસ્પર વિરોધી એવી ત્રણ સ્થિતિ શી રીતે સભવે?’ તેનું સમાધાન એ છે કે જો દ્રવ્યને ફૂટસ્થ નિત્ય એટલે જેમાં કદી પરિવતન ન થાય, એવું માનીએ કે ક્ષણિક એટલે સદા પરિવર્તન થાય એવુ માનીએ તે આવી ત્રણ સ્થિતિ સંભવી શકે નહિ, પણ દ્રવ્યને પરિણામી નિત્ય માનીએ, તો તેમાં આ ત્રણેય સ્થિતિ સંભવી શકે છે.
પરિણામી નિત્યના અર્થ એ છે કે જેના પરિણામે અદ્દલાતા રહે, પણ મૂલ દ્રવ્ય અદલાય નહિ, અર્થાત્ તે નિત્ય રહે. સોનાનુ કંકણુ જ્યારે કુંડલનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કંકણરૂપી પિરણામેાના નાશ થાય છે અને આમ છતાં સાનુ મૂલ દ્રવ્યરૂપે કાયમ રહે છે.
હિંદુ ધર્મીમાં ઇશ્વરને ત્રિમૂર્તિ માનવામાં આવ્યું છે, એટલે કે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપ છે. તેમાં બ્રહ્મારૂપ ઈશ્વર ઉત્પત્તિ કરે છે, વિષ્ણુરૂપ ઇશ્વર સ્થિતિના નિર્વાહ કરે છે અને મહેશરૂપ ઈશ્વર લય કરે છે, એટલે કે તે વસ્તુનો નાશ કરે છે, એમ મનાયું છે. શુ આ વસ્તુ
Page #182
--------------------------------------------------------------------------
________________
અવતરવ
૧૦૫
ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યયુક્ત સતનું જ એક રૂપક નથી? દરેક દ્રવ્યમાં આ ત્રણ પ્રકારની સ્થિતિ અવશ્ય હોય છે.
દ્રવ્યને અકૃત્રિમ કહેવાનો આશય એ છે કે તે કેઈનાં બનાવેલાં નથી, પણ રવભાવસિદ્ધ છે. જે આ દ્રવ્યને કેઈનાં બનાવેલાં માનીએ તે એ કઈ પણ કેઈને બનાવેલે હવે જોઈએ અને એ કઈ પણ કોઈને બનાવેલ હોવો જોઈએ. આમ એ પરંપરા એટલી લંબાય કે જેને કદી છેડે આવે જ નહિ, એટલે આ મૂલ દ્રવ્યોને અકૃત્રિમ તથા અનાદિસિદ્ધ માનવાં એ જ ગ્ય છે. જે વસ્તુ અનાદિસિદ્ધ હોય, તેને અંત આવતું નથી, એટલે તેને અનિધન પણ માનવા જ જોઈએ.
આ દ્રવ્ય સમાન અથવા એક જ અવકાશમાં અ ન્ય પ્રવેશ કરી શકે એવાં છે, એટલે જ આ લેકમાં
એકબીજાની સાથે રહેલાં છે. જે આ દ્રવ્યો અન્ય પ્રવેશ કરી શકે એવા ન હોત તે આ લેકમાં કોઈ પણ એક જ દ્રવ્ય રહી શક્ત, છ દ્રવ્ય નહીં. જેમ એક ઓરડામાં અનેક દીપકને પ્રકાશ સાથે રહી શકે છે, તેમ આ છ યે દ્રવ્ય એક જ લેકમાં સાથે રહી શકે છે.
આ દ્રવ્ય પિતાને સ્વભાવ છોડતા નથી, એટલે છનાં છ રહે છે, પણ તેમાં વૃદ્ધિ કે હાનિ થતી નથી.
આધુનિક વિજ્ઞાન હાઈડ્રોજન, હલિયમ, લિથિયમ, બેરેલિયમ, કાર્બન, નાઈટ્રોજન, ઓકિસજન વગેરે સે ઉપરાંત દ્રવ્ય માને છે, પરંતુ જેની દષ્ટિએ તે આ બધાં
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦૬
નવ-તત્ત્વ દીપિકા
યુગલના જ પર્યાા છે. વળી તેઓ જે અશ્ર્વમાં દ્રવ્ય શબ્દના ઉપયાગ કરે છે, તેની અને અહીં વપરાતા દ્રવ્ય શબ્દની પરિભાષા જુદી છે.
દ્રવ્યમાં ત્રણેય કાલ અવસ્થિત રહેનારા જે વિશિષ્ટ સ્વભાવ તેને ગુણુ કહેવાય છે અને તેનુ જે રૂપાંતર થયા કરે, તેને પર્યાય કહેવાય છે.
છ દ્રવ્યામાંથી જીવદ્રવ્યના પરિચય પૂર્વે અપાઈ ગયા. હવે પાંચ અજીવ દ્રવ્યના પરિચય આપવાના છે. તેના પ્રારંભ ધર્માસ્તિકાય અને અધતિકાયથી કરીએ, કારણ કે અજીવ દ્રવ્યેની નામાવલીમાં તેમને પ્રથમ સ્થાન અપાયેલુ છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય :
કેટલાક મહાનુભાવા દ્રવ્યની નામાવલીમાં ધર્મ અને અધર્મ નું નામ સાંભળીને ભડકી ઉઠે છે; પણ એક જ નામવાળા શબ્દો જુદા જુદા વિજ્ઞાનમાં જુદી જુદી રીતે વપરાય છે. દાખલા તરીકે રસ શબ્દ શરીરશાસ્ત્રમાં એક પ્રકારની ધાતુના અથ બતાવે છે, ઇન્દ્રિયશાસ્ત્રમાં સ્વાદના અ અતાવે છે, રસાયણશાસ્ત્રમાં પારદ કે પારાના અ બતાવે છે અને સાહિત્યમાં એક પ્રકારના ભાવના અ અતાવે છે. એટલે દ્રવ્યની નામાવલીમાં ધર્મ અને અધર્મનું નામ વાંચીને જરા પણ ભડકવાની કે આશ્ચર્ય પામવાની જરૂર નથી. વળી ધમ અને અધર્મના છેડે પ્રાયઃ અસ્તિકાય
Page #184
--------------------------------------------------------------------------
________________
અવતરવ
૧૦૭
શબ્દ લગાડવામાં આવે છે, એટલે તેના અર્થમાં ભ્રાંતિ થવાનો સંભવ નથી.
ધર્મ અને અધર્મ દ્રવ્યને સ્વભાવ શું? ” એના ઉત્તરમાં પ્રકરણકાર મહર્ષિએ કહ્યું છે કે “ગઢUસાવો ધો, થિરકંટાળો નો ચ–ગતિ કરવામાં સહાય કરવી, એ ધર્મને સ્વભાવ છે અને સ્થિર રહેવામાં સહાય કરવી, એ અધર્મને સ્વભાવ છે.”
અહીં સ્પષ્ટતા એટલી કે “વત gવ અને પ્રતિ प्रवृत्तानां जीवपुद्गलानां गत्युपष्टम्भकारी धर्मास्तिकाय:, स्थितिपरिणतानां तु तेषां स्थितिक्रियोपकारी अधर्मास्तिकाय રૂરિ’–સ્વયં ગમન પ્રતિ પ્રવૃત્ત થયેલા જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક થાય, એ ધર્માસ્તિકાય અને સ્થિર રહેલા પદાર્થોને સ્થિતિ-કિયામાં સહાયક થાય, એ અધર્મારિતકાય. તાત્પર્ય કે પોતાના સ્વભાવથી જ ગતિશીલ થતા એવા જીવદ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવામાં સહાયભૂત થવું, એ ધર્મારિતકાયનું લક્ષણ છે અને પોતાના સ્વભાવથી જ સ્થિરતા પામેલા એવા જીવ– દ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્યને એ પ્રમાણે સ્થિર રહેવામાં સહાયભૂત થવું, એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે.
જીવ અને પુદગલ સિવાય અન્ય દ્રવ્ય ગતિમાન ૧. શ્રી ભાવવિજ્યજીત ઉત્તરાધ્યયનસૂત્રટીકા, ભાગ પહેલે, પૃ. ૨૫૯.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નવતત્વ-દીપિકા
---
-
-
થતા નથી, ગતિ કરતા નથી, એટલે અહીં જીવ અને પુગલ એ બે દ્રવ્યને જ નિર્દેશ કરે છે.
જીવ પોતાના સ્વભાવ વડે પુગલના આલંબનથી તથા કર્મની પ્રેરણાથી ગતિ કરે છે. આ ભવમાં તેને ઔદારિક આદિ દેહનું આલંબન હેય છે અને પરભવમાં જતાં કાર્મણ દેહની પ્રેરણા હોય છે, જીવ જ્યારે સર્વ કર્મોથી મુક્ત થાય છે, ત્યારે પિતાની સ્વાભાવિક ઊર્વ ગતિ વડે સિદ્ધશિલામાં પહોંચી જાય છે. પુદ્ગલ પણ પિતાના સ્વભાવથી અને જીવની પ્રેરણાથી ગતિ કરે છે. પુગલનિર્મિત પ્રકાશ, ધ્વનિ આદિ તેમની ગતિશીલતા માટે પ્રસિદ્ધ છે.
જીવ અને પુદ્ગલ ગતિ–સ્થિતિ કરવાના સ્વભાવ વાળા છે, પણ તેમને ગતિ અથવા સ્થિતિ કરવા માટે કઈ માધ્યમ (Medium) ની જરૂર પડે છે. તે માધ્યમ આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય પૂરું પાડે છે.
અહીં પ્રશ્ન થ સહજ છે કે જ્યારે જીવ અને પુગલ પિતાના સ્વભાવથી જ ગતિ–સ્થિતિ કરે છે, ત્યારે તેમને તે ગતિ કે સ્થિતિ માટે માધ્યમની જરૂર શી?” તેને ઉત્તર એ છે કે એક વસ્તુ ગતિ કે સ્થિતિ કરવાના સ્વભાવવાળી હોય તે પણ તેને સહાયક વસ્તુની અપેક્ષા રહે છે. દાખલા તરીકે માછલી તરવાના સ્વભાવવાળી છે, એટલે કે પતે તરી શકે એવી છે, છતાં તેને સહાયક તરીકે જળની જરૂર પડે છે. જે જળ ન હોય
Page #186
--------------------------------------------------------------------------
________________
અજીવતત્ત્વ
૧૦૯
તે તે તરી શકે નહિ. અથવા આગગાડી વરાળ કે વીજળીના જોરથી ચાલવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને સહાયક તરીકે લેખંડના પાટાની જરૂર પડે છે. જો. લેાખંડના પાટા ન હાય તેા તે ચાલી શકતી નથી. અથવા વિદ્યાથી ભણવાની શક્તિવાળા છે, પણ તેને સહાયક તરીકે શિક્ષક કે શાળાની જરૂર પડે છે. જો શિક્ષક કે શાળાની સહાય ન હોય તે તે ભણી શકતા નથી. તેજ રીતે ગતિમાન પ્રાણીઓમાં સ્થિતિ કરવાની– સ્થિર થવાની શક્તિ છે, પરંતુ રસ્તામાં કોઈ વૃક્ષ કે વિશ્રામસ્થાન મળે ત્યારે તે સ્થિર થાય છે. અથવા ગતિમાન ભિક્ષુઓમાં સ્થિર થવાની શક્તિ છે, પણ અન્નસત્ર ચાલતું હોય ત્યાં જ તેઓ સ્થિર થાય છે. તાત્પ કે જીવ અને પુદ્દગલને ગતિ-સ્થિતિ કરવા માટે માધ્યમની જરૂર રહે છે અને તે માધ્યમ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય દ્રન્ચે પૂરુ' પાડે છે.
.
વૈજ્ઞાનિકોએ ઘણા સ ંશોધના પછી એવા નિય ક કે પ્રકાશના કિરણા એક સેકન્ડમાં ૧,૮૬૦૦૦ માઇલની ગતિથી પ્રવાસ કરે છે. પરંતુ ત્યાં એ પ્રશ્ન ઉપસ્થિત થયા કે આ કરણા કેવી રીતે ગતિ કરે છે ? સૂર્ય, ગ્રહ અને તારાની વચ્ચે વિરાટ્ શૂન્ય પ્રદેશ વ્યાપેલા છે. તેમાં થઈને આ કરણા લાખા, કરોડો કે
પણ ન હોય, તેને.
૧. જેમાં કાઇ ભૌતિક પદાર્થ કે વાયુ અહીં શૂન્ય પ્રદેશ કહેવામાં આવ્યે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
-૧૧૦
· નવતરવ-દીપિકા અબજો માઈલ દૂરથી આવવા છતાં એ બધાંની ગતિ સમાન હોય છે, નહિ કે એકની શીવ્ર અને બીજાની મંદ. તેથી આ કિરણેને આવવાનું કઈ માધ્યમ હોવું જોઈએ.
ત્યારબાદ આ વિષયનું સંશોધન કરતાં “ઈથર (Ether) નામને એક પદાર્થ મળી આવ્યો. પરંતુ તેના સ્વરૂપને નિર્ણય કરવાનું કામ સહેલું ન હતું. પહેલાં તેને ભૌતિક અથવા પરમાણુવિક એટલે પરમાણુઓને બનેલે માનવામાં આવ્યું, પરંતુ અનેક મતે બદલાયા પછી હવે લગભગ બધા જ વૈજ્ઞાનિકે એ માન્યતા પર આવી ગયા છે કે ઈથર અપરમાણુવિક વસ્તુ છે, સર્વત્ર વ્યાપ્ત છે અને વરતુને ગતિમાન થવામાં સહાય કરે છે. આ વસ્તુ ધર્માસ્તિકાયના સિદ્ધાંતને ખૂબ જ પુષ્ટ કરનારી છે.
ઘો અડ્ડો રાસ, રૂરિશમહિથેધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશારિતકાયને જ્ઞાની ભગવતેએ એકેક દ્રવ્ય કહેલું છે.” એટલે કે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય અખંડ એક દ્રવ્યરૂપ છે. તેના કઈ ટુકડા કે વિભાગ નથી.
આ બંને દ્રવ્યે લેકમાં સર્વત્ર વ્યાપેલા છે. અથવા - તે આ બંને પ્રત્યે આકાશના જેટલા ભાગમાં વ્યાપેલા છે, તે જ લેકની મર્યાદા છે.
૧. અહીં સર્વત્ર શબ્દ જેટલા ભાગમાં વિશ્વની સ્થિતિ છે, • તેને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
અવતરવ
૧૧૧
અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે “ધમસ્તિકાય અને અધમસ્તિકાયની વ્યાપ્તિ લોકપર્યત જ શા માટે? લેકની બહાર પણ કેમ નહિ? જે તેને લેકની બહાર પણું વ્યાપેલા માનીએ, તે આપત્તિ શી છે?” તેને ઉત્તર એ છે કે જ્યાં જ્યાં આકાશ ત્યાં ત્યાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનું અસ્તિત્વ માનીએ, તે તે બંનેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકાર કરવાની કેઈ આવશ્યક્તા રહેતી નથી. પછી તે ગતિ અને સ્થિતિમાં સહાય કરવી, એ આકાશને જ ગુણ લેખાય, કારણ કે જ્યાં પણ આકાશ હોય ત્યાં આ બંને વસ્તુઓ અવશ્ય હેવાની.
વિશેષમાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયને લેકની બહાર પણ વ્યાપેલાં માનીએ તે લેકની મર્યાદાને લેપ થઈ જાય અને તેને વિસ્તાર અનંત બની જાય, તેથી તેમાં કઈ જાતની વ્યવસ્થા રહે નહિ. જીવ અને પુદ્ગલ જે અનંત આકાશમાં ધમસ્તિકાયની સહાય વડે સંસરણ કરે તે એટલા વેરવિખેર થઈ જાય કે ફરી તેમનું મળવું, લગભગ અસંભવિત બની જાય. ઉપરાંત લેકના અગ્રભાગે જે સિદ્ધિસ્થાન કહેલું છે, તેને પણ લેય થઈ જાય, કારણ કે અનંતને અગ્રભાગ હોતા નથી. અગ્રભાગ તે કેઈ પણ મર્યાદિત વસ્તુને જ હોય છે. આ સ્થિતિમાં સિદ્ધિ એટલે મુક્તિ કે મોક્ષને પણ લેય જ થાય, કારણ કે સિદ્ધિસ્થાન વિના મુક્ત છ રહે ક્યાં? એ તે આકાશમાં ધમસ્તિકાયના માધ્યમ વડે સદૈવ ગતિમાન જ રહે અને તેને અંત આવે નહિ ,
Page #189
--------------------------------------------------------------------------
________________
નવ–તત્ત્વ—દીપિકા
આ રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લેાકની અહાર પણ વ્યાપેલા માનવામાં અનેક પ્રકારની આપત્તિ છે, તેથી તેઓ લાકપત વ્યાપેલા છે, એમ માનવુ જ યોગ્ય છે.
193
પાકોને જાણીને આનંદ થશે કે સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટીને નિમ્ન શબ્દો વડે આ સિદ્ધાંતનું સમય ન કરેલુ છે લાક પરિમિત છે, અલેક • : અપરિમિત. લેક પરિમિત હૈાવાથી દ્રવ્ય ( Matter ) અથવા શક્તિ ( Energy) તેની બહાર જઈ શક્તા નથી. લેની બહાર આ દ્રવ્યના અભાવ છે કે જે ગતિમાં સહાય થાય છે.’
:
શ્રી ભગવતીસૂત્રમાં આ દ્રવ્યોને અવળે ભાગ્યે અરો જાણે ! કહેલાં છે, એટલે કે તેમને કોઈ પ્રકારના વર્ણ રંગ હાતા નથી, કોઈ પ્રકારની ગંધ હાતી નથી, કોઈ પ્રકારના રસ હોતા નથી અને કોઈ પ્રકારના સ્પર્શ પણ હાતા નથી. વર્ણ, ગંધ, રસ અને સ્પશ, એ પુગલના ગુણ છે અને તે પુદ્ગલ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં હાતા નથી, એટલે ધર્મારિતકાય કાયમાં તેના સંભવ નથી. તેનું આ પુષ્ટ પ્રમાણ છે.
અને અધર્માસ્તિઆ દ્રવ્યે અપરમાણુવિક છે,
૮ અલવેના ધર્માસ્થિ યપણ્ણા ? એ શાસ્ત્રવચનાથી ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાયના પ્રદેશે। અસ બ્યૂ હોવાના નિશ્ચય થાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
અવતાર
=
==
=
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વ્યાવહારિક ભાષામાં અસંખ્યને અર્થ અનંત થાય છે, પણ જેન તત્વોએ અસંખ્યાત અને અનંત એવા બે જુદા પ્રકારે માનેલા છે, એટલે અસંખ્ય એ અનંત નથી, પણ તેને ઘણે નાનો ભાગ છે.
ભાષા, ઉછુવાસ, મન વગેરે પુદ્ગલેનું ગ્રહણું – વિસર્જન ધમસ્તિકાય વિના ગતિના અભાવે થઈ શકે નહિ, તેથી જીવની ગતિક્રિયામાં તેમજ ભાષા, ઉચછવાસ, મન અને કાયયેગાદિ ચલકિયામાં સર્વત્ર ધમસ્તિકાય ઉપકારી છે. તે જ રીતે બેસવામાં, ઊભા રહેવામાં તથા ચિત્તની સ્થિરતા આદિ રિથર કિયાએ અધર્માસ્તિકાયની સહાય વિના થઈ શક્તી નથી, એટલે જીવની સ્થિરક્રિયાઓમાં સર્વત્ર અધર્માસ્તિકાય ઉપકારી છે.
આજથી હજારો વર્ષ પહેલાં જ્યારે આજનાં જેવાં વૈજ્ઞાનિક સાધનો ન હતાં, ત્યારે જીવ અને પુદ્ગલ એક અદશ્ય માધ્યમ દ્વારા ગતિ-સ્થિતિ કરે છે, એવું પ્રતિપાદન કરનારા જૈન મહર્ષિઓના જ્ઞાનની કયા શબ્દોમાં પ્રશંસા કરવી? વળી એ પણ નેધપાત્ર છે કે અન્ય કઈ પણ દર્શન ધર્માસ્તિકાય અને અધમસ્તિકાચની વિચારણા સુધી પહોંચ્યું નથી, એટલે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય એ જૈન દર્શનની વિશેષતા છે અને તે એની અદ્દભુતતા પુરવાર કરે છે.
ધર્માસ્તિકાય એને અધમસ્તિકાય પ્રત્યેનું આ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૧૪
નવ-તત્વ-દીપિકા સ્વરૂય જાણ્યા પછી તેમને અનુક્રમે ગતિનું માધ્યમ ( Medium of motion ) axa faldid HEATH (Medium of rest) કહીએ તે તે સર્વથા એગ્ય છે. આકાશાસ્તિકાય ?
દશમી ગાથાના પ્રારંભમાં કહ્યું છે કે “જવણી T/ પુરું–નીવાદ-જે પુદ્ગલ અને જીને રહેવાને તથા ગમનાગમન કરવાને અવકાશ આપે છે, તે આકાશ.” અહીં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને નિર્દેશ કર્યો નથી, પણ તે અધ્યાહારથી સમજી લેવાનું છે. કાલ તે મર્ચલેકમાં જ હોય છે, એટલે તેને નિર્દેશ કરવાની આવશ્યકતા નથી. તાત્પર્ય કે જે અદશ્ય, દશ્ય, નાના, મેટા સર્વે પદાર્થોને પિતાની અંદર રહેવાની જગા આપે છે, તેને આકાશ કહેવાય છે.
આકાશ સર્વવ્યાપી હેવાથી કઈ પણ વસ્તુ તેની બહાર સ ભવી શકતી નથી. ' અહીં પ્રશ્ન થવા સંભવે છે કે, “ઉપર આકાશ અને નીચે ધરતી” વગેરે ઉક્તિઓ પરથી તે એમ સમજાય છે કે ઉપસ્ના ભાગમાં આકાશ આવેલું છે અને નીચેના ભાગમાં ધરતી આવેલી છે, તે પછી આકાશને સર્વત્ર વ્યાપેલું કેમ માની શકાય?” તેને ઉત્તર એ છે કે આપણી ઉપરના ભાગમાં ઘણું મોટું પિલાણ –ાણે મેટે અવકાશ આવેલો હોવાથી આપણે ૬ ઉપર આકાશ,” એમ કહીએ છીએ, અને આપણે ધરતી પર વસેલા છીએ,
Page #192
--------------------------------------------------------------------------
________________
અજીતવ
ધરતી પર હરી-ફરીએ છીએ, એટલે કે આપણા પગ નીચે ધરતી છે, તેથી “નીચે ધરતી” એમ કહીએ છીએ, પણ સમગ્રતયા જોઈએ તે દશે દિશામાં આકાશ વ્યાપ્ત છે અને તેના એક ભાગમાં જ લોક રહેલો છે. તાત્પર્ય કે આકાશ માત્ર આપણું ઉપર જ નહિ, પણ આપણી ચારે આજુ અને નીચેના ભાગમાં પણ વ્યાપેલું છે.
આપણે જે ધરતી પર વસીએ છીએ, તેમાં નીચે ૯૦૦ એજન ગયા પછી અલોકની શરૂઆત થાય છે. તેમાં સહુથી પ્રથમ રત્નપ્રભા નામની પૃથ્વી આવે છે. આ પૃથ્વી ઉપરથી આપણે પૃથ્વી સાથે જોડાયેલી છે, પણ નીચેથી સ્વતંત્ર છે, એટલે કે તે બીજી પૃથ્વીથી જોડાયેલી નથી. ત્યાર પછી અમુક અંતરે નીચે શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમપ્રભા નામની પૃથ્વીઓ એક એકથી નીચે સ્વતંત્રપણે આવેલી છે, તાત્પર્ય કે આ બધી પૃથ્વીએ આકાશમાં જ અદ્ધર રહેલી છે.
અહીં પ્રશ્ન થ સહજ છે કે “પૃથ્વી જેવી અતિ વજનદાર વસ્તુ આકાશમાં અદ્ધર (ટેકા વિના) શી રીતે રહેતી હશે?” તેને ખુલાસે એ છે કે આ પૃથ્વીઓ ઘનોદધિ એટલે જામીને સ્થૂલ થઈ ગયેલા પાણી પર રહેલી છે. આ જામીને સ્થૂલ થઈ ગયેલું પાણી ઘનવાત એટલે જાડી હવાના થર પર રહેલું છે અને આ જાડી હવાને થર તનુવાત એટલે પાતળી હવાના થર પર રહેલે
Page #193
--------------------------------------------------------------------------
________________
નવ-તાવ-દીપિકા છે, તેમ જ આ પાતળી હવાને થર આકાશમાં રહેલે છે. આ રીતે અતિ વજનદાર પૃથ્વીઓ તનુવાતાદિના. આધારે આકાશમાં અદ્ધર રહેલી છે. આપણું ઉપરના ભાગમાં અમુક અંતરે દેવનાં વિમાને આવેલાં છે, તે પણ આવી જ રીતે આકાશમાં અદ્ધર રહેલાં છે. વૈજ્ઞાનિકે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી આ ઘટનાને ખુલાસે કરે છે, પરંતુ હજી તેમાં સુધારા સૂચવાયે જ જાય છે, એટલે કે એ અંતિમ નિર્ણયાત્મક વરતુ નથી.
આપણું ધરતી આકાશમાં રહેલી છે, તેને સચોટ અને પ્રબળ પુરા એ છે કે આ ધરતીને કઈ પણ ભાગ એમાંથી લઈ લેવામાં આવે તે એ સ્થળે આકાશ બાકી રહે છે. દાખલા તરીકે ધરતીમાં ચાર ફુટ લાંબે, ચાર ફુટ પહોળી અને ચાર ફુટ ઊંડે ખાડે ખોદવામાં આવે તે તે ખાડામાં શું હોય? અહીં કોઈ એ જવાબ આપે કે “હવા. તે એ હવાને પંપ દ્વારા ખેંચી લેતાં ત્યાં માત્ર અવકાશ જ રહેવાને કે જેને આપણે આકાશ હીએ છીએ. નૈઋયિક દૃષ્ટિએ જોઈએ તે તેમાં ધર્મસ્તિકાય છે, અધમસ્તિકાય છે, સૂકમ એકેન્દ્રિય છે. પણ છે અને પુદ્ગલની વર્ગણુઓ પણ છે, પરંતુ આ બધી વસ્તુઓ આપણુ ચર્મચક્ષુએથી જોઈ શકાય. એવી નથી, એટલે ત્યાં માત્ર અવકાશ હેવાને જ ખ્યાલ આવે છે.
સમગ્ર અવકાશના કાકાશ અને અલકાકાશ એવા
Page #194
--------------------------------------------------------------------------
________________
અછત
૧૭.
એ ભાગે છે. તેમાં જે આકાશ લેકમાં વ્યાપેલું છે, તે
કાકાશ કહેવાય છે અને અલકમાં વ્યાપેલું છે, તે અલેકકાશ કહેવાય છે. કાકાશ કરતાં અલકાકાશનું પ્રમાણે અનંતગણું મોટું છે.
લેકને આકાર કેડ ઉપર કરયુગ્મવાળા અને બંને પગ પ્રસારીને ઊભેલા ધનુષધારી પુરુષ જેવું છે. તેમાં અલેક અધોમુખ રાખેલા શરાવલાના જેવા સંસ્થાનવાળે છે, તિચ્છલક થાલ જેવા આકાસ્વા છે અને ઊર્વક શરાવસંપુટના આકાર જેવું છે. આ લેક ઉપરથી નીચે સુધી ચૌદ રજુ કે રાજ જેટલે લાંબે છે.
રજજુ કે રાજનું પ્રમાણુ શુ?” તેને ઉત્તર આંકડાથી અપાય એ નથી, એટલે ઉપમાનથી આપવામાં આવે છે. જેમકે નિમિષ માત્રમાં લાખ જન જનારે દેવ છ માસમાં જેટલું અંતર વટાવે, તે એક રજુ કે એક રાજ જાણવું. અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણને એક ભાર
એવા એક હજાર મણ ભારવાળા તપાવેલા ગેળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતે ૬ માસ, ૬ દિવસ, ૬ પહેર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર વટાવે, તે એક રજજુ કે એક રાજ જાણવું.
કેઈને એમ લાગતું હોય કે “અધધધ! આ પ્રમાણ તે કેટલું બધું મોટું છે? શું ખરેખર એક રજજુ કે રાજમાં આટલું મોટું અંતર હેતું હશે?” તે આધુનિક વૈજ્ઞાનિકે પણ આકાશની વિરાટતા સમજાવવા માટે આવા
Page #195
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૧૮
નવ-તત્વ-દીપિકા જ ઉદાહરણ આપે છે. ધી રીડર્સ ડાયજેસ્ટ ગેટ વર્લ્ડ એટલાસ (The reader's digest great world atlas) નામની એક નકશાપોથી હમણું જ બહાર પડી છે. તેના ત્રીજા ભાગમાં વધારાને અવકાશ– અનંત આકાશ (Outer space–-the boundless sky) નામને એક નકશે આપવામાં આવ્યું છે. (પ૧૦૨) તેમાં જણાવ્યું છે કે આ આકાશમાં લાખ સૂર્યમાળાઓ (સૂર્યો અને તેને ગ્રહ–ઉપગ્રહ વગે) છે. તે એક બીજાથી એટલી દૂર આવેલી છે કે કલાકના ૧૦૦૦૦૦ એક લાખ માઈલની ઝડપે જતાં રેકેટને તેની પાસે પહોંચતાં ૮૭ ક્રોડ વર્ષ લાગે. હવે વિચાર કરે છે જેને
કાકાશ કહીએ છીએ, તે પણ કેટલું વિરાટ છે! અલેકાકાશ તે તેના કરતાં પણ અનંતગણું મેટું છે, એટલે તેની તે વાત જ શી કરવી?
આકાશને વર્ણ નથી, ગંધ નથી, રસ નથી તથા સ્પર્શ પણ નથી. તાત્પર્ય કે તે અમૂર્ત છે, અપરમાણુવિક છે.
અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે જે આકાશને વર્ણ નથી તે તે વાદળી રંગનું કેમ દેખાય છે? તથા પ્રાતઃકાલ અને સાયંકાલે વિવિધ વર્ણનું કેમ જણાય છે?” તેને ખુલાસે એ છે કે આપણને આકાશ વાદળી રંગનું દેખાય છે, પણ તે રંગ આકાશને નથી. એ રંગ તે તેની અંદર રહેલ વાયુમંડળ તથા અન્ય પૌગલિક
Page #196
--------------------------------------------------------------------------
________________
અવત
૧૯
રજના છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું ઘટે છે કે દનક્રિયાના નિયમ અનુસાર એક વસ્તુ ઘણી દૂર જાય તે તે ગમે તે રગની હાય, પણ વાળી જ લાગે છે. પહાડનું શિખર જુદા જુદા રંગનુ હોય છે, પણુ દૂરથી જોતાં તે માત્ર વાદળી રગનુ જ લાગે છે. પ્રાતઃકાળે અને સંધ્યાકાળે આકાશ વિવિધ રંગનુ જણાય છે, તેનુ કારણ એ છે કે સૂર્યના કિરણા વાતાવરણમાં અમુક રીતે પ્રસરે છે. તાત્પર્ય કે એ રંગ આકાશના નથી, પણ વાતાવરણના છે, પરંતુ આપણને તે આકાશના જ હેાય એવા ભાસ થાય છે.
આકાશને પોતાની મુઠ્ઠી આકૃતિ નથી, છતાં તે ઘુમ્મટ જેવુ ગેાળ લાગે છે, તેનુ કારણ પણ દનક્રિયાની વિશેષતા છે. જે વસ્તુ અતિ દૂર રહેલી હોય, તેનાં કિરણે આપણી આંખ સુધી પહેાંચતાં વક્રાકાર બની જાય છે અને તેથી એ વસ્તુ ગાળ લાગે છે. સૂર્યની આકૃતિ ગમે તે હાય, ચંદ્રની આકૃતિ પણ ગમે તે હોય અને તારાએની આકૃતિએ પણ ગમે તે હોય, આમ છતાં તે બધા જ આપણને ગાળ લાગે છે, કારણ કે તે અતિ દૂર રહેલા છે.
આકાશ નિષ્ક્રિય છે, એટલે કે તે કંઇ પણ ક્રિયા કરતું નથી. અહીં પ્રશ્ન થવા .સભવ છે કે જો આકાશ નિષ્ક્રિય હાય તા તેમાં અનેક પ્રકારની ક્રિયાઓ થતી કેમ દેખાય છે? વળી શબ્દ તે તેનાથી જ ઉત્પન્ન થત જણાય છે, તેનું કેમ ?' આ પ્રશ્નના ઉત્તર એ છે કે
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૦
નવ–તત્ત્વ–દીપિકા
• આકાશમાં જે વિવિધ પ્રકારની ક્રિયાએ થતી દેખાય છે, તેનું કારણ જીવ અને પુદગલના ક્રિયા-ત્રભાવ છે. આકાશ તો તેમને ક્ષેત્ર પૂરું પાડવા સિવાય અન્ય કશું કાર્ય કરતુ નથી. ઘરમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે, તેથી એ ક્રિયાઓ ઘર કરે છે, એમ કહેવાય છે ખરૂ ? વાસ્તવિક રીતે તે એ ક્રિયાઓ ઘરમાં રહેનારા જ કરે છે, પણ ઘર કરતું નથી. આકાશની મામતમાં પણ આમ જ સમજવું. વળી શબ્દ આકાશમાંથી ઉત્પન્ન થતા ભલે જણાતા હોય, પણ વાસ્તવમાં તે આકાશથી ઉત્પન્ન થતા નથી. એ તા પુદ્ગલનું જ એક પ્રકારનું પરિણામ છે.
જૈન દર્શોને આ વાત હજારો વર્ષ પહેલાં કહી હતી અને તે કારણે અનેક દર્શનાએ તેનીનિટ્સના કરી હતી, પરંતુ છેલ્લાં સે વ માં વૈજ્ઞાનિકાએ અનેક પ્રયાગા કરીને એ વાત પુરવાર કરી આપી છે, એટલુ જ નહિ પણ શબ્દને આબાદ પકડી આપ્યા છે. ફોનોગ્રાફ, ડિયા, ટેલિફોન વગેરે તેનાં પ્રમાણેા છે. હવે શબ્દ એ પૌગલિક વસ્તુ હાવા ખાખત કોઈ ને કશી શકા રહી નથી. તાપ કે શબ્દ એ આકાશના ગુણુ નથી, એ તેા સર્વથા નિષ્ક્રિય જ છે.
એક વસ્તુ અને ખીજી વસ્તુ વચ્ચેનું અંતર આકાશના નિમિત્તથી જ જાણી શકાય છે. જો આકાશ ન હોય તે આપણે કોઇ પણ વસ્તુની લખાઈ, પહેાળાઈ કે ઊંચાઈ હી શકીએ નહિ.
Page #198
--------------------------------------------------------------------------
________________
અજીવતરવ
૧૨૧
તેજ રીતે દિશાઓનું જ્ઞાન પણ આકાશના નિમિત્તથી જ થાય છે. જે ઉપરના ભાગમાં ગઈ તે ઊર્ધ્વદિશા અને નીચેના ભાગમાં ગઈ તે અદિશા. તેની વચ્ચે જે ભાગ રહ્યો તે તિર્યમ્ ભાગ. દાખલા તરીકે સાથેની આકૃતિમાં અને ૫ એવાં ત્રણ બિંદુએ આપેલાં છે. તેમાં વને તિર્ય ભાગ માનીએ તે ત્યાંથી ઉપર તે ૪ સુધીને ભાગ એ ઊર્ધ્વદિશા છે અને નીચે a જાતે જ સુધીને ભાગ એ અદિશા છે. જે
અવકાશ ન હોય તે આપણને આ રીતે ઊર્વ કે અદિશાને ખ્યાલ આવે નહિ.
ચાર દિશાઓ તથા ચાર વિદિશાઓની બાબતમાં પણ આમ જ સમજવાનું છે.
આપણે પૃથ્વીના જે ભાગ પર રહીએ છીએ, તે મધ્યલેક કે તિર્યગલેક કહેવાય છે. તેથી તેની જ ઉપરના ભાગને આપણે ઊર્ધક તરીકે ઓળખીએ છીએ અને નીચેના ભાગને અધક તરીકે સંબોધીએ છીએ. જ્યાં ઊંચા-નીચાને પ્રશ્ન આવે ત્યાં ઊર્ધ્વ, તિર્યમ્ અને અધે એવા ત્રણ વિકલ્પ અવશ્ય સંભવે છે અને તે જ આધારે આ લેના ઉદ્ઘલેક, મધ્યલોક અને અલેક, એવા ત્રણ વિભાગો માનવામાં આવ્યા છે.
ચાર દિશાઓ તથા વિદિશાઓનાં નામ પ્રાચીન શાસ્ત્રોમાં આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ?
Page #199
--------------------------------------------------------------------------
________________
૨
નવતવ દીપિકા
ઐન્દ્રી યાખ્યા
અગ્નિ
પ્રસિદ્ધ નામ પ્રાચીન નામ કારણ
ઈન્દ્ર દ્વારા રક્ષિત. દક્ષિણ
યમ દ્વારા રક્ષિત. પશ્ચિમ વાણી વરુણ દ્વારા રક્ષિત ઉત્તર સૌમ્યા સેમ દ્વારા રક્ષિત.
આનેયી અગ્નિ દ્વારા રક્ષિત. નૈત્ય નૈઋતિ નૈઋત દ્વારા રક્ષિત. વાયવ્ય વાયવ્યા વાયુ દ્વારા રક્ષિત. ઈશાન એશાની ઈશાન દ્વારા રક્ષિત.
અહીં દિશા અને વિદિશાઓ અંગે ડું સ્પષ્ટીકરણ કરીશું. ભુવલયના મધ્ય ભાગમાં આવેલા મેરુ પર્વતના આઠ રુચક પ્રદેશને મધ્યબિંદુ સમજવાના છે. આ બિંદુમાંથી સૂર્ય ઉગવાની દિશામાં જે રેખા દોરીએ, તે પૂર્વ અને સૂર્ય અસ્ત થવાની દિશામાં જે રેખા દોરીએ, તે પશ્ચિમ. આ બિંદુમાંથી ધ્રુવના તારા તરફ જે રેખા દેરીએ, તે ઉત્તર અને તેની સામી દિશાએ જે રેખા દેરીએ, તે દક્ષિણ ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણે આવેલ છે, તે ઈશાન. પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે જે ખુણે આવેલો છે, તે અગ્નિ. દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે જે ખૂણો આવેલો છે, તે નૈઋત્ય અને પશ્ચિમ તથા ઉત્તર દિશાની વચ્ચે જે ખૂણે આવેલો છે, તે વાયવ્ય. જલ, સ્થલ તથા આકાશના માર્ગે જાણવા માટે દિશાનું જ્ઞાન જરૂરી છે અને તે જ કારણે તેના
Page #200
--------------------------------------------------------------------------
________________
આજીવતત્વ
૧ર૩
માર્ગ દર્શાવતા નકશાઓમાં દિશાસૂચક આકૃતિ અવશ્ય આપવામાં આવે છે. પુદગલાસ્તિકાય?
કેટલાક પુલ શબ્દ પ્રયોગ પરમાણુના અર્થમાં કરે છે, કેટલાક શરીરના અર્થમાં કરે છે, તે કેટલાક આત્માના અર્થમાં પણ કરે છે. પરંતુ અહીં પુદ્ગલ શબ્દ ભૌતિક પદાર્થના અર્થમાં વપરાયેલ છે કે જેને આધુનિક વિજ્ઞાન સામાન્ય રીતે મેટર” (Matter) કહે છે.
કેટલાકના કથન મુજબ પુગલ શબ્દ પુત્વ અને સ્ટ એવાં બે પદેથી બનેલું છે. તેમાં પુત્ત પર પૂરણનું સૂચન. કરે છે અને ૪ શબ્દ ગલનનું સૂચન કરે છે. પૂરણ એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું. ગલન એટલે ગળી જવું, છૂટા પડવું, જુદા થઈ જવું.
સિદ્ધસેનીય તત્ત્વાર્થટીકામાં પૂરળાત્ નીરજ પુત્ર ’ એવી વ્યાખ્યા કરવામાં આવી છે અને દિગમ્બર ગ્રથ રાજવાર્તિકમાં પણ “રસ્ટનન્વર્થતંજ્ઞાત્વા પુજારા એમ જણાવેલું છે, એટલે જે દ્રવ્યમાં સજન અને વિભાજનની ક્રિયા નિરંતર ચાલી રહી છે, તે પુદ્ગલ એમ સમજવાનું છે.
છ દ્રવ્ય પૈકી અન્ય કોઈ દ્રવ્યમાં આ પ્રકારે સજન-વિભાજનની ક્રિયા થતી નથી, એટલે તેને પુદ્ગલનું વિશિષ્ટ લક્ષણ માનવું જોઈએ. ધર્માસ્તિકાય
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૪
નવ-તત્ર દીપિકા અધમસ્તિકાય અને આકાશસ્તિકાય પિતાના મૂળ સ્વરૂપે જ સ્થિર રહે છે, એટલે કે તેમના પ્રદેશમાં અન્ય પ્રકારની ન્યૂનાધિક્તા થતી નથી. આજથી લાખે-ક્રોડે વર્ષ પહેલાં તેમાં જેટલા પ્રદેશ હતા, તેટલા આજે પણ છે અને ભવિષ્યમાં પણ તેટલા જ રહેવાના. કાલને પ્રત્યેક પ્રદેશ સ્વતંત્ર છે, એટલે તેમાં પણ સાજન અને વિભાજનની કિયા થતી નથી. જીવ સંકોચ અને વિસ્તારના ગુણવાળો છે, એટલે દેહ પ્રમાણે વ્યાપીને રહે છે, પણ તેથી તેના પ્રદેશમાં કંઈ પણ ઘટાડો કે વધારે થતું નથી. તેમાં પ્રથમ જેટલા પ્રદેશ હતા, તે બધાય આજે વિદ્યમાન છે અને આખર સુધી એ પ્રમાણે જ રહેવાના. અન્ય શબ્દોમાં કહીએ તે જીવમાં કોઈ ન કહો જેડાતું નથી કે તેમાંથી કઈ ટુકડો છૂટો પડતે નથી, એટલે તે સજન અને વિભાજનની ક્રિયાથી રહિત છે.
પ્રકરણકાર મહર્ષિએ “પુજા ર” એ પદેથી એમ સૂચવ્યું છે કે “આ પુદ્ગલ દ્રવ્ય ચાર પ્રકારનું છે.” અહીં તેનાં નામની અપેક્ષા રહે એ સ્વાભાવિક છે, તેથી તેમણે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે “ગંદા રેસપણ, પરમાણુ જેવા નાણક્ય–આ ચાર પ્રકારે તે સ્કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ જાણવા.'
પૂર્વે આઠમી ગાથામાં અજીવના ચૌદ ભેદોની ગણના કરતી વખતે કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુને નિર્દેશ થયેલ છે, પણ તે પુદ્ગલના ચાર પ્રકાર તરીકે થયેલ નથી, એટલે અહીં આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
અવતરવું
૧૨પ
આ ચાર પ્રકારોને સામાન્ય રીતે સ્કંધ, સ્કંધ-દેશ સ્કંધ –પ્રદેશ અને પરમાણુ કહેવામાં આવે છે, કારણ કે દેશ અને પ્રદેશ સ્કંધથી પ્રતિબદ્ધ હોય છે. એટલે કે તેમાં જ રહેલા હોય છે, તેનું પૃથફ અસ્તિત્વ હતું નથી. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જે વી તે જવિઠ્ઠ પત્તા, ક રંધા, વંથલી, રંઘ–પાસ,
માણુ પમા –જે રૂપી દ્રવ્ય છે, તે ચાર પ્રકારનું કહેવું છે. જેમ કે સ્કંધ, સ્કંધ-દેશ, સ્કંધ-પ્રદેશ અને પરમાણુ -પુદગલ. તાત્પર્ય કે પુદ્દગલના વાસ્તવમાં બે જ પ્રકારો છેઃ (૧) સ્કંધ અને (૨) પરમાણુ કે જેને આધુનિક વૈજ્ઞાનિકેએ મેલેક્યુલ” (Molecule) અને “એમ” (Atom)ની સંજ્ઞા આપેલી છે. શ્રી ઉમાસ્વાતિવાચકવયે તાવાર્થસૂત્રમાં “જળવા હાય” ક-૨ || એ સૂત્ર વડે આ વસ્તુ સ્પષ્ટ કરી છે. અહીં અણું શબ્દ પરમાણુના અર્થમાં જ વપરાયેલે છે. તે પરમાણુથી ભિન કેઈ વસ્તુને સૂચવતો નથી.
પરમાણ--પ્રતિપાદનને યશ જૈન દર્શનને ફાળે. જાય છેઃ
યુરોપ વગેરે દેશના વિદ્વાનોની એવી માન્યતા છે. કે પરમાણુ સંબંધી પ્રથમ વિચાર ડેમોક્રેસે પ્રકટ કર્યો કે જેને સત્તાસમય ઈ. સ. પૂર્વે ૪૬૦ થી ૩૭૦ સુધીને મનાય છે. પરંતુ આ માન્યતા ભ્રાત છે, કારણ કે તેની પૂર્વે પણ ભારતમાં પરમાણુ સંબધી કેટલાક વિચારો
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૨૬
નવ-તત્વ-દીપિકા પ્રકટ થયા હતા અને તેના સ્વરૂપ સંબંધી ઠીક ઠીક ચર્ચાઓ થઈ હતી. વૈદિક દર્શનેમાં ન્યાય-વૈશેષિક દર્શને પરમાણુ પર પ્રકાશ પાડેલે છે, પરંતુ તેમને એ પરમાણુ અતિ -સ્થૂલ છે, એટલે કે સૂર્યના કિરણમાં જે રજ ઉડતી જણાય છે, તેના છઠ્ઠા ભાગ જેટલું છે. જેના દર્શન કે જે બધાં વૈદિક દર્શને કરતાં ઘણું પ્રાચીન છે, તેણે પરમાણુના વિષયમાં વિશદ ચર્ચા કરેલી છે, એટલે પરમાણુ-પ્રતિપાદનને ખરે યશ તે જૈન દર્શનના ફાળે જ જાય છે. વૈશેષિકેના પરમાણુની અપેક્ષાએ જેના દર્શનને પરમાણુ ઘણું જ સૂક્ષમ છે, અનંતમા ભાગ જેટલે -નાને છે. પરમાણુની સૂફમતાઃ
શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમા ઉદેશકમાં કહ્યું છે કે “પરમાણુ-પુદ્ગલ અવિભાજ્ય, અચ્છેરા, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. અર્થાત્ કોઈ પણ ઉપાય કે ઉપચારથી તેના વિભાગો થઈ શક્તા નથી. ગમે તેવા તીક્ષણ શસોથી તેનું છેદન કે ભેદન થઈ શકતું નથી, ગમે તે તીવ્ર તાપ પણ તેને બાળી શકતો નથી કે ઈ િવડે આપણે તેને ગ્રહણ કરી શક્તા નથી. વળી તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે. અર્થાત્ તેના બે ભાગ થઈ શક્તા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ, નથી, અને તે માત્ર એકમદેશરૂપ હેઈને તેમાં વિશેષ પ્રદેશ સંભવતા નથી. .
Page #204
--------------------------------------------------------------------------
________________
આજીવતત્વ
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે જે આણુ અભેદ્ય હોય તે તેને ફેટ કે વિશ્લેટ કેમ થાય છે? આણુને વિસ્ફોટ થવાથી પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે અને તેના આધારે તે આજે અણુબ બની રહ્યા છે. આ પ્રશ્નને ઉત્તર એ છે કે આધુનિક વિજ્ઞાન જેને અણુ (Atom) માની રહ્યું છે, તે વાસ્તવમાં આણુ નથી, પણ એક જાતને સ્કંધ (Molecule) છે અને તેથી તેને ફેટ કે વિરફટ સંભવી શકે છે.
ઓગણીસમી સદીના અંત સુધી વૈજ્ઞાનિકે એમ માનતા હતા કે અણુ એ આખરી ઘટક છે, પરંતુ ઈ. સ. ૧૯૧૧ માં એક સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે “જેને આપણે અણુ (Atom) માનીએ છીએ, તે વાસ્તવમાં સૌરમંડલ (સૂર્યમાળા) જેવો છે, એટલે કે તેની વચ્ચે પ્રેટોન (પરમાણુ) હેય છે અને તેની આસપાસ અન્ય ઈલેકને ગોળ ચક્રાકારે ફર્યા કરે છે.” તેની સાથે તેણે એમ પણ કહ્યું કે “જે આ અણુને તેના મધ્ય ભાગથીપ્રેટોનથી છુટો પાડે હેય તે ૧૦ લાખ જેટલા રેડિયમના અણુઓની આવશ્યક્તા રહે છે.” તાત્પર્ય કે વૈજ્ઞાનિકે જેને અણુ તરીકે સંબોધી તેનું પ્લેટન કે વિશ્લેટન કરવાની વાત કરી રહ્યા છે, તે વાસ્તવમાં અણુવિસ્ફોટન નથી, પણ અંધવિશ્લેટન છે. પરમાણુની ગતિઃ
પરમાણુ જડ હેવા છતાં ગતિમાં છે, એટલે કે
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૮
નવ-તત્ત્વ-દીપિકા
ગતિ કરી શકે છે. તે એક સમયમાં જઘન્યથી નિકટવતી આકાશપ્રદેશ સુધી અને ઉત્કૃષ્ટથી ચૌદ રજવાત્મક લેકના પૂર્વ ચરિમાન્ડ (છેડા થી પશ્ચિમ ચરિમાન્ડ સુધી, ઉત્તર ચરિમાન્તથી દક્ષિણ ચરિઆના સુધી અને અ ચરિમાન્તથી ઊર્વ ચરિમાન્ત સુધી ગતિ કરી શકે છે. આ ગતિ એક અસાધારણું કોટિની ગણાય, એટલે સામાન્ય મનુષ્યને તેની કલ્પના આવવી મુશ્કેલ છે.
પરમાણુ બધે જ વખત ગતિ કરે છે, એવું નથી. ક્યારેક તે ગતિમાન હોય છે, ક્યારેક સ્થિર.
પરમાણુને કિયાવાન પણ કહે છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “સિર પર સિર વેરરિ, સિર પરિણામ તે કેપે છે, અથવા વિશેષ પ્રકારે કરે છે અને કઈ વિશિષ્ટ પરિણામ પામે છે.”
પરમાણુની આ ગતિ સ્વતઃ એટલે કે પિતાના સ્વભાવથી જ છે. “જીવની તેના પર કઈ અસર પડે છે ખરી?” એ પ્રશ્નનો ઉત્તર નકારમાં છે. પરમાણું એટલે સૂમ છે કે તે જીવ દ્વારા ગ્રહણ જ થઈ શકતું નથી, પછી તેની અસર પડે શી રીતે? પરંતુ જીવ અને પકડી શકે છે અને તેના પર તેને પ્રભાવ પડે છે.
પરમાણુની સ્વાભાવિક ગતિ સરલ એટલે સમરેખાએ થાય છે, પણ અન્ય યુગલના સહકારથી તે વકગતિ પણ કરી શકે છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
અતિવ
પરમાણુની અવગાહનશક્તિ અજબ છે. જે આકાશપ્રદેશમાં એક પરમાણુ રહેલું હોય, તે જ આકોશ પ્રદેશમાં બીજે પરમાણુ પણ સ્વતંત્ર રીતે રહી શકે છે અને અનંતપ્રદેશી આંધ પણ રહી શકે છે. સ્કંધની ઉત્પત્તિ
ધની ઉત્પત્તિ સંઘાત, ભેદ અને ભેદ-સઘાત, એ ત્રણ પ્રકારે થાય છે. સંઘાત એટલે ભેગા થવાની ક્રિયા.
જ્યારે બે અલગ રહેલા પરમાણુ ભેગા થાય છે, ત્યારે દ્વિદેશી અંધ બને છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યા, અસંખ્ય, અનંત અને અનંતાનંત પરમાણુ મળવાથી અનુક્રમે ત્રિપ્રદેશી, ચતુ પ્રદેશી, સંખ્યપ્રદેશ, અસંખ્ય પ્રદેશી, અનંતપ્રદેશી અને અનંતાનંતપ્રદેશી ઔધ બને છે.
- એક મોટા સ્કંધને ભેદ થવાથી નાના નાના અનેક સ્ક બને છે અને તેને પણ ભેદ થતાં સ્કંધની સંખ્યાને વિસ્તાર થાય છે. આ પ્રક્રિયા ચાલુ રહેતાં આંકડે અસંખ્ય કે અનંત સુધી પહોંચે છે. દાખલા તરીકે એક મેટો ખડક તૂટે તે નાની નાની અનેક શિલાઓ બને છે, જે ધરૂપ છે. અને એ શિલાઓ તૂટતાં પત્થરના નાના નાના હજારે ટુકડા થાય છે, તે પણ સ્કંધરૂપ છે. તેમાંથી વધારે નાના ટુકડા અને રેતીના અસંખ્ય કણ બને છે, તે પણ રકધરૂપ છે. આવા ભેદજન્ય અધ દિશીથી માંડીને અનંતાનંત પ્રેદેશી સુધીના હોય છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૩૦
નવ-તત્વ-દીપિકા કેટલીક વાર એક રકંધને ભેદ થતું હોય ત્યારે બીજા કેટલાક સ્કછે કે પરમાણુ તેને આવી મળે છે. આ રીતે જે ધ બને તે ભેદ-સંઘાતજન્ય ધ કહેવાય છે. તેમની સંખ્યા પણ ઢિપ્રદેશથી માંડીને અનંતાનંતપ્રદેશ સુધીની હોય છે.
એક સ્કંધને માત્ર ભેદ જ થતું જાય તે છેવટે પરમાણુ અવશિષ્ટ રહે છે. એટલે પરમાણુ એ પુદ્ગલને મૂળ ઘટક (Primary unit) છે. સ્કંધના છ પ્રકારઃ
સ્કે ધેમાં કેટલાક ચાક્ષુષ એટલે આંખે દેખી શકાય એવા હોય છે અને કેટલાક અચાક્ષુષ એટલે આંખે દેખી શકાય એવા હોતા નથી. તેમને અનુક્રમે સ્થૂલ અને સૂકમ કહેવામાં આવે છે. આ સ્થૂલ-સૂમની અપેક્ષાએ તેના છ પ્રકારે આ પ્રમાણે માનવામાં આવે છે? (૧) સ્થૂલ-સ્થલઃ
જે પુદ્ગલ-કંધનું છેદન-ભેદન થઈ શકે તથા જેનું સામાન્ય રીતે અન્યત્ર વહન થઈ શકે તેને સ્કૂલશૂલ કે અતિ સ્થૂલ (Solid) કહેવાય છે. માટી, પથ્થર, લાકડું, કાચ વગેરે આ પ્રકારના કહે છે. (૨) સ્કૂલ
જે પુગલ-કંધનું છેદન-ભેદન થઈ શકે નહિ, પણ જેનું અન્યત્ર વહન થઈ શકે તેને સ્કૂલ (Liquid)
Page #208
--------------------------------------------------------------------------
________________
અછવતત્ત્વ
૧૩૧
કહેવાય છે. દૂધ, દહીં, તેલ, પાણી વગેરે આ પ્રકારના સંધા છે.
(૨) સ્થૂલ-સુક્ષ્મ :
જે પુદ્ગલકાનું છેન-લેન થઈ શકે પરંતુ જેનુ અન્યત્ર વહન થઈ શકે નહિ, તથા જે નેત્રથી દૃશ્યમાન (Visual) હાય, તેને સ્થૂલ–સૂક્ષ્મ કહેવાય છે. પ્રકાશ, વિદ્યુત, ઉષ્ણુતા આદિ આ પ્રકારના ધા છે.
(૪) સૂક્ષ્મ-સ્થૂલ :
જે પુદ્ગલ કા નેત્રને છેડી બાકીની ચાર ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે, તેને સૂક્ષ્મ-સ્થૂલ કહેવાય છે. વાયુ, વરાળ વગેરે આ જાતના ધા છે.
(૫) સૂક્ષ્મ ઃ
જે પુદ્ગલ—ધા અતીન્દ્રિય છે, એટલે કે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે એવા નથી, તેને સૂક્ષ્મ (Unvisible) કહેવાય છે. મનેવગણા, ભાષાવગણા, કામણવા આદિ આ જાતના ધા છે.
(૬) સૂક્ષ્મ-સૂક્ષ્મ ઃ
જે પુદ્ગલ કા મનાવા આદિ કરતાં પણ -સૂક્ષ્મ છે, તેને સૂક્ષ્મ સૂક્ષ્મ કહેવાય છે. દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિ સંધ આ પ્રકારના છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૦ર
નવ-તત્વ-દીપિકા
(૧) ઉપમ:
પ્રકરણકાર મહર્ષિએ દશમી ગાથામાં પુદ્ગલના ચાર પ્રકારે કહ્યા છે. હવે તેના સ્વભાવ, ગુણ કે ધર્મને પરિચય આપવા માટે તેનાં લક્ષણે અગિયારમી ગાથામાં આ પ્રમાણે કહે છે: (૨) મૂળ ગાથાઃ सबंधयार उज्जोअ, पभा छायाऽऽतवे हि वा। वन्न-गंध-रसा फासा, पुग्गलाणं तु लवखणं ॥११॥ (3) સંસ્કૃત છાયાઃ शब्दान्धकाराबुद्योतः, प्रभा छायाऽऽतपश्च वा। વ-જન્ય--દસા પુર્શી, પ્રાણાનાં તું સફળ સંશ () શબ્દાર્થ:
સદ અને બંધાર, તે રાંધવા. -શબ્દ નાદ ધ્વનિ, સ્વર વગેરે તેના પર્યાયશબ્દો છે
ધયા-અંધકાર. તમ, તમસ, તિમિર વગેરે તેના પર્યાય શબ્દો છે. રોગ-ઉદ્યોત. અહીં ઉજ્ઞોળો એ પાઠ પણ મળે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
અજીવત
માઁ-પ્રભા, કાંતિ.
અહીં ના એવા પાઠ પણ મળે છે.
Øાચા-છાયા, પ્રતિબિંબ,
જ્ઞાતવે આતપ, તાપ, તડકો,
ફ્રિ-ખરેખર.
વા–અથવા.
વન્ત–વણું, રંગ.
વન્ન અને પ અને રસ, તે વન—સઁધ-ત્તા. વન
વણું, રંગ (Colour ).
ગધગધ.
ગંધ એટલે વાસ (Smell). રક્ષા–સા.
રસ–સ્વાદ (Taste).
દાસા-સ્પર્શી.
૧૩૩
સ્પર્શીને અંગ્રેજી ભાષામાં ટચ (Touch) કહેવામાં
આવે છે.
પુઃ શહાળપુદ્ગલાનુ તુ–વળી, નિશ્ચયે કરીને જ.
વળ-લક્ષણ છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
II
૧૩૪
નવ-તત્ત્વ-દીપિકા (૫) અર્થ–સંકલન :
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલેનું જ લક્ષણ છે. (૬) વિવેચન
પૂર્વ ગાથામાં પુગલના પ્રકારે કહ્યા. હવે પુદ્ગલના સામાન્ય-વિશેષ ધર્મ કહે છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ વગેરે પુગલના વિશેષ ધર્મો છે. અહીં વગેરે શબ્દથી બંધ, સૌમ્ય, સ્થૌલ્ય, સંસ્થાન અને ભેદ સમજવાના છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના સામાન્ય ધર્મો છે.
શબ્દઃ
પુગલને વનિરૂપ જે પરિણામ, તેને શબ્દ કહે વામાં આવે છે. તે શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે, એટલે અરૂપી કે અભૌતિક નથી, પરંતુ મૂત છે. ' શબ્દની મૂર્તતા સિદ્ધ કરવા માટે જે ગ્રન્થમાં ઘણું વિવેચન કરેલું છે. તેને સાર એ છે કે જેમ પીપર વગેરે વસ્તુઓ દ્રવ્યાન્તરના વૈકારિક સચોથી વિકૃત થાય છે, તેમ શબ્દ પણ કંઠ, મસ્તક, જિહૂવા, દંત, તાલુ, ઓષ્ઠ ઈત્યાદિ દ્રવ્યાન્તરના વિકારથી વિકૃત થ. માલુમ પડે છે, તેથી તે મૂર્ત છે.
જ્યારે ઢેલ, નગારા, ત્રાંસા વગેરે બજાવવામાં આવે
Page #212
--------------------------------------------------------------------------
________________
અવતત્ત્વ
૧૩૫
છે, ત્યારે નીચેની ભૂમિમાં કંપન થાય છે, તેનુ કારણ અન્ય કંઈ નહિ, પણ શબ્દની મૂર્તતા જ છે.
શંખાદિને પ્રચંડ શબ્દ કાનાને બહેરા બનાવી દે છે. આવુ સામર્થ્ય અમૃત આકાશમાં સભવતુ નથી, એ તે પૌદ્ગલિક શક્તિનું જ પરિણામ છે.
પત્થર આદિ મૂર્તી વસ્તુઓને ફેંકવામાં આવે તે તે કોઈ પદાથ સાથે ટકરાઈ ને નીચે પડે છે, તેમ શબ્દ પણ વસ્તુઓ સાથે અથડાઈને પાળે પડે છે, તેથી એની મૂર્તતા સિદ્ધ છે. વળી તેના પ્રતિધ્વનિ એટલે પડઘા પણ પડે છે, તે મૂતા સિવાય કેમ ખની શકે ?
શબ્દ ગમે ત્યાં જઈ શકે છે અને ધૂમાડા વગેરેની માફક તેનું પ્રસારણ પણ થાય છે. વળી તૃણુ અને પાંăડાંની જેમ વાયુ તેને પ્રેરણા કરી શકે છે. જો પાછળથી હવા આવતી હોય છે, તેા પાછળની વ્યક્તિ આગળની વ્યક્તિના શબ્દ સાંભળી શકતી નથી, કારણ કે તે વાયુ દ્વારા આગળ ખેંચાઈ જાય છે. શબ્દ એ પૌદ્ગલિક વસ્તુ હાય તા જ આવું અની શકે.
સૂર્યની હાજરીમાં તારાના પ્રકાશ છૂપાઈ જાય છે, તેમ ભારે શબ્દમાં–અવાજમાં નાના શબ્દ-નાના અવાજ દબાઈ જાય છે, તેથી પણ સિદ્ધ થાય છે કે શબ્દ એ પુદ્ગલનું જ પરિણામ છે.
}, ;
શબ્દના સચિત્ત, અર્ચિત્ત અને મિશ્ર એવા ત્રણ
Page #213
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા પ્રકારે પ્રસિદ્ધ છે. તેને પરિચય સાતમી ગાથાના વિવેચનમાં અપાયેલે છે.
તત્વાર્થભાષ્યમાં શબ્દના છ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે : (૧) તત, (૨) વિતત, (૩) ઘન, (૪) શુષિર, (૫) સંઘર્ષ અને (૬) ભાષા. બહવૃત્તિમાં એ ખુલાસે કરવામાં આવ્યું છે કે આ છ પ્રકારે પ્રગજ શબ્દના છે. પ્રાગજ એટલે પ્રયત્નથી ઉત્પન્ન થતે શબ્દ. બીજો એક પ્રકાર વૈસસિક નામથી ઓળખાય છે, તેમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતા મેઘગર્જના વગેરેને સમાન વેશ થાય છે.
તત-ચામડાંથી મઢેલાં ઢેલ, નગારાં, ત્રાંસાં, તબલાં વગેરેને શબ્દ,
" વિતત-તારથી વાગતાં વીણ, સીતાર, સારંગી, દિલરુબા વગેરેને શબ્દ.
ઘન-ધાતુ, કાષ્ઠ વગેરે નક્કર વસ્તુઓને સામસામી અકાળવાથી ઉત્પન થતે શબ્દ. કરતાલ, કાંસીજોડા, ઝાલર વગેરેને શબ્દ આ પ્રકારને છે.
શુષિર-કુંક મારવાથી કે વાયુ ભરવાથી ઉત્પન્ન થત શબ્દ. વાંસળી, મેરલી, હાર્મોનિયમ વગેરે વાજિંત્રોને શબ્દ આ પ્રકારને છે.
' સંઘર્ષ–એક કે વધારે વસ્તુના સંઘર્ષથી ઉત્પન્ન ચતા શબ્દને સંઘર્ષ કહેવાય છે. લાકડાના પાટિયા પર
Page #214
--------------------------------------------------------------------------
________________
અજીતવ
કરવત ચાલતાં જે શબ્દ ઉત્પન્ન થાય કે યંત્ર ચાલતાં જે શબ્દ ઉત્પન્ન થાય, તે આ પ્રકારને ગણાય છે.
ભાષા–મનુષ્ય, પશુ, પક્ષી વગેરેની બેલીને ભાષા કહેવામાં આવે છે. તેમાં મનુષ્યની ભાષા વ્યક્ત હોય છે અને પશુ-પક્ષીઓની ભાષા અવ્યક્ત હોય છે. કેટલાક તેના અક્ષરાત્મક અને અક્ષરાત્મક એવા બે પ્રકારે માને છે તથા મનુષ્યની ભાષાને અક્ષરાત્મકમાં અને પશુ-પક્ષીઓની ભાષાને અક્ષરાત્મકમાં સમાવેશ કરે છે.
શબ્દના પુદગલો ચતુર પ્રદેશ છે, પરંતુ તે અષ્ટસ્પશીના વેગથી ઉત્પન્ન થાય છે.
શબ્દની ગતિ ઘણી ઝડપી હોય છે. તે સમય માત્રમાં લોકના છેડે પહોંચે છે અને ચાર સમયમાં તે સમસ્ત લેકમાં વ્યાપી જાય છે. અંધકાર :
વસ્તુને જોવામાં બાધા, હરક્ત કે નડતર કરનારે પુદ્ગલને જે પરિણામવિશેષ તે અંધકાર (Darkness) કહેવાય છે. નિયાયિક વગેરે એમ માને છે કે “અંધકાર એ તેજને અભાવ છે, પણ વાસ્તવમાં કઈ પદાર્થ નથી.” પરંતુ તેમની આ માન્યતા ભ્રાંત છે, કારણ કે સૂર્ય અથવા દીવાના પ્રકાશથી જે અણુઓ તૈજસ પરિણામને પ્રાપ્ત થાય છે, તેજ આણુઓ પૂર્વોક્ત પ્રકાશના અભાવમાં શ્યામપણે પરિણમે છે, એટલે તેજને અભાવ હેવા છતાં, પુદ્ગલને સદ્ભાવ હોય છે કે જે આપણી દૃષ્ટિને
Page #215
--------------------------------------------------------------------------
________________
:
---
૧૩૮
નવ-તાવ-દીપિકા અંધ કરનાર હોવાથી અંધકાર કહેવાય છે. બીજું એ પણ વિચારવા જેવું છે કે જે વસ્તુ અભાવરૂપ હોય તેને કઈ પ્રકારનું રૂપ કે કઈ પ્રકારને સ્પર્શ કેમ હોઈ શકે?
જ્યારે અંધકારને તે શ્યામ રૂપ હોય છે અને શીત (ઠંડ) સ્પર્શ પણ હોય છે. તાત્પર્ય કે તે માત્ર અભાવ નથી, પણ એક જાતને પગલિક પદાર્થ છે.
પ્રકાશના ભેદ રૂપ ઉદ્યોત, પ્રભા અને આતપ પ્રકાશ :
અંધકારને વિરોધી પદાર્થ પ્રકાશ (Light) છે. તે પણ પુદ્ગલજન્ય છે, એટલે કે પુદ્ગલને જ પરિણામવિશેષ છે; પરંતુ અહીં તેને સાક્ષાત્ ઉલ્લેખ ન કરતાં તેના ઉદ્યોત, પ્રભા અને આતપ એવા ત્રણે પ્રકારે વર્ણવ્યા છે. તેમાં ઉદ્યોત શબ્દથી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેને શીતળ પ્રકાશ અભિપ્રેત છે; પ્રભા શબ્દથી મણિ-રત્ન વગેરેની કાંતિ અભિપ્રેત છે અને આપ શબ્દથી સૂર્યને ઉષ્ણ પ્રકાશ અભિપ્રેત છે. કેટલાક મણિરત્ન વગેરેની કાંતિને પણ ઉદ્યોતરૂપ જ લેખે છે અને સૂર્ય તથા ચન્દ્રમાંથી જે કિરણરહિત એક પ્રકારને ઉપપ્રકાશ નીકળે છે, તેને પ્રભા તરીકે ઓળખાવે છે. પરંતુ ઉપપ્રકાશનું વિશેષ વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવ્યું નથી, એટલે તે અંગે કંઈ પણ નિશ્ચયાત્મક વિધાન કરવું મુશ્કેલ છે.
તત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં પુદગલના જે
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૩૮
નવતર-દીપિકા અંધ કરનાર હોવાથી અંધકાર કહેવાય છે. બીજું એ પણ વિચારવા જેવું છે કે જે વસ્તુ અભાવરૂપ હેય તેને કઈ પ્રકારનું રૂપ કે કોઈ પ્રકારનો સ્પર્શ કેમ હોઈ શકે?
જ્યારે અંધકારને તે શ્યામ રૂપ હોય છે અને શીત (ઠંડ) સ્પર્શ પણ હોય છે. તાત્પર્ય કે તે માત્ર અભાવ નથી, પણ એક જાતને પગલિક પદાર્થ છે.
પ્રકાશના ભેદ રૂ૫ ઉદ્યોત, પ્રભા અને આતપ પ્રકાશ :
અંધકારને વિધી પદાર્થ પ્રકાશ (Light) છે. તે પણ પુદ્ગલજન્ય છે, એટલે કે પુદ્ગલને જ પરિણામવિશેષ છે; પરંતુ અહીં તેને સાક્ષાત્ ઉલ્લેખ ન કરતાં, તેના ઉદ્યોત, પ્રભા અને આતપ એવા ત્રણ પ્રકારે. વર્ણવ્યા છે. તેમાં ઉદ્યોત શબ્દથી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેને શીતળ પ્રકાશ અભિપ્રેત છે; પ્રભા શબ્દથી મણિ-રત્ન વગેરેની કાંતિ અતિપ્રેત છે અને આતપ. શબ્દથી સૂર્યને ઉષ્ણ પ્રકાશ અભિપ્રેત છે. કેટલાક મણિરત્ન વગેરેની કાંતિને પણ ઉોતરૂપ જ લેખે છે અને સૂર્ય તથા ચન્દ્રમાંથી જે કિરણરહિત એક પ્રકારને ઉપપ્રકાશ નીકળે છે, તેને પ્રભા તરીકે ઓળખાવે છે. પરંતુ ઉપપ્રકાશનું વિશેષ વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવ્યું નથી, એટલે તે અંગે કંઈ પણ નિશ્ચયાત્મક વિધાન કરવું મુશ્કેલ છે.
તાવાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં પુદગલના જે
Page #217
--------------------------------------------------------------------------
________________
માવતર
૧૩દશવિધ પરિણામે બતાવ્યાં છે, તેમાં ઉદ્યોત અને આપને ઉલ્લેખ છે, પણ પ્રભાને ઉલ્લેખ નથી.
છાયાઃ
પ્રકાશ પર આવરણ આવતાં છાયા દષ્ટિગોચર થાય છે, તે પણ પુદ્ગલને જ એક પરિણામવિશેષ છે. તેના બે પ્રકારે છેઃ એક તદ્દવર્ણવિકાર અને બીજો પ્રતિબિઅ. દર્પણ વગેરે સ્વરછ પદાર્થોમાં મુખ વગેરેનું જે બિંબ પડે છે અને જેમાં યથાવત્ આકાર આદિ દેખાય. છે, તે તદુવર્ણવિકારરૂ૫ છાયા છે અને અન્ય અસ્વચ્છ પદાર્થો પર જે પડછાયે પડે છે, તે પ્રતિબિમ્બરૂપ છાયા. છે. અંગ્રેજી ભાષામાં આ બે ક્રિયાને અનુક્રમે રિફલેકશન (Reflection) અને શેડે (Shadow) કહેવામાં આવે છે.
છાયા પગલિક હેવાનું એક પુષ્ટ પ્રમાણ એ છે કે તે કેમેરામાં ઝડપી શકાય છે.
અહીં પુદ્ગલના જે વિશેષધર્મો કહ્યા નથી, પણ તત્વાર્થસૂત્ર આદિમાં વર્ણવાયેલા છે, તેને પણ ટુંક પરિચય આપીશું. બધ :
વિવિધ પરમાણુઓના સંશ્લેષ અર્થાત સગને. બંધ કહેવામાં આવે છે. આ બંધ બે પ્રકારને છે : પ્રાચોગિક અને વૈઋસિક. તેમાં જે બંધ પ્રયત–સાપેક્ષ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૪૦
નવ-તત્ત્વ-દીપિકા
હાય, તે પ્રાયાગિક કહેવાય છે. જેમકે જીવ અને શરીરના અંધ, લાકડી અને લાખના અંધ, કપડાં અને દારાના અધ વગેરે. જે અંધ પ્રયત્ન—નિરપેક્ષ હોય તે વૈશ્નસિક કહેવાય છે. જેમકે વીજળી, મેઘ, ઈન્દ્રધનુષ આદિન અંધ. આ અને પ્રકારના અધના સેાનુભેદ્ય ઘણા છે, તે શ્રી ભગવતીસૂત્રની ટીકા આહિ ગ્રન્થાથી જાણવા.
સમત્વ ઃ
સૂક્ષ્મતા ધારણ કરવી, એ પુદ્ગલના એક વિશિષ્ટ -ગુણુ છે. સૂક્ષ્મતા એ પ્રકારની છેઃ અંત્ય અને આપેક્ષિક પરમાણુની સૂક્ષ્મતા અત્ય છે. તેમાં કોઈ અપેક્ષાએ -સ્થૂલતા ઘટી શકતી નથી. આંખળાની સૂક્ષ્મતા આપેક્ષિક છે, કારણ કે તેમાં અપેક્ષાવિશેષથી સ્થૂલતા પણ ઘટી શકે છે. જેમકે—ખળું, દાડમ, માસ...બી કે સફરજન કરતાં -સૂક્ષ્મ છે, પણ ચણા, વટાણા કે ચણીમાર કરતાં સ્કૂલ છે. ત્વઃ
સ્થૂલતા ધારણ કરવી, એ પુગલના એક વિશિષ્ટ ગુણુ છે. સ્થૂલતા એ પ્રકારની છે: અત્યત અને આપેક્ષિક કેવલિસમુહ્દાત વખતે જગવ્યાપી અચિત્ત મહાક થાય છે, તે અત્ય સ્થૂલતા છે અને કેરી કે દાડમ વગેરેની --સ્થૂલતા તે આપેક્ષિક સ્થૂલતા છે, કારણ કે તે પપૈયા કે -ફેબ્રુસ કરતાં સૂક્ષ્મ પણુ છે.
સસ્થાન ૨
સસ્થાન એટલે આકૃતિ-આકારવિશેષ. તેના મુખ્ય
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અનિત્યભૂત. જે આકૃતિની શકાય, તે ઈત્યભૂત અને અનિત્યં ભૂત. અથવા નિયત જેવા અનિયત
અવતત્ત્વ
એ પ્રકાશ છે : ત્થિભૂત અને અન્ય આકૃતિ સાથે તુલના કરી તુલના ન કરી શકાય, તે આકાર, તે 'ભૂત અને મેઘાઢિના આકાર તે અનિત્યં ભૂત. ઈત્ય'ભૂત સંસ્થાનના પાંચ પ્રકાશ છે : (૧) પરિમ’ડા—બહારથી ગાળ, પણ અંદરથી પોતુ. જેમકે ચૂડી. (૨) વૃત્તબહારથી ગાળ અને અ ંદરથી પણ ભરેલુ. જેમકે કુંભારના ચાકડો. (૩) ત્ર્યસ્ર ત્રિશુ. (૪) ચતુરજી—ચારસ અને (૫) આયત–દીઘ. જેમકે ડ. . ભેદ
એકત્વમાં પરિણત થયેલા પુદ્ગલપિંડના વિશ્લેષ અર્થાત્ વિભાગ કરવા, એ ભેદ્ન કહેવાય છે. તેનાં પાંચ પ્રકારો છે : (૧) ઔ—િચીરવા અથવા ફાડવાથી વિભાગ થવા તે. કરવતથી લાકડાના જે વિભાગે થાય છે, તે ઔરિક ભેદ સમજવા. (૨) ચૌણિક-કણ કણના રૂપમાં ચૂણું થવું તે. ઘઉંને ઘંટીમાં પીસવાથી જે આટ થાય છે, તે ચૌકિ ભેદ સમજવા. (૩) ખંઢ–ટુકડા - થવા તે, ઘડો કે દર્પણ ફૂટતાં તેના જે ટુકડા થાય છે, . તે ખંડ ભેદ સમજવા. (૪) પ્રતર—પડ ઉખડવા તે. અખરખ વગેરેમાંથી પડ ઉખડે છે, તે પ્રતર ભેદ્દે સમજવા. - (૫) અનુત્ત—છાલ નીકળવી વગેરે. શેરડીની છાલ જુદી કરવામાં આવે છે, તે અનુત્તર ભેટ્ટ સમજવા.
હવે પુદ્ગલના સામાન્ય ધર્મો લક્ષા અ ંગે વિચાર
Page #220
--------------------------------------------------------------------------
________________
-૧૨
નવતરવ-દીપિકા
કરીએ. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ, એ પુદ્ગલના સામાન્ય ધર્મો છે. તે માત્ર પુદ્ગલમાં જ જણાય છે, પણું ધર્માસ્તિકાય આદિ અન્ય પાંચ દ્રવ્યમાં જણાતા - નથી, એટલે તેને અહીં પુદ્ગલનાં લક્ષણે કહેલાં છે. - વર્ણ
વર્ણ એટલે રંગ. તેના કત, પીત, રક્ત, નીલ અને કૃણ એવા પાંચ પ્રકારે છે. બીજા વર્ષે આ વણેના તરતમ ભાવથી કે મિશ્રણથી થયેલા જાણવા પરમાણુમાં કોઈ પણ એક વર્ણ હોય છે અને સ્કમાં પાંચે ય વણે ચથાસંભવ હોય છે. - ગંધ :
ગંધના બે પ્રકારે છેઃ સુરભિગંધ અને દુરભિગધ. પરમાણુમાં તેમને કઈ પણ એક ગંધ હોય છે અને - ધમાં બંને ય ગ યથાસંભવ હોય છે. રસ :
રસ પાંચ પ્રકારને છે: કડ, તીખ, તરે, ખાટ અને મીઠે. પરમાણુમાં કઈ પણ એક રસ હોય છે અને કર્ધમાં પાંચે ય રસ યથાસંભવ હોય છે. સ્પર્શ :
સ્પર્શના આઠ પ્રકારે છે : શીત, ઉપણું, નિગ્ધ, - રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ અને કીશ. પરમાણુમાં શીત. અને
Page #221
--------------------------------------------------------------------------
________________
અજીતત્ત્વ
૧૩
સ્નિગ્ધ, અથવા શીત અને રુક્ષ, અથવા ઉષ્ણુ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ, એ ચાર પ્રકારોમાંથી ઈ પ એક પ્રકારે એ સ્પર્શી હોય છે. સૂક્ષ્મપરિણામી કામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રુક્ષ એ ચાર સ્પર્શી હોય છે અને આદરપરિણામી ધામાં આઠે ય સ્પર્શી હોય છે.
ય
પરમાણુઓની ધિરૂપ પરિણતિમાં પરમાણુઓની સ્નિગ્ધતા અને રુક્ષતા એ મુખ્ય કારણુ છે. પરંતુ તેના સાગ અમુક ધારણે જ થાય છે, જે ગ્રન્થાંતરથી જાણવા. (૧) ઉપક્રમ :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયનાં લક્ષણા કહેવાઈ ગયાં. હવે ક્રમપ્રાપ્ત કાલનું લક્ષણ કહેવુ જોઈએ, પરંતુ તે અતિ પ્રસિદ્ધ હોવાથી કહેતુ નથી. હવે પ્રકરણકાર મહર્ષિ` કાલનુ સ્વરૂપ જણાવવા માટે ખારમી અને તેરમી ગાથા આ પ્રમાણે કહે છે
(૨) મૂળ ગાથા :
एगा कोडि सतमट्टि, लक्खा सतहत्तरी सहस्सा य । दो य सया सोलहिया, आवलिया इगमुहुत्तम्मि ॥१२॥
समयाssवली मुहूता, दीहा पक्खा य मास वरिसा य । મુરૂ પા મળિયો મહિયો સાગર, ઉશધ્વિનિ સપ્પિી દાહો॥
+
Page #222
--------------------------------------------------------------------------
________________
૪
નવનવ-નીપિકા (3) संस्कृत छाया एका कोटिः सप्तपटिर्लक्षाः सप्तसप्ततिः सहस्राश्च । द्वे च शते षोडशाधिके, आवलिका एकस्मिन् मुहूर्ते ॥१२॥ समयावलीः मुहूर्ता दिवसाः, पक्षाश्च मासा वर्षाश्च । भणितः पल्यः सागरः उत्सर्पिण्यवसर्पिणी कालः ॥१३॥ (४) शमनार्थ:
एगा-मे. कोडि-. सतसद्वि-स38 (१७). लक्खा-दास सत्तहत्तरि-सित्यातर (७७) सहस्सा -॥२. य-मने. दो-. य-मन. सया-सो. सय-शत, सौ. मक्यनाथे सया. सोल-साण.
सोल भने। अहिया. ते सोलहिया. सोल-साणा, સંખ્યાવિશેષ.
अहिया-मधिर, पधारें ""'भावलिया-भावि..
Page #223
--------------------------------------------------------------------------
________________
જીવત
૧૫
-
ફા-એક. મુનિ -સુહૂર્તમાં. સમય-સમય.
સમય અને ભાવછી તે સમચાવી. સમય-સમય. અહીં સમય શબ્દથી એક પ્રકારનું કાલમાન સમજવું કે જે સૂમમાં સૂક્ષમ છે.
આવી–આવલિકા. મુ –મુહૂર્તો. વા-દિવસે. પરવા–પક્ષો.
અને. માર–માસ, મહિને. વરિ–વષે.
-અને. અળગો કહેલ છે.
૪િો–પલ્યોપમ. સાર-સાગરોપમ. રવિ-ઉત્સર્પિણ. સળ-સર્પિણ, અવસર્પિણ.
છો-કાલ. (૫) અર્થ-સંકલનાઃ
એક મુહૂર્તમાં એક કોડ, સડસઠ લાખ,
૧૦
:
Page #224
--------------------------------------------------------------------------
________________
૪૬
નવ–ત દીપિકા
સિત્થાત્તેર હજાર ખસા ને સોળ અધિક (૧૪૬૭,૭૭; ૨૧૬) આવલિકા થાય છે.
{', : ',
''+
।
સમય, આવલિકા, શ્રુત, દિવસ, પક્ષ, માસ, વર્ષ” પચે પમ, સાગરોપમ 'ઉત્સર્પિણી' અને અવસર્પિણીને કૉલ ડેલે છે. (૬) વિવેચન :
»
k
^ }'}}
7
'
જૈન સૂત્રોમાં કહ્યું છે કે વત્તળાવળો નોકાલ વનાલક્ષણવાળો છે. ' અર્થાત્ કોઈ પણ પદાર્થની વના–કોઈ પણ પદ્માનું અસ્તિત્વ જાણવું હોય, તો તે કાલ દ્વારા જાણી શકાય છે. કાલની સહાય ન હોય તે
આપણે કોઈ પદાર્થનું અસ્તિત્વ જાણી શકીએ નહિ
..
કાલના બે પ્રકારો છે: એક નૈવ્યયિક, બીજો - ભૃાવહારિક, જમૃદ્દીપપ્રજ્ઞપ્તિના વૃત્તિકાર મહર્ષિએ જણાવ્યુ છે કે વર્તમાન કાર્ય એક સમયના હાય છે, તેને નૅશ્ચયિક કાલ સમજવા અને આવલિકા આદિ શેષ સકાલને વ્યાવડારિક કાલ સમજવા.
:
}} 1 − ;}}}
!!
જેમ પુદ્ગલના સૂક્ષ્મતમ ભાગને પરમાણુ કહેવામાં આવે છે, તેમ કાલના સૂક્ષ્મતમ ભાગને 'સમયે "કહેવામાં આવે છે. આધુનિક યુગમાં આપણને કોઈ એમ છે કે - કાલ ( Time)ના સહુથી નાના ભાગમે તે ઉત્તરમાં આપણા હઠ પર સેકન્ડતુ નામ આવે છે, કારણ કે ઘડિયાળમાં સહુથી નાના કાલમાન તરીકે તેની ઠવણ
Page #225
--------------------------------------------------------------------------
________________
અજીવતત્ત્વ
૧૪૭
કરેલી છે, પર’તુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈ એ તા આ કાલમાન ઘણુ માટુ છે. આજે તે એવાં યંત્રો બનાવવામાં આવ્યાં છે કે જે સેકન્ડના દશ હજારમા ભાગ પણ કહી આપે. પરંતુ જૈન દર્શન તા તેથી પણ આગળ વધેલું છે. તેણે કાલનુ જે સૂક્ષ્મ માપ બતાવ્યું છે, તેના મુકાબલે કોઈ પણ કરી શકે તેમ નથી.
સમયની સમતા સમજાવવા માટે જૈન શાસ્ત્રોમાં એ ઉદાહરણા આપવામાં આવ્યાં છે, તે અહીં રજૂ કરવા ઉચિત લેખાશે.
એક ખારીક વસ્ત્રના ટુકડા ઘણા જીણ થઈ ગએલો છે, તે એક બળવાન વ્યક્તિના હાથમાં આપીને એમ કહેવામાં આવે કે તમે આ વસ્રના અને તેટલી ઝડપથી બે ટુકડા કરી, તા એ માણસ આંખના પલકારામાં એ વજ્રના બે ટુકડા કરી નાખશે.
હવે વસ્ર તેા તંતુમય હોય છે અને ફાટવાની ક્રિયા શરૂ થાય ત્યારે મધા તંતુઓ ક્રમશઃ ફાટે છે, એટલે આંખના પલકારામાં હજારો તંતુએ ફાટ્યા, એ નિશ્ચિત છે, પરંતુ એક તંતુ તૂટવામાં જે સમય ગયો, તે પણ અસંખ્ય સમય જેટલા છે. આ પરથી સમયની સૂક્ષ્મતાને ખ્યાલ આવી શકશે.
અથવા કમળના સેા પાંઢડાં ઉપરાઉપરી ગેાઠવેલા હાય અને કોઈ બળવાન માણસ તેના પર ભાલાનેા પ્રહાર કરે તે નિમેષ માત્રમાં તે વીંધાઇ જાય છે. સામાન્ય રીતે
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૪૮
નવ-તત્વ-દીપિકા તે આપણને એમ જ લાગે કે બધાં પાંદડાં સાથે વીંધાઈ ગયાં. પણ વાસ્તવમાં તે એક પછી એક વીંધાતાં હોય છે. હવે વિચાર કરે કે આ રીતે એક પાન વીંધતાં કેટલે અલ્પ કાલ વ્યતીત થાય ? પરંતુ આ કાલ પણ અસંખ્ય
ખ્યાત સમયને ભેગા કરીએ એટલે છે. આ પરથી સમય એ કાલનું કેટલું સૂક્ષ્મતમ માપ છે, તેને ખ્યાલ આવી શકશે.
સમય એટલે કાલને નિર્વિભાજ્ય ભાગ. આવા અસંખ્ય સમયે પસાર થાય, ત્યારે આવલિકા કહેવાય.
એક મુહૂર્તમાં કેટલી આવલિકા હેય? તેને ઉત્તર બારમી ગાથામાં આવે છે. તેમાં જણાવ્યું છે કે એક મહતમાં ૧૬૭૭૭૨૧૬ આવલિકા હોય છે. તેની ગણના અન્ય ગ્રંથમાં આ પ્રમાણે બતાવી છે : ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ.
નિગેદના છે આટલા સમયમાં એક ભવ પૂરે કરે છે, તેને ક્ષુલ્લક
ભવ કહેવાય છે. ૬૫૫૩૬ ફુલક ભવ = ૧ મુહૂર્ત. [ ૨૫૬ ૪ ૬૫૫૩૬ = ૧૬૭૭૭૨૧૬ ].
ક્ષુલ્લક ભવ અને મુહુર્ત વચ્ચે બીજા કાલમાન કહેલાં છે, તે આ પ્રમાણે સમજવંદ ૧૭ થી અધિક ક્ષુલ્લક ભવ = ૧ શ્વાસોચ્છવાસ કે પ્રાણ
9 પ્રાણ = ૧ રતક ૭ ઑક = ૧ લવ. ૭૭ લવ = ૧ મુહુર્ત
Page #227
--------------------------------------------------------------------------
________________
અજીત
-
-
-
-
-
-
અહીં ૧૭થી અધિક ક્ષુલ્લક ભવની ૪૪૪૨૩૪૪૬ આવલિકા ગણતાં આ ગણિત બરાબર મળી રહે છે.
લૌકિક કાલમાનની દૃષ્ટિએ કહીએ તે ૧ મુહૂર્તમાં ૨ ઘડી એટલે સમય હોય છે અને આધુનિક યુગમાં અતિ પ્રચલિત એવા અંગ્રેજી કાલમાનની દૃષ્ટિએ કહીએ તે ૧ મુહૂર્તમાં ૪૮ મીનીટ જેટલે સમય હોય છે.
૩૦ મુહૂર્તને એક દિવસ થાય છે. અહીં દિવસ શબ્દથી એક મિતિ કે એક તારીખ સમજવાની છે કે જેમાં દિવસ અને રાત્રિ બંનેને સમાવેશ થાય છે. પ્રાચીન પરિભાષા મુજબ કહીએ તે આ કાલમાન એક અહેરાત્ર જેટલું છે.
૧૫ દિવસને પક્ષ બને છે કે જેને સામાન્ય રીતે પખવાડિયું કહેવામાં આવે છે. આવા ૨ પક્ષ એટલે શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ સાથે મળીને ૧ માસ કે મહિને થાય છે.
૨ માસની ૧ ઋતુ થાય છે અને ૩ તુનું ૧ અયન થાય છે. આવાં બે અયને મળીને ૧ વર્ષ થાય છે. અહીં એટલી નેંધ કરવી ઉચિત ગણાશે કે આધુનિક વ્યવહારમાં તે મુખ્યત્વે ત્રણ ઋતુઓ જ ગણાય છે. શિયાળે, ઊનાળો અને ચોમાસું. તેમાં હેમંત અને શિશિરને સમાવેશ શિયાળામાં થાય છે, વસંત અને ગ્રીષ્મને સમાવેશ ઊનાળામાં થાય છે અને વર્ષો તથા શરદને સમાવેશ ચોમાસામાં થાય છે. સૂર્યની વિષુવવૃત્તથી ઉત્તર
Page #228
--------------------------------------------------------------------------
________________
૩૫૦
નવતત્ત્વ-દીપિકા
કે દક્ષિણ તરફ ગતિ થવી તેને અયન કહેવાય છે. આવા એક અયનમાં ૩ ઋતુ એટલે ૬ માસ જેટલેા સમય વ્યતીત થાય છે. સૂર્યનું ઉત્તર તરફ અયન થાય છે, ત્યારે ઉત્તરાચણુ થયુ કહેવાય છે અને દક્ષિણ તરફ અયન થાય ત્યારે દક્ષિણાયન થયું કહેવાય છે. આ સમય અનુક્રમે પાષ (જાન્યુઆરીની ચૌદમી તારીખે) અને અષાડમાં (જુલાઈની ચૌદમી તારીખે) આવે છે.
www
અહીં વર્ષો પછી સીધુ પલ્યોપમનું માપ બતાવ્યું છે, પણ શાસ્ત્રમાં નીચેનાં કાલમાનાના ઉલ્લેખ થએલા છે ઃ ૫ વર્ષ = ૧ યુગ, ૨૦ યુગ – ૧ શતાબ્દી, ૧૦ = શતાબ્દી - ૧ સહસ્રાબ્દી અને ૮૪૦૦ સહસ્રાબ્દી = ૧ પૂર્વાંગ. તાત્પર્ય કે ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાંગ કહેવાય છે અને એવા ૮૪ લાખ પૂર્વાંગ ભેગા થતાં ૧ પૂર્વ અને છે. આ રીતે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ વ્યતીત થાય, ત્યારે એક પૂર્વ થયું ગણાય છે.
ત્યાર પછી પણ શાસ્ત્રમાં કેટલાંક માપે બતાવ્યાં છે, જેમાં મોટામાં મોટુ માપ શી પ્રહેલિકાનુ છે. તેમાં
૧૯૪ અંકની સંખ્યા હોય છે.
ત્યાર પછીનાં માપો અસંખ્યાતની કોટિમાં ગણાય છે. આ માપેામાં પત્યેાપમ અને ઃ સાગરોપમની મુખ્યતા છે. તેમાં પત્યેાપમનું માપ આ પ્રમાણે સમજવુ. એક ચેાજન ઊડા, પહેાા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિયા મનુષ્યના બાળકના એક વાળના
Page #229
--------------------------------------------------------------------------
________________
અવતરવ
૧૫૧
સાત વાર આઠ આઠ કરેલા (૨૦૯૭૧પર) કકડા ઠાંસી ઠાંસીને ભરી, તેમાંથી સે સે વર્ષે વાળને એક એક કકડો કાઢતાં જેટલા કાળે એ ખાડો ખાલી થાય, તેટલા કાળને બાદર–અદ્ધા-પલ્યોપમ કહેવાય; અને દરેક કકડાના અસંખ્ય કકડા કરીને સે–સ વર્ષે વાળને એક એક કકડે કાઢીએ તેટલા કાળને સૂમ–અદ્ધાપપમ કહેવાય. નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના આયુષ્યનું પ્રમાણ બતાવવામાં આ કલમાનને ઉપયોગ થાય છે.
૧૦ કટાકોટિ પલ્યોપમનું ૧ સાગરોપમ થાય છે અને ૧૦ કટોકોટિ સાગરોપમને ૧ ઉત્સર્પિણી કાલ તથા ૧૦ કટાકેટિ સાગરેપમને ૧ અવસર્પિણી કાલ ગણાય છે. આ રીતે કુલ ૨૦ કેટામેટિ સાગરોપમ વ્યતીત થાય, ત્યારે ૧ કાલચક પૂરું થયું ગણાય છે.
અનંત કાલચક્ર વ્યતીત થાય, ત્યારે ૧ પુદ્ગલપરાવર્ત થયું ગણાય છે. ભૂતકાળમાં આવા અનંત પુદ્ગલપરાવત સમાઈ ગયાં છે અને ભવિષ્યમાં તેનાથી અનંત ગણ પુદ્ગલપરાવર્તે આવશે. કાલને અનાદિ-અનંત કહેવામાં આવે છે, તેનું કારણ હવે સમજી શકાશે.
અજીવતત્વ નામનું ત્રીજું પ્રકરણ અહીં પૂરું થાય છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
શું
પદ્રવ્ય અને વિશેષ વિચારણા
[ ગાથા ચૌદમી ]
(૧) ઉપક્રમ :
જીવતત્વમાં છવદ્રવ્યનું વર્ણન કર્યું અને અજીવતવમાં ધમસ્તિકાય આદિ પાંચ દ્રવ્યનું વર્ણન કર્યું. આ રીતે જીવ અને અજીવતત્ત્વનું વર્ણન કરતાં પદ્ધવ્યનું વર્ણન કર્યું. હવે આ પદ્વવ્યની સાધર્યું અને વૈધર્મથી વિશેષ વિચારણા કરવા માટે પ્રકરણકાર મહર્ષિ ચૌદમી ગાથામાં કેટલાંક દ્વારને અર્થાત્ વિચારણીય મુદ્દાઓને નિર્દેશ આ પ્રમાણે કરે છે? (૨) મૂળ ગાથા : परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिया य । णिचं कारग कत्ता, सधगय इयर अपवेसे ॥१४॥
(૩) સંસ્કૃત છાયા परिणामी जीवो मूर्तः, सप्रदेशः एकः क्षेत्र क्रिया च । नित्यं कारणं कर्ता, सर्वगतमितर अप्रवेशः ॥१४॥
Page #231
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્ય અને વિશેષ વિચારણા
૧૫૩ (૪) શબ્દાર્થ :
પરિમિ-પરિણામી, પરિણામ પામનાર, પરિવર્તન પામનાર.
રિણામો ગામને_એક અવસ્થા છેડી બીજી અવસ્થામાં જવું તે પરિણામ કહેવાય.” જે પરિણામવાળે હિય, પરિણામને પામનાર હોય, તે પરિણામી કહેવાય. પરિણામને સામાન્ય રીતે પરિવર્તન કહી શકાય, એટલે જે પરિવર્તનશીલ છે, પરિવર્તન પામનાર છે, તે પરિણમી.
નવ-જીવ. મુક્ત-મૂd, રૂપી. પ -સપ્રદેશી, પ્રદેશ સહિત, પ્રદેશવાળે, પ્રદેશી.
-એક, એક સંખ્યાવાળા. ત્તિ-ક્ષેત્ર, આધારભૂત દ્રવ્ય. જિરિયા-ક્યિા, ક્રિયાવાળા, સક્રિય. નિ-નિત્ય, શાશ્વત, એકરૂપે અવસ્થિત, સ્થાયી. વર-કારણું, કારણભૂત.
-ક્ત, સ્વતંત્ર કિયા કરનાર. સર -સર્વગત, સર્વવ્યાપી.
-ઈતિર, પ્રતિપક્ષી સહિત. કરે-અપ્રવેશી, તદ્રુપ નહિ થનાર, અન્ય દ્રવ્યના પરિણામરહિત. (૫) અર્થ–સંકલના :
અહીં પરિણમીપણું, જીવપણું રૂપીપણું,
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કવિ-તત્ત્વ-દીપિકા સરદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, નિત્યપણું કારણપણું કર્તાપણુંસર્વવ્યાપક અને ઈતરમાં અપ્રવેશપણું વિચારવા લાગ્યા છે. (૬) વિવેચન ,
એક વસ્તુને જુદા જુદા દ્વારેથી કે જુદા જુદા હિ બિંદુઓથી વિચાર કરતાં તેને વિશ૮ બેધ થાય છે તેથી જે અહીં ઇવીદિ ષડદ્રવ્યની પરિણામ આદિ બાર હશે દ્વારા વિચારણા કરવાની આવશ્ચક્તા દર્શાવી છે. આ વિચારણ સબ્ધ અને વૈધના વિવેકપૂર્વક થાય તે જ વિશેષ ફેલવતી બને છે. સાધમ્યું એટલે સમાન ધર્મ અને વૈધર્યું એટલે વિરુદ્ધ ધર્મ. તાત્પર્ય કે પદ્રવ્યમાં જુદાં-જુદાં દષ્ટિબિંદુથી કયાં દ્રવ્યોમાં સમાને ધર્મ છે અને કયાં દ્રમાં વિરુદ્ધ ધર્મ છે, તે જાણી લેવાથી તેને વિશદ-વિશિષ્ટ-નિર્મલ બેધ પ્રાપ્ત થાય છે. ૧, બદ્રવ્યમાં પરિણમી–અપરિણાગીને વિચારઃ
- પ્રથમ દ્વારા પરિણામી કહ્યું છે, તેથી પદ્રવ્યમાં પરિણમી કેટલાં અને અપરિણમી કેટલાં? એ વિચારવું ઘટે છે. અહીં જેટલાં દ્રવ્ય પરિણમી છે, તેમને સામ્યવાળાં ગણવાં અને અપરિણામી છે, તેમને વૈધર્મ્સવાળાં ગણવાં. . . . ”
‘નિશ્ચયનય (Absolute view point) થી જોઈએ તે છ યે દ્ર પિતપિતાના સ્વરૂપમાં પરિણમે છે. તેથી પરિણામી છે, પરંતુ વ્યવહાર નય (Practical view point) થી જીવ અને પુદગલ એ છે દ્રવ્યમાં જ પરૂિ
Page #233
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્ય અંગે વિશેષ વિચારણા
૧૫૫ -
ણામ રૂપાંતર થાય છે અને ધર્માસ્તિકાયાદિ ખાકીનાં ચાર દ્રબ્યામાં રૂપાંતર થતુ નથી, તેથી જીવ અને પુદ્દગલ પરિણામી છે અને બાકીનાં ચાર દ્રવ્યો અપરિણામી છે.,16
-
.
J. -- ગતિ, ઇન્દ્રિય, કષાય, લૈશ્યા,શ્વેગ, • ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ્ય, એ દૃશ જીના મુખ્ય પરિણામમાં ગણાય છે! તેમાં દેવાદિ ચાર ગતિને પ્રાપ્ત થવું, તે જીવના ગતિરૂપ પરિણામ છે; સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયેાની દ્રવ્ય ભાવથી પ્રાપ્તિ કરવી, તે ઇન્દ્રિયરૂપ પરિણામ છે; ક્રોધાદિ ચાર કષાયવર્તી થવું, તે ક્યાયરૂપ પરિણામ છે; કૃષ્ણાદિ છ લેશ્યાવત થવુ, તે લેશ્યારૂપ પરિણામ છે; મનોચાગાઢિ ત્રણ ચેગવાળાં થયું, તે ચાગરૂપ પરિણામ છે; મંતિજ્ઞાનાદિ આર પ્રકાર્રના ઉપયેાગવત થવુ, તે ઉપયેગ પરિણામ છે; મતિજ્ઞાનાદિ પાંચ ' જ્ઞાન અને 'મતિઅજ્ઞાનાિ ત્રણ અજ્ઞાનવાળા થવું, તે જ્ઞાનરૂપ પરિણામ છે; મિથ્યાત્વ ક્ષાયેાપશમિક ‘સમ્યકત્વ; · મિશ્રસમ્યકત્વ આદિથી યુક્ત થવું, તે દનરૂપ પરિણામ છે; સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રવાળા થવું તે ચારિત્રરૂપ પરિણામ છે; અને, વેદ, પુરુષવેદ તથા નપુસકવેને પ્રાપ્ત થવું, તે વેપ પરિણામ છે.
'
'
f
·
...
'
મધ, ગતિ, સસ્થાન, ભેદ, વણુ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુત્વ અને શબ્દ, એ દેશ પુદ્દગલના પરિણામે છે.. તેમાંથી અગુરુલઘુત્વ સિવાયના ખટ્ટા પ્રકાશનું વર્જુન. પુદ્ગલાસ્તિકાયના પશ્ચિય—પ્રસંગે થઈ ગયેલ છે. -
+
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૬
નવ-તત્વ-દીપિકા પુદ્ગલમાં ગુરુત્વ, લઘુત્ર, ગુરુલઘુત્વ અને અગુરુ લઘુત્વરૂપ જે પરિણામ થાય છે, તે અગુરુલઘુત્ર તરીકે ઓળખાય છે. પથર, લોખંડ વગેરેમાં જે ભારેપણું છે, તે ગુરુવ જાણવું. વરાળ, ધૂમાડા વગેરેમાં જે હળવાપણું છે, તે લઘુત્વ જાણવું, વાયુ વગેરેમાં કૈક ભારેપણું - અને કૈક હળવાપણું છે, તે ગુરુલઘુત્વ જાણવું અને પરમાણુમાં ન ભારેપણું કે ન હળવાપણું છે, તે અગુરુલઘુત જાણવું. ૨. પદ્રવ્યમાં જીવ-અજીવને વિચાર
બીજું દ્વાર “જીવ કહ્યું છે, એટલે પદ્વવ્યમાં જીવ કેટલાં અને અજીવ કેટલાં? એ વિચારવું ઘટે છે. પૂર્વે આ પ્રકારની વિચારણુ ઘણુ વિસ્તારથી થઈ ગયેલી છે. તેને સાર એ છે કે પદ્વમાં માત્ર એક દ્રવ્ય જીવરૂપ છે તન્યથી યુક્ત છે અને બાકીનાં પાંચ દ્રવ્ય અવરૂપ છે, ચૈતન્યથી રહિત છે. ૩. પદ્રવ્યમાં મૂત-અમૂર્તનો વિચાર
ત્રીજું દ્વાર “મૂર્વ’ કહ્યું છે, એટલે ષડુતવ્યમાં મૂર્ત કેટલાં અને અમૂર્ત કેટલાં? એ વિચારવું ઘટે છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હય, તે મૂર્ત કહેવાય છે. આવું દ્રવ્ય માત્ર એક પુદગલ જ છે. બાકીનાં પાંચ દિ વર્ણાદિથી રહિત હોઈ અમૂર્ત છે. મૂર્ત એટલે રૂપી, -અમૂર્ત એટલે અરૂપી.
Page #235
--------------------------------------------------------------------------
________________
ષડૂદ્રવ્ય અંગે વિશેષ વિચારણા
૧૫૭
"
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે પૂર્વે જીવની ગણના રૂપીમાં કરેલી છે અને અહીં અરૂપીમાં કેમ ?' તેના ખુલાસા એ છે કે ત્યાં દેહધારી જીવના ચૌદ ભેદ્યની અપેક્ષાએ જીવન રૂપી કહ્યો છે, પણ અહીં મૂળ દ્રવ્યની વિચારણા છે અને મૂળ દ્રવ્યરૂપે જીવ વાંન્રુિથી રહિત છે, એટલે તેને અરૂપી કહ્યો છે. તાત્પર્ય કે અપેક્ષા અનુસાર જીવના આ અને ભેદ્ય ઉચિત છે.
૪. પદ્મવ્યમાં સપ્રદેશી-અપ્રદેશના વિચારઃ
9
ચાલુ' દ્વાર ‘સપ્રદેશી કહ્યું છે, તેથી ષડૂદ્રવ્યમાં . સપ્રદેશી કેટલાં અને અપ્રદેશી કેટલાં? એ વિચારવું ઘટે છે. જીવને અસય પ્રદેશ હાય છે, તેથી તે સપ્રદેશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દરેકને સ્કંધ, દેશ અને પ્રદેશ હાય છે, તેથી તે પણ સપ્રદેશી છે. પુદ્ગલ સ્ક્રષ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપ હોય છે, તેથી તે પણ સપ્રદેશી છે. બાકી રહ્યુ` કાલ દ્રશ્ય, તેને. પ્રદેશ હાતા નથી, એટલે તે અપ્રદેશી છે.
૫. પદ્ભવ્યમાં એક–અનેકના વિચાર:
પાંચમું દ્વાર એક ક્યું છે, તેથી ષડૂદ્રવ્યમાં એક કેટલાં અને અનેક કેટલાં? એ વિચારવું ઘટે છે. ષડૂદ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સખ્યામાં એક એક છે અને બાકીનાં ત્રણ દ્રવ્યે અનેક અનેક છે, એટલે . કે અનત-અનંત છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮
- ' વિતરફ દીપિકા બચ્ચમાં ક્ષેત્ર-ક્ષેત્રીને વિચાર" * * છ દ્વાર ક્ષેત્રમાં કહ્યું છે એટલે ષડ્રદ્રવ્યમાં ક્ષેત્ર કેટલાં અને ક્ષેત્રી કેટલાં? એ વિચારવું ઘટે છે. જેમાં પદાથે રહે તે ક્ષેત્ર કહેવાય છે અને તેમાં રહેલા પદાર્થો ક્ષેત્રી કહેવાય છે. આ રીતે આકાશાસ્તિકાય ક્ષેત્ર છે અને બાકીનાં પાંચ દ્રવ્યે ક્ષેત્રી છે . ૭. દ્રવ્યમાં સક્રિય-નિષ્કિયને વિચાર,
સાતમું દ્વાર “ક્રિયાને કહ્યું છે, એટલે ષદ્ભવ્યમાં સક્રિય કેટલી અને નિષ્ક્રિય કેટલાં? એ વિચારવું ઘટે છે. જે દ્રધ્ય ગતિ વગેરે ક્રિયા કરે છે, તે સક્યિ કહેવાય છે અને બાકી નિષ્ક્રિય કહેવાય છે. આ રીતે જીવ અને પુદ્ગલ સક્રિય છે, કારણ કે તે શાંતિ આદિ ક્રિયા કરે છે. બાકીનાં ચાર નિષ્ક્રિય છે કારણ કે તે ગતિ આદિ ક્રિયા
જ
કે તે ગતિ આદિ કિયા
+ :
' '
કરતા થિી.
૮. પદ્ધચમાં નિત્ય-અનિત્યને વિચાર ક
આઠમું દ્વાર નિત્ય કર્યું છે એટલે યુવ્યમાં નિત્ય કેટલાં અને અનિત્ય કેટલાં? એ વિચારવું ઘટે છે નિશ્ચયનયથી જોઈએ તે બધાં દ્રવ્યો નિત્યનિત્ય છે, એટલે કેષ્યિની દષ્ટિએ નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિએ અપ્રિય છે. પૂર્વે આ-ગે કેટલું વિચાઈ ડાચે છે. વ્યહાર મયથી જોઈએ તે જે પહેલી સદી એક જ એવસ્થામાં રહેનારે હોય, તે શાશ્વત કે નિત્યં કહેવાય અને
Page #237
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્ય અને વિશેષ વિચારણા
1ષક જેમી- અવસ્થાઓ બદલાતી હોય તે અશાશ્વત કે અનિત્ય કહેવાય. આ રીતે જીવ અને પુદ્ગલ અનિત્ય છે, કારણકે તેમની અવરથાઓ બદલાતી રહે છે. દાખલા તરીકે જીવ એક વાર દેવની અવસ્થામાં હોય તે બીજી વાર મનુષ્યની અવસ્થામાં હોય છે, અથવા એક વાર મનુષ્યની અવસ્થા માં હોય છે તે બીજી વાર તિ ચ, નીરક કે દેવની અવસ્થામાં હિય છે. આમ તેની અવર બદલાતી રહે છે. પુદ્ગલમાં પણ સંઘાત, ભેિદ તથા ભેદસંઘાત વગેરે કારણે તેની અવસ્થામાં પરિવર્તન થાય છે. *
•
S
5
''
.. બાકીનાં ચાર પ્રત્યે નિત્ય છે, કારણ કે તેમની અવસ્થામાં કંઈ પરિવર્તન થતું નથી. • • • •
પદ્રવ્યમાં કારણ અકારણને વિચાર, 1 c નવૂમું દ્વાર કારણું કહ્યું છે, એટલે કષદ્રષ્યમાં કારણે કેટલાં અને અકારણે કેટલાં, એ વિચારવું ઘટે છે. અહીં જે દ્રવ્ય અન્ય દ્રવ્યવા કાર્યમાં ઉપકારી કે નિમિત્તભૂત હોય તેને કારણ સમજવાનું છે અને જે દ્રવ્યના કાર્યમાં નિમિત્ત ભૂત થયું હોય તેને અકારણ સમજવાનું છે. જેમ કુંભારકામમાં, ચાકડો આદિક કારણ છે અને કુંભાર પતે અકારણ છે, તેમ જીવને ગંતિ આદિ કાર્યમાં ધમરિહંકાય વિગેરે અને એ આદિકાર્યમાં પુદ્ગલ ઉંધકારીને કારણે છે. પરંતુ માંરિકા વગેરેને જીવઉપકારી કારણું નથી, એટલે ધમસ્તિકાય એસ્પિાંચે
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૬૦
નવ-તત્વ-દીપિકા દ્રવ્ય કારણ છે અને જીવ અકારણ છે. અહીં એટલી રિસ્પષ્ટતા આવશ્યક છે કે જીવદ્રવ્ય બીજા અને ઉપયોગી હોવાથી પરસ્પર કારણ છે, પણ અહીં અન્ય દ્રવ્યે પ્રતિ કારણની વિવિક્ષા લેવાથી અકારણ છે. ૧૦. બદ્રવ્યમાં કર્તા–અર્તાને વિચાર!
દશમું દ્વાર કર્તા કહ્યું છે, તેથી દ્રવ્યમાં ક્ત કેટલાં અને અક્ત કેટલાં? એ વિચારવું ઘટે છે. અહીં જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી-વામી હેય તેને ક્ત સમજવાનું છે અથવા જે દ્રવ્ય અન્ય કને. ઉપભોગ કરનાર હેય, તેને કત સમજવાનું છે અને ઉપગમાં આવનારાં દ્રવ્યને અક્ત સમજવાનાં છે. આ રીતે વિચારતાં જીવ એ ક્ત છે, કારણ કે તે અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી કે સ્વામી છે અથવા તે અન્ય. દ્રવ્યને ઉપભોગ કરનાર છે અને બાકીનાં દ્રવ્યો ઉપગમાં આવનાર હોવાથી અક્ત છે. શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે જે ધર્મ, કર્મ, પુણ્ય, પાપ આદિ કિયાને કરનાર તે ક્ત અને નહિ કરનાર તે અક્ત. આ દષ્ટિએ પણું જીવ ક્ત. અને બાકીનાં દ્રવ્ય અસ્ત કરે છે. ૧૧. પદ્રવ્યમાં સર્વવ્યાપી-દેશવ્યાપીને વિચાર
અગિયારમું દ્વાર “સર્વગત કહ્યું છે, એટલે ષહદ્રવ્યમાં સર્વગત-ન્સર્વવ્યાપી કેટલાં અને દેશવ્યાપી કેટલાં? એ વિચારવું ઘ છે. જે દ્રવ્ય સર્વ જગાએ રહેલું છે,
Page #239
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્ય અંગે વિશેષ વિચારણા
૧૬૨ તે સર્વગત કે સર્વવ્યાપી કહેવાય અને અમુક જગાએ રહેલું હોય, તે દેશવ્યાપી કહેવાય. આ દષ્ટિએ આકાશદ્રવ્ય સર્વવ્યાપી છે, કારણ કે તે લેક અને અલેક બંનેમાં વ્યાપેલું છે અને બાકીના પાંચ દ્રવ્ય દેશવ્યાપી છે, કારણ કે તે માત્ર લેકમાં જ વ્યાપેલાં છે. ૧૨. પડદ્રવ્યમાં સપ્રવેશી–અપ્રવેશીને વિચારઃ
બારમું દ્વાર “અપ્રવેશી' કહ્યું છે, એટલે ષડદ્રવ્યમાં સપ્રવેશી કેટલાં અને અપ્રવેશી કેટલા ? એ વિચારવું ઘટે છે. અહીં એક દ્રવ્યનું બીજા દ્રવ્યરૂપે થઈ જવું એને પ્રવેશ સમજવાનું છે અને ન થઈ જવું, એને અપ્રવેશ સમજવાનું છે. જે આ પ્રકારને પ્રવેશ કરી શકે તે સપ્રવેશી અને પ્રવેશ ન કરી શકે તે અપ્રવેશી. અહીં સમજવાનું એટલું છે કે બધાં દ્રવ્ય છે કે એક બીજામાં પરસ્પર પ્રવેશ કરીને રહેલાં છે, તે પણ કઈ દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થતું નથી, એટલે કે ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાય થતું નથી, જીવનું પુદ્ગલ થતું નથી, વગેરે. આથી યે દ્રવ્ય અપ્રવેશી છે, પણ સપ્રવેશી નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
ષડદ્રવ્ય
છે |
૦ ૦ | પરિણામી
૦ ૦ ૦ ૦ ૦ ૦ |
જીવન
૦ ૦ ૦ ૦ ૦ ૦ | મૂર્તરૂપી
સપ્રદેશી !
કાલ. જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય આકાશાસ્તિકાય | અધમસ્તિકાય ધર્માસ્તિકાય પદ્રવ્ય અંગે વિશેષ વિચારણા” નામનું ચોથું પ્રકરણ અહીં પૂરું થાય છે.
૧ | અનંત ક્ષેત્રો ૧ |
પદ્રવ્યમાં પરિણામો આદિને યંત્ર પડદ્રવ્યની આ વિચારણને વધારે સ્પષ્ટ ખ્યાલ નીચેના યંત્રથી આવી શકશે?
એક-અનેક
ક્ષેત્ર-ક્ષેત્રી
સક્રિય
૦ ૦ ૦ ૦ ૦ ૦ | નિત્ય
કર્તા સર્વગત
مر مر مر مر مر مر
અપ્રવેશી
નવ-તત્વ-દીપિકા
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું કર્મવાદ
જીવ અને અજીવતત્ત્વનું વર્ણન પૂરું થયું. હવે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ
એ સાત તનું વર્ણન કરવાનું છે, પરંતુ આ સાતેય તનું નિરૂપણ કર્મવાદને અનુસરીને થાય છે અને તેના ભેદેમાં પ્રાયઃ કર્મવાદની જ પરિભાષાને ઉપયોગ થાય છે, તેથી કર્મવાદનું સામાન્ય સ્વરૂપ અવશ્ય સમજી લેવું જોઈએ.
કર્મવાદ એટલે કર્મને લગતે વાદ, કર્મને સિદ્ધાંત (Theory of Karma). આજ સુધીમાં જે જે તીર્થ કર પરમાત્માએ થઈ ગયા, તે સર્વેએ કર્મવાદનું નિરૂપણ કરેલું છે, જેને આપણે ગણધરવાદ તરીકે ઓળખીએ છીએ અને જેનું વાચન પર્યુષણ પર્વ દરમિયાન નિયમિત રીતે થાય છે, તે ગણધરવાદમાં મુખ્ય ચર્ચા કર્મને લગતી જ છે. તે પરથી કર્મવાદ કેટલે ગહન છે, તે બરાબર સમજી શકાશે. : આપણે જીવના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકાર કરીએ,
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૬૪
નવ-તત્ત્વ-દીપિકા
અર્થાત્ જીવ–અજીવને જુદા માનીએ, પણ કમની સત્તાના સ્વીકાર ન કરીએ, તે પુણ્ય-પાપ આદિ ધાં તત્ત્વ એકડા વિનાનાં મીંડાં જેવાં બની જાય અને મેાક્ષ પણ માત્ર લ્પનાનો જ વિષય અની રહે. શુભ કમ તે પુણ્ય, અશુભ ક તે પાપ, જેનાથી શુભ કે અશુભ કર્મનું આગમન થાય તે આશ્રવ, જેના વડે કર્માંનું આગમન અટકે તે સંવર, કનુ અમુક અ ંશે ખરવું તે નિરા, જીવ સાથે કમના ક્ષીરનીર જેવા પરસ્પર સંઅંધ થવા તે અંધ અને જીવના સર્વક માંથી સર્વથા છૂટકારો હવે આમાંથી કમ કાઢી લઈએ તેા તાત્પર્ય કે જૈન તત્ત્વજ્ઞાન કમવાદથી તે એની સહુથી મેાટી વિશેષતા છે.
થવા તે મેાક્ષ. બાકી શું રહે ? આતપ્રોત છે અને
(
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે અન્ય દેશના કને માને છે ખરાં ?- તેના ઉત્તર હકારમાં સાંપડે છે. ઔદ્ધ દનના સંસ્કાર, વાસના કે અવિજ્ઞપ્તિ, સાંખ્ય દર્શનની પ્રકૃતિ, વેદ્યાંત દનની માયા કે અવિદ્યા, ન્યાય અને વૈશેષિક દનનું અદૃષ્ટ અને મીમાંસક દનનું અપૂર્વ એ બધાંયે નાં જ ભિન્ન ભિન્ન નામે છે. અન્ય શબ્દોમાં કહીએ તેા ભારતનાં તમામ આસ્તિક દર્શનાએકના સિદ્ધાંતના એક યા બીજા સ્વરૂપે સ્વીકાર કરેલા છે અને પ્રાણીઓને તેનાં ફળ વહેલા કે મેાડા અવશ્ય ભાગવવા પડે છે, એ માખતમાં પેાતાની શ્રદ્ધા વ્યક્ત કરેલી છે.
આ જગત પર દૃષ્ટિપાત કરીએ તે સત્ર વિચિત્રતા
Page #243
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ કે વિષમતા વ્યાપેલી જણાય છે. એક રાજા છે, તે બીજે રંક છે, એક શ્રીમંત છે, તે બીજે ભીખારી છે, એક નીરોગી છે, તે બીજે રેગથી ભરેલું છે; એક વિદ્વાન છે, તે બીજે મૂખ છે, એક સર્વ વાતે સુખી છે, તે બીજે દરેક રીતે દુઃખી છે. શરીર, રૂપ, રંગ, બોલી–ચાલી વગેરેમાં પણ જુદી જુદી પરિસ્થિતિ જોવામાં આવે છે. હવે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી, એટલે આ વિચિત્રતા કે વિષમતાનું પણ કંઈક કારણું હોવું જોઈએ. જ્ઞાની ભગવંતે કહે છે કે એ કારણુ અન્ય કંઈ નહિ, પણું કર્મ જ છે.
ચિત્તે તત્ વર્મ-જે કરાય તે કર્મ કહેવાય. આ વ્યાખ્યા શબ્દશાસ્ત્રના ધોરણે થઈ અહીં કર્મવાદના પ્રસંગમાં તે આ રીતે ઘટાવવામાં આવે છે: “મિથ્યાત્વ આદિ હેતુઓ દ્વારા જે આત્મા વડે કરાય, તે કર્મ.”
છેડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલે આત્મા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગના કારણે કાશ્મણ વર્ગશુઓને જે સમૂહ ગ્રહણ કરે છે, તે આત્મપ્રદેશે સાથે ઓતપ્રોત થયા પછી કર્મ કહેવાય છે.
“ના જાઓ, અળા વીવો, તેમના નિધો ” આ સૂત્ર પાઠકેએ સાંભળ્યું હશે. તેને અર્થ એ છે કે કાલ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને જૈન ધર્મ પણ અનાદિ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા અનાદિ કાલથી સંસારમાં રહેલા છે એક ગતિમાંથી બીજી ગતિમાં અને બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં . એમ નિરંતર પરિભ્રમણ કર્યા કરે છે અને વિવિધ ચેનિ એમાં ઉત્પન્ન થાય છે. સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે “સંસમાવજ પરં તે, વંધરિ વેરિ જ દુનિયાના સંસારમાં પરિભ્રમ! કરી રહેલો જીવ માનસિક, વાચિક અને કાયિક દુકૃતના કારણે નિરંતર નવાં નવાં ક બાંધતે રહે છે અને તેનું ફળ ભેગવે છે” તાત્પર્ય કે આત્માએ મિથ્યાત્વ આદિ કારણેએ જે કર્મો બાધેલાં છે, તેનાં ફળ ભોગવવા માટે જ તેને સંસારમાં સતત પરિભ્રમણ કરવું પડે છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે આત્મા પ્રથમ શુદ્ધ હતું અને પછી કર્મથી લેપાયે–ખરડાયે-બંધાયે. એવી કઈ સ્થિતિ નથી, કારણ કે શુદ્ધ આત્માને જે કર્મ વળગતા હોય, તે સિદ્ધના જીને પણ કર્મ વળગે અને તેથી તેમને સંસારમાં પુનઃ પ્રવેશ કરે પડે. અને જે તેમ થાય તે સિદ્ધિ, મુક્તિ કે મોક્ષ માટે પ્રયત્ન કરવાને કઈ અર્થ ન રહે. તાત્પર્ય કે આત્મા માટીની ખાણમાં રહેલા સુવર્ણની જેમ પ્રથમથી જ કર્મયુક્ત હોય છે અને અકામસકામ નિર્જરા વડે એ કર્મને ભાર હળવે કરતે રહે, તેમ તેમ તે પિતાને વિકાસ સાધતું જાય છે. જ્યારે તે પિતાને પરમ પુરુષાર્થ ફેરવી સર્વ કર્મને નાશ કરે છે, ત્યારે તે પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે કે જેને પરમાત્મદશા કહેવામાં આવે છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૬૭
પુદ્ગલ પરમાણુરૂપે પણ હોય છે અને સ્કંધરૂપે પણ હોય છે. તેમાં પરમાણુરૂપે રહેલા પુદગલને આત્મા ગ્રહણ કરી શકતું નથી, પરંતુ ધરૂપે રહેલા પુદ્ગલને ગ્રહણ કરી શકે છે. આ લોકમાં સ્કછે અનંતાનંત છે અને તેમની વર્ગણાઓ પાર વિનાની છે. તેમાંથી આત્મા અમુક વર્ગણોને ગ્રહણ કરી ઔદારિક શરીર બનાવે છે, અમુક વર્ગને ગ્રહણ કરી વૈકિય શરીર બનાવે છે. આ જ રીતે આહારક અને તૈજસ શરીર, ભાષા, શ્વાસરાષ્ટ્રવાસ વગેરેને લગતી વર્ગણાઓ ગ્રહણ કરીને તે તે વસ્તુઓનું નિર્માણ કરે છે અને કેટલીક વર્ગણુઓ એવી છે કે જેને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણુમાવે છે. આવી વર્ગણને કામણ વર્ગણ કહેવાય છે.
સમસ્ત લોકમાં પુદગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે અને અન્ય વર્ગણાઓની જેમ કામણવર્ગણ પણ સર્વત્ર વ્યાપેલી છે, તેથી ચૌદ રાજલોના કેઈ પણ ભાગમાં રહેલો આત્મા આ કાર્પણ વગણના પુદ્ગલોને તરત જ ગ્રહણ કરી શકે છે.
અહીં એ પણ સ્પષ્ટતયા સમજી લેવું જોઈએ કે કર્મણ વર્ગણાએ પિતાની મેળે આત્માને વળગી પડતી નથી, પણ આમા મિથ્યાત્વ આદિ કારણેને લીધે તેને પિતાના તરફ આકર્ષે છે અને તે આત્મપ્રદેશમાં ક્ષીર– નીરની જેમ ઓતપ્રેત થઈ જાય છે. તાત્પર્ય કે કર્મને ક્ત આત્મા છે અને તેનાં પરિણામે જે કંઈ દુઃખ, કષ્ટ
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮
નવ-તત્ત્વ-દીપિકા
કે સુશીખત ભાગવવી પડે, તેની જવામદારી તેની પાતાની છે. કેટલાક કહે છે કે ક્રમે અમને મારી નાખ્યા' કમે અમારા ભુક્કા કાઢી નાખ્યા' પણ તે ભૂલી જાય છે કે આ કર્યાં વગર નાતરે—વગર આમત્રણે આવેલાં નથી. તેને આત્માએ આમંત્રણ આપેલુ છે, તેથી જ તેઓ આવ્યાં છે અને પેાતાના સ્વભાવ પ્રમાણે પોતાનું કાર્ય કરી રહેલ છે, એટલે તેની સામે ફરિયાદ કરવાના કોઈ અર્થ નથી.
અહીં એટલે ખુલાસો કરવા જરૂરી છે કે કર્મનાં પુદ્ગલો બધા આત્મપ્રદેશ સાથે આતપ્રેત થઈ જાય છે. પણ મધ્યવતી આઠ રુચક પ્રદેશાને તેની કશી અસર પહેાંચતી નથી. એટલે કે તેટલો ભાગ શુદ્ધ આત્મસ્વરૂપે પ્રકાશતા રહે છે. જો આ પ્રદેશને પણ કર્મની અસર પહોંચે, તેા આત્માની જ્ઞાનાદિ શક્તિ તદ્ન ખાઈ જાય અને તેની અજીવથી જરાયે જૂદાઈ ન રહે; પણ તેમ બનતુ નથી, એ નિશ્ચિત છે.
દીપક પર જો મલમલનું કપરૢ ઢાંકયું હોય તા તેના પ્રકાશ કૈંક આંખા પડે છે; જે માદરપાર્ટનું કપડું ઢાંકયુ હાય તે તેના પ્રકાશ વધારે આંખા પડે છે અને જાડુ ખાદીનુ કપડું ઢાંકયુ હોય તે તેના પ્રકાશ ઘણા વધારે આંખે પડે છે. તાત્પર્ય કે આવરણના પ્રમાણમાં પ્રકાશ પર આંખપ આવે છે. આ જ સ્થિતિ આત્મા પર ક્રમ નું આવરણ આવતાં બનવા પામે છે. જો કતુ આવરણ અતિ ગાઢ હોય તે આત્માની શક્તિએ બિલકુલ
Page #247
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૯ ઝાંખી પડી જાય છે, ગાઢ હોય તે ઝાંખી પડી જાય છે અને પાતળું કે અતિ પાતળું હોય તે એ શક્તિઓને પ્રકાશ સારી રીતે પડે છે.
જ્યારે કામણ વર્ગણ આત્મપ્રદેશ સાથે ઓતપ્રેત થાય છે અને કર્મસંજ્ઞા ધારણ કરે છે, તે જ વખતે તે કેવું ફળ આપશે અને તે આત્માને જ્યાં સુધી વળગી રહેશે, તેને નિર્ણય થાય છે.
જ્યાં સુધી કમેં પિતાનું ફળ આપ્યું ન હોય, ત્યાં સુધી તે સત્તામાં રહેલું ગણાય છે. તે જ્યારે પિતાનું ફળ બતાવવાની સ્થિતિમાં આવે, ત્યારે તેને વિપાક થયેલો ગણાય છે અને જ્યારે તે પોતાનું ફળ આપવા લાગે, ત્યારે તે ઉદ્યમાં આવ્યું ગણાય છે. જ્યાં સુધી કર્મ ઉદયમાં આવી પિતાનું ફળ આપે નહિ, ત્યાં સુધી કાલ અબાધાકાલ ગણાય છે. અબાધાકાલ એટલે પીડા ન ઉપજાવનારે કાલ દાખલા તરીકે એક મનુષ્ય પોતાનાં કુકર્મો વડે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે, પણ તે અત્યારે કશી પીડા કરી શકે નહિ, કારણ કે અત્યારે તે કર્મને અબાધાકાલ વતે છે.
અબાધાકાલમાં કરણના ઝપાટા લાગી, તેની સ્થિતિમાં કેટલુંક પરિવર્તન થાય છે, પણ તેનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. આ બાબતમાં એટલું જ યાદ રાખવું કે જે કર્મ નિકાચિત બંધાયું હોય તેમાં કંઈ પણ પરિવર્તન
Page #248
--------------------------------------------------------------------------
________________
960
નવતત્વ-દીપિકા,
થતું નથી, એટલે કેઈ પણ અશુભ કર્મ નિકાચિતપણે બંધાઈ ન જાય, તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
કમની ચૂળ અને ઉત્તરપ્રકૃતિએ.
ફળ આપવાના સ્વભાવ-પ્રકૃતિ પરથી કર્મના પ્રકારે પડે છે. તેમાં મુખ્ય પ્રકારેને મૂલપ્રકૃતિ અને પેટા પ્રકારેને ઉત્તરપ્રકૃતિ કહેવામાં આવે છે.
કર્મની મૂલ પ્રકૃતિ આઠ છે. તેનાં નામે આ પ્રમાણે જાણવાં –
(૧) જ્ઞાનાવરણીય–જે આત્માના જ્ઞાનગુણનું આવરણ કરે છે
(૨) દર્શનાવરણય–જે આત્માના દર્શનગુણુનું આવરણ કરે છે. દર્શન એટલે સામાન્ય બેધ.
(૩) વેદનીય–જેના લીધે આત્માને શાતા અને અશાતાને અનુભવ થાય છે.
(૪) મોહનીય–જેના લીધે આત્માના શુદ્ધ શ્રદ્ધાન. અને સમ્મચારિત્રરૂપ ગુણને રેપ થાય છે.
(૫) આયુષ્ય–જેના લીધે આત્માને નિયત શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે.
(૬) નામ-જેના લીધે આત્મા મૂર્ત પણે પામે છે અને શરીરાદિ ધારણ કરે છે.
(૭) ગોત્ર-જેના લીધે આત્માને ઊંચા કે નીચા કુલમાં અવતરવું પડે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૭”
ع
(૮) અંતરાય–જેના લીધે આત્માને દાન, લાભ, ભેગ, ઉપગ વગેરેમાં અંતરાય આવે છે.
કર્મની ઉત્તરપ્રકૃતિએ ૧૫૮ છે, તે આ પ્રમાણે મૂળ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિએની
સંખ્યા (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય
م
م
ة :
કુલ ૧૫૮ જ્ઞાનાવરણીય કર્મની ૫ ઉત્તરપ્રકૃતિઓ
(૧) મતિજ્ઞાનાવરણય-તે મતિજ્ઞાનનું આવરણ કરે છે.
(૨) શ્રુતજ્ઞાનાવરણ્ય-તે શ્રુતજ્ઞાનનું આવરણ
(૩) અવધિજ્ઞાનાવરણીય-તે અવધિજ્ઞાનનું આવRણ કરે છે.
(૪) મન પર્યાવજ્ઞાનાવરણય-તે મન પર્યવજ્ઞાનનું આવરણ કરે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૭ર
નવ-તત્વ-બીપિકા (૫) કેવલજ્ઞાનાવરણુય તે કેવલજ્ઞાનનું આવરણ,
કરે છે.
મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય એટલે કે કેટલાકને ક્ષય થાય અને કેટલાકને ઉપશમ થાય, ત્યારે આપણને મતિજ્ઞાનને પ્રકાશ સાંપડે છે. તેમાં વધારે ક્ષયશમવાળાને વધારે પ્રકાશ સાંપડે છે અને ઓછા ક્ષપશમવાળાને છે પ્રકાશ સાંપડે છે. અન્ય ત્રણ જ્ઞાનેનું પાણ એમ જ સમજવું. કેવલજ્ઞાનની ઉત્પત્તિ કેવલજ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે જ - થાય છે.
દશનાવરણીય કમની ૯ ઉત્તરપ્રવૃતિઓ
(૧) ચક્ષુદર્શનાવરણીય–તે ચક્ષુઈન્દ્રિય દ્વારા થતા વસ્તુના સામાન્ય બેધને રેકે છે.
(૨) અચક્ષુદર્શનાવરણીય-તે ચક્ષુ સિવાયની - બાકીની ચાર ઈન્દ્રિયે તથા પાંચમા મન દ્વારા થતા વસ્તુના - સામાન્ય બંધને રેકે છે.
(૩) અવધિદર્શનાવરણીય તે આત્માને થતાં રૂપી દ્રવ્યના સામાન્ય બંધને રેકે છે.
(૪) કેવલદશનાવરણીય-તે કેવળદર્શન દ્વારા થનારા વસ્તુ માત્રના સામાન્ય બેધને રોકે છે.
(૫) નિદ્રા-સુખપૂર્વક ઉઠાડી શકાય એવી ઊંઘને નિદ્રા કહેવામાં આવે છે. તેને ઉદય થતાં આત્માને “વસ્તુને સામાન્ય બંધ થઈ શકતું નથી.
Page #251
--------------------------------------------------------------------------
________________
ક્રમ વાદ
૧૭૦
(૬) નિદ્રાનિદ્રા-મુશ્કેલીથી ઉઠાડી શકાય એવી ઊંઘને નિદ્રાનિદ્રા કહેવામાં આવે છે. તેના ઉત્ક્રય થતાં આત્માને વસ્તુના સામાન્ય ખાધ થઈ શકતા નથી.
(૭) પ્રચલા–બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવી જાય, પણ સુખપૂર્વક ઉઠાડી શકાય, એવી ઊંઘને પ્રચલા . કહેવામાં આવે છે. તેના ઉચે પણ જીવ ઉપયેગ મૂકી શકતા નથી, એટલે વસ્તુના સામાન્ય એધ થતા નથી.
(૮) પ્રચલા–પ્રચલા–મુશ્કેલીથી ઉઠાડી શકાય એવી ઊંધને પ્રચલા–પ્રચલા કહેવામાં આવે છે. તે પણ વસ્તુના સામાન્ય ખાધને રાનારી છે.
(૯) ચાનદ્ધિ કે શીશુદ્ધી-જેમાં દિવસે ચિતવેલું કાય નિદ્રા અવસ્થામાં કરી નાખવામાં આવે અને જાગે - ત્યારે કંઈ ખબર ન હાય, એવી ઊ ંઘને ત્યાનદ્ધિથીશુદ્ધી કહેવામાં આવે છે. આ નિદ્રા વખતે ખળ ઘણું વધી જાય છે.
દેશનાવરણીયકના જેટલો યાપથમ હાય, તેટલું દર્શન થાય. દશનાવરણીય ક્રમના સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે વલદર્શન થાય અને વસ્તુનું સંપૂર્ણ દર્શન થાય.
વેદનીયસ'ની ૨ ઉત્તરપ્રકૃતિઓ
(૧) શાતા વેદનીય આત્મા સ્વભાવે આન ઘન . હોવા છતાં આ કર્મને લીધે તે આરોગ્ય, ધન, અનુકુળ. કુટુંબ, પરિવાર વગેરે દ્વારા શાતાના–વ્યાવહારિક સુખન – અનુભવ કરે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
- ૧૭૪
નવ-તત્ત્વ-દીપિક
(૨) અશાતાવેદનીયઆત્મા સ્વભાવે આન ઘન હાવા છતાં આ કર્મને લીધે વિવિધ પ્રકારની આધિ, • વ્યાધિ અને ઉપાધિઓ દ્વારા ઉત્પન્ન થતી અશાતાના • અનુભવ કરે છે.
મેાહનીય ક'ની ૨૮ ઉત્તરપ્રકૃતિએ
માહનીય કર્મીના મુખ્ય એ વિભાગે છે : (૧) - દર્શનમેાહનીય અને (૨) ચારિત્રમેહનીય, તેમાં જીવના દર્શનગુણુને—સમ્યક્ત્વને રાધ કરે તે દર્શન મેાહનીય કહેવાય છે અને ચારિત્રગુણના રોષ કરે તે ચારિત્રમેહનીય કહેવાય છે. દર્શનમેહનીયની ઉત્તરપ્રકૃતિ ૩ છે, ચારિત્રમાહનીયની ઉત્તરપ્રકૃતિ ૨૫ છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે મધ તે માત્ર દ નમેાહનીય કર્મ ના જ પડે છે, પરંતુ પછીથી અવસ્થા અનુસાર તેના ત્રણ ભેદો પડી જાય છે. દશ નમાહનીય
(૧) સમ્યકત્વદર્શનમેાહનીય–જ્યારે દર્શન માહનીય દલિકોક પરમાણુ અપરસવાળાં
ના
તદ્દન મની જ્ગ્યાથી જીવને તત્વરુચિ રૂપ શ્રદ્ધામાં ખાધા ન પહોંચાડે પણ માત્ર અતિચાર લાગવા પૂરતું જ નુકશાન પહોંચાડે ત્યારે તે સમ્યકત્વદર્શનમેહનીય કહેવાય છે. આ કમના ઉડ્ડય હોય ત્યાં સુધી આત્માને ક્ષાયિક સમ્યકત્વના લાભ મળી શકતા નથી.
(૨) મિશ્રદશ નમે હનીય-જ્યારે દનમોહનીય
Page #253
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૭૫ કર્મનાં દલિજેને અમુક ભાગ શુદ્ધ અને અમુક ભાગ અશુદ્ધ હેય, ત્યારે તે મિશ્રદર્શનમોહનીય કહેવાય.
(૩) મિથ્યાત્વદર્શનમોહનીય-જેના ઉદયથી જીવ મિથ્યાત્વમાં રાચે છે અને હિતને અહિત તથા અહિતને હિત સમજે છે. મિથ્યાત્વને વિશેષ પરિચય આગળ આવશે.
ચારિત્રહનીય–આ કર્મના ૨૫ પ્રકારે છે.
(૧) સંજવલન ક્રોધ-પાણીમાં દોરેલી રેખા જેવા, જે તરત શમે.
(૨) પ્રત્યાખ્યાનીય ક્રોધ-રેતીમાં રેલી રેખા જે, જે થોડા વખતે શમે.
(૩) અપ્રત્યાખ્યાનીય કોધપૃથ્વીમાં પડેલી ખાફાટ છે, જે ઘણુ વખતે શમે.
(4) અનંતાનુબંધી ક્રોધ-પર્વતમાં પડેલી ફાટ જે, જે જીવનભર શમે નહિ.
(૫) સંજવલન માન–નેતરની સેટી જેવું, જે સહેલાઈથી નમે.
(૬) પ્રત્યાખ્યાનીય માન-કાષ્ઠ જેવું, ઉપાયે નમે.
(૭) અપત્યાખ્યાનીય માન-હાડકાં જેવું, જે મહાકષ્ટ નમે. ' ' .
. ) અનંતાનુબંધી. માન-પત્થના થાંભલા જેવું જે કઈ રીતે ન નમે. - - - , , ,
Page #254
--------------------------------------------------------------------------
________________
ત૭૬
નવ-તાવ-દીપિકા ૯) સંજવલન માયા-વાસના છેલ જેવી, જે સરલતાથી પિતાની વક્તા છેડે. .
(૧૦) પ્રત્યાખ્યાનીય માયા-અળદના મૂત્રની. ધારા જેવી, જેની વક્રતા પવન આવતાં દૂર થાય.
(૧૧) અપ્રત્યાખ્યાની માયા–ઘેટાનાં શીંગડા. જેવી, જે ઘણું પ્રયને પિતાની વક્તા છેડે.
(૧૨) અનંતાનુબંધી માયા-વાંસના કઠણું મૂળ જેવી જે કઈ રીતે પિતાની વક્તા છોડે નહિ.
(૧૩) સંજવલન લેભ-હળદરના રંગ જે, જે તરત દૂર થાય.
(૧૪) પ્રત્યાખ્યાનીય લાભ–વચ્ચે લાગેલા દીવાના કાજળ જે કે જે ચેડા પ્રયત્ન દૂર થાય.
(૧૫) અપ્રત્યાખ્યાનીય લેભ-ગાડાનાં પૈડાંની મળી જે, જે ઘણા પ્રયત્ન દૂર થાય.
(૧૬) અનંતાનુબંધી લોભ-કિરમજનારંગ જેજે એક વખત ચડે હોય તે દૂર ન થાય.
શાસ્ત્રમાં સંજવલન કષાયની મર્યાદા પંદર દિવસની, પ્રત્યાખ્યાનીય કષાયની મર્યાદા ચાર માસની, અપ્રત્યાખ્યાનીય કષાયની મર્યાદા બાર માસની અને અનંતાનુબંધી કષાયની મર્યાદા જીવનભરની કહેલી છે. આ કક્ષાના ઉદયથી અનુક્રમે યથાખ્યાતચારિત્ર, સર્વવિરતિચારિત્ર, દેશવિરતિચારિત્ર. તથા સમ્યકત્વને ઘાત થાય છે.
.
. જય.
Page #255
--------------------------------------------------------------------------
________________
કવાદ
૧૯૭
(૧૭) હાસ્ય-જેના ઉદ્દયથી જીવને હસવું આવે. (૧૮) રતિ-જેના ઉદ્દયથી જીવને હર્ષ થાય. (૧૯) અતિ–જેના ઉદ્દયથી જીવને વિષાદ થાય. (૨૦) ભય—જેના ઉદયથી જીવને ભય લાગે, (૨૧) શાક-જેના ઉયથી જીવને શાક થાય. (૨૨) ગુસા–જેના ઉદ્ભયથી જીવને ઘૃણા આવે. (૨૩). સીવેદ–જેના ઉદ્દયથી પુરુષને ભોગવવાની વૃત્તિ ઉદ્દભવે.
(૨૪) પુરુષવેદ–જેના ઉદ્ભયથી સ્ત્રીને ભેાગવવાની વૃત્તિ ઉદ્દભવે.
(૨૫) નપુસકવેદ-જેના ઉદ્દયથી પુરુષ તથા સ્ત્રી અનેને ભોગવવાની વૃત્તિ ઉદ્દભવે.
૧૭ થી ૨૫ સુધીની ઉત્તરપ્રકૃતિ નેકષાય તરીકે ઓળખાય છે, કારણ કે કષાયની યાદીમાં આવતી નથી; પરંતુ તે કષાયનું ઉદ્દીપન કરનારી છે, તેથી જ ચારિત્રમાહનીયમાં સ્થાન પામેલી છે.
આયુષ્યકસની ૪ ઉત્તરપ્રકૃતિ
(૧)દેવાયુષ્ય—જેના ઉડ્ડયથી જીવને દેવના શરીરમાં અમુક સમય રહેવું પડે.
(ર) મનુષ્યાયુષ્ય જેના ઉદયથી જીવને મનુષ્યના શરીરમાં અમુક વખત રહેવુ પડે.
૧૨
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૭૮
નવ-તત્વ-દીપિકા (૩) તિર્યંચાયુષ્ય–જેના ઉદયથી જીવને અમુક સમય સુધી તિર્યંચના શરીરમાં રહેવું પડે.
(૪) નરકાયુષ્ય-જેના ઉદયથી જીવને અમુક સમય સુધી તિર્યંચના શરીરમાં રહેવું પડે.
નામકર્મની ૧૦૩ ઉત્તરપ્રકૃતિઓ
નામકર્મને ચિતારાની ઉપમા અપાય છે. ચિતાર જેમ જુદી જુદી જાતનાં ચિત્રોનું નિર્માણ કરે છે, તેમ નામકર્મ પણ આત્માને ધારણ કરવાનાં સારાં-નરસાં શરીરે, રૂપ, રંગ, અવયવ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે.
નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ આમ તે કરે છે, પણ પિંડપ્રકૃતિને વિસ્તાર ગ્રહણ કરતાં તેની સંખ્યા ૧૦૩ની થાય છે.
બેંતાલીશ ઉત્તરપ્રકૃતિની ગણના આ પ્રમાણે થાય છે. ૧૪ પિંડપ્રકૃતિ
૮ પ્રત્યેક પ્રકૃતિ ૧૦ સ્થાવરદશક ૧૦ ત્રસદશક
૪૨
પરંતુ પિંડપ્રકૃતિની ૭૫ ઉત્તરપ્રકૃતિએ ગણીએ તે તેમાં ૬૧ ને વધારે થાય છે, એટલે કુલ ૧૦૩ બને છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૭
પિંડપ્રકૃતિની ૭૫ ઉત્તરપ્રકૃતિઓ આ પ્રમાણે ગણાય છે. ૧ ગતિ ૪ ૮ સંસ્થાન ૨ જાતિ ૫ ૯ વર્ણ .૩ શરીર ૫ ૧૦ રસ જ ઉપાંગ ૩ ૧૧ ગંધ ૫ બંધન ૧૫ ૧૨ સ્પર્શ ૬ સંઘાત
૧૩ આનુપૂર્વી ૭ સંહનન ૬ ૧૪ વિહાગતિ ૨
કુલ ૭૫
અહીં તેમનું સ્વરૂપ સંક્ષેપમાં સમજી લઈ એ. ચૌદ પિંડે પ્રકૃતિ:
(૧) ગતિનામકર્મ–તેની ઉત્તરપ્રકૃતિએ ચાર છેઃ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ.
(૨) જાતિનામકમ–તેની ઉત્તરપ્રકૃતિ પાંચ છેઃ એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરિન્દ્રિય જાતિ અને પંચેન્દ્રિય જાતિ.
(૩) શરીરનામર્મ–તેની ઉત્તરપ્રકૃતિ પાંચ છેઃ દારિક શરીરનામ, વૈક્રિય શરીરનામ, આહારક શરીરનામ, તેજસ શરીરનામ અને કામણ શરીરનામ.
“ીતે રૂતિ સારીરમ્--જે સડી–પડી જાય, તે શરીર કહેવાય. કાયા, કલેવર, તનુ, તન, ચય, ઉપચય, દેહ, સંઘાત વગેરે તેના પર્યાયશબ્દો છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૮૦
નવ-તત્વ-દીપિકા ઔદ્યારિક શરીરનામકર્મના ઉદયથી જીવને ઔદારિક શરીર પ્રાપ્ત થાય છે, તે સ્થૂલ ઔદ્યારિક વર્ગણાઓથી બનેલું હોય છે. અથવા એક્ષપ્રાપ્તિમાં સાધન હોવાથી ઉદાર-પ્રધાન શરીર માટે ઔદારિક કહેવાય છે.
વૈશ્યિ શરીર નામકર્મના ઉદયથી જીવને વૈક્તિ. શરીર પ્રાપ્ત થાય છે. જે શરીર વિક્રિયાને પામે, એટલે કે નાનામાંથી મોટું થઈ શકે મટામાંથી નાનું થઈ શકે પાતળામાંથી જાડું થઈ શકે, જાડામાંથી પાતળું થઈ શકે અથવા એક રૂપમાંથી અનેક રૂપ અને અનેક રૂપમાંથી એક રૂપ ધારણ કરી શકે તે વિક્રિય કહેવાય છે. દેવે તથા નારકેને આ પ્રકારનું શરીર સ્વાભાવિક જ હેય છે. મનુષ્ય લબ્ધિથી–ગસિદ્ધિથી આ પ્રકારણું શરીર ધારણ કરી શકે છે.
આહારક શરીરનામકર્મના ઉદયથી જીવને આહાક શરીર પ્રાપ્ત થાય છે. સૂક્ષમ અર્થને સદેહ નિવારણું. કરવા અર્થે ચતુર્દશ પૂર્વધારી મુનિ કેવલી ભગવત પાસે જવા માટે વિશુદ્ધ પુદગલનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે, તેને આહારક કહેવાય છે. આ શરીર માત્ર અંતર્મુહૂર્ત રહે છે.
તૈક્સ શરીરનામકર્મના ઉદયથી જીવને જે તે મય શરીર પ્રાપ્ત થાય છે, તે તૈજસ શરીર કહેવાય છે. તે આધેલ આહારનું પાચન કરે છે તથા ભૂખ લગાડે છે. તેજલેશ્યા મૂકવામાં આ શરીર ઉપગી નીવડે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
ફર્મવાદ
૧૮૧
જીવે ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાને સમૂહ કાર્પણ શરીર નામકર્મના ઉદયથી કર્મરૂપે પરિણત થાય છે. તેને જ કામણ શરીર કહેવામાં આવે છે.
તેજસ અને કર્મણ બંને સૂક્ષ્મ શરીર છે અને જીવની સાથે તેમને અનાદિ સંબંધ છે. તાત્પર્ય કે તે વિગ્રહગતિમાં પણ સાથે જ રહે છે.
(૪) ઉપાંગ નામકર્મ–તેની ઉત્તરપ્રકૃતિએ ત્રણ છેઃ ઔદારિક ઉપાંગનામ, વૈક્રિય ઉપાંગનામ અને આહારક ઉપાંગનામ. મસ્તક, હાથ, પગ, પીઠ, ઉદર વગેરે ઉપાંગ કહેવાય છે. તે પ્રથમના ત્રણ શરીરને જ હોય છે. પછીનાં બે શરીરને હેતાં નથી.
(૫) બંધન નામકર્મ–પૂર્વે બાંધેલાં અને નવાં બંધાતાં કર્મને એક સાથે જોડે, એકમેક કરે તે બંધન નામકર્મ કહેવાય. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ પાંચ છે? (૧) ઔદ્યારિક બંધનનામકર્મ (૨) વૈકિય બંધનનામકર્મ, (૩) આહારક બનનામકર્મ, () તેજસ બંધનનામકર્મ અને (૫) કાર્મણ બંધનનામકર્મ.
દરેક સંસારી જીવ બે, ત્રણ કે ચાર શરીરના એકી સાથે સંબંધવાળો પણ હોય છે, એટલે તે તે શરીરને યોગ્ય પુલે ગ્રહણ કરવાનું ચાલુ હોય છે અને તેથી ઉપરનાં પાંચ બંધન નામકર્મ ઉપરાંત બીજા દશ બંધનનામકર્મ પણ કહેવાય છે, તે આ પ્રમાણેઃ (૧) ઔદારિક
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૮૨
નવ-તત્વ-દીપિકા તેજસ બંધન ના કટ, (૨) ઔદારિક કાર્પણ બંધન ના. ક, (૩) દારિક તેજસ કામણું બંધન ના , (8) વૈક્રિય તેજસ બંધન ના કર, (૫) વૈકિય કાર્મણ બંધન નાટક, (૬) વિકિય તૈજસ કાર્પણ બંધન ના કર, (૭) આહારક તૈજસ ના કટ, (૮) આહારક કાર્મણ ના કo (૯) આહારક તેજસ કાણુ નાટક, (૧૦) આહારક તેજસ કર્મણ ના ક.
(૬) સંઘાત નામકર્મ–આ કર્મને દંતાળીની ઉપમા આપવામાં આવે છે. જેમ દંતાળીથી ઘાસ ભેગું થાય છે, તેમ આ કર્મ જુદા જુદા શરીરને ચગ્ય પુદગલ વર્ગણાઓને એકત્ર કરી આપે છે. તેની ઉત્તર પ્રવૃતિઓ પાંચ છેઃ (૧) દારિક સંઘાત ના કo, (૨) વકિય સંઘાત નાટ કટ, (૩) આહાર સંઘાત ના ક., (૪) તેજસ સંઘાત ના કટ અને (૫) કાર્યણ સંઘાત ના ક.
(૭) સંહનન નામકર્મ–(હાડના બંધારણને સંહનન કે સંઘયણ કહેવામાં આવે છે) તેની ઉત્તરપ્રકૃતિઓ છે છેઃ (૧) વા-બાપભ-નારા સંઘયણ ના કહ, બે હાડકાને મર્કટ બંધ વડે બાંધેલા હોય, તેના ઉપર અપભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાળેલું હોય અને એ ત્રણ હાડકાંને ભેદનાર વજ એટલે ખીલીના આકારવાળા હાડકાથી મજબુત થયેલ હોય તેને આ પ્રકારનું સંઘયણ કહે છે. (૨) રાષભ-નારાચસંહનન ના કમાત્ર ખીલી રહિત પૂર્વોક્ત હહની જે રચના, તેને આ પ્રકારનું સંઘયણ
Page #261
--------------------------------------------------------------------------
________________
કમવાદ
૧૮૩
કહે છે. (૩) નારાચસંહનન ના કો-જ્યાં હાડકાની બંને બાજુ મર્કટબંધથી બંધાયેલી છે, પણ હાડને પાટો કે ખીલી ન હોય, તેને આ પ્રકારનું સંઘયણ કહે છે. (૪) અદ્ધનારાયસંહનન ના ક–જેમાં હાડકાની એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ ખીલી હેય તેવા હાડની રચનાને આ પ્રકારનું સંધયણ કહે છે. (૫) કીલિકાસંહનન ના ક–જ્યાં કલિકા એટલે ખીલી માત્રથી જ હાડકાં બંધાયેલાં હોય, એવી હાડની રચનાને આ પ્રકારનું સંઘયાણું કહે છે. અને (૬) સેવાર્તસંહની ના કરુ. જ્યાં હાડકાં પરસ્પર અડીને જ રહેલાં હોય, તેને આ પ્રકારનું સંઘયણ કહે છે. પ્રાકૃતમાં તેને છેવટું સંઘયણ કહેવામાં આવે છે.
(૮) સંસ્થાનનામકમ– (શરીરની આકૃતિને સંસ્થાન કહે છે) તેની ઉત્તરપ્રકૃતિએ છ છે: (૧) સમચતુરસ્મસંસ્થાન ના ક–પર્યકાસને બેઠેલા પુરુષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણુ ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર તથા આસન અને લલાટનું અંતર, એ પ્રમાણે ચાર અલબાજુનું અંતર સરખું હોય તે સમચતુરસ સંસ્થાન. અથવા બધા અંગે પ્રમાણપત લક્ષણયુક્ત હોય, તે પણ શ્રેષ્ઠ સંસ્થાનવાળે કહેવાય. (૨) જોધપરિમંડલ ના ક-નાભિની ઉપરને ભાગ પ્રમાણપત અને લક્ષણયુક્ત હાય, પણ નીચેનો ભાગ પ્રમાણુ અને લક્ષાણુથી રહિત
Page #262
--------------------------------------------------------------------------
________________
•
૧૮૪
નવ-તત્ત્વ-દીપિકા
હાય. (૩) સાક્રિસ સ્થાન ના૦ ૪૦નાભિની નીચેનાં અંગો પ્રમાણેાપેત અને લક્ષણયુક્ત હાય, પણ ઉપરનાં અંગા પ્રમાણુ અને લક્ષણરહિત હાય. (૪) વામનસ સ્થાન ના૦ કહાથ, પગ, મસ્તક, ડોક પ્રમાણાપેત તથા લક્ષયુક્ત હાય, પણ ખીજાં અંગે પ્રમાણુ અને લક્ષણથી રહિત હેાય. (૬) મુન્જસંસ્થાન ના॰ ક—હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણ તથા લક્ષણથી રહિત હાય, પણ ખીજા અંગા પ્રમાણાપત તથા લક્ષણથી યુક્ત હાય અને (૬) હુંંક સસ્થાન ના ૪૦શરીરનાં બધાં અંગો પ્રમાણ અને લક્ષણથી રહિત હોય.
(૯) વનામકર્મ–તેની ઉત્તપ્રકૃતિએ પાંચ છે: (૧) કૃષ્ણ, (૨) નીલ—(ઘેરા વાદળી), (૩) રકત, (૪) પીત અને (૫) શ્વેત.
(૧૦) રસનામમ`તેની ઉત્તર પ્રકૃતિએ પાંચ છેઃ (૧) તિકત (કડવા), (૨) કટુ (તીખા), (૩) કષાય (તુરા); (૪) આમ્લ (મારા) અને (૫) મધુર (મીઠે).
(૧૧) ગધનાયક-તેની ઉત્તપ્રકૃતિ એ છે: ૧. સુરભિગ'ધ અને ૨. દુરભિગંધ,
છે :
(૧૨) પનામ કમ તેની ઉત્તરપ્રકૃતિ આઢ (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) સ્નિગ્ધ, (૪) રુક્ષ, (૫) લઘુ,' (૬) ગુરુ, (૭) મૃદુ અને (૮) કર્કશ, (૧૩) આનુપૂર્વી નામક
અળદની
ક
L
નાથ જેવુ... છે. જેમ નાથને પકડીને અળદને ધારેલા સ્થળે
Page #263
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૮૫
લઈ જવાય છે, તેમ આ ક જીવની સાથે રહીને તેને ધારેલી ગતિમાં ધારેલા સ્થળે લઈ જાય છે. તેની ઉત્તરપ્રકૃતિએ ચાર છેઃ (૧) દેવગટ્યાનુપૂર્વી ના૦ ૪૦, (ર) મનુષ્ય ગયાનુપૂર્વી ના૦ ૩૦, (૩) તિર્યંચ ગત્યાનુપૂર્વી ના ૪૦ અને (૪) નરક ગત્યાનુપૂર્વી ના૦ ૩૦.
(૧૪) વિહાચે ગતિનામક –જીવની ગમનાગમન પ્રવૃત્તિમાં નિયામક થનારા કર્મીને વિહાયોગતિનામક્રમ કહે છે. ઉપર ગતિનામકમ આવી ગયું છે, એટલે અહીં વિહાયગતિ શબ્દ ચૈાજવામાં આવ્યે છે. વિહાય એટલે આકાશ-અવકાશ. તેમાં ગતિ કરવી અર્થાત્ ચાલવું તે વિહાયાત, તેની શુભ અને અશુભ એવી એ ઉત્તર પ્રકૃતિ છે. હંસ, હાથી વગેરેની ચાલને શુભ વિહાયેટગતિ ગણવામાં આવે છે અને ઊંટ, કાગડા વગેરેની ચાલને અશુભ વિહાયાગતિ ગણવામાં આવે છે.
જે પ્રકૃતિમાં ખીજી પ્રકૃતિ હોય અર્થાત્ તેના વિશેષ પ્રકારો હાય, તે પિંડપ્રકૃતિ સમજવી. આ ચૌદ પ્રકારની પિ’પ્રકૃતિના ૭૫ ઉત્તરભેદ્ય અર્થાત ૭૫ ઉત્તર પ્રકૃતિઓના પરિચય અહીં પૂરા થયા.
આઠે પ્રત્યેક પ્રકૃતિ
(૧) અગુરુ લઘુનામક –જેના ઉદયી જીવને અતિ ભારે પણ નહિ, અતિ હળવુ પશુ નહિં, એવુ સપ્રમાણ વજનવાળુ શરીર પ્રાપ્ત થાય.
(ર) ઉપઘાત નામક્રમ જેના ઉદ્ભયથી જીવને
Page #264
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા પડજીભ, ચેરદાંત, રળી વગેયે ઉપઘાતકારી અવયવે. પ્રાપ્ત થાય.
(૩) પરાઘાત નામકર્મ–જેના ઉદયથી જીવ પિતાની હાજરીથી કે પિતાના વચનબળથી બીજાના પર, પ્રભાવ પાડી શકે તથા અતિ બળવાનને પણ ક્ષોભ પમાડી શકે.
(૪) આત૫ નામકર્મ–જેના ઉદયથી છવ પિતાનું શરીર અનુક્યું હોવા છતાં ઉણું પ્રકાશ આપી શકે. આ કર્મને ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવને જ હોય છે.
(૫) ઉદ્યોત નામકર્મ–જેના ઉદયથી જીવ પિતાના શરીરવડે શીત પ્રકાશ આપી શકે. જોતિષી વિમાનના છે આ પ્રકારના હોય છે. વળી ખદ્યોત એટલે આગિયા અને કેટલીક વનસ્પતિનાં શરીર પણ આ પ્રકારના હોય છે. યતિ અને દેવના ઉત્તરક્યિ શરીરમાં પણ ઉદ્યોત નામકર્મને ઉદય હોય છે.
(૬) શ્વાચ્છવાસ નામકર્મ–જેના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસનું નિયમન કરી શકે.
(૭) નિર્માણનામકર્મ–જેના ઉદયથી જીવ ચોગ્ય સ્થળે અગોપાંગનું નિર્માણ કરી શકે
(૮) તીર્થંકર નામકર્મ–જેના ઉદયથી છવ ત્રણેય ભુવનને પૂજવાચગ્ય થાય, સુર, અસુર અને મનુષ્યને
Page #265
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
૧૮૭" પૂત્ય એવું તીર્થ પ્રવર્તાવે અને પોતે કૃતકૃત્ય છતાં પણ. ધર્મોપદેશની પ્રવૃત્તિ કરે. સ્થાવર શકે?
(૧) સ્થાવર નામકર્મ–જેના ઉદયથી જીવ સ્થાવ પણું પામે.
(૨) સૂમનામકર્મ-જેના ઉદયથી જીવ અત્યંત સૂમપણું પામે.
(૩) અપર્યાપ્ત નામકર્મ–જેના ઉદયથી જીવ. પિતાને પૂરી કરવા ગ્ય પતિઓ પૂરી કરી શકે નહિ. કયે જીવ કેટલી પર્યાપ્તિઓને યેગ્ય છે, તેનું વિવેચન જીવતવમાં થઈ ગયેલું છે.
() સાધારણુનામકર્મ–જેના ઉદયથી જીવને અનંત છ વડે ગવાતું એવું સાધારણું શરીર પ્રાપ્ત થાય.
(૫) અસ્થિરનામકર્મ–જેના ઉદયથી જીવને અસ્થિર અવયની પ્રાપ્તિ થાય.
(૬) અશુભનામકર્મ–જેના ઉદયથી જીવનું નાભિ નીચેનું શરીર અપ્રશસ્ત હોય, એટલે કે તેના સ્પર્શથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય.
(૭) સ્વરનામકર્મ–જેના ઉદયથી જીવને સ્વર એટલે કઠોર-અરુચિકર એવા સ્વરની પ્રાપ્તિ થાય.
() ભંગનામકર્મ–જેના ઉદયથી જીવ સહુને.
Page #266
--------------------------------------------------------------------------
________________
- ૧૮૮
નવ તત્ત્વ દીપિકા
અળખામણા લાગે, ‘ જ્યાં જાય કા, ત્યાં સમુદ્ર સૂ • વગેરે ઉક્તિઓ દુભ ગનામકને સૂચવનારી છે. (૯) અનાધૈયનાસકમ જેના ઉદયથી જીવતું ગમે - તેવું યુક્તિયુક્ત વચન લેકમાન્ય થાય નહિ,
-
(૧૦) અપયશઃકીતિનામ—જેના ઉયથી જીવને • ગમે તેટલું કામ કરવા છતાં અપયશ અને અપકીતિ જ મળે.
સદેશક :
આ દશક સ્થાવરદશકથી બિલકુલ ઉલટુ છે. તેની શ્વેશ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી :
(૧) ત્રસનાસક–જેના ઉદ્દયથી જીવને ત્રપણુ
પ્રાપ્ત થાય.
(૨) બાદરનામમ–જેના ઉદ્ભયથી જીવને માદરપશુ પ્રાપ્ત થાય.
(૩)પર્યાપ્તનાસકમ -જેના ઉડ્ડયથી જીવ સ્વયેગ્ય પર્યાપ્ત અવશ્ય પૂરી કરે.
(૪) પ્રત્યેકનામક –જેના ઉદ્ભથી જીવ સ્વતંત્ર શરીર પામે.
(૫) સ્થિરનાયક અર્થાત્ દઢ અવયવાની પ્રાપ્તિ થાય.
જેના ઉયથી જીવને સ્થિર
(૬) શુભનામમ–જેના ઉડ્ડયથી જીવનું નાભિ એટલે કે તેના સ્પર્શથી
* ઉપરનું શરીર પ્રશસ્ત હાય, ખીજાને આનંદ આવે.
Page #267
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ
(૭) સુસ્વર નામકર્મ–જેના ઉદયથી જીવને મધુર, સ્વરની પ્રાપ્તિ થાય.
(૮) સુભગના મકમ–જેના ઉદયથી જીવ સહુને પ્રિય લાગે.
(૯) આદેયનામકર્મ–જેના ઉદયથી જવનું ગમે તેવું વચન પણ બીજાએ માન્ય કરે.
(૧૦) યશકીતિનામકર્મ–જેના ઉદયથી જીવને સર્વત્ર યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય.
ગેવકર્મની ૨ ઉત્તરપ્રવૃતિઓ ગોત્રમર્કની ઉત્તરપ્રકૃતિઓ બે છેઃ (9) ઉચ ગોત્ર અને (૨) નીચ નેત્ર.
અંતરાય કર્મની ૫ ઉત્તરપ્રકાતિએ
છતી શક્તિએ કાર્ય થઈ શકે નહિ, ભેગવિલાસની સામગ્રી વિદ્યમાન હોય છતાં ભેળવી શકાય નહિ, કેઈને દાન દેવાની ઘણું ભાવના હૈય, છતાં દઈ શકાય નહિ આ બધી ઘટનાઓ અંતરાય કર્મને આભારી છે. તેની ઉત્તરપ્રકૃતિઓ પાંચ છેઃ
(૧) દાનાંતરાયકર્મ–જેના ઉદયથી દાન દેવાની સર્વ સામગ્રી વિદ્યમાન હોય અને ઈચ્છા પણ હોય, છતાં દાન દઈ શકાય નહિ.
(૨) લાભાંતરાયકર્મ–જેના ઉદયથી ગમે તે . પ્રયત્ન કરવા છતાં યથેષ્ટ લાભની પ્રાપ્તિ થાય નહિ.
(૩) ભેગાંતરાયકેમ-જેના ઉદયથી સામગ્રી
Page #268
--------------------------------------------------------------------------
________________
- ૧૯૦
નવ તત્ત્વ–દીપિકા
ભાગવી શકાય નહિ. જે એકવાર ભેાગવી શકાય, તે ભાગ્ય સામગ્રી. ભાજન વગેરે આ પ્રકારની સામગ્રી છે.
(૪) ઉપભાગાંતરાય
જેના ઉદયથી ઉપભાગ્ય સામગ્રી ભાગવી શકાય નહુિ. જે વારંવાર ભાગવી શકાય તે ઉપભાગ્ય સામગ્રી. મકાન, રાચરચીલું, માગબગીચા, સ્ત્રી વગેરે આ પ્રકારની સામગ્રી છે.
(૫) વીર્યા તરાય કમ–જેના ઉદ્દયથી શક્તિને ચેાગ્ય ઉપચાગ થઈ શકે નહિ.
ઘાતી અને અઘાતી વિભાગ
આઠે કર્મોમાં ચાર ઘાતી ગણાય છે અને ચાર અઘાતી ગણાય છે. જે આત્માના મૂળ ગુણના ઘાત કરે, તે ઘાતી. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર કર્માં આ કેટિનાં છે. ખાકીના ચાર અઘાતી ગણાય છે, કારણ કે તે આત્માના મૂળ ગુણેાના ઘાત કરનારા નથી.
ધાતીકમની બધી ઉત્તરપ્રકૃતિ અશુભ છે અને અઘાતી કર્મીની ઉત્તરપ્રકૃતિમાં કેટલીક શુભ અને કેટલીક અશુભ છે. તેના વિશેષ ખ્યાલ પુણ્ય અને પાપતત્ત્વનાં વિવેચનથી આવી શકશે.
કની મૂળ પ્રકૃતિ તથા ઉત્તરપ્રકૃતિની સંખ્યા પ્રસ્તુત પ્રકરણગ્રંથની એગણચાલીસમી ગાથામાં જણાવેલી છે. તેનુ વર્ણન અગિયારમા પ્રકરણમાં આવશે.
· કમ વાદ ' નામનું પાંચમું' પ્રકરણ અહીં' પૂરું' થાય છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠું
પુણ્યતત્ત્વ
[ गाथा पंढरभीथी सत्तरभी सुधी ]
(१) उपभ
જીવ અને અજીવતત્ત્વના વર્ણન પછી ક્રમપ્રાપ્ત પુણ્યતત્ત્વનું વર્ણન કરવું જોઇએ, તેથી પ્રકરણકાર મહિષ` પંદરમી અને સોળમી ગાથામાં પુણ્યતત્ત્વના ખેતાલીશ ભેદો આ પ્રમાણે કહે છે :
(२) भूज गाथा :
सा उच्चगोअ मणुडुग, सुरदुग पंचिविजाइ पणदेहा | आइतितणू णुवंगा, आइमसंघयण-संठाणा ॥ १५ ॥
वनचउक्काऽगुरुलहु - परघा उस्सास आयवुज्जोअ । सुभगइ निमिण-तसदस सुर-नर- तिरिआउ तित्थयरं ॥ १६॥
(3) संस्कृत छाया :
सात - उच्चगोत्र - मनुष्यद्विक - सुरद्विक - पञ्चेन्द्रिय
आदित्रितनूनामुपाङ्ग
जाति-पञ्चदेहानि । आदिम संहनन - संस्थाने ॥ १५ ॥
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૯૨
નવ-તત્ત્વ-દીપિકા वर्णचतुष्क-अगुरुलघु-पराघात-उच्छ्वास-आतपोद्योतम् । शुभखगंति-निर्माण-त्रसदशक-सुरनर-तिर्यगायुतीर्थकरम्॥१६॥ (૪) શબ્દાર્થ :
સા-શાતવેદનીય. રોગ-ઉચત્ર.
ઉચગોત્ર કર્મના ઉદયથી ઊંચા કુલમાં જન્મ થાય છે. ઉપલક્ષણથી દેશ, જાતિ, સ્થાન વગેરે પણ ઊંચા પ્રકારનાં મળે છે.
મજુતુબ- મનુષ્યદ્રિક, મનુષ્યગતિ અને મનુષ્યાનુવ
મનુષ્યદ્વિક એટલે મનુષ્યને લગતાં બે પ્રકારનાં કર્મો. તે અહીં મનુષ્યગતિ અને મનુષ્યગત્યાનુપૂવ કે મનુષ્યાનુપૂવી સમજવાં. મનુષ્યગતિનામકર્મથી જીવને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે અને મનુષ્યાનુપૂર્વનામકર્મ પૂર્વદેહ છેડ્યા પછી જીવને મનુષ્યગતિમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય, ત્યાં દોરી જાય છે.
કુટુ-સુરદ્રિક, દેવગતિ અને દેવાનુપૂવ.
સુરદ્ધિક એટલે દેવને લગતાં બે પ્રકારનાં કર્મો, તે અહીં દેવગતિ અને દેવાનુપૂવી જાણવાં. દેવગતિ નામકર્મથી જીવને દેવત્વ પ્રાપ્ત થાય છે અને દેવાનુપૂવી નામકર્મ જીવને દેવગતિમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય, ત્યાં દોરી જાય છે.
ઉજિતિંગારુ-પંચેન્દ્રિય જાતિ, પંચેન્દ્રિયપણું.
Page #271
--------------------------------------------------------------------------
________________
પુણ્યતત્તવ
પા -પાંચ શરીર, પાંચ પ્રકારનાં શરીર,
ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીરે વિના પુણ્યને ઉપભોગ થઈ શકતું નથી, તેથી તેમની ગણના પુણ્ય પ્રકૃતિમાં કરેલ છે.
જાતિતપૂ–પ્રથમનાં ત્રણ શરીરના. મારૂ-આદિ, પ્રથમ, તિ–ત્રણ. તપૂળ-શરીરનાં. વિંધ-ઉપાંગો.
ચારૂસંય–સંકાળા-પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન; વા–ષભ-નારા–સંઘયણ અને સમચતુરસ-- સંસ્થાન.
શરૂમ-પહેલું. સંઘય-સંઘયણ, લંકા-સંસ્થાન.
વન્નચર-વર્ણચતુષ્ક. શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ અને શુભ સ્પર્શ.
वन्नचउक्क भने अगुरूलहु ते वन्नचउक्काऽगुरूलहुવનવ-વર્ણચતુષ્ક. તે શુભ હેય તે જ પુણ્યપ્રકૃતિમાં ગણાય છે, તેથી અહીં શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ અને શુભ સ્પર્શ ગ્રહણ કરવા.
બગુણચંદું-અગુરુલઘુનામ. ઘરથા-પરાઘાત નામ.
અહીં સંધિના નિયમથી પધાચ ના ચ ને લેપ થયેલ છે. પ્રવાસ અને પાપાચને અર્થ સમાન છે. '
અલ્લાહ-શ્વાસે વાસનામ.
૧૩
Page #272
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
લાવ-આતનામ, કા-ઉદ્યોતનામ. સુમરૂ-શુભવિહાગતિ. નિમિ-નિર્માણનામ,
તર–ત્રસદશક, ત્રસ આદિ દશ પ્રકૃતિઓ. બસ દશકનું વર્ણન સત્તરમી ગાથામાં આવશે.
સુરનર-રિરિવાર–દેવ, મનુષ્ય અને તિર્યચનું આયુષ્ય.
દેવ અને મનુષ્યની જેમ તિર્થને પણ પિતાનું જીવન પ્રિય હોય છે, તેથી તિર્યંચાયુની ગણના પુણ્ય પ્રકૃતિમાં થાય છે.
રિસ્થયે-તીર્થકરના. (૫) અથ–સંકલના
સાતવેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી દેવગતિ અને દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, (ઔદારિક, વિકિય, આહારક, તેજસ અને કામણ એ) પાંચ શરીર, પ્રથમના ત્રણ શરીરનાં -ઉપાંગે, વજ-ગષભ-નારાચ-સંઘયણ, સમચતુરસ સંસ્થાન, શુભવર્ણ-ગંધ-રસ-સ્પર્શ, અગુરુલઘુ નામ, પરાઘાતનામ, શ્વાસોચ્છવાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, શુભવિહાગતિનામ, નિર્માણનામ, ત્રસાદિ દશ પ્રકૃતિએ, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિય ચાયુષ્ય અને તીર્થકરનામ (એ બેંતાલીશ પુણ્યતત્તવના ભેદ છે.)
Page #273
--------------------------------------------------------------------------
________________
પુતવ
૧૫
(૬) વિવેચન
પુરતીતિ પુખ્યમુ-જે અશુભ કર્મ વડે મલિન થયેલા જીવને આત્માને ધીરે ધીરે પવિત્ર કરે એટલે કે શુભ કર્મવાળે કરે અને અનુક્રમે મેક્ષે પહોંચાડે, તે પુણ્ય કહેવાય. તથા એ પુણ્યનાં કાર્ય કરવાથી જે શુભ કર્મ બંધાય, તે પણ પુય જ કહેવાય. તાત્પર્ય કે પુણ્યતત્વનાં પુણ્યક્રિયા અને પુણ્યફળ એ બે અગે છે અને તે પરસ્પર કારણ-કાર્યરૂપ છે, તેથી એ બંને અગેથી બરાબર પરિચિત થવું જોઈએ. પુણયની ક્રિયા થાય તે જ પુણ્યફળ બંધાય, એટલે પુણ્યક્રિયા કારણરૂપ છે અને પુણ્યફળ કાર્યરૂપ છે.
નીચેની નવ ક્રિયાઓથી પુણ્ય બંધાય છે: (૧) પાત્રને અન્ન આપવું. (૨) પાત્રને પાણી આપવું. (૩) પાત્રને બેસવા કે રહેવા માટે સ્થાન આપવું.
() પાત્રને શયન આપવું, એટલે કે સૂવાની સામગ્રી આપવી.
(૫) પાત્રને વસ્ત્ર આપવાં. (૬) મનને શુભ સંકલ્પ. (9) વચનને શુભ વ્યાપાર (૮) કાયાને શુભ વ્યાપાર (૯) દેવગુરુને નમસ્કાર કર. અહીં એટલું લક્ષ્યમાં રાખવાનું છે કે જેઓ
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૯
નવતા—દીપિકા
સસારની મહુમાયા છોડીને માક્ષમાને અભિમુખ થયેલા છે, તે સર્વે આત્માએ સુપાત્ર ગણાય છે. તેમને ધબુદ્ધિએ અનાદિક આપવાથી અશુભ કર્મની ઘણી નિર્જરાપૂર્વક મહાપુણ્ય ખાય છે. શાલિભદ્રે સ'ગમકના ભવે ધબુદ્ધિએ એક માસેાપવાસી તપસ્વી મુનિરાજને ક્ષીરનુ દાન દીધું હતું, તેથી મહાપુણ્ય અંધાયુ હતું. અને તેનાં ફળ રૂપે તેમને અતુલ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
જેઆ ગૃહસ્થાશ્રમમાં રહીને ધનુ ચગ્ય આચરણ કરે છે, તે પાત્ર ગણાય છે. તેમને પણ ધર્મબુદ્ધિએ અનાર્દિક આપતાં ઘણું પુણ્ય ઉપાર્જન થાય છે.
વિશેષમાં જે અતિ વૃદ્ધ, અશક્ત, અપંગ વગેરે હાવાના કારણે અનુકંપા કરવા ચેાગ્ય છે, તેમને અનુક ંપાબુદ્ધિએ અનાદિક આપતાં પુણ્ય ઉપાર્જન થાય છે. કહ્યું છે કે
इदं मोक्षफलं दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वज्ञः, कुत्रापि न निषिध्यते ॥
'
માક્ષના હેતુથી જે દાન દેવાનુ છે, તેમાં યાત્રાપાત્રની વિચારણા કરવી ઘટે છે. પશુ જે દાન, યા, કરુણા કે અનુકપા સ્મૃદ્ધિથી દેવાનુ છે, તેમાં પાત્રાપાત્રની વિચારણા કરવી આવશ્યક નથી; કારણ કે સવજ્ઞાએ એવા ક દાનના કોઈ પણ સ્થળે નિષેધ કરેલા નથી.’ दीनादिकेभ्योऽपि दयाप्रधानं, दानं तु भोगादिकरं प्रधानम् ।
Page #275
--------------------------------------------------------------------------
________________
પુણ્યતવ
---
--
--
दीक्षाक्षणे तीर्थकृतोऽपि पात्रापात्रादिचर्यां ददतो न चक्रुः ॥
દીન ખીઓને દયાની ભાવનાથી અપાતું દાન શ્રેષ્ઠ છે અને ભેગાદિ સામગ્રીઓને અપાવનારું છે. દીક્ષા લેવાને પ્રસંગ પ્રાપ્ત થતાં તીર્થકરે એક વર્ષ સુધી જે દાન આપે છે, તેમાં પાત્ર–અપાત્રને વિચાર કરતા નથી, પરંતુ સર્વેને સમાન બુદ્ધિથી દાન આપે છે.”
તાત્પર્ય કે કઈ પણ દીન-દુખીને સહાય કરવાની બુદ્ધિએ દાન દેતાં પુણ્ય બંધાય છે અને કેઈ અભ્યાગત ઘરના દ્વારે આવીને ઊભે રહે, તેને નિરાશ કરીને પાછે કાઢતાં મારે ધર્મ નિંદાશે, માટે તેમ ન થવા દેવાની ઈચ્છાએ જેઓ અનાદિક આપે છે, તેઓ પણ પુણ્ય ઉપાર્જન કરે છે.
પુણ્યતત્ત્વ મુખ્યત્વે ગૃહસ્થને ઉપાદેય છે.
પુણ્ય ક્રિયાઓથી જે પુણ્ય બંધાય છે, તેનું ફલ બેંતાલીશ પ્રકારે ભગવાય છે. આ બેંતાલીશ પ્રકારને ઉલ્લેખ પ્રસ્તુત ગાથાઓમાં કરવામાં આવ્યે છે. તે પર એક દષ્ટિપાત કરી લઈએ.
પુણ્યશાળી આત્માઓને સામાન્ય રીતે સર્વત્ર સુખને અનુભવ થાય છે, તેથી અહીં પ્રથમ ઉલ્લેખ શાતા વેદનીયન કરવામાં આવ્યો છે.
પુણ્યશાળી આત્માઓને જન્મ ઉચ્ચકુલમાં થાય છે,
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૯૮
નવ-તત્ત્વ-દીપિકા
ઉચ્ચ જાતિમાં થાય છે અને તેમને ધન, વૈભવ, ઠકુરાઈ ઉત્તમ વિચારે વગેરે સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેનું સૂચન ઉચ્ચ ગોત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
મનુષ્યગતિ અને દેવગતિ પણે પુણ્યના પ્રભાવે જ સાંપડે છે, તેથી મનુષ્યદ્ધિક અને સુરદ્ધિકને અહીં ઉલ્લેખ કરે છે, વળી પચેન્દ્રિયપણું પણ પુણ્યના ઉદયે જ પ્રાપ્ત થાય છે, તે અહીં પચેન્દ્રિયજાતિથી સૂચવ્યું છે.
શરીર વિના પુણ્યનું ફળ ભેગવાતું નથી, તેથી ઔદ્યારિક આદિ પાંચેય શરીરની ગણના પુણ્યના ભેદમાં કરેલી છે.
- પુણ્યશાળી આત્માઓના શરીરનું સંઘયણું એટલે શરીરને બાંધે ઉત્તમ કોટિને હોય છે તથા તેમની આકૃતિ પણું પ્રમાણપત અને સર્વે શુભ લક્ષણેથી યુક્ત હોય છે, તે અહીં પ્રથમ સંઘયણ અને સંસ્થાન શબ્દથી સૂચિત કર્યું છે.
શરીરને શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ તથા શુભ સ્પર્શ પણ પુણ્યને જ આધીન છે તથા લેહની જેમ અતિ ભારેપણું પણ નહિ; તેમ રૂની જેમ અતિ હળવાપણું પણ નહિ, પરંતુ સપ્રમાણ વજન એ પણ પુણ્યનું જ ફળ છે, તે અહીં અગુરુલઘુ પરથી જણાવેલ છે.
બીજા પર પ્રભાવ પડે, તે પણ પુણ્ય વિના બનતું નથી, તેમ રૂપ-કાંતિ વગેરે પણ પુણ્યના પ્રકર્ષ વિના પ્રાપ્ત થતાં નથી. વળી શ્વાસોચ્છવાસ સુખપૂર્વક લેવાય
Page #277
--------------------------------------------------------------------------
________________
પુણ્યતત્ત્વ
૧૯૯
એવા નાડીતંત્રની રચના પણુ પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. તે અહીં પરાઘાતનામ, શ્વાસોચ્છ્વાસનામ, આતપનામ અને ઉદ્યોતનામથી સૂચવાયેલ છે.
ગમનાગમન પ્રવૃત્તિનું નિયમન કરનારી શુભ ચાલ પ્રાપ્ત થવી, તેને પણ પુણ્યનું જ ફળ માનવુ જોઇએ અને અંગ—ઉપાંગની ચેાગ્ય સ્થળે ગાઠવણ થવી તેને પશુ પુણ્યનું જ પરિણામ લેખવુ જોઈ એ. શુવિહાચે ગતિ અને નિર્માણનામનુ રહેશ્ય આ જ છે.
વિશેષમાં હવે પછી ત્રસાર્દિક જે દશ પ્રકૃતિનુ વર્ણન આવવાનું છે, તે પણ પુણ્યનું જ પરિણામ સમજવું. દેવ, મનુષ્ય અને તિર્યંચનુ આયુષ્ય પણ પુણ્યના ઉયથી જ પ્રાપ્ત થાય છે અને તીર્થંકરત્વ કે જે ત્રણે યૂ. લાકમાં પરમ પૂજ્યતાને પ્રાપ્ત થયેલું છે, તેની પ્રાપ્તિ પણ સંચિત પુણ્યસમૂહને જ આધીન છે.
શાસ્ત્રકાર મહર્ષિ આએ પુણ્યના એ પ્રકારો માનેલા છે : (૧) પુણ્યાનુબંધી પુણ્ય અને (૨) પાપાનુબંધી પુણ્ય.. તેમાં જે પુણ્યથી પુણ્યની પરપરા ચાલે અર્થાત્ જે પુણ્ય ભાગવતાં નવા પુણ્યને અનુબંધ થાય, તે પુણ્યાનુખ ધી પુણ્ય સમજવું અને જે પુણ્ય ભાગવતાં નવીન પાપના અનુબંધ થાય, તે પાપાનુખથી પુણ્ય સમજવું.
એક મનુષ્યને પૂર્વ ભવના પુણ્યપ્રભાવે સ પ્રકારની સુખસામગ્રી પ્રાપ્ત થઈ છે, પરંતુ તે એમાં માહગ્રસ્ત ન થતાં આત્મહિત તરફ મુખ્ય લક્ષ રાખીને માક્ષની અભિલાષાથી ધમક્રિયા કરે છે, તે પૂર્વ પુણ્યનું
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૦૦
નવ-તત્ત્વ-દીપિકા
ફળ ભાગવે છે, તેની સાથે નવા પુણ્યના અંધ પણ કરે છે, એટલે તે પુણ્યાનુખ'ધી પુણ્યવાળા કહેવાય છે. બીજે મનુષ્ય પૂર્વભવના પુણ્યપ્રભાવે સર્વ પ્રકારની સુખસામગ્રી પામેલા છે, પરંતુ માહવશાત્ અસદાચારી બનીને તેના ઉપભાગ કરે છે, તેથી તેને પાપના અનુમધ થાય છે. આવા મનુષ્યને પાપાનુબંધી પુણ્યવાળા કહેવાય છે.
શાસ્ત્રકાર ભગવંતાએ આ અને પ્રકારના પુણ્યના સચોટ ખ્યાલ આપવા માટે તેમને ભેમિયા અને લૂટારાની ઉપમા આપેલી છે. પુણ્યાનુબંધી પુણ્ય મામાના ભામિયા જેવુ છે, કારણ કે તે મનુષ્યને મેાક્ષના માગ અતાવીને ચાલ્યુ' જાય છે, અને પાપાનુબંધી પુણ્ય લૂટારા જેવું છે, કારણ કે તે મનુષ્યની બધી પુણ્યસમૃદ્ધિ લૂટી લે છે અને તેને પુણ્યવિહીન મનાવી દે છે. તાપ કે આ એ પ્રકારનાં પુણ્યામાં પુણ્યાનુખ`ધી પુણ્ય ઇચ્છવા જેવુ છે અને તેને જ ઉપાદેય તત્ત્વ સમજવાનું છે.
(૧) ઉપક્રમ :
પંદરમી અને સેાળમી ગાથામાં પુણ્યતત્ત્વના ખેતાલીશ ભેદો કહ્યા, તેમાં ત્રસદશાઢિ દેશ પ્રકૃતિના નિર્દેશ ક્યાં. આ દશ પ્રકૃતિના પરિચય કરાવવા માટે પ્રકરણકાર મહર્ષિ સત્તરમી ગાથા આ પ્રમાણે કહે છે (ર) મૂળ ગાથા :
સમવાય—કાત, પત્તા થિર મુમેં જ મુમાં ૨ | સુન્નર આન્ગ નર્સ, તત્તાસન રૂમ હોર્ ॥૨૭॥
Page #279
--------------------------------------------------------------------------
________________
પુણ્યતન
(૩) સંસ્કૃત છાયા
त्रस-चादर-पर्याप्त, प्रत्येक स्थिरं शुभं च सुभगं च।
मुस्वराऽऽदेय-यशः, सादिदशकमिदं भवति ॥१७॥ (૪) શબ્દાર્થ
તલ-ત્રસનામ. વાચ—બારિનામ, Fકd-પર્યાપ્ત નામ. પત્ત પ્રત્યેકનામ. ચિર-સ્થિરનામ. સુમં–શુભનામ. -અને, સુમ–સુભગનામ.
-અને. સુત-સુત્વરનામ. ફિw-આયનામ.
-ચશનામ, યશકીતિનામ. તલાસ-ત્રસાદિદશક. ત્રિસ નામ જેની આદિમાં છે, એવી દશ પ્રકૃતિઓને સમૂહ તે ત્રસાદિદશક. રૂઆ, એ.
છે. (૫) અર્થ–સંકલના :
ત્રનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેક
Page #280
--------------------------------------------------------------------------
________________
=
૨૦૨
નવતરવ-દીપિકા નામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ અને યશકીર્તિનામ એ ત્રસાદિ દશક છે. (૬) વિવેચન :
પુણ્યના બેંતાલીશ ભેદમાં ત્રસદશકની ગણના છે, તે ત્રસદશકનું વર્ણન આ ગાળામાં કરેલું છે. - ત્રસદશકમાં પ્રથમ ઉલ્લેખ રસનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવ ત્રસમણું પામે છે. જે જીવે ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને અથાત્ દુઃખી થઈને તેને નાશ કરવાની એટલે પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે, તેને ત્રસમણું સમજવું. સ્થાવરપણુની અપેક્ષાએ ત્રસપણું ઉત્તમ છે, તેથી તેને એક પ્રકારની પુણ્યપ્રકૃતિ માનવામા આવી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જી કરતાં વિકસેન્દ્રિય છે અને પચેન્દ્રિય જીવેનું જીવન ઉચ્ચ કેટિનું હોય છે, તેમાં કેઈ શંકા નથી.
ત્રસદશકમાં બીજો ઉલ્લેખ બાદરનામકર્મને કરવામાં આચે છે. આ કર્મના ઉદયથી જીવને બાદરપણું ઉત્પન્ન થાય છે. સૂક્ષમણની અપેક્ષાએ આ સ્થિતિ સારી રહેવાથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
ત્રસદશકમાં ત્રીજે ઉલ્લેખ પર્યાપ્ત નામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવ પિતાને ગ્ય પર્યાપ્તિએ પૂરી કરે છે અને તેની ગણના પર્યાપ્તમાં થાય છે. અપ
Page #281
--------------------------------------------------------------------------
________________
કણસતા.
થ58
લોકમબારમા તિથિ વિના ,
યંતપણની તુલનામાં આ સ્થિતિ નિશંક ચઢિયાતી છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
ત્રસદશકમાં ઉલ્લેખ પ્રત્યેકનામકર્મને કરેલો છે. આ કર્મના ઉદયથી જીવને પૃથફ શરીર પ્રાપ્ત થાય છે, એટલે કે પિતાનું સ્વતંત્ર શરીર પ્રાપ્ત થાય છે. અનંત જીવોનું એક સાધારણ શરીર હોવું તેના કરતાંઆ સ્થિતિમાં વધારે સુખ રહેલું છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
- ત્રશદશકમાં પાંચમો ઉલ્લેખ સ્થિરનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી શરીરના હાડ વગેરેમાં સ્થિરતા એટલે દૃઢતા પ્રાપ્ત થાય છે અને તેથી જીવનનિર્વાહમાં ઘણું સુગમતા રહે છે. આ કારણે તેની ગણના પણ પુણ્યપ્રકૃતિમાં જ કરેલી છે.
ત્રશદશકમાં છ ઉલેખ શુભનામકર્મને કલે છે. આ કર્મના ઉદયથી નાભિ ઉપરને ભાગ પ્રશસ્ત હોય છે, એટલે કે તેના સ્પર્શથી બીજાને આનંદ ઉપજે છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.*
ત્રશદશકમાં સાતમે ઉલ્લેખ સુભગનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવ સહને પ્રિય થઈ પડે છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
ત્રશદશકમાં આઠમે ઉલ્લેખ સુસ્વરનામકર્મને કરેલ * મહાપુરૂષનાં સર્વ અંગેને શુભ ગણવામાં આવે છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
*
છે. આ કર્મના ઉદયથી જીવને સુંદર-મધુર સ્વર પ્રાપ્ત થાય છે, તેથી તેની ગણના પુણ્ય-પ્રકૃતિમાં કરેલી છે.
ત્રશદશકમાં નવમે ઉલ્લેખ આદેયનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવનું વચન બીજાને માન્ય થાય છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
ત્રશદશકમાં છેલ્લે ઉલ્લેખ યશકીર્તિનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
પુણ્ય નવ પ્રકારે બંધાય છે અને બેંતાલીશ પ્રકારે ભગવાય છે. શાસ્ત્રકારોએ તેને સેનાની બેડીની ઉપમા આપી છે. તેને અર્થ એ છે કે પુણ્યકર્મ પણ આખરે તે બંધન જ છે અને તેને છોડ્યા વિના મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પણ ધર્મની સામગ્રી મેળવવામાં તે ઉપયોગી છે, એટલે તેને આદર કર એગ્ય છે.
પુણ્યતવ' નામનું છઠું પ્રકરણ અહીં પૂરું થાય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું
પાપતત્ત્વ [ ગાથા અઢારમીથી વીશમી સુધી ]
(૧) ઉપમ :
- પુણ્યનું વિરોધી તત્વ પાપ છે, એટલે તેનું સ્વરૂપ પણ બરાબર સમજી લેવું જોઈએ; તેથી જ પ્રકરણકાર મહર્ષિ અઢારમી અને ઓગણીસમી ગાથામાં તેના ખાસી ભેદોનું વર્ણન આ પ્રમાણે કરે છે ? (૨) મૂળ ગાથા :
नाणंतरायदसगं, नव वीए नीअसाय मिच्छतं । थावरदसनिरयतिग, कसाय पणवीस तिरियढंग ॥१८॥ इगबितिचउजाइओ, कुखगई उवधाय हुति पावस्स ।
अपसत्थं वन्नचऊ, अपढमसंघयणसंठाणा ॥ १९ ॥ (૩) સંસ્કૃત છાયાઃ ज्ञानान्तरायदशक, नव द्वितीये नीचैरसात मिथ्यात्वम् । स्थावरदशकं निरयत्रिकं, कषायपञ्चविंशतिःतिर्यद्विकम्
છે ?૮ |
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૦૬
નવ-તત્ત્વ-દીપિકા
एक द्वित्रिचतुर्जातयः, कुखगतिरुपघातो भवन्ति पापस्य । अप्रशस्तं वर्णचतुष्कमप्रथमसंहननसंस्थानानि ॥ १९ ॥ (૪) શબ્દાર્થ :
નાતાવર-જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મની મળીને દશ પ્રકૃતિએ.
જ્ઞાનાવરણય કર્મની ઉત્તરપ્રકૃતિએ પાંચ છે અને અંતરાયકર્મની ઉત્તર પ્રકૃતિએ પણ પાંચ છે. તેનાં નામ કર્મવાદ–પ્રકરણમાં જણાવેલાં છે.
7–નવ. - વી -બીજા કર્મની.
દર્શનાવરણીય કર્મને બીજું કર્મ કહેવામાં આવે છે, કારણ કે તે ક્રમમાં બીજું છે. તેની ઉત્તરપ્રકૃતિઓ નવ છે.
નીચ-નીચ ગોત્ર.
નીક અને કાચ તે નકા. ર-નીચ શેત્ર. ઉપલક્ષણથી નીચ જાતિ.
સાચ–અશાતા વેદનીય. મિચ્છરં–મિથ્યાત્વ, વિપરીત શ્રદ્ધાન.
મિથ્યા-ખોટું, અસત્ય, વિપરીત. – પ્રત્યય ભાવસૂચક છે. તાત્પર્ય કે જેના ઉદયથી જીવ સત્યને અસત્ય સમજે અને અસત્યને સત્ય સમજે, તેને મિથ્યાત્વા કહેવા છે. જ્યાં સુધી મિથ્યાત્વ દૂર ન થાય, ત્યાં સુધી સમ્યક્ત્વ
Page #285
--------------------------------------------------------------------------
________________
પાપતત્ત્વ
૨૦૦૭
પ્રાપ્ત થતું નથી, તેથી મિથ્યાત્વને આત્માના મહાન શત્રુ માનવામાં આવ્યા છે. તેના પાંચ, છ તથા
પ્રકારો
શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
“
ચાવતુલ-સ્થાવરાક.
સ્થાવર નામ જેની આદિમાં છે, એવી ક્રશ પ્રકૃતિના સમૂહ તે સ્થાવરજીશક, કવાનુપ્રકરણમાં નામક અને તેની ઉત્તરપ્રકૃતિએમાં સ્થાવરદશકનાં નામ આપેલાં છે. તેને ઉલ્લેખ પ્રકરણકાર સ્વયં વીશમી ગાથામાં કરશે,
નિતિન-નરકત્રિક.
.
નિશ્ર્ચ-નરક, તેને લગતું ત્રિક, તે નરકત્રિક. અહીં નરકત્રિકથી નરકગતિ, નરકનુપૂર્વી અને નરકનું આયુષ્ય એ ત્રણ ક પ્રકૃતિએ સમજવાની છે.
ાય કષાય.
પચીશ છે ઃ
વળવીસ-પચીશ પ્રકારના ચારિત્રમાડુનીયની ઉત્તપ્રકૃતિ સોળ કષાયરૂપ અને નવું નાકષાયરૂપ તે તેના અહીં ાય તરીકે સામાન્ય ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
આનુપૂર્વી નામ.
ટ્રાવિતિ અને ચતુરિન્દ્રિય જાતિ. જીવનદ્દ–અશુભ વિદ્યાયાતિ
તિચિતુષ્પ—તિય દ્વિક. તિય ચગતિનામ અને તિય ચ
નાગો-એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦૯.
પાચ—પઘાતનામ.
નવ તત્ત્વ દીપિકા
ધ્રુત્તિ−છે. પાવસ્ત–પાપના ભેદ.
અપસત્ય—અપ્રશસ્ત.
વનવ–વણુ ચતુષ્ટ, વર્ણ, ગંધ, રસ અને સ્પ પઢમ પંચળમંડાળા–પ્રથમ સિવાયનાં સઘયણા અને
સંસ્થાના.
(૫) અથ-સલન :
જ્ઞાનાવરણીય અને અંતરાયર્ક્સની મળીને દશ, બીજા દેશનાવરણીય કમની નવ, નીચ ગેાત્ર, આશાતાવેદનીય, મિથ્યાત્વ માહનીય, સ્થાવર દશક, નરકત્રિક, પચીસ કષાય, તિય ચદ્વિક, એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિ,અનુભ વિહાયે ગતિ, ઉપઘાત, અપ્રશસ્ત વણુ–ગ–રસસ્પર્શ તથા પહેલા સિવાયના સર્વ સસ્થાના. આ પ્રમાણે પાપતત્ત્વના ખ્યાશી ભેદી છે. (૬) વિવેચન :
જૈન શાસ્ત્રોમાં કહ્યુ` છે કે ‘ પાવાં સેવ કુન્ના, ન જાવેજ્ઞા–પાપકમ કરવુ પણ નહિ અને કરાવવું પણ નહિ.’ કારણ કે તે દુનિયંધન-દુર્ગાંતિનું કારણ છે અને મુદ્દલમા” સત્તાવિધમૂત્ર-મોક્ષમાર્ગના સંસગ થવામાં વિઘ્નરૂપ છે.
બૌદ્ધ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ‘ સવ્વપાવલ્લ બળ,
Page #287
--------------------------------------------------------------------------
________________
પીપતવ ,
રન્ટ
=
શુદ્ધ સંપા-કઈ પાપ કરવું નહિ, પુણ્ય કાર્યો અવશ્ય સંપાદન કરવાં.”
વૈદિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “પ્રાસ્તાનિ ના કુત, મકરરારિ વન–પ્રશસ્ત કા અર્થાત્ પુણ્યકાર્યો સદા કરવાં અને અપ્રશસ્ત અર્થાત્ પાપકા છેડી દેવા.”
તાત્પર્ય કે પાપ હેય છે, છોડવા એગ્ય છે, તેથી તેનું સેવન કદી કરવા જેવું નથી.
આત્માને મલિન કરનારું જે અશુભ કર્મ તે પાપ કહેવાય છે અને જે કાર્યો કરવાથી આત્માને પાપને બંધ થાય, તે પણું પાપ જ કહેવાય છે. તાત્પર્ય કે પાપતત્વનાં પાકિયા અને પાપફળ એ બે અગે છે અને તે પરસ્પર કારણ-કાર્યરૂપ છે.
જેમ પુણ્ય નવ ક્રિયાથી બંધાય છે, તેમ પાપ અઢાર ક્રિયાથી બંધાય છે. આ અઢાર કિયાઓને સામાન્ય રીતે અઢાર પાપસ્થાનકે કહેવામાં આવે છે. તેનાં નામે આ પ્રમાણે જાણવાં:पाणाइवायमलियं, चोरिक मेहुण-दविणमुच्छं । कोई माणं मायं, लोमं पिज्ज तहा दोसं ॥१॥ कलहं अब्भक्खाणं पेसुन्नं रइ-अरइ समाउत्तं ।। पर-परिवायं माया-मोस मिच्छत्तसल्लं च ॥२॥
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૦
નવ-તત્ત્વ-દીપિકા
(૧) પાળા વાચ-પ્રાણાતિપાત, પ્રાણીધ, જીવહિંસા
કે હિંસા.
(૨) ચિ—અલીક વચન, અસત્ય વચન, મૃષાવાદ. (૩) જોરિન ચારી, અનુત્તાદાન, માલિકે તેની રાજી ખુશીથી આપ્યા વિના ગ્રહણ કરવું તે.
(૪) મેદુન્ત મૈથુન, અપ્રાસેવન, વિષયભોગ. (૫) યુવિજ્ઞમુક દ્રવ્યની મૂર્છા, ધનલાભ, પરિગ્રહ, (૬) વ્હોટ્ટ્–ક્રોધ, ગુસ્સો, રા.
(૭) માના—માન, અભિમાન, અહંકાર, દ કે ગ (૮) માર્ચ—માયા, કપટ.
(૯) હોમ લેભ, તૃષ્ણા, વધારે ને વધારે મેળવવાની વૃત્તિ.
(૧૦) વિજ્ઞ—પ્રેમ, રાગ, આસક્તિ. તફા—તેમજ
(૧૧) રોલઁ-દ્વેષ, અણગમા, તિરસ્કાર. કલહ, કજિયે.
(૧૨)
(૧૩) મવાળ—અભ્યાખ્યાન, કોઈના દોષા – પ્રકટ
-
કરવા તે.
(૧૪) જેતુન વૈશુન્ય, ચાડી ખાવી તે.
-
(૧૫) ર૬–૧ર૬ુષ અને વિષાદ કરવા તે.
સમાન્ત–સમાયુક્ત, સહિત. (૧૬) .પરવિચ-પરિવાદ, ખીજાનુ ઘસાતુ ખેલવુ તે, બીજાની નિંદા કરવી તે.
Page #289
--------------------------------------------------------------------------
________________
યાત
ક૨૧
.
- (૧૭) માયા-મોહ-માયા-મૃષાવાદ. છેતરપીંડી, બનાવટ, પયંત્ર રચવું તે. (૧૮) મિછત્તીર–મિથ્યાત્વશલ્ય.
-અને. આ અઢાર પાપસ્થાનકેને સંક્ષેપ કરી હોય તે થઈ શકે એમ છે, પરંતુ મુમુક્ષુઓને પાપચિાઓને સ્પષ્ટ બોધ થવા માટે આટલે વિસ્તાર જરૂર છે. ૪
આ અઢાર પા૫સ્થાનકો દ્વારા કરેલું પાપ જીવને અગાસી પ્રકારે ભેગવવું પડે છે, તેને નિર્દેશ અઢારમી "અને ઓગસમી ગાથામાં આ પ્રમાણે કરેલે છેઃ
પાપતના ૮૨ સે જ્ઞાનાવરણીયકર્મની ઉત્તપ્રકૃતિઓ અંતરાયકર્મની ઉત્તરપ્રવૃતિઓ દર્શનાવરણીયકમની ઉત્તરપ્રવૃતિઓ નીચત્ર અશાતાદનીય મિથ્યાત્વા (દર્શનમેહનીય)
સ્થાવરદશક નરકત્રિક
આ અઢારેય પાપસ્થાનકને વિસ્તૃત પરિચય અમોએ પાપને પ્રવાહ” નામના ધર્મબોધ ગ્રંથમાળાના ચૌદમા પુષ્પમાં આપે છે, તે મુમુક્ષુઓએ અવશ્ય જે.
Page #290
--------------------------------------------------------------------------
________________
નવતર્વ-દીપિકા
-
-
- -
-
-
-
-
-
8 |
•
=
=
કષાય (મેહનીચકર્મ) તિર્યચકિક એકેન્દ્રિયાદિ ચાર જાતિ અશુભવિહાગતિ ઉપઘાતનામ અપ્રશસ્ત વર્ણાદિ સંઘયણ (પહેલા સિવાય) સંસ્થાન (પહેલા સિવાય)
•
=
હ
હ
કુલ ૮૨ થોડાં વિવેચનથી આ વરત વધારે સ્પષ્ટ થશે. આત્માના જ્ઞાનગુણ પર આવરણ આવે તે ઈષ્ટ નથી, કારણ કે તેથી અજ્ઞાનમાં સબડવું પડે છે અને તેનાં પરૂિ ણ ઘણું માઠાં આવે છે. એક વિદ્વાને તે ત્યાં સુધી કહ્યું છે કે આ જગતમાં સહુથી મોટું પાપ અજ્ઞાન છે, કેમકે તેનાથી આવૃત્ત થયેલે જીવ હિતાહિતને જાણી શકતો નથી. જ્ઞાનાવરણીયકર્મ ભારે હોય તે મનુષ્યની દશા મૂહ કે જડ જેવી બની જાય છે. તેથી કંઈપણ સમજવું કે ગ્રહણ કરવું તેને માટે ઘણું અઘરૂં થઈ પડે છે.
મતિ અને શ્રુતજ્ઞાનાવરણયકમને પશમ થવાથી આપણને મતિ અને શ્રુતજ્ઞાનને પ્રકાશ સાંપડેપરંતુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રકાશ મુદલ સાંપડતું નથી, કારણ કે અવધિ-જ્ઞાનાવરણીય, મન, પર્યજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય કર્મો તેની આડે
Page #291
--------------------------------------------------------------------------
________________
પાપતવ
૨૧૩
અડીખમ ઊભેલાં છે. પરિસ્થિતિ આવી હોવાથી જ્ઞાનાવરૂ ણીય કર્મની પાંચેય ઉત્તર પ્રકૃતિએને પાપના ભેદમાં ગણેલી છે.
જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય ક્રમ આવે, પરંતુ ઉત્તપ્રકૃતિઓની સમાન સંખ્યાને લઈને અહીં જ્ઞાનાવરણય પછી અંતરાયકર્મને લીધું છે. જ્ઞાનાવરણીય એ ઘાતકર્મ છે, તેમ અંતરાય પણું ઘાતકર્મ છે. પહેલું આત્માના જ્ઞાનગુણને ઘાત કરે છે, તે બીજું આત્માના દાનાદિ ગુણેને ઘાત કરે છે.
અંતરાયકર્મની પાંચ ઉત્તરપ્રકૃતિએ તે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય. તે કેવાં અનિષ્ટ પરિણામ લાવે છે, તેનું દિગદર્શન કરી લઈએ.
જીવ ધારે તે પિતાનું સર્વસ્વ બીજાને દાનમાં આપી શકે, પરંતુ દાનાંતરાય કર્મ તેની એ વૃત્તિને કુંઠિત બનાવી દે છે, તે એટલી હદ સુધી કે એક નાનકડી વસ્તુ યા
હું ધન બીજાને આપવું હોય તે આપી શકે નહિ. દાનનો મહિમા સમજાયે હોય, દાન દેવાની સામગ્રી તૈયાર હોય અને દાન લેનાર પણ ઉપસ્થિત હોય, છતાં દાન દઈ શકાય નહિ, ત્યાં દાનાંતરાયના ઉદય સિવાય બીજું શું કારણે કલ્પી શકાય?
અમુક કારણસર શ્રેણિક રાજાએ પિતાની કપિલા નામની દાસીને તેના હાથે દાન દેવાનું કહ્યું, તે તેણે ઉત્તર આપે કે “મહારાજ ! મારા હાથે હું કેઈને દાન આપી
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૪
નવ તત્વ–દીપિકા
શકીશ 'નહિ, ' છેવટે તેના હાથે ચાટવા માંધવામાં આવ્ય અને તેના વડે દાન દેવરાવવાની શરૂઆત કરી તા કપિલા દાસી સહુ દાન લેનારાએને કહેવા લાગી કે દાન” હું નથી આપતી, એ તે શ્રેણિક રાજાના ચાઢવે આપે છે ! ’ ઢાનાંતરાયને તીવ્ર ઉત્ક્રય કેવાં પરિણામ લાવે છે, તેના આ શાપ્રસિદ્ધ દાખલા છે.
જીવ ધારે તે આ જગતમાંથી જેટલા લાભ મેળવવા હાય તેટલા મેળવી શકે, પણ લાભાંતરાયકમ તેમાં આહુ આવે છે. તે લાભને મર્યાતિ બનાવી દે છે અને તીવ્રભાવે ઉદયમાં આવેલ હોય તેા ગમે તેવા પ્રયત્ન કરવા છતાં પશુ લાભ થવા દેતું નથી. લાલાંતરાય ના જેટલા ક્ષાપશમ હાય તેટલા લાભ મળી શકે, પણ તેથી વધારે સંળી શકે નહિ. આ જગતમાં એવા દાખલા પણ લેવામાં આવ્યા છે કે એક મનુષ્ય ૯૮ લાખ સહેલાઈથી મેળવી શકે, પણુ એક ક્રોડ થવામાં જે બે લાખ ખૂટતા હોય, તે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ મેળવી શકે નહિ. વ્યક્તિ એ‘જ છે, અનુભવમાં ખામી નથી, પ્રયત્ન પણુ ખરાખર છે, છતાં આવુ' પરિણામ આવે, ત્યાં લાલાંતરાયના ઉદય જ કારણભૂત હોય છે.
.
ભાગની ઈચ્છા હાય, ભાગની' સામગ્રી તૈયાર હાય, પણ લાગાંતરાય કમ એવી પરિસ્થિતિ ઉભી કરી દે કે ભાગ ભાગવાય જ નહિ. એક દાખલાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ ભાત-ભાતની વાનીઓ તૈયાર થઈ હતી; મિત્રા
'
Page #293
--------------------------------------------------------------------------
________________
પાપાજ્ય
૨૧૫
અને મુરબ્બીઓ જમવા પધાર્યા હતા. શેઠના ઉત્સાહને પાર ન હતું. તેઓ નિમંત્રક તરીકે સહુની વચ્ચે બેસીને આનંદ-વિનેદ કરી રહ્યા હતા. ઇસારે થતાં રસોઈયાએ બધી વાનીઓ પીરસી અને શેઠે જમવા માટે કેળિયે ભર્યો, ત્યાં પેટમાં આંકડી આવી, કેળિયે કેળિયાને ઠેકાણે રહી ગયું અને તેમને પલંગમાં સૂવાડવામાં આવ્યા. ત્યાર બાદ છેડા ઉપચાર કરતાં પેટ સ્વસ્થ થઈ ગયું, પણ પેલી ભાગ્ય સામગ્રીને ભેગા થઈ શક્યો નહિ. અહીં ભેગાંતરાય કમેં પિતાને પ્રભાવ બતાવ્યે. - ઉપગમાં પણ ઘણી વાર આવું બને છે. અમુક
પ્રકારનાં વસ્ત્ર-ભૂષણ વગેરે ભોગવવાની તાલાવેલી હોય, પણ સચોગ જ એવા બને કે તેને ઉપગ થઈ શકે નહિ. આ ઉપભેગાંતરાયકર્મને પ્રભાવ સમજે.
અમુક કાર્યમાં શક્તિ ફેરવવા ધારી હોય છતાં ફેરવી શકાય નહિ, ત્યાં વીતરાય કર્મને ઉદય સમજે. તેને જેટલે ક્ષપશમ થાય, તેટલી જ શક્તિ ફેરવી. શકાય, તેથી અધિક નહિ,
આ રીતે અંતરાયકર્મની પાંચે ય ઉત્તરપ્રકૃતિએ આત્માના મૂળભૂત ગુણોને ઘાત કરનારી હોઈ પાપના. ભેદમાં સ્થાન પામેલી છે.
દર્શનાવરણય પણ એક પ્રકારનું ઘાતકર્મ છે, કારણ કે તે આત્માનાં મૂળગુણરૂપ દર્શનલમ્બિને ઘાત કરે છે, ચક્ષુદર્શનાવરણીયકર્મને ઉદય હેય તે ચક્ષુ દ્વારા
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૧૬
નવા-દીપિકા
વસ્તુને સામાન્ય બંધ થઈ શકે નહિ, અચક્ષુદર્શનાવરણીય કર્મને ઉદય હેય તે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય તથા મન દ્વારા વસ્તુને સામાન્ય બોધ થઈ શકે નહિ. તેને જેટલે શ્રાપશમ થાય, તેટલું જ દર્શન થઈ શકે. અવધિદર્શનાવરણયકર્મના ઉદયે આત્માને રૂપી દ્રવ્યને મર્યાદિત સામાન્ય બોધ થઈ શકે નહિ અને કેવળ દર્શનાવરણીયકર્મના ઉદયે કેવલદર્શન દ્વારા થનારે વસ્તુ માત્રને સામાન્ય બંધ થઈ શકે નહિ. આપણને અવધિદર્શન કે કેવલદર્શન થતું નથી, કારણ કે અવધિદર્શના વરણીય અને કેવલાદર્શનાવરણીય કર્મો ઉદયમાં છે. નિદ્રા પણ આત્માની દર્શનલબ્ધિ ઉપર એક જાતનું આવરણ લાવી દે છે, એટલે તે સમયે દર્શને પગ હેતે નથી, નિદ્રા તમામ પ્રાણુઓને એક સરખી હોતી નથી. તેના અનેક પ્રકારે વિદ્યમાન છે, પરંતુ અહીં તેને પાંચ વર્ગમાં રાખવું ગોઠવવામાં આવ્યા છે. આ પાંચ પ્રકારે અને પ્રથમના ચાર પ્રકારે મળી દર્શનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિએ નવ થાય છે, જે આત્માનું અહિત કરનારી હોઈ થાપના ભેદમાં સ્થાન પામેલી છે.
* નીચ ગતિમાં અવતાર થવે, એ પૂર્વે કરેલા પાપની કડક શિક્ષા છે, કારણકે ત્યાં અનેક પ્રકારની હાલાકી ભેગવવી પડે છે, વિકાસનાં સાધને અતિ મર્યાદિત હેય છે અને તેને અનેક પ્રકારને તિરસ્કાર સહન કરે પડે છે. કોઈ એમ સમજતું હોય કે જમાને આગળ વધશે •
Page #295
--------------------------------------------------------------------------
________________
પાપતત્ત્વ
ક
'
એટલે ઊંચ-નીચના ભેદે સાવ ભૂલાઈ જશે, પણ એ સમજણ બરાબર નથી. એક જન્ય ભેદો છે, એટલે કાયમ રહેવાના. જે લાફો એમ કહે છે કે અમારે ત્યાં શિક્ષણનું પ્રમાણ સારું છે અને સમાજે સુંદર પ્રગતિ કરેલી છે, ત્યાં પણ ‘ઉમરાવ’ અને ‘આમ'ના ભેદો ટળ્યા નથી, તેમજ હાયર સર્કલ’ અને ‘લાઅર સર્કલ' એટલે ઉચ્ચ કક્ષાનું વર્તુલ અને નીચ કક્ષાનુ' વર્તુલ એ પ્રકારના ભેદો વતી જ રહ્યા છે. બધા મનુષ્યના સ્થિતિ, સાગ તેમજ વન સરખાં હાતાં નથી, એટલે તેમાં ઊંચા-નીચાના ભેદ્ય સ્વાભાવિક રીતે જ પડી જાય છે અને તે જગતભરના દેશમાં ખરાખર જોવામાં આવે છે. તાત્પર્ય કે નીચ ગોત્રમાં અવતાર થવા, એ પૂર્વે કરેલાં પાપનું મૂળ છે અને તે જીવને અવશ્ય ભોગવવુ પડે છે.
પુણ્યશાળી આત્માઓને જેમ શાતાવેદનીયના ઉદય હાય છે, તેમ પાપી આત્માઓને અશાતાવેનીયને ઉડ્ડય હાય છે. તેથી તેઓને અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય દુઃખો ભાગવવાં પડે છે અને ચિત્તને જરા ય શાંતિ પ્રાપ્ત થતી નથી.
મિથ્યાત્વ એક ભયંકર વસ્તુ છે. તે શ્રદ્ધાનાં નિર્મળ નીરને હેાળી નાખે છે અને તેમાં એક પ્રકારની પૂરી મિલનતા ઊભી કરી દે છે. આ મલિનતાના પરિણામે જીવને અધર્મીમાં ધર્માંની સંજ્ઞા (વૃત્તિ-બુદ્ધિ) અને ધર્મમાં અધમ - ની સ'જ્ઞા થાય છે, અમાગમાં માર્ગની સંજ્ઞા અને માળમાં
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૧૮
નવ-તત્વ-દીપિકા
-
~
અમાર્ગની સંજ્ઞા થાય છે અજીવમાં જીવની સંજ્ઞા અને જીવમાં અજીવની સંજ્ઞા થાય છે; અસાધુમાં સાધુની સંજ્ઞા અને સાધુમાં અસાધુની સંજ્ઞા થાય છે તથા અમુક્તમાં મુક્તની સંજ્ઞા અને મુક્તમાં અમુક્તની સંજ્ઞા થાય છે.
વળી મિથ્યાત્વના ઉદયથી સત્યશોધનની વૃત્તિ શિથિલ બની જાય છે, તેથી સત્ય પ્રાપ્ત થતું નથી અને અસત્યના પડછાયે જ ચાલવાનો વખત આવે છે. શાસ્ત્રકારે કહે છે કે “મિથ્યાત્વ જે કઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કઈ વિષ નથી, મિથ્યાત્વ જે કઈ અંધકાર નથી. આ સગોમાં મિથ્યાવની ગણના પાપના એક ભેદ તરીકે થાય, એ સર્વથા ઉચિત છે.
સ્થાવરદશક અંગે આગળ વીસમી ગાથામાં વિવેચન આવશે.
નરકત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકનું આયુષ્ય. લૌકિક ભાષામાં કહીએ તે જીવને નરકનાં દુખેને આસ્વાદ કરાવનારી તેફાની ત્રિપુટી. નરકગતિકર્મથી જીવને નરકમાં જ ઉત્પન્ન થવું પડે. તે દેવ, મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જવા ઈચ્છે તે જઈ શકે નહિ. નરકાનુપૂર્વી નરકમાં ઉત્પન્ન થવાનાં સ્થાને લઈ જાય; અને નરકાયુષ્ય જીવને નારકની સ્થિતિમાં નિયત સમય સુધી ગંધી રાખે કે જયાં અસહ્ય યાતનાઓ સહન કરવાની હોય છે. કેટલાક પાપ કરનારાઓ એમ માને છે કે કરેલા પાપના બદલામાં એડો દંડ ભરી દઈશું કે થોડી સજા સહન કરી લઈશું,
Page #297
--------------------------------------------------------------------------
________________
પાપતવ
ર૧૯
પણ જ્યારે તેમને એ ભાન થાય છે કે પાપને બદલે પછીના ભાવમાં પણ ભેગવવો પડે છે અને તે માટે નરક જેવાં નિકૃષ્ટ સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે, ત્યારે તેમનાં હાજાં ગગડી જાય છે અને તેમની પાપ કરવાની વૃત્તિ પર એક જાતને કુઠારાઘાત થાય છે.
ચારિત્રમેહનીયકર્મની પચીસ ઉત્તરપ્રકૃતિઓ છે.. તેમાં કષાયની મુખ્યતા હોવાથી અહીં વાર વાવ એ. શબ્દપ્રયોગ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદે કષાયને અર્થ નીચે મુજબ કરવામાં આવ્યું છે : મુદ્દ-સુવ—દૂ-ક્ષ,િ - જાતિ = कलु सति जं च जीवं, तेण कसाइ त्ति वुच्चंति ।।
“ઘણા પ્રકારનાં સુખ અને દુઃખથી યુક્ત એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે (ખેડે છે), અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે, તે કષાય છે.”
કષાયના મુખ્ય સૂત્રધારે ક્રોધ, માન, માયા અને લે છે. તેમાં ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે.
આ ચાર કષાયેના તીત્રાતિતીવ્ર, તીવ્ર, મધ્યમ અને ગૌણ એવા પ્રકાર કરતાં કક્ષાની સંખ્યા ૧૬ પર આવે છે અને તે બધીય એક યા બીજા પ્રકારે ચારિત્રગુણની. ઘાતક હેવાથી પાપપ્રકૃતિએ લેખાય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
નવતર-દીપિકા
હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદ એટલે જાતીય સંજ્ઞા, એ કષાય જેટલી ભયંકર વૃત્તિઓ નથી, પરંતુ કષાયનું ઉદ્દીપન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, એટલે તેની ગણના પણું પાપપ્રકૃતિમાં જ થાય છે. જેનું પરિણામ બૂરું-અશુભ-અનિષ્ટ તેને પાપપ્રકૃતિ નહિ તે બીજું શું કહેવાય? - તિર્યચઢિક એટલે તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી. તિર્યચના આયુષ્યની ગણના પાપપ્રકૃતિમાં કરી નથી, કારણ કે તેમને પિતાનું જીવન પ્રિય હોય છે. તિર્યંચ ગતિનામકર્મથી જીવને તિર્યંચ તરીકે ઉત્પન્ન થવું પડે છે અને તિર્યંચાનુપૂર્વી તેને તિર્યંચ નિમાં ઉત્પન્ન થવાનાં સ્થાને લઈ જાય છે. તિર્યંચની અવસ્થા એ નિકૃષ્ટ અવસ્થા છે, તેમાં ઉત્પન્ન થવું કેને ગમે? પણ પાપી પ્રિવૃત્તિઓના પરિણામે જીવ તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂવી નામનું કર્મ બાંધે છે અને તેનું ફલ ભેગવવા માટે તેને તિર્યંચગતિમાં અવતરવું પડે છે. - પંચેન્દ્રિયપણું પુણ્યને આધીન છે, બાકીની બધી ' જાતિઓ એટલે એકેન્દ્રિયપણું, બેઈન્દ્રિયપણું, તેઈન્દ્રિયપણું
અને ચતુરિન્દ્રયપણું પાપી પ્રવૃત્તિઓના પરિણામે પ્રાપ્ત થાય છે.
અશુભવિહાગતિ એટલે અશુભ ચાલ, જેમાં કિઈ ઢંગ ન હોય એવી બેડોળ ચાલ. આવી ચાલ તે - પાપકર્મના પરિણામે જ સાંપડે ને? કઈ એમ કહેતું
Page #299
--------------------------------------------------------------------------
________________
પાપતવ
હોય કે ચાલને અને કર્મને શું સંબંધ છે? એ તે પ્રાણીઓના સ્વભાવ અનુસાર થયા કરે છે, તે એ કથન. બરાબર નથી. સંસારી જીવની નાની-મોટી તમામ ક્રિયાઓ કર્મની સત્તા નીચે જ થાય છે, એટલે ચાલ તેમાંથી બાકી. રહી શકે નહિ. જેને પ્રાણીઓને સ્વભાવ કહેવામાં આવે. છે, તે સ્વભાવ અર્થાત્ વ્યક્તિત્વ પણ કર્મ અનુસાર જ ઘડાય છે, તેથી અશુભવિહાગતિને પાપકર્મનું પરિણામ માનવામાં કઈ આપત્તિ નથી.
ઉપઘાતનામકર્મની ગણના પણ અશુભ વર્ગમાં થાય છે, કારણ કે તેનાથી પડજીભ, ચાર દાંત, રસળી વગેરે ઉપઘાતકારી અવયની પ્રાપ્તિ થાય છે.
જે શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ અને શુભ સ્પર્શને પુણ્યનું પરિણામ માનીએ તે અશુભ કે અપ્રશરત વર્ણ, અપ્રશસ્ત ગંધ, અપ્રશસ્ત રસ અને અપ્રશસ્ત સ્પર્શને પાપનું પરિણામ જ લેખવું જોઈએ. જેનું રૂપ જેવું ગમે નહિ, જેના શરીરમાંથી દુર્ગધ આવ્યા કરતી હોય, જેને સ્વાદ અરુચિકર હેય તથા સ્પર્શ પણ ખેદ પમાડે તે હોય, તે પાપકર્મના ઉદય વિના કેમ સંભવે? તાત્પર્ય કે આ બધી પાપપ્રકૃતિની જ લીલા છે. - વજ-અષભ-નારાચસંઘયણ એ આદર્શ સંઘયણ છે, તેથી તેને પુણ્યાધીન માનવામાં આવ્યું છે, પરંતુ. ત્યાર પછીનાં પાંચ સંઘયણે એટલે અષભ-નારા–સંઘયણું,
-
7 :)
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૨
નવ-તત્વ-દીપિકા
નારાચ-સંઘયણ, અદ્ધનારાચ-સંઘયણું, કીલિકા–સંઘયણું અને સેવાર્ત-સંઘયણ, ઓછીવત્તી ખામીવાળાં હેવાથી પાપપ્રકૃતિને આધીન છે. સંસ્થાનમાં પણ આવું જ છે. પહેલું સમચતુરસ સંસ્થાન આદર્શ હેવાથી પુણ્યાધીન છે અને બાકીનાં પાંચ સંસ્થાને એટલે જોધપરિમંડલ, સાદિ, વામન, મુજ અને હુંડક ઓછી-વત્તી ખામીવાળાં હેવાથી પાપપ્રકૃતિને આધીન છે.
પાપના ખાસી ભેદો પરનું વિવેચન અહીં પૂરું થયું.
જેમ પુણ્યના પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એવા બે પ્રકારે છે, તેમ પાપના પણ પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એવા બે પ્રકારે છે. જે પાપનું ફળ ભેગવતાં નવું પાપ બંધાતું જાય, તે પાપાનુઅંધી પાપ અને જે પાપનું ફળ ભોગવતાં નવું પુણ્ય બંધાતું જાય, તે પુણ્યાનુબંધી પાપ.
એક મનુષ્ય પૂર્વે કરેલાં પાપના પરિણામે આજે દુઃખ ભોગવી રહ્યો છે અને હજી પણ પાપકર્મ કર્યું જ જાય છે, તેને પાપાનુબંધી પાપવાળે સમજ. આવા આત્માઓની હાલત અત્યંત બૂરી થાય છે. તેમની દુઃખપરંપરા દારુણ હોય છે અને તે લાંબો સમય ચાલ્યા કરે છે.
એક મનુષ્ય પૂર્વે કરેલાં પાપોને કારણે વર્તમાન ભવમાં દુઃખ જોગવી રહ્યો છે, પણ તે સમતાથી ભગવે છે, હાયય કરતું નથી અને ભવિષ્યમાં દુઃખ ભેગવવાને વખત ન આવે તે માટે પાપથી બીતે રહે છે તથા
Page #301
--------------------------------------------------------------------------
________________
પાયતત્ત્વ
યથાશક્તિ ધર્માચરણ કરે છે. આવા મનુષ્યને પુણ્યાનુખ ધી પાપવાળા સમજવા જોઈએ. આ સ્થિતિ આદરણીય છે, કારણ કે તેના પરિણામે દુઃખના અંત આવે છે અને સુખના સૂય ચમકવા લાગે છે,
(૧) ઉપક્રમ :
અઢારમી ગાથામાં સ્થાવરદશકના ઉલ્લેખ કરવામ્યું આવ્યો છે. તે સ્થાવરદશકનું સ્વરૂપ દર્શાવવા માટે પ્રકરણકાર મહર્ષિ વીશમી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળગાથા : ચાવ-મુદુમ-વર્ગ, સાહારળમાંથમમુમવુમન । ટુલ્સરળાફઞજ્ઞસ, થાયરસમાં નિવસ્ત્ય ધારા (૩) સંસ્કૃત છાયા :
स्थावर सूक्ष्मापर्याप्तं, साधारणमस्थिरमशुभदुर्भगानि । दुःस्वरानादेयायशः, स्थावरदशकं विपर्ययार्थम् ॥२०॥ (૪) શબ્દાર્થ :
થાવ-સ્થાવરનામ.
સુન્નુમ–સૂમનામ. અવન્ત-અપર્યાપ્તનામ.
સાળં–સાધારણનામ,
સાહારનં અને થિર અને અનુક્ર્મ અને વુમન તે સાધારણ થરમનુમહુમળિ. સાહારનં-સાધારણનામ. થિર્–અસ્થિરનામ.
Page #302
--------------------------------------------------------------------------
________________
નવ-નવ-દીપિકા
બહુમ-અશુભનામ, તુમr-દુર્ભગનામ. દુરદુસ્વરનામ.
સુરક્ષા અને સારૂકા અને કહ્યું, તે દુર ફુકાનાં. તુસર-દુઃસ્વરનામ.
અMiss-અનાદેયનામ.
ગાં–અપયશકીર્તિનામ. થાવર -સ્થાવરદશક, સ્થાવર આદિ દશ પ્રકૃતિએને સમૂહ, તે સ્થાવરદશક.
વિવાર્ય-વિપરીત અર્થવાળું, ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. (૫) અર્થ-સંકલનાઃ
સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્ત નામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભાગનામ, સ્વરનામ, અનાદેયનામ અને અપયશકીતિનામ, એ સ્થાવરદશક ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. (૬) વિવેચન :
પાપના ખાસી ભેદમાં સ્થાવરદશકની ગણના છે, તે સ્થાવરદશકનું વર્ણન આ ગાળામાં કરેલું છે. અહીં એટલી રપષ્ટતા કરવામાં આવી છે કે આ સ્થાવરદશક ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે, એટલે ત્રસદશકમાં જે દશ
Page #303
--------------------------------------------------------------------------
________________
પાપતવી
૨૫
પ્રકૃતિએની ગણના કરવામાં આવી છે, તે દરેક કરતાં આને અર્થ વિપરીત સમજવાનો છે.
- ત્રસદશકમાં પ્રથમ ઉલ્લેખ ત્રસ નામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવ ત્રસપણું પામે છે. અહીં
સ્થાવરદશકમાં પ્રથમ ઉલ્લેખ સ્થાવર નામને કરવામાં આવ્યો છે. આ કર્મના ઉદયથી જીવ સ્થાવરપણું પામે છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવે સ્થાવરપણામાં રહેલા છે. સ્થાવર જીવેનું મુખ્ય લક્ષણ એ છે કે તેઓ ઠંડી, તાપ વગેરેથી પીડા પામવા છતાં તેને પરિહાર કરવાને સ્વયં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શક્તા નથી.
ત્રસદશકમાં બીજો ઉલ્લેખ બાદરનામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવ બાદરપણું પામે છે. અહીં સ્થાવરદશકમાં બીજો ઉલ્લેખ સૂત્મનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવ સૂમિપણું પામે છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાયના જીવે સૂક્ષ્મ અવસ્થાએ સકલ લેકમાં વ્યાપ્ત છે. તેમને આ સૂફમનામકર્મને ઉદય જાણવે.
ત્રસદશકમાં ત્રીજો ઉલ્લેખ પર્યાપ્ત નામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવ પર્યાપણું પામે છે. અહીં સ્થાવરદશકમાં ત્રીજો ઉલ્લેબ અપર્યાતનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવ સ્વયેગ્ય પતિએ પૂરી ક્યાં પહેલાં જ મરણ પામે છે અને તેથી અપર્યાપ્ત તરીકે ઓળખાય છે. ૧૫
Page #304
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વ દીપિકા,
ત્રસદશકમાં ચેાથેા ઉલ્લેખ પ્રત્યેક નામના કરવામાં આન્યા હતા કે જેના પરિણામે જીવને સ્વતંત્ર કે પૃથક્ રારીરની પ્રાપ્તિ થાય છે. સ્થાવર્દશકમાં ચાથેા ઉલ્લેખ સાધારણ નામના કરવામાં આવ્યે છે. આ ક્રમના ઉદયથી જીવને સાધારણ શરીરની પ્રાપ્તિ થાય છે. સાધારણ શરીર એટલે અનંત આત્માઓનું એક જ શરીર. તેમાં જીવનધારણની બધી ક્રિયાઓ સાથે જ થાય. સાધારણ વનસ્પતિ— કાયના જીવાને આવુ જ શરીર પ્રાપ્ત થયેલુ હોય છે.
ત્રસદશકમાં પાંચમા ઉલ્લેખ સ્થિરનામના કરવામાં આવ્યા હતા કે જેના પરિણામે હાડ વગેરે સ્થિરતા—દેઢતા પામે છે. સ્થાવરદશકમાં પાંચમે ઉલ્લેખ અસ્થિરનામના કરવામાં આવ્યે છે. આ કર્મીના ઉદ્ભયથી જીવને અસ્થિર અવયવેાની પ્રાપ્તિ થાય છે.
ત્રસદશકમાં છઠ્ઠો ઉલ્લેખ શુભનામના કરવામાં આવ્યા હતા કે જેના પરિણામે નાભિ ઉપરના ભાગ પ્રશસ્ત હાય છે. સ્થાવરઢશકમાં છઠ્ઠો ઉલ્લેખ અશુભ નામના કરવામાં આવ્યા છે. આ કમના ઉદ્મયથી જીવને નાભિ નીચેનું શરીર અપ્રશસ્ત પ્રાપ્ત થાય છે. જેના સ્પર્ધાથી આનંદ થાય તે પ્રશસ્ત અને આન ન થાય તે પ્રશસ્ત.
ત્રસદશકમાં સાતમે ઉલ્લેખ સુભગનામના કરવામાં આવ્યા હતા કે જેના પરિણામે જીવ સહુને પ્રિય થઈ પડે
Page #305
--------------------------------------------------------------------------
________________
પાપતવ
૨૨૭
છે. સ્થાવરદશકમાં સાતમે ઉલ્લેખ દુર્ભાગનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી છવ સહુને અળખામણે થઈ પડે છે.
ત્રસદશકમાં આઠમે ઉલ્લેખ સુસ્વરામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે મધુર સ્વરની પ્રાપ્તિ થાય છે. સ્થાવરદશકમાં આઠમે ઉલ્લેખ સ્વરનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવને કર્કશ કે કઠોર સ્વરની પ્રાપ્તિ થાય છે.
ત્રસદશકમાં નવમે ઉલ્લેખ અનાદેય નામને કરવામાં આવે છે. આ કર્મના ઉદયથી જીવનું વચન બીજાને માન્ય થાય છે. સ્થાવરદશકમાં નવમે ઉલ્લેખ અનાદેયનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવનું વચન ગમે તેવું યુક્તિયુક્ત હોય તે પણ બીજા માન્ય રાખતા નથી.
ત્રસદશકમાં છેલ્લે ઉલ્લેખ યશકીતિ નામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. સ્થાવરદશકમાં છેલ્લે ઉલ્લેખ અપયશ કીતિ નામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવ ગમે તેવાં સારાં કામ કરે તે પણ તેને અપયશ તથા અપકીર્તિના જ ભાગી થવું પડે છે.
આ રીતે સ્થાવરદશકનું તુલનાત્મક વિવેચન અહીં. પૂરું થાય છે અને તે સાથે “પાપતવ નામનું સાતમું પ્રકરણ પણ પૂરું થાય છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મુ
આશ્રવતત્ત્વ
[ ગાથા એકવીસમીથી ચાવીશમી સુધી
(૧) ઉપક્રમ :
નવતત્ત્વ એ જૈનધમ નું નાક છે; અથવા તે જૈનદર્શનના મુદ્રમણિ છે. તેમાં જીવ અને જીવ તત્ત્વ વડે સમસ્ત વિશ્વનું સ્વરૂપ વિચારાયું છે; પુણ્ય અને પાપત્તત્ત્વ વડે જીવનનાં સુખ-દુઃખની સમસ્યા ઉકેલવામાં આવી છે; અને આશ્રવ મધ તથા સ ંવર–નિશ તત્ત્વ વડે હૈય અને ઉપાયની સ્પષ્ટ ભેદરેખા અંક્તિ કરી માક્ષનું મંગલમય સ્વરૂપ પ્રકાશવામાં આવ્યુ છે.
આ નવ તત્ત્વમાંથી જીવ, અજીવ, પુણ્ય અને પાપ તત્ત્વના પરિચય અપાઈ ગયા; હવે ક્રમપ્રાપ્ત આશ્રવ તત્ત્વના પશ્ર્ચિય આપવા માટે પ્રકરણકાર મહર્ષિ એક વીસમી ગાથામાં તેના ખેંતાલીશ ભેદાનુ સામાન્ય થન આ પ્રમાણે કરે છે :
Page #307
--------------------------------------------------------------------------
________________
આશ્રવતવ
(૨) મૂળ ગાથા : इंदिय-कसाय-अव्वय, जोगा पंच चउपंच तिन्नि कमा । किरियाओ पणवीसं, इमा उ ताओ अणुकमसो ॥२१॥ (૩) સરકૃત છાયા ? इन्द्रिय-कसायाऽव्रतयोगाः पंच चत्वारि पंच त्रीणि क्रमात् । क्रिया पञ्चविंशतिः इमास्तु ता अनुक्रमशः ॥२१॥ () શબ્દાર્થ :
રંથિ-ઈન્દ્રિય, ઈન્દ્રિયાશ્રવ. વસાચ-કષાય, કષાયાશ્રય. વાર–અશ્વત, અવતાશ્રવ. નોન-એગે, ગાશ્રવ.
આમપ્રદેશમાં જે પરિસ્પંદન થઈ રહ્યું છે, તેને ચિગ કહેવામાં આવે છે. રોગ એટલે મોક્ષમાર્ગમાં જેડનારે ધર્મવ્યાપાર, એ અર્થ અહીં અભિપ્રેત નથી.
વંજ-પાંચ, પાંચ પ્રકારને. કાર-ચાર, ચાર પ્રકારને. કિંજ-પાંચ, પાંચ પ્રકારને. તિનિ-ત્રણ, ત્રણ પ્રકારને.
મા-કમથી, ક્રમ પ્રમાણે, અનુક્રમે. જિરિયા-કિયા.
Page #308
--------------------------------------------------------------------------
________________
૩૦
નવ-નવ-દીપિકા
પાવીહં-પચીશ. રૂમ–આ.
–તે, વળી. તા–તે, તે ક્રિયાઓ.
ક્ષમતો-અનુક્રમશઃ, અનુકમે. (૫) અર્થ–સંકલના :
ઇન્દ્રિયાશ્રવ, કષાયાશ્રવ, અવતાશ્રવ અને ચોગાશ્રવ પાંચ પ્રકારને, ચાર પ્રકારને, પાંચ પ્રકારને અને ત્રણ પ્રકારનો છે. ક્રિયાઓ પચીશ છે. તે અનુક્રમે આ પ્રમાણે જાણવી : (૬) વિવેચન
આશ્રવ શબ્દની વ્યુત્પત્તિ પ્રથમ પ્રકરણમાં આપેલી છે. તે અનુસાર જેના વડે શુભ કે અશુભ કર્મનું ગ્રહણ, સંપાદન કે આગમન થાય, તેને આશ્રવ સમજવાને છે. આશ્રવ એ કર્મબંધને હેતુ છે, તેથી તેની ગણના હેય તત્વમાં થાય છે. હેય એટલે છેડવા ગ્ય.
જેમ કે ઈ મેટા તળાવમાં ગરનાળાં દ્વારા સ્વચ્છ તેમજ ગંદું પાણી દાખલ થાય છે, તેમ છવમાં આશ્રય દ્વારા શુભ અને અશુભ કર્મો દાખલ થાય છે.
આશ્રવના મુખ્ય ભેદો ચાર છેઃ (૧) ઈન્દ્રિયાશ્રય, (૨) કષાયાશ્રવ, (૩) અવતાશ્રવ અને (૪) યોગાશ્રવ. તેમાં ઈન્દ્રિયાશ્રવ પાંચ પ્રકારને છે, કષાયાશ્રવ ચાર પ્રકારને
Page #309
--------------------------------------------------------------------------
________________
માથવતવ -
૨૩
છે, અવતાશ્રવ પાંચ પ્રકાર છે અને ગાશ્રવ ત્રણ પ્રકારનું છે. વિશેષમાં પચીશ પ્રકારની ક્રિયાઓ પણું આશ્રવમાં ગણાય છે. આ રીતે આશ્રવતત્વના ૫ + ૪૦ + ૫. +૩+ ૨૫ મળીને કુલ ૪ર ભેદો થાય છે.
ઈન્દ્રિયેનાં કારણે કર્મનું જે આગમન થાય, તેને ઈન્દ્રિયાશ્રવ કહે છે. તેના પાંચ પ્રકારે છે : સ્પર્શનેન્દ્રિયાશ્રય, રસનેન્દ્રિયાશ્રવ, ધ્રાણેન્દ્રિયાશ્રય, ; ચક્ષુરિન્દ્રિયાશ્રવ અને
ન્દ્રિયાશ્રવ. તેમાં સ્પર્શનેન્દ્રિયના ૮ વિષયે છે, રસનેન્દ્રિયના ૫ વિષયે છે, ઘ્રાણેન્દ્રિયને ૨ વિષયે છે, ચક્ષુરિન્દ્રિયના ૫ વિષયે છે અને શ્રોત્રેન્દ્રિયના ૩ વિષયે છે. આ રીતે પાંચ ઈન્દ્રિયેના બધા મળીને ૨૩ વિષયે. છે કે જેને પરિચય પૂર્વે યથાસ્થાને અપાઈ ગયેલ છે.
આત્મા પાંચ ઈન્દ્રિ દ્વારા આ વીશ વિષયને ભંગ કરે છે. હવે તે અનુકૂળ વિષય મળતાં રાગી બનેરાજી થાય અને પ્રતિકૂળ વિષય મળતાં દ્રષી બને–નારાજ થાય, તે કર્મનું આગમન થાય છે અને તે તે ઈન્દ્રિયને લગતે આશ્રવ ગણાય છે. દાખલા તરીકે એક મનુષ્યને સૂવા માટે મેટી તળાઈ મળતાં તે રાજી થાય છે અને મનથી તેનાં વખાણ કરે છે કે સૂવા માટે કેવી સુંદર તળાઈ મળી ! તે ત્યાં કર્મનું આગમન થાય છે અને તે સ્પર્શનેન્દ્રિયાશ્રવ કહેવાય છે. તે જ રીતે સુંદર રઈ સુગંધી પદાર્થો, મનહર રૂપ તથા મધુર સ્વરથી ઉત્તેજના પામી તેમાં આસક્ત બને તે કર્મનું આગમન થાય
Page #310
--------------------------------------------------------------------------
________________
વડર
નવ-નવ દીપિકા
છે અને તે અનુક્રમે રસનેન્દ્રિયાશ્રવ, ધ્રાણેન્દ્રિયાશ્રવ, ચક્ષુરિન્દ્રિયાશ્રવ અને શ્રોત્રેન્દ્રિયાશ્રવ કહેવાય છે. આ જ રીતે પ્રતિકુળ શય્યા મળતાં, બેસ્વાદ રઈ પ્રાપ્ત થતાં, દુર્ગધી પદાર્થોનો પરિચય થતાં, અપ્રશસ્ત રૂપ જોતાં કે કઈ કઠોર શબ્દ સાંભળતાં મન નારાજ થાય, એટલે કે મનમાં દ્વેષ ઉપજે તે પણ કર્મનું આગમન થાય છે અને તે ઇન્દ્રિયને આસવ ગણાય છે. - અહી એ સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે આત્મા ઈન્દ્રિયના વિષયમાં રાગી પણ ન બને અને શ્રેણી પણ ન બને, પરંતુ મધ્યસ્થતા કે સમભાવ ધારણ કરે તે કર્મનું આગમન થતું નથી, પણ કર્મો આવતાં અટકે છે કે જેને સંવર કહેવામાં આવે છે. વીતરાગ મહાપુરુષને ઈન્દ્રિયે હોય છે, પણ તે આસવ રૂપ નથી, કારણ કે તેઓ ઈન્દ્રિયના વિષયમાં રાગ-દ્વેષપૂર્વક વર્તતા નથી.
ઈન્દ્રિયના પાંચેય આશ્ર શુભ અને અશુભ એમ બે પ્રકારના હેય છે. તેમાં પ્રશસ્ત ભાવે વર્તતાં જે આશ્રવ થયો હોય, તે શુભ કહેવાય છે અને અપ્રશસ્ત ભાવે વર્તતાં જે આશ્રવ થયે હેય, તે અશુભ કહેવાય છે.
દાખલા તરીકે શ્રીજિનેશ્વરદેવના નાત્ર વખતે, ગુરુ તેમજ ગ્લાન મુનિનું વૈયાવૃત્ય કરતાં, તેમજ ધર્મો પકરણને સ્પર્શ થતાં રાગ થાય-આનંદ આવે તે શુભાશ્રય થાય, કારણ કે ત્યાં પ્રશસ્ત ભાવ વર્તે છે અને સ્ત્રી, પુત્ર વગેરેને સાંસારિક સનેહથી રપર્શ કરતાં રાગ થાય-આનંદ
Page #311
--------------------------------------------------------------------------
________________
આમથતા
આવે તે અશુભાશ્રવ થાય, કારણ કે ત્યાં અપ્રશસ્ત ભાવ વર્તે છે. અથવા ગુરુ વગેરેની ભક્તિના નિમિત્તે અન્નપાનની પરીક્ષા કરવા રસનાને ઉપગ કરીએ તે શુભાશ્રવ થાય, અને ત્યાં લિજજત ખાતર રસોઈ ચાખીએ તે અશુભાશ્રવ થાય. કારણ કે ત્યાં અનુક્રમે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવ વતે છે. અથવા પ્રભુપૂજાની સામગ્રીમાં રહેલી સુગંધથી રાજી થઈએ તે શુભાશ્રવ થાય અને મેજની ખાતર તેલ, અત્તર વગેરેની ખુશબે માણીએ તે અશુભાશ્રવ થાય, કારણ કે પ્રથમમાં પ્રશસ્ત ભાવ છે અને બીજામાં અપ્રશસ્ત ભાવ છે. અથવા જિનપ્રતિમા, ગુરુ, સંઘ, શાસ્ત્ર, ધર્મ, સ્થાન આદિનાં દર્શન કરીએ અને તેમનાં ગુણગાન સાંભળીએ તે શુભાશ્રવ થાય અને રૂપવતી રમણીઓના અંગે પાંગ નિહાળીએ, ખેલતમાશા જોઈએ તથા નાટક–સીનેમાનાં ગીત વગેરે સાંભળીએ તે અશુભાશ્રવ થાય, કારણ કે ત્યાં અનુક્રમે પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવનું પ્રવર્તન છે.
આને સાર એ છે કે ઈન્દ્રિયેના સમૂહને અંકુશમાં શખીએ, તેના વિષયમાં અનાસક્ત રહીએ તથા અનિષ્ટ વસ્તુઓને સોગ થતાં નારાજ ન થઈએ તે કર્મના આગમનથી બચી શકાય છે અને આત્માની ઉન્નતિ કરી શકાય છે. પરંતુ ઈન્દ્રિયેને વશ થયા, તેની ઉત્તેજના અનુભવી કે તેની આસક્તિમાં ફસ્યા તે કર્મનો પ્રવાહ ધબંધ આત્મા ભણું વહે છે અને પરિણામે બંધ થતાં + સ્ત્રીને ઉદ્દેર્શીને લઈએ ત્યાં પુરુષનાં રૂપદિ ઘટાવવાં.
Page #312
--------------------------------------------------------------------------
________________
-
~
૨૩૪
નવ-તત્ત્વ-દીપિકા આત્માની અધોગતિ થાય છે. માર્ગોનુસરણમાં પણ ઈન્દ્રિચેના જય ઉપર ભાર મૂકાયે છે, તે ચારિત્રની ઉત્તર ભૂમિકાઓ અંગે તે કહેવું જ શું? ઇન્દ્રિયને જ કર્યા વિના મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધી શકાતું નથી.
કષાયના કારણે કર્મનું જે આગમન થાય, તેને કપાયાશ્રય કહે છે. તેના ચાર પ્રકારે તે (૧) કોધાશ્રવ, (૨) માનાશ્રય, (૩) માયાશ્રવ, અને (૪) લેભાશ્રવ.
મનની જે વૃત્તિઓ આત્માને કલુષિત કરે છે, તે કષાય કહેવાય છે. તે કઈ વાર કોધરૂપે પ્રકટ થાય છે, તે કઈ વાર માનરૂપે; કેઇવાર માયારૂપે પ્રગટ થાય છે, તે કઈ વાર લેભરૂપે. તેમાં કોધ અને માન શ્રેષનું પરિણામ છે અને માયા તથા લેભ રાગનું પરિણામ છે; એટલે તે કર્મના સમૂહને આત્મા ભણી ખેંચે છે. કષાયને આત્માના કટ્ટા શત્ર કહ્યા છે કારણકે તે ઘણું કર્મોને ખેંચી લાવે છે અને આત્માને રાશીના ચકકરમાં ભમાડે છે. - કષાય કેઈ પ્રશરત કારણે ઉત્પન્ન થયે હોય તે શુભાશ્રવનું કારણ બને છે, અન્યથા અશુભાશ્રવનું કારણ તે છે જ. - ' “કષાય પ્રશસ્ત કારણે કેવી રીતે થાય?’ એ પ્રશ્નનો - ઉત્તર એ છે કે કઈ વ્યક્તિ દેવ, ગુરુ કે ધર્મને ઈરાદાપૂર્વક ધ્વંસ કરતી હોય કે દુર્વિનીત શિષ્યને ઠેકાણે લાવ હોય તે ક્રોધ કરે પડે છે અથવા પિતાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ ધર્મ અંગે કંઈક અભિમાન પણ ધારણ કરવું પડે
Page #313
--------------------------------------------------------------------------
________________
આવતત્વ
૩૫
-
--
છે, અથવા પશુઓને સંહાર થતું હોય કે દીક્ષાના સાચા અભિલાષીને તેના કુટુંબીજને બળજબરીથી રેકી રાખતા હોય તે અમુક પ્રકારે માયાનું સેવન પણ કરવું પડે છે અને જ્ઞાન-દર્શન–ચારિત્ર તથા વૈયાવૃત્યાદિનાં ઉપકરણે વગેરે માટે કંઈક લેભ પણ રાખવું પડે છે. આ રીતે ક્રોધાદિ ચારે કષા પ્રશસ્ત કારણે પણ થાય છે.
- મેક્ષની આરાધનામાં આગળ વધવું હોય તે ઈન્દ્રિય- જયની જેમ કષાયજય પણ અવશ્ય કરવો પડે છે. અથવા તે સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તે પ્રથમ કષાયમાંથી મુક્તિ મેળવવી પડે છે, તેથી જ કહેવાયું છે કે “પારમુઃિ શિસ્ત્ર મુવિ -કષાયમાંથી મુક્તિ મેળવવી, એ જ ખરેખર ! સાચી મુક્તિ છે.”
આ વ્રતને અભાવ અવ્રત કહેવાય છે. વ્રત એટલે વિરતિ, ત્યાગ, નિયમ કે પ્રત્યાખ્યાન. તે આત્મા પર એક જાતનું નિયંત્રણ લાવે છે અને તેથી કર્મનું આગમન અટકી જાય છે, પરંતુ અવતની દિશામાં કેઈ નિયંત્રણ રહેતું નથી.એટલે જાણતાં-અજાણતાં કર્મનું આગમન થયા જ કરે. છે કે જેને અગ્રતાથવ કહેવાય છે.
અવતાશ્રવના પાંચ પ્રકારો છેઃ (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન (૪) મિથુન અને (૫) પરિગ્રહ. તેમાં પ્રાણુના કેઈ પ્રાણુને અતિપાત એટલે નાશ કરે તે પ્રાણાતિપાત કહેવાય છે. પ્રાણીવધ, જીવવધ. જીવહિંસા, હિંસા, ઘાતના, મારણ, વિરાધના વગેરે તેના
Page #314
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
પર્યાયશબ્દો છે. મૃષા એટલે અસત્ય, ઉપલક્ષણથી અપ્રિય અને અહિતકર. તેને વધવું તે મૃષાવાદ કહેવાય છે. અલીક વચન, અસત્ય વચન, જૂઠાણું વગેરે તેના પર્યાય શબ્દો છે. અદત્ત એટલે વસ્તુના માલિકે રાજીખુશીથી નહિ દીધેલું, તેનું આદાન એટલે ગ્રહણ કરવું, તે અદત્તાદાન કહેવાય છે. તેય, ચોરી, પરદ્રવ્યહરણ વગેરે તેના પર્યાય શબ્દ છે. મિથુન એટલે સ્ત્રી પુરૂષનું જોડું. તેમની વિષયભેગને લગતી જે કિયા તેને મથુન કહેવાય છે. અબ્રહ્મ તેને પર્યાયશબ્દ છે. પરિ ઉપસર્ગ સમંતભાવને ઘાતક છે અને
ગ્રહપદ ગ્રહણનું સૂચન કરે છે. તાત્પર્ય કે મૂછ યા મમત્વ- ભાવથી ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, એનું, રાચ- રચીલું, નેકર-ચાકર તધા ઢેરઢાંખર વગેરેને સંગ્રહ કરવાની ક્રિયાને પરિગ્રહ કહેવામાં આવે છે.
અઢાર પાપસ્થાનમાં આ પાંચ કિયાઓને પહેલી મૂકી છે, કારણ કે તે મોટાં પાપ છે. તેનું સેવન કરતાં કર્મને જમ્બર પ્રવાહ આત્મા ભણી વહે છે અને પરિરણુમે આત્માની અગતિ થાય છે. વિશેષમાં આ પાપમય
પ્રવૃત્તિઓનું વિરમણ કરવામાં ન આવે, એટલે કે તેને સંકલ્પપૂર્વક ત્યાગ કરવામાં ન આવે, ત્યાં સુધી કર્મનું આગમન ચાલુ જ રહે છે. એક ખેતરને વાડ કરીએ તે
૧. વૈકિય (દેવી) અને દારિક (માનુષી અને તિયચી) એ બે પ્રકારની સ્ત્રી સાથે મન, વચન, કાયાથી બ્રહ્મ સેવવું, સેવરાવવું અને અનુમોદવું, એ રીતે અબ્રહ્મના ૧૮ પ્રકારે થાય છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
આવતત્વ
તેની સલામતી જળવાય છે અને વાડ ન કરીએ તે ગમે. તે ઠેર-ઢાંખર અંદર આવીને તેને ચરી જાય છે. આ જ રીતે વ્રત એ આત્મરક્ષણની વાડ છે. તે કર્મરૂપી ઢેરેને અંદર આવતાં અટકાવે છે, પરંતુ એ પ્રકારની વાડ ન હોય તે કર્મરૂપી ઢેર ગમે ત્યારે અંદર ઘુસી જાય છે અને આત્માની લીલુડી ગુણવાટિકાનું નિકંદન કાઢી નાખે છે.
અવતમાં પણ પ્રશસ્ત અને અપ્રશસ્તની વિચારણને સ્થાન છે. દાખલા તરીકે એક મનુષ્ય શાસનદ્રોહી, સંઘને સતાવનાર તથા ધર્મને ધ્વંસ કરનારે હય, તે તેને દંડ આપવા માટે કેટલીક હિંસાને આશ્રય લે પડે છે, પણ ત્યાં ભાવના પ્રશસ્ત હોવાથી શુભાશ્રવ થાય છે. જ્યારે સ્વાસ્થિિનમિત્તે અન્ય જીવેની હિંસા કરવામાં આવે, ત્યાં અપ્રશસ્ત ભાવ છે, તેથી તે અશુભાસવને જન્મ આપે છે. બીજા અવતેમાં પણ યથાયોગ્ય આ પ્રમાણે વિચારવું.
યેગને કારણે કર્મનું જે આગમન થાય, તેને યેગાશ્રવ કહે છે. જીવ અસંખ્ય પ્રદેશવાળે છે, આ વસ્તુ પૂર્વે જીવતત્વના વર્ણન પ્રસંગે કહેવામાં આવી છે. આ પ્રદેશેમાંથી મધ્યના આઠ પ્રદેશે કે જેને “ચક કહેવામાં આવે છે, તે સિવાયના બધા પ્રદેશમાં એક પ્રકારનું પરિસ્પંદન (Vibration) થાય છે. અને તે પરિસ્પંદનના કારણે જ કાર્મણ વર્ગણુઓને સમૂહ જીવ તરફ આકર્ષાઈ તેની સાથે સમ્બદ્ધ થાય છે. આત્મપ્રદેશોનું આ પરિસ્પંદન ત્યારે જ બંધ થાય છે કે જ્યારે આત્મા ચૌદમા ગુણસ્થાનકે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૩૮
નવ-તત્ત્વ-દીપિકા
આવી અગી બને છે. પછી કર્મોનું જીવ ભણી આકર્ષણ થતું નથી અને કર્મને બંધ પડતું નથી.
પ્રવૃત્તિના ભેદથી ચાગના ત્રણ પ્રકારે પડે છે? (૧) કાયયેગ, (૨) વચનગ અને (૩) મનેગ. તાત્પર્ય કે આત્મા કાયા દ્વારા જે પ્રવૃત્તિ કરે છે, તે કાયમ કહેવાય છે, વચનદ્વારા જે પ્રવૃત્તિ કરે છે, તે વચનગ કહેવાય છે અને મનદ્વારા જે પ્રવૃત્તિ કરે છે તે મનેયેગ કહેવાય છે. આ ત્રણે પ્રકારના ચોગદ્વારા કર્મનું આગમન થાય છે, તેથી ગાશ્રવના ત્રણ પ્રકારે છે.
મન, વચન, કાયાની પ્રવૃત્તિ પ્રશસ્ત ભાવથી થતી હોય તે શુભાશ્રવ થાય છે અને અપ્રશસ્ત ભાવથી થતી હેય તે અશુભાશ્રવ થાય છે. દાખલા તરીકે ચાલવું, એ કાયગ છે, તેથી આશ્રવ તે થવાને જ; પરંતુ એ ચાલવાની ક્રિયા દેવગુરુના દર્શન માટે થતી હોય કે કેઈ જીવની રક્ષા માટે થતી હેય યા તીર્થગમનાદિ નિમિત્તે થતી હોય તે શુભાશ્રવ થાય છે, કારણ કે તે પ્રશસ્ત ભાવથી થાય છે. પરંતુ તે કિયા અર્થ કે કામની પ્રવૃત્તિ માટે થતી હોય કે કઈ સાથે લડવા-ઝઘડવા માટે થતી હોય કે નાટક-સીનેમા આદિ જેવા માટે થતી હોય તે અશુભાશ્રવ થાય છે, કારણ કે તે અપ્રશસ્ત ભાવથી થાય છે. (૧) ઉપમા
એકવીસમી ગાથામાં “શિથિગો પછી એ શબ્દો વડે પચીશ કિયાઓનું સૂચન કરવામાં આવ્યું છે
Page #317
--------------------------------------------------------------------------
________________
અગ્રવતત્વ
રક
भने 'इमा छ ताओ अणुकमसो' से पह 48 आयाએનું વર્ણન કરવાની તત્પરતા દર્શાવી છે. હવે પ્રકરણકાર મહર્ષિ એકવીસમી, બાવીસમી અને ત્રેવીસમી ગાથામાં તે પચીસ ક્રિયાઓનાં નામ આ પ્રમાણે જણાવે છે (२) भूण था: काइय अहिगरणिया, पाउसिया पारितावणी किरिया। पाणाइवायारंभिय, परिग्गहिआ मायवत्ती अ ॥२२॥ मिच्छादसणवत्ती, अपच्चक्खाणीय दिट्ठि पुहि य । पाडच्चिय सामंतोवणी नेसथि साहत्थी ॥२३॥ आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइयो । अन्ना पोग समुदाणपिज्झ दोसेरियावहिया ॥२४॥ (3) संस्कृत छाया: कायिक्यधिकरणिकी, प्राद्वेषिकी पारितापनिकी क्रिया। प्राणातिपातिक्यारम्भिकी, परिग्रहिकी मायाप्रत्ययिकी च। मिथ्यादर्शनप्रत्ययिकी अप्रत्याख्यानिकी च दृष्टिकी पृष्टिकीचा प्रातित्यकी सामन्तोपनिपातिकी नैशस्त्रिकी स्वाहस्तिकी ॥२३॥ आज्ञापनिकी वैदारणिकी, अनाभोगिक्यनवकाङ्क्षाप्रत्ययिकी। अन्या प्रायोगिकी सामुदानिकी प्रेमिकी द्वैषिकी
पिथिकी ॥२४॥ (४) शार्थ :
काइय-अथिी .
Page #318
--------------------------------------------------------------------------
________________
નવનવ-દીપિકા
દિવાળી–અધિકરણિકો. જારિયા-પ્રાàષિકી. પવિતાવળી-પારિતાપનિકી. જિરિયા-કિયા. પાવાવ-પ્રાણાતિપાતિકી,
पाणाइवाय भने आरंमिय ते पाणाइवायोमिय. પાgિવાય-પ્રાણાતિપાત, પ્રાણાતિપાતિકી,
થાઈમિ–આરંભિકી. પરિફિક-પારિગ્રહિકી. માગવત્તી-માયાપ્રત્યયિકી,
અને. મિચ્છાવિત્તી-મિથ્યાદર્શનખત્યયિકી. પવનંત-અપ્રત્યાખ્યાનિકી. -અને, વિષ્ટ્રિ-દષ્ટિ. પુષ્ટિ-પૃષ્ટિકી. -પદપૂરણુથે વાવિય-પ્રાહિત્યકી. સાત વીસ-સામતે નિપાતિકી,
જિગ્નેશસ્ત્રિકી, મૈસૂષ્ટિકી. સાથી-સ્વાહસ્તિકી. બાવાજઆજ્ઞાપનિકી.
Page #319
--------------------------------------------------------------------------
________________
માવતર
-
----
---
----
-
-
-
-
-
વિભાળિયા-વૈદારણિકી.
મો-અનાગિકી. અવિનંepય-અનવકાંક્ષપ્રત્યયિકી. અન–બીજી. જો–પ્રાગિકી.
-સમાદાનિકી. જિm-પ્રેમિક, પ્રેમપ્રત્યયિકી. રોલ-ષિકી, દ્વેષપ્રત્યયિકી.
રિચાહિયા–અપથિકી. (૫) અર્થ–સંકલના
(૧) કાયિકી, (૨) અધિકરણિકી, (૩) પ્રાપિકી, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણુતિપાતિકી, (૬) આરંભિકી, (૭) પારિગ્રહિકી, (૮), માયાપ્રત્યાયિકી, ૯) મિથ્યાદર્શનપ્રત્યાયિકી, (૧૦)અપ્રત્યાખ્યાનિકી, (૧૧) દષ્ટિકી, (૧૨) સ્મૃષ્ટિકી, (૧૩) પ્રાતિત્યકી, (૧૪) સામતેપનિપાતિકી, (૧૫) નેશસ્ત્રિકી (નૈસૃષ્ટિક), (૧૬) સ્વાહસ્તિકી, (૧૭) આજ્ઞાનિકી, (૧૮) વૈરાણિકી (૧૯) અનાગિકી,” (૨૦) અનવકાંક્ષપ્રત્યયિકી, (૨૧) પ્રાચેગિકી, (૨૨) સમાદાનિકી, (૨૩) પ્રેમિકી, (ર૪) ષિકી અને (૨૫) અયપશ્ચિકી, આ પચીશ ક્રિયાઓ છે. (૬) વિવેચન ,
' આત્મા જે વ્યાપાર વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે, ૧૬
Page #320
--------------------------------------------------------------------------
________________
નવ-તાવ-દીપિકા તેને અહીં ક્રિયા કહેલી છે. આવી ક્ષિાઓ પચીસ છે. તે આ પ્રમાણે
(૧) કાચિકી-કાયા એટલે શરીર, તેને અજયાએ પ્રવર્તાવતાં જે કિયા લાગે, તેને કાયિકી કિયા કહેવાય છે. આ ક્રિયા બે પ્રકારની છેઃ (૧) અનુપરત કાયિકી ક્રિયા અને (ર) અનુપયુક્ત કાયિકી કિયા. તેમાં જેણે હિંસાદિ પાપનું પ્રત્યાખ્યાન કરેલું નથી, એવા વિરતિરહિત જીવની કાયાની પ્રવૃત્તિ વડે જે કિયા થાય તે અનુપરત કાયિકી ક્રિયા કહેવાય અને જેણે હિંસાદિ પાપનું પ્રત્યાખ્યાન કરેલું છે, એવા વિરતિધર પ્રમત્ત સાધુને અનુપગપણે વર્તતાં કાયાની પ્રવૃત્તિ દ્વારા જે ક્રિયા થાય, તે અનુપયુક્ત કાયિકી ક્રિયા કહેવાય.
(૨) અધિકારણિકી-અધિકરણ એટલે હિંસાના સાધને. તે શસ્ત્રાદિ સમજવાં. આ ક્રિયા બે પ્રકારની છે? (૧) સયાજનાધિકરણિકી અને (૨) નિર્વતનાધિકરણિકી. તેમાં સજન એટલે હિંસાનાં સાધને–તલવાર, ધનુષ્ય, ભાલા, બરછી, બંદુક, તેપ વગેરે સજાવી-જેડી તૈયાર રાખવાં, તે સજનાધિકરણિકી ક્રિયા કહેવાય અને તેને નવા તૈયાર કરાવવાં, તે નિર્વાધિકણિકી ક્રિયા કહેવાય. ઔદારિક શરીર પણ હિંસાનું સાધન હેવાથી, તેના દ્વારા અધિકરણિકી ક્રિયા લાગે છે.
(3) પ્રાષિકી–જીવ તથા અજીવ પર દ્વેષ કરવાથી જે કિયા લાગે, તે પ્રાષિકી કહેવાય.
Page #321
--------------------------------------------------------------------------
________________
આશ્રવતત્વ . ..
૨૪
. (૪) પારિતાપનિકી–પિતાને અથવા પરને પશ્તિાપ ઉપજાવવા વડે જે ક્રિયા લાગે, તે પારિતાપનિકી ક્રિયા. કહેવાય. પુત્રાદિકના વિયેગથી દુઃખી થતે જીવ પિતાની છાતી ફૂટે, માથું ફેડે તે તે સ્વપરિતાપનિકી ક્રિયા કહેવાય અને જે પુત્ર--શિષ્ય વગેરેને તાડન-નર્જન કરે તે પરપારિતાપનિકી ક્રિયા કહેવાય. તાત્પર્ય કે આ ક્રિયા પણ રવ અને પરના ભેદથી બે પ્રકારની છે.
(૫) પ્રાણુતિપાતિકી–પિતાના તથા બીજાનાં પ્રાણુને નાશ કરતાં જે ક્રિયા લાગે, તે પ્રાણાતિપાતિકી કિયા કહેવાય. ' (૬) આરંભિકી-ખેતી કરવી, ઘાસ કાપવું, રસોઈ કરવી વગેરે જીવનનિર્વાહ માટેની પ્રવૃત્તિઓને આરંભ કહેવામાં આવે છે. તેના દ્વારા જે કિયા લાગે, તે આર. લિકી કહેવાય છે. આમાં જીવ હણવાની બુદ્ધિ હોતી નથી, છતાં જીવ હણાય છે, તેથી ક્રિયા લાગે છે. જે જીવ હણવાની બુદ્ધિએ આવી કિયા થાય, તે તેની ગણના પ્રાણાતિપાલિકામાં થાય છે.
(૭પારિગ્રહિકી-ધન, ધાન્ય, જમીન, પશુ વગેરેને મમત્વ ભાવથી સંગ્રહ કરતાં જે કિયા લાગે, તેને પારિગ્રહિક કહેવાય.
(૮) માયાપ્રત્યાયિકી–માયા-કપટ કરવાથી જે કિયા લાગે, તે માયાપ્રત્યચિકી કહેવાય. પ્રત્યય એટલે- કારણ
Page #322
--------------------------------------------------------------------------
________________
નવ-નવા-દીપિક
મિથ્યાદર્શનપ્રચયિકી–જિનપ્રણીત - ની વિપરીત શ્રદ્ધા કરતાં જે ક્રિયા લાગે, તે મિાદર્શન પ્રત્યચિકી કહેવાય.
(૧) અપ્રત્યાખ્યાનિકી–ત્યાગની અભિમુખ્યતાએ લેવાતી પ્રતિજ્ઞાને પ્રત્યાખ્યાન કહેવાય છે. આવી પ્રતિજ્ઞાના અભાવે જે કિયા લાગે, તે અપ્રત્યાખ્યાનિકી કહેવાય.
(૧૧) દૃષ્ટિક–જીવ અથવા અજીવને રાગાદિથી દેખતાં જે ક્રિયા લાગે, તે દણિકી કહેવાય.
) સ્પષ્ટિકી જાવ અથવા અવને સગાદિથી સ્પર્શ કરતાં જે કિયા લાગે, તે સ્મૃષિકી કહેવાય.
(૧૩) પ્રાતિચકી–જીવ અથવા આજીવને આશ્રયી રાગ-દ્વેષ કરતાં જે યિા લાગે, તે પ્રાતિયકી યિા કહેવાય. કેઈના હાથી, ઘોડા, નેકર-ચાકર વગેરેને રાગદ્વેષથી જોતાં જીવપ્રાતિયકી ક્રિયા લાગે અને આભૂષણ, મોહેલ વગેરેને રાગદ્વેષથી જોતાં અજીવપ્રાતિયકી કિયા લાગે.
(૧) સામતે નિપાતિકી-સમૃતાત્ એટલે ચારે બાજુથી, ઉપનિપાત એટલે લેકેનું આવી પડવું, અથવા ત્રસ જંતુઓનું આવી પડવું, તે સામતે નિપાલિકી કિયા. તાત્પર્ય કે પિતાને ત્યાં ઉત્તમ હાથી, ઘડા વગેરે લાવવાથી અનેક લેકો જેવા આવે અને તેમની પ્રશંસા સાંભળી પિલે રાજી થાય તથા. કેઈ. તેની ખેડ–ખાંપણ બતાવે તે આવે તેને સામતનિપાતિકી ક્રિયા કહેવાય.
Page #323
--------------------------------------------------------------------------
________________
કાશતત્વ
અથવા તેલ-ઘી વગેરેનાં ભાજને ઉઘાડાં સૂતાં તેમાં ચારે બાજુથી ઉડતા ત્રસ જીવે આવીને પડે, તે પણ સામતેપનિપાતિકી ક્રિયા કહેવાય.
(૧૫) શસિકી-રાજા વગેરેની આજ્ઞાથી શસ્ત્રઅસ્ત્ર ઘડાવવા વડે જે ક્રિયા લાગે, તે ઐશસિકી કહેવાય. અથવા જીવ અને અજીવ પર ચંદ્રપ્રયોગ કરતાં જે ક્રિયા લાગે, તે મેષિકી કહેવાય. યંત્રાદિ વડે કૂવામાંથી પાણી કાઢી કૂવે ખાલી કરાવે તે જીવસૃષ્ટિકી ક્રિયા કહેવાય અને ધનુષ્યમાંથી બાણુ ફેકવું, તે અજીવનેસ્ટિક કિયા કહેવાય.
(૧૬) સ્વાહરિતકી--પિતાના હાથે શ્વાનાદિ છવ વડે અથવા શસ્ત્રાદિ અજીવ વડે છવ મારવાથી જે ક્રિયા લાગે, તે વાહસ્તિકી કહેવાય.
(૧૭) આજ્ઞાનિકી-જીવ અથવા અજીવને આજ્ઞા કરવાથી જે કિયા લાગે, તે આજ્ઞાનિકી કહેવાય. અહીં આયનિકી એવું નામ પણ જોવામાં આવે છે. બીજા પાસે કોઈ વસ્તુ મંગાવવાથી જે કિયા લાગે, તે આયનિકી કહેવાય.
(૧૮) વેદારણિકી–જીવ અથવા અજીવને વિદ્યારણું કરવા વડે જે ક્રિયા લાગે, અથવા બીજાના દુરિત્રને પ્રકાશ કરી તેની માન-પૂજાને નાશ કરવા વડે જે ક્રિયા લાગે, તે વૈદારણિકી કહેવાય. અહીં વતારણિકી એવું નામ
Page #324
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
પણ જોવામાં આવે છે. બીજાઓને છેતરવા વડે જે કિયા લાગે તે વૈતારણિકી ક્રિયા કહેવાય. . (૧૯) અનાભોગિકી–અનાભોગ એટલે અસાવધાની. કેઈ પણ પ્રવૃત્તિ અસાવધાનીએ કરતાં જે ક્રિયા લાગે, તે અનાગિકી કહેવાય. : (૨૦) અનવકાંક્ષપ્રત્યાયિકી––પિતાના અથવા પરના હિતની આકાંક્ષા-અપેક્ષારહિત આ લેક અને પરલોક વિરુદ્ધ ચેરી, પરદારગમન વગેરે પ્રવૃત્તિ કરતાં જે ક્રિયા લાગે, તે અનવકાંક્ષપ્રત્યયિકી કહેવાય.
(૨૧) પ્રાયોગિકી––અહીં પ્રયોગ શબ્દથી હિંસાદિ દુષ્ટ કાયવ્યાપાર, અસત્ય ભાષણરૂપ દુષ્ટ વચનવ્યાપાર અને દ્રોહ, ઈર્ષા, અભિમાન વગેરરૂપ દુષ્ટ મને વ્યાપાર સમજવે. તેના વડે જે ક્રિયા લાગે, તે પ્રાયોગિકી કહેવાય. . (૨૨) સમાદાનિકી–ત્રણ પ્રકારના યંગ દ્વારા આઠ પ્રકારના કર્મ પુદ્ગલને ગ્રહણ કરવારૂપ જે કિયા તે સમાદાનિકી કહેવાય અથવા તે ચેગને બનાવવામાં સમર્થ એવા પુદ્ગલેનું ગ્રહણ કરવું, તે સમાદાનિકી ક્રિયા કહેવાય.
(૨૩) પ્રેમપ્રત્યચિકી-પિતે પ્રેમ કરતાં અથવા બીજાને પ્રેમ ઉપજે એવાં વચને બેલતાં જે કિયા લાગે, તે પ્રેમપ્રત્યયિકી કહેવાય.
(૨૪) દ્વેષપ્રત્યયિકી–પોતે દ્વેષ કરતાં અથવા બીજાને ઠેષ ઉપજે એવાં વચને બેલતાં જે ક્રિયા લાગે, તે હેપપ્રત્યયિકી કહેવાય.
Page #325
--------------------------------------------------------------------------
________________
આશ્રવતત્ત્વ
૨૪૭
(૨૫) એર્યાપથિકી–કષાયને અભાવ થતાં કેવળ કાયયોગ નિમિત્તે જે કિયા લાગે, તે અર્યાપથિકી કહેવાય. આ કિયા મેહનીયકર્મ રહિત છદ્મસ્થને અથવા સગી કેવલીને હોય છે.
આમાંના કેટલાક ભેદો ઈન્દ્રિય, કષાય, અત્રત અને યેગમાં અંતર્ગત થઈ શકે એવા છે, પણ ક્રિયાની અપેક્ષાએ તેનું સ્વતંત્ર નિરૂપણ કરેલું છે. તેમાં ઉપલક દૃષ્ટિએ કેટલાક ભેદ સમાન જેવા લાગે છે, પણ સૂમ દષ્ટિએ વિચારતાં તે જુદા છે.
આશ્રવથી બચીએ તે કર્મબંધથી બચાય અને કર્મબંધથી બચીએ તે આત્માની ઉન્નતિ સાધી શકાય, તેથી આશ્રવથી બચવા માટે પૂરતી કાળજી રાખવાની જરૂર છે. : “આશ્રવતત્વ નામનું આઠમું પ્રકરણ અહીં પૂરું થાય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમુ
સવરતત્ત્વ
[ ગાથા પચીશમીથી તેત્રીશમી સુધી ]
(૧) ઉપમઃ
જેમ જીવનુ વિરોધી તત્ત્વ અજીવ છે અને પુણ્યનું વિરાધી તત્ત્વ પાપ છે, તેમ આશ્રવન વિધી તત્ત્વ સવર છે. તત્ત્વાર્થ સૂત્રમાં તા શ્રવનિરોધઃ સંવર: - આશ્રવના નિરાધ, તે જ સંવર ’ એવી સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે.
આશ્રવની ગણુના હૈયતત્ત્વમાં થઈ છે, કારણુ કે કર્મના સમૂહ-કનું કટક આત્મા ભણી આવે એ ઇષ્ટ નથી. ધાડપાડુઓનુ કોઈ ટોળું ગામભણી આવતુ હોય તેા અને ઇષ્ટ કાણુ લેખે ? એ ગામમાં આવે તે નિશ્ચિત લૂટફાટ કરવાનું અને લોકોને ત્રાસ પમાડવાનું. કમઁકટકની સ્થિતિ પણ આવી જ છે. તેના આત્મા સાથે સંબધ થયા કે તે જ્ઞાનાદિ અનેક ગુણાના રાધ કરવાનું અને દુઃખ, કષ્ટ કે સુશીખતાની જાળ પાથરવાનુ. પરંતુ સંવરની ક્રિયા આ
Page #327
--------------------------------------------------------------------------
________________
અનિચ્છનીય સ્થિતિમાંથી બચાવે છે. તે કમકને ૨ ૩ જાઓને આદેશ આપે છે અને આત્મગુણોને વિકાસ કરી તેનું ઊર્ધ્વીકરણ કરે છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે આત્માને તે એક પછી એક ચા ગુણસ્થાનકે ચડાવે છે અને એ રીતે તેની ઉન્નતિ કરવામાં અપૂર્વ ફાળે આપે છે. સંવતત્ત્વની ગણના શુદ્ધ ઉપાદેય તત્વમાં થાય છે,
હવે ક્રમપ્રાપ્ત સંવરતત્ત્વનું વર્ણન કરવા માટે પ્રકરણકાર મહર્ષિ પચીશમી ગાથા આ પ્રમાણે કહે છે? (૨) મૂળગાથા: समिई गुत्ती परीसह, जइधम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस, बार पंच भेएहिं सगवना ॥२५॥ (૩) સંસ્કૃત છાયાઃ
તિષિઃ જી વિષમ નાશિrfજા પર વિજ વિંશત્તિવેરા લાવવા સરકાર પણ (૪) શબ્દાર્થ:
-સમિતિ.
સમેજીમતિ મિસિ-સારી રીતે એકીભાવ થયેલે છે-એકાગ્રતા થયેલી છે, જે ક્રિયામાં તે સમિતિ.” અથવા “મનૈ પણ રણા સમિતિ –એકાગ્ર પરિણામ વાળી અથાત્ સભ્ય ઉસેગવાળી પ્રવૃત્તિ તે સમિતિ.”
ગુત્તી–ગુપ્તિ.
પન્ન ગુપ્તા –જે કિયા વડે અનિષ્ટ સંપર્ક કે અનિષ્ટ
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૫૦
નવ-તત્વ-દીપિકા
પરિણામ રેકાય, તેને ગુપ્તિ કહે છે. અહીં ગુન્ ધાતુ રક્ષા કરવાનો અર્થમાં છે. - પરીસહ-પરીષહ, પરીષહજય.
મોક્ષમાર્ગમાંથી વિનિપાત ન થવા દેનારી તેમજ કર્મની નિર્જરાના કારણભૂત એવી સુધાદિ ઉપદ્રવે સહન કરવાની શક્તિને પરીષહ કહે છે
ધો-યતિધર્મ. * મેક્ષ માટે યત્ન કરે તે યતિ કહેવાય છે. સાધુ, શ્રમણ, મુનિ, ભિક્ષુ એ તેના પર્યાય શબ્દો છે. યતિને ધર્મ, તે યતિધર્મ. - માવળા-ભાવના.
જે ભવવૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર ભાવવામાં આવેવિચાāામાં આવે, તે ભાવના કહેવાય છે. અથવા જેના પુનઃ પુનઃ સ્મરણ વડે આત્મા મેલાભિમુખ થાય, તેને ભાવના સમજવાની છે.
રિચારિત્ર. * * “રાત્તિ નિતિન ફરિ વારિત્રમ્ | જેના વડે અનિન્દ્રિત અર્થાત્ પ્રશસ્ત આચરણ થાય, તે ચારિત્ર કહેવાય.” અથવા “અષ્ટવિ-કર્મચરિત્ વા રાત્રિઆઠ પ્રકારના કર્મસંચયને ખાલી કરનાર હોવાથી તે ચારિત્ર કહેવાય છે.”
vબ-પાંચ,
Page #329
--------------------------------------------------------------------------
________________
સંવરતત્વ
૨૫.
ત્તિ-ત્રણ. તુવીસ-બાવીશ. વ-દશ. વાર-બાર. વંજ-પાંચ.
હિં–ભેદો વડે.
સવિન–સત્તાવન. (૫) અર્થ-સંકલનાઃ
' સંવરતત્વ સમિતિ, ગુપ્તિ, પરીષહજય, યતિધર્મ, ભાવના અને ચારિત્રના પાંચ, ત્રણ, બાવીશ, દશ, બાર અને પાંચ ભેદે વડે સત્તાવન પ્રકારનું છે. (૬) વિવેચન : * સંવરતત્વ સત્તાવન ભેદે જાણવા ગ્ય છે. આ સત્તાવન ભેદને નિર્દેશ પ્રસ્તુત ગાથામાં કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ સંવરતત્વનો મુખ્ય છ ભેદો કહી, પછી તેના ઉત્તરભેદ કહેવામાં આવ્યા છે. સમિતિ, ગુપ્તિ, પરીષહજય, યતિધર્મ, ભાવના અને ચારિત્ર એ સંવરતત્વના મુખ્ય ભેદ છે. તેમાં સમિતિ પાંચ પ્રકારની છે, ગુપ્તિ ત્રણ પ્રકારની છે, પરીષહજય બાવીશ પ્રકારને છે, યતિધર્મ દશ પ્રકાર છે, ભાવના બાર પ્રકારની છે અને ચારિત્ર પાંચ પ્રકારનું છે. આ રીતે સંવરતત્વના. કુલ સત્તાવન ભેદો થાય છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
નવતરવન્દીપિકા
તત્વાર્થસૂત્રમાં સંવરતત્વના મુખ્ય છ લે આપેલા છે, પણ તેના ક્રમમાં તફાવત છે, જેમ કે-૪ મુક્તિ સમિતિક્ષાપરીષયવાર ” તે અર્થાત સંવર ગુપ્તિ, સમિતિ, ચિતિ, ધર્મ, અનુપ્રેક્ષા (ભાવના), પરી– પહજય અને ચારિત્ર વડે થાય છે. વિશેષમાં “તા નિર્જરા ' એ સૂત્ર વડે એમ સૂચિત કર્યું છે કે તપ વડે સંવર અને નિર્જરા બને થાય છે, એટલે તમને પણ સંવરની જ એક ક્રિયા સમજવાની છે.
અહીં સંવરના જે છ મુખ્ય ભેદે આપ્યા છે, તે સાધુ કે શ્રમણજીવનનાં પ્રધાન અગે છે. તાત્પર્ય કે સંવરની સાધના સાધુજીવનમાં ઉત્તમ રીતે થાય છે. સંયમી આત્માની જીવન ધારણ કરવા માટેની સભ્ય પ્રવૃત્તિ, તે સમિતિ કહેવાય છેમન-વચન-કાયાની સાવધ પ્રવૃત્તિને રિકવી અને નિરવદા પ્રવૃત્તિ કરવી, તે ગુપ્તિ -કહેવાય છે, સંયમમાં સ્થિર રહેવા માટે ક્ષુદ્ર ઉપદ્ર સમભાવે સહન કરી લેવા, તે પરીષહજય કહેવાય છે. ક્ષમાદિ દશ ઉત્તમ ધર્મોનું પાલન કરવું, તે યતિધર્મ કહેવાય છે અનિત્યાદિ બાર પ્રકારની વિચારધારાનું સેવન કરવું, તે ભાવના કહેવાય છે અને વિરતિમય જીવન ગાળવું, તે ચારિત્ર કહેવાય છે. ૧) ઉપમઃ *
પૂર્વ ગાથામાં સંવરના સત્તાવન ભેદની ગણના કરવામાં આવી છે. તેમાં પ્રથમ ઉલ્લેખ સમિતિ અને ગુપ્તિને કરવામાં
Page #331
--------------------------------------------------------------------------
________________
સંવતત્ત્વ
૫૩
આવ્યા છે. સમિતિ પાંચ પ્રકારની છે, ગુપ્તિ ત્રણ પ્રકારની, તેનાં નામેા પ્રકરણુકાર મહર્ષિ છવીસમી ગાથામાં આ પ્રમાણે કહે છેઃ
(૨) મૂળગાથા :
इरिया भासेसणाऽऽदाणे, उच्चारे समिईसु अ । मणगुत्ती वयगुत्ती, कायगुत्ती तहेव य ॥२६॥ (૩) સંસ્કૃત છાયા ફેશોમાયા-પળાવાને, મુખ્તારે સમિતયક્ષ । मनोगुप्तिः वचोगुप्तिः, कायगुप्तिस्तथैव च ॥२६॥ (૪) શબ્દા : રિયા ાિસમિતિ.
IRE
ફળદ્—ાં જવા આવવાની કે ચાલવાની પ્રવૃત્તિને માં હેવામાં આવે છે. તેને લગતી જે સમિતિ, તે ઇય્યસમિતિ.
માસ-ભાષાસમિતિ.
આવ અને સળા ની સધિ થતાં માલેલા એવુ પદ્મ બનેલું છે. માલ–ભાષા, વાણી-વ્યવહાર. તેને લગતી જે સમિતિ તે ભાષાસમિતિ,
સળા–એષણાસમિતિ.
લળા–શુદ્ધ આહાર, ઉપષિ અને શય્યા મેળવવાને પ્રયત્ન, તેને લગતી જે સમિતિ, તે એષણાસમિતિ. બાવાને આદાનસમિતિ, જ્ઞાનનિક્ષેપસમિતિ,
Page #332
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
વન–લેવું, ઉપલક્ષણથી મૂકવું. તાત્પર્ય કે વસ્ત્ર, પાત્ર વગેરે લેવા અને મૂકવાને લગતી જે સમિતિ, તે આદાનસમિતિ કે આદાન-નિક્ષેપસમિતિ. ઉત્તર-ઉચ્ચારસમિતિ, ઉત્સર્ગ સમિતિ,
અવાર-ઋાડે–પેશાબ ઉપલક્ષાણુથી કફ નાસિકાને -મેલ, અશુદ્ધ આહાર, વધેલે આહાર, નિરુપયોગી થયેલ ઉપકરણ વગેરે. તેને પરઠવવાને લગતી જે સમિતિ, તે ઉચાર કે ઉસસમિતિ. તેને પારિજાપનિકાસમિતિ પણ કહે છે. પરિષ્ઠાપન કરવું એટલે નિરુપયેગી થયેલ વસ્તુને વિધિસર પરઠવી દેવી-છેડી દેવી.
મળgી–મને ગુપ્તિ.
મનને સાવઘમાર્ગના વિચારથી રેકવું અને સભ્ય વિચારમાં પ્રવર્તાવવું, તે મને ગુપ્તિ કહેવાય. સમિતિ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિ નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ છે.
વચgરી-વચનગુપ્તિ.
સાવધ વચન ન બેલવું અને નિરવ વચન બોલવું, તે વચનગુપ્તિ કહેવાય.
જાગુત્તી કાયગુપ્તિ.
કાયાને સાવધ પ્રવૃત્તિમાંથી રવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં જોડવી તે કાયશુતિ કહેવાય.
-તેમજ ય વળી, અથવા છંદપૂર્તિ માટે. '
Page #333
--------------------------------------------------------------------------
________________
સંવતત્વ (૫) અર્થસંકલના
'પાંચ સમિતિએ તે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ અને ઉત્સર્ગસમિતિ, તેમજ ત્રણ ગુપ્તિએ તે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, (૬) વિવેચન :
સંવરની સિદ્ધિ કરવા માટે જે ક્રિયાઓ ઉપયોગી મનાયેલી છે, તેમાં સમિતિ અને ગુપ્તિની મુખ્યતા છે. શાસ્ત્રકારોએ તેને અષ્ટપ્રવચનમાતાની ઉપમા આપેલી છે. પ્રવચન એટલે સંયમી પુરુષને ચારિત્રરૂપ દેહ, તેનું બારણું - પિષણ કરવા માટે માતા સમાન એવી જે આઠ વસ્તુઓ તે અષ્ટપ્રવચનમાતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
एयाओ पञ्च समिइओ, चरणस्स य पवत्तणे । गुत्ति नियत्तणे वुत्ता, अनुभत्थेमु सव्वसा ।। एसा पक्यणमाया, जे सम्मं आयरे मुणी। खिप्पं सत्र संसारा, विप्पमुच्चइ पण्डिए ।
આ પાંચ સમિતિએ ચારિત્રનું પ્રવર્તન કરવામાં ઉપયોગી છે, અને ત્રણ ગુપ્તિઓ અશુભ વ્યાપારમાંથી સર્વથા નિવૃત્ત થવા માટે ઉપયોગી છે. આ રીતે આઠ પ્રવચનમાતાનું જે બુદ્ધિમાન મુનિ સભ્ય આચરણ કરે છે, તે સર્વે સંસારમાંથી શીબ મુક્ત થાય છે. ! !
ઈસમિતિનું પાલન કરવા માટે નીચેના છે નિયમોનું અનુસરણ જરૂરી છે .
Page #334
--------------------------------------------------------------------------
________________
નવ-તરવરીપિકા (૧) જ્ઞાન-દર્શન-ચારિત્રના હેતુથી ચાલવું, અન્ય હેતુથી નહિ.
(૨) દિવસના સમય દરમિયાન ચાલવું, રાત્રે નહિ.
૩) જ્યાં સારી રીતે અવરજવર થતી હોય તેવા માર્ગમાં ચાલવું, પાછું તદ્ નવા. માર્ગમાં ચાલવું નહિ કે જ્યાં સચિત્ત માટી વગેરેને સંબંધ હોય છે.
(૪) સારી રીતે જોઈને ચાલવું, પણ જોયા વિના ચાલવું નહિ
(૫) નજરને નીચી રાખી ચાર હાથ ભૂમિનું અવલેન કરતા ચાલવું પણ નજરને ઊંચી રાખી અહીંતહીં જોતા ચાલવું નહિ
(૬) ઉપગપૂર્વક ચાલવું, ઉપયોગ વિના નહિ.
ભાષા સમિતિનું પાલન કરવા માટે નીચેના આઠ નિયમનું અનુસરણ જરૂરી છે
(૧) ક્રોધથી બેલવું નહિ (૨) અભિમાનપૂર્વક બેલવું નહિ. (૩) માયા એટલે છલથી બેલવું નહિ. *() લેભથી બેલવું નહિ. (૫) હાસ્યથી લવું નહિ, (૬) ભયથી બેલવું નહિ (૭) વાતુરીથી બેલવું નહિ. . (વિકથી કરવી નહિ અહીં વિદ્યા શખથી મિથા ભકતકથા. (નિ.
Page #335
--------------------------------------------------------------------------
________________
સવરતવ,
ઉપલ
લગતી વાત, દેશકથા (લૌકિક સ્વિાને લગતી વાત) અને રાજકથા (રાજાઓના ઐશ્વર્યને લગતી વાત સમજવાની છે. તે ઈન્દ્રિયે તથા મનમાં ઉત્તેજના લાવનારી હેવાથી છેડવા ગ્ય છે.
ભાષાસમિતિનું પાલન કરનાર કઠેર વાણુને પ્રગ કરે નહિ. કાણને કારણે કહે, નપુંસકને નપુંસક કહે,
વ્યાધિગ્રસ્તને રેગી કહે કે ચોરને ચેર કહે, એ કઠોરવાણું છે. તેમને પણ મહાશય, મહાનુભાવ, દેવાનુપ્રિય ઈત્યાદિ સારા શબ્દો વડે સંબોધવા જરૂરી છે.
ભાષાસમિતિનું પાલન કરનારે સાવદ્ય વાણીને ઉપયોગ પણ કરવાનું નથી. “આ વૃક્ષ કાપવા ગ્ય છે,” “આ વાછડા હવે જોડવા છે,” “અહીંનું ઘાસ કાપી નાખે,” વગેરે શબ્દપ્રયોગો સાવદ્ય છે.
આત્મહિતાર્થીએ પ્રિય, પથ્થ તથા સત્ય વચન બોલવું એગ્ય છે. - એષણાસમિતિનું પાલન કરવા માટે નીચેના ૪૨ નિયમનું અનુસરણ જરૂરી છે ?
(૧) જે આહાર કે વસ્તુ શ્રમણ એટલે સાધુસાધ્વીઓ માટે જ બનાવી હોય, તે લેવી નહિ.
(૨) જે આહાર કે વસ્તુ શમણવર્ગને ઉદ્દેશ રાખીને બનાવી હોય, તે લેવી નહિ.
(૩) જે આહાર અકલષ્યના સંસર્ગમાં આવેલ હોય
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૫૮
નવ-તત્વ-દીપિકા તે લે નહિ. પિડનિર્યુક્તિમાં તેને અધ્યવપૂરક નામને દેષ કહે છે
() જે આહાર કે વસ્તુ પિતાના પરિવાર તથા શ્રમને લક્ષમાં રાખીને બનાવી હોય, તે લેવી નહિ.
(૫) જે આહાર કે વસ્તુ પ્રમાણેને માટે કેટલાક વખતથી રાખી મૂકેલી હોય, તે લેવી નહિ.
(૬) જે આહાર કે વસ્તુ ખાસ કરીને દાન માટે તૈયાર કરેલી હોય, તે લેવી નહિ.
(૭) જે આહાર કે વસ્તુ અંધારામાં પડી હોય અને તેને જોવા માટે દીવે કરવું પડે તેમ હોય કે અન્ય રીતે પ્રકાશ કરવું પડે તેમ હોય, તે લેવી નહિ.
(૮થી૧૨) જે આહાર કે વસ્તુ શ્રમણને આપવા માટે કિંમત આપીને ખરીદેલી હય, ઉધાર લીધેલી હોય, વિનિમય કરીને મેળવેલી હેય, બીજા સ્થાનેથી મંગાવેલી હિોય, બીજા પાસેથી ઝુંટવીને મેળલી હેય, તે લેવી નહિ.
(૧૩) જે આહાર કે વસ્તુ સામેથી લાવવામાં આવી હેય, તે લેવી નહિ.
(૧૪) જે આહાર કે વસ્તુ કમાડ ખેલીને કે માળ ઉપરથી ઉતારીને લાવવામાં આવી હોય, તે લેવી નહિ.
(૧૫) જે આહાર કે વસ્તુ ભાગીદારની સંમતિ વિના આપવામાં આવી હોય, તે લેવી નહિ.
(૧૬) જે આહાર કે વસ્તુ શ્રમણનું આગમન જાણીને અધિક પાણી વગેરે નાખીને બનાવી હોય, તેને લેવી નહિ
Page #337
--------------------------------------------------------------------------
________________
સંવતરવ.
નીચેની રીતિએ. પણ આહારાદિ ગ્રહણ કરવા નહિ - (૧૭) બાળકને રમાડીને. (૧૮) દૂતીની માફક સગાંવહાલાના સમાચાર કહીને (૧૯) નિમિત્ત કે જોતિષ કહીને.
(૨૦) જ્ઞાતિ કે જાતિ બતાવીને. જેમકે હું અમુક જ્ઞાતિને કે જાતિને છું. સંસારપક્ષે અમુકને અમુક સગે થાઉં છું વગેરે.
(૨૧) દીનતા બતાવીને. જેમકે તમે નહિ આપે તે અમને બીજા કોણ આપશે?
(૨૨) દવા કરીને. (૨૩) ક્રોધ કરીને. (૨૪) અહંકાર કરીને (૨૫) કપટ કરીને. (૨૬) લોભ કરીને. (ર૭) દાતારના ગુણ ગાઈને. (૨૮) વિદ્યા, કામણ કે વશીકરણ કરીને (ર) મંત્ર-તંત્રને પ્રવેગ કરીને. (૩૦) ગેળી, ચૂર્ણ આદિના નુસખા બતાવીને, (૩૧) સૌભાગ્ય–દુર્ભાગ્યનું કથન કરીને.
(૩૨) ગર્ભ પડાવીને (ગર્ભ પાડવામાં સહાયભૂત થઈને).
(૩૩) જેની નિયતાની પૂરી ખાતરી ન થઈ હોય તે ગ્રહણ કરીને
Page #338
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા - (૩૪) હાથ સચિત્ત વસ્તુથી ખરડાયેલ હોય અને આપે તે.
(૩૫) આહાર કે વસ્તુ કેઈ સચિત્ત પદાર્થ પર શખેલી હોય અને તે આપે છે.
(૩૬) આહાર કે વસ્તુ પર કેઈ સચિત્ત પદાર્થ રાખેલે હોય અને તે આપે તે.
(૩) આહાર કે વસ્તુ સચિત્તને સ્પર્શ કરતા હોય તે. (૩૮) દાતા અંધ કે પંગુ હોય અને આપે તે. (૩૯) વસ્તુ પૂરેપૂરી અચિત્ત ન હોય અને આપે તે.
(૪૦) સચિત્ત અને અચિત્ત વસ્તુ એક સાથે મળેલી હોય અને આપે તે.
(૪૧) કોઈ અયતનાએ વહોરાવતું હોય તે.
(૪૨) તુરતના લીધેલાં આંગણું પરથી આવીને આપે તે.
આદાન-નિક્ષેપસમિતિનું પાલન કરવા માટે આસન, શય્યા, વસ્ત્ર, પાત્ર, પુસ્તક ઈત્યાદિ વસ્તુઓને લે-મૂક કરતાં પૂરતી સાવધાની રાખવાની જરૂર છે. એટલે કે વસ્તુને ગમે તેમ ફેંકવી નહિ, પછાડવી નહિ, પણ યથાસ્થાને સાચવીને મુકવી, તેમજ લેવી પડે તે ઘસડીને લેવી નહિ કે ગમે તેમ લેવી નહિ, પણ વ્યવસ્થિત રીતે લેવી. આ સમિતિનું પાલન કરવા માટે મુનિએ પ્રાતઃકાળના પ્રતિક્રમણ બાદ મુહુપત્તી, ચળયો , ઊની કલ્પ, સૂતરના
૧. અધોવસ્ત્ર. ૨. અંતરપટ.
Page #339
--------------------------------------------------------------------------
________________
સંવરતવ
બે કલ્પ, રજોહરણની અંદરને નિસિજ્જ, એ, સંથારિયું, ઉત્તરપટ્ટો અને દંડ વગેરેની પડિલેહણું–પ્રતિલેખના કરે છે અને તેમાં કઈ જીવજંતુ જોવામાં આવે તે આઘાની ઊનની અતિ કોમળ દશી વડે તેને દૂર કરી દે છે. દિવસના ત્રીજા પ્રહરે પણ તેઓ આવી જ રીતે મુહપત્તી, ચેલપટ્ટો, ગુ, પાત્રલેખનિકા, પાત્રબંધ, પડલા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન, માત્રક (ભિક્ષામાં વસ્તુ જેવા આદિનું પાત્ર), પાતરાં જોહરણ, ઊનનું કહ્યું અને બે સૂતરાઉ કલ્પ વગેરેની પડિલેહણ કરે છે.
ઉત્સર્ગ સમિતિ કે પારિષ્ઠોપનિકાસમિતિનું પાલન કરવા માટે મલ, મૂત્ર, શ્લેષ્મ, ઘૂંક, કેશ, નિરુપયોગી ઉપકરણ તથા અન્ય પરઠવવા ગ્ય વસ્તુઓ જીવ જંતુરહિત તથા અચિત્ત ભૂમિમાં એટલે કે જ્યાં લીલેરી પ્રમુખ ન ઉગેલ હોય તેવી જગાએ વિધિસર પરઠવવી જરૂરી છે.
જીવનધારણ માટે ચાલવું, ખાનપાનાદિ સામગ્રી મેળવવી, વસ–પાત્ર વગેરેની લેન્ક કરવી તથા મલ– મૂત્રાદિનું વિસર્જન કરવું જરૂરી છે, પણ તે દરેક ક્રિયા સાવધાનીપૂર્વક–યતનાપૂર્વક-શાસ્ત્રના નિયમપૂર્વક કરવી, એ પાંચ સમિતિને સાર છે. તેનાથી ચારિત્રનું ઘડતર ઉત્તમ પ્રકારે થાય છે અને ઉપયોગ વધતાં વિશેષ આત્મજાગૃતિ અનુભવાય છે.
હવે ગુપ્તિ સંબંધી વિચારણું કરીએ. મનને સાવદ્ય
Page #340
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
માર્ગના વિચારોથી રેવું અને સમ્ય વિચારમાં પ્રવર્તાવવું, એ મને ગુપ્તિ કહેવાય છે. સમિતિ માત્ર પ્રવૃત્તિરૂપ છે,
જ્યારે ગુપ્તિ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બને રૂપ છે. મને ગુપ્તિના ત્રણ પ્રકારે છેઃ (૧) અકુશલનિવૃત્તિ, (૨) કુશલપ્રવૃત્તિ અને (૩)ગનિરોધ. તેમાં મનને આર્તધ્યાન અને દુર્ગાનથી રિકવું, તે અકુશલનિવૃત્તિરૂપ મને ગુપ્તિ છે. મનને ધર્મ
ધ્યાન અને શુકલધ્યાનમાં જોડવું, તે કુશલપ્રવૃત્તિરૂપ મને ગુપ્તિ છે અને મનેયેગને સર્વથા નિષેધ કરે, તે
ગનિરોધરૂપ મને ગુપ્તિ છે. કેવલી ભગવંતને માગને સર્વથા અભાવ થતાં આ ત્રીજા પ્રકારની મનગુપ્તિ હોય છે.
સાવધ વચનને નિગ્રહ કરે અને નિરવદ્ય વચનની પ્રવૃત્તિ કરવી, તે વચનગુપ્તિ કહેવાય છે. આ વચનગુપ્તિ બે પ્રકારની છેઃ (૧) મનાવલંબિની અને (૨) વાગૂ-- નિયમિની. તેમાં મુખ, નયન, આંગળી વગેરેથી થતી તમામ પ્રકારની સંજ્ઞાઓને ત્યાગ કરીને મૌનનું અવલંબન કરવું, તે મૌનાવલંબિની વચનગુપ્તિ કહેવાય છે અને બેલતી વખતે કે શાસ્ત્ર વાંચતી વખતે મુખ આડી મુહપત્તી રાખવી, તે વાનિયમિની વચનગુપ્તિ કહેવાય છે.
કાયાને સાવદ્ય પ્રવૃત્તિમાંથી રેકવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં જોડવી, તે કાયગુપ્તિ કહેવાય છે. આ કાયપ્તિ બે પ્રકારની છેઃ (૧) ચેષ્ટાનિવૃત્તિ અને (૨) યથાસૂત્ર ચેષ્ટાનિયમિની. તેમાં ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયાને
Page #341
--------------------------------------------------------------------------
________________
સંવરતત્વ .
૨૩ ચલાયમાન ન કરવી તથા કેવલી ભગવંતોએ કરેલે કાયયેગને નિરોધ તે ચેષ્ટાનિવૃત્તિરૂપ કામગુપ્તિ કહેવાય છે. અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે ગમનાગમન આદિ કરવું, તે યથાસૂત્રએનિયમનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે.
મનને નિગ્રહ કરે, વચનને નિગ્રહ કરે અને કાયાને પણ નિહ કરે તથા તેનું સમ્યગૂ માગે પ્રર્વતન કરવું, એ ત્રણ ગુપ્તિને સાર છે.
સંવરની સાધના માટે સમિતિ અને ગુપ્તિનું પાલન ઘણું જરૂરી છે. ગૃહસ્થ પણ તેનું યથાશક્તિ પાલન કરીને કર્મપ્રવાહને આત્મા ભણી આવતે રેકી શકે છે. (૧) ઉપક્રમઃ
સંવરના સત્તાવન ભેદોમાં સમિતિ અને ગુપ્તિ પછી પરીષહને ઉલ્લેખ થયેલ છે. પરીષહ બાવીશ પ્રકારના છે અને તેને આત્માથીએ જય કરવાનું છે. આ પરીષહનાં નામે પ્રકરણકાર મહર્ષિ સત્તાવીશમી અને અઠ્ઠાવીસમી ગાથામાં આ પ્રમાણે રજૂ કરે છે – (૨) મૂળ ગાથાઓ : खुहा पिवासा सी उण्ह, दंसाघेलारइथिओ। चरिया निसीहिया सिज्जा, अकोस वह जायणा ॥ २७ ॥ अलाभ रोग तणफासा, मलसक्कार परीसहा । पन्ना अन्नाण सम्मत्त, इअ बावीस परीसहा ॥ २८ ॥
Page #342
--------------------------------------------------------------------------
________________
નવતર-દીપિકા
-
-
(3) संस्कृत छाया: क्षधा पिपासा शीतमष्णं. दशोऽचेलकोऽरतिः स्त्रियः। चर्या नैषेधिकी शय्या, आक्रोशो वधो याचना ॥ २७ ॥ अलाभरोगतृणस्पर्शा, मलसत्कारपरिषहौ । प्रज्ञा अज्ञानं सम्यक्त्वमिति द्वाविंशतिः परीषहाः ॥२८॥ (४) शहाथ :
खुहा-क्षुधा, क्षुधापरीषड. पिवासा-पिपासा, तृषा, तृषापरीषड. सी-शीतपरीष मडी भूण १६ सीअ नो असुप्त थयेटो छ. उण्ह-शुपरीषड. दस-शपरीषड.
दस मने अचेल भने अरइ तथा इथिओ, ते दंसा. चेलारइथिओ. दंस-५. तुम ४२४ तेने म माय अडवाय छे.
अचेल-मयेस४५शेषड. अचेल-टो खनी २ममा अथवा पसं. अरइ-मतिपरीषह. इथिओ-श्रीपरीष. चरिया-यापरीषड. निसीहिया-नैषेधितीपरीष सिज्जा-शथ्यापरीषह.
Page #343
--------------------------------------------------------------------------
________________
સવતત્ત્વ
બાલ-આક્રોશપરીષહ. વૃદ્–વધપરીષહ.
નાયળ–યાચના પરીષહુ, ગામ-અલાભપરીષ,
રો-રાગપરીષહ.
તળજાના તૃણસ્પશ પરીષહે.
મજ-મલપરીષહે.
સાર-સત્કારપરીષહ.
પરીવફા–પરીષહા.
પન્ના-પ્રજ્ઞાપરીષહ.
અન્નાળ-અજ્ઞાનપરીષહે. સન્મત્ત -સમ્યકત્વરીષહે.
રૂબ–એ પ્રમાણે.
નાવીસ-બાવીશ. પરીસદ્દા–પરીષહા.
(૫) અસલના ઃ
૧૫
(૧) ક્ષુધાપરીષહ, (ર) તૃષાપરીષહ, (૩) શીતપરીષહ, (૪) ઉષ્ણુપરીષહ, (૫) દેશપરીષહ, (૬) અચેલકપરીષહ, (૭) અતિપરીષહ, (૮) સ્ત્રીપરીષહ, (૯) ચર્ચાપરીષહ, (૧૦) નૈષધિકીપરીષહ, (૧૧) શય્યાપરીષહ, (૧૨) આક્રોશપરીષહ, (૧૩) વધપરીષહ, (૧૪) યાચનાપરીષહ, (૧૫) અલાસ પરીષહ, (૧૬) રાગપરીષહ, (૧૭) તૃણુપ
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૩
નવ–તત્ત્વ દીપિકા
પરીષહ, (૧૮) મલપરીષહ, (૧૯) સત્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞાપરીષહ, (૨૧) અજ્ઞાનપરીષહ અને (૨૨) સમ્યકત્વપરીષહ, એ પ્રમાણે બાવીશ પરીષહે જાણવા. (૬) વિવેચન :
હવે ક્રમપ્રાપ્ત ખાવીશ પરીષહેયને પશ્ચિય મેળવીએ. રિ એટલે સમસ્તપણે, સહુ એટલે સહન કરવું, પણ ધર્મ માના ત્યાગ ન કરવા, તે પરીષહય કહેવાય. અપેક્ષાવિશેષથી આવા પરીષહા અનેક પ્રકારના સંભવે, પરંતુ નિગ્રંથપ્રવચનમાં આવીશ પરીષહા પ્રસિદ્ધ છે અને તેને જ અહી નિર્દેશ કરવામાં આવ્યા છે.
1
(૧) ક્ષુધાપરીષહ—શ્રુધા એટલે ભૂખ. તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ સષ આહાર ગ્રહણુ કરવા નહિ, તે ક્ષુધાપરીષહને જય કહેવાય.
(૨) તૃવાપરીષહ—તૃષા એટલે તરસ, તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ સદેષ પાણી વાપરવુ નહિ, તે તૃષાપરીષહના ય કહેવાય.
(૩) શીતપરીષહ——શીત એટલે ઠંડી, તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ અગ્નિ વગેરે સદોષ આચરણથી નિવારવી નહિ, તેને શીતપરીષહેના ય કહેવાય.
(૪) ઉષ્ણુપરીષહ—ઉષ્ણુ એટલે ઉતા—ગરમી. તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ સદોષ આચરણથી શીતલતા ન સેવવી, તેને ઉષ્ણુપરીષહેના જય કહેવાય.
Page #345
--------------------------------------------------------------------------
________________
સવતત્ત્વ
૧૬૭
(૫) દ'શપરીષહ—ડાંસ, મચ્છર વગેરે ક્ષુદ્ર - જંતુઓએ ઉપજાવેલ પીડા સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ તેનું અશુભ ચિંતવવું નહિં, તેને દશપરીષહના જય કહેવાય.
(૬) અચેલપરીષહ—ચેલ એટલે વજ્ર. તે સથા ન મળે કે જીણુ પ્રાયઃ મળે, તા પણ દીનતા ન ચિતવવી, તેમજ ઉત્તમ તથા મૂલ્યવાન વસ્ત્રની ઈચ્છા ન કરવી, તેઅચલપરીષહના જય ાઁ ગણાય,
(૭) અરતિપરીષહ—અતિ એટલે ઉદ્વેગનાં કારણે ઉપસ્થિત થયાં હોય, છતાં ઉદ્વેગ ન પામતાં ધર્માં સ્થાનાની ભાવના ભાવવી અને ચારિત્રપાલનમાં ધૈય રાખવું, તે અતિપરીષહેને જય કહેવાય.
(૮) સીપરીષહ—વિષયેચ્છા પૂર્ણ કરવા માટે સ્ત્રીઓએ કરેલા ઉપદ્રા સમ્યક્ પ્રકારે સહન કરવા પશુ લેશમાત્ર વિકાર થવા દેવા નહિ, તેમજ સ્ત્રીને આધીન થવું નહિ, તે સ્ક્રીપરીષહેને જય કહેવાય.
(૯) ચર્ચાપરીષહ—ચર્ચા એટલે ચાલવું, નિહાર કરવા. મુનિએ એક સ્થાને નિયતવાસ ન કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવા, તે ચાઁપરીષહુના જય કહેવાય.
(૧૦) નૈષધિકીપરીષહ—સ્રી, પશુ અને નપુંસક વર્જિત સ્થાનમાં રહેતા કાઈ ઉપસર્ગ થાય તા ભયભીત ન થતાં સમભાવપૂર્વક સહન કરી લેવા, તે નૈષધિકી પરીષહેના જય કહેવાય. અથવા સ્મશાન, ઉદ્યાન, પત અને શૂન્ય સ્થાનમાં રહેતાં જે ઉપસર્ગો થાય, તેથી ચલિત
Page #346
--------------------------------------------------------------------------
________________
૧૮
નવ તત્ત્વ દ્વીપિકા
ન થવું, તે નિષદ્યાપરીષહેના ય કહેવાય. અહી નૈષધિકી અને નિષદ્યા એ અને પાટો ચાલે છે.
(૧૧) શય્યાપરીષહ—ઊંચી—નીચી કે પ્રતિકૂળ શય્યા મળતાં ખેદ ન પામવા તથા અનુકૂળ શય્યા મળતાં હે ન પામવા, તે શય્યાપરીષહુના ય કહેવાય.
(૧૨) આક્રોશપરીષહોઈ એ કઠોર વચન કહ્યાં હોય, તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવાં, પણ તેનુ અશુભ ચિતવવુ' નહિ, તે આક્રોશપરીષહેનેા જય કહેવાય.
(૧૩) વધપરીષહવધુ એટલે તાડન. કોઈ દુરાત્મા દંડ, ચાબુક વગેરેથી પ્રહાર કરે, છતાં આ સ્વકનુ ફળ છે, શરીર વિનશ્વર છે, માત્ર માશ આત્મા નિત્ય છે,’ એમ વિચારી સમભાવે સહન કરી લે, તે વધપરીષહેના જય કહેવાય.
(૧૪) યાચનાપરીષહ——સાધુને જીવનનિર્વાહ માટે ભિક્ષાવૃત્તિએ રહેવાનું હોય છે. આ વખતે યાચના કરતાં એવા વિચાર ન લાવવા કે મારાથી બીજા પાસે "કેમ સગાય ? પણ એમ વિચારવુ` કે મુનિના એ ધર્મ છે, મુનિને માગ્યા વિના કંઈ પણ ન પે તે તે યાચનાપરીષહના જય કહેવાય.
(૧૫) અલાભપરીષહ—ભિક્ષા માગવા છતાં કોઈ • વસ્તુ ન મળે તેા લાલાંતરાયકમના ઉડ્ડય સમજે અને આજે તપાવૃદ્ધિ થશે એમ સમજી મનને સમભાવમાં રાખે તા અલાભપરીષહેના જય કહેવાય.
(૧૬) રાગપરીષહ-શરીરમાં ઉત્પન થયેલા
Page #347
--------------------------------------------------------------------------
________________
સવતત્ત્વ
૧૯
રાગને સમ્યક્ પ્રકારે સહન કરવા, પણ ઉદ્વેગ ન કરવા, તે રાગપરીષહુના ય કહેવાય.
નીકળેલા
(૧૭) તૃણુસ્પર પરીષહે—ગુચ્છથી જિનકલ્પી મુનિને તૃણના સથારા હોય છે. તે તૃણુની અણી શરીરમાં વાગે છતાં વસ્રની ઈચ્છા ન કરે અને સમભાવે સહન કરી લે, તે તૃણુસ્પર્શ પરીષહેન જ્ય કહેવાય. સ્થવિલ્પી મુનિને વસ્ત્રના પણ સથાશ હાય છે. તે પ્રતિકૂળ પ્રાપ્ત થતાં મનમાં ખેદ ન કરે, તે પણ આ પ્રકારના જ પરીષહેય ગણાય.
(૧૮) મલપરીષહ-પરસેવા વગેરે કારણે શરીર પર મલ જામ્યો હાય, છતાં શ્રૃંગાર ને વિષયના કારણરૂપ સ્નાનની ઇચ્છિા કરે નહિં, તે મલપરીષહેના જય કર્યાં કહેવાય.
(૧૯) સત્કારપરીષહુ—પેાતાના ઘણા સહાર થતા ઢેખી હર્ષ પામે નહિ તથા કોઈ સત્કાર ન કરે તે પણ ખેદ પામે નહિ, તે સત્કારપરીષહેના ય કહેવાય.
(૨૦) પ્રજ્ઞાપરીષહ જ્ઞાનનું અભિમાન ન કરવું, પરંતુ નમ્રતા ધારણ કરવી અને પૂર્વે થઈ ગયેલા મહાજ્ઞાનીઓની તુલનામાં હું કાણુ ? એમ વિચારી આત્માનુ અનુશાસન કરવું, તે પ્રજ્ઞાપરીષહેના ય કહેવાય.
(૨૧) અજ્ઞાનપરીષહ—ઘણા પરિશ્રમ કરવા છતાં આગમ વગેરેનાં તત્ત્વા જાણે નહિ, તા તેથી ખેદ્ય ધારણ ન કરતાં જ્ઞાનાવરણીય કર્મીના ઉય વિચારી સમભાવમાં રહે તે અજ્ઞાનપરીષહુના ય કહેવાય,
૧. જિનકલ્પી સાધુ એટલે જિનકલ્પ પ્રમાણે વનારા. ૨. સ્થવિરહપી સાધુ એટલે સ્થવિરપ પ્રમાણે વનારા.
Page #348
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા (ર) સમ્યકતવપરીષહ–અનેક કષ્ટ અને ઉપસગે પ્રાપ્ત થવા છતાં સર્વજ્ઞભાષિત ધર્મની શ્રદ્ધામાંથી ચલાયમાન ન થાય અને શાસોના સૂક્ષ્મ અર્થે ન સમજાય તે પણ વ્યામોહ ન કરે, તે સમ્યકત્વપરીષહને જ કહેવાય.
પરીષહને યંત્ર પરીષહનાં નામે કર્યો કર્મના ઉદયથી
વિદનીય કર્મના ૧ થી ૧ પિપાસા
શાંત
5 5 4 છ આ છ
૧ થી ૧૩ ૧ થી ૧૩ વિ થી ૧ર ૧ થી ૧૪ લિ શી હતી
થી ૯
અલ અરતિ
ચારિત્ર મેહનીય
”
વેદનીય
આ
છે.
:
ચર્ચા
૧ થી ૧૨ નિષદ્યા ચારિત્ર મેહનીય શવ્યા - વેદનીય
૧ થી ૧૨ આશિ ચારિત્ર મેહનીય
૧ થી ૮)
વેદનીય 5 ૧ થી ૧૩ યાચના ચારિત્ર મેહનીય મલાલ
લાભાન્તરાય પ થી ૧૨
કાય છે 9 થી ૩ વણજ્ય
આ છે ૧ થી ૩
D J થી ૧૩ સત્કાર
ચારિત્ર મેહનીય છે. થિીપ્રજ્ઞા જ્ઞાનાવણના પગથી થી ૧૨
અજ્ઞાન જ્ઞાનાવરણના ઉદયથી ૧ થી ૨૧ ૨૨ સમ્પકવ દિન મોહનીયના ૧ થી ૭
ગ
Page #349
--------------------------------------------------------------------------
________________
સંવતત્ત્વ
(૧) ઉપર્કમ :
હવે ક્રમ પ્રાપ્ત યતિધર્મનું વર્ણન કરવા માટે પ્રકરણ કાર મહર્ષિ ઓગણત્રીસમી ગાથા આ પ્રમાણે કહે છે ? (૨) મૂળ ગાથા :
खंती महव अज्जव, मुत्ती तव संजमे अबोधव्वे ।
सच्च सोमं अकिंचणं, च मं च जइधम्मो ॥२९॥ (૩) સંસ્કૃત છાયા ?
क्षान्तिमार्दव आर्जवो मुक्तिः तपः संयमचबोद्धव्यः।
सत्यं शौमचाकिश्चन्यं च ब्रह्म च यतिधर्मः ॥२९॥ (૪) શબ્દાર્થ :
દ્વિતી-શાંતિ, ક્ષમા. મા-માદેવ, મૃદુતા. લાવ-આર્જવ, સરલતા. મુત્તી–મુક્તિ, નિર્લોભાતા. તવતપ, તપશ્ચર્યા. સંક-સંયમ. પોષ-જાણવા સાજ-સત્ય. સો-શૌચ, પવિત્રતા. વિ–આકિંચન્ય, અકિંચનતા, અપરિગ્રહ.
न विद्यते किंचन यस्य सोकिञ्चनः, अकिञ्चनस्यમાવોશ્વિનત્વ—જેની પાસે કંઈ પણ નથી તે અકિંચન.
Page #350
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
અકિંચનને ભાવ તે આચિન્ય કે અકિંચનતા. તાત્પર્ય કે સર્વ પરિગ્રહને ત્યાગ કે અપરિગ્રહ એ અકિંચનતા છે.
-અને હિં બ્રહ્મચર્ય, ગુરુકુલવાસ. કર-અને, વળી.
કવિચતિધર્મ (૫) અર્થ–સલનાઃ
ક્ષમા, મૃદુતા, સરલતા, નિલેભતા, તપ, સંયમ, પવિત્રતા અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, એ. ‘દશ ગુણોને યતિધર્મ જાણુ. (૬) વિવેચન:
સમિતિ, ગુપ્તિ અને પરીષહજયની જેમ યતિધર્મ પશુ સંવરનું મૂળભૂત અંગ છે.
યતિધર્મ એટલે યતિને ધર્મ અથવા તે સંવરની સિદ્ધિ માટે યતિઓ વડે ધારણ કરતે ધર્મ. મેક્ષની પ્રાપ્તિ માટે પંચમહાવ્રતાદિની ધારણપૂર્વક જે સતત યત્ન કરે, તે થતિ કહેવાય છે. મુનિ, શ્રમણ, અણગાર ભિક્ષુ, સાધુ એ તેના પર્યાયશબ્દો છે. તાત્પર્ય કે અહીં ચતિધર્મથી સાધુ–મુનિરાજે જે ધર્મનું પાલન કરવાનું છે, જે ગુણેને ઉત્કૃષ્ટ વિકાસ કરવાનું છે, તેને નિર્દેશ કરવામાં આવ્યો છે. ... યતિધર્મ દશ પ્રકાર છે. તે અંગે તત્વાર્થસૂત્રના
Page #351
--------------------------------------------------------------------------
________________
સવારતા
રાહક
નવમા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં જણાવ્યું છે કે “ત્તમ क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणां धर्म:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને ઉત્તમ (યતિ) ધર્મ છે.”
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ જ્યારે અહિંસા સત્ય આદિ મૂલ ગુણે અને સ્થાન–આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણના પ્રકર્ષથી યુક્ત હેય, ત્યારે યતિધર્મ બને છે, અન્યથા નહિ. અન્ય રીતે કહીએ તે અહિંસા આદિ મૂલગુણો કે તેમના ઉત્તરગુણોના પ્રકર્ષ વિના જે ક્ષમા આદિ ગુણ હોય તે તેને સામાન્ય ધર્મ કહી શકાય, પણ યતિધર્મ ન કહી શકાય.*
ક્રોધને નિગ્રહ કર એટલે કે ક્રોધને દબાવી દે, પણ તેને પ્રકટ કરે નહિ, તેને ક્ષમા કહેવામાં આવે છે. આ ક્ષમા પાંચ પ્રકારની છેઃ (૧) ઉપકાર-ક્ષમા, (૨) અપકારક્ષમા, (૩) વિપાક-ક્ષમા, (૪) વચન-ક્ષમા અને (૫) ધર્મ–ક્ષમા. * મનુસ્મૃતિમાં કહ્યું છે કે
क्षमा दया दमो ध्यान, सत्यं शीलं धृतिघृणा । विद्या विज्ञानमास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् ॥
ક્ષમા, દયા, ઈન્દ્રિયદમન, ધ્યાન, સત્ય, શીલ, ધેય, પાપ પ્રત્યે ધૃણું (તિરસ્કાર), વિદ્યા, વિજ્ઞાન (આત્મજ્ઞાન) અને આસ્તિક્ય એ દશ બ્રાહ્મણનાં લક્ષણો છે.' ૧૮
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૭૪
-
-
--
-
-----
નવ-તાવ-દીપિકા એક માણસે આપણને નુકશાન પહોંચાડ્યું હોય કે કડવાં વચને કહાં હૈય, પણ પૂર્વે તેણે આપણા પર ઉપકાર કરે છે, એ ધ્યાનમાં રાખીને તેના પર ક્રોધ કરવે નહિ એ ઉપકાર-ક્ષમા કહેવાય. “હું ગુસ્સે થઈશ તે મને એ હેરાન કરશે” એવા અભિપ્રાયથી ક્રોધ ન કરે, એ અપકાર-ક્ષમા કહેવાય. “ક્રિોધનાં ફળ અતિ કડવાં છે” એમ વિચારી ફોધ ન કરે, એ વિપાક-ક્ષમા કહેવાય. કેઈનાં કડવાં વચનથી દુભાવું નહિ, તેમ જ કોઈને કડવું વચન કહેવું નહિ, એ વચન-ક્ષમા કહેવાય અને સામાને પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં “ક્ષમા એ મારો ધર્મ છે” એમ વિચારી ક્ષમા ધારણ કરવી, એ ધર્મ-ક્ષમા કહેવાય.
શ્રમણ ભગવાન મહાવીરે ક્ષમા ગુણને કેટલી હદે કેળવ્યું હતું, તે ચંડકૌશિક આદિના પ્રસ ગેથી જાણી શકાય છે. વળી આત્મશુદ્ધિમાં અત્યંત ઉપકારક એવી ષડાવશ્યકની ક્રિયાનું જન શાસ્ત્રોમાં જે વિધાન કરવામાં આવ્યું છે, તેમાં થી પ્રતિક્રમણ નામના આવશ્યક પ્રસંગે ચૌદ રાજલેકના સર્વે ને તેમના દોષેની ક્ષમા આપવાનું તેમ જ પિોતે તેમના પ્રત્યે કરેલા દેની ક્ષમા માગવાનું જણાવેલું છે અને તે માટે જ મેમિ સત્ર'જી, હવે જીવી હતુ આદિ પદો બેલવામાં આવે છે. - માન, અભિમાન કે અહંકારને નિગ્રહ કર અને ચિત્તમાં તથા બાહ્ય વ્યવહારમાં નમ્રતા ધારણ કરવી, તેને
Page #353
--------------------------------------------------------------------------
________________
સંવરતવ
ર૭૫
માર્દવ કે મૃદતા કહેવામાં આવે છે. (૧) જાતિ, (૨) કુલ, (૩) રૂપ, (૪) એશ્વર્ય–મોટાઈ, (૫) વિજ્ઞાન-બુદ્ધિ, (૬) શ્રુત-શાસ્ત્રજ્ઞાન, (૭) લાભ-પ્રાપ્તિ તથા (૮) વીર્ય– . શક્તિ એ આઠ બાબતમાં મદ ન કરવાથી આ ગુણ કેળવી શકાય છે. ગુરુજનેને વિનય એ મૃદુતાની ખાસ નિશાની છે.
| માયા કે કુટિલતાના દેશે વિચારી તેને નિગ્રહ કરે, તેને આર્જવ કે સરલતા કહેવામાં આવે છે.
વિચાર એક પ્રકારને, વાણી બીજા પ્રકારની અને વર્તન ત્રીજા પ્રકારનું, એ પરિસ્થિતિને માયા, કુટિલતા કે દંભ કહેવામાં આવે છે. તેને ત્યાગ કરી વિચાર, વાણું અને વર્તનની એકવાક્યતા કેળવવી, તેને આર્જવ કે સરલતા કહેવામાં આવે છે. જિના મેમાં કહ્યું છે કે સરલતાને ધારણ કરનાર આત્મા જ ધર્મને સાચે અધિકારી છે. તે પરથી આ ગુણનું મહત્ત્વ સમજી શકાશે.
લેભને ત્યાગ કરે, તેને મુક્તિ કે નિર્લોભતા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
कोहो पीई पणासेइ, माणो विगयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सबविणासणो । - ક્રોધ પ્રીતિ કે સદ્ભાવને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રોને એટલે વિશ્વાસને નાશ કરે છે અને લેભ તે સર્વને નાશ કરે છે.”
લોભી મનુષ્ય પોતાની ઈચ્છા પૂરી ન થતાં ક્રોધે.
Page #354
--------------------------------------------------------------------------
________________
ર૭૬
નવતત્ત્વ-દીપિકા
ભરાય છે, અથવા કંઈક પ્રાપ્ત થાય તે અભિમાન કરે છે, વિવિધ પ્રકારના છલકપટને એટલે કે માયાને આશ્રય લે છે અને તે મિત્ર, મુરબ્બીઓ કે આપ્તજને જોડે પણ લડે છે. આ રીતે લેભથી સર્વ ઉત્તમ પ્રકારના ગુણેને નાશ થાય છે, તેથી સાધુપુરુષ કઈ પ્રકારને લેભ રાખે નહિ.
શરીર અને મનની શુદ્ધિ માટે બાહ્યઅત્યંતર તપશ્ચર્યા કરવી, એ તપ નામને યતિધર્મ છે. તે અહીં સંવરતત્ત્વના પ્રસંગે કહે છે, પણ આગળ નિર્જરાતત્વમાં વિસ્તારથી કહેવાશે, કારણ કે તેનાથી કર્મની નિર્જર પણું થાય છે. શ્રી તત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં “તપના નિરા રૂા” એ સૂત્ર વડે આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. જ્યાં યતિધર્મ કે સાધુધર્મનું સંક્ષેપથી કથન કરવામાં આવ્યું છે, ત્યાં અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ગુણને જ નિર્દેશ કરવામાં આવ્યું છે. તેમ જ “તપસ્વી' એ યતિ કે સાધુને પર્યાયશબ્દ બની ગયેલ છે, તે પરથી પણ તપનું મહત્વ સમજી શકાશે.
- મન, વચન અને કાયાને નિયમમાં રાખવા, તે સંયમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકારના જે યમ–મહાવતે કે અણુવ્રતે તેની ધારણા તે સંયમ છે. જૈન શાસ્ત્રમાં સાધુઓને માટે ૧૭ પ્રકારને સંયમ આરાધ્ય ગણાયેલે છે, તે આ પ્રમાણે –-૫ મહાવ્રત, ૫ ઈન્દ્રિયને નિગ્રહ,
Page #355
--------------------------------------------------------------------------
________________
સંવત
૪ કષાયને જ્ય, તથા મન, વચન અને કાયાના અશુભ વ્યાપારરૂપ ૩ દંડની નિવૃત્તિ.
જિનાગમાં કહ્યું છે કે – जह कुम्मे सअङ्गाई, सए देहे समाहरे। एवं पापाई मेहावी, अज्झप्पेण समाहरे ॥
જેમ કાચ પિતાના અંગોને શરીરમાં ગોપવી દે છે, તેમ બુદ્ધિમાન સાધક આધ્યાત્મિક ભાવના દ્વારા આત્માને અંતર્મુખ બનાવીને અસંચમથી પિતાને બચાવે.”
હિતકર, માપસર, પ્રિય અને ધર્મની પ્રેરણા આપે એવાં વચન બેલવાં, તે સત્ય કહેવાય છે. વળી લીધેલી શુભ પ્રતિજ્ઞાઓને પાળવી, તે પણ સત્ય કહેવાય છે. જિન ભગવંતાએ કહ્યું છે કે “દવસ ગાળ વદિ મેહાવી મા તારૂ –સત્યની આજ્ઞામાં રહેનારે તે બુદ્ધિમાન પુરુષ મૃત્યુને તરી જાય છે. તાત્પર્ય કે સદા સત્ય બલવું અને સત્ય આચરવું, એ સાધુપુરુષને પરમ ધર્મ છે.
શૌચ એટલે પવિત્રતા. એના બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારે છે. તેમાં સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરવું તે બાહ્ય શૌચ ગણાય છે. આવું શૌચ સાધુઓને ક૫તું નથી, બાકી સંયમ અને તપનાં અનુષ્ઠાનેને લીધે તેમને દેહ પવિત્ર રહે છે. મનને પવિત્ર રાખવું એટલે કે તેના વડે દુષ્ટ વિચારે કરવા નહિ, એ અત્યંતર શૌચ કહેવાય છે. સાધુપુરુષે આવું શૌચ કેળવવા માટે સદા પ્રયત્નશીલ
Page #356
--------------------------------------------------------------------------
________________
ર૭૮
નવતત્ત્વ-દીપિકા પોતાની પાસે કોઈ પણ પ્રકારની માલમત્તા રાખવી નહિ, તેને આકિંચન્ય કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે અપરિગ્રહી રહેવું, એ સાધુનો ઉત્તમ ધર્મ છે. પરિગ્રહથી મેહ-મમત્વ જાગે છે અને તેને લીધે મેક્ષમાર્ગની સાધનામાં અનેક પ્રકારના અંતરો ઊભા થાય છે, તેથી સાધુએ આકિંચન્ય ગુણને કેળવવાની ખાસ જરૂર છે.
બ્રહ્મ એટલે આત્મા. તેને વિષે ચરવું–લીન રહેવું, તે બ્રહ્મચર્ય કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે વિષયભેગને ત્યાગ કરીને આત્મરમરણતા કરવી, એ ઉત્તમ કેટિનું બ્રહ્મચર્ય છે. અથવા તે મન, વચન અને કાયાથી મિથુનને ત્યાગ કરે, તે બ્રહ્મચર્ય કહેવાય છે. ગુરુની આજ્ઞામાં તથા સાધુસમુદાયમાં રહીને તેના નિયમને અનુસરીને શાસને અભ્યાસ કરે તથા આત્મકલ્યાણકારી કિયાઓની તાલીમ લેવી, તેને બ્રહ્મચર્યવાસ કે ગુરુકુલવાસ કહેવામાં આવે છે. આ પણ ઉત્તમ પ્રકારને યતિધર્મ ગણાય છે.
આ દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવાથી કર્મનું આગમન રેકાય છે અને આત્મવિકાસમાં ઝડપી પ્રગતિ થાય છે. (૧) ઉપક્રમઃ
સમિતિ, ગુપ્તિ, પરીષહ અને યતિધર્મનું વર્ણન કર્યા પછી હવે પ્રકરણકાર મહર્ષિ ભાવનાનું વર્ણન કરવા
Page #357
--------------------------------------------------------------------------
________________
સંવરતવ માટે ત્રીશમી અને એકત્રીશમી ગાથા આ પ્રમાણે રજૂ अरे छ: (२) भूण था:
पढममणिच्चमसरणं, संसारो एगया य अन्नतं । असुइत्तं आसव संवरो य तह णिज्जरा नवमी ॥३०॥ लोगसहावो बोही, दुल्लहा धम्मस्स साहगा अरिहा।
एआओ भावणाओ, भावेअव्वा पयत्तेणं ॥३॥ (3) संत छाय:
प्रथममनित्यमशरणं संसार एकता चान्यत्वम् । अशुचित्वमाश्रवः संवरश्च तथा निर्जरा नवमी ॥३०॥ लोकस्वभावो बोधिटुलभा धर्मस्य साधका अर्हन्तः।
एता भावना भावयितव्याः प्रयत्नेन ॥३१॥ (४) शमा :
पढम-प्रथम.
पढम, अणिच्चं भने असरणं से ऋण पहानी संधि थवाथा मही पढममणिच्चमसरणं वो 8 मनेसो छे.
अणिच्चं-अनित्य, भनित्यभावना. असरणं-मश२६], मशरमाना. संसारो-संसार, संसारमावना. एगया-१, समाना. य-जी.
Page #358
--------------------------------------------------------------------------
________________
' ૨૮૦
નવ-તાવ-દીપિકા
નિત્ત-અન્યત્વ, અન્યત્વભાવના. યુદં–અશુચિત, અશુચિત્વભાવના.
સવ–આશ્રવ, આશ્રવભાવના. સંવરો-સંવર, સંવરભાવના. ચ-વળી.
-તથા. ળિઝા-નિર્જરા, નિર્જરાભાવના. નવી-નવમી. હોજલાવો–લેકસ્વભાવ, લેકસ્વભાવભાવના. વોહી–ધિ. કુણઈ-દુર્લભ.
આ પદ અગિયારમી તથા બારમી બંને ભાવનાને લાગુ પડે છે.
ઘમ્મસ-ધર્મના. સા€TI-સાધક.
રહું--અરિહંતે. ગાયો--આ. માવા-ભાવનાઓ. મબઘા-ભાવવા ગ્ય છે, ભાવવી.
પરો–પ્રયત્નવડે, પ્રયત્નપૂર્વક. (૫) અર્થ-સંકલન :
પહેલી અનિત્યભાવના છે, ત્યારપછી અનુક્રમે
Page #359
--------------------------------------------------------------------------
________________
સવતત્ત્વ
૨૮૧
અશણુ, સંસાર, એકત્વ, અન્યત્વ, અણુચિત અને આશ્રવ નામની ભાવના છે. નવમી નિરા ભાવના છે.
ત્યાર પછી લકવભાવ નામની ભાવના છે. આધિ અને ધર્મના સાધક અરિહંતા દુર્લભ છે. આ બાર ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી. (૬) વિવેચન :
ભવવૈરાગ્યાદ્વિ નિમિત્તે જે વારવાર લાવવામાં—વિચારવામાં આવે છે, તે ભાવના કહેવાય છે. અથવા જેના પુન : પુનઃ સ્મરણુવડે આત્મા મેક્ષાભિમુખ થાય, તે ભાવના કહેવાય છે. વધારે સ્પષ્ટતાથી કહીએ તેા જે મનવૃત્તિ શુભ વિચારવાળી હોય અને આત્માને મેક્ષના અભિલાષી અનાવવાપૂર્વક વૈરાગ્યાદિ સંયમસાધના પ્રત્યે દોરી જતી હાય, તેને ભાવના સમજવાની છે.
નિ થનાયકાએ ભાવનાનું મહત્ત્વ પ્રકાશતાં કહ્યું છે કે—
'
भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । नावा व तीरसंपन्ना, सव्वदुक्खा तिउट्टई ॥ ભાવનારૂપી ચેાગથી શુદ્ધ થયેલા આત્માને જલમાં નૌકા સમાન કહેલા છે. નૌકા જેમ અથાગ જળને પાર ક્વીને કિનારે પહોંચે છે, તેમ આવા શુદ્ધ આત્મા ભવપર ંપ રાના નાશ કરીને સર્વે દુઃખાના અંત કરે છે.’
Page #360
--------------------------------------------------------------------------
________________
२८२
નવનવ દીપિકા
આ ભાવના બાર પ્રકારની છેઃ (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવના, (૩) સંસારભાવના, (ઈ એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિસ્વભાવના, (૭) આશ્રવભાવના, (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) લકસ્વભાવભાવના, (૧૧) બધિદુર્લભ ભાવના અને (૧૨) અહંત દુર્લભભાવના કે જેને સામાન્ય. રીતે ધર્મભાવના કહેવામાં આવે છે.
કેટલાક ગ્રથિમાં દશમી ધર્મભાવના, અગિયારમી લેકસ્વભાવભાવના અને બારમી બેધિદુર્લભભાવના એ કમ પણ આપે છે, પરંતુ તેમાં કઈ તાત્વિક તફાવત નથી.
તત્વાર્થસૂત્રકારે ભાવનાના સ્થાને અનુપ્રેક્ષા” શબ્દને પ્રવેશ કર્યો છે, પણ તેને કેમ તે આ જ પ્રમાણે દર્શાવ્યું છે. જેમ કે “નિત્સારાણવિન્યાવિત્રાવ वरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्योतमनुचिन्तनमनुप्रेक्षाः।અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અશુચિ, આવ, સંવર, નિજેરા, લેક, બેધિદુર્લભ અને ધર્મ સ્વાખ્યાતનું અનુચિંતન એ અનુપ્રેક્ષાઓ છે.
આ બાર ભાવનાઓનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું:
(૧) અનિત્યભાવના-શરીર, યૌવન, ધનસંપત્તિ તથા કુટુંબ વગેરેના સંબંધની અસ્થિરતા–અનિત્યતા ચિંતવવી, તેને અનિત્ય ભાવના કહે છે. નીચેનું પદ્ય અનિત્ય ભાવનાનું દ્યોતક છેઃ
Page #361
--------------------------------------------------------------------------
________________
સવરતત્વ
હ. अनित्यमारोग्यमनित्ययौवनं,
विभूतयो जीवितमप्यनित्यम् । अनित्यताभिः प्रहतस्य जन्तोः
વર્થ રિ: જામશેષ કરે છે ,
આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે, સંપત્તિ. અનિત્ય છે અને જીવન પણ અનિત્ય છે. આમ અનિત્યતાથી હણાયેલા પ્રાણીને કામગમાં આનંદ કેવી રીતે. આવે?” તાત્પર્ય કે ન જ આવવું જોઈએ. તેણે આ સર્વ વસ્તુઓની અનિત્યતા વિચારી આત્મકલ્યાણ સાધવામાં જ ઉધત થવું જોઈએ.
(૨) અશરણભાવના-વ્યાધિ, જરા અને મૃત્યુથી ઘેરાયેલા આ સંસારમાં પ્રાણુને કેઈનું શરણુ નથી, એમ ચિંતવવું, તેને અશરણભાવના કહે છે. નિમ્ન પદ્યમાં-- અશરણભાવના વ્યક્ત થયેલી છે:
जहेह सीहो य मिग गिहाय,
मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स भाया व पिया व माया,
कालम्मि तस्स सहरा भवंति ॥ જેમ કોઈ સિંહ મૃગના ટોળામાં પેસીને તેમાંના એકાદ મૃગને પકડીને ચાલતે થાય, તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનેમાં કૂદી પડીને તેમાંના એકાદ જણને
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૪
નવ-તત્ર-દીપિકા
પકડીને ચાલતું થાય છે, ત્યારે તેની પત્ની, પિતા કે માતા કેઈ તેનું રક્ષણ કરી શકતાં નથી.'
' (૩) સંસારભાવના–ચાર ગતિરૂપ આ સંસાર અનંત દુખેથી ભરેલો છે. તેમાં પ્રાણીને કર્મવશાત્ નિરંતર ભમવું પડે છે. વળી જે એક કાળે માતા હોય, તે સ્ત્રી થાય છે અને સ્ત્રી હોય, તે માતા થાય છે, પિતા હોય, તે પુત્ર થાય છે અને પુત્ર હોય, તે પિતા થાય છે, માટે તે સર્વથા ત્યાગ કરવા ચગ્ય છે, આદિ ચિંતવવું, તેને સંસારભાવના કહે છે. નીચેનાં વચનામાં સંસારભાવના પ્રકટ થયેલી છે?
जन्म दुक्ख जरा दुवं, रोगा य मरणाणि य। अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो॥
અહે આ સંસાર ખમય છે કે જેમાં પ્રાણુઓ - અનેક પ્રકારની પીડાએ પામે છે. તેમાં જન્મનું દુઃખ છે, જરાનું દુઃખ છે, તેમજ રેમ અને મરણનું પણ
દુખ છે.
गतसारेऽत्र संसारे, मुखमान्तिः शरीरिणाम् । लालपानमिवाङ्गुष्ठे, बालानां स्तन्यविभ्रमः ॥
અંગૂઠો ચૂસીને લાળનું પાન કરતાં બાળકને જેમ માતાનું સ્તનપાન કરવાને ભ્રમ થાય છે, તેમ આ સંસાર સુખરહિત હોવા છતાં પ્રાણીઓને તેમાં સુખને ભ્રમ થાય છે.?
Page #363
--------------------------------------------------------------------------
________________
સંવરત
૨૮૫. (૪) એકવભાવના આ જીવ એકલે આ છે, એકલે જવાને છે અને સુખ-દુખાદિ પણ એકલે જ ભગવે છે, એમ ચિંતવવું તેને એકત્વભાવના કહે છે. નિચેના આપ્તવાક્યોમાં એકત્વભાવનાનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે?
एगोहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सई । एवं अदीण-मणसो, अप्पाणमणुसासइ ॥
જે જાણો શ, નાઇ-સાસુ सेसा मे बाहिरामावा, सव्वे संजोग-लक्खणा ॥
હું એકલો છું, મારું કઈ નથી અને હું પણું. કેઈને નથી. એવું અદીન મનથી વિચારી સાધક પુરુષ આત્માને સમજાવે.
જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એક મારે આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સાગથી ઉત્પન્ન થયેલા બહિર્ભવે છે.”
(૫) અન્યત્યભાવના–શરીર, ધન, બંધુઓ વગેરેથી આત્માને અન્ય ચિંતવ-જુદો ચિંતવ, તેને અન્યત્વ ભાવના કહે છે. વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કેअन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियं, न बाधते तं हि शोककलिः॥
પિતાના કુટુંબીજને, નોકરચાકર, સંપત્તિ અને.
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૮૬
નવ-નવ દીપિકા
શરીર એ બધાથી હું અન્ય છું, ભિન્ન છું, જુદો છું, એવી જેને નિશ્ચયાત્મક બુદ્ધિ પિદા થઈ છે, તેને શેકષ્પી કલેશ કંઈ પણ પીડા ઉપજાવી શક્તા નથી.” તાત્પર્ય કે જે સાધક અન્યત્વભાવનાને આશ્રય લે છે, તે બહિરાત્મ ભાવમાંથી અંતરાત્મભાવમાં અને છેવટે પરમાત્મભાવમાં સ્થિર થઈ સર્વ દુખેથી મુક્ત થાય છે.
(૬) અશુચિસ્વભાવના આ શરીર અશુચિને. ભંડાર છે. તેનાં વિવિધ દ્વારમાંથી નિરંતર અશુચિને પ્રવાહ વહ્યા કરે છે. વળી અત્તર આદિ સુગંધમય શુદ્ધ પદાર્થો પણ તેના સંસર્ગમાં આવતાં અશુચિમય બની
જાય છે. આવા અશુચિમય શરીર પર મેહ શો? વગેરે • ચિંતવવું, તેને અશુચિમયભાવના કહે છે. શ્રીવિનયવિજયજી મહારાજે શાંતસુધારસભાવનામાં કહ્યું છે કે
स्नायं स्नाय पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिः, वारं वारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोध्धुमेवम् ॥
“અહો! મૂઢ જીવે ફરી ફરીને સ્નાન કરે છે અને -મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન વડે ચર્ચે છે. પછી -અમે પવિત્ર છીએ, એમ માનીને એના પર મેહ ધરે છે; - પરંતુ એ શરીર કદી પણ શુદ્ધ થતું નથી. ઉકરડે કદી પણ શુદ્ધ થાય ખરે?”
Page #365
--------------------------------------------------------------------------
________________
સંવતત્ત્વ
૨૨૭
અહી” શરીરને ઉકરડા સાથે સરખાવવાનું કારણ એ છે કે ઉકરડામાંથી કચરો ઉપડયોન ઉપયો, ત્યાં ખીજે ચો આવી પડે છે અને તેથી તે ગંધાતા જ રહે છે, તેમ શરીરમાંથી એકત્ર થયેલા મલ હુઢયોન હેઠચોકે ખીજો મલ ભેગા થાય છે અને તેથી તે ગંધાતુ જ રહે છે.
(૭) આજવભાવના આસવના હેતુઓ અંગે ખાસ વિચારણા કરવી, તે આસ્રવભાવના કહેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે. જેમ પર્વતમાંથી ચારે માજી પડતાં ઝરણાનાં પાણી વડે તળાવ જલ્દી ભરાઈ જાય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગનાં કારણે આવેલાં કર્મોં વડે આત્મા ભરાઈ જાય છે, તેથી હે જીવ! તું આ પાંચ કારણેાથી વિરામ પામ. • મિથ્યાત્વના ચેાગે અનાદિ કાળથી તું આ સંસારમાં રખડતા રહ્યો છે અને તે ક્રમની ઉત્પત્તિનું મુખ્ય કારણુ છે, એમ સમજી તેના ત્યાગ કર
• વિષયના રસમાં લુબ્ધ બનેલા હાથી, માછલા, ભમરા, પત'ગિયા, હરણ વગેરે પ્રાણીઓના આખરી હાલ શું થાય છે? એ વિચારી તુ વિષયરસ-અવિરતિને છેડી દે. હું આત્મન્ ! દિવસ અને રાત્રિ સડસડાટ ચાલ્યા -જાય છે. કાળ કોઈને માટે ઉભા રહેતા નથી. જે ક્ષણા ગઈ તે પાછી આવતી નથી, એમ વિચારી તુ પ્રમાદને ત્યાગ કર અને ક્ષણે ક્ષણના આત્મહિતાર્થે ઉપયોગ કર
1
Page #366
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ દીપિકા
હે જીવ! ક્રોધ, માન, માયા અને લાસ એ ચાર મહાન લુટારાએ તારી આત્મસમૃદ્ધિને લૂંટી રહ્યા છે, માટે તેનાથી ચેતીને ચાલ. આ ચાર કષાયે સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનારા છે, માટે તેના ત્યાગ કર.
હું ચેતન ! તું મનથી કેટલાં કર્માં ખાંધે છે? • વચનથી કેટલાં કર્માં બાંધે છે? અને કાયાથી કેટલાં કમેĒ આંધે છે? તેના વિચાર કર.
સ
અસંયમનુ ફળ પૂરું' છે અને સંયમનુ ફળ સારું છે. એ વાત તુ કદી ભૂલીશ નહિ.'
રોકના
(૮) સવરભાવના–આસવને ઉપાય.. સમથી ચિંતન કરવું, તેને સવરભાવના કહેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે
હે જીવ! તું સમ્યકત્વ વડે મિથ્યાત્વના નિષ કર, વિરતિ વ્રત વડે અવિરતિના નિષ કર, પ્રખળ પુરુષા દાખવી પ્રમાદના નિશ્ચય કર, ક્ષમાનમ્રતાસરલતા–સતાષ વડે કષાયેના નિરોધ કર અને મનેાગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયક્રુપ્તિ વડે મન, વચન અને કાયાની અથુલ પ્રવૃત્તિઓને નિરોધ કર.
- હું ચેતન ! તું ઈર્ષ્યાપથિકી દ્ધિ પાંચેય સમિતિનું સ્વરૂપ તથા મનાગુપ્તિ આદિ ત્રણ ત્રુપ્તિનું સ્વરૂપ અરાબર સમજી લે અને તેનું પાલન કરવામાં ઉત્સાહ રાખ.
• હું આત્મન ! તું ક્ષુધા પીપાસા આદિ આવીશ.
Page #367
--------------------------------------------------------------------------
________________
સંવતત્વ પ્રકારના પરીષહ સમભાવે સહી લે, દશ પ્રકારના યતિધર્મનું ઉત્સાહથી પાલન કર, બાર પ્રકારની ભાવનાઓનું સેવન કર તથા પાંચ પ્રકારના ચારિત્રને મર્મ વિચારી તેની ઉચ્ચ ભૂમિકાઓ અનુક્રમે ચઢતે જા.”
અહીં ગૃહસ્થ સાધકેએ વિશેષમાં એ પણ વિચારવું ઘટે છે કે “સંવરની સાધના માટે મહાપુરુષોએ સામાયિક, પ્રતિકમણ, પિષધ, જિનદર્શન, જિનપૂજા, ગુરુદર્શન આદિ જે જે ઉપાય બતાવ્યા છે, તેને હે જીવ! તું ખૂબ ખૂબ આદર કર અને તેનું બને તેટલું આરાધન કર.'
(૯) નિર્જરાભાવના-કર્મનિર્જરાના ઉપાય સંબંધી ચિંતન કરવું, તેને નિર્જરાભાવના કહેવાય છે. તેનું ચિંતન સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે?
ઇંધનને ઢગલે અગ્નિથી બળીને ખાખ થઈ જાય છે, તેમ કર્મને ઢગલે તપ વડે બળીને ખાખ થઈ જાય છે; અથવા તળાવનું પાણું જેમ સૂર્યના આકરા તાપથી શેષાઈ જાય છે, તેમ કર્મ પણ તપથી શેષાઈ જાય છે. માટે હે જીવ! તું બને તેટલું તપનું આરાધન કર.”
“હે ચેતન! મારાથી તપ કેમ થશે? એમાં તે ઘણું કષ્ટ સહન કરવું પડે એ વિચાર તું હરગીઝ કરીશ નહિ, કારણ કે તે નરક-નિગદ તિર્યંચના ભાવમાં અનેક કષ્ટ સહન કર્યા છે, તેને તે આ લાખમે ભાગ પણ નથી. વળી તને કાયાની માયા એવી તે કેવી વળગી
૧૯
Page #368
--------------------------------------------------------------------------
________________
નવતરવ-દીપિકા
છે કે તારાથી તપશ્ચર્યા થતી નથી! શ્રી મહાવીર પ્રભુએ કેટલી તપશ્ચર્યા કરી ! અન્ય મહાપુરુષેએ કેટલી તપશ્ચર્યા કરી, તેને તું વિચાર કર.
“હે આત્મન ! તું અતિ ખાવાની તૃણું છોડી દે અને ઉદર ડું ઊણું રાખવામાં જ સંતોષ માન. કાયાની સુખશીલતાને ત્યાગ કર અને ધર્મસાધના–નિમિત્તનાં લેચ, વિહાર આદિનાં કષ્ટો સમભાવે સહી લે.
“હે ચેતન! તું બને તેટલું એકાંતનું સેવન કર અને અંગોપાંગ સંકેચીને રહે, કારણ કે એ સુંદર તપશ્ચર્યા છે.
વળી હે ચેતન ! જિનેશ્વર ભગવાને બતાવેલી અત્યંતર તપશ્ચર્યા ઘણી સુંદર છે. દોષ લાગતાં પ્રાયશ્ચિત લેવું, મેક્ષનાં સાધનને વિનય કરે, આચાર્ય, ઉપાધ્યાયાદિ દશનું નિરાશંસ ભાવે વિયાવૃત્ય કરવું, શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કરવું, કાત્સર્ગ અવસ્થામાં રહેવું, કષાયને વ્યુત્સર્ગ કરે આદિ. આ તપશ્ચર્યાની યથાશક્તિ આરાધના કરવાથી તે ભવભવમાં બાંધેલાં કર્મો ખપી જશે અને તું તારા નિર્મળ સ્વરૂપને પામી શકીશ.”
(૧૦) લેકસ્વરૂપભાવના–લેકના સ્વરૂપનું ચિંતન કરવું, તે લોકસ્વરૂપભાવના કહેવાય છે. તેમાં સામાન્ય રીતે આ પ્રકારે વિચારણા કરવામાં આવે છે?
“આ લોકરૂપી પુરુષ પગ પહોળા કરીને ઊભેલો છે અને તેણે પિતાના બે હાથ કેડ ઉપર રાખેલા છે. એક
Page #369
--------------------------------------------------------------------------
________________
સંવરતવ
બીજાની નીચે નીચે વિસ્તીર્ણ. છત્રાકારે રહેલી રત્નપ્રભા વગેરે સાત નરકભૂમિઓ તેનાં બે પગનાં સ્થાને છે.
અસંખ્યાત દ્વિપસમુદ્રવાળે મધ્યલોક તથા સૂર્યચંદ્રાદિ જ્યોતિષચકો તેનાં નાભીસ્થાને છે. તેની ઉપર પહેલો–બીજે અને ત્રીજો-ચોથે દેવલેક અને તેની ઉપર બ્રહ્મલોક અર્થાત્ પાંચમે દેવક તેની બે કેણીઓ છે અને ઉપર બીજા સાત દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તરવિમાન અને છેવટે આવેલી સિદ્ધશિલા એ તેનાં મસ્તકનાં સ્થાને છે.
કુલ ચૌદ રજજુ પ્રમાણ ઊંચો આ લોક અનાદિ, અનંત, અકૃત્રિમ અને શાશ્વત છે. તથા ધર્મ, અધર્મ, આકાશ, કાલ,પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યોથી ભરેલો છે. તેની ચારે બાજુ અલોકાકાશ આવેલું છે, અર્થાત્ આ લોક આકાશના એક ભાગમાં જ અવસ્થિત છે.
આ લોકરૂપી રંગમંડપમાં આત્મા એ નટ છે અને કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ તથા ઉદ્યમ એ પાંચ સમવાય-કારણરૂપી વાજિંત્રએ નચાવ્યા મુજબ નાચે છે.
“હે ચેતન ! ચર અને સ્થિર, જંગમ અને સ્થાવર વસ્તુથી ભરેલા આ લોકનું સ્વરૂપ તું બરાબર સમજી લે. આ લોક દ્રવ્યથી નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અને પર્યાયથી અનિત્ય છે, ચલ છે, અસ્થિર છે. - આ લેકને કોઈ પણ ભાગ એ નથી કે જ્યાં તું
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૯૨
નવન્તત્વ-દીપિક કર્મવશાત્ ઉત્પન્ન થયે ન હોય. આ લેકના સર્વ ભાગમાં તારું ભ્રમણ ચાલુ જ રહ્યું છે. - “હે જીવ! આ લોકનાં મથાળે રહેલી સિદ્ધશિલા. તરફ જ તારી દષ્ટિ રાખ. તારે એક દિવસ ત્યાં જ પહોંચવાનું છે.”
(૧૧) બદિલભભાવના–આ જીવને બોધિલાભ થ દુર્લભ છે, એમ ચિંતવવું, એ બેધિદુર્લભ ભાવના કહેવાય છે. તેમાં સામાન્ય રીતે આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે –
આ જીવને મનુષ્યત્વ, કર્મભૂમિ, આર્યદેશ, ઉત્તમ કુળ, શરીર અને ઇંદ્રિયનું પૂરું સામર્થ્ય, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુને ભેગ, શાસ્ત્રશ્રવણ અને બેધિની પ્રાપ્તિ ઉત્તરોત્તર ઘણું દુર્લભ છે.
“હે જીવ! તું મનુષ્યપણું શી રીતે પામે? પ્રથમ નિગદ અવસ્થામાં હતું, ત્યાં અનંત પુદ્ગલપરાવર્તકાળ સુધી ઝડપી જન્મ-મરણ ક્ય જ કર્યા અને અનંત દુઃખ ભગવ્યું. પછી તું પૃથ્વીકાયાદિ સ્થાવરપણું પાયે અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણ–અવસર્પિણીઓ વ્યતીત કરી. પછી ત્રસમણું પામ્ય અને અસંખ્યાતાકાળ સુધી બે– ઇંદ્રિય, ઇદ્રિય તથા ચઉરિંદ્રિયના ભવે કર્યા. પછી પંચેંદ્રિયમાં પ્રવેશ કર્યો અને નરક તથા તિર્યંચ અવસ્થામાં ઘણા કાળ સુધી દુઃખને અનભવ કરી છેવટે તું
Page #371
--------------------------------------------------------------------------
________________
સંવરતત્વ
૨૯૩ મનુષ્યભવ પામે. માટે શાસ્ત્રકારોએ તેને દશ દષ્ટાંતે દુર્લભ કહ્યો છે, તે યથાર્થ છે.
મનુષ્યપણું પામ્યા પછી કર્મભૂમિમાં અને તેમાંયે આર્ય દેશમાં જન્મ પામ દુર્લભ છે, તે પણ તું પામે. આર્યદેશમાં પણ ઉત્તમ કુળની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે પણ તને પ્રાપ્ત થઈ તેમાં પણ શરીર અને ઇંદ્રિયનું પુરું સામર્થ્ય હેવું દુર્લભ છે, પણ તે ય તને પ્રાપ્ત થયું. જે આયુષ્ય અતિ અલ્પ હોય તે શું થઈ શકે ? ઘણું માણસે ગર્ભાવસ્થામાં મરણ પામે છે અથવા જન્મ પામ્યા પછી થોડા જ વખતમાં વિવિધ રોગોને ભેગ બની મૃત્યુને આધીન થાય છે, ત્યારે તું તે દુર્લભ એવું દીર્ધાયુષ્ય પણ પાપે.
આ બધું પામવા છતાં બેધિને લાભ થવે, એટલે કે જૈન ધર્મની પ્રાપ્તિ થવી, અતિ દુર્લભ છે. તને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ, એ તારું પરમ સૌભાગ્ય માન અને
અરિહંત દેવ, નિર્ગથ ગુરુ તથા સર્વજ્ઞ-કથિત ધર્મના સિદ્ધાંતમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખ. - જેન મહર્ષિઓએ બેધિ અર્થાત્ સમ્યકૃત્વને ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક કહેલ છે, તેને મર્મ તું વારંવાર વિચાર. ખરેખર! આ જગતમાં બેધિ અર્થાત્ સમ્યક્ત્વ જેવી સુંદર કઈ પણ વસ્તુ નથી, અને જે સમ્યકત્વ હોય તે જ જ્ઞાન અને કિયા સફળ છે, માટે હે જીવ! તું સમ્યકત્વમાં બરાબર સ્થિર થા.”
Page #372
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ દીપિકા
(૧૨)
સાયક
દુર્લભભાવના—ધના ઉત્પાદક—ઉપદેશક એવા અરિહંત આદિની પ્રાપ્તિ પણ મહા દુર્લભ છે, એમ વિચારવું એ અહંન્દુભભાવના કે ચમ ભાવના કહેવાય છે. હ્યુ છે કે——
तित्थयर गणहरो, केवली य पत्तेयबुद्ध पुव्वधरा ॥ पंचविहायारधरो, दुल्लsो आयरियोऽवि ||
- તીથ"કર, ગણુધર, વલી, પ્રત્યેકબુદ્ધ, પૂર્વધર અને પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર આચાર્ય પણ: આ લોકમાં પ્રાપ્ત થવા મહા દુર્લભ છે.' અહીં' એમ પણ વિચારવું ઘટે કે दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन | निरूपितो यो जगतां हिताय,
स मानसे मे रमतामजस्रम् ॥
૪
જિનમાંધવ શ્રી તીર્થંકરદેવે જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધમ ઉપદેશ્ય છે, તે મારા મનમાં નિરંતર વાસ કરો. ’
વિશેષમાં એમ પણ વિચારવું ઘટે
હું આત્મન્ ! ધર્મ એ મગલરૂપી કમલાનું કૈલિસ્થાન, કરુણાનું મ્તન, શિવસુખનું સાધન, ભવભયનું ખાધન અને જગતનો આધાર છે, માટે તેનું શરણુ અંગીકાર કર.
Page #373
--------------------------------------------------------------------------
________________
સંવરતત્વ
હે ચેતન ! ધર્મ એ અબંધને બંધુ છે, અસહાયને સહાયક છે અને સર્વ પ્રકારની ઈષ્ટસિદ્ધિને આપના છે, માટે તેનું શરણું અંગીકાર કર.
“હે આત્મન ! ધર્મ આ ભવ તથા પરભવ બનેમાં સુખકારી છે તથા ક્રમશઃ મુક્તિસુખને આપનારે છે, માટે તેનું શરણ અંગીકાર કર.
“હે ચેતન ! કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિ રત્નથી જે ફલની પ્રાપ્તિ થાય છે, તે થેડે વખત જ સુખ આપે છે અને તે પણ અપૂર્ણ હોય છે, જયારે ધર્મના સેવનથી થતી ફલપ્રાપ્તિ ચિરકાળ સુધી સુખને આપનારી હેય છે તથા તે સુખ પૂર્ણ હોય છે. માટે તેનું શરણું અંગીકાર કર..
હે આત્મન ! આ જગતમાં એવું કયું દુખ છે કે જે ધર્મના સેવનથી ન ટળે? અથવા આ જગતમાં એવું કયું સુખ છે કે જે ધર્મના સેવનથી ન મળે? તાત્પર્ય કે દુઃખને દૂર કરવા અને સુખને સાધવાને સાચે ઉપાય ધર્મ છે, માટે તેનું શરણ અંગીકાર કર
હે ચેતન ! તું શ્રતધર્મ અને ચારિત્રધર્મનું શરણ સવીકાર, જેથી તારે ભવનિતાર શીધ્ર થશે.
“હે આમન્ ! તું ક્ષમાધર્મ, માઈવધર્મ, આર્જવધર્મ, મુક્તિધર્મ, ધર્મ, સંયમ ધર્મ, સત્યધર્મ, શૌચધર્મ, અકિંચનધર્મ, અને બ્રહાચર્યધર્મનું પાલન કર, જેથી તારે ભવનિતાર શીઘ થશે.
Page #374
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ–દીપિકા
• હું આત્મન્ ! તુ સજ્ઞકથિત સત્ય ધર્મનુ શરણુ સ્વીકાર તે તારા ભવનિસ્તાર શીઘ્ર થશે.
?
આ ખાર ભાવનાઓ ઉપરાંત મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાએ પણ ભાવવા ચાગ્ય છે. તેમાં સર્વ જીવાને મિત્ર સમાન ગણવા, તે મૈત્રીભાવના છે; ગુણવાનને જોઈ રાજી થવું, તે પ્રમાદભાવના છે; :ખી થવા પ્રત્યે કરુણા—અનુકંપા ધારણ કરવી, તે કારુણ્યભાવના છે; અને પાપી-અધમી જીવા પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરવી, એ માધ્યસ્થભાવના છે.
વિશેષમાં પ્રાણાતિપાતવિમણુ આદિ દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, તે પણ ભાવવા ચાગ્ય છે. તેના વિસ્તાર ચેગશાસ્ત્ર વગેરે ગ્રંથાથી જાણવા.
(૧) ઉપક્રમ :
ભાવના પછી ચારિત્રના અધિકાર આવે છે. તેની રજૂઆત પ્રકરણકાર મહર્ષિ ખત્રીશમી અને તેત્રીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે
(૨) મૂળ ગાથા
'
सामाइअत्थ पढमं, छेओवट्ठावणं भवे वीअं । परिहारविसृद्धीअं, सुहुमं तह संपराय च ||३२||
ततो अ अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि ।
{
ૐ શોિળ ઇનિયિા, વૈષત્તિ-યામાં ઢાળે રૂા
Page #375
--------------------------------------------------------------------------
________________
સંવરતવ
(3) संस्कृत छाया:
सामायिकमत्र प्रथम, छेदोपस्थापनं भवेद् द्वितीयं । परिहारविशुद्धिकं सूक्ष्म तथा सम्परायं च ॥३२॥ ततश्च यथाख्यातं, ख्यातं सर्वस्मिन् जीवलोके ।
यच्चरित्वा सुविहिता, गच्छन्त्यजरामरं स्थानम् ॥३॥ (४) avat:
सामाइय-सामायि. सामाइय-मने अत्थ, से सामाइयमत्थ. अत्थ-मत्र, मही, मा मधिरे. पदम-प्रथम, पडे छेओवद्वावणं-छेतोपस्थापन. भवे-छ. बी-भीj. परिहारविसुद्धीअं-परिहारविशुद्धि सुहुमं-सूक्ष्म तह-तथा. संपरायं-सराय च-अने. तत्तो-पछी. अ-अने, पी.
अहस्खायं यथाव्यात. " खायं-ज्यात, अध्यात.
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૯૯
નવતાઢીપિક
સવ્વનિ-સ.
આ પદ નીવોñમિત્તુ વિશેષણ હાવાથી સપ્તમીમાં
આવેલું છે.
નીવજોગમિ-જીવલેાકમાં, જગતમાં,
ૐ જેને. વળિ–આચરીને, સુવિધિયા સુવિહિત સાધુ,
વિધિને સારી રીતે આદર કરે તે સુવિહિત
કહેવાય છે.
વન્નતિ જાય છે, પામે છે. અયામ અજરામર.
જે અજર અને અમર હાય તે અજરામર અજર એટલે જરા અવસ્થાને ન પામે એવું અને અમર એટલે જ્યાં મરણુ નથી એવુ. તાત્પર્ય કે યાં વૃદ્ધાવસ્થા નથી, તેમજ મરણુ નથી અને પિરણામે નવા જન્મ પણ નથી, તેને અજરામર કહેવામાં આવે છે.
appi-zenda.
અજરામર સ્થાન એટલે માક્ષ
(૫) અથસકલના
-
અહીં ચારિત્રના અધિકારે) સામાયિક નામનું ચારિત્ર પહેલુ છે, છેદેપસ્થાપન નામનું ચારિત્ર બીજી છે, પરિહારવિશુદ્ધિ નામનુ ચારિત્ર
Page #377
--------------------------------------------------------------------------
________________
સંવતત્વ · ત્રીજું છે અને સૂક્ષ્મસં૫રાય નામનું ચારિત્ર. ચહ્યું છે. પછી સર્વ જગતમાં પ્રસિદ્ધ એવું યથાખ્યાત નામનું ચારિત્ર છે કે જેને આચરીને સુવિહિત સાધુઓ મોક્ષ પામે છે. (૬) વિવેચન
ચારિત્રમેહનીય કર્મના ક્ષય, ઉપશમ કે - પશમથી પ્રકટ થયેલે આત્માને શુદ્ધ સ્વભાવ તે ચારિત્રકહેવાય છે. આ ચારિત્ર પાંચ પ્રકારનું છે: (૧) સામાયિક-- ચારિત્ર, (૨) છેદો પરથાપન કે છેદો પસ્થાપનીયચરિત્ર, (૩) પરિહારવિશુદ્ધિચાસ્ત્રિ, (૪) સૂમસં પરાયચારિત્ર, અને (૫) યથાખ્યાતચારિત્ર. આ પાંચ ચારિત્રનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું : (૧) સામાયિકચારિત્ર:
આત્મા કર્મના સગે અનાદિકાળથી વિષમ રિથતિમાં રહેલ છે. આ વિષમ સ્થિતિને દૂર કરીને સમસ્થિતિમાં સમભાવમાં લાવવાનું મુખ્ય સાધન સામાયિકાસ્ત્રિ છે. તે હિંસાદિ સાવધ વેગને ત્યાગ કરવાથી તથા સંવરનિજેરાનું સેવન કરવાથી સિદ્ધ થાય છે. સમ એટલે. સમસ્થિતિ કે સમભાવ, તેને કાર એટલે લાભ તે સમાય. તેનાથી યુક્ત જે કિયા તે સામાયિ.
આ સામાયિગ્રાસ્ત્રિ બે પ્રકારનું છેઃ (૧) ઈતરકથિક અને (૨) ચાવતુકથિક. ભરતાદિ દશ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા.
Page #378
--------------------------------------------------------------------------
________________
*300
નવતત્ત્વ દીપિકા
અપાય છે, તે ઈવરકથિકસામાયિકચારિત્ર કહેવાય છે, કારણ કે તે થાડા કાળ માટે જ હેાય છે. શ્રાવકે શિક્ષાવ્રતના અધિકારે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે, તેના સમાવેશ પણ આ ઈત્વરકથિકસામાયિક્ચારિત્રમાં જ થાય છે.
મધ્યના ખાવીશ તીથરના શાસનમાં તેમજ મહાવિદેહમાં સર્જંદા પ્રથમ લઘુ દીક્ષા અને પુનઃ વડી દીક્ષા એવા વ્યવહાર નથી. ત્યાં પ્રથમથી જ વડી દીક્ષા હાય છે, માટે તેને યાવકથિકસામાયિકચારિત્ર કહેવામાં • આવે છે.
આ બે ચારિત્ર પૈકી ઈત્વરથિક સાતિચાર અને * ઉત્કૃષ્ટ છ માસનુ હાય છે, જ્યારે યાવતથિક નિરતિચાર ( અલ્પ અતિચાર ) અને જીવનભરનું હોય છે.
(૨) ઈંદાપસ્થાપનીયચારિત્ર :
પૂર્વના સામાયિકચારિત્રના - પર્યાયના છેદ કરીને ઉપસ્થાપન કરવું, એટલે કે પુનઃ દીક્ષા લેવી, વિશુદ્ધ મહાવ્રતા અંગીકાર કરવા, તે છે-પસ્થાપનીયચારિત્ર કહેવાય છે. તેના સાતિચાર અતે નિરતિચાર એવા બે પ્રકારો છે. તેમાં જેણે મહાનતાના મૂળથી ભંગ કર્યો હોય તેને પુનઃ મહાવ્રતા આપવામાં આવે તે સાતિચાર છેદાપસ્થાપનીયચારિત્ર કહેવાય અને
સદોષ કે સદોષ કે નિર્દોષ
1
લઘુ દીક્ષાવાળા સાધુને શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન પૂરું થયા પછી વડી દીક્ષા આપવામાં આવે તેને નિરતિચાર
Page #379
--------------------------------------------------------------------------
________________
સંવતન ,
૩૧ છેદપસ્થાપનીયચરિત્ર કહેવાય. વિશેષમાં એક તીર્થકરના સાધુને બીજા તીર્થકરના શાસનમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને પણ પુનઃ ચારિત્ર ઉચ્ચારવું પડે છે, ચારિત્રને લગતી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે) તે, પણ નિરતિચાર. છેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ ચાર મહાવ્રતોથી યુક્ત હતા, તેમણે શ્રી મહાવીર પ્રભુના પાંચ મહાવ્રતવાળે માર્ગ અંગીકાર કર્યો, ત્યારે પુનઃ ચારિત્ર ગ્રહણ કર્યું હતું, એ હકીક્ત આગમપ્રસિદ્ધ છે.
મધ્યના બાવીશ તીર્થંકરના શાસનમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં છેદો પસ્થાપનીયચરિત્ર હોતું નથી. તાત્પર્ય કે તે પહેલા તથા છેલ્લા તીર્થકરના શાસનમાં તેમજ ભરતાદિ ક્ષેત્રમાં જ હોય છે. પરિહારવિશુદ્ધિચારિત્ર:
પરિહાર એટલે ગચછના ત્યાગપૂર્વક જે વિશિષ્ટ તપ કરી આત્માની વિશુદ્ધિ કરવામાં આવે, તેને પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું:
સ્થવિરકલ્પી સાધુઓના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુઓ ગચ્છને પરિહાર કરે છે, એટલે કે તેને છેડીને કેવલી ભગવંત અથવા ગણધર અથવા પૂર્વે જેમણે પરિહારકલ્પ અંગીકાર કર્યો હોય તેવા સાધુ મુનિરાજ પાસે જાય છે અને પરિહારકલ્પ અંગીકાર કરે છે. તેમાં ચાર સાધુ છ માસ સુધી તપ કરે છે અને બીજા ચાર.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૦૨
નવ-નવ-દીપિકા સાધુ તેમનું વૈયાવૃત્ય કરે છે તથા એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય છે. છ મહિના બાદ તપ પૂર્ણ થયે તે સાધુઓ - વૈયાવૃત્ય કરનાર થાય છે અને વૈયાવૃત્ય કરનાર સાધુઓ
છ માસને તપ આરભે છે. તેમને તપ પૂર્ણ થયે વાચનાચાર્ય પિતે છ માસને તપ કરે છે. એ વખતે જઘન્યથી - એક અને ઉત્કૃષ્ટથી સાત સાધુ તેમનું વૈવૃત્ય કરનારા થાય છે. આ પ્રમાણે અઢાર મારો પરિહારકલ્પ પૂર્ણ થાય છે.
પરિહારકલ્પ અંગીકાર કરનાર સાધુઓ ગ્રીષ્મકાલમાં જઘન્ય ચતુર્થભક્ત એટલે એક ઉપવાસ, મધ્યમ કષ્ટભક્ત એટલે બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત એટલે ત્રણ ઉપવાસ કરે છે, શિશિરઋતુમાં જઘન્ય પષ્ટભક્ત, મધ્યમ અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમભક્ત એટલે ચાર ઉપવાસ કરે છે તથા વષકાલમાં જઘન્ય અષ્ટમ ભક્ત, મધ્યમ દશમ ભકત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત એટલે પાંચ ઉપવાસ કરે છે. આ દરેક તપમાં પારણે આયંબિલ કરે છે. વળી વૈયાવૃત્ય કરનાર અને વાચનાચાર્ય પણ હંમેશાં આયંબિલ
આ કલ્પ પૂરો થયા પછી કેટલાક સાધુઓ ફરી તેજ - પરિહારવિશુદ્ધિચારિત્રને સ્વીકાર કરે છે, તે કેટલાક સાધુએ જિનકલ્પને સ્વીકાર કરે છે અને કેટલાક સાધુઓ પુનઃ ગચ્છમાં આવે છે. તેમાં તરત જ જિનલ્પને સ્વીકાર - નાશ થાવતકથિક પરિહારવિશુદ્ધિક અને બીજા વરકથિક પરિહારવિશુદ્ધિક કહેવાય છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
સંવતત્ત્વ
આ કલ્પમાં તપશ્ચર્યા કરનાર સુધી નિવિંશમાનક કહેવાય છે અને આદ નિર્વિષ્ટકાયિક કહેવાય છે.
આ ચારિત્ર પ્રથમ અને ચરમ હાય છે, મધ્યના ખાવીશ તીર્થંકરના સમયમાં હાતુ (૪) સૂક્ષ્મસ’પરાયચારિત્ર
જે ચારિત્રમાં માહનીય કર્મની ૨૮ પ્રકૃતિએ પૈકી ૨૭ પ્રકૃતિના ક્ષય થયેલા હાય છે અને માત્ર સજ્વલન લોભ કે જેને માટે અહીં સંપરાય સંજ્ઞાના પ્રયાગ કરવામાં આવ્યો છે, તેને અતિ સૂક્ષ્મ ભાગ-સ્વલ્પ અંશ ખાકી રહ્યો હાય, તે ચારિત્રને સૂક્ષ્મસ'પરાય કહેવામાં આવે છે. દશમા ગુણસ્થાનકે વત્તા આત્માને આ પ્રકારનું ચારિત્ર
હાય છે.
303
સાધુએ તપશ્ચર્યાં કરતાં તપશ્ચર્યા કરી સ્થા
તીથ "કરના તી માં
નથી.
(૫) યથાખ્યાતચાસ્ત્રિ
ચથા એટલે જે પ્રમાણે હ્યાત એટલે કહેતુ છે. તાપ કે સર્વજ્ઞ ભગવંતોએ ચારિત્રનું શુદ્ધ સ્વરૂપ જે પ્રકારનું પ્રકાશ્યું છે, તેવા ચારિત્રને યથાખ્યાતચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્રમાં કષાયને સથા ઉપશમ કે ક્ષય થવાથી વીતરાગપણાની પ્રાપ્તિ હૈાય છે. તેના ચાર પ્રકારો છે :
(૧) ઉપશાન્ત યથાખ્યાત, (૨) ક્ષાયિક યથાખ્યાત, (૩) છાદ્યસ્થિક યથાખ્યાત તથા (૪) કેવલિક યથાખ્યાત. અગિયારમા ગુણસ્થાનકે માઠુનીયકમ સત્તામાં ડાય
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૦૪
નવ-તત્ત્વ-દીપિકા છે, પણ તદ્દન શાંત હેવાથી તેને ઉદય હેતું નથી. તે વખતનું ચારિત્ર તે ઉપશાંતયથાખ્યાત. - બારમા, તેરમા તથા ચૌદમ ગુણસ્થાનકે મેહનીય કર્મને તદન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર હોય, તે ક્ષાયિકજ્યાખ્યાત.
અગિયારમે અને બારમે ગુણસ્થાને રહેલો આત્મા છવસ્થ હોવાથી તેના ચારિત્રને છાઘસ્થિક યથાખ્યાતચારિત્ર કહેવાય છે અને તેરમા તથા ચૌદમા ગુણસ્થાને રહેલો આત્મા કેવલી હોવાથી તેમનું ક્ષાયિક ભાવનું ચારિત્ર તે કૈવલિક યથાપ્યાતચારિત્ર કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વાસ્તવમાં સામાયિક એ જ ચાસ્ત્રિ છે, પરંતુ તેની જુદી જુદી અવસ્થાઓને લીધે તેનાં જુદાં જુદાં નામે પડેલાં છે. દાખલા તરીકે પૂર્વ પર્યાય છે અને નવા પર્યાયનું ઉપસ્થાપન કરવાથી જે સામાયિકચારિત્રને સદ્ભાવ તેનું નામ છેદો પસ્થાપનયચારિત્ર, પરિહારક૫ કરવાથી જે વિશુદ્ધિ થાય એ વખતનું સામાયિકચારિત્ર તે પરિહારવિશુદ્ધિચારિત્ર. માત્ર સૂક્ષમ સં૫રાય જ ઉદયમાં હોય, તે વખતે જે જાતનું સામાયિક ચારિત્ર તે સૂક્રમ સંપરાય ચારિત્ર અને સંપૂર્ણ શુદ્ધિવાળું સામાયિક ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. મેક્ષની પ્રાપ્તિ યથાખ્યાતચારિત્રથી જ થાય છે. . “સંવરતત્ત્વ' નામનું નવમું પ્રકરણ અહીં પૂરું
Page #383
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશમું
નિર્જરાતત્ત્વ [ ગાથા ચેત્રી શમીથી છત્રીશમી સુધી] (૧) ઉપકમ :
કર્મનું નિર્જરવું અર્થાત્ ઝરવું, સડવું કે અમુક અંશે નાશ પામવું, એ નિર્જરા કહેવાય છે. આ પ્રકારની નિર્જરા વડે જ કર્મને આત્યંતિક ક્ષય થાય છે અને છેવટે મુક્તિ, મોક્ષ કે પરમપદનું અનિર્વચનીય સુખ માણી શકાય છે, તેથી નિર્જરાની ગણના શુદ્ધ ઉપાદેય તાવમાં થયેલી છે.
સંવરતત્ત્વ પછી નિરાતત્ત્વને અને નિર્જરાતત્વ પછી બંધતત્વને અધિકાર આવે છે. આ બંને તને નિર્દેશ પ્રકરણકાર મહર્ષિએ ત્રીશમી ગાથામાં અનુક્રમે આ પ્રમાણે કર્યો છે : (૨) મૂળ ગાથા : वारसविहं तवो, णिज्जरा य बंधा चउविगप्पा अ। પથરૂ-શિશુમા-મે નાચો રૂછો
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૦૬
(૩) સંસ્કૃત છાયા :
द्वादशविधं तपो निर्जरा च बन्धचतुर्विं कल्पश्च । प्रकृति स्थित्यनुभागप्रदेश भेदैर्ज्ञातव्यः ||३४||
(૪) શબ્દાર્થ :
વારવિષ્ટ-બાર પ્રકારના.
તો-તપ. નિના–નિજ રા.
૨–અને, વળી.
વન્ધો-અંધ.
ચકવિતા–ચાર પ્રકારના.
87-24-7.
પંચરૂ-પ્રકૃતિ.
અને F તેના
વરૂ અને રૂિ અને अणुभाग એત્ર તે ચર્—ફિ-ત્રનુમાન-પત્ત-મેલ, તેના વડે વચ
ઝિક-અનુમાનવવસ-મેણંદ.
fos-kuld.
નવ-તત્ત્વ–ઢીપિકા
અનુમાન–અનુભાગ. જસ-પ્રદેશ.
મેદું-ભેદો વડે. નાચત્રો જાણવા.
(૫) અર્થ-સકલના
વળી માર પ્રકારના તપ એ નિરા છે અને
Page #385
--------------------------------------------------------------------------
________________
નિજરાતના
૩૦૭ બંધ ચાર પ્રકારનો છે. તે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશના ભેદે વડે જાણવા યેગ્ય છે. (૬) વિવેચન :
શ્રી જિનેશ્વર ભગવતેએ કહ્યું છે કે “મવોકીસંજિયં વર્ષ તવા નિરિકા-કોડે ભવમાં સંચિત કરેલું કર્મ તપવડે ક્ષય પામે છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ગાઢ રસથી બંધાયેલ નિકાચિતકર્મના અલ્પનિકાચિત અને સુનિકાચિત એવા બે પ્રકારે છે. તેમાંથી તપશ્ચર્યા વડે અમુક હદ સુધીનાં અલ્પનિકાચિત કર્મોને ક્ષય થાય છે, જ્યારે સુનિકાચિત કર્મો વિપાકેદયરદયથી અવશ્ય ભેગવવા પડે છે.*
નિર્જરા બે પ્રકારની છે : (૧) દ્રવ્યનિર્જરા અને (૨) ભાવનિર્જરો. તેમાં કર્મ પુદ્ગલોને આત્મપ્રદેશમાંથી ખેરવવા તે દ્રવ્યનિર્જરા છે અને જેનાથી કર્મ પુદુગલો ખરે એવા આત્માને તપશ્ચર્યાદિવાળે શુદ્ધ પરિણામ એ ભાવનિર્જર છે.
નિર્જરાના બે પ્રકારે અન્ય રીતે પણ ગણાય છે. જેમ કે –(૧) અકામનિર્જરા અને (૨) સકામનિર્જરા. તેમાં સમ્યફવરહિત અજ્ઞાનકણવાળી જે તપશ્ચર્યા, તે
* “પરમહોદધિ” નામના ગ્રંથમાં અનેક તપનું વર્ણન કરેલું છે. અમોએ “તપવિચાર ', “તપનાં તેજ ', “તપની મહત્તા વગેરે પુસ્તકમાં તપ સંબંધી ઘણું જાણવા જેવી વસ્તુઓ આપેલી છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૦૮
નવતત્ત્વ દીપિકા
અકામનિશ અને સમ્યક્ત્વથી યુક્ત વિવેકવાળી જે તપશ્ચર્યાં તે સકામનિજ રા.
જિનાગમામાં તપશ્ચર્યાં માર પ્રકારની કહી છે, એટલે નિશના પણ ખાર ભેદો જ ગણવામાં આવે છે. તેનુ વર્ણન પાંત્રીશમી અને છત્રીશમી ગાથાઓમાં આવશે. અધ ચાર પ્રકારના છે : (૧) પ્રકૃતિ ધ, (૨).સ્થિતિઅંધ, (૩) અનુભાગમધ અને (૪) પ્રદેશમધ, તેનું વર્ણન સાડત્રીશમી ગાથામાં આવશે.
(૧) ઉપક્રમ :
બાર પ્રકારના તપમાં છ પ્રકારો મા તપના છે. અને છ પ્રકારો અભ્યતર તપના છે. તેમાં બાહ્ય તપના છ પ્રકાશ પ્રકરણકાર મચિાત્રીશમી ગાથામાં આ પ્રમાણે વર્ણવે છે :
(ર) મૂળ ગાથા :
अणसणभ्रूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ||३५||
(૩) સત છાયા
अनशनमूनोदरिका, वृत्तिसंक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता च बाह्यं तपो भवति ॥ ३५ ॥
(૪) શબ્દાથ :
ગલાં અનશન, આહારત્યાગ.
अणसणं भने ऊणोयरिया ते अणसणभूणोयरिया
Page #387
--------------------------------------------------------------------------
________________
નિર્જરાતત્વ
૩૦
કોરિયા–ઊને દરિકા. ત્તિીસંવ-વૃત્તિસક્ષેપ. નસવાલો સત્યાગ.
વિહેતો-કાયકલેશ. ચ–અને. વો –આ. તો ત૫.
હો છે. (૫) અર્થ સંકેલના
અનશન, ઊને દરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. (૬) વિવેચન :
તપની વ્યાખ્યા જુદા જુદા ધર્મમાં જુદા જુદા પ્રકારે કરવામાં આવી છે. કેઈએ અમુક વ્રતને જ તપ માન્યું છેતે કેઈએ વનવાસ, કંદમૂળ ભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગયું છે તે કેઈએ કેવળ દેહ અને ઈન્દ્રિયેના દમનથી જ તપની પૂર્ણતા સ્વીકારી છે. પરંતુ જૈન પરંપરામાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે?
रसरुधिरमांसमेदोऽस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ।।
જેનાથી રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા
Page #388
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ દીપિક
અને શુક્ર એ શરીરની સાતેય ધાતુ તથા અશુભ કર્મો તપે, તે તપ જાણવુ’
፡
આ વ્યાખ્યા પ્રમાણે કરૂ. દેહદમન એ તપ નથી. અને માત્ર માનસિક તિતિક્ષા એ પણ તપ નથી. તેમાં દેહ અને મન ઉભયથી શુદ્ધિ કરનારાં તત્ત્વા જોઈ એ. જૈન તપ આ અને પ્રકારની શુદ્ધિ પર રચાયેલ છે. શ્રી જિનેશ્વર ભગવતાએ કહ્યુ છે કે નો ફોનटूयाए नो पर लोगट्टयाए नो उभयलो गट्टयाए नो कीत्तिवन्नसदચિજોઢચાહ્ નન્નત્યં નિમ્નપ્રયા હે મુમુક્ષુ ! તમે કોઈ પણ પ્રકારનું તપ આ લોકના સુખની ઈચ્છાથી નહિ; પરલોકના સુખની ઇચ્છાથી નહિ; ઉભય લોકના સુખની ઈચ્છાથી નહિ; કીર્તિ, મહત્તા કે પ્રશસાની ઈચ્છાથી નહિ, પણ માત્ર કમની નિર્જરા અર્થે જ કરો,’
"
અહીં એ પણ મમજી લેવુ જરનું છે કે અમુક દિવસ કે અમુક વખત ભૂખ્યા રહેવુ, તે તપ નહિ પણ લઘન-લાંઘણુ છે. અમુક વસ્તુ નહિ મળે તો ઉપવાસ કરીશ ' એ પ્રકારની ચેતવણીપૂર્વ॰ક થતા ઉપવાસ વગેરે એક પ્રકારનાં તામાં છે, પણ શુદ્ધ શાસ્ત્રીય તપ નથી. જે તપ માક્ષપ્રાપ્તિના હેતુથી માત્ર ની નિશ માટે કરવામાં આવે, તેને જ શુદ્ધ શાસ્ત્રીય તપ ગણવાના છે.
તપના બાહ્ય અને અભ્યતર એવા એ પ્રકાશ છે. તેમાં જે તપ ખાદ્ય વસ્તુના ત્યાગની અપેક્ષાવાળું છે તથા જેને દેખીને લોકો ‘આ તપસ્વી છે' એમ સમજી શકે
Page #389
--------------------------------------------------------------------------
________________
નિરાતવ
૭
છે તથા જે મુખ્યત્વે શરીરને તપાવે છે, તેને બાહ્ય તક કહેવામાં આવે છે. આ તપના છ પ્રકારે અનુક્રમે નીચે મુજબ જાણવા - (૧) અનશનત૫ - શરીરનાં ધારણ-પોષણ માટે ગ્રહણ કરવામાં આવતું આહાર ચાર પ્રકાર છેઃ (૧) અશરૂપ, (૨) પાનરૂપ, (૩) ખાદિમરૂપ અને (૪) સ્વાદિમરૂપ. તેમાં રોટલી, પુરી, ભાત, મીઠાઈ વગેરે જે વસ્તુઓ વડે સુધાનું પૂરું શમના થઈ શકે છે, તેને અશન કહેવાય છેપાણી પાન કહેવાય છે, અમુક અંશે સુધાની તૃપ્તિ કરી શકે તે ફૂલ-ફલાદિ તથા મેવા પ્રમુખ વરતુઓને ખાદિમ કહેવાય છે અને લવીંગ, એલચી, તાંબૂલ વગેરે મુખશુદ્ધિ કરનારાં દ્રવ્યને સ્વાદિમ કહેવાય છે. આ ચાર પ્રકારના આહાર પૈકી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે તેને ચઉવિહાહાચૌવિહારું અનશન અને પાન સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારેને ત્યાગ કરવે તે તિવિહાહા-તિવિહારું અનશન કહેવાય છે.
આવું અનશન બે પ્રકારે થાય છેઃ (૧) ઈતરકાલિક એટલે થોડા સમય માટે અને (૨) યાવતકથિક એટલે જીવનપર્યત. તેમાં ઈવરકાલિક અનશનને સામાન્ય રીતે ઉપવાસ કહેવામાં આવે છે. એકાસણું, આયંબિલ વગેરે તપને સમાવેશ પણું આ પ્રકારમાં જ થાય છે. ચાવતકથિક અનશનને સામાન્ય રીતે અનશન કે સંસ્થા
Page #390
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકારે છેઃ (૧) પાદપપગમન, (૨) ઇંગિનીમરણ અને (૩) ભક્તપરિક્ષા. તેને વિસ્તાર આચારાંગસૂત્ર આદિથી જાણુ. (૨) ઉનેદરિકતપ
જેમાં ઉદર એટલે પેટ, ઊન એટલે હું છું કે અધૂરું હેય તે ઊને દરિકા, એવું જે તપ તે ઊદરિકાતપ. તાત્પર્ય કે પુરુષને આહાર બત્રીશ કેળિયા જેટલે અને સ્ત્રીને આહાર અઠ્ઠાવીસ કેળિયા જેટલે છે, તેનાથી
ડું ઓછું જમવું, તેને ઊરિકા નામનું તપ કહેવામાં આવે છે. કેળિયાનું પ્રમાણ મુખમાં સુખેથી ગ્રહણ કરી શકાય તેટલું સમજવું.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “ડું ઓછું જમવું તેને તપ કેમ કહેવાય?” તેને ઉત્તર એ છે કે પ્રમાણ કરતાં થોડું ઓછું જમવું એમાં એક પ્રકારની તિતિક્ષા છે, તેથી તેને તપ કહેવાય છે. સામાન્ય રીતે મનુષ્ય જમવા બેઠા કે તૃપ્ત થાય તેટલું ખાય છે અને કઈ કઈ વાર ભોજનની સમાપ્તિ થઈ ગઈ હોય છતાં કઈ સ્વાદિષ્ટ વાની આવી પડે તે તરત જ તેને પર હાથ અજમાવવા લાગી જાય છે. આ જાતની વૃત્તિ પર કાબૂ મેળવ, તે ઊરિકા તપને હેતુ છે.
. ઠાંસીને જમવાથી મગજ પર લેહીનું દબાણું વિશેષ થાય છે. પરિણામે સ્કુતિને નાશ થાય છે તથા આળસ અને ઊંઘ આવવા માંડે છે. વળી ઠાંસીને જમવાથી
Page #391
--------------------------------------------------------------------------
________________
નિજ શતત્ત્વ
૧૩
1
શરીરમાં મેશ્વનું પ્રમાણ વધે છે અને ખીજા દોષો પણ ઊભા થાય છે. આ કારણથી જિન ભગવતાએ બ્રહ્મચર્યના રક્ષણની આઠમી વાડમાં ‘ સિભાત્રાડમો : પ્રમાણથી અધિક આહાર કરવા નહિ' એવા આદેશ આપેલા છે.
આધુનિક આહારશાસ્રીઓએ ઘણા સંશોધન પછી જાહેર ક્યું" છે કે મિતાહારી માણસા પ્રમાણમાં લાંખું જીવે છે, જ્યારે અકરાંતિયા થઈને ભાજન કરનારા અનેક રોગના ભાગ બની વહેલા મૃત્યુ પામે છે.
(૩) વૃત્તિસ’ક્ષેપતપ :
જેનાથી જીવતુ રહેવાય તેને વૃત્તિ કહે છે. તેમાં ભાજન, જલ વગેરેનો સમાવેશ થાય છે. આ વૃત્તિના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સક્ષેપ કરવા–સ કાચ કરવા, તેને વૃત્તિક્ષેપ નામનું તપ કે અભિગ્રહની ધારણા કહેવાય છે.
સાધુ–મહાત્મા આ તપ નીચે મુજબ કરે છે (૧) દ્રવ્યસક્ષેપ—અમુક જાતની ભિક્ષા મળે તે
જ લેવી.
(ર) ક્ષેત્રસક્ષેપ——એક, બે કે અમુક ઘરમાંથી જ ભિક્ષા મળે તેા લેવી.
(૩) કાલસક્ષેપ—દિવસના પ્રથમ પહેારમાં કે મધ્યાહ્ન પછી ભિક્ષા મળે તા જ લેવી. (પ્રાચીન કાળમાં ગેાચર મધ્યાહ્નકાળે જ થતી, તે અપેક્ષાએ આ કાલસક્ષેપ છે. )
Page #392
--------------------------------------------------------------------------
________________
૪
નવતત્ત્વ દીપિકા
(૪) ભાવસ ક્ષેપ—અમુક સ્થિતિમાં રહેલી વ્યક્તિ દ્વારા મળે તા જ ભિક્ષા ગ્રહણ કરવી.
આ પ્રકારના અભિગ્રહથી ઉગ્ર તિતિક્ષા થાય છે. અને સ્વાભાવિક રીતે જ તપશ્ચર્યાં થાય છે. શ્રમણ ભગવાન મહાવીરદેવ અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરતા હેતા અને આત્માની ક્સોટી કરતા હતા. તેમાં એક વાર તેમણે દશ ખેલના અતિ ઉગ્ર અભિગ્રહ નીચે પ્રમાણે ચારણ કર્યાં હતા :
(૧) દ્રવ્યસંક્ષેપ—સૂપડામાં· અડદના ખાકળાર હાય. (૨) ક્ષેત્રસક્ષેપ~~~~હારાવનારને એક પગ અ રાની અંદર હોય અને બીજો પગ અહાર હાય.૩
(૩) કાલસક્ષેપ-મધા ભિક્ષુ ભિક્ષાચરી કરી અધેલા હાય.૪
(૪) ભાવસ ક્ષેપ—રાજપુત્રીપ દાસીપણાને પામેલ હાય, માથું મૂંડાવેલું હાય,છ પગમાં લેખડની એડી હાય, અઠ્ઠમની તપશ્ચર્યાવાળી હાય, અને આંખમાં આંસુ હાય॰ તે વહેારાવે તે જ ભિક્ષા લેવી.
તેમના આ અભિગ્રહ પાંચ માસ અને પચીસ વિસના ઉપવાસ પછી કૌશાંખી નગરીમાંચનમાળા દ્વારા પૂર્ણ થયા હતા.
ગૃહસ્થા 'આ તપ સરલ રીતે કરવા હાય તા અમુક
'
Page #393
--------------------------------------------------------------------------
________________
--
-
-
-
-
--
નિર્જરાતત્વ જ વરતુઓથી ચલાવી લેવું” એવી પ્રતિજ્ઞાપૂર્વક પણ કરી શકે છે. (૪) રસત્યાગત૫:
જેનાથી શરીરની ધાતુઓ વિશેષ પુષ્ટ થાય તેને. રસ કહેવામાં આવે છે. જેમકે દૂધ, દહીં, ઘી, તેલ, ગળ વગેરે. તેને ત્યાગ કરે, તે રસત્યાગ નામનું તપ કહેવાય છે.
રસને શાસ્ત્રીય પરિભાષામાં વિકૃતિ અથવા વિગઈન કહેવામાં આવે છે, કારણ કે તેને ગ્રહણ કરવાથી શરીર તથા મનમાં વિષયને વિકાર ઉત્પન્ન થાય છે. આ વિકૃતિના મુખ્ય ભેદો દશ છેઃ (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮), તેલ, (૯) ગેળ અને (૧૦) પક્વાન. તેમાં મધ, મદિરા, માખણ અને માંસમાં તે તે પ્રકારના અસંખ્ય છ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હોવાથી તથા તે તામસી કે વિકારી હેવાથી મુમુક્ષુઓને માટે સર્વથા અભક્ષ્ય છે અને બાકીની છ વિકૃતિએનેવિગઈઓને યથાશક્તિ ત્યાગ કરવો ઘટે છે. રવાદની ખાતર નાખવામાં આવતું મરચું પણ અપેક્ષાવિશેષથી રસ જ છે, એટલે તેમાં પણ સંયમી બનવાની. જરૂર છે.
રસત્યાગમાં આયંબિલની તપશ્ચય મુખ્ય છે. તેમાં છ વિગઈ તથા મરચાં વગેરે મસાલાઓના ત્યાગપૂર્વક એકાસણું અથત એક જ ટંક ભજન કરવાનું હોય છે. આ...
Page #394
--------------------------------------------------------------------------
________________
. ૩૧૬.
નવ-તત્વદીપિ
- તપની તાલીમ માટે ચૈત્ર સુદિ સાતમથી પૂનમ અને
આ સુદિ સાતમથી પૂનમ એમ નવ-નવ દિવસની બે ઓળીએ નિયત થયેલી છે.* ' (૫) કાયકલેશતપ
કાય એટલે શરીર તેને સંયમના નિર્વાહ અર્થે જે કષ્ટ આપવું, તે કાયક્લેશ કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાગ્નિની આતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધા મસ્તકે લટકી રહેવું વગેરે અજ્ઞાન કષ્ટને તપમાં સમાવેશ થતો નથી, કારણ કે તેમાં જીવેની હિંસા રહેલી છે અને સંયમના સાધનરૂપ ઈન્દ્રિ વગેરેની હાનિ થવાને સંભવ છે. પરંતુ તેમાં સુખપૂર્વક કરી શકાય તેવાં આસ-નેને સમાવેશ થાય છે. કહ્યું છે કે
ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं ॥
જીવ સુખે કરી શકે તેવાં વિરાસનાદિ આસને ઉગ્ર પ્રકારે ગ્રહણ કરવા તેને કાયકલેશ કહેવાય છે. અહીં વિરાસનાદિ શબ્દથી પદ્માસન, ગોહિકાસન વગેરે સુખસાધ્ય સાધને અભિપ્રેત છે.
તિતિક્ષાબુદ્ધિથી ઉઘાડા પગે ચાલવું, ખુલ્લા માથે
* આયંબિલતપની મહત્તા જાણવા માટે જુઓ અમારું લખેલું આયંબિલ-રહસ્ય. તે જૈન શિક્ષાવલીની બીજી શ્રેણીમાં નવા પુસ્તક તરીકે પ્રગટ થયેલું છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
*
*
*
મિશતરવ
ક૭. રહેવું, કેશ લેચ કરે, ટાઢ-તડકે વેઠી લે, તથા ડાંસ-મચ્છર વગેરેને ઉપદ્રવ સહન કરે, તે પણ કાયકલેશ નામનું તપ ગણાય છે. - કાયાની કોમળતા દૂર કરવા માટે તથા અપ્રમત્ત દશા. કેળવવા માટે આ તપ અત્યંત આવશ્યક છે. (૬) સંલીનતાતપ
સંલીનતા એટલે શરીરનું સંપન કે પ્રવૃત્તિને સંકેચ. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે –
इंदिअ-कसाय-जोए, पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित्त-चरिआ पण्णत्ता वीयरायेहिं ॥
ઈન્દ્રિય, કષાય અને વેગને આશ્રીને સંલીનતા સમજવી, તથા વિવિક્તચર્યાને પણ વીતરાગેએ સંલીનતા કહેલી છે.”
તાત્પર્ય કે ઈન્દ્રિયને તેના વિષયમાંથી પાછી વાળવી એ ઈન્દ્રિયજ્ય નામની પ્રથમ સંસીનતા છે, ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તે નિષ્ફળ કરવા, એ કષાયજય નામની બીજી સંસીનતા છે; અપ્રશસ્ત અને નિરોધ કરે અને કુશલ યોગની ઉદીરણું કરવી, એ ગનિષેધ. નામની ત્રીજી સંસીનતા છે અને સ્ત્રી, પશુ તથા નપુંસક આદિ અગ્ય સંસવાળા સ્થાનને ત્યાગ કરી એકાંતમાં . શુદ્ધ સ્થાનને વિષે શયન તથા આસન રાખવું, એ. વિવિક્તચય નામની થિી સંસીનતા છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
: ૩૧૮
નવતત્વ-દીપિકા આ તપનું મહત્વ સ્પષ્ટ છે. જ્યાં સુધી તોફાની ઘડા જેવી ઈન્દ્રિય પર કાબૂ આવે નહિ, ત્યાં સુધી સંયમની સાધના થઈ શકતી નથી. વળી જ્યાં સુધી કોધ, માન, માયા અને લોભનું દમન કરવામાં આવે નહિ, ત્યાં સુધી માનસિક શાંતિ મળવી મુશ્કેલ છે. તે જ રીતે અપ્રશસ્ત એગ કર્મબંધનનું મુખ્ય કારણ હોઈને તેને રિકવાની પણ તેટલી જ જરૂર છે અને બ્રહ્મચર્યના શુદ્ધ પાલન માટે તથા એકત્વભાવના કેળવવા માટે વિવિક્તચયની જેટલી ઉપયોગિતા સ્વીકારીએ તેટલી ઓછી જ છે.
ઘણી વાર મનુષ્ય ઉપવાસ, આયંબિલ, ઊને દરિકા કે વૃત્તિક્ષેપ વગેરે તપ કરી શકે છે, પણ સહવાસ છેડી એકાંત–નિર્જન રથાનમાં વસી શકતા નથી. તેનાં મુખ્ય કારણે બે છે: એક તે તેમણે પિતાની આસપાસ - જે સૃષ્ટિ ઊભી કરેલી છે, તેની મેહતા તેમના મનમાંથી
છૂટતી નથી, અને બીજું તેમના મનમાં કઈને કઈ પ્રકારને ભય રહેલો હોય છે. આ બંને દોષ જીતવા માટે સંલીનતા એ ઉત્તમ પ્રકારનું તપ છે. (૧) ઉપક્રમઃ
હવે પ્રકરણકાર મહર્ષિ અત્યંતર તપના છ પ્રકારે છત્રીશમી ગાથામાં આ પ્રમાણે જણાવે છે: (૨) મૂળ ગાથાઃ पायच्छित्त विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽविअ, अभितरओ तवो होइ ॥३६॥
Page #397
--------------------------------------------------------------------------
________________
નિર્જરાતત્વ
૩૧૯ (૩) સંસ્કૃત છાયા प्रायश्चित्तं विनयो, वैयावृत्त्य तथैव स्वाध्यायः। ध्यानं कायोत्सर्गोऽपि च अभ्यन्तरतपो भवति ॥ ३६॥ (૪) શબ્દાર્થ:
જરછ-પ્રાયશ્ચિત્ત. વળ ગ્રો-વિનય. રેયાવરચં-વૈયાવૃત્ય. તહેવ-તેમજ. સો -સ્વાધ્યાય. Hiધ્યાન. રો –ઉત્સર્ગ, વ્યુત્સર્ગ.
પણ. –અને. અમિતરો–અત્યંતર. તવો-તપ
દોર-છે.
(૫) અર્થ–સંકલનઃ
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, એ અત્યંતરતપ છે. (૬) વિવેચનઃ
જે તપ કે બાહ્ય દૃષ્ટિથી સ્પષ્ટપણે સહસા જાણી શક્તા નથી, જે તપથી લોકે તપ કરનારને તપસ્વી કહેતા
Page #398
--------------------------------------------------------------------------
________________
3०
નવ તત્ત્વ દીપિકા
નથી કે જેનાથી ખાદ્ય શરીર તતુ નથી, પરંતુ જે આત્મા અને મનને તપાવે છે અને વિશેષતાએ અંતરંગપ્રવૃત્તિવાળુ હાય છે, તેને અભ્યંતરતપ કહેવામાં આવે છે. આ તપના છ પ્રકાશ નીચે મુજબ જાણવા :
(૧) પ્રાયશ્ચિત્તતપ
મનુષ્ય માત્ર અપૂર્ણ કે છદ્મસ્થ હૈાય ત્યાં સુધી. ભૂલને પાત્ર છે. તેના વડે નાની-માટી ભૂલ થયા કરે છે, પરંતુ એ ભૂલાનુ ભાન થાય, એટલે કે હૃદયમાં પશ્ચાત્તાપ થાય અને તેનુ યાગ્ય પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તે આત્મા શુદ્ધ થાય છે. તેથી જ પ્રાયશ્ચિત્તને એક પ્રકારનું અભ્યંતર તપ ગણવામાં આવ્યું છે.
:
' प्रायशो वा चित्तं जीवं शोधयति कर्ममलिनं तत् પ્રાયશ્ચિત્તમ્ક વડે મલિન થયેલા ચિત્તને એટલે જીવને ઘણા ભાગે શેાધે તે પાયશ્ચિત્ત,' ' વાજીિત ' શબ્દના સંસ્કૃત સંસ્કાર ‘ પાયછિન્ત' પણ થાય છે. એટલે પાપનુ છેદ્યન કરનારી જે ક્રિયા, તે પ્રાયશ્ચિત્ત, એવા અર્થ પણ સમુચિત છે.
'
શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે મૂલગુણા અને ઉત્તર ગુણામાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે જે વિશિષ્ટ ક્રિયા. કે અનુષ્ઠાન કરવું, તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. તે અંગે શ્રી જિનભદ્રગણિક્ષમા—શ્રમણે જિતકલ્પસૂત્રમાં કહ્યું છે કે
Page #399
--------------------------------------------------------------------------
________________
નિર્જરાતત્વ
રા तं दशविहमालोयण पडिक्कमणोभयविवेगवोस्सग्गे। तवछेयमूल अणवट्ठया य पारंचिए चेव ॥
“(૧) આલેચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારે છે.”
તત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં કહ્યું છે કે “ગાचनप्रतिक्रमण तदुभयविवेकव्युत्सर्गतपच्छेदपरिहारोपस्थापनानिઆલેચન, પ્રતિકમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છે, પરિહાર અને ઉપસ્થાપન એ પ્રાયશ્ચિત્તના નવ પ્રકારે છે એટલે તેમાં મૂળ, અનવસ્થા અને પારસંચિક પ્રાયશ્ચિત્તને બદલે પરિહાર અને ઉપસ્થાપનને નિર્દેશ છે.
પ્રાયશ્ચિત્તના દશ પ્રકારનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે સમજવું
૧. આલેચનાપ્રાયશ્ચિત્ત-ગુરુ સમક્ષ પિતાને અપરાધ નિખાલસપણે પ્રકટ કરે, તે આલેચનાપ્રાયશ્ચિત્ત કહેવાય. આલેચના એટલે દોનું પ્રકાશન. ખ્રિસ્તી ધર્મમાં આ કિયાને “એકરાર” (Confession) કહેવામાં આવે છે.
૨. પ્રતિકમણપ્રાયશ્ચિત્ત-થયેલા અપરાધ માટે પશ્ચાત્તાપ કરે અને નવી ભૂલ ન થાય, તે માટે સાવધાન રહેવું, એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રતિ એટલે
Page #400
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
પાછું, ક્રમણ એટલે ફરવું. તાત્પર્ય કે આપણે જે અપરાધ કર્યો હોય કે ભૂલ કરી હેય, એ સ્થિતિમાંથી પાછા ફરી મૂળ નિદેવ સ્થિતિમાં આવી જવું, તે પ્રતિક્રમણ કહેવાય. તે માટે જેન પરંપરામાં “બિરછા મિ દુશ' એ શબ્દો એલવાને વ્યવહાર પ્રચલિત છે. દિશા–એટલે મિથ્યા. શિએટલે મારું. એટલે દુકૃત. તાત્પર્ય કે “મેં જે દુષ્કૃત કર્યું છે-પાપ કર્યું છે, તે મારું આચરણ મિથ્યા છે, બેઠું છે. તે માટે હું દિલગીર થાઉં છું.' પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત એ અત્યંતરતા છે, એટલે તેમાં અંતરની દિલગીરી હોવી જોઈએ. માત્ર મેથી “મિચ્છામિ સુ” એવા શબ્દ બેલીએ, પશુ અંતરમાં તેને માટે દિલગીરી, વ્યથા કે પશ્ચાત્તાપ ન હય તે તેની ગણના અયિંતર તપમાં થઈ શકે નહિ.
૩. મિશ્રપ્રાયશ્ચિત્ત–આલોચના અને પ્રતિક્રમણ અને કરવામાં આવે, તેને મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય.
૪. વિવેકપ્રાયશ્ચિત્ત-શુદ્ધ જાણીને ગ્રહણ કરેલાં અન્નપાણી અશુદ્ધ જણાતાં તેને ત્યાગ કરે, તે વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય.
૫. વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત-દેષની શુદ્ધિ માટે ગુરુએ જેટલે કાત્સર્ગ કરવાને કહો હોય, તેટલે કાત્સર્ગ કરે, એ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત કહેવાય. રિ એટલે વિશેષ પ્રકારે, એટલે કાયષ્ટાદિને ત્યાગ. કાત્સર્ગનું વિશેષ વર્ણન આગળ આવશે.
Page #401
--------------------------------------------------------------------------
________________
નિર્જરતરવ
૩૨૩ ૬. તયપ્રાયશ્ચિત્ત-દોષની શુદ્ધિ માટે ગુરુએ ફરમાવેલ નીવી, આયંબિલ, ઉપવાસ વગેરે કરવા, તે તપપ્રાયશ્ચિત્ત કહેવાય.
૭. છેદપ્રાયશ્ચિત્ત-મહાવતેનું આરોપણ થયું હોય તે દિવસથી માંડીને જેટલા દિવસ, પક્ષ, માસ કે વર્ષ થયાં હય, તેમાંથી અમુક દીક્ષા સમય કાપી નાખવે, એટલે કે દીક્ષાપર્યાયમાં ઘટાડે કરે, તે છેઃપ્રાયશ્ચિત્ત કહેવાય. દીક્ષાપર્યાયમાં ઘટાડો થતાં તેનું સ્થાન નીચું આવે, તે દંડ સમજે.
૮. મૂલપ્રાયશ્ચિત્ત-મોટો અપરાધ થતાં ફરી ચાસ્ત્રિ આપવું, તે મૂલપ્રાયશ્ચિત્ત કહેવાય. આ રીતે ચારિત્ર આપતાં તેનું સ્થાન નૂતન દીક્ષિત જેવું થાય છે, એટલે કે તે પિતાની ભૂલ પાયરીથી ઘણે નીચે આવી જાય છે, એટલે તેને મેટો દંડ સમજવાનું છે.
૯ અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત-કરેલા અપરાધને જે તપરૂપ દંડ આપ્યો હોય, તે ન કરે ત્યાં સુધી તેને મહાવ્રતમાં ન સ્થાપ, તે અનવસ્થા પ્રાયશ્ચિત્ત કહેવાય.
૧૦. પારાચિત પ્રાયશ્ચિત્ત–મહાન અપરાધ થતાં ૧૨ વર્ષ સુધી ગચ્છ અને વેશને ત્યાગ કરી અમુક પ્રકારની મટી શાસનપ્રભાવના કરીને પુનઃ દીક્ષા લઈ છમાં આવવું, તે પારાંચિતપ્રાયશ્ચિત કહેવાય.
આ પ્રાયશ્ચિત્ત કેવા દેને ક્યારે લાગુ પડે છે,
Page #402
--------------------------------------------------------------------------
________________
-
૩૨૪
નવનવ-દીપિકા તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહારસૂત્ર તથા “જિતકલ્પસૂત્ર આદિ ગ્રંથમાં જણાવેલું છે. (૨) વિનયતપઃ
વિનય એટલે શિષ્ટાચાર, ભક્તિ, અંતરનું બહુમાન. અને આશાતનાનું વજન. તેના વડે અભિમાનને નાશ થાય. છે, નમ્રતા પ્રકટે છે અને ધર્મારાધનની એગ્યતા આવે છે, તેથી જ તેને સમાવેશ અભ્યતરતપમાં કરવામાં આવ્યું છે.
વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિપ્રકરણમાં વિનયની મહત્તા દર્શાવતાં કહ્યું છે કે“વિનયપ શુશ્રી, ગુહમૂ૪ શુક્સાના ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्रव-निरोधः॥ ७२ ॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ।। ७३ ॥ योग-निरोधाद् भवसन्तति-क्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः ॥७४॥"
વિનયનું ફલ ગુરુ-શુશ્રુષા છે, ગુરુ-શુક્રૂષાનું ફલ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફલ વિરતિ છે અને વિરતિનું ફલ આસવ-નિધિ છે. આઅવનિરોધ એટલે સંવર, તેનું ફલ તપેબલ છે અને તેપેબલનું ફલ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયા–નિવૃત્તિ થાય છે અને ક્રિયા નિવૃત્તિથી અગિપણું પ્રાપ્ત થાય છે. અગિપણું એટલે
ગનિષેધ તેથી ભવ-સંતતિ અથત ભવ–પરંપરાને ક્ષય
Page #403
--------------------------------------------------------------------------
________________
નિર્જરાતત્વ
૩૨૫
થાય છે અને ભવ–પરંપરાને ક્ષય થતાં મોક્ષ મળે છે. આ રીતે સર્વ કલ્યાણેનું ભાજન “વિનય છે.”
વિનયની એક વ્યાખ્યા એમ પણ કરવામાં આવે છે -'विनीयते-विशेषेण दूरीक्रियतेऽष्टविघं कर्मानेनेति विनयःજેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય, તે વિનય. આ પ્રકારના વિનયને મેક્ષવિનય કહેવામાં આવે છે. તેના દશવૈકાલિકનિયુક્તિમાં પાંચ પ્રકારે જણાવ્યા છે. જેમ કેदसण-नाण-चरित्ते, तव अ तह ओवयारिए चेव। एसो अ मोक्ख-विणओ, पंचविहो होइ नायन्यो ।
“શનસંબંધી, જ્ઞાનસંબધી, ચારિત્રસંબંધી, -તપસંબંધી, તેમજ ઔપચારિક એવી રીતે મેક્ષવિનય પાંચ પ્રકારે જાણવા ગ્ય છે.' ૧. દર્શનવિનય
દર્શનાચરણમાં કહેલા નિઃશંક્તિ, નિઃકાંક્ષિત આદિ આઠ પ્રકારના નિયમ પાળવા તથા પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય (ધર્મ, અધર્મ, દેવલોક, નરક ઈત્યાદિ પદાર્થો છે એવી પ્રતીતિ) એ સમ્યક્ત્વલક્ષણને ધારણ કરવાં, તે દર્શનવિનય કહેવાય. ૨. જ્ઞાનવિનય
જ્ઞાનાચારમાં કહેલા કાલ, વિનય આદિ આઠ પ્રકારના નિયમ પાળવા તથા મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનું શ્રદ્ધાન અને બહુમાન કરવું, તે જ્ઞાનવિનય કહેવાય.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩ર૬
નવ-તત્વ-દીપિકા
==
=
=
૩. ચારિત્રવિનય
સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધ, તેનું વિધિપૂર્વક પાલન તથા તેની સતપ્રરૂપણ, તે ચારિત્રવિનય કહેવાય. ૪. તપવિનય
બાર પ્રકારના તાપમાં શ્રદ્ધા તથા તેનું યથાશક્તિ આચરણું, તેને તપવિનય કહેવાય.
૫. ઉપચારવિનય
સમ્ય દર્શન–જ્ઞાન-ચારિત્રાદિ ઉત્તમ ગુણયુક્ત મુનિ વગેરેને દેખી ઊભા થવું, સામે જવું, હાથ જોડવા, પ્રણિયાત કરે, મિષ્ટ સંભાષણ કરવું ઈત્યાદિ. શુદ્ધ કિયાના વ્યવહારરૂપ જે વિનય કર, તે ઉપચારવિનય કહેવાય. (૩) વૈયાવૃચતપ
ધર્મસાધનનિમિત્તે અન્નપાન વગેરે વિધિપૂર્વક મેળવી આપવાં, તેમજ સંયમની આરાધના કરનાર પ્લાન વગેરેની સેવાભક્તિ કરવી, તે વૈયાવૃત્ય કહેવાય છે. નિરવાર્થ સેવાભક્તિ અને તિતિક્ષા વિના આવું વૈયાવૃત્ય થઈ શકતું નથી, તેથી તેને સમાવેશ અત્યંતરતપમાં કરેલો છે.
ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં કહ્યું, છે કે “રેવળ સ્થિરનામg. નિબંધ-વૈયાવૃત્યથી તીર્થકરનામત્ર બંધાય છે.”
Page #405
--------------------------------------------------------------------------
________________
નજરાતત્વ
૩૨૭ ભગવતીસૂત્રના પચીશમા શતકના સાતમા ઉદેશમાં વૈયાવૃત્યના દશ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે :
“તે જિ તં-ચાવજે? વૈચાવજો રવિ પન્ન, તે Tહા-ભાચરિચ-વેચાવજો, ૨ હવાઇ-વેચાવ, રૂ ઘેરवेयावच्चे, ४ तवस्सि-वेयावच्चे, ५ गिलाण-वेयावच्चे, ६ सेह-यावच्चे, ७ कुल-वेयावच्चे, ८ गण-वेयावच्चे, ९ संघ-वेयावच्चे, १० साहम्मिय-वेयावच्चे । से तं यावच्चे।
“હે ભગવંત! તે વૈયાવૃત્ય કેવું હોય? (ભગવાન કહે છે. તે આયુષ્યન્ ! વૈયાવૃત્ય દશ પ્રકારનું કહેવું છે, તે આ રીતે?
૧ આચાર્યનું વૈયાવૃત્ય. ૨ ઉપાધ્યાયનું વૈયાવૃત્ય. ૩ રવિર એટલે વૃદ્ધ સાધુનું વૈયાવૃત્ય. ૪ તપદવીનું વૈયાવૃત્ય. ૫ ગલાન એટલે માંદા કે અશક્ત સાધુનું વૈયાવૃત્ય.
૬ શૈક્ષ એટલે નવદીક્ષિત હેઈને જે શિક્ષા પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ય.
૭ કુલ એટલે એક આચાર્યને સમુદાય, તેનું વૈયાવૃત્ય.
૮ ગણું એટલે જુદા જુદા આચાર્યોના સમાન વાંચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ય.
૯ સંઘ એટલે સક્લ શ્રમણસંઘ, તેનું વૈયાવૃત્ય.
૧૦ સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા મુનિઓનું વૈયાવૃજ્ય.
અશકા સા.
એટલે નવો
જ છે, તે
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૨૮
નવ-તત્વ-દીપિકા
વૈયાવૃત્ય કરનારે કેવી નમ્રતા રાખવી જોઈએ, તે માટે કૂબડા-નદિષણ મુનિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. • ગૃહસ્થ પણ સાધુ, સાધ્વી, તેમજ સાધમિકેની નિષ્કામ સેવાભક્તિ કરીને આ તપનું આચરણ કરી શકે છે. () સ્વાધ્યાયત૫
મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોનું અધ્યયનઅધ્યાપન કરવું, તે સ્વાધ્યાય કહેવાય છે. અથવા સ્વ એટલે આત્મા, તેના હિતાર્થે આપ્તવચનને અધ્યાય કરવે, અર્થાત્ મનન કરવું, તે પણ સ્વાધ્યાય કહેવાય છે. અથવા ઈષ્ટમંત્રનો જપ કરે, તે પણ સ્વાધ્યાય કહેવાય છે.
સ્વાધ્યાય કરતાં અશુભ પ્રવૃત્તિઓ રોકાય છે, તથા મનના ભાવે નિર્મળ થતાં કર્મની નિર્જરા થાય છે, તેથી સ્વાધ્યાયને સમાવેશ અભ્યતરતપમાં કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે
वायणा पुच्छणा चेव, तहेब परियट्टणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥
સ્વાધ્યાય પાંચ પ્રકાર છે: (૧) વાચના, (ર) પ્ર૭ના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા.
તત્વાર્થસૂત્રમાં પણ સ્વાધ્યાય પાંચ પ્રકારને જ કહા છે, પણ તેના ક્રમમાં છેડે ફેર છે. જેમકે-વાવનાનg છેલ્લા નાયમરાજ – વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષ,
Page #407
--------------------------------------------------------------------------
________________
નિજ રાતત્ત્વ
૯
આમ્નાય અને ધર્મોપદેશ, એ સ્વાધ્યાયના પાંચ પ્રકાશ છે ? અહીં' અનુપ્રેક્ષાને ખીજી મૂકેલી છે તથા પરિવના (આમ્નાય) ને ચેાથી મૂકેલી છે.
૧ વાચના
વાચનાચાય કે વિદ્યાગુરુ સમીપે જઈ વિધિવત્ વંદન કર્યાં ખાદ્ય તેમની પાસેથી વિનયપૂર્વક સૂત્ર અને અર્થના પાઠ લેવા, તે વાચના કહેવાય છે. અહી” સૂત્રથી નિગ્રંથપ્રવચન અને તેના આધારે રચાયેલાં અન્યશાસ્રો સમજવાનાં છે.
૨ પ્રચ્છના
ગ્રહણ કરેલાં સૂત્ર તથા અથ સમધી જે કઈ પ્રશ્નો ઉઠે, તે વિનમ્ર ભાવે ગુરુ સમક્ષ રજૂ કરી, તેનું સ્પષ્ટીકરણ કે સમાધાન મેળવવું, તે પ્રચ્છના કહેવાય છે.
અહીં એટલું સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ જગતમાં માત્ર એ જ મનુષ્યોને પ્રશ્ન ઉઠતા નથી. એક તા જે છે અને બીજો જે પૂરાપૂરા જ્ઞાની છે. તે સિવાયના સર્વ મનુષ્યને આછા કે વત્તા પ્રશ્નો ઉઠેવાના. પ્રશ્નોનું ચાગ્ય સમાધાન થાય તેા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને તે જ્ઞાનવૃદ્ધિ જીવનમાં ઘણી ઉપકારક નીવડે છે.
૩. પરિવતના
ગુરુ પાસેથી ગ્રહણ કરેલા સૂત્રના પાઠ તેમજ અની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી, તેને પરિવતનમાં કહેવામાં આવે છે. પરાવતના, પુનરાવૃત્તિ, આવૃત્તિ, આમ્નાય એ તેના
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૦
નવ-તત્ત્વ દ્દીપિકા
પર્યાયશબ્દો છે. આવૃત્તિ કર્યાં વિના શાસ્ત્રજ્ઞાન તાજું રહેતું નથી.
૪. અનુપ્રેક્ષા
ગ્રહણ-ધારણ કરેલા સૂત્ર અને અર્થ સંબંધી અનુપ્રેક્ષણ એટલે ચિંતન-મનન કરવુ', તેને અનુપ્રેક્ષા કહેવાય છે. અનુપ્રેક્ષા વિના સૂત્ર-સિદ્ધાંતનું વાસ્તવિક રહસ્ય સમજાતું નથી. અન્યત્ર નિદિધ્યાસન શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે.
૫. ધમથા
સૂત્ર-સિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી અન્યને ધનું કથન કરવુ, ધર્મના ઉપદેશ આપવા, તે ધક્રિયા કહેવાય છે.
સ્વાધ્યાયદ્વારા સાધકે વિશ્વનું સ્વરૂપ, ષડૂદ્રવ્યે અને તેના ગુણુપર્યાય, આત્માની જુદી જુદી અવસ્થાઓ તથા માક્ષમાના ઉપાયરૂપ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સભ્યચારિત્રના વિશુદ્ધ આધ પ્રાપ્ત કરી લેવાને! હાય છે કે જે તેને શ્રેયસની સિદ્ધિમાં ઘણા સહાયક નીવડે છે. (૫) ધ્યાનતપ
ચિંતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું, તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન બે પ્રકારનુ છે: (૧) અશુભ અને (૨) શુભ. તેમાં અશુભ ધ્યાન કખંધનું કારણ હાઈ છોડવા ચેાગ્ય છે અને શુભ ધ્યાન કર્મની નિર્જરાનું કારણ હાઈ ઉપાદેય છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
નિરાતત્વ
૩૩૧
અશુભ ધ્યાન બે પ્રકારનું છેઃ (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. તેમાં આર્ત એટલે દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હેય, તેને આર્તધ્યાન અને જેમાં રુદ્રતા એટલે હિંસા, ક્રોધ, વૈર વગેરેનું ચિંતન મુખ્ય હોય, તેને રૌદ્ર, ધ્યાન સમજવાનું છે.
આર્તધ્યાનના ચાર પ્રકારે છે : (૧) અનિષ્ટવસ્તુ. સંગ–અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિગતે માટે નિરંતર ચિંતા કરવી તે. (૨) ઈષ્ટવિગ–કેઈ ઈષ્ટ એટલે મનેનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતા. કરવી તે. (૩) પ્રતિકૂલવેદના–શારીરિક પીડા, માનસિક પીડા કે રોગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી તે. (૪) ગલાલસા-ભેગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભેગોને પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કર અને મનને તેમાં જ જોડાયેલું રાખવું તે.
રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારે છેઃ (૧) હિંસાનુબંધી-હિંસા સંબંધી સતત વિચારો કરવા તે. (૨) અનુતાનુબંધી–અસત્ય બલવા સંબંધી સતત વિચારે કરવા તે (૩) તેયાનુબંધી-ચેરી સંબંધી સતત વિચારે કરવા. તે. (૪) વિષયસંરક્ષણનુબંધી-વિષયભેગની સામગ્રીનું રક્ષણ કરવા અંગે સતત વિચાર કરવા તે.
આ ચાર પ્રકારના આર્તધ્યાન તથા ચાર પ્રકારના રૌદ્રધ્યાનને છેડીએ, ત્યારે જ શુભ ધ્યાન ધરી શકાય છે.
શુભ ધ્યાન બે પ્રકારનું છેઃ (૧) ધર્મધ્યાન અને.
Page #410
--------------------------------------------------------------------------
________________
-૩૩૨
નવ-તત્ત્વ-દીપિકા -શુક્લધ્યાન. તેમાં ધર્મ સંબંધી સતત ચિંતન કરવું, તે ધર્મધ્યાન કહેવાય છે અને વ્યાક્ષેપ તથા સંમેહાદિથી -રહિત ઉજ્જવલ ધ્યાન ધરવું, તે શુકલધ્યાન કહેવાય છે.
ધર્મધ્યાન ચાર પ્રકારનું છે : (૧) આજ્ઞાવિચયવીતરાગ મહાપુરુષેની ધર્મ સંબંધી જે આજ્ઞાઓ છે, તે અંગે સતત ચિંતન કરવું તે. (૨) અપાયવિચય-સાંસારિક સુખ વડે થતાં અપાય કે અનિષ્ટનું સતત ચિંતન કરવું તે. (૩) વિપાકવિચય-કર્મના શુભાશુભ વિપાકનું * ચિંતન કરવું તે. (૪) સંસ્થાનવિચય-દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું તે. અહીં દ્રવ્ય શબ્દથી જિનાગમાં વર્ણવાયેલા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્ય સમજવાનાં છે તથા ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજપ્રમાણુ લેક સમજવાને છે. તાત્પર્ય કે વિશ્વનું સ્વરૂપ ચિંતવવું, તે આ ધ્યાનને | મુખ્ય હેતુ છે.
- શુકલધ્યાન પણ ચાર પ્રકારનું છેઃ (૧) પૃથકત્વવિતર્ક-વિચાર–અહીં પૃથક્વને અર્થ છે ભિન્ન વિચારને અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર,
એક શબ્દથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દપર અને - શબ્દથી અર્થપર તથા એક રોગથી બીજા વેગ પર - ચિન્તનાથે થતી પ્રવૃત્તિ. તાત્પર્ય કે કૃતજ્ઞાનનાં આલંબન
* અહીં ગ શબ્દથી મનગ, વચન અને કાયમ એ ત્રણ પૈકીને કોઈ પણ એક યોગ સમજવાનું છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
નિર્જરાત
૩૩૩
પૂર્વક ચેતન અને અચેતન પદાર્થમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂપિત્વ, અરૂપિવ, સક્રિયત્વ, અકિયત્વે આદિપર્યાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું, તે આ ધ્યાનને મુખ્ય વિષય છે. (૨) એકવ-વિતર્ક–નિર્વિચાર–અહીં એકત્વને અર્થ અભિન્નતા છે, વિતર્કને અર્થ શ્રુતજ્ઞાન છે અને નિર્વિચારને અર્થ એક અર્થથી બીજા અર્થ પર, એક શબ્દથી અર્થ પર તથા એક વેગથી બીજા વેગ પર ચિંતનાથે કઈ પ્રવૃત્તિ ન કરવી, એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાદિ કોઈ પણ એક - ચેગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે આ ધ્યાનને મુખ્ય વિષય છે. અહીં
એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ સ્થાનના દઢ અભ્યાસથી આ બીજા ધ્યાનની એગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપરથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ જગતના ભિન્ન ભિન્ન વિષયમાં ભટક્તા. મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પિતાની સર્વ ચંચળતા છેડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માના જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કર્મો–સર્વ આવરણે દૂર થઈ જાય છે.. અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા,
Page #412
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ દીપિકા
સમસ્ત લેાકાલેકના સવ દ્રબ્યાના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિન સ પર્યંચા જાણી જોઈ શકે છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી જ્યારે સજ્ઞતાને પામેલે આત્મા ચેગનિરોધના ક્રમથી અન્તે સૂક્ષ્મ શરીરયોગને આશ્રય લઈને ખાકીના સર્વયાગાને રોકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મક્રિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવાપણુ હોતુ નથી, એટલે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી કહેવામાં આવે છે. (૪) ન્યુપરતક્રિયાઅનિવૃત્તિ-જ્યારે શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્થૂલ કે સુક્ષ્મ કોઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી અને તે સ્થિતિ પાછી પણ જતી નથી.
આ ધ્યાનના કાળ ૬, રૂ, ૩, , હૃ એ પાંચ હસ્વ અક્ષર ખોલીએ એટલા જ ગણાય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્માં ક્ષીણ થઈ જતાં આત્મા પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લાકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિદ્ધશિલામાં સ્થિર થઈ ને અનંતકાળ સુધી અનિવ ચનીય સુખના ઉપભોગ કરે છે. શુકલધ્યાનના આ છેલ્લા એ પ્રકાશમાં શ્રુતજ્ઞાનનું આલેખન હોતું નથી, એટલે તે નિરાલ અન ધ્યાન કહેવાય છે.
શુકલધ્યાનના ચાર ભેદોમાં પહેલા એ શુકલધ્યાન
Page #413
--------------------------------------------------------------------------
________________
નિર્જ રાવ
૩૫ છસ્થને અને છેલ્લાં બે ધ્યાન કેવલિ ભગવંતને હોય છે, તથા પહેલા ત્રણ ધ્યાન સોગીને અને છેલ્લું ધ્યાન અગીને હોય છે, તથા એ ચારે ધ્યાનને પ્રત્યેકને કાળ -અંતમુહૂર્ત પ્રમાણને હોય છે. છાઘસ્થિક ધ્યાન કેગની એકાગ્રતારૂપ હોય છે અને કેવલિક ધ્યાન રોગનિરોધરૂપ હોય છે. તાત્પર્ય કે કેવલિ અવસ્થામાં કેગના નિધન જ ધ્યાન ગણવામાં આવે છે.
(૬) ઉત્સર્ગ કે વ્યુત્સતપ
ઉત્સર્ગ એટલે ત્યાગ, વ્યુત્સર્ગ એટલે વિશેષતાપૂર્વક ત્યાગ. તેના બે પ્રકારે છે : (૧) દ્રવ્યચુત્સર્ગ અને (૨) ભાવવ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યયુત્સર્ગ ચાર પ્રકાર છે (૧) ગણવ્યુત્સર્ગ–ગચ્છને ત્યાગ કરી જિનકલ્યાદિકલ્પ અંગીકાર કરે તે. (૨) શરીરવ્યુત્સર્ગ–કાયક્રિયાને ત્યાગ કરે, કોયેત્સર્ગ અવસ્થાએ રહેવું તે. (૩) ઉપધિવ્યુત્સર્ગ– અન્ય કલ્પ અંગીકાર કરતાં સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે ઉપાધિ એટલે વસ્ત્ર-પાત્ર આદિને ત્યાગ કરે તે. (૪) અશુદ્ધ ભક્તપાનબુત્સર્ગ–અશુદ્ધ આહારપાણને ત્યાગ કરે તે.
ભાવબૃત્સર્ગ ત્રણ પ્રકાર છે: (૧) કષાયબ્રુત્સર્ગ– કષાયને ત્યાગ કરે તે. (૨) ભત્સર્ગ-ભવને કારણ રૂપ મિથ્યાત્વાદિ બંધહેતુઓને ત્યાગ કરે તે. (૩) કત્સર્ગ-જ્ઞાનાવરણ આદિ કર્મોને ત્યાગ કરવો તે.
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૩૬
નવ-તત્વ-હીપિ. સંક્ષેપમાં કહીએ તે ત્યાગવૃત્તિ ઉત્કૃષ્ટતાએ કેળવવા. માટે આ તપ કરવામાં આવે છે.
કાયાને એક આસને સ્થિર કરવી, વાણીને મૌન વડે નિગ્રહ કર અને મનને ધ્યાનમાં જોડવું, એવી જે અવસ્થા વિશેષ તે કાર્યોત્સર્ગ કહેવાય છે. તે મુખ્યતાએ. ઊભા રહીને કરવામાં આવે છે.
કોત્સર્ગ કેવી રીતે કરે? તે સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે–
चउरंगुलं मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । वोसट्टचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ॥१॥
બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં. ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં કંઈક એછું અંતર રાખવું અને તે વખતે સીધા લટક્તા રાખેલા. જમણે હાથમાં મુહપતી અને ડાબા હાથમાં રજોહરણ ગ્રહણ કરવાં. પછી દેહની મમતાને સંપૂર્ણ રીતે ત્યાગ. કરવા પૂર્વક કાર્યોત્સર્ગ કર.”
કાર્યોત્સર્ગ કરતી વખતે એવી ભાવના રાખવી જોઈએ કે –
वासी चंदणकप्पो, जो मरणे जीविए य सममणो। देहे य अपडिबद्धो, काउसग्गो हवा तस्स ॥१॥
શરીરને કઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર
Page #415
--------------------------------------------------------------------------
________________
નિજ રાતત્ત્વ
૩૭
ચંદ્રનના શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેના અંત આવે, છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને સમભાવમાં રાખે, તેને જ કાત્સગ હોય છે.’ નિગ્રંથ મહર્ષિ આએ કાચેાત્સગને સવસુવિ મોલન—એટલે સર્વ દુખાથી સૂકાવનારો કહ્યો છે.
અન્ય તા
જૈન સંઘમાં નાના મોટાં અનેક તા પ્રચલિત છે, તે દરેકમાં અમુક વિધિ—વિધાના કરવાનાં હોય છે. આ તપનુ વિગતવાર વણુન કરવું, એ સ્વતંત્ર ગ્રંથના વિષય હાઈને અહી' તેના વર્ણાનુક્રમે નિર્દેશ માત્ર કરેલા છે.
૧ અક્ષયનિતિપ
૨ અખ'દશમીતપ
૩ અગિયાર અગના તપ ૪ અંગશુદ્ધિતપ
૫ અઠ્ઠાવીશ લબ્ધિના તપ હું અવિધવાદશીતપ
૭ દુઃખદશી તપ ૮ અમૃતાષ્ટમીતપ ૯ અભિકાતપ
૧૦ અશવૃક્ષતપ
૧૧ અશુભનિવારણુતપ
૧૨ અષ્ટમષ્ટમિાતપ
૨
૧૩ અષ્ટમહાસિદ્ધિતપ ૧૪ અષ્ટક સૂદનતપ ૧૫ અષ્ટકર્માંત્તરપ્રકૃતિતપ
૧૬ અષ્ટપ્રવચનમાતૃતપ ૧૭ અષ્ટમાસીતપ
૧૮ અષ્ટાક્તિપ
૧૯ અષ્ટાપદ્યુતપ ૨૦ આયખિલવન્તુ માનત
૨૧ આગમાતવલીતપ
૨૨ ઇંદ્રિયપરાગુતપ
૨૩ ઋષભકાંતુલા (હાર)તપ ૨૪ ઋષભદેવસ વત્સરતપ
Page #416
--------------------------------------------------------------------------
________________
૨૫ એકાદશી (મૌન)તપ ૨૬ એકાવલિતપ ૨૭ એકસે વીસ લ્યાણકને
તપ ૨૮ એક સિત્તર જિનને
નવ-નવ-દીપિકા ક૬ ચઉંસઠ્ઠીતપ ૪૭ ચારિ–અઠું-દસ-દોય
તપ ૪૮ ચંદનબાળાતપ ૪૯ ચાંદ્રાયણતય ૫. ચિંતામણિતપ ૫૧ ચૌદ પૂર્વ તપ પર યવન તથા જન્મતા પર છમાસીતપ ૫૪ છનું જિનની એળીને
૨૯ કંઠાભારણુતા ૩૦ કનકાવલીતપ ૩૧ કર્મચક્રવાલપ ૩૨ કર્મચતુર્થતપ ૩૩ કલેકનિવારણુતા ૩૪ કષાયજયતપ ૩૫ કેવલી (તીર્થકર જ્ઞાન)
- તા.
તપ
૩૬ કેટિશીલાતપ ૩૭ ક્ષીરસમુદ્રતાપ ૩૮ ગણધર (શ્રીવીરના)તપ ૩૯ ગુણરત્નસંવત્સરત૫ ૪. ગૌતમપડશે ૪૧ ગૌતમકમળતા કરે ઘડિયા બે ઘડિયાને તપ ૪૩ ઘનતય ૪૪ ચતુર્ગતિનિવારણુતપ ૪૫ ચતુર્વિધસંઘતપ
પપ જિનગુણસંપત્તિતપ પદ જિનજનક્તપ ૫૭ જિનદીક્ષાત ૫૮ જ્ઞાનપંચમીતપ ૫૯ તીર્થતપ ૬૦ તીર્થંકરનિવણતપ ૬૧ તીર્થકરવદ્ધમાનતપ
૨ તીર્થકરજ્ઞાનતપ ૬૪ તીર્થકરમાતૃતપ ૬૪ તિલક (દમયંતી)તપ દય તેર કાઠિયાને તપ ૬૬ ત્રિપર્યા–ઘનતા ૬૭ દશ પચ્ચક્ખાણું
મોટાંને તપે
Page #417
--------------------------------------------------------------------------
________________
નિજ રાતણ
૩૩૯
૬૮ દશ પચ્ચકખાણ ૯૦ પરમભૂષણતા , નાનાને તપ
૯૧ પરદેશી રાજાના છઠ્ઠ ૬૯ દશદશમિકાતપ
૨ પરમપાલીતપ ૭૦ દશવિજયતિધર્મતપ ૯ પંચપરમેષ્ઠિતપ ૭૧ દારિદ્રયહરણુતપ ૯૪ પંચમહાવ્રતાપ ૧૭૨ દીવાળી (નિર્વાણદીપક)તપ ૫ પંચમેરુતપ ૧૭૩ દેવળ તપ
૯૬ પંચરગીત ૭૪ દ્વાદશાંગીતપ
૯૭ પંચામૃતતા ૭૫ ધર્મચક્તા
૯૮ પાર્શ્વજિન ગણધરતપ ૭૬ નવકારપઢાક્ષરમાનતપ ૯૯ પાંચ છઠ્ઠલપ ૧૭૭ નવકારતપ (નાને) ૧૦૦ પાંચ પચ્ચકખાણુતપ
૭૮ નવનિધાનતપ ૧૦૧ પીસ્તાલીશ આગમને ૧૭૯ નવપદજીની એળી ૮૦ નવનવમિકાતપ ૧૦૨ પુંડરિકતપ ૮૧ નવબ્રહાચર્યગુણિતપ ૧૦૩ પિષદશમીતા ૮૨ નિરૂજશિખતા ૧૦૪ પ્રતિહાર્યક્તપ ૮૩ નિગોદ આયુરક્ષયત ૧૫ બત્રીશ કલ્યાણુક્તપ ૮૪ નિગીષ્ઠતપ ૧૦૬ બીજને તપ ૮૫ નંદીશ્વરતપ ૧૦૭ બૃહત્ સિંહનિક્રીડિતતપ ૮૬ નંદ્યાવર્ત ૫ (મોટો) ૧૦૮ બૃહસંસારતારણ ૮૭ નંદ્યાવર્તતપ (નાને
તપ ૮૮ પખવાસે
૧૦૯ ભદ્રતાપ ૮૯ પાટકડીતપે
૧૧૦ ભારત
તપ
Page #418
--------------------------------------------------------------------------
________________
३४०
૧૧૧ મહાઘનાતિય
૧૧૨ મહાભદ્રતપ
૧૧૩ શ્રી મહાવીર સવ સખ્યાતપ
૧૧૪ માઘમાલાતપ
૧૧૫ માણિકપાવડીતપ
૧૧૬ મુકુટસપ્તમીતપ
૧૧૭ મુક્તાવલીતપ ૧૧૮ માક્ષત્રચેદશીતપ
૧૧૯ મેરુલ્યાણુક્તપ
૧૨૦ માક્ષર ડક્તપ ૧૨૧ મેટા રત્નાત્તરતપ
૧૨૨ ગશુદ્ધિતપ
૧૨૩ રનમાલાતપ
૧૨૪ રત્નરાહતપ
૧૨૫ રત્નપાવડીતપ
૧૨૬ રત્નાવલીતપ
૧૨૭ શહિણીતપ
૧૨૮ લઘુ અષ્ટાાિત ૧૨૯ લઘુ પંચમીતપ
૧૩૦ લઘુ સ ંસારતારજીત૫ ૧૩૧ યક્ષપ્રતિપતપ
૧૩૨ લોકનાલીતપ
૧૩૩ વતપ
નવ-તત્ત્વ દીપિકા
૧૩૪ વીશસ્થાનક્ત પ ૧૩પ શત્રુ જ્યમ તપ ૧૩૬ શત્રુજય છઠ્ઠું અઠ્ઠમતપ ૧૩૭ શિવકુમારનાં મેલાં
૧૩૮ શ્રુતદેવતાતષ ૧૩૯ શ્રેણીતપ
૧૪૦ ષટ્કાયાલોચનતપ
૧૪૧ સપ્તસપ્તમિકાતપ
૧૪૨ સમવસરણતપ (નાનું) ૧૪૩ સમવસરણતપ (માટુ) ૧૪૪ સર્વ તાભદ્રુતપ ૧૪૫ સર્વ સુખસ પત્તિતપ ૧૪૬ સર્વાંગસુ દરતપ
૧૪૭ સંશ્લેષણાતપ
૧૪૮ સંવત્સરતપ
૧૪૯ સૂર્યંચજીતપ
૧૫૦ સેયાનતય
૧૫૧ સૌભાગ્યસુ દરતપ ૧૫૨ સાત સૌખ્ય આઠ
માક્ષતપ
૧૫૩ સિદ્ધિતપ
૧૫૪ સુખદુ:ખના મહિમાને
તથ
Page #419
--------------------------------------------------------------------------
________________
નિર્જરાતત્વ
૩૪૧ ૧૫૫ સુંદરતા ૧૫૮ સૌભાગ્યકલ્પવૃક્ષતપ ૧૫૬ સિહાસનતય ૧૫૯ સ્વર્ગ સ્વસ્તિક્તપ ૧૫૭ સ્વર્ગ કરંડકતપ
વગેરે નિર્જરાતત્વ' નામનું દશમું પ્રકરણ અહીં પૂરું થાય છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયારમું
બંધતત્વ
[ ગાથા સાડત્રીશમીથી બેંતાલીશમી સુધી)
૧) ઉપમઃ
આત્મપ્રદેશો સાથે કાર્મણ વર્ગણાઓનું ઓતપ્રેત થવું, તેને બંધ કહેવામાં આવે છે. એક લોઢાના ગોળાને અગ્નિ વડે તપાવવામાં આવે તે એ ગળે લાલચળ બની જાય છે, અર્થાત્ અગ્નિ અને લોઢાના પરમાણુ એવા એકાકાર બની જાય છે કે તેમાં અગ્નિ અને લોઢાની કઈ જુદાઈ જણાતી નથી. આત્મા અને કર્મને બંધ પણ આ પ્રકારને જ છે. જ્યારે કાર્મણવર્ગણ આત્મપ્રદેશે સાથે જોડાઈ જાય છે, ત્યારે બંને એકાકાર બની જાય છે અને એવી સ્થિતિવાળે આત્મા સકર્મ એટલે કર્મ સહિતકર્મબંધનવાળે ગણાય છે.
કર્મબંધનને લીધે જ આત્માને ચાર ગતિ અને ચોરાશી લક્ષ જીવનિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું
Page #421
--------------------------------------------------------------------------
________________
અધતા
પડે છે અને અનેક પ્રકારની અકથ્ય યાતનાઓ ભેગવવી પડે છે, તેથી બંધની ગણના હેયતત્વમાં થાય છે.
પાપ અને પુણ્ય એ જેમ વિરોધી તત્તવે છે, આશ્રવ અને સંવર એ જેમ વિરોધી તત્વ છે, તેમ બંધ અને મક્ષ પણ વિરોધી તત્ત્વ છે. બંધ એટલે કર્મનું આત્મા સાથે બંધાવું અને મોક્ષ એટલે કર્મનું આત્માથી સર્વથા છૂટા થવું. આત્માને કર્મને બંધ પડે છે, માટે જ મોક્ષની જરૂર છે.
બંધ ચાર પ્રકાર છે અને તે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશના ભેદથી જાણવા ગ્ય છે, એ હકીક્ત અગાઉ ચત્રિીશમી ગાથામાં કહેવાઈ ગઈ છે. હવે એ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ શબ્દથી શું સમજવું ? તેની સ્પષ્ટતા પ્રકરણુકાર મહર્ષિ સાડત્રીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે (ર) મૂળગાથાઃ
पयइ सहावो वुत्तो, ठिई कालावहारणं ।
अणुभागो रसोणेओ, एएसो दलसंचओ ॥३७॥ (૩) સંસ્કૃત છાયા
प्रकृतिः स्वभाव उक्तः, स्थितिः कालावधारणम् ।
अणुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसंचयः ॥३७॥ () શબ્દાર્થ
વય-પ્રકૃતિ.
Page #422
--------------------------------------------------------------------------
________________
નવતરવ-દીપિકા
==
=
=
===
સહારો સ્વભાવ. સુત્તો-કહી છે. રિફ-સ્થિતિ. રવિ -કાલાવધારણ, કાલને નિશ્ચય.
માળો-અનુભાગ.
-રસ. જોશો-જાણુ. જો –પ્રદેશ.
ઢીંગો-દલસંચય, દલિકને સમૂહ (૫) અર્થ–સંકલનાઃ
પ્રકૃતિને સ્વભાવ કહેલે છે. સ્થિતિ એટલે કાલનો નિશ્ચય, અનુભાગ એટલે રસ અને પ્રદેશ
એટલે ઇલિકને સંચય, (૬) વિવેચન
બંધ ચાર પ્રકારનું છે. એ વસ્તુ ત્રિીશમી ગાથામાં કહેવાઈ ગઈ છે અને તેનાં નામે પણ તેમાં જણાવેલાં છે. હવે તે દરેક પ્રકારનું સ્વરૂપ શું છે? તે આ ગાથામાં જણાવ્યું છે.
આત્મપ્રદેશ સાથે કર્મને બંધ પડતી વખતે ચાર વસ્તુઓ બને છે. પ્રથમ તે કર્મને સ્વભાવ નક્કી થાય છે, એટલે કે આ કર્મથી આત્માને જ્ઞાનગુણ ધારી, આ કર્મથી આત્માને દર્શનગુણ રેધાશે વગેરે. તેને
Page #423
--------------------------------------------------------------------------
________________
અધતન્ય
૩૪૫
પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. બીજું આ કર્મ આત્મ સાથે કેટલો કાળ રહેશે? તેને નિર્ણય થાય છે. તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. ત્રીજું આ કર્મ આમાને કેવું શુભાશુભ ફળ આપશે? તથા કેટલા તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર કે મંદતમ ભાવે ફળ આપશે? તેને નિર્ણય થાય છે, તેને અનુભાગબંધ કે રસબંધ કહેવામાં આવે છે, અને ચોથું એ વખતે કાર્મ વર્ગના દલિને અમુક સમૂહ ગ્રહણ થાય છે, તેને પ્રદેશબંધ કહેવામાં આવે છે. (૧) ઉપક્રમઃ
બંધના ચારેય પ્રકારનું સામાન્ય સ્વરૂપ જણાવ્યા પછી પ્રકરણકાર મહર્ષિ પ્રકૃતિબંધનું સ્વરૂપ વિશેષપણે પ્રકાશવા અર્થે આડત્રીશમી ગાથા આ પ્રમાણે કહે છે ? (૨) મૂળગાથા :
पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं ।
जह एएसिं भावा, कम्माणऽवि जाण तह भावा ॥३८॥ (૩) સંસ્કૃત છાયા : पटप्रतिहारासिमद्य-हडिचित्रकुलालभाण्डागारिणाम् । यथैतेषां भावाः, कर्मणामपि जानीहि तथा भावान् ॥३८॥ શબ્દાર્થ :
પ–પાટો. દિશા–પ્રતિહાર, દ્વારપાળ.
Page #424
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ-દીપિકા
શિ-અસિ, તરવાર, જ્ઞ–મધ, મદિરા.
-હેડ, લાકડાની એક પ્રકારની બેડી. જિત્ત-ચિત્ર, ચિત્રકાર.
શરુ-કુંભાર. મંગારભંડારીના.
આ આખું પદ સામાસિક હોવાથી તેના છેડે ષષ્ઠીના બહુવચનને પ્રત્યય લાગેલો છે.
-જેવા. gu–એ વસ્તુઓના. મ –ભા .
–કર્મોના. રિ-પણ, જ. કા–જાણવા. તદુ-તેવા.
માવ-ભાવ, સ્વભાવે. (૫) અર્થ-સંકલન :
પટે, દ્વારપાળ, તરવાર, મદિરા, હેડ, ચિતારે, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવે છે, તેવા જ સ્વભાવો કર્મના જાણવા. (૬) વિવેચન :
સ્વભાવ પ્રમાણે કર્મના આઠ પ્રકારે પડે છે. તેમાં
Page #425
--------------------------------------------------------------------------
________________
બંધતત્તવ
૩૪૭
પહેલું જ્ઞાનાવરણીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ ચક્ષુના પાટા જેવું છે. ચક્ષુ પર પાટો બાંધવાથી જેમ કઈ વસ્તુ દેખી–જાણી સકાતી નથી, તેમ જીવના જ્ઞાનરૂપ ચક્ષુ પર જ્ઞાનાવરણીય કર્મરૂપ પાટો આવવાથી જીવ કેઈ વસ્તુ જાણી શકતું નથી. તાત્પર્ય કે આ કર્મથી જીવને અનંતજ્ઞાનગુણ રેલાય છે.
બીજું દર્શનાવરણીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ દ્વારપાળ જેવું છે. દ્વારપાળે કે મનુષ્ય જેમ રાજાને જોઈ શકતું નથી, તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ પદાર્થ અને વિષયને દેખી શકતું નથી. તાત્પર્ય કે આ કર્મથી જીવને અનંતદર્શનગુણ ધાય છે.
ત્રીજું વેદનીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ મધ વડે લેપાયેલી તરવાર જેવું છે. મધ વડે લેપાયેલી તરવારને ચાટતાં પ્રથમ તે મીઠી લાગે છે, પણ જીભ . કપાવાથી પશ્ચાત્ દુઃખ ભેગવવું પડે છે, તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ સુખ-દુઃખને અનુભવ થાય છે. તાત્પર્ય કે આ કર્મથી અવ્યાબાધ ને અનંત સુખ જે જીવને સ્વાધીન છે, તેને બદલે તે બાહ્ય પરાધીન સુખ–દુઃખને. ખરા સુખ-દુ:ખ સમજે છે.
ચોથું મોહનીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ મદિરા જેવું છે. મદિરા પીવાથી મનુષ્ય બેશુદ્ધ થાય છે . અને તે હિતાહિતને જાણી શક્યું નથી, તેમ આ કર્મને
Page #426
--------------------------------------------------------------------------
________________
- ૩૮
નવ-તત્વ-દીપિકા લીધે જીવ ધર્મ–અધર્મ કંઈ જાણું કે પાળી શક્યું નથી. - તાત્પર્ય કે આ કર્મથી જીવને શુદ્ધ સમ્યકત્વ તથા અનંત - ચારિત્રગુણ ધાય છે.
પાંચમું આયુષ્ય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ હેડ કે બેડી જેવું છે. બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. તાત્પર્ય કે આ કર્મથી જીવને અક્ષયસ્થિતિગુણ રેલાય છે.
છઠું નામ નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ ચિત્રકાર જેવું છે. ચિત્રકાર જેમ અનેક રંગથી અંગઉપાંગયુક્ત દેવ, મનુષ્ય આદિના વિવિધ રૂપે ચિતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપરંગવાળાં શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે આ કર્મને - લીધે જીવને અરૂપીગુણ રેલાય છે.
સાતમું ગોત્ર નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ કુંભારના જેવું છે. જે કુંભાર ચેરી, કુંભસ્થાપના વગેરે માટે ઉત્તમ ઘડા બનાવે તે માંગલિક તરીકે પૂજાય છે અને મદિરાદિકના ઘડા બનાવે તે નિંદનીક થાય છે. તેમ આ કર્મને લીધે જીવ ઉચ્ચ ગેત્રમાં જન્મે તે પૂજનીક થાય છે અને નીચ કુલમાં જન્મે તે નિંદનીક થાય છે. તાત્પર્ય કે આ કર્મને સ્વભાવ જીવના અગુરુલઘુગુણને રોકવાને છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
મધતત્ત્વ
૩૪૯
આઠમું અંતરાય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ ભંડારી જે છે. રાજા દાન આપવાના સ્વભાવવાળે એટલે કે દાતાર હેય, પણ તેના ધનભંડારની વ્યવસ્થા કરનાર ભંડારી જે પ્રતિકૂળ હોય તે રાજા તેની ઈચ્છા મુજબ દાન આપી શક્તા નથી, એટલે કે તેમાં અંતરાય પડે છે, રૂકાવટ આવે છે, તેમ જીવને સ્વભાવ અનંત દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યલબ્ધિવાળે તેવા છતાં આ કર્મને લીધે તે પિતાને અનંત દાનાદિ સ્વભાવ પ્રકટ કરી શકતું નથી. તેમાં કઈને કઈ પ્રકારના અંતરાયે આવ્યા જ કરે છે. તાત્પર્ય કે આ કર્મથી જીવન અનંતવીર્યાદિ ગુણ રોધાય છે. (૧) ઉપકમ : - હવે પ્રકરણકાર મહર્ષિ કર્મની મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓના સંગ્રહરૂપ ઓગણચાલીશમી ગાથા આ પ્રમાણે કહે છે? (૨) મૂળ ગાથા: इह नाणदंसणावरणवेयमोहाउनामगोयाणि । विग्धं च पण नव दु अवीस चउ तिसय दु पणविहं ॥३९॥ (૩) સંસ્કૃત છાયા अत्र ज्ञानदर्शनावरणवेद्यमोहायुनामगोत्राणि । विघ्नं च पश्चनव द्वयष्टाविंशतिचतुस्त्रिंशद् द्विपञ्चविधम् ॥३९॥
Page #428
--------------------------------------------------------------------------
________________
૩પ૦
નવતર-દીપિકા (૪) શબ્દાર્થ :
-અહીં, આ અધિકારે. ના-જ્ઞાનાવરણીય.
વિર દર્શનાવરણીય. અહીં રહેલે વરણ શબ્દ વાળને પણ લાગુ પડે છે. વેદ-વેદનીય. મોહ-મેહનીય.
-આયુષ્ય. રામ-નામ. જોય–ગોત્ર.
આખું પદ સામાસિક હોવાથી આ પદ બહુવચનમાં આવેલું છે.
વિઅંતરાય. =અને. Tot-પાંચ. નવ-નવ.
ભવીસ-અઠ્ઠાવીસ.
–ચાર, રિસર-એકસે ત્રણ. ત્તિ-ત્રણ, સસે. ત્રણ તથા સે મળી એકસો ત્રણ
- પવિ-પાંચ પ્રકારવાળા.
Page #429
--------------------------------------------------------------------------
________________
અવતત્ત્વ
(૫) અ-સલના
અહી. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય એ આઠ ની મૂલ પ્રકૃતિઓ છે. તે અનુક્રમે પાંચ નવ, એ, અઠ્ઠાવીસ, ચાર, એક્સેા ને ત્રણ, એ તથા પાંચ પ્રકારની છે. (૬) વિવેચન :
પ્રકૃિતિષધને વિશેષ ખ્યાલ આપવા માટે પ્રકરણકાર મહર્ષિએ અહી. કર્મની મૂલપ્રકૃતિ તથા તેની ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા જણાવી છે. તે આ પ્રમાણે ઃ
ઉત્તરપ્રકૃતિ
મૂલપ્રકૃતિ ૧. જ્ઞાનાવરણીય
૨. દશનાવરણીય ૩. વેદનીય
૪, માહનીય
૫. આયુષ્ય
૬. નામ
૭. ગાત્ર
૮, અંતરાય
Û જ
૩૫
૨૮
૪
૧૦૩
કુલ ૧૫૮
પૂર્વે પાંચમા કમ વાદ–પ્રકરણમાં ક્રમની આ મૂલપ્રકૃતિ તથા ૧૫૮ ઉત્તરપ્રકૃત્તિના પશ્ર્ચિય આપેલ છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૫ર
નવ-તર-દીપિકા (१) पम: * પ્રકૃતિબંધનું વર્ણન કર્યા પછી પ્રકરણુકાર મહર્ષિ સ્થિતિબંધનું વર્ણન કરે છે, તેમાં પ્રથમ બે ગાથા વડે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હેય? તે જણાવે છે: (२) भूग आथामा नाणे य दंसणावरणे, वेयणिए चेव अंतराए । तीसं कोडाकोडी, अयराणं ठिह अ उकोसा ॥४०॥ सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम गोएसु ।
तित्तीस अयराई, आउहिइ बंध उकोसा ॥४१॥ (3) त छया:
ज्ञाने च दर्शनावरणे, वेदनीये चैवान्तराये च । त्रिंशत् कोटीकोटयोऽतराणां स्थितिश्चोत्कृष्टा ॥ ४०॥ सप्ततिः कोटीकोट्यो मोहनीये विंशतिनामगोत्रयोः ।
त्रयस्त्रिंशदतराण्यायुः स्थितिबन्धः उत्कर्षात् ॥ ४१ ।। (४) सहाय
नाणे-ज्ञानावरणीय भाभा. य-मने. दसणावरणे-शनाय भी. वेयणिए-वहनीय भभ. चेव-निश्चयपूर्व अंतराए-तरायमभा..
Page #431
--------------------------------------------------------------------------
________________
અધતત્ત્વ
–અને.
સીપું ત્રીશ. જોડાજોડી-કોડાકોડી.
ક્રોડને ક્રોડથી ગુણતાં જે સખ્યા આવે છે, તેને કોડાકોડી કહે છે. ૧૦૦૦૦૦૦૦ X ૧૦૦૦૦૦૦૦ =
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦,
૨૩
અચવાળ–અયશની, સાગરાપમાની.
હિ—સ્થિતિ.
સોલા ઉત્કષ થી, ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે. સિદ્ધિ-સિત્તેર.
જોડાજોડી કોડાકોડી. મોનિ~માહનીય કર્મની,
રીત–વી.
નામ-નામકમ અને
શોખ્ખુ ગોત્રકમને વિષે, ત્તિત્તાતં–તેત્રીશ.
અથાત્-સાગરાપમ.
આર-આયુષ્યના નિમંત્ર-સ્થિતિમધ.
જોતા—ઉત્કર્ષ થી, ઉત્કૃષ્ટથી.
(૫) અથ-સલના :
પર
જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય અને
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૫૪
નવતત્વ-દીપિકા અંતરાય કર્મમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડીકેડી સાગરેપની હેય છે.
હનીય કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સિત્તેર કેડીકેડી સાગરોપમ, નામ અને ગેત્રમને વીશ કડાકડી સાગરેપમ અને આયુષ્યકર્મને તૈકીશ સાગરોપમનો હોય છે. (૬) વિવેચન
દરેક કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલું હોય છે? તેને ખુલાસે આ બે ગાથાઓમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે?
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય
૩૦ કડાકડી સાગરેપમ દર્શનાવરણીય ... ... ... ૩૦ » » વેદનીય . . . . ૩૦ અ » મોહનીય આયુષ્ય
૩૩ સાગરોપમ નામ
.... ૨૦ કડાકડી સાગરેપમ
... ૨૦ છે ? અંતરાય . . . ૩૦ ઇ
આ જ્ઞાની ભગવતેએ જાણેલી હકીક્ત છે, તેમાં તર્કને સ્થાન નથી. (૧) ઉપક્રમઃ
હવે કર્મની જઘન્ય સ્થિતિ કેટલી હોય, તે દર્શાવવા
છાત્ર
Page #433
--------------------------------------------------------------------------
________________
અધત
૩પપ
પ્રકરણકાર મહર્ષિ બેંતાલીશમી ગાથા આ પ્રમાણે કહે છે ? (ર) મૂળ ગાથા :
बारस मुहुत्त जहन्ना, वेयणिए अह नाम गोएसु।
सेसाणंतमुहुतं, एयं बंधढिईमाणं ॥४२॥ (૩) સંસ્કૃત છાયા द्वादश मुहूर्तानि जवन्या वेदनीयेऽष्टौ नामगोत्रयोः। शेषाणामन्त मुहूर्तमेतद् बन्धस्थितिमानम् ॥४२॥ (૪) શબ્દાર્થ :
વારસ-બાર. મુહુર-મુહૂર્ત.
એક રાત્રિ-દિવસમાં ૩૦ મુહૂર્ત હોય છે, એટલે એક મુહૂર્તને સમય ૪૮ મીનીટ જેટલે સમજવાને છે.
ના-જઘન્ય સ્થિતિ, ઓછામાં ઓછે સમય. નિવેદનીય કર્મની.
-આઠ મુહુર્ત. નામ જો સુનામ નામકર્મ બંને નેત્રકર્મને વિષે. રેલા-શેષ પાંચ કર્મની.
રહેતા અને મુની સંધિ થતાં રેસાતમુત્ત એવું પદ બનેલું છે.
અંતમુહુ-અંતર્મુહૂર્ત.
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૫૬
qi-24.
ચંપત્તિમા–બંધની સ્થિતિનું પ્રમાણ, યંત્ર ની વિધ તેનુ માન તે લૈંત્રિમાળ, બંધ-ધ.. ત્રિ-સ્થિતિ. માળ—માન, માપ, પ્રમાણુ,
(૫) અસલના :
વેદનીયની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂત, નામકસ તથા ગેત્રમની ૮ મુહૂત અને શેષ પાંચ કમ'ની અંતર્મુહૂત હૈાય છે. આ સ્થિતિખ ધનુ પ્રમાણ જાણવું, (૬) વિવેચન :
નવતત્ત્વ દીપિકા
દરેક કર્મીની જઘન્ય સ્થિતિ કેટલી હાય છે? તેના ખુલાસા આ ગાથામાં નીચે પ્રમાણે કરવામાં આવ્યે છે
કુ
જઘન્ય સ્થિતિમ
૧ અંતર્મુહત
૧
"7
૧૨ મુહૂત
૧ અંતર્મુહૂત
૧ જ્ઞાનાવરણીય ૨દ નાવરણીય ૩ વેદનીય
૪ માહનીય
૫ આયુષ્ય
૬ નામ
૭ ગાત્ર
૮ આંતરાય
"
૧
77
૮ મુર્હુત
૮
૧ અંતર્મુહૂત
અહીં સ્થિતિષ ધ ગે થાડી સ્પષ્ટતા આવશ્યક
Page #435
--------------------------------------------------------------------------
________________
એંધતા
૩પ૭
છે. સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણીય આદિ આઠેય પ્રકારના કર્મથી બંધાયેલા છે. આ કર્મબંધન પ્રવાહ કે પરંપરાની દષ્ટિએ અનાદિકાલનું સમજવાનું છે, પણું વ્યક્તિ એટલે વિશિષ્ટ કર્મની અપેક્ષાએ નહિ. વિશિષ્ટ કર્મની અપેક્ષાએ તે તે સાદિસાંત છે, એટલે કે તેને આદિ પણ છે અને અંત પણ છે. વ્યક્તિની અપેક્ષાએ કર્મબંધન વધારેમાં વધારે સિત્તેર કેડીકેડી સાગરેપમ કાલપ્રમાણુ હેય છે, તેથી અધિક આત્મા સાથે વળગી રહેવાની કઈ પણ કર્મની સ્થિતિ નથી.
દિવસ અને રાત્રિને દાખલે લેવાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. એક દિવસ અથવા એક રાત્રિને શરૂઆત પણ હોય છે અને સમાપ્તિ પણ હોય છે, છતાં સમગ્ર દિવસ-રાત્રિની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કહી શકીએ નહિ, એવી રીતે ભેગવાયેલાં કર્મો છુટાં પડતાં જાય છે અને બંધના કારણે વિદ્યમાન હેઈને નવાં નવાં કર્મો બંધાતાં રહે છે, જેથી પ્રવાહ કે પરંપરારૂપે જીવની સાથે કર્મને સવેગ ક્યારે થયે? તે કહી શકાય નહિ. તાત્પર્ય કે પ્રવાહ કે પરંપરાની દષ્ટિએ આત્મા સાથે કર્મને સંબંધ અનાદિ છે.
અહીં કર્મની સ્થિતિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આત્માની સાથે કર્મને બંધ પડે ત્યારથી માંડીને તે આત્માથી છૂટું પડે ત્યાં સુધીને સમજવાને છે.
સ્થિતિ દરમિયાન બદ્ધકર્મની અવસ્થા બે પ્રકારની
Page #436
--------------------------------------------------------------------------
________________
૫૮
નવ તત્ત્વ દીપિકા
હાય છે : (૧) અખાધાકાલ (અનુય) અને (૨) નિષેકકાલ (ભાગ્યકાળ). રસાયણે ખાતાંની સાથેજ કામ આપતાં નથી, પણ અમુક સમય પછી જ આપે છે; અથવા કોઈ વસ્તુ ચૂલે ચડાવતાં તરત જ ચડી જતી નથી, પણ અમુક સમય પછી જ ચડે છે; તેમ ખંધાયેલ કમ ખંધાતાંની સાથે જ પેાતાનું ફળ આપતુ નથી, પણ અમુક સમયે જ આપે છે. આ રીતે એક કર્મ જ્યાં સુધી પોતાનું ફળ અતાવવાની સ્થિતિમાં ન આવે ત્યાં સુધીના કાલને અખાધાકાલ કહેવામાં આવે છે.
કના અખાધાકાલ પૂરી થયા પછી જ કેમ તેનુ ફળ આપવાનું શરૂ કરે છે, તેને કમને ઉડ્ડય કહેવામાં આવે છે. ઉત્ક્રયકાળમાં કમને લાગવવા માટે કલિની રચના થાય છે, માટે તેને નિષકકાલ–ભાગ્યકાલ કહેવાય છે. તાત્પર્ય કે કર્મીની જેટલી સ્થિતિ ખ ંધાઈ હોય, તેમાંથી અમુક સ્થિતિ અખાધાકાલમાં જાય છે અને બાકીની સ્થિતિ નિષેક એટલે ભાગ્યકાલમાં જાય છે. ભાગ્યકાલમાં નાં યુગલે ક્રમશઃ ઉદયમાં આવે છે અને પોતાનુ ફળ આપીને આત્માથી છૂટા પડી જાય છે.
અહીં એટલું યાદ રાખવુ. ઘટે કે ક્રમ ઉદયમાં આવે ત્યારે તેને વેગ વધારે હાવાથી ઘણા કર્માં પ્રદેશ આવી પડે છે અને ત્યાર પછી તે ક્રમશઃ ઓછા થતા જાય છે. અંકમાંથી ગાળી છૂટે ત્યારે તેના વેગ ઘણું હાય છે, પછી તે આછા થતા જાય છે, તેમ અહી પશુ સમજવુ.
Page #437
--------------------------------------------------------------------------
________________
બંધતત્વ
૩૫૯
અહીં અબાધાકાલ અગે એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે કર્મની જેટલા કેડાછેડી સાગરોપમપ્રમાણ સ્થિતિ બંધાય, તેના તેટલા સે વર્ષને અબાધાકાલ હોય છે. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકેડી સાગરોપમપ્રમાણુ બંધાતી હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેને અબાધાકાલ ૧૦૦ x ૩૦ = ૩૦૦૦ વર્ષને હેય છે. આ પ્રમાણે આયુષ્ય સિવાયના સાતેય કમેનું સમજી લેવું. આયુષ્યકર્મના અબાધાકાલનું પ્રમાણ નિયત નથી, એટલે તેને સ્થિતિબંધ અબાધાકાલરહિત કહે છે.
અહીં પ્રકરણુકારે અનુભાગબંધ તથા પ્રદેશબંધનું સ્વરૂપ ગાથા દ્વારા કહ્યું નથી, એટલે તે અંગે પણ કેટલીક સ્પષ્ટતા કરીશું.
કર્મ બાંધતી વખતે જીવના જેવા પરિણામે–અધ્ય વસાઝ હોય છે, તે રસ પડે છે અને જે રસ પડે છે, તે પ્રમાણે તેનું અતિ તીવ્ર, તીવ્ર, મંદ કે મંદતર ફળ મળે છે. અધ્યવસાયેની તીવ્રતા-મંદતા સમજવા માટે શાસ્ત્રકારોએ જંબૂવૃક્ષ અને છ પુરુષોનું દૃષ્ટાંત નીચે મુજબ આપ્યું છે -
છ મુસાફરે એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંના પહેલાએ કહ્યું : “આ જાંબૂડાને તેડી પાડીએ તે મનગમતાં જાબૂ ખાઈ શકાય. બીજાએ કહ્યું: “આખા ઝાડને
* કષાયના ઉદયથી આત્માને જે પરિણામ થાય, તેને ધ્યવસાય કહેવાય છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૬o .
નવ-તત્વ-દીપિકા તેડી પાડવાને બદલે તેનું એક મોટું ડાળું જ તેડી પાડીએ, તે આપણું કામ થઈ જશે. ત્રીજાએ કહ્યું :
એમાં ડાળું પાડવાની શું જરૂર છે? એક મોટી ડાળીને જ તેડી પાડે ને ? એમાંથી આપણને જોઈએ તેટલાં જાંબૂ મળી રહેશે.” ચેથાએ કહ્યું : “મેટી કે નાની ડાળી તેડવાની જરૂર નથી, માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તેડી પાડે. પાંચમાએ કહ્યું : “મને તે એ પણું વ્યાજબી જણાતું નથી. જે આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે, તે માત્ર જાંબૂડાં જ તેડી લે.” એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે
ભૂખ શમાવવી એ આપણું પ્રયોજન છે, તે નિષ્કારણું વૃક્ષને ઉખેડવાની, તેડવાની કે તેનાં ફળ પાડવાની ચેષ્ટા શું કામ કરવી? અહીં ઘણાં જાંબૂડાં પિતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાજાં અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવે.”
અધ્યવસાની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે સરખી નથી. ૮ જેવા અધ્યવસાય તેવે બંધ’ એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત કર્મબંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને એથી વ્યક્તિને અનુક્રમે નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધને અધિકારી બનાવે છે. અહીં નિધત્તથી ગાઢ, બદ્ધથી કંઈક ગાઢ અને કંઈક શિથિલ તથા ધૃષ્ટથી શિથિલ કર્મબંધ સમજવાને છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
અંધતત્ત્વ
૩૬
નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનું સ્વરૂપ સોયના દૃષ્ટાંતથી સમજાશે. કેટલીક સેને દેરામાં પરોવેલી હોય અને તે કટાઈ જવાથી અરસપરસ ચાટી ગયેલી હોય, તે તેને છૂટી પાડવામાં મહેનત પડે છે. તેમ જે કર્મબંધન ગાઢ હોઈ તેને તેડવા માટે તપાદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરવું પડે, તે નિધત્ત કર્મબંધ કહેવાય છે.
કેટલીક સેને દેરાથી પરાવેલી હોય, તે તેને છૂટી પડતાં વાર લાગે છે, તેમ જે કર્મનું બંધન વિશિષ્ટ આલેચના વગેરેથી તૂટે, તેને બદ્ધ કર્મબંધ કહેવાય છે.
અને કેટલીક સેને ઢગલે પડેલે હેય તે એના પર હાથ મૂકતાં જ તે વિખરાઈ જાય છે, તેમ જે કર્મોનું બંધન અતિ શિથિલ હોઈ સામાન્ય પશ્ચાત્તાપ આદિથી તૂટી જાય, તેને સ્પષ્ટ કર્મબંધ કહેવાય છે.
આત્માના અધ્યવસાયે બદલાયા કરે છે અને નવા નવા અધ્યવસાયે ઉત્પન્ન થાય છે, એટલે અધ્યવસાયનાં સ્થાનકે અસંખ્યાત માનવામાં આવ્યાં છે. - આત્માના અધ્યવસાયે બદલાતા ન હોત ને બધો વખત એક સરખા જ રહેતા હતા તે ચડતી કે પડતીને અનુભવ થાત નહિ, તેમ જ કર્મની સ્થિતિમાં જે વિચિત્રતા દેખાય છે, તે પણ દેખાત નહિ.
અહીં એટલું લક્ષ્યમાં રાખવું ઘટે કે આત્મા નિગે- . કદમાં જડ પ્રાયઃ અવસ્થામાં હોય છે, ત્યારે પણ તેનામાં
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૬૨ .
નવ-તત્ત્વ-દીપિકા
અધ્યવસાયે હોય છે અને તેજ કારણે તેનું કર્મબંધન ચાલુ રહે છે. જે તેને કઈ પ્રકારના અધ્યવસાય ન હોય તે તેનામાં. અને જડમાં કઈ તફાવત રહે નહિ.
વનસ્પતિને અધ્યવસા હોય છે, એ વાત બંગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રગટ દ્વારા સાબીત કરી આપેલી છે.
જ્યારે વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીને અધ્યવસાય હોય, ત્યારે વિકલેન્દ્રિય, તેમજ તિર્યંચ પંચેન્દ્રિય એટલે પશુ, પક્ષી, જલચર વગેરેને અધ્યવસાય હોય એમાં આશ્ચર્ય શું ? જૈન શાસ્ત્રોએ તિર્યને થતા અધ્યવસાયની કેટલીક સુંદર નેધ કરેલી છે.
છેવટે એ પણ યાદ રાખવું ઘટે છે કે અશુભ પ્રકૃતિનો રસ લીમડાના રસ જે કડે એટલે જીવને પીડાકારી હોય છે અને શુભપ્રકૃતિને રસ શેલડી જેવો મધુર એટલે જીવને આફ્લાદકારી હોય છે.
અશુભ પ્રકૃતિને રસ જેટલે મંદ હેય, તેટલે સારે અને શુભ પ્રકૃતિને રસ જેટલે તીવ્ર હોય, તેટલે સારે. સરવાળે તે બધાં કર્મોને નીરસનિક સત્ત્વ બનાવી દેવાનાં છે, જેથી આત્માને સંસારને ઉપદ્રવ થાય નહિ.
પ્રદેશબંધ અંગે એટલું લક્ષ્યમાં રાખવું કે યેગવ્યાપારની વિશેષતા પ્રમાણે તેની વિશેષતા હોય છે, અર્થાત્ ગબળના પ્રમાણમાં જ કાર્મણ વર્ગણાના દલિકે ગ્રહણ
Page #441
--------------------------------------------------------------------------
________________
બંધતત્ત્વ
૩૬૩.
થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે ઉત્કૃષ્ટ વેગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને જઘન્ય ગે જઘન્ય પ્રદેશબંધ થાય છે. અને તે જ કારણે પ્રદેશબંધમાં અનેક પ્રકારની જૂનાધિક્તા હોય છે.
બંધનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ, પંચસંગ્રહ વગેરે ગ્રંથેથી જાણવું.
અંધતત્ત્વ' નામનું અગિયારમું પ્રકરણ અહીં પૂરું થાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મારતુ
માક્ષતત્ત્વ
[ગાથા તેતાલીશમીથી પચાશમી સુધી)
(૧) ઉપક્રમ :
પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિ સુખને અર્થે થાય છે. આ સુખની ચરમ સીમા મોક્ષની અવસ્થામાં અનુભવાય છે, તેથી માક્ષ એ શુદ્ધ ઉપાય તત્ત્વ ગણાયું છે.
આત્મા પુરુષાથના ચગે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતીક ના ય કરે ત્યારે તે જ્ઞાનની દ્રષ્ટિએ સજ્ઞ અને છે અને ચારિત્રની દૃષ્ટિએ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર ખાદ જ્યારે તે પાતાના ઘેડુ છોડે છે, ત્યારે વેઢનીય, આયુષ્ય, નામ અને ત્ર એ ચાર અઘાતીમાં પણ નાશ પામે છે અને એ રીતે સ કર્મીના ક્ષય થતાં તે મેાક્ષની પ્રાપ્તિ કરે છે.
મેાક્ષમાં જન્મ, જરા કે મૃત્યુ હાતા નથી; માત્ર ચિદાન' અવસ્થા એટલે જ્ઞાન અને આનંદ્યમય અવસ્થાને
Page #443
--------------------------------------------------------------------------
________________
માક્ષત
૩૬૫
જ અનુભવ હોય છે, તેથી જ તેને પરમ સુખનું ધામ માનવામાં આવ્યું છે.
આ મેક્ષતત્વને વિશદ ધ નવ અનુગદ્વારે વડે થાય છે, તેથી પ્રકરણકાર મહર્ષિ તેતાલીશમી ગાથામાં નવ અનુયાગદ્વારે કહે છે. તે આ પ્રમાણે (ર) મૂળગાથા:
संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य ।
कालो अ अंतरं भाग, भावे अप्पाबहुं चेव ॥४३॥ (૩) સંસ્કૃત-છાયાઃ
सत्पदप्ररूपणा, द्रव्यप्रमाणं च क्षेत्र स्पर्शना च ।
कालच अंतरं भागो, भावोऽल्पबहुत्वं चैव ॥४३॥ (૪) શબ્દાર્થ :
સંતપંચણવા–સપઢની પ્રરૂપણ, સત્યપ્રરૂપણાકારસુવાના દ્રવ્ય પ્રમાણે, દ્રવ્યપ્રમાણુકાર. જ-અને. ત્તિ-ક્ષેત્ર, ક્ષેત્રદ્વાર. પુરસ્પર્શના, સ્પર્શનાકાર. -અને, વળી. જ-કાલ, કાલદ્વાર.
અને. શત-અંતર, અંતરકાર, મા-ભાગ, ભાગદ્વાર,
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૬૬
નવ તત્વ-દીપિકા
મા-ભાવ, ભાવકાર, ઘાવ-અલ૫બહુવ, અલ્પબહુdદ્વાર.
વ-નિશ્ચયપૂર્વક (૫) અર્થ-સંકલના:
(૧) સતપદપ્રરૂપણાકાર, (૨) કચ્ચપ્રમાણાર, (૩) ક્ષેત્રદ્વાર, (૪) સ્પર્શનાદ્વાર, (૫) કાલદ્વાર, (૬) અંતરદ્વાર, (૭) ભાગદ્વાર, (૮) ભાવાર અને ૯) અપબહુઠ્ઠાર, એ નિશ્ચયે નવ અયોગદ્વાર છે. (૬) વિવેચન
સૂત્ર અને અર્થનું વ્યાખ્યાન કરવું, તેને અનુગ કહેવામાં આવે છે. આ અનુગતું જે દ્વાર એટલે માર્ગ કે ઉપાય, તે અનુગદ્વાર તેને ઉપયોગ કેઈ પણ વસ્તુ કે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. તત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે “સત્ત-સંધ્યાક્ષેત્ર-રાજસ્થાન-માવરકુવૈદ્ય-સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પાબહેત્વ એ આઠ અનુગદ્વાર વડે જીવાદિતનું જ્ઞાન થાય છે. અહીં ભાગ સિવાયના આઠેય અનુગદ્વારનાં નામે જોઈ શકાય છે.
મોક્ષને વિષય ગહન હેવાથી તેને વિશદ બેધ થવા માટે પ્રકરણકાર મહર્ષિએ નવ અનુગારની આવશ્યક્તા દર્શાવી છે અને તેના નામ પણ જણાવ્યાં છે. જેમ કે –
Page #445
--------------------------------------------------------------------------
________________
એક્ષતવ
૩૬૭
૧. સરપદપ્રરૂપણાકાર
સત્ એટલે વિદ્યમાનતા, તેની સિદ્ધિ અર્થેનું જે પદ તે સત્ય. તેની પ્રરૂપણ કરનાર એટલે કે તેનું પ્રતિપાદન કરનાર જે દ્વાર, તે સપદપ્રરૂપણા દ્વારા તાત્પર્ય કે કઈ પણ પદવાળે પદાર્થ સત્ છે કે અસત્ ? એટલે આ જગ. તમા વિદ્યમાન છે કે નહિ? તેનું પ્રમાણ આપીને તે અને પ્રતિપાદન કરવું, તે સત્પઢપ્રરૂપણા દ્વાર કહેવાય છે. ૨. દ્રવ્યપ્રમાણુટ્ટાર
તે પદાર્થ જગતમાં કેટલા છે? તેની સંખ્યા દર્શાવવી તે દ્રવ્યપ્રમાણદ્વાર કહેવાય છે. ૩. ક્ષેત્રદ્વાર
ક્ષેત્ર એટલે જગા. તે પદાર્થ કેટલી જગામાં રહેલે છે? એમ જણાવવું, તે ક્ષેત્રદ્વાર કહેવાય છે. આ કારને અવગાહનાદ્વાર પણ કહે છે. અવગાહવું એટલે વ્યાપીને રહેવું. ૪. સ્પર્શનાદ્વાર
તે પદાર્થ કેટલા આકાશપ્રદેશને સ્પશીને રહેલો છે? ' એમ જણાવવું, તે સ્પર્શનાદ્વાર કહેવાય છે. ૫. કાલદ્વાર
તે પદાર્થની સ્થિતિ કેટલા કાલપર્યત છે? એમ -દર્શાવવું, તે કાલકાર કહેવાય છે. ૬. અંતરદ્વાર
જે પદાર્થ જે રૂપે છે, તે પદાર્થ મટીને બીજા રૂપે
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૬૮
નવ-તત્વ-દીપિકા થઈ પુનઃ મૂળ રૂપે થાય કે નહિ? અને થાય તે તે અન્યરૂપે કેટલે કાળ રહીને ફરી થાય? એમ જણાવવું, તે અંતરદ્વાર કહેવાય છે. અહીં અંતર શબ્દથી કાલનું વ્યવધાન સમજવાનું છે. ૭. ભાગદ્વાર
તે પદાર્થની સંખ્યા સ્વજાતીય કે પરજાતીય પદાર્થોના કેટલામે ભાગે અથવા કેટલા ગુણી છે? એમ જે દર્શાવવું તે ભાગદ્વાર કહેવાય છે. ૮, ભાવઢાર
પશમિક, ક્ષાયિક, લાપશમિક, ઔદયિક અને પારિણમિક આ પાંચ ભામાંથી તે પદાર્થ ક્યા ભાવમાં. અંતર્ગત છે? એમ જે દર્શાવવું, તે ભાવદ્વાર કહેવાય છે. ૯. અલ૫બહેદ્વાર
તે પદાર્થના ભેદોમાં પરસ્પર સંખ્યાનું અલ્પત્ય તથા બહેવ એટલે હીનાધિતા દર્શાવવી, તે અ૫મહુવઢાર કહેવાય છે.
નવ અનુગા વડે મેક્ષતત્વના નવ પ્રકારે. ગણવામાં આવે છે, બાકી સકલકર્મથી મુક્ત થયેલ આત્માના. સ્વરૂપમાં કોઈ ભેદ હોતું નથી. (૧) ઉપકેમ ?
નવ અનુગદ્વાર પૈકી પહેલું સાદરૂપણ નામનું દ્વાર મેક્ષતત્વમાં કેવી રીતે ઉતારવું? તે પ્રકરણકાર મહર્ષિ ગુમાલીશમી ગાથામાં આ પ્રમાણે જણાવે છે:
Page #447
--------------------------------------------------------------------------
________________
મોક્ષત
(ર) મૂળ ગાથા :
संतं सुद्धपयत्ता, विजतं खकुसुमव्व न असंतं ।
मुक्खत्ति पयं तस्स उ, पख्वणा मग्गणाईहि ॥४४॥ (૩) સંસ્કૃત છાયા :
सत् शुद्ध पदत्वाद् विद्यमानं रखकुसुमवत् न असत् ।
मोक्ष इति पदं तस्य तु, प्ररूपणा मार्गणादिभिः ॥४४॥ () શબ્દાર્થ :
સત્ત-સત, જેનું અસ્તિત્વ હોય તેને સત્ કહેવાય. સુપયત્તા શુદ્ધ પદ હોવાથી, એક પદ હોવાથી. વિગત–વિદ્યમાન છે.
હુમ-આકાશના પુષ્યની પેઠે.
-આકાશ, તેનું શુસુમ–પુષ્પ તે પુ. શ્વ-અવ્યય પેઠે અથવા જેમને અર્થ દર્શાવે છે.
R-નથી. અiાં અસત, અવિદ્યમાન. મુવ-મક્ષ. ત્તિ-ઈતિ, એ. પર્ય-પદ્ય તા–તેની. –વળી.
Page #448
--------------------------------------------------------------------------
________________
o
નવ-તત્વ-દીપિકા પહલગા-પ્રરૂપણ, પ્રતિપાદન,
માળાહિં-માણાઓ વડે (૫) અર્થ-સંકલના ?
મક્ષ એ સત છે, એક પદ હોવાથી વિદ્યમાન છે, પરંતુ આકાશના પુષ્પની પેઠે અવિદ્યમાન નથી. મેક્ષ” એ જાતનું પદ છે (માટે તેને અર્થ છે) અને તેની પ્રરૂપણ માગણુઓ વડે થાય છે. (૬) વિવેચન :
કઈ પણ વસ્તુ સિદ્ધ કરી આપવા માટે ન્યાયશાસ્ત્રમાં પ્રતિજ્ઞા, હેતુ, ઉક્રાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવવાળા પ્રોગ થાય છે. જેમાં અને જે સિદ્ધ કરવાનું હોય, તે બેનું કથન તે પ્રતિજ્ઞા તેનું કારણ આપવું, તે હેતુ, તે અંગે અનુકુળ કે પ્રતિકૂળ દાખલ આપે, તે ઉદાહરણ, તેને એગ્ય રીતે ઘટાવે, તે ઉપનય અને પ્રતિજ્ઞા અનુસાર પ્રમાણુ જાહેર કરવું, તે નિગમન. અહીં આ પાંચ અવયવને પ્રવેગ થયેલ છે. તે આ પ્રમાણે :
૧. પ્રતિજ્ઞા-મેક્ષ સત્ છે. ૨. હેતુ-એક પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. ૩. ઉદાહરણ–આકાશપુષ્પની પેઠે અવિદ્યમાન નથી. જે શુદ્ધ એટલે એક પદ હોય, તેને અર્થ હોય
Page #449
--------------------------------------------------------------------------
________________
મોક્ષત
૩૭૬
જ. જેમકે–સુવર્ણ, આભરણ, રત્ન, તેજ, વધ્યા, પુત્ર, આકાશ, પુષ્પ વગેરે. આ બધાં એક પદો છે, માટે તેના અર્થે છે, એટલે કે તે પ્રકારના પદાર્થો વિદ્યમાન છે. અને જે શુદ્ધ એટલે એદું પદ નથી, પણ જોડાયેલાં પદો છે તેના અર્થે હોય કે ન પણ હોય. જેમકે – સુવણભરણ- સોનાનું આભરણ, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન છે, રનતેજ–૨નનું તેજ, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન છે અને વધ્યાપુત્ર-વાંઝણને પુત્ર, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન નથી, તે જ રીતે આકાશપુષ્પ– આકાશનું પુષ્પ, એ બે પદવાળી વસ્તુ પણ વિદ્યમાન નથી. અહીં વિરુદ્ધ ઘટનાવાળું ઉદાહરણ આપેલું છે.
૪. ઉપનયન્સે ક્ષ એ શુદ્ધ પદ છે, માટે તેને અર્થ છે.
૫. નિગમન–તે મોક્ષપદને અર્થરૂપ જે પદાર્થ, તે જ મોક્ષ છે.
અહીં ઉપનય અને નિગમને એક સાથે ટૂંકમાં કહેલા છે, પણ ન્યાયની પરિભાષા અનુસાર તે ઉપર પ્રમાણે જુદા સમજવાના છે.
અહીં કેઈ એમ કહે કે “ડિસ્થ, કિસ્થ આદિ એક એક પદની કલ્પના કરીએ તે શું તે જાતને પદાર્થ હોય છે ખરે? નથી જ. તેમજ એક્ષ એ પદ કાનાવાળું હોય તે તે જાતને પદાર્થ કેમ સંભવી શકે? તાત્પર્ય
Page #450
--------------------------------------------------------------------------
________________
ક
વાછર
નવ-તાવ-દીપિકા કે ન જ સંભવી શકે. વળી એક એક પદવાળી સર્વ વસ્તુઓ વિદ્યમાન હેય એમ પણ બની શકે નહિ.”
તેને ઉત્તર એ છે કે જે શબ્દના અર્થ કે વ્યુત્પત્તિ. થઈ શકે તે જ પદ કહેવાય. અર્થશૂન્ય શબ્દને પદ કહેવાય નહિ. મેક્ષ શબ્દ અર્થ અને વ્યુત્પતિયુક્ત છે, માટે પદ છે. અને તે પદ છે, માટે જ તે પ્રકારને પદાર્થ છે. ડિO, કિસ્થ આદિ શબ્દો અર્થશૂન્ય છે, એથી તે પદ નથી અને તે પદ નથી, માટે જ તે પ્રકારના પદાર્થ નથી. આથી ઉપર જે એમ કહ્યું છે કે “જે શુદ્ધ એટલે એક પદ હોય, તેને અર્થ હોય જ એ યથાર્થ છે.
અહીં પ્રકરણકારે એમ સૂચન કર્યું છે કે આ સદની પ્રરૂપણું માર્ગણાઓ વડે થાય છે. માણા એટલે વિવક્ષિત ભાવનું અન્વેષણ કે શેધન. તેનું વર્ણન આગામી ગાથામાં આવશે. (૧) ઉપકમ :
મેક્ષરૂપ સત્પદની પ્રરૂપણ કરનારી માર્ગણએ મુખ્યત્વે ચૌદ છે અને ઉત્તરભેદથી બાસઠ છે. તે જણવવા માટે પ્રકરણકાર મહર્ષિ પીતાલીશમી ગાથા આ છે પ્રમાણે કહે છે : (૨) મૂળ ગાથા :
गइ इंदिए य काए, जोए वेए कसाय नाणे । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥४५॥
Page #451
--------------------------------------------------------------------------
________________
મેક્ષતાવ
૩૭૪
(૩) સંસ્કૃત છાયા : गतिरिन्द्रियं च कायः, योगो वेदः कषायो ज्ञानं च । संयमो दर्शनं लेश्या, भव्यः सम्यक्त्वं संख्याहारः॥४५॥ (૪) શબ્દાર્થ :
રિ-ઇન્દ્રિય. –અને.
-કાય. નોગ. વૈ–વેદ. વાણાય-કાય. ના-જ્ઞાન.
-અને. સંજ-સંયમ, ચારિત્ર. સંસા-દર્શન. હેલા-લેશ્યા મ-ભવ્ય. સ-સભ્યત્વ. સન્નિ-સંસી.
બાહાર આહાર. (૫) અથ–સંકલનાઃ
ગતિ, ઇન્દ્રિય, કાય, જેગ, વેદ, કષાય, જ્ઞાન,
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૭૪
નવ-તત્ત્વ-દીપિકા
ચારિત્ર, દર્શન, લૈશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સની અને આહાર એ ચૌદ માણાઓ છે. (૬) વિવેચન :
અહીં વિવક્ષિત મેાક્ષભાવનુ
અન્વેષણ શેાધન
ગતિ આદિ દ્વારા કરવાનુ છે અને બીજા પણ અનેક ભાવાનું અન્વેષણ શેાધન શાસ્રોમાં ગતિ આદિ દ્વારા કરેલું હોવાથી ગતિ આદિ ૧૪ વસ્તુને માણા કહેવામાં આવે છે. તેના ઉત્તરભેદો દૂર છે. તેને પણ સામાન્ય રીતે માા જ કહેવામાં આવે છે. ૬૨ માણાએ આ પ્રમાણે સમજવી :
(૧) ગતિમાગણુા-૪.
૧ દેવગતિ
૨ મનુષ્યગતિ ૩ તિય ચગતિ ૪ નગતિ
(૨) ઇન્દ્રિયસા ણા--૫ ૧ એકેન્દ્રિયજાતિ
૨ દ્વીન્દ્રિયજાતિ
૩ ત્રીન્દ્રિય જાતિ
૪ ચતુરિન્દ્રયજાતિ ૫ પંચેન્દ્રિયજાતિ
(૩) કાયમાગ ણા-૬ ૧ પૃથ્વીકાય
Page #453
--------------------------------------------------------------------------
________________
એક્ષતત્ત્વ
૨ અમુકાયા ૩ તેજસૂકાય (તેઉકાય) ૪ વાયુકાય પ વનસ્પતિકાય
૬ ત્રસકાય (૪) વેગમાર્ગણ-૩
૧ મગ ૨ વચનગ
૩ કાયયોગ (૫) વેદમાર્ગણ-૩
૧ સ્ત્રીવેદ ૨ પુરુષવેદ
૩ નપુંસકવેદ (૬) કષાયમાર્ગણું-૪
૧ ક્રોધ ૨ માન ૩ માયા
૪ લેભ (૭) જ્ઞાનમાર્ગણુ-૮
૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૭૬
નવ-તત્વ-દીપિકા ૪ મન:પર્યવજ્ઞાન ૫ કેવળજ્ઞાન ૬ મતિઅજ્ઞાન ૭ શ્રુતજ્ઞાન ૮ વિગજ્ઞાન
અહીં અજ્ઞાન શબ્દથી ઉતરતા દરજજાનું જ્ઞાન સમજવું. વિર્ભાગજ્ઞાન એ ઉતરતા દરજજાનું એક પ્રકારનું અવધિજ્ઞાન છે. (૮) ચારિત્રમાણુ-૭
૧ સામાયિકચારિત્ર ૨ છેદો પસ્થાપનચારિત્ર ૩ પરિહારવિશુદ્ધિચારિત્ર ૪ સૂફમસં૫રાયચારિત્ર ૫ યથાખ્યાતચારિત્ર ૬ દેશવિરતિચારિત્ર ૭ અવિરતિચારિત્ર
સર્વવિરતિને પ્રથમના પાંચ પ્રકારમાંથી કોઈપણ એક ચારિત્ર હોય, વ્રતધારી શ્રાવકને દેશવિરતિચારિત્ર હોય અને જેણે કેઈપણ પ્રકારના વતની ધારણ કરી નથી, તેને અવિરતિચારિત્ર હેય. ૯) દર્શનમાર્ગણ-૪
ચક્ષુદર્શન અચક્ષુદર્શન
Page #455
--------------------------------------------------------------------------
________________
માક્ષતત્ત્વ
૩ અવધિદશ ન
૪ વલદન
(૧૦) વૈશ્યામાણા-૬
૧ કૃષ્ણે
૨ નીલ
૩૭
૩ કાપાત
૪ તેજે
૫ પદ્મ
૬ શુકલ
મન, વચન અને શરીરમાં રહેલા એક જાતના પુદ્ગલાના સખંધથી જીવના જે શુભાશુભ પિરણામ થાય, તેને લૈશ્યા કહે છે. તેના બે ભેદ છે : (૧) દ્રવ્યલેફ્સા અને (ર) ભાવલેસ્યા. ચેગાંતગત કૃષ્ણાર્દિ પુગલે તે દ્રવ્યોશ્યા અને તેના સંબંધથી જીવના જે શુભાશુભ પરિણામ થાય, તે ભાવલેશ્યા. જ્યારે જીવના પિરણામ તીવ્ર કાયયુક્ત હોય છે, ત્યારે કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓ હાય છે અને કષાયની મંદતા કે અભાવ હાય ત્યારે તેજો વગેરે શુભ લેશ્યાઓ હાય છે. કૃષ્ણ, નીલ અને કાપાત એ અશુભ વેશ્યાએ છે અને તેજો, પદ્મ તથા શુકલ એ શુભ વેશ્યાએ છે. અગિયારમા પ્રકરણમાં જંવૃક્ષ અને છ પુરુષોનું દૃષ્ટાંત આપેલ છે, તે અનુસાર લેશ્યાની તીવ્રતા—મદ્યતા સમજવી.
Page #456
--------------------------------------------------------------------------
________________
ગુ90
નવતત્ત્વ-દીપિકા
(૧૧) ભવ્યમાર્ગ-૨
૧ સભ્ય ૨ અભવ્ય
મોક્ષે જવાની ગ્યતા જેનામાં હેય, તે ભવ્ય અને તે એગ્યતા જેનામાં ન હોય તે અભવ્ય.
અહીં સંપ્રદાયથી જાતિભવ્યને ભવ્યમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે તેમને પણ મોક્ષ થતું નથી. (૧૨) સમ્યકત્વમાર્ગણ-૬
૧ પરામિક ૨ ક્ષાપથમિક ૩ ક્ષાયિક ૪ મિશ્ર ૫ સાસ્વાદન ૬ મિથ્યાત્વ
સમ્યકત્વનું વર્ણન તેરમા પ્રકરણમાં કરેલું છે. જીવને સમ્યકત્વની સ્પર્શના ન થઈ હોય, ત્યારે મિથ્યાત્વ હોય છે, તેથી સમ્યકત્વમાર્ગણામાં મિથ્યાત્વને પણ સ્થાન આપેલું છે. (૧૩) સંસીમાગણ-૨
૧ સંસી ૨ અસંગી જેને દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે વિશિષ્ટ મને વિજ્ઞાન
Page #457
--------------------------------------------------------------------------
________________
માશ્ચતત
392
હાય, તે સજ્ઞી અને જે વિશિષ્ટ મનેાવિજ્ઞાન રહિત હાય, .
તે અસંગી.
(૧૪) આહારમા ણા-૨
૧ આહારક
૨ અનાહારક
ભવધારણીય શરીરને લાયક આજ કે આજસ આહાર, લેામઆહાર અને વલાહાર પૈકી યથાસભવ. આહારવાળા તે આહાર અને એ ત્રણેય આહારથી રહિત તે અનાહારક અપર્યાપ્ત અવસ્થામાં તેજસ—કાÖણુ શરીર – વડે ગ્રહણ કરાતા આહાર તે આજસઆહાર, શરીરપતિ પૂર્ણ થયા ખાદ્ય ત્વચા કે શરીર દ્વારા કરાતા આહાર તે લેામઆહાર અને કોળિયાથી મુખ દ્વારા લેવાતા આહાર તે જ્વલાહાર.
ગ્રહણુ .
ઉત્તરભેદાની સખ્યા ૪+ ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + $ + ૨ + ૨ = ૬૨ છે.
આ દરેક માગણામાં સવ સંસારી જીવાના સમાવેશ થાય છે. અન્ય રીતે કહીએ તા સ સંસારી જીવા ગતિની દૃષ્ટિએ ચાર પ્રકારના છે, ઈન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારના છે, કાયની દૃષ્ટિએ છ પ્રકારના છે, એમ - સત્ર સમજવાનું છે.
(૧) ઉપક્રમઃ
પીસ્તાલીશમી ગાથામાં માણુાઓનું વર્ણન કર્યું "--
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૮૦
નવતત્ત્વ-દીપિકા
હવે મોક્ષમાં કઈ કઈ માર્ગણઓ હોય છે? તે દર્શાવવા માટે પ્રકરણકાર મહર્ષિ વેંતાલીશમી ગાથાનું કથન આ પ્રમાણે કરે છે : (૨) મૂળ ગાથા: नरगइ पणि दि तस भव सन्नि अहक्खाय खहअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दसणनाणे न सेसेसु ॥४६॥
(૩) સંસ્કૃત છાયાઃ -नरगतिपवेन्द्रियत्रसभव्यसंज्ञियथाख्यातक्षायिकसम्यक्त्वे । मोक्षोऽनाहारकेवल-दर्शनज्ञाने न शेषेषु ॥ ४६॥ (૪) શબ્દાર્થ :
RT-નરગતિ, મનુષ્યગતિ. નિર્વિ-પંચેન્દ્રિય જાતિ. નરલ–ત્રસકાય. મ–ભવ્ય. -જિ-સંજ્ઞી. લાવવાચવ્યાખ્યાતચારિત્ર. રિયરમ-ક્ષાયિકસમ્યકતવમાં. મુકો-મેક્ષ છે.
-અનાહાર. જેવા -કેવલદર્શન. નાખે-કેવળજ્ઞાનમાં.
Page #459
--------------------------------------------------------------------------
________________
નથી.
સે–શેષમાં, બાકીની માર્ગણાઓમાં, (૫) અર્થ–સંકલના :
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, . સંસી, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહાર, કેવલદર્શન અને કેવળજ્ઞાન એ માર્ગણએમાં મોક્ષ છે, શેષ માર્ગણુઓમાં મેક્ષ નથી.. () વિવેચન :
મક્ષ કઈ માર્ગણુઓમાં હોય? અને કઈ માર્ગ ણામાં ન હોય, તેનું સ્પષ્ટીકરણ આ ગાળામાં કરવામાં આવ્યું છે.
સંસારી પ્રાણીઓ નક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ. ચાર ગતિઓ પૈકી કેઈપણ એક ગતિમાં હોય છે. તેમાં મનુષ્યગતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે પણ બાકીની ત્રણ ગતિમાં રહેલ જીવ મોક્ષ પામી શકે નહિ. અહીં કઈ પ્રશ્ન કરે કે “એમ શાથી?” તે સર્વવિરતિચારિત્ર વિના મોક્ષ નથી અને સર્વવિરતિચારિત્ર માત્ર મનુષ્યગતિમાં જ સંભવે છે, તેથી અન્ય ત્રણ ગતિવાળાને મોક્ષને સંભવ નથી.
સંસારી પ્રાણુઓ એકેન્દ્રિય આદિ પાંચ જાતિમાં વિભક્ત છે. તેમાંની પંચેન્દ્રિય જાતિમાં રહેલે જીવ . મોક્ષ પામી શકે, પણ બાકીની ઈન્દ્રિયવાળા મેક્ષ પામી .
Page #460
--------------------------------------------------------------------------
________________
- ૩૮૨
નવ-તત્ત્વ-દીપિકા -શકે નહિ, તેનું કારણ સ્પષ્ટ છે. પંચેન્દ્રિય જાતિ સિવાય
મનુષ્યને ભવ સંભવી શકતો નથી અને મનુષ્યના ભવ સિવાય મેક્ષની પ્રાપ્તિ થતી નથી.
સંસારી પ્રાણુઓ પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાય, એ છ કા પૈકી કઈ પણ એક કાયમાં હોય છે. તેમાં પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના છ સ્થાવરકાય કહેવાય છે. તેમને ચારિ. ત્રને વેગ નહિ હોવાથી મેક્ષમાં જઈ શક્તા નથી,
જ્યારે ત્રસકાયમાં મનુષ્યદેહે ચારિત્રને વેગ હઈ તેને -મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
સંસારી પ્રાણીઓ ભવ્ય અને અભવ્ય એવા બે પ્રકારના છે. તેમાં ભવ્ય પ્રાણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને અભિવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય પ્રાણને મોક્ષની પ્રાપ્તિ થવાનું કારણ એ છે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં એક કાળે રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિને ભેદ કરી સમ્યકત્વને સ્પર્શી શકે છે, તેથી વધારેમાં વધારે અપગલપરાવર્તકાળમાં તેને મોક્ષ થાય છે, જ્યારે અભવ્ય આત્માઓ રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ સમીપ અનતી વાર આવવા છતાં તેને ભેદ કરી શક્તા નથી, તેથી તેઓ મિક્ષની પ્રાપ્તિ કરી -શક્તા નથી.
કેટલાક આત્માઓ ભવ્ય અને કેટલાક આત્માઓ -અભવ્ય કેમ?” તેને ઉત્તર એ છે કે “વરસ્થિતિ જ
Page #461
--------------------------------------------------------------------------
________________
માક્ષતત્ત્વ
એવી છે. અર્થાત્ એ પ્રાકૃતિક ભેદો છે, એટલે તેમાં કોઇ કાળે કંઈ પરિવત ન થઈ શકતું નથી. '
ભવ્ય આત્માએ સામાન્ય રીતે પાપભીરુ હાય છે, એટલે કે તેમનાથી કોઈ પાપ થઈ જાય, તે તેમનુ હૃદય દુભાય છે. જ્યારે અભ આત્માના પરિણામ સામાન્ય રીતે નિષ્ઠુર હાય છે, એટલે કે તેમનાથી કાઈ પાપ થઈ જાય તા પણ તેમના હૃદય પર કોઈ અસર થતી નથી. આ મામતમાં અંગારમ કસૂરિન્તુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. સંસારી જીવે સની અને અસની એમ એ પ્રકારના હોય છે. તેમાં સન્ની એટલે વિશિષ્ટ મને વિજ્ઞાનવાળા જીવને ચારિત્રના ચાગ હાવાથી તેમને મેક્ષની પ્રાપ્તિ થાય છે, પણ અસ'ની એટલે વિશિષ્ટ મના વિજ્ઞાનથી રહિતને ચારિત્રના ચેગ નહિ હાવાથી, તેમને માક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
સંસારી જીવે સયમ કે ચારિત્રની અપેક્ષાએ સાત પ્રકારના છે. જેમકે—સામાયિકચારિત્રવાળા, છેદોપસ્થાપન ચારિત્રવાળા, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, સૂક્ષ્મસ પરાય ચારિત્રવાળા, યથાખ્યાતચારિત્રવાળા, દેશવિરતિને
ધારણ કરનારા તથા અવિરતિ એટલે જેમણે કોઈ પણ પ્રકારની વિરતિ–વ્રતધારણા કરી નથી એવા. આ જીવે પૈકી યથાખ્યાતચારિત્રવાળાને જ માક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે એ ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ છે. તેથી ભિન્ન અન્ય ચારિત્રામાં ઓછી કે વત્તી અશુદ્ધિ હોઈ તેમને
Page #462
--------------------------------------------------------------------------
________________
નવ-નવ-દીપિકા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અન્ય રીતે કહીએ તે અવિરતિવાળા આત્માઓને મેક્ષ થતું નથી, દેશવિરતિવાળા આત્માઓને પણ તે જ અવરથામાં મોક્ષ થતું નથી, જ્યારે સર્વવિરતિવાળા આત્માએ યથાખ્યાત એટલે સંપૂર્ણ શુદ્ધ ચારિત્રની અવસ્થાએ પહોંચે ત્યારે તેમને મોક્ષ થાય છે.
સમ્યકત્વની દષ્ટિએ સંસારી જીવ પથમિક આદિ છ પ્રકારની માગણએમાં રહેલા છે. તેમાંથી ક્ષાયક સમ્યકત્વવાળા આત્માને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અન્ય સમ્યકત્વવાળને નહિ. ક્ષાયક સમ્યકત્વ યથાખ્યાત ચારિત્રવાળાને જ હેય છે, એટલે તેમને મોક્ષની પ્રાપ્તિ. થાય છે. સમ્યકત્વના અન્ય પ્રકારમાં યથાખ્યાતચારિત્ર હતું નથી, એટલે તેમાં મેક્ષની પ્રાપ્તિ થતી નથી.
સંસારી જીવે તેરમા ગુણસ્થાનક સુધી સગી: હે તેઓ આહારક માગણામાં અંતર્ગત થાય છે અને. ચૌદમા ગુણસ્થાનકે અગી બનતાં અનાહારક માર્ગણામાં. આવે છે. આ અનાહારક માર્ગમાં આવેલા છે. મોક્ષ થાય છે, અન્યને નહિ.
સંસારી જીવે જ્ઞાનની દષ્ટિએ આઠ પ્રકારના છે : જેમકે મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા, મનપૂર્યવજ્ઞાનવાળા, કેવલજ્ઞાનવાળા, મતિજ્ઞાનવાળા, કૃતઅજ્ઞાનવાળા અને વિજ્ઞાનવાળા. તેમાંથી કેવળજ્ઞાન
Page #463
--------------------------------------------------------------------------
________________
માક્ષતત્વ
૩૫ વાળા જીવને જ મોક્ષ હોય, અન્યને નહિ અન્ય જ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું છું કે તું આવરણ હેય છે અને જ્યાં સુધી કઈ પણ કર્મનું આવરણ હેય, ત્યાં સુધી જીવ મેક્ષ પામી શકતું નથી.
સંસારી જી દર્શનની અપેક્ષાએ ચાર પ્રકારના છે. જેમકે ચક્ષુદર્શનવાળા, અચક્ષુદર્શનવાળા, અવધિદર્શનવાળા અને કેવલદર્શનવાળા. તેમાં કેવલદર્શનવાળા જ જ મોક્ષ પામી શકે, પણ અન્ય દર્શનવાળા મેક્ષ પામી શકે નહિ, કારણ કે તેમને દર્શનાવરણીય કર્મનું અમુક આવરણ હોય છે. ' હવે શેષ ચાર માર્ગણાએ રહીઃ (૧) કષાય, (૨) વેદ, (૩) યોગ અને (૪) લેશ્યા. આ માર્ગણામાં વર્તતા જીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એટલે કે જીવ જ્યારે કષાયથી રહિત બને, વેદ (જાતીય સંજ્ઞા)થી રહિત બને, સર્વ ગને ધીને અાગી બને, તેમજ સર્વ લેસ્યાઓથી રહિત એવું પિતાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે, ત્યારે જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ રીતે માર્ગણદ્વારા સત્પની પ્રરૂપણ સમજવી. (૧) ઉપક્રમઃ
ત્રણ ગાથા વડે સત્રરૂપણાકાર કહ્યા પછી પ્રકરણુકાર મહર્ષિ દ્રવ્યપ્રમાણુકાર અને ક્ષેત્રદ્વારનું વર્ણન સુડતાલીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે? ૨૫
Page #464
--------------------------------------------------------------------------
Page #465
--------------------------------------------------------------------------
________________
મોતવ
૩૮૭
નામના અનુયાગદ્વારમાં એવું કથન છે કે, એક અને સર્વે સિદ્ધો લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. (૬) વિવેચન :
અહીં દ્રવ્યપ્રમાણુ નામના દ્વારે એમ કહેવામાં આવ્યું છે કે “સિદ્ધના જીવ અનત છે.” સિદ્ધ એટલે મોક્ષમાં ગચેલે જીવ. તે અંગે વિશેષાવશ્યભાષ્યમાં કહ્યું છે કે
दीहकालरयं जंतु, कम्मं से सियमट्ठहा। सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥
પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું એવું જે કર્મ, તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ કર્મને બાળી નાખવાથી સિદ્ધની સિદ્ધતા ઉત્પન્ન થાય છે. તાત્પર્ય કે જીવ આઠેય કમેને ક્ષય કરી મોક્ષમાં જાય, તેને સિદ્ધ કહેવામાં આવે છે.
જે જીવ સિદ્ધ થાય, તે દ્રવ્યરૂપે તે કાયમ જ રહે છે અને આવા સિદ્ધો આજસુધીમાં અનંત થયા છે, કારણ કે જઘન્યથી એક સમયના અંતરે અને ઉત્કૃષ્ટથી છ માસના અંતરે અવશ્ય કઈ જીવ મોક્ષે જાય એવો નિયમ છે. હવે આ રીતે આજ સુધીમાં અનંતકાળ વહી ગયો છે. તાત્પર્ય કે અનંતકાળના પ્રમાણમાં સિદ્ધ જીવો પણ અનંત હોય, એ સ્વાભાવિક છે.
Page #466
--------------------------------------------------------------------------
________________
૩૮૮
નવ-તત્વ-દીપિકા અહીં ક્ષેત્ર નામના અનુગદ્વારે એમ કહેવામાં આવ્યું છે કે “એક સિદ્ધને જીવ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેલું છે અને સર્વ સિદ્ધ છે પણ લેકના અસંખ્યાતમા ભાગમાં જ રહેલા છે.”
પ્રથમ ક્ષણે તે એમ જ લાગે છે કે આ કેમ બની શકે? પણ સર્વ પરિસ્થિતિ લક્ષ્યમાં લેવાથી આ કથનની યથાર્થતા સમજાય છે.
સૌથી જઘન્ય બે હાથના શરીરવાળા અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યના શરીરવાળા મનુષ્ય સિદ્ધ થાય છે. હવે સિદ્ધ થનારે આત્મા જ્યારે શરીરને ત્યાગ કરે છે, ત્યારે શરીરની અંદરને પિલાણને ભાગ પૂરાઈ આત્મપ્રદેશને. ઘન થાય છે, તેથી તેમના મૂળ શરીરની અવગાહનાને એક તૃતીયાંશ ભાગ ઘટે છે અને બે તૃતીયાંશ ભાગ, બાકી રહે છે. આ રીતે સિદ્ધની જઘન્ય અવગાહના ૧ હાથ અને ૮ આંગળ તથા ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય, ૧ હાથે અને ૮ આંગળ હોય છે. ક્ષેત્રનું આ પ્રમાણ લેકના અસંખ્યાતમા ભાગ જેટલું છે. - હવે સિદ્ધના સમગ્ર જી લેકના અગ્રભાગે ૪૫ લાખ જન પ્રમાણુ સિદ્ધશિલા છે, ત્યાંથી ૧ જન દૂર લેકને અંત છે, તે એજનના | મા ભાગમાં લકાતને અડીને ૪૫ લાખ જનપ્રમાણ ક્ષેત્રમાં રહેલા છે. ક્ષેત્રનું આ પ્રમાણ લેકના અસંખ્યાતમાં ભાગ જેટલું જ છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
મેક્ષિતત્વ
૩૮૯ અહીં એટલું યાદ રાખવું ઉચિત લેખાશે કે સમસ્ત લેક ૧૪ રજજુપ્રમાણ ઊંચે છે. તેમાં ૧ રજૂનું પ્રમાણ નિમિષ માત્રમાં ૧ લાખ જન જનાર દેવ છે માસમાં જેટલું અંતર વટાવે તેટલું છે અથવા તે ૩૮,૧૨૭,૯૭૦ મણને એક ભાર એવા એકહજાર મણ ભારવાળા તપેલા ગેળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતે ૬ માસ, ૬ દિવસ, ૬ પહેર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે, તેટલું છે. તેથી જ ઉપરના ક્ષેત્રોને લેકના અસંખ્યાતમા ભાગ જેટલા કહેલા છે. (૧) ઉપક્રમઃ
હવે કમપ્રાપ્ત સ્પર્શના, કાલ અને અંતર નામના દ્વારે કહેવા માટે પ્રકરણકાર મહર્ષિ અડતાલીશમી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળ ગાથાઓ : फुसणा अहिया कालो, इग सिद्ध पडुच्च साइओणंतो। पडिवाया भावाओ, सिद्धाणं अंतरं नत्थि ॥४८॥ (૩) સંસ્કૃત છાયાઃ स्पर्शनाधिको काल:, एकसिद्ध प्रतीत्य साधनन्तः । प्रतिपाताऽभावतः सिद्धानामन्तरं नास्ति ॥४८॥ (૪) શબ્દાર્થ:
–સ્પર્શના.
Page #468
--------------------------------------------------------------------------
________________
૩૯૦
અહિયા—અધિક. જાહો કાલ. ળ સિદ્ધ એક સિદ્ધને
પશુન—આશ્રયી, અપેક્ષાએ. સાફોળતો-સાદિ અનંત.
દ્ધિવાય—પ્રતિપાતના, પડવાના,
આવવાના.
ક્ષમાવાઓ-અભાવથી. સિદ્ધાળું-સિદ્ધાને.
અંત་-અતર.
નયિનથી.
