________________
૩૦૨
નવ-નવ-દીપિકા સાધુ તેમનું વૈયાવૃત્ય કરે છે તથા એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય છે. છ મહિના બાદ તપ પૂર્ણ થયે તે સાધુઓ - વૈયાવૃત્ય કરનાર થાય છે અને વૈયાવૃત્ય કરનાર સાધુઓ
છ માસને તપ આરભે છે. તેમને તપ પૂર્ણ થયે વાચનાચાર્ય પિતે છ માસને તપ કરે છે. એ વખતે જઘન્યથી - એક અને ઉત્કૃષ્ટથી સાત સાધુ તેમનું વૈવૃત્ય કરનારા થાય છે. આ પ્રમાણે અઢાર મારો પરિહારકલ્પ પૂર્ણ થાય છે.
પરિહારકલ્પ અંગીકાર કરનાર સાધુઓ ગ્રીષ્મકાલમાં જઘન્ય ચતુર્થભક્ત એટલે એક ઉપવાસ, મધ્યમ કષ્ટભક્ત એટલે બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત એટલે ત્રણ ઉપવાસ કરે છે, શિશિરઋતુમાં જઘન્ય પષ્ટભક્ત, મધ્યમ અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમભક્ત એટલે ચાર ઉપવાસ કરે છે તથા વષકાલમાં જઘન્ય અષ્ટમ ભક્ત, મધ્યમ દશમ ભકત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત એટલે પાંચ ઉપવાસ કરે છે. આ દરેક તપમાં પારણે આયંબિલ કરે છે. વળી વૈયાવૃત્ય કરનાર અને વાચનાચાર્ય પણ હંમેશાં આયંબિલ
આ કલ્પ પૂરો થયા પછી કેટલાક સાધુઓ ફરી તેજ - પરિહારવિશુદ્ધિચારિત્રને સ્વીકાર કરે છે, તે કેટલાક સાધુએ જિનકલ્પને સ્વીકાર કરે છે અને કેટલાક સાધુઓ પુનઃ ગચ્છમાં આવે છે. તેમાં તરત જ જિનલ્પને સ્વીકાર - નાશ થાવતકથિક પરિહારવિશુદ્ધિક અને બીજા વરકથિક પરિહારવિશુદ્ધિક કહેવાય છે.