________________
નવ-નવ-દીપિકા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અન્ય રીતે કહીએ તે અવિરતિવાળા આત્માઓને મેક્ષ થતું નથી, દેશવિરતિવાળા આત્માઓને પણ તે જ અવરથામાં મોક્ષ થતું નથી, જ્યારે સર્વવિરતિવાળા આત્માએ યથાખ્યાત એટલે સંપૂર્ણ શુદ્ધ ચારિત્રની અવસ્થાએ પહોંચે ત્યારે તેમને મોક્ષ થાય છે.
સમ્યકત્વની દષ્ટિએ સંસારી જીવ પથમિક આદિ છ પ્રકારની માગણએમાં રહેલા છે. તેમાંથી ક્ષાયક સમ્યકત્વવાળા આત્માને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અન્ય સમ્યકત્વવાળને નહિ. ક્ષાયક સમ્યકત્વ યથાખ્યાત ચારિત્રવાળાને જ હેય છે, એટલે તેમને મોક્ષની પ્રાપ્તિ. થાય છે. સમ્યકત્વના અન્ય પ્રકારમાં યથાખ્યાતચારિત્ર હતું નથી, એટલે તેમાં મેક્ષની પ્રાપ્તિ થતી નથી.
સંસારી જીવે તેરમા ગુણસ્થાનક સુધી સગી: હે તેઓ આહારક માગણામાં અંતર્ગત થાય છે અને. ચૌદમા ગુણસ્થાનકે અગી બનતાં અનાહારક માર્ગણામાં. આવે છે. આ અનાહારક માર્ગમાં આવેલા છે. મોક્ષ થાય છે, અન્યને નહિ.
સંસારી જીવે જ્ઞાનની દષ્ટિએ આઠ પ્રકારના છે : જેમકે મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા, મનપૂર્યવજ્ઞાનવાળા, કેવલજ્ઞાનવાળા, મતિજ્ઞાનવાળા, કૃતઅજ્ઞાનવાળા અને વિજ્ઞાનવાળા. તેમાંથી કેવળજ્ઞાન