નવ-તત્ત્વ–દીપિકા
પુનઃ સંસારમાં
(૫) અથ-સ’કૅલના
સ્પર્ધાના અધિક હાય છે.” એક સિની અપેક્ષાએ કાલ સાદિ-અન ત છે. પડવાના અભાવ. હોવાથી સિદ્ધોમાં અંતર હેતુ નથી. (૬) વિવેચન :
,
અહીં પ્રકરણકાર મહર્ષિએ સંક્ષિપ્તમાં ત્રણ દ્વારા કહ્યાં છે. તેમાં સ્પનાદ્વારના અધિકારે કહ્યું છે કે - સ્પના અધિક હોય છે, ” એટલે કે સિદ્ધના જીવાનુ જેટલું અવગાહનાક્ષેત્ર હોય છે, તે કરતાં સ્પનાક્ષેત્ર અધિક હાય છે. અહી' એટલું સમજી લેવું જરૂરી છે કે કોઈ પણ પદાર્થના અવગાહનક્ષેત્ર કરતાં તેનુ સ્પનાક્ષેત્ર
Page #469
--------------------------------------------------------------------------
________________
માક્ષતત્ત્વ
અધિકજ હોય છે. દાખલા તરીકે એક પરમાણુ લાકાકાના એક પ્રદેશમાં અવગાહેલા છે, પણ તે ધ્યે દિશાના પ્રદે શાને સ્પર્શે છે. છ ક્રિશા એટલે પૂર્વાદિ ચાર દિશા, ઊર્ધ્વ દિશા તથા અધાદિશા. તે જ રીતે સિદ્ધના જીવા અમુક ક્ષેત્રમાં રહેલા હોય છે, પણ તેઓ યે દિશાને સ્પર્શે છે, એટલે તેમનુ સ્પનાક્ષેત્ર અવગાહના કરતાં અવશ્ય અધિક હાય છે.
૧
અહીં કાલદ્વારના અધિકારે કહ્યુ છે કે એક સિદ્ધની અપેક્ષાએ કાલ સાદ્વિ–અન ત છે. ' એના અથ એમ સમજવાના કે દરેક સિદ્ધ જીવ અમુક કાલે મેક્ષે ગયેલા હાય છે, એટલે તેની આઢિ હોય છે, પણ તેનું સિદ્ધપણુ શાશ્વત હેાવાથી તેના અંત હાતા નથી. જે કાલની આફ્રિ છે, પણ અંત નથી, તે સાદિ–અન ંત.
છે કે * પડવાના
7
આવતા નથી. અભાવ
તેના
અહીં અંતરદ્વારના અધિકારે કહ્યુ અભાવ હાવાથી સિદ્ધીમાં અંતર નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે એક જીવ સિદ્ધ થાય તે તેને પડવાપણુ હાતુ નથી, એટલે કે તે સંસારમાં પુનઃ સંસારપરિભ્રમણનું ખાસ કારણુ કર્યું છે, થવાથી સંસારપરિભ્રમણના પણ અભાવ જ અથવા તો ખળી ગયેલાં ખીજ ઉગી શક્તાં નથી, તેમ જે કર્યાં એક વાર દુગ્ધ થયાં—મળી ગયાં, તે પેાતાનું કંઈ પણ સામર્થ્ય અતાવી શક્તાં નથી. આ સયાગામાં સિદ્ધાવસ્થાને પામેલા જીવ સંસારમાં પા કેમ આવી શકે
થાય છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
૩૯ર
નવ-તત્વ-દીપિકા કેઈક દર્શનકર એમ માને છે કે સિદ્ધાવસ્થાને પામેલા છે સંસારને દુઃખી જોઈને તેના ઉદ્ધાર માટે ફરી સંસારમાં આવે છે અને પિતાનું કર્તવ્ય બજાવે છે, પણ આ વિધાનથી તેનું નિરસન થાય છે. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તેમ કર્મ વિના સંસારનું પરિભ્રમણ સંભવી શક્યું નથી.
સિદ્ધોમાં અંતર હેતું નથી, એને અર્થ એમ સમજવાને છે કે પહેલું સિદ્ધાવ, પછી સંસારિત્વ, પાછું સિદ્ધત્વ એમ સિદ્ધત્વમાં કઈ અંતર હોતું નથી. તાત્પÁકે એક વાર સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ કે તે નિરંતર સિદ્ધાવસ્થા જ રહે છે. તેમાં કઈ પણ પ્રકારનું કાલનું
વ્યવધાન થતું નથી. (૧) ઉપક્રમઃ - હવે કમપ્રાપ્ત ભાગદ્વાર અને ભાવદારનું વર્ણન કરવા માટે પ્રકરણકાર મહર્ષિ ઓગણપચાસમી ગાથા કહે છે, તે આ પ્રમાણે (૨) મૂળ ગાથાઃ
सम्बजियाणमणते, भागे ते तेसिं दंसणं नाणं ।
खइए भावे परिणामिए अ पुण होइ जीवत्तं ॥ ४९॥ (૩) સંસ્કૃત છાયા :
सर्वजीवानामनन्ते, भागे ते तेषां दर्शनं ज्ञान । शायिक भावे च पारिणामिके च पुनर्भवति जीवत्वम्।।४९॥
Page #471
--------------------------------------------------------------------------
________________
મેક્ષિત
૩૩
(૪) શબ્દાથ .
નિવા–સર્વ જીવના.
–અનંતમા. મા-ભાગે. તે-તે, સિદ્ધ છે. તેહિં–તેમનું, સિદ્ધનું. am-દર્શન, કેવલદર્શન. ના જ્ઞાન, કેવલજ્ઞાન. ર૬-ક્ષાયિક. મા-ભાવનું છે. રમણ-પરિણામિક ભાવનું.
– છંદપૂર્તિ માટે પુન-પુન, વળી.
ફિ-છે.
નીરંજીવન. (૫) અર્થ–સંકલના?
સિદ્ધ છવો સર્વ જીવોના અનંતમા ભાગે છે. તેઓનું દર્શન અને જ્ઞાન ક્ષાયિક ભાવે છે અને જીવપણું પરિણામિક ભાવે છે. (૬) વિવેચન
સિદ્ધ જીવે અનંત છે, એ વસ્તુ દ્રવ્યપ્રમાણદા વડે કહેવામાં આવી, પરંતુ અન્ય જીની સરખામણીમાં
Page #472
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
સિદ્ધ જીવની એ સંખ્યાને કેટલી સમજવી? તેને ઉત્તર અહીં ભાગદ્વારથી આપવામાં આવ્યે છે.
“સિદ્ધ છ સર્વ જીવેના અનંતમા ભાગે છે.” આને અર્થ એમ સણજવાને છે કે સિદ્ધ જેની સંખ્યા ચદપિ અનંત છે, પણ સંસારી જીની સંખ્યા સાથે તેની સરખામણી કરવામાં આવે તે તેના અનંતમાં ભાગ. જેટલી જ થાય છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે સિદ્ધોની સંખ્યા સર્વ સંસારી જીના અનંતમા ભાગે તે છે જ, પણ તે એક નિગદના પણ અનંતમા ભાગે જ છે. તે અંગે નિર્ગથપ્રવચનમાં નીચેની ગાથા પ્રસિદ્ધ છે :
जइआ य होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया। इक्कस्स निगोयस्स वि, अणंतभागो उ सिद्धिगओ।
જિનમાર્ગમાં જ્યારે જ્યારે શ્રી જિનેશ્વર દેવને પૂછવામાં આવે છે કે “હે ભગવન ! અત્યાર સુધીમાં કેટલા જીવે મોક્ષે ગયા ત્યારે ત્યારે ઉત્તર મળે છે કે “હજી એક નિગદને અનંતમે ભાગ મેક્ષમાં ગયે છે.'
આ લેકમાં નિગદના નામથી ઓળખાતા અસંખ્યાત ગેળાઓ છે. આ દરેક ગેળામાં અસંખ્યાત નિગેહ હેય. છે અને તે દરેક નિગેદમાં અનંત અનંત જીવ હોય છે. આવી એક નિગેહના અનંતમા ભાગ જેટલા જ હજી સુધી સિદ્ધિગતિ એટલે મિક્ષને પામેલા છે.
આમાંથી એ વસ્તુ ફલિત થાય છે કે નિગદમાંથી
Page #473
--------------------------------------------------------------------------
________________
માક્ષતત્ત્વ
૩૫૧
વવહારરાશિમાં આવીને તથા અનુક્રમે પ્રગતિ સાધીને ગમે તેટલા જીવા માક્ષમાં જાય તે પણ રહિત થવાના નહિ. અનંત આછા ગણિતના સિદ્ધાંત અહીં' અાખર લાગુ પડે છે.
આ
અહી એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ સજ્ગ્યાએ ત્રણ પ્રકારની છે: (૧) સખ્યાત, (૨) અસ`ખ્યાત અને (૩) અનંત. તેમાં સખ્યાતના અધિકાર પૂરો થયા પછી અસ ખ્યાતના અધિકાર શરૂ થાય છે અને અસંખ્યાતને અધિકાર પૂરો થયા પછી અન ંતના અધિકાર શરૂ થાય છે. આ અનતનુ ગણિત આપણી કલ્પનામાં એકદમ આવે તેવુ' નથી, કારણ કે આપણે સખ્યાતના ગણિતથી જ ટેવાયેલા છીએ, સંખ્યાતના ગણિતમાં ૫ માંથી ૩ લઈ એ ૨ રહે અને ૨ માંથી ૨ લઈએ તેા રહે, અહીં વાતના છેડા આવે. પણ અનંતમાં તેવું નથી. અનંતમાંથી અનંત જાય તો પણુ અનંત જ રહ્યા કરે. જો તેના છેડે આવતા હાય તા તેને અનંત કહેવાય જ કેમ? એટલે અનત નિંગાઢમાંથી અનત જીવા સાક્ષે જાય તો પણ અનત જ બાકી રહે.
સંસાર કદી જીવઅન ત અનત, એ
અનતની કલ્પના આવે તે માટે અહી' એક એ ઉદાહરણા આપીશુ’. ૧ ની સખ્યાને ૨ થી ગુણુતાં જ રહીએ તે કયાં સુધી જીણી શકાય ? અથવા ૧ ની સંખ્યાને ૨ થી ભાગતાં રહીએ તે કયાં સુધી ભાગી શકાય ? તેના છેડે આવશે નહિ, એટલે ત્યાં અનંત વાર એમ કહીને જ સતાષ માનવા પડે.
Page #474
--------------------------------------------------------------------------
________________
નવતર-દીપિકા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
• જૈન શાસ્ત્રકારોએ અસંખ્યાત તથા અનંતના પણ કેટલાક પ્રકારે પાડેલા છે, તે અન્ય ગ્રંથિથી જાણવા.
સિદ્ધાત્માઓ દ્રવ્યરૂપે શાશ્વત હોય છે, પણ તેમાં કઈ પ્રકારને ભાવ હોય છે કે નહિ? તેને ઉત્તર ભાવદ્વારથી સાંપડે છે. તેમાં જણાવ્યું છે કે “સિદ્ધોનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે હોય છે અને જીવવ પારિણમિક ભાવે હોય છે. આને અર્થ એમ સમજાવીને કે (૧) પથમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાપશમિક, (૪)
ઔદયિક અને (૫) પરિણામિક એ પાંચ પ્રકારના ભાવે પૈકી સિદ્ધાત્માઓને ક્ષાયિક તથા પારિણામિક એ બે ભાવે હેય છે, પણ આપશમિક, ક્ષાપશમિક કે ઔદયિક ભાવ હેત નથી, કારણ કે આ ત્રણે ય ભાવે કર્મજન્ય છે. આ
“ક્ષાયિક ભાવના નવ પ્રકારે છે: (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) શાયિક સમ્યકત્વ, () ક્ષાયિક ચારિત્ર, (૫) દાનલબ્ધિ (૬) લાલબ્ધિ, (૭) ભેગ
મેહનીય કમની ઉપશાંત અવસ્થા (અનુદય અવસ્થા)ને *ઉપશમ કહેવામાં આવે છે. તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ, તે
ઓપશમિક ભાવ કર્મને સર્વથા નાશ થ, તે ક્ષય. તેનાથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ, તે ક્ષાયિક ભાવ, ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને ઉદયમાં નહિં આવેલાં કર્મોને ઉપશમ, તે ક્ષયપશ. તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તેક્ષાયોપથમિક ભાવ. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા ગતિ, શ્યા, કષાય આદિ આત્મપરિણામ, તે ઓયિક ભાવ અને વસ્તુને અનાદિસ્વભાવ તે પારિણમિક વિભાવ,
Page #475
--------------------------------------------------------------------------
________________
ગાક્ષાતત્વ
૩૦૭ લબ્ધિ, (૮) ઉપગલબ્ધિ અને (૯) વીર્યલબ્ધિ. તેમાંથી સિદ્ધ જીવને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભાયિક ભાવે જ કેમ કહા?”
આ પ્રશ્નને ઉત્તર એ છે કે આ બે ભાવે આત્માના મૂળગુણની મુખ્યતાએ કહ્યા છે અને તેને કેઈ અપેક્ષાવિશેષથી નિષેધ નથી, જ્યારે બીજા ભાવને અપેક્ષાવિશેષથી નિષેધ છે. જેમકે – શ્રી વીતરાગના વચન ઉપર પ્રતીતિરૂ૫ શ્રદ્ધાને સમ્યકત્વ કહીએ તે સિદ્ધાત્મા પિતે વીતરાગ છે, તેમને બીજા કયા વીતરાગના વચન થરની શ્રદ્ધા ઘટી શકે ?”
અહીં ક્ષાવિકભાવની શ્રદ્ધાના અભાવે સિદ્ધાત્માને ક્ષાયિક સમ્યકત્વ ઘટી શકે નહિ, પરંતુ દર્શન–મેહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણરૂપ ક્ષાયિક સમ્યકત્વ, તે ઘટી શકે.
જેના વડે મોક્ષમાં જવાય, તે ચારિત્ર અથવા આઠ પ્રકારના કર્મસમૂહને નાશ કરનાર તે ચારિત્ર.” એ પ્રમાણે ચારિત્રની વ્યાખ્યા થાય છે. હવે ચારિત્રના આ વ્યુત્પત્તિ–લક્ષણમાંનું કેઈ લક્ષણ સિદ્ધાત્માઓમાં ઘટતું નથી, તેમ જ ચારિત્રના પાંચ ભેમને કોઈ ભેદ સિદ્ધાત્મામાં છે નહિ, તે કારણથી સિદ્ધમાં ચારિત્રને અભાવ છે. પરંતુ મેહનીયકર્મના ક્ષયથી પ્રકટ થયેલ સ્વસ્વરૂપમાં રમણતારૂપ જે ક્ષાયિક ચારિત્ર, તે સિદ્ધાત્મામાં
Page #476
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
-
-
-
-
અવશ્ય હોય છે. આ જ કારણે શાસ્ત્રોમાં સિદ્ધાત્માઓને “ વારિત્તી જે વારિત્તી” કહા છે.
વળી દાનાદિક ચાર પ્રવૃત્તિઓ ગ્રહણ-ધારણ રેગ્ય • બાદરપરિણામી પુદ્ગલ સ્કના લીધે સંભવે છે અને સિદ્ધાત્મામાં ગ્રહણધારણ ચગ્ય બાદરપરિણામી યુગલ સ્કને અભાવ હોય છે, એટલે તેમાં આ ચાર લબ્ધિઓ હોતી નથી. અને જેમાં ક્રિયા-પ્રવૃત્તિ હય, તેને વીર્ય - કહીએ તે એ લક્ષણ પણ સિદ્ધાત્મામાં ઘટી શકતું નથી,
કારણ કે “સિદ્ધ જં વિ”િ એવું આગમવચન છે. - પરંતુ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા આત્મપરિણામરૂપ દાનાદિક લબ્ધિઓ સિદ્ધાત્માને હોય છે.
આ વિવેચનના સાર રૂપે એમ સમજવું કે સિદ્ધા- ત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ક્ષાયિક ભાવે
મુખ્યતા હોય છે, પણ બીજા સાત ભાવેને સર્વથા - નિષેધ નથી. • પારિણામિક ભાવના ત્રણ પ્રકારે છેઃ (૧) છત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ તેમાં સિદ્ધાત્મા- એને જીવત્વ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ હતું - નથી. મોક્ષમાં જવાની ગ્યતા તે ભવ્યત્વ અને અ
ગ્યતા તે અભવ્યત્વ. સિદ્ધાત્માએ તે મેક્ષ પ્રાપ્ત કરી • લીધું છે, એટલે આ બેમાંથી એક પણ ભાવ તેમને ઘટી
શકતે નથી. શાસ્ત્રમાં સિદ્ધાત્માઓને “નો અવ્યો તો - જમત્રા' કહ્યા છે, તેનું રહસ્ય આ જ છે. • •
Page #477
--------------------------------------------------------------------------
________________
મેક્ષતા
3%
સિદ્ધાત્માઓને જીવત્વ હોય છે અને તેથી જ તેઓ જીવરૂપે સદાકાળ ટકી રહે છે. આને પરિણામિક ભાવ સમજવાને છે. (૧) ઉપમઃ |
હવે પ્રકરણકાર મહર્ષિ પચાસમી ગાથામાં કમપ્રાપ્ત અલ્પબદ્ધવ નામનું દ્વાર તથા ઉપસંહારનાં વચને કહે છે. તે આ પ્રમાણે (૨) મૂળગાથાઃ
थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा।
इअ मुक्खतत्व मेअं, नवतत्ता लेसओ भणिया ॥५०॥ (૩) સંસ્કૃત છાયાઃ स्तोका नपुंसकसिद्धाः स्त्रीनरसिद्धाः क्रमेण संख्यगुणाः। इति मोक्षतत्वमेतन्नवतत्वानि लेशतो भणितानि ॥५०॥ (૪) શબ્દાર્થ :
દેવા-ડા, અલ્પ. નપુંસા -નપુંસકલિંગે સિદ્ધ થયેલા. શી–સ્ત્રીલિંગે. નર-નલિંગ, પુરુષલિંગે. સિ–સિદ્ધ થયેલા.
-અનુક્રમે. સંણા-સંખ્યાતગુણ સુએ, એ પ્રમાણે. ”
Page #478
--------------------------------------------------------------------------
________________
Yoo
નવ-તત્વ-દીપિકા
મુરત-મક્ષિતત્વ.
–આ. નવતત્તા-નવત. . જેણો–લેશથી, સંક્ષેપથી.
મળિયા-કહ્યા. (૫) અથ–સંકલન:
નપુંસકલિંગે સિદ્ધ થયેલા જીવો થડા છે. સીલિંગે સિદ્ધ થયેલા અને પુરૂષલિંગે સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાત ગુણ છે. એ પ્રમાણે મેક્ષતત્વ કહ્યું અને નવતત્ત્વો સંક્ષેપથી કહ્યા. (૯) વિવેચન
સત્યદપ્રરૂપણું આદિ આઠ દ્વારેનું વર્ણન પૂરું થયું. હવે અલ્પબહુવ નામનું નવમું દ્વાર બાકી રહ્યું. આ દ્વારમાં કયા સિદ્ધ જી છેડા હેય અને કયા વધારે હેય? તેનું વર્ણન કરવાનું છે. તે અંગે અહીં કહ્યું છે કે “નપુસિકલિંગે સિદ્ધ થયેલા જીવ થોડા છે, સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા અને પુરુષલિંગે સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાત ગુણ છે.”
અહીં પ્રથમ એ સ્પષ્ટતા કરી દઈએ કે સિદ્ધના છમાં લિંગને અભાવ હોવાથી તેઓ એકસરખા હોય છે, પણ છેલ્લા જે દેહથી તેઓ મેક્ષ પામે છે, તેની અપેક્ષાએ. અહીં નપુંસકલિંગ, સ્ત્રીલિંગ અને પુરુષલિંગ એવા ત્રણ ભેદે કરેલા છે અને તેમનું અલ્પબદુત્વ દર્શાવેલું છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
મેક્ષત
૪૦૧
મનુષ્યવર્ગમાંથી જેઓ મેક્ષે જાય છે, તેમાં નપુંસકલિંગવાળા સહુથી છેડા હોય છે, કારણ કે તેવા જી એક સમયમાં માત્ર ૧૦ જ ક્ષે જઈ શકે છે. તેથી વધારે નહિ. જ્યારે સ્ત્રીલિંગવાળા એક સમયમાં ૨૦ મોક્ષે જઈ શકે છે. આ રીતે સ્ત્રીલિંગથી મેક્ષમાં જનારનું પ્રમાણ વધારે હોવાથી તેમને સંખ્યાત ગુણ એટલે અમુક સંખ્યાથી ગુણીએ તેટલા વધારે કહેલા છે. ૧૦ કરતાં ૨૦ ની સંખ્યા બમણી છે.
હવે સ્ત્રીલિંગથી મેશે જનારા કરતાં પુરુષલિંગથી મેક્ષે જનારા વધારે હોય છે, કારણ કે તેઓ સમકાળે ૧૦૮ સુધી મોક્ષે જઈ શકે છે, જ્યારે સ્ત્રીલિંગમાં સમકાળે ૨૦ થી વધારે મેક્ષે જઈ શક્તા નથી. ૨૦ કરતાં ૧૦૮ ની સંખ્યા લગભગ સાડાપાંચ ગણી છે, એટલે સ્ત્રીલિંગ કરતાં પુરુષસિંગે સિદ્ધ થનારને સંખ્યાત ગુણ કહેલા છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ૧૦ પ્રકારના જન્મનપુંસકને ચારિત્રનો જ અભાવ હોવાથી તેઓ મેક્ષે જઈ શક્તા નથી, પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકને ચાસ્ત્રિને લાભ લેવાથી તેઓ મેક્ષે જઈ શકે છે.
સિદ્ધોના અલ્પબદુત્વને વિષય ઘણે વિસ્તારવાળે છે. તે અન્ય ગ્રંથી જાણવે.
આ રીતે મેક્ષિતત્ત્વનું વર્ણન પૂરું થયું અને તે સાથે નવતનું સંક્ષિપ્ત વર્ણન પણ પૂરું થયું. પરંતુ તેના અનુસંધાનમાં બીજું જે કહેવાનું છે, તે હવે પછીના બે પ્રકરણમાં કહેવાશે.
કરતાં
ડી એટલી
જ અ
પાઇ છે
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેરમું
સમ્યકત્વ
[ ગાથા એકાવનમીથી ચેપનમી સુધી ?
(૧) ઉપક્રમઃ
સભ્યદર્શનનું અપરનામ સમ્યકત્વ છે. સમ્યફવ શબ્દ સમ્યફ પદને ત્વ પ્રત્યય લાગવાથી બનેલું છે, એટલે તેને અર્થ સમ્યકપણું, સારાપણું કે સુંદરતા થાય છે. આ સુંદરતા આત્માની સમજવાની છે, પુગલની નહિ.
જ્યાં સુધી આત્મા મિથ્યાત્વથી યુક્ત હોય છે, ત્યાં સુધી તેનામાં સમ્યક્રપણું, સારાપણું કે સુંદરતા પ્રકટતી નથી.
જ્યારે મિથ્યાત્વને મલિન ભાવ દૂર થાય, ત્યારે જ આત્મામાં સમ્યકપણું, સારાપણું કે સુંદરતા પ્રગટ થાય છે. તાત્પર્ય કે સમ્યકત્વ એ આત્માની સુંદરતા છે, આત્માને એક પ્રકારને શુદ્ધ પરિણામ છે, નિર્મળ અચિ છે.
આ સમ્યકત્વની પ્રાપ્તિ નવતર તથા તેના ભેદપ્રભેદો બરાબર જાણવાથી તથા તેના પર શ્રદ્ધા રાખવાથી
Page #481
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ
४०
થાય છે. આ વસ્તુ પ્રકરણકાર મહર્ષિ એકાવનમી ગાથામાં આ પ્રમાણે કહે છે : (२) भूगाथा:
जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स दोइ सम्मत्तं ।
भावेण सद्दहतो, अयाणमाणेऽवि सम्मत्तं ॥५१॥ (3) सत छाया: जीवादि नवपदार्थान्, यो जानाति तस्य भवति सम्यक्त्वम् । भावेन । श्रद्धतोऽज्ञानवतोऽपि सम्यक्त्वम् ॥५१॥ (४) शहाथ:
जीवाइ-७१ वगेरे. नव-नव. पयत्थे-पहानि, तत्वाने. जो-2. जाणइ-जाणे छे. तस्स-तेने. होइ-हाय छ, थाय छे. सम्मत्तं-सभ्यप. भावेण- पूर्व ४. सदहतो-श्रद्धा ४२ता वने. अयाणमाणे-on छतi. अवि-५]. सम्मत्तं-सभ्यत्व.
Page #482
--------------------------------------------------------------------------
________________
४०४
નવ-તત્ત્વ-દીપિકા (૫) અર્થ–સંકલનાઃ
જીવાદિ નવતાને જે બરાબર જાણે છે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને જેઓ તેના બધા વિના પરંતુ ભાવથી તેના પર શ્રદ્ધા રાખે છે, તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. (૬) વિવેચન :
બુદ્ધિમાન મનુષ્ય નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ કઈ પણ પ્રવૃત્તિને પ્રારંભ કરતાં પહેલાં તેનું પરિણામ કે ફળ શું?” તે જાણી લે છે. તેમાં જે એમ જણાય કે આ પ્રવૃત્તિનું પરિણામ ખરેખર સારૂં કે સુંદર આવશે તે તેઓ એમાં પ્રવૃત્ત થાય છે, અન્યથા તેમાં પ્રવૃત્ત થતા નથી.
આ રીતે અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “જીવ આદિ નવતત્વોને જાણવાનું ફળ શું?” તેથી પ્રકરણકાર મહર્ષિ જણાવે છે કે “જે પુરુષ કે સ્ત્રી જીવઆદિ નવપદાર્થોને જાણે છે, તેને સમ્યકત્વ અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે.”
અહીં કદાચ એ પ્રશ્ન થાય કે “જીવ આદિ નવતત્ત્વને જાણવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ શી રીતે થાય?” તેને ઉત્તર એ છે કે જીવ આદિ નવત જાણનાર એટલું જરૂર સમજી જાય છે કે
(૧) જીવ છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ
૪૫
(૨) તે નિત્ય છે.
(૩) તે કર્મોના કર્તા છે.
(૪) તે કફળના ભાક્તા છે.
(૫) તે પેાતાના પુરુષાથથી સકલ ક`બ ધનાને તોડી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને
(૬) એ મોક્ષના ઉપાય પુણ્યજનક પ્રવૃત્તિ તથા સવર અને નિરાની આરાધના છે.
આ રીતે છ સ્થાને સિદ્ધાંતા જેના મનમાં ખરાખર ડસે, તેને તત્ત્વભૂત પદાર્થોં પર શ્રદ્ધા થઈ ગણાય અને તેજ સમ્યકત્વ છે. કહ્યું છે કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સ ફર્શનમ્-તત્ત્વભૂત પદ્યાર્થીનું યથા શ્રદ્ધાન, તે સમ્યગ્
દર્શન છે.’
અહીં' કોઈ એમ પૂછે કે ‘શુ જીવ આદિ નવતત્ત્વ જાણનારને જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ? અન્યને નહિ? ’ તેા પ્રકરણકાર મહર્ષિ તેના સમાધાન અર્થે જણાવે છે કે જ્ઞાનાવરણીય કર્મીના તથાવિધ ક્ષયાપશમના અભાવે કઈ આત્મા જીવ આદિ નવતત્ત્વોનું સ્વરૂપ ખરાખર જાણી શકે નહિ, પરંતુ તેની આંતરિક શ્રદ્ધા એવી હોય કે આ નવતત્ત્વા યથાર્થ છે, સત્ય છે, તેા તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રકાર ભગવતાએ કહ્યું છે કે ' एगविहं दुविहं ત્તિવિદ્, ના પંચવિદું રવિનું સમ્મ-સમ્યકત્વ એક પ્રકારનું,
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૦૬
નવ-તાવ-દીપિકા
બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું તથા દશ પ્રકારનું હોય છે.
સમ્યક તત્વની રુચિ એટલે શ્રી જિનકથિત કરવામાં યથાર્થપણાની બુદ્ધિ, એ સમ્યકત્વને એક પ્રકાર છે.
નસર્ગિક અને આધિગમિક એ સમ્યકત્વના બે પ્રકારે છે. નૈસર્ગિક એટલે સ્વાભાવિક રીતે થવું અને આધિગમિક એટલે ગુરુના ઉપદેશ આદિ નિમિત્તાથી થવું. અથવા દ્રવ્યસરકત્વ અને ભાવસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકાર છે. તેમાં શ્રી જિનેશ્વરદેવકથિત તોમાં સામાન્ય રુચિ તે દ્રવ્યસમ્યકત્વ છે અને વસ્તુને જાણવાના ઉપાયરૂપ પ્રમાણુ-નય વગેરેથી જીવાજીવાદિ તને વિશુદ્ધ રૂપે જાણવા એ ભાવસમ્યકત્વ છે. વળી શાસ્ત્રોમાં નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ એવા બે પ્રકારે ચણે માનેલા છે. તેમાં આત્માને જે શુદ્ધ પરિણામ, તે નિશ્ચય સમ્યકત્વ અને તેમાં હેતુભૂત સડસઠ ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનું શ્રદ્ધા અને ક્રિયા રૂપે પાલન કરવું, તે વ્યવહારસમ્યકત્વ છે.
ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક એ સમ્યક તવના ત્રણ પ્રકારે છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ તથા સમ્યકત્વ મેહનીય, મિઝ મેહનીય. અને મિથ્યાત્વ મેહનીય, એ સાત કર્મપ્રકૃતિએને અંતમુહર્ત સુધી તદન ઉપશમ થવાથી જે સમ્યકત્વ. પ્રકટ થાય તેને પથમિક સમ્યકત્વ કહેવાય. આવું
Page #485
--------------------------------------------------------------------------
________________
સમ્યકલ
૪૭
સમ્યકત્વ એક ભવમાં બે વાર અને સમસ્ત સંસારચક્રમાં પાંચ વાર પ્રાપ્ત થઈ શકે છે. આ સમ્યકત્વ અંતર્મુહૂત થી વધારે રહેતું નથી. ઉપર કહેલી સાતેય ક પ્રકૃતિના સંપૂર્ણ ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રકટ થાય, તેને ક્ષાયિક સમ્યકત્વ કહેવાય. તેનેા કાલ સાઢિ અનત છે. ઉપર કહેલી સાત પ્રકૃતિમાંથી ઉયમાં આવેલાના ક્ષય, તેમજ સત્તામાં પડેલાના વિપાકથી ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રકટ થાય, તેને ક્ષા પશ્ચમિક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વના વધારેમાં વધારે કાળ ૬૦ સાગરોપમ છે. પહેલું અને બીજી સમ્યક્ત્વ નિરતિચાર છે, જ્યારે ત્રીજું સમ્યકત્વ સાતિચાર છે, તેથી આ સમ્યકત્વને શકા, ઢાંક્ષા આદિ અતિચારો લાગે છે.
ઔપશમિક આદિ ત્રણ પ્રકારામાં મિાસમ્યકત્વ ઉમેરીએ તે તેના ચાર પ્રકારો થાય. ઉપર હેલી સાતમાંની ફક્ત મિશ્ર માહનીય માઁની પ્રકૃતિ ઉદ્દયમાં હાય અને બાકીની પ્રકૃતિ ઉપશાંત હાય, તે વખતે જે સમ્યકમિથ્યાત્વરૂપ મિશ્રભાવ અંતર્મુહૂત પર્યંત હાય, તેને મિશ્ર સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં જિનપ્રણીત તત્ત્વ પર ન રાગન દ્વેષ એવી સ્થિતિ હોય છે. કેટલાક ઔપશમિક આદિ ત્રણ પ્રકાશમાં વેદ્યક સમ્યકત્વ ઉમેરીને તેના ચાર પ્રકારો માને છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રકટ થતાં પહેલાં સમ્યકત્વ માહનીયનાં જે ચમ દલા વેદાય છે, તેને વેદક સમ્યકત્વ કહેવામાં આવે છે.
આ ચાર પ્રકાશમાં સાસ્વાદનસમ્યકત્વ ઉમેરીએ
Page #486
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
તે સમ્યકત્વના પાંચ પ્રકારે થાય છે. ઉપર જણાવેલા અંતર્મુહુર્તના વખતવાળા ઓપશમિક સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતાં પહેલાં એક સમયથી માંડીને ૬ આવલિકા સુધી સમ્યકત્વના કિંચિત્ સ્વાદરૂપ જે સમ્યકત્વ હોય છે, તેને સારવાદન સમ્યકત્વ કહે છે.
સમ્યકત્વના દશ પ્રકારે નીચે પ્રમાણે ગણાય છે –
(૧) નિસર્ગજચિ—જે જીવ શ્રી જિનેશ્વરદેવોએ યથાર્થ અનુભવેલા ભાવને પિતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને “તે એમ જ છે, પણું અન્યથા નથી” એવી અડગ શ્રદ્ધા રાખે, તે નિસર્ગચિ.
(૨) ઉપદેશરુચિ–કેવલી કે છઘસ્થ ગુરુઓ વડે કહેવાયેલા ઉપર્યુક્ત ભાવે પર શ્રદ્ધા રાખે, તે ઉપદેશરુચિ. , (૩) આજ્ઞાચિરાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વગેરે દેથી રહિત મહાપુરુષની આજ્ઞા પર રુચિ ધરાવે, તે આંસારુચિ.
(સૂવરચિ-જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સૂત્ર ભણીને તત્વમાં રુચિવાળે થાય, તે સૂત્રરુચિ. વર્તમાન શાસનમાં શ્રી ગૌતમસ્વામી આદિ ગણુધરેએ રચેલાં શાસ્ત્રો અંગપ્રવિષ્ટ કહેવાય છે. તેના આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી),
જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તકૃદશાંગ, અનુત્તરે – AA 88
પપાટિદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રત અને દષ્ટિવાદ એવા આ પ્રકારે છે. તેને સમગ્રપણે દ્વાદશાંગી કહેવામાં આવે છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
સમ્યક
૪૦૯
આ ઉપરાંત જૈન શ્રતમાં શ્રી ભદ્રબાહુવામી વગેરે ચતુદર્શપૂર્વ ધરાદિ વૃદ્ધ આચાર્યોએ રચેલાં બીજાં સૂત્ર ચણ છે, તે અનંગપ્રવિષ્ટ કહેવાય છે.
(૫) બીજરુચિ-જેમ એક બીજ વાવવાથી અનેક બીજો ઉત્પન્ન થાય છે, તેમ એક પહ, હેતુ કે એક અષ્ટાંત સાંભળીને જે જીવ ઘણું પદે, ઘણા હેતુઓ અને ઘણું સ્ટાતિ પર શ્રદ્ધાવાળો થાય, તે બીજરુચિ.
(૬) અભિગમરુચિ-જે શાસ્ત્રોને વિસ્તૃત બોધ પામીને તત્વ પર રુચિ ધરાવે, તે અભિગમરુચિ.
(૭) વિસ્તારરચિ—જે છ દ્વને પ્રમાણ અને ન વડે જાણીને અર્થાત્ વિસ્તારથી બોધ પામીને તત્વ પર રુચિવાળે થાય, તે વિસ્તારરુચિ.
(૮) ક્રિયા ચિ-જે અનુષ્કાનેમાં કુલ હોય તથા ક્રિયા કરવામાં રુચિવાળું હોય, તે કિયારુચિ.
૯) સંક્ષેપરુચિ –જે થોડું સાંભળીને પણ તત્વની સચિવાળે થાય, તે સંક્ષેપરુચિ. ચિલાતીપુત્ર મહાત્મા ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદો સાંભળીને જ તત્વમાં રુચિવાળા થયા હતા.
(૧૦) ધર્મચિ -જે ધમસ્તિકાય, અધમસ્તિકાય વગેરે પદાર્થોને કહેનારાં જિનવચને સાંભળીને શ્રતચારિત્રરૂપ ધર્મ પર શ્રદ્ધાવાળે થાય, તે ધર્મરુચિ.
આ દરેક આત્માનું સમ્યકત્વ તે સમ્યકત્વને એક પ્રકાર, એમ દશ પ્રકારે સમજવા.
Page #488
--------------------------------------------------------------------------
________________
o
નવ-નવ દીપિકા (૧) ઉપમ ?
સમ્યકતવની પ્રાપ્તિ થયા પછી તે સ્થિર-નિશ્ચલ કેમ રહે? તે અંગે પ્રકરણકાર મહર્ષિ બાવનમી ગાથામાં જણાવે છે કે(૨) મૂળ ગાથા सब्बाई जिणेसर-भासियाई वयणाई नन्नहा हुँति । इइ बुद्धी जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ॥५२॥ • (૩) સંસ્કૃત ગાથા : सर्वाणि जिनेश्वरमाषितानि वचनानि नान्यथा भवन्ति । इति बुद्धिर्यस्य मनसि, सम्यक्त्वं निश्चलं तस्य ॥५२॥ (૪) શબ્દાર્થ :
વ્યાસ વિજેતર-મારિયાઈ-જિનેશ્વરનાં કહેલાં. વચાઉ-વચને. –ને.
અને જાની સંધિ થવાથી નહીં એવું પદ અનેલું છે.
અન્ન-અન્યથા, વિપરીત, અસત્ય.
ત્તિ-હેય. ફએવા પ્રકારની ૩ી-બુદ્ધિ.
–જેના.
Page #489
--------------------------------------------------------------------------
________________
સમ્યક્તવ
૪૧.
-
-
-
-
-
મ-મનમાં
સમ્યકત્વ. નજરું-નિશ્ચલ, ચલાયમાન ન થાય તેવું, દે,
ર૪તેનું. (૫) અર્થ–સંકેલના
જિનેશ્વરના કહેલાં સર્વે વચન સત્ય જ હોય, પણ અસત્ય ન હોય, એવી બુદ્ધિ જેના મનમાં હેય છે, તેનું સમ્યકત્વ દઢ રહે છે. (૬) વિવેચન
પ્રાપ્ત થયેલું સમ્યકત્વ ચાલ્યું ન જાય, મલિન ન થાય, ડગમગે નહિ, તે માટે મુખ્ય ઉપાય શ્રી જિનેશ્વર ભગવંતના વચને પરની પરમ શ્રદ્ધા છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે મનુષ્ય એમ માને છે કે “શ્રી જિનેશ્વર ભગવંત ક્રોધ, લોભ, ભય, હાસ્ય વગેરે દોષથી રહિત વીતરાગ પરમાત્મા હાઈ કદી અસત્ય બોલે નહિ, તેમને અસત્ય બલવાનું પ્રયોજન શું? તેઓ જે કંઈ વચન. બેલે, તે સત્ય જ હોય. તેનું સમ્યકત્વ સ્થિર રહે છે, નિર્મળ રહે છે અને જરાપણું ચલાયમાન થતું નથી.
અહીં માત્ર “નિર-મણિયારું વચUTછું' ન કહેતાં “ના” વિશેષણ લગાડયું છે, તેનું કારણ એ છે કે જિનેશ્વરનાં અમુક વચનેને સત્ય માને અને અમુક વચનને અસત્ય માને, તે તેનું સમ્યકત્વ દૂષિત થાય છે અને. ચાલ્યું જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૧૨
નવ-તત્વ-દીપિકા पयमक्खरंपि इक्कं, जो न रोएइ सुत्तनिहिं । सेसं रोयंति वि हु, मिच्छदिही मुणेयव्यो ।
સૂત્રમાં નિદિષ્ટ કરેલા એવા એક પદને કે એક પણુ અક્ષરને જે માનતું નથી, તેને બાકીનું બધું માનવા છતાં મિદષ્ટિ સમજ.”
અહીં એ પણ સમજી લેવું ઘટે કે જે નય, નિક્ષેપ -અને અનેકાંતથી યુક્ત એવા જિનવચનેને સત્ય માને અને એકાંત પ્રતિપાદનવાળાં અન્ય દર્શનીઓનાં વચનને પણું સત્ય માને, તેને સમ્યકત્વ હેઈ શકતું નથી, કારણ કે તેમાં ગોળ અને ખેળને અથવા કચન અને કથીરને એક માની લેવા જેવી વિવેકશૂન્યતા રહેલી છે. આવી વિવેકશૂન્યતાને શાસ્ત્રમાં અનભિગ્રહિક મિથ્યાત્વ કહેલું છે. સમ્યકત્વમાં મુખ્ય વસ્તુ સત્ય અને અસત્યના ભેદરૂપ વિવેની જાગૃતિ છે, એ ભૂલવાનું નથી.
અહીં પ્રસંગવશાત એ પણ જણાવી દઈએ કે સદ્દગુરુની પયું પાસના કરવાથી જિનવચને સાંભવા મળે છે અને તેનું યથાર્થ રહસ્ય સમજાય છે. પછી તેમાં શંકા-કુશંકાને સ્થાન રહેતું નથી, એટલે સમ્યકત્વની સ્થિરતા માટે સદ્ગુની પર્યું પાસના પણ અતિ મહત્ત્વની છે.
વિશેષમાં જ્ઞાની ભગવતેએ એમ પણ કહ્યું છે કે સમ્યકત્વને સ્થિર રાખવું હોય, તેમાં કઈ પણ પ્રકારને ડાઘ પાડે ન હોય, તે વ્યાપનદશની અને કુદષ્ટિને
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૩,
-
-
-
-
-
-
-
સમ્યક ત્યાગ કરે, અર્થાત તેના સહવાસમાં વિશેષ આવવું નહિ. દ્વારા કોઈ કારણ-પ્રસંગે આવી જવાય, તે જુદી વાત છે.
જેને એક વાર જીવ-અજીવ વગેરે તત્ત્વ પર શ્રદ્ધા હેય, પણ પછીથી કદાગ્રહ, મિથ્યાગ્રહ કે મિથ્યાત્વનો ઉદય થવાને લીધે તે શ્રદ્ધા વ્યાપન થયેલી છે-નાશ પામેલી છે, તે વ્યાપનદર્શની કહેવાય અને જેની દષ્ટિ મિથ્યાત્વથી કુત્સિત થયેલી છે, તે કુદષ્ટિ કહેવાય.
સંગ તે રંગ એ ન્યાયે આવી વ્યક્તિઓના સહવાસથી પણ મનમાં શંકા જાગે અને છેવટે સમ્યકત્વથી ભ્રષ્ટ થવાય, એ દેખીતું છે.
અનુભવી પુરુષોની એ વાણી છે કે— कुसंगतेः कुबुद्धिः स्यात्, कुबुद्धेः कुप्रवर्तनम् । कुप्रवृत्तेमवेज्जन्तु जनं दुःखसन्ततः ॥
“કુસંગતિથી કુબુદ્ધિ થાય છે, કુબુદ્ધિથી કુરવર્તન થાય છે અને કુપ્રવર્તનથી પ્રાણ દુખપરંપરાનું ભાજન બને છે. (૧) ઉપક્રમ :
નવતરને જાણવાથી અને તેના પર શ્રદ્ધા રાખવાથી સમ્યક-વની પ્રાપ્તિ થાય છે તથા જિનવચને પર પરમ શ્રદ્ધા રાખવાથી એ સમ્યકત્વ નિલ-દઢ બને છે, એમ જણાવ્યા પછી પ્રકરણકાર મહષિ સમ્યકત્વની પ્રાપ્તિથી થતા મહાન. લાભનું વર્ણન ત્રેપનમી ગાથામાં આ પ્રમાણે કરે છે?
Page #492
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ
ચેવ –નિશ્ર્ચયથી.
સંથારો-સ'સાર.
કાપ
જેમાં જીવાતું નિરંતર સંસરણુ-ભ્રમણ થાય છે,
તેને સ'સાર કહે છે.
(૫) અર્થ-સકલના :
જેઓએ માત્ર અંતમુ ધૃત પણ સમ્યકત્વના સ્પર્શ કરેલા હોય, તેને કઈક ન્યૂન એવા અધ પુદ્દગલપરાવત જેટલા જ સંસાર હાય છે. તેથી અધિક નહિ.
(૬) વિવેચન :
૯ સમયનું જઘન્ય અંતર્મુહૂત અને ૨ ઘડીમાં ૧ સમય ન્યૂન કાળનું ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ગણાય છે. તેની વચ્ચેના કાળ એટલે ૧૦ સમયથી માંડીને ઉત્કૃષ્ટ અંતર્મુહ સુધીના કાળ મધ્યમ અંતર્મુહૂત ગણાય છે. અહી અંતર્મુહત શબ્દથી અસંખ્ય સમયપ્રમાણુ મધ્યમ
અંતર્મુહ ગ્રહણ કરવાનુ છે.
કોઇ જીવને માત્ર આ અંતર્મુહ જેટલા કાળ માટે જ સમ્યકત્વની પના થઈ હોય અને ત્યારબાદ તે ત્યાંથી પડી, મિથ્યાત્વ પામી, તીવ્ર કર્મબંધ કરી, સંસારમાં પરિભ્રમણ કરે તો વધારેમાં વધારે કઇક ન્યૂન
અધ પુદ્ગલપરાવત કાળ સુધી જ કરે, પછી તે પુનઃ સમ્યકત્વ પામી, ચારિત્ર ગ્રડુણ કરી, અવશ્ય માક્ષે જાય.
Page #493
--------------------------------------------------------------------------
________________
નવ-તત્ત્વ-દીપિકા
અહીં એટલુ યાદ રાખવું ઘટે કે સમ્યકત્વને પામેલા કેટલાક જીવા તે જ ભવે માક્ષે જાય છે, તે કેટલાક જીવા એ-ત્રણ ભવે અને કેટલાક જીવા સાત-આઠ ભવે માક્ષે જાય છે. આચાર્ય વર શ્રી ભદ્રાહ્વામીએ ઉવસગ્ગહર સ્તેાત્રમાં કહ્યુ છે કે
૪૧૬
तुह सम्मते लद्धे, चिंतामणिकप्पपायवन्भहिए | પાયંતિ વિષેળ, નીવા ગયામાં ઢાળું ॥
હું ભગવન્ ! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પામ્યે છતે જીવે કોઈ પણ વિઘ્ન વિના મેાક્ષને પામે છે.' તાત્પર્ય કે તેમને સરલતાથી થેાડા સમયમાં જ મેક્ષ મળે છે. અનંત ભવભ્રમણની અપેક્ષાએ એક, બે ત્રણ, સાત કે આઠ ભવને અહી થાડો સમય સમજવાના છે.
સમ્યકત્વની સ્પર્ધાના અંગે જ્ઞાની ભગવ તાએ કહ્યું છે કે સંસારી જીવ–અનંત પુદ્ગલપરાવત કાળ સુધી મિથ્યાત્વના અનુભવ કરતા સંસારમાં પરિભ્રમણ કરે છે. નદીના પત્થર અહી...–તહી' કૂટાતા છેવટે ગાળ અની જાય છે, તેમ આ જીવ અનાભાગપણે (સમજણ વિના, સ્વાભાવિક) પ્રવૃત્તિ કરતા જ્યારે આયુષ્ય સિવાયના સાતેય કર્મોની સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમાં ભાગે આછી એવી એક કોડાકેડી સાગરોપમની કરે છે, ત્યારે તે રાગદ્વેષના અતિ નિખિડ પરિણામરૂપ ગ્ર ંથિપ્રદેશ સમીપે આવે છે. અભવ્ય જીવા પણ આ રીતે કૅસ્થિતિ હળવી કરીને અનતી વાર
Page #494
--------------------------------------------------------------------------
________________
મુખ્યત્વ
છ
ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે, પણ તે એના ભેદ કરી શકતા નથી; જ્યારે ભવ્ય જીવો અપૂર્વકરણના ચગે એ ગ્રંથિના ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની પના કરે છે, જે કરણ ક્રિયા પૂર્વે થઈ નથી, તે અપૂર્વકરણ. (૧) ઉપક્રમ :
ત્રેપનમી ગાથામાં પુદ્ગલપરાવત કાળના ઉલ્લેખ ર્યાં છે. તેની સ્પષ્ટતા ચાપનમી ગાથામાં પ્રકરણકાર મહર્ષિ આ પ્રમાણે કરે છે
(૨) મૂળ ગાથા :
उस्सप्पिणी अणता, पुग्गलपरियट्टओ मुणेयव्वो । asiarsarअद्धा, अणागयद्धा अनंतगुणा ।। ५४ ॥ (૩) સંસ્કૃત છાયા
उत्सर्पिण्योऽनन्ताः, पुद्गलपरावतको ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा, अनागताद्धानन्तगुणाः ॥५४॥
',
(૪) શબ્દાથ :
રાષિળી–ઉત્સર્પિણીઓ.
અળતા–અનંત.
૨૭
પુનઃજયિદૃો-પુગલપરાવત કાલ. મુળેચવો જાણવા.
તે-તે પુદ્ગલપરાવ.
તે અને ગળતા તે ડñતા.
Page #495
--------------------------------------------------------------------------
________________
નવ-તાવ-દીપિકા
તા-અનંત. ગત –-અતીત, વ્યતીત, ભૂત. શરીર અને વા, તે તીરદ્ધા. ગટ્ટા-કાલ. અજય-અનાગત, ભવિષ્ય. अणागय मने अद्धा ते अणागयद्धा. શ્રદ્ધાં–કાલ.
ગઈrળા-અનંતગુણો. (૫) અર્થ–સંકલના:
અનંત ઉત્સર્પિણીઓ (અને અવસર્પિણીઓ) ને : એક પુદગલપરાવર્ત કાળ જાણવી. તેવા અનંત પુદગલપરાવર્તને ભૂતકાળ અને તેથી અનંતગુણ ભવિષ્યકાલ જાણવો. (૬) વિવેચનઃ
જેમાં રસ-કસ શુભાદિ ભાવેનું ઉત્સર્ષણ થાય, એટલે કે અનુક્રમે ચડતા પરિણામો જણાય, તેને ઉત્સર્પિણી કાલ કહેવામાં આવે છે. ઉત્સર્પિણીકાલ પૂરું થયા પછી તરત જ અવસર્પિણીકાલ શરૂ થાય છે. તેમાં રસ-કસ શુભાદિ ભાવેનું અવસર્ષણ થાય છે, એટલે કે તે અનુક્રમે ઓછા થતા જાય છે.
ઉત્સર્પિણીકાલ પછી અવસર્પિણીકાલ અને પછી પાછો ઉત્સર્પિણીકાલ આવે છે, એટલે અહીં ઉત્સર્પિણીઓ શબ્દથી ઉત્સર્પિણ અને અવસર્પિણું એ બંને પ્રકારે
Page #496
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ
૪૧૭
-
-
ગ્રહણ કરવાના છે. ઉત્સર્પિણી કાલ ૧૦ કેડીકેડી સાગરેપમ જેટલું હોય છે અને અવસર્પિણી કાલ પણ ૧૦ કેડાછેડી સાગરોપમ જેટલું હોય છે. આ રીતે ૧. ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણમાં ૨૦ કડાછેડી સાગરોપમ એટલે કાલ વ્યતીત થાય છે, તેને કાલચક કહેવામાં આવે છે.
ઉત્સર્પિણી કાલમાં છ આરા હોય છે, તેનાં નામ અને તેનું કાલમાન આ પ્રમાણે સમજવું પહેલે દુષમ-દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ બીજે દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ ત્રીજે દુષમ-સુષમ આરે બેંતાલીશ હજાર વર્ષ જૂન
( ૧ કેડાડી સાગરોપમ કાલ થે સુષમ–દુષમ આરે ૨ કેડીકેડી સાગરોપમ કાલ પાંચમે સુષમ આરે ૩ કેડાછેડી સાગરોપમ કાલ છઠ્ઠો સુષમ-સુષમા આરે ૪ કેડાછેડી સાગરોપમ કાલ
અવસર્પિણને કમ આથી ઉલટો હોય છે, એટલે કે તેમાં પ્રથમ સુષમ-સુષમા આરે, પછી સુષમ આરે અને છેવટે દુષમ-દુષમા આરે હોય છે. તે દરેક આરાનું કાલમાન તે ઉપર મુજબ જ હોય છે. હાલ અવસર્પિણી કાલને પાંચમે દુષમ નામને આરે ચાલી રહેલે છે. આવી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ વ્યતીત થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત એટલે કાલ, વ્યતીત થયેલે ગણાય.
: . પુદ્ગલપરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી
Page #497
--------------------------------------------------------------------------
________________
-
४१४
નવ-તાવ-દીપકા (२) भूण था:
अंतोमुहुत्तमित्तपि, फासियं हुज्ज जेहि सम्मत्तं ।
तेसिं अवडढपुग्गलपरियट्टो चेव संसारो ॥५३॥ (3) संत छाया:
अन्तमुहूर्तमात्रमपि, स्पृष्टं भवेद् यः सम्यक्त्वम् ।
तेषामपापुद्गलपरावर्तश्चैव संसारः ॥५३॥ (४) शार्थ :
अंतोमुहत्त-मतभुत. मित्तं-मात्र, ३त.
मित्तं भने अपि नी संधि थत 'मित्तंपि' मेj यह भने छे.
अपि-प. फासिय २५ रेशी हुन्ज-हाय. जेहि-रमा , रसाय. सम्मत्तं-सभ्यत्व तेसिं-तेमाने. अवडूढ-18 न्यून मेयो अधी. अव मेटहिथित न्यून सवा अर्ध ते अपार्घ. पुग्गलपरियट्टो-गहरावत.
આ કાલનું એક પ્રકારનું માપ છે. તેને વિશેષ પરિચય ચપનમી ગાથામાં આપેલે છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૦
નવ-નવ-જીપિક.
ચાર પ્રકારે છે અને તે પ્રત્યેક બાદર અને સૂમ હોવાથી તેના નીચે મુજબ આઠ પ્રકારે પડે છે?
૧ બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્ત ૨ સૂફમ ૩ ભાદર ક્ષેત્રપુદગલપરાવર્ત ૪ સૂમિ છે ૫ બાદર કાલપુદગલપરાવર્ત ૬ સૂમ છે. છ આદર ભાવપુદ્ગલપરાવર્ત ૮ સૂક્ષમ છે
ચૌદ રાજકમાં રહેલાં સર્વ પદુગલોને એક જ ઔદ્યારિક આદિ કઈ પણ વર્ગણપણે (આહારક વિના) ગ્રહણ કરી કરીને મૂકે તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તે દ્રવ્યયુગલપરાવર્ત. એક જીવ મરણુ વડે લોકાકાશના પ્રદેશને પશીને મૂકે તેમાં એટલે કાલ વ્યતીત થાય, તે ક્ષેત્રપાગલપરાવત. એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયે ને વારંવાર મરણું વડે સ્પેશીને મૂકે, તેમાં જેટલે કાલ વ્યતીત થાય, તે કાલપુદગલપરાવર્તન અને એક જીવ રસબંધના અધ્યવસાયને પૂર્વોક્ત રીતે મરણ વડે સ્પશી સ્પેશીને મૂકે, તેમાં જેટલે કાલ વ્યતીત થાય, તે ભાવપગલપરાવર્ત.
જયારે કેઈપણ અનુકમ વિના પુદ્ગલેને જેમ તેમ પશીને મૂકે ત્યારે બાદર પુદ્ગલપરાવર્ત કહેવાય અને
Page #499
--------------------------------------------------------------------------
________________
સમ્યક
૪૨૧ અનુક્રમે સ્પશીને મૂકે ત્યારે સૂમ પુદ્ગલપરાવત કહેવાય..
અહીં ક્ષેત્રપુદગલપરાવર્ત વિવક્ષિત છે, એટલે તેનું સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી સમજવું જોઈએ.
એમ માને કે એક જીવ લેકાકાશના અમુક પ્રદેશમાં રહીને મરણ પામે. હવે કેટલેક કાલ વ્યતીત થયા -બર તે જીવ સ્વાભાવિક રીતે આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા બીજા પ્રદેશમાં રહીને મરણ પામ્યા. ત્યાર બાદ કેટલાક સમયે તે આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા ત્રીજા પ્રદેશમાં રહીને મરણ પામે. આમ તેણે જે આકાશ પ્રદેશની જે શ્રેણી શરૂ કરી હોય તે પૂરી કરે. ત્યારબાદ આકાશના પ્રતરમાં રહેલી તેની સાથેની અસંખ્ય શ્રેણીઓને -એ જ રીતે પૂરી કરે. તેમાં જેટલે કાલ વ્યતીત થાય તથા વચમાં બીજા ભ કરવામાં જેટલે કાલ વ્યતીત થાય, તે સૂફમ ક્ષેત્રપુદ્ગલપરાવર્ત કહેવાય.
આવા અનંત પુદગલપરાવર્ત આ જીવે વ્યતીત કર્યો છે અને તે સમ્યકત્વ પામે નહિ તે હવે પછી અનંત પુદગલપરાવર્ત કાલ સુધી તેને આ જ રીતે ભવભ્રમણ કરવું પડે, એ નિશ્ચિત છે.
ભૂતકાલ અનંત પગલપરાવર્ત જેટલું છે અને ભવિષ્ય કાલ તેથી પણ અનંતગણે મેટો છે, એટલે ભૂત -કરતાં ભવિષ્યકાલ ઘણે માટે છે. આ બધું કાલ જીવને
Page #500
--------------------------------------------------------------------------
________________
કરસ
નવ-તત્ત્વ દીપિકા.
સંસારમાં પરિભ્રમણ કરવું ન પડે, તે માટે તેણે સમ્યકત્વની. પ્રાપ્તિ કરી લેવી જોઈએ. કહ્યું છે કે
अतुलगुणनिधानं
सर्वकल्याणवीजं,
जननजलधिपोतं भव्यसन्चैकचिह्नम् । दुतितरुक्कुठारं पुण्यतीर्थ प्रधानम्, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ||
•
હું લેકે તમે સમ્યગ્દર્શનરૂપી અમૃત જતુ { પાન કરો, કારણ કે તે અતુલ ગુણાનુ નિધાન છે, સ ક્લ્યાણનું ખીજ છે, જન્મ-મરણામિય સંસારસાગરને ત્તરી જવા માટેનું વહાણ છે, ભવ્યજીવાનુ એક લક્ષણુ. છે, પાપરૂપી વૃક્ષને ઈંઢવા માટે એક કૂહાડા છે, પવિત્ર એવુ તીર્થં છે, સ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનાર છે. ’ અહીં' ‘ સમ્યકત્વ' નામનું તેરમુ પ્રકરણ પૂરુ થાય છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોદણું સિદ્ધના ભેદો
[ ગાથા પંચાવનમીથી ઓગણસાઠમી સુધી]
(૧) ઉપક્રમ :
મોક્ષમાં ગયેલા ને સિદ્ધ કહેવામાં આવે છે, એ હકીક્ત આગળ કહેવાઈ ગઈ છે. આ સિદ્ધાત્માઓ શક્તિ-સામર્થ્ય તેમ જ ગુણપ્રાપ્તિમાં સમાન હોય છે, એટલે તેમની વચ્ચે કેઈ જાતને ભેદ હોતું નથી, પણ તેમની મેક્ષ પામતી વખતની અવસ્થા વિશેષ પરથી તેમના પંદર પ્રકારે પડે છે. તે અહીં પ્રકરણકાર મહર્ષિ પંચાવનમી ગાથામાં આ પ્રમાણે રજૂ કરે છેઃ (ર) મૂળ ગાથા : નિજ નિન ચિડરિસ્થા, િશન રિંગ થી નર નjTI पत्तेय स बुद्धा, बुद्धबोहिय इवकाणिवका य ॥५५॥
Page #502
--------------------------------------------------------------------------
________________
નવ-તત્વ-દીપિકા
(3) સંસ્કૃત છાયાઃ
जिनाजिनतीर्थातीर्था गृह्यन्यस्वलिङ्गस्त्रीनपुंसकाः।
प्रत्येकस्वयंबुद्धौ, बुद्धबोधितैकानेकाश्च ॥५५॥ (૪) શબ્દાર્થ :
નિખ-જિનજિનસિદ્ધ..
નિર-અજિન–અજિનસિદ્ધ. રિચ-તીર્થ તીર્થસિદ્ધ. રિલ્ય-અતીર્થ –અતીર્થસિદ્ધ. mહિંગ્રહસ્થ-ગૃહસ્થતિંગસિદ્ધ,
અન્ય-અન્યલિંગસિદ્ધ. સ્વિલિંગસ્વલિંગસિદ્ધ શી-સી-સ્ત્રીલિંગસિદ્ધ નર-નર, પુરુષ-પુરુષલિંગસિદ્ધ. નવું–નપુંસક, નપુંસકલિંગસિદ્ધ -પ્રત્યેક પ્રત્યેકબુદ્ધસિદ્ધ.
સની પછી રહેલ કુદ શબ્દ અહીં પણ લાગુ પડે છે. • સથવુંસ્વયંબુદ્ધ-સ્વયં બુદ્ધસિદ્ધ. વુિંઢવોહિચ-બુદ્ધબેધિત, બુદ્ધાધિતસિદ્ધ..
એક, એકસિદ્ધ. *
શુક્ર અને શિક્ષા તે કાલા ળિ–અનેક, અનેકસિદ્ધ. ચ–અને. •
Page #503
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના ભે
કર૫ (૫) અર્થ–સંકલનાઃ
(૧) જિનસિદ્ધ, (૨) અજિતસિદ્ધ, (૩) તીર્થસિદ્ધ, (૪) અતીર્થસિદ્ધ, (૫) ગ્રહલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિદ્ધ, (૭) સ્વલિંગસિદ્ધ, (૮) સ્ત્રીલિંગસિદ્ધ, ઈ પુરૂષલિંગસિદ્ધ, (૧૦) નપુંસક લિંગસિદ, (૧૧) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૧૨) સ્વયં બુદ્ધ સિદ્ધ, (૧૩) બુદ્દબોધિતસિદ્ધ, (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ એ સિદ્ધના પંદર ભેદે છે. () વિવેચનઃ
સિદ્ધાત્માઓમાં વાસ્તવિક કોઈ ભેદ નથી, પણ પૂર્વાવસ્થાની અપેક્ષાએ ઔપચારિક રીતે તેમના પંદર ભેદો ગણવામાં આવે છે. આ પંદર ભેદો સર્વથા ભિન્ન નથી, અર્થાત્ એક બીજામાં અંતર્ગત છે, પણ વિશેષ બંધ માટે તેમને અહીં જુદા જુદા દર્શાવવામાં આવ્યા છે. તેમનું સ્વરૂપ આગળની ગાથાઓથી સમજાશે. (૧) ઉપક્રમ
સિદ્ધના પંદર ભેદો કહ્યા પછી તેના વિશેષ બેધાર્થે પ્રકરણકાર મહર્ષિ દરેક ભેદનું સ્વરૂપ દષ્ટાંતપૂર્વક અનુક્રમે નીચેની ચાર ગાથાઓમાં કહે છે. તે આ પ્રમાણે (ર) મૂળ ગાથાઓઃ जिगसिद्धा अरिहंता, अजिगसिद्धा य पुंडरिअपमुहा । गगहारि तित्यसिद्धा, अतित्थसिद्धा य मरुदेवा ॥५६॥
Page #504
--------------------------------------------------------------------------
________________
ફ
નવતત્ત્વ–દીપિકા
गिहिलिंग सिद्ध भरहो, वक्कलचीरी य अन्नलिंगम्मि | साहू सलिंगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ||५७ || पुंसिद्धा गोयमाई, गांगेयाई नपुंसया सिद्धा । पत्तेय सयंबुद्धा, मणिया करकंडु कविलाई ॥ ५८ ॥ तह बुद्धबोहि गुरुबोहिया य इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ॥ ५९ ॥
-
(3) संस्कृत छाया :
जिनसिद्धा अर्हन्तोऽजिनसिद्धा पुण्डरिकप्रमुखाः । गणधारिणस्तीर्थसिद्धा, अतीर्थसिद्धाश्र मरुदेवी ॥ ५६ ॥ गृहिलिङ्गसिद्धा भरतो, वल्कलचीरी चान्यलिङ्गाः साधवः स्वलिंगसिद्धाः, स्त्रीसिद्धाश्वन्दनाप्रमुखाः ॥ ५७ ॥ पुरुषसिद्धा गातमादयो, गाङ्गेयादयो नपुंसकाः सिद्धाः । . प्रत्येक - स्वयंबुद्धा, भणिताः करकण्डु - कपिलादयः ॥ ५८ ॥ तथा बुद्धबोधिता गुरुबोधिता एकसमये एकसिद्धार्थ । एकसमये ऽप्यनेकाः सिद्धास्तेऽनेकसिद्धाय || ५९ ॥
(४) शब्दार्थ :
forrferer-Grafia. अरिहंता-रिडतो, तीर्थ ४२. अजिणसिद्धा-भक्निसिद्धी,
य
·
Page #505
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના ભેરા.
કર૭ • પુરામુ પુંડરિક પ્રમુખ, પુંડરિક ગણધર વગેરે.. પારિ–ગણુધરે.
તીર્થકરના મુખ્ય શિષ્ય. રિસિદ્ધ તીર્થસિદ્ધો.. નિરિક્રા-અતીર્થસિદ્ધો.
–અને. મલા-મરુદેવી. શિક્ષિહિંસિદ્ધ ગૃહસ્થતિંગસિદ્ધ સર-ભરત, ભરત ચક્રવર્તી જીવીશ વલ્કલગીરી.
અને. કનૈષ્ઠિા જિ-અન્યલિંગ સિદ્ધોમાં. વા-સાધુ, સર્ટિસિદ્ધા-સ્વલિંગસિદ્ધ. શસિદ્ધા–સ્ત્રીલિંગસિદ્ધ. વાપમુ-ચંદના પ્રમુખ, ચંદનબાળા વગેરે. સિદ્ધા–પુરૂષલિંગસિદ્ધ. જેના-ગૌતમ આદિ. જોર-ગાંગેય આદિ.
–નપુંસકલિંગ. સિદ્ધ-સિદ્ધો. વચ-સચવુદ્ધા-પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધસિદ્ધોમણિયા-કહેલા છે.
દુ-વ -કરકંડુ અને કપિલ વગેરે.
Page #506
--------------------------------------------------------------------------
________________
૨૮
નવ-નવ દીપિકા
---
-
ત€ તથા. વૃદ્ધોહિબુદ્ધાધિત.
અહીં અંત્ય ૨ ને લય થેલે છે. ગુણવધિ-ગુરુથી બંધ પામેલા. જ–અને.
સમજે એક સમયમાં. સિદ્ધા-એક સિદ્ધો. -વળી. રૂારે એક સમયે.
વિ-, વળે--અનેક. સિદ્ધા-સિદ્ધ. તેઓ.
સિદ્ધા-અનેક સિદ્ધો.
ચ-અને-(૫) અર્થ–સંકલના:
'જિનસિદ્ધ તે તીર્થકરે, અજિનસિદ્દો તે પુંડરિક ગણધર વગેરે, તીર્થસિદ્ધો તે ગણુધરે અને અતીર્થસિદ્ધો તે મરૂદેવા માતા વગેરે. | ગૃહસ્થલિંગ સિદ્ધ તે ભરત ચક્રવતી, અન્ય લિંગસિદ્ધ તે વક્લચરી, સ્વલિંગસિદ્ધ તે - સાધુઓ અને સ્ત્રીલિંગસિદ્ધ તે ચંદનબાળા વગેરે.
પુરુષલિંગસિદ્ધ તે ગૌતમ વગેરે, નપુંસક
Page #507
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના સેટ
૪૨૯. લિંગસિદ્ધ તે ગાંગેય વગેરે, પ્રત્યેકબુદ્ધસિદ્ધ તે કરકંડુ અને સ્વયંભુદ્ધસિદ્ધ તે કપિલ વગેરે.
તથા બુદ્ધબોધિત તે ગુરથી બંધ પામેલા, એકસિદ્ધ તે એક સમયમાં એકસિદ્ધ થયેલા અને અનેકસિદ્ધ તે એક સમયમાં અનેક સિદ્ધ
થયેલા. . '
() વિવેચન આ તીર્થક જિનપદ પામીને સિદ્ધ થયેલા છે, માટે તેમને જિનસિદ્ધ સમજવા અને પુંડરિક ગણધર - વગેરે જિનપદ પામ્યા વિના સિદ્ધ થયેલા છે, તેથી તેમને અજિનસિદ્ધ સમજવા. તાત્પર્ય કે જિન તથા અજિન બને અવસ્થામાં મોક્ષે જઈ શકાય છે.
તીર્થકર ભગવંતે તીર્થ પ્રવર્તાવ્યું હોય, તે સમયમાં તીર્થને આશ્રય પામીને જે જીવે મોક્ષે જાય, તે તીર્થ સિદ્ધ કહેવાય, જેમકે—ગણધર ભગવંતે અને તીર્થકરે દ્વારા તીર્થનું પ્રવર્તન ન થયું હોય અને તેવા સમયે જે જીવે મોક્ષે જાય, તે અતીર્થસિદ્ધ કહેવાય. શ્રી. રાષભદેવ ભગવાનની માતા મરુદેવી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા, તે વખતે તીર્થકર દ્વારા તીર્થ પ્રવર્તેલું ન હતું. આ રીતે બીજા પણ જે જ આવા સમયે મોક્ષમાં ગયા હોય તે બધા અતીર્થસિદ્ધ કહેવાય. આને. અર્થ એમ સમજવાને કે તીર્થની અવિદ્યમાનતામાં મેલને દરવાજો બંધ થતું નથી.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૩૦
નવ-તત્વ-દીપિકા કેટલાક જ શરીર પર ગૃહસ્થને વેશ હોવા છતાં કર્મને ક્ષય થવાને લીધે મોક્ષ પામે છે, તેમને ગ્રહસ્થલિંગસિંદ્ધ જાણવા. દાખલા તરીકે ભરત ચકવત. તેઓ અરીસાભુવનમાં ઊભા ઊભા વિવિધ આભૂષણેથી અલંકૃત પિતાના દેહની શોભા જતા હતા. એવામાં એક આંગળી પરથી અંગૂઠી સરકી પડી અને તે આંગળી વરવી લાગી. આથી તેમણે બીજાં પણ આભૂષણે ઉતારીને શરીરને નિહાળ્યું, તે આખું શરીર શેભારહિત લાગ્યું. આથી તેમને શરીર વગેરેની અનિત્યતા સમજાઈ અને અનિત્ય ભાવનાને ઉત્કૃષ્ટ આશ્રય લેતાં ચારેય ઘાતી કર્મને ક્ષય થયો, એટલે કેવલજ્ઞાન પામ્યા અને અનુક્રમે મોક્ષે સિધાવ્યા.
કેટલાક જ અન્યલિંગ એટલે તાપસ વગેરેના વેશમાં પણ મોક્ષ પામે છે. મહાત્મા વલ્કલચીરી તાપસના વેશમાં હતા, પણ ભાવશુદ્ધિને કારણે કર્મને ક્ષય થતાં કેવલજ્ઞાન પામ્યા અને મેક્ષમાં સિધાવ્યા. આવા સિદ્ધોને અન્યલિંગસિદ્ધ સમજવા. કેટલાક છ જૈન શ્રમણના વિશમાં મેક્ષે જાય છે, તેમને સ્વલિંગસિદ્ધ સમજવા,
સ્વલિંગ એટલે જિનશાસનનું પિતાનું લિંગ, જિનશાસનમાં નિયત થયેલે સાધુને વેશ.
. | * લિંગને અર્થ જાતીયસંજ્ઞા કરીએ તે સીલિંગ, પુરૂષલિંગ અને નપુસકલિંગ એ ત્રણેય લિંગમાં
મેક્ષે જાય છે. દાખલા તરીકે ચંદનબાળા આ
Page #509
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના ભેદ
૪૩ હતાં, ગૌતમસ્વામી વગેરે પુરુષ હતા અને ગાંગેય વગેરે (કૃત્રિમ) નપુંસક હતા. કેટલાક એમ માને છે કે સ્ત્રીલિંગે મિક્ષ ન મળે, તેનું આ વિધાનથી નિરસન થાય છે. -
કેટલાક જીવે સંધ્યાના રંગ, વૃદ્ધત્વ વગેરે નિમિત્તો પામીને વૈરાગ્યવાન બને છે અને મોક્ષે જાય છે, જેમકે રાજર્ષિ કરકંડુ; તે કેટલાક જીવ સંધ્યાના રંગ, વૃદ્ધત્વ આદિ કેઈ પણ નિમિત્ત પામ્યા વિના, તેમજ ગુરુના ઉપદેશ વિના પણ મેક્ષમાં જાય છે, જેમકે મહાત્મા કપિલ. તેમજ કેટલાક જીવે ગુરુથી બોધ પામીને ચાસ્ત્રિ ગ્રહણ કરે છે તથા તેના નિરતિચાર પાલનથી મેક્ષે જાય છે, તેમને અનુક્રમે પ્રત્યેબુદ્ધસિદ્ધ, સ્વયંબુદસિદ્ધ અને બુધિતસિદ્ધ જાણવા.
કેટલીક વાર એક સમયમાં એક જીવ મેક્ષે જાય છે, તેમને એકસિદ્ધ સમજવા અને કેટલીક વાર એક સમયમાં અનેક જી સિદ્ધ થાય છે, તેમને અનેકસિદ્ધ સમજવા. તે સિદ્ધ ભગવંતની સ્તુતિના અધિકારે કહેવાયું છે કે
सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपर-गयाणं । | મુવાયા, નમો યા શ્વ-સિદ્ધાdi |
જેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે અને લેકના અગ્રભાગે ગયેલા છે, એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર છે.”
Page #510
--------------------------------------------------------------------------
________________ નવ-તત્વ-દીપિકા અહીં સિદ્ધ વિશેષણથી આઠે કર્મને ક્ષય કરનાર, બુદ્ધ વિશેષણથી સર્વજ્ઞ અને સર્વદશી, પારંગત વિશેષણથી સંસારને પાર પામેલા, પરંપરાગત વિશેષણથી ગુણ સ્થાનકની પરંપરાને આશ્રય લઈ મેક્ષમાં જનારા, એ. અર્થ અભિપ્રેત છે. મેક્ષમાં જનારા સર્વ જીવે કર્મ રહિત થાય કે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિથી લેકના અગ્રભાગે. રહેલી સિદ્ધશિલામાં પહોંચી જાય છે અને ત્યાં સદાકાલ સ્થિર રહે છે. આવા સર્વ સિદ્ધ ભગવંતને ત્રિવિધ વંદન કરી. નવ-તત્વ–પ્રકરણ પરની દીપિકા નામની વૃત્તિ પૂરી. કરીએ છીએ. સર્વ જગતનું કલ્યાણ હે - પૃષ્ઠસંખ્યા ૪૩ર +72 = 50 'જાજિક