SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૮૨ નવ-તત્ત્વ-દીપિકા -શકે નહિ, તેનું કારણ સ્પષ્ટ છે. પંચેન્દ્રિય જાતિ સિવાય મનુષ્યને ભવ સંભવી શકતો નથી અને મનુષ્યના ભવ સિવાય મેક્ષની પ્રાપ્તિ થતી નથી. સંસારી પ્રાણુઓ પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાય, એ છ કા પૈકી કઈ પણ એક કાયમાં હોય છે. તેમાં પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના છ સ્થાવરકાય કહેવાય છે. તેમને ચારિ. ત્રને વેગ નહિ હોવાથી મેક્ષમાં જઈ શક્તા નથી, જ્યારે ત્રસકાયમાં મનુષ્યદેહે ચારિત્રને વેગ હઈ તેને -મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારી પ્રાણીઓ ભવ્ય અને અભવ્ય એવા બે પ્રકારના છે. તેમાં ભવ્ય પ્રાણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને અભિવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય પ્રાણને મોક્ષની પ્રાપ્તિ થવાનું કારણ એ છે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં એક કાળે રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિને ભેદ કરી સમ્યકત્વને સ્પર્શી શકે છે, તેથી વધારેમાં વધારે અપગલપરાવર્તકાળમાં તેને મોક્ષ થાય છે, જ્યારે અભવ્ય આત્માઓ રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ સમીપ અનતી વાર આવવા છતાં તેને ભેદ કરી શક્તા નથી, તેથી તેઓ મિક્ષની પ્રાપ્તિ કરી -શક્તા નથી. કેટલાક આત્માઓ ભવ્ય અને કેટલાક આત્માઓ -અભવ્ય કેમ?” તેને ઉત્તર એ છે કે “વરસ્થિતિ જ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy