________________
પ્રકરણ અગિયારમું
બંધતત્વ
[ ગાથા સાડત્રીશમીથી બેંતાલીશમી સુધી)
૧) ઉપમઃ
આત્મપ્રદેશો સાથે કાર્મણ વર્ગણાઓનું ઓતપ્રેત થવું, તેને બંધ કહેવામાં આવે છે. એક લોઢાના ગોળાને અગ્નિ વડે તપાવવામાં આવે તે એ ગળે લાલચળ બની જાય છે, અર્થાત્ અગ્નિ અને લોઢાના પરમાણુ એવા એકાકાર બની જાય છે કે તેમાં અગ્નિ અને લોઢાની કઈ જુદાઈ જણાતી નથી. આત્મા અને કર્મને બંધ પણ આ પ્રકારને જ છે. જ્યારે કાર્મણવર્ગણ આત્મપ્રદેશે સાથે જોડાઈ જાય છે, ત્યારે બંને એકાકાર બની જાય છે અને એવી સ્થિતિવાળે આત્મા સકર્મ એટલે કર્મ સહિતકર્મબંધનવાળે ગણાય છે.
કર્મબંધનને લીધે જ આત્માને ચાર ગતિ અને ચોરાશી લક્ષ જીવનિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું