________________
અધતન્ય
૩૪૫
પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. બીજું આ કર્મ આત્મ સાથે કેટલો કાળ રહેશે? તેને નિર્ણય થાય છે. તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. ત્રીજું આ કર્મ આમાને કેવું શુભાશુભ ફળ આપશે? તથા કેટલા તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર કે મંદતમ ભાવે ફળ આપશે? તેને નિર્ણય થાય છે, તેને અનુભાગબંધ કે રસબંધ કહેવામાં આવે છે, અને ચોથું એ વખતે કાર્મ વર્ગના દલિને અમુક સમૂહ ગ્રહણ થાય છે, તેને પ્રદેશબંધ કહેવામાં આવે છે. (૧) ઉપક્રમઃ
બંધના ચારેય પ્રકારનું સામાન્ય સ્વરૂપ જણાવ્યા પછી પ્રકરણકાર મહર્ષિ પ્રકૃતિબંધનું સ્વરૂપ વિશેષપણે પ્રકાશવા અર્થે આડત્રીશમી ગાથા આ પ્રમાણે કહે છે ? (૨) મૂળગાથા :
पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं ।
जह एएसिं भावा, कम्माणऽवि जाण तह भावा ॥३८॥ (૩) સંસ્કૃત છાયા : पटप्रतिहारासिमद्य-हडिचित्रकुलालभाण्डागारिणाम् । यथैतेषां भावाः, कर्मणामपि जानीहि तथा भावान् ॥३८॥ શબ્દાર્થ :
પ–પાટો. દિશા–પ્રતિહાર, દ્વારપાળ.