SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ અંધતત્ત્વ ૩૬ નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનું સ્વરૂપ સોયના દૃષ્ટાંતથી સમજાશે. કેટલીક સેને દેરામાં પરોવેલી હોય અને તે કટાઈ જવાથી અરસપરસ ચાટી ગયેલી હોય, તે તેને છૂટી પાડવામાં મહેનત પડે છે. તેમ જે કર્મબંધન ગાઢ હોઈ તેને તેડવા માટે તપાદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરવું પડે, તે નિધત્ત કર્મબંધ કહેવાય છે. કેટલીક સેને દેરાથી પરાવેલી હોય, તે તેને છૂટી પડતાં વાર લાગે છે, તેમ જે કર્મનું બંધન વિશિષ્ટ આલેચના વગેરેથી તૂટે, તેને બદ્ધ કર્મબંધ કહેવાય છે. અને કેટલીક સેને ઢગલે પડેલે હેય તે એના પર હાથ મૂકતાં જ તે વિખરાઈ જાય છે, તેમ જે કર્મોનું બંધન અતિ શિથિલ હોઈ સામાન્ય પશ્ચાત્તાપ આદિથી તૂટી જાય, તેને સ્પષ્ટ કર્મબંધ કહેવાય છે. આત્માના અધ્યવસાયે બદલાયા કરે છે અને નવા નવા અધ્યવસાયે ઉત્પન્ન થાય છે, એટલે અધ્યવસાયનાં સ્થાનકે અસંખ્યાત માનવામાં આવ્યાં છે. - આત્માના અધ્યવસાયે બદલાતા ન હોત ને બધો વખત એક સરખા જ રહેતા હતા તે ચડતી કે પડતીને અનુભવ થાત નહિ, તેમ જ કર્મની સ્થિતિમાં જે વિચિત્રતા દેખાય છે, તે પણ દેખાત નહિ. અહીં એટલું લક્ષ્યમાં રાખવું ઘટે કે આત્મા નિગે- . કદમાં જડ પ્રાયઃ અવસ્થામાં હોય છે, ત્યારે પણ તેનામાં
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy