SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ નવ-તત્વ-દીપિકા पयमक्खरंपि इक्कं, जो न रोएइ सुत्तनिहिं । सेसं रोयंति वि हु, मिच्छदिही मुणेयव्यो । સૂત્રમાં નિદિષ્ટ કરેલા એવા એક પદને કે એક પણુ અક્ષરને જે માનતું નથી, તેને બાકીનું બધું માનવા છતાં મિદષ્ટિ સમજ.” અહીં એ પણ સમજી લેવું ઘટે કે જે નય, નિક્ષેપ -અને અનેકાંતથી યુક્ત એવા જિનવચનેને સત્ય માને અને એકાંત પ્રતિપાદનવાળાં અન્ય દર્શનીઓનાં વચનને પણું સત્ય માને, તેને સમ્યકત્વ હેઈ શકતું નથી, કારણ કે તેમાં ગોળ અને ખેળને અથવા કચન અને કથીરને એક માની લેવા જેવી વિવેકશૂન્યતા રહેલી છે. આવી વિવેકશૂન્યતાને શાસ્ત્રમાં અનભિગ્રહિક મિથ્યાત્વ કહેલું છે. સમ્યકત્વમાં મુખ્ય વસ્તુ સત્ય અને અસત્યના ભેદરૂપ વિવેની જાગૃતિ છે, એ ભૂલવાનું નથી. અહીં પ્રસંગવશાત એ પણ જણાવી દઈએ કે સદ્દગુરુની પયું પાસના કરવાથી જિનવચને સાંભવા મળે છે અને તેનું યથાર્થ રહસ્ય સમજાય છે. પછી તેમાં શંકા-કુશંકાને સ્થાન રહેતું નથી, એટલે સમ્યકત્વની સ્થિરતા માટે સદ્ગુની પર્યું પાસના પણ અતિ મહત્ત્વની છે. વિશેષમાં જ્ઞાની ભગવતેએ એમ પણ કહ્યું છે કે સમ્યકત્વને સ્થિર રાખવું હોય, તેમાં કઈ પણ પ્રકારને ડાઘ પાડે ન હોય, તે વ્યાપનદશની અને કુદષ્ટિને
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy