SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ નવ-તત્ત્વ-દીપિકા ગતિ કરી શકે છે. તે એક સમયમાં જઘન્યથી નિકટવતી આકાશપ્રદેશ સુધી અને ઉત્કૃષ્ટથી ચૌદ રજવાત્મક લેકના પૂર્વ ચરિમાન્ડ (છેડા થી પશ્ચિમ ચરિમાન્ડ સુધી, ઉત્તર ચરિમાન્તથી દક્ષિણ ચરિઆના સુધી અને અ ચરિમાન્તથી ઊર્વ ચરિમાન્ત સુધી ગતિ કરી શકે છે. આ ગતિ એક અસાધારણું કોટિની ગણાય, એટલે સામાન્ય મનુષ્યને તેની કલ્પના આવવી મુશ્કેલ છે. પરમાણુ બધે જ વખત ગતિ કરે છે, એવું નથી. ક્યારેક તે ગતિમાન હોય છે, ક્યારેક સ્થિર. પરમાણુને કિયાવાન પણ કહે છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “સિર પર સિર વેરરિ, સિર પરિણામ તે કેપે છે, અથવા વિશેષ પ્રકારે કરે છે અને કઈ વિશિષ્ટ પરિણામ પામે છે.” પરમાણુની આ ગતિ સ્વતઃ એટલે કે પિતાના સ્વભાવથી જ છે. “જીવની તેના પર કઈ અસર પડે છે ખરી?” એ પ્રશ્નનો ઉત્તર નકારમાં છે. પરમાણું એટલે સૂમ છે કે તે જીવ દ્વારા ગ્રહણ જ થઈ શકતું નથી, પછી તેની અસર પડે શી રીતે? પરંતુ જીવ અને પકડી શકે છે અને તેના પર તેને પ્રભાવ પડે છે. પરમાણુની સ્વાભાવિક ગતિ સરલ એટલે સમરેખાએ થાય છે, પણ અન્ય યુગલના સહકારથી તે વકગતિ પણ કરી શકે છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